Home Blog Page 1234

ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન ગઢવી ID પ્રુફ વગર વોટ આપવા પહોંચ્યા, પોણો કલાક અટવાયા

0

Election brand ambassador Kirtidan Gadhvi

  • ડાયરા ગજવતા કિર્તીદાનને મત આપ્યા વગર જ પરત જવુ પડયું. માન્ય દસ્તાવેજ વગર મતદાન કરવા પહોંચેલા કિર્તીદાન મત ન આપી શક્યા. ડિજીટલ દસ્તાવેજ લઈને આવ્યા હોવાથી ચૂંટણી અધિકારીએ પાછા મોકલ્યા.

ડાયરાની દેશવિદેશ ફેમસ થયેલા ગાયક કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhavi) ભારે ઉત્સાહ સાથે મતદાન આપવા પહોંચ્યા હતા. પરંતું તેઓને લગભગ પોણો કલાક રાહ જોવી પડી હતી. માન્ય પુરાવા વગર વોટ કરવા જતાં કીર્તિદાન અટવાયા હતા.

જેથી તેમને વોટ કરવા દેવાયા ન હતા. આખરે તેઓએ ઝેરોક્ષ (Xerox) પર સહી કરીને પુરાવો આપતા તેને માન્ય ગણાયા હતા અને તેમને અંતે વોટ કરવા મળ્યો હતો. કીર્તિદાન ગઢવી ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે ખુદ તેઓ જ ચૂંટણીના નિયમો ભૂલી ગયા હતા અને ડિજીટલ ડોક્યુમેન્ટ્સના (Digital documents) આધારે વોટ આપવા પહોંચ્યા હતા.

ચૂંટણીમાં મતદાનના નિયમો હોય છે. જરૂરી પુરાવાના આધારે જ વ્યક્તિને મતાધિકારનો ઉપયોગ કરવા મળે છે. પરંતુ ફેમસ લોકગાયક કીર્તિદાન ગઢવી પુરાવાની હાર્ડ કોપી લીધા વગર ડિજીટલ કોપીના આધારે વોટ કરવા પહોંચ્યા હતા. તેઓ રાજકોટમાં માધાપુર તાલુકા શાળામાં મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓએ મતદાર ઓફિસરે મોબાઈલમાં ડોક્યુમેન્ટ બતાવ્યા હતા.

ત્યારે અધિકારીએ કીર્તિદાનને કહ્યું કે આધાર કાર્ડ લઈને આવો. કીર્તિદાન આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગર વોટ કરવા પહોંચ્યા હતા. ડાયરા ગજવતા કીર્તિદાન ગઢવી પોતે ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં મતદાનના નિયમોથી અજાણ જોવા મળ્યાં. કીર્તિદાન જરૂરી ડોક્યુમેન્ટ વગર જ મતદાન કરવા પહોંચ્યા હતા.

જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી ચૂંટણી પ્રચાર બ્રાન્ડ એમ્બેસેડર જ મતદાન કરવામાં અટવાયા હતા. જેને કારણે તેઓ લગભગ પોણો કલાક સુધી મતદાન કરી શક્યા ન હતા. તેના બાદ તેઓએ ઝેરોક્ષ કોપી પર સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જેના બાદ તેમને મતદાન કરવા મળ્યુ હતું.

મતદાન કરતા અટકાવતાં ગુજરાતના આ ફેમસ લોકગાયકે ડિજિટલ ઈન્ડિયા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હકીકત તો એ છે કે ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં પણ તેઓે ચૂંટણીના નિયમોથી અજાણ હતા. તેમજ એવુ તો નથી કે આ કીર્તિદાન ગઢવીના જીવનનું પહેલુ મતદાન છે. જેથી તેઓને નિયમોની ખબર નહિ હોય.

છતાં તેઓ પુરાવા વગર મતદાન આપવા પહોંચ્યા હતા અને ચૂંટણીના નિયમો પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે કે ચૂંટણી પંચ દ્વારા વારંવાર મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમો ચલાવાતા હોય છે.

આ પણ વાંચો :-

ચૂંટણીમાં ઓછું મતદાન ભાજપ શાસન સામેની હતાશાનું કારણ કહી શકાય

Low voter turnout in elections can

  • મોંઘવારી, બેકારી, બેરોજગાર, વેપાર, ઉદ્યોગમાં અનિશ્ચિતતા અને ઉપરથી કાયદાની નાકાબંધીથી લોકો ત્રાસી ગયા છે, પરંતુ વિકલ્પ મળતો નથી.
  • ભાજપ અને આપનો પ્રચાર જોતાં આ વખતે જબરજસ્ત મતદાન થવાની આશા હતી, પરંતુ ‘આપ’વાળા પણ ગાજ્યા એટલા વરસી શક્યા નહીં, ટોળાં ભેગા કરવા અને ટોળાંને મતદાનમાં રૂપાંતર કરવા વચ્ચે ખૂબ મોટો તફાવત છે.
  • દેશમાં રોડ-રસ્તા બન્યા, સરકારી અને ભાજપની ઈમારતો બની પરંતુ સામાન્ય જીવનમાં આર્થિકક્ષેત્રે કેટલો બદલાવ આવ્યો એ મહત્ત્વનું છે, આવાસ બાંધી આપવાથી ગરીબી દૂર થઈ જતી નથી પરંતુ આવાસમાં રહીને પરિવારનું ભરણપોષણ માટે રોજગાર પણ જરૂરી છે.
  • દેશ અને રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિથી વડાપ્રધાન વાકેફ નથી અથવા તો જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યાં છે, ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીનું પરિણામ ભાજપનું નવું ભાવિ નક્કી કરશે.

ખાસ કરીને સુરતમાં ‘આપ’નાં મોટાભા કેજરીવાલ (Kejriwal) સહિત યુવાઓનાં ટોળાંએ મતદાન પહેલા ગાઈ વગાડીને વગાડેલા ઢોલ મતદાનનાં દિવસે ગાજ્યા એટલા વરસ્યા નહોતા, સુરતનાં વરાછા, કતારગામ (Katargam), ઓલપાડ અને કામરેજ બેઠક માટે મતદાનનાં (Voting) આગલા દિવસ સુધી ભાજપ માટે આફતના વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. પરંતુ મતદાનનાં એટલે કે ૧લી ડિસેમ્બરનાં દિવસે અચાનક ‘આમ આદમી પાર્ટી’નો (Aam Aadmi Party) નશો જાણે ઓસરી ગયો હોય એવું લાગી રહ્યું હતું.

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ અને તોફાની ગણાતા ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) કતારગામ બેઠક ઉપર ભાજપનાં વર્તમાન મંત્રી વિનુ મોરડિયા (Vinu Mordia) સામે જંગે મેદાનમાં હતા. ભાજપનાં સુપ્રીમો અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સતત ત્રણ દિવસ સુરતમાં પડાવ નાંખ્યો હતો અને કતારગામ તથા વરાછા વિસ્તારમાં ભારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સોશ્યિલ મીડિયામાં ‘આપ’નો પ્રચાર જોતા એવું લાગતું હતું કે, મતદાનનાં દિવસે ‘આપ’નાં જુવાનિયાઓનાં ટોળા નીકળી પડશે.

પરંતુ આમાનું કંઈ જ થવા પામ્યુ નહોતું. બલ્કે આ બેઠકો ઉપરનાં મતદાનમાં ગત ચૂંટણી કરતાં સરેરાશ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પાંચ ટકા ઓછું મતદાન થવા પાછળ લોકોની ઉદાસીનતા ચોક્કસ કારણભૂત ગણી શકાય. મોંઘવારી, બેકારી, આરાજકતાથી લોકો એટલી હદે ત્રાસી ગયા છે કે, લોકોને હવે દરેક પક્ષમાં એકનાં એક ચહેરા દેખાઈ રહ્યાં છે. લોકો આવી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા તરફડી રહ્યાં છે. પરંતુ ક્યાંય પણ આશાનું કિરણ દેખાતુ નથી. લોકોનો હવે ભાજપ પ્રત્યેનો ‘મોહભંગ’ જરૂર થયો છે. પરંતુ ભાજપને ઉથલાવી શકે એવો કોઈ મજબૂત વિકલ્પ દેખાતો નથી. પાછલાં ૨૭ વર્ષથી ગુજરાતમાં અને આઠ વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકારનું રાજ છે.

દેશની માળખાગત સુવિધાઓમાં ચોક્કસ વધારો થયો હશે. પરંતુ વ્યક્તિગત રીતે જોવા જઈએ તો લગભગ દરેક વ્યક્તિ જાત જાતની સમસ્યાથી વાજ આવી ગયો છે. સાંજનાં છેડે ઘર પરિવારનું પેટ ભરી શકાય એટલી કમાણી થતી નથી. લોકોને કામ કરવું  છે, પરંતુ કામ નથી. ઘણાં પરિવારોનાં ચુલા પણ કદાચ એક જ ટાઈમ સળગતા હશે. સેંકડો બાળકોની પ્રાથમિક જરૂરિયાતો પણ છીનવાઈ ગઈ હશે. અનેક પરિવારો વ્યાજનાં ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. આવા એક નહીં અનેક પ્રશ્નોથી સામાન્ય નાગરિકનું જીવન દુષ્કર બની ગયું છે અને એટલે જ હવે લોકો ભાજપથી નહીં પરંતુ ભાજપનાં નિષ્ફળ શાસનથી કંટાળી ગયા છે.

આ બધાની વચ્ચે લોકો કોઈ નવા ચહેરાની શોધમાં છે. લોકોને એ પણ ખબર છે કે આ બધા જ ‘એક જ દરિયાના જીવ છે’. પરંતુ શાસનમાં કોઈક સારી વ્યક્તિ આવે તો બીજુ નહીં તો કંઈ નહીં સારી રીતે જીવી શકાય. બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ આપી શકાય અને સારી રોજગારી મેળવી શકાય. બસ, આનાથી વિશેષ કોઈ જ અપેક્ષા નથી. પરંતુ ભાજપની ટોચની નેતાગીરી ‘સુ-શાસન’ આપવામાં ચોક્કસ નિષ્ફળ નિવડી છે. સરકારો એ રીતે ચાલે છે કે, જાણે કોઈ પ્રાઈવેટ કંપની ચાલતી હોય.

ખરેખર તો આ બધી સમસ્યાનો ઉકેલ લાવવા બીજા કોઈએ નહીં ખુદ વડાપ્રધાન મોદીએ નિરાંતે મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે, લોકોને ભાજપ ઉપર નહીં પરંતુ મોદી ઉપર ભરોસો છે અને એટલે જ મોદીનાં નામ ઉપર લોકો ભાજપને મત આપતા આવ્યા છે અને ભાજપને જીતાડવા માટે મોટા અમીરો નહીં પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનો ખુબ મોટો ફાળો રહ્યો છે. જો વડાપ્રધાન મોદી આ સત્યને ખરેખર સમજી શકતા હોય અને દિલ દિમાગથી વિચારી શકતા હોય તો ચોક્કસ સરકારી તંત્રમાં અસરો જોવા મળે. પરંતુ અનુભવે એવું ચોક્કસ કહી શકાય કે, લોકોનાં દર્દ, સમસ્યા અને વાસ્તવિક તકલીફ વડાપ્રધાન મોદીનાં દિલ અને દિમાગ સુધી પહોંચતી નહીં હોય.

અન્યથા વહિવટમાં સુધારો થયો હોત. રોડ, રસ્તા બન્યા, વીજળીનું વિસ્તરણ થયું, સરકારી ઓફિસો અને ખુદ ભાજપની કાર્યાલયો વૈભવી મહેલ જેવી બની. પરંતુ બીજી તરફ ગરીબોનાં માથેનું છાપરું રીપેર કરાવવાનાં પણ પૈસા નથી. ગરીબો માટે આવાસ બનાવ્યા, પરંતુ આવાસમાં પરિવાર સાથે સુખેથી જીવનનો ગુજારો કરવા માટે કમાણીનાં સાધનો નથી. કાશ, વડાપ્રધાન મોદીને આ વાત સમજાતી હોત તો ગરીબોને આવાસ આપતા પહેલાં રોજગારીનું પણ સર્જન કર્યું હોત. પરંતુ રોજગારીની દિશામાં કોઈ જ અસરકારક પગલાં ભરાયા નથી. બલ્કે લોકોને રોજગારી આપતા મધ્યમ અને લઘુકક્ષાનાં સેંકડો રોજગાર બંધ થઈ ગયા! વેપાર, ઉદ્યોગનાં લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સરકારે એટલી હદે ‘નાકાબંધી’ કરી છે કે, વેપાર, ધંધા કરનારાઓની હાલત ગુનેગાર જેવી છે. વેપારીઓ, ઉદ્યોગકારો પોતે ગુનેગાર હોય એવા ભાવથી પીડાઈ રહ્યાં છે. બીજી તરફ કાયદાની ઐસી કી તૈસી કરીને બેધડક ટેક્સ ચોરી કરીને રાતોરાત દુકાનનાં પાટીયા બદલી નાંખનારાઓનો વાળ પણ વાંકો થતો નથી. આ નરી વાસ્તવિકતા છે.

ખેર, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં ‌ઉદયની સાથે લોકોને થોડા ઘણાં લડવૈયા મળવાની આશા બંધાઈ હતી, પરંતુ પાટીદાર સમાજને ‘અનામત’ અપાવનાર અને બદલાયેલા રૂપમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ખાસ કરીને પાટીદાર સમાજનાં યુવાનો મતદાન ટાણે ગાજ્યા એટલા વરસ્યા નહોતા અને લોકોને અસરકારક મતદાન કરાવવામાં નિષ્ફળ ગયા હતા. બલ્કે વિતેલા દિવસો દરમિયાન માથું ફાડી નાંખે એવો પ્રચાર અને જાત જાતનાં વાયદા અને વચનોને કારણે વિમાસણમાં મુકાઈ ગયેલા મતદારોને મતપેટી નજીક પહોંચ્યા પછી નરેન્દ્ર મોદી નામનો કોઈ વિકલ્પ જ દેખાયો નહોતો એવું કહી શકાય. ઘણી જગ્યાએ પરિવર્તન. પરિવર્તનની બુમરાણ સાંભળવા મળી હતી. પરંતુ મતદાન સમયે જાણે પરિવર્તન નામની હવા ગાયબ થઈ ગઈ હતી.

બીજી તરફ રાજકીય અપપ્રચારને કારણે પણ જાતિવાદ, કોમવાદનાં વાડામાં વહેંચાયેલા લોકોએ પણ મતદાન કરવાનું ટાળ્યું હતું. ગત ચૂંટણીમાં સુરત શહેર-જિલ્લામાં સરેરાશ ૬૬.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે આક્રમક પ્રચાર છતાં મતદાનની ટકાવારીમાં સીધો પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વખતે શહેર-જિલ્લામાં સરેરાશ ૬૧.૭૧ ટકા મતદાન નોંધાયું હતું. આ બતાવે છે કે, લોકો હવે ત્રાસી ગયા છે અને કોઈનામાં પણ ‘ભરોસો’ નથી અને સાથે નવો વિકલ્પ પણ નથી.

‘આપ’ના અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડેલ ગુજરાતનાં લોકોનાં મનમાં ‘ભરોસો’ પેદા કરી શકશે કે કેમ તેની સામે હવે ચોક્કસ પ્રશ્નાર્થ કરી શકાય. કારણ કે, આમ આદમી પાર્ટી એટલે ‘આપ’ માટે સુરત મુખ્ય કેન્દ્ર રહ્યું છે અને સુરતમાં જ જો ‘આપ’ને આવકાર મળવાનો ન હોય તો રાજ્યનાં અન્ય પ્રદેશોમાં ‘આપ’ને વિશેષ આવકાર મળવાની શક્યતા દેખાતી નથી. મતલબ કે અમિત શાહનાં શબ્દો ખરેખર સાચા બનીને રહી જશે.

અમિત શાહનાં અત્યાર સુધીનાં ચૂંટણી પ્રચારમાં તેઓ કહેતા આવ્યા છે કે, ગુજરાતની ચૂંટણીમાં ‘આપ’નું કોઈ જ અસ્તિત્વ નથી. અને અંતમાં એવી વાત ચાલી રહી છે કે, ઓલપાડ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવનાર ધાર્મિક માલવિયા પાછલાં કેટલાંક દિવસોથી સક્રિય નહોતો. તેમની નિષ્ક્રિયતા માટે પણ અનેક સવાલ પુછાઈ રહ્યાં છે. પરંતુ કારણો સહિતનાં જવાબ મળવાનું મુશ્કેલ જણાય છે. કદાચ ઓલપાડ બેઠકનાં પરિણામનાં પોસ્ટમોર્ટમ વખતે ધાર્મિકની નિષ્ક્રિયતા માટેનાં સંભવત કારણો બહાર આવી શકે.

આ પણ વાંચો :-

UPI પેમેન્ટ, Paytm અને Digital Rupeeમાં શું ફર્ક ? જાણી લો સમગ્ર વિગત અને ફટાફટ દૂર કરો આ મૂંઝવણ

What is the difference between UPI payment

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 1 ડિસેમ્બરથી રિટેલ ડિજીટલ રૂપિયાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવા જઈ રહી છે. ત્યારે જાણો કેવી રીતે અલગ પડે છે UPI પેમેન્ટથી આ ડીઝીટલ કરન્સી.

ભારતમાં હવે લોકો પોકેટ વોલેટમાં (Pocket wallet) નહીં પણ પેમેન્ટ વોલેટમાં પૈસા લઈ જશે અને તે 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 1 ડિસેમ્બરથી રિટેલ ડિજીટલ રૂપિયાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવા જઈ રહી છે. પાયલોટ પ્રોજેક્ટ (Pilot project) દરમિયાન, રિટેલ ડિજિટલ રૂપિયાના વિતરણ, ઉપયોગ અને તૈયારીની સમગ્ર પ્રક્રિયાનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવશે.

CBDC નામ આપવામાં આવ્યું :

રિઝર્વ બેંકની આ ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નામ આપવામાં આવ્યું છે. પરંતુ ડિજિટલ રૂપિયાનું નામ સાંભળતા જ તમારા મનમાં આ પ્રશ્ન જરૂર ઘૂમી રહ્યો હશે કે જો તે હવે શરૂ થઈ રહ્યું છે. તો પછી આપણે Paytm, Google Pay અને Phone Payનું શું કરીશું.

UPI અને ડિજિટલ રૂપિયા વચ્ચેનો તફાવત :

આજના સમયમાં આપણે કોઈપણ દુકાન પર તમામ પ્રકારના ઈ-વોલેટ્સમાંથી UPI નો ઉપયોગ કરીને ચુકવણી કરીએ છીએ. પરંતુ તેને ડિજિટલ કરન્સી કહી શકાય નહીં, કારણ કે UPI દ્વારા ટ્રાન્સફર કરાયેલા નાણાં માત્ર ભૌતિક ચલણ દ્વારા જ ચાલે છે. આનો અર્થ એ છે કે UPI ચુકવણી માટે વપરાતી ચલણ વર્તમાન ભૌતિક ચલણની સમકક્ષ છે. ડિજિટલ રૂપિયો પોતે જ અંતર્ગત ચુકવણી હશે, જેનો ઉપયોગ ચલણને બદલે ડિજિટલ ચૂકવણી માટે કરી શકાય છે.

ટ્રાન્ઝેક્શન રિઝર્વ બેંક કરશે :

રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ ઈ-રૂપી ડિજિટલ ટોકન તરીકે કાર્ય કરશે. બીજા શબ્દોમાં કહીએ તો, CBDC એ RBI દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. હવે UPI અને ડિજિટલ રૂપિયા વચ્ચેનો બીજો તફાવત સમજો.

વાસ્તવમાં, UPI ચુકવણી એ બેંક ખાતામાં ડાયરેક્ટ બેંક એકાઉન્ટ છે. રિઝર્વ બેંકે ડિજિટલ રૂપિયા માટે કહ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ બેંકોના ડિજિટલ વોલેટ દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે. હવે શું છે કે UPI વિવિધ બેંકો દ્વારા નિયંત્રિત થાય છે અને આ બેંકો રિઝર્વ બેંકની દેખરેખ હેઠળ કામ કરે છે. પરંતુ તમારા ડિજિટલ રૂપિયાનું સીધું સંચાલન અને દેખરેખ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવશે. બાકીની બેંકો તેના વિતરણમાં સામેલ થશે. એટલે કે વહીવટ આરબીઆઈના હાથમાં રહેશે.

કોણ ચૂકવણી કરી શકે છે :

ડિજિટલ રૂપિયાના વ્યવહારો પર્સન ટુ પર્સન (P2P) અને પર્સન ટુ મર્ચન્ટ (P2M) બંને રીતે કરી શકાય છે. આ સિવાય, જો તમારે વેપારીને ચૂકવણી કરવી હોય, તો તમે તેની પાસે હાજર QR કોડને સ્કેન કરી શકો છો અને ચુકવણી કરી શકો છો. તો ખાલી સમજી લો કે દેશની પોતાની ડીજીટલ કરન્સી શરૂ થવાની છે. કારણ કે આપણી હાલની ઓનલાઈન પેમેન્ટ માત્ર ભૌતિક ચલણ સાથે કામ કરે છે.

Paytm-Google Pay માટે કોઈ મેળ નથી :

સમાચાર અનુસાર નિષ્ણાતોનું કહેવું છે કે ડિજિટલ રૂપિયો Paytm અને Google-Pay જેવા મોબાઈલ વોલેટ સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. ડિજિટલ રૂપિયો એ ચુકવણીની નવી રીત છે. આ અંતર્ગત તમારે એક વખત બેંકમાંથી ડિજિટલ રૂપિયા ખરીદવા પડશે. તે પછી તમે વૉલેટથી વૉલેટમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.

Infibeam Avenues Ltd ના ડિરેક્ટર અને પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન વિશ્વાસ પટેલ કહે છે- ‘તે બ્લોકચેન આધારિત ડિજિટલ ટોકન સ્વરૂપનું ચલણ છે. રિટેલ ડિજિટલ ચલણમાં તમે કોઈપણ બેંકોને સામેલ કર્યા વિના આપવા અને લેવા સક્ષમ હોવા જોઈએ. જેમ તે ભૌતિક ચલણમાં થાય છે. પરંતુ તે UPI થી તદ્દન અલગ છે, જેમાં તમારા બેંક ખાતામાંથી પૈસા ડેબિટ થાય છે. રિટેલ ડિજિટલ રૂપિયો એ રિઝર્વ બેંક દ્વારા કાનૂની ટેન્ડર છે.

ડિજિટલ રૂપિયાના કેટલાક ગેરફાયદા પણ :

રિઝર્વ બેંક (RBI)ની ડિજિટલ કરન્સી ઈ-રૂપીના ગેરફાયદા વિશે વાત કરીએ તો, તેનો એક મોટો ગેરફાયદો એ હોઈ શકે છે કે તે નાણાંની લેવડદેવડ સંબંધિત ગોપનીયતાને લગભગ સમાપ્ત કરી દેશે. સામાન્ય રીતે રોકડમાં ટ્રાન્ઝેક્શન કરવાથી ઓળખ ગુપ્ત રહે છે, પરંતુ સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર નજર રાખશે.

આ સિવાય ઈ-રૂપિયા પર કોઈ વ્યાજ મળશે નહીં. આરબીઆઈના જણાવ્યા અનુસાર, જો ડિજિટલ રૂપિયા પર વ્યાજ આપવામાં આવે તો તે કરન્સી માર્કેટમાં અસ્થિરતા લાવી શકે છે. તેનું કારણ એ છે કે લોકો તેમના બચત ખાતામાંથી પૈસા ઉપાડશે અને તેને ડિજિટલ કરન્સીમાં કન્વર્ટ કરવાનું શરૂ કરશે.

ઈ-રૂપી :

સીબીડીસી લાવવાનો હેતુ કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં નાણાકીય વર્ષ 2022-23થી બ્લોક ચેઇન આધારિત ડિજિટલ રૂપિયો રજૂ કરવાની જાહેરાત કરી હતી. ભૂતકાળમાં કેન્દ્રીય બેંક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ચલણના હાલના સ્વરૂપોને બદલવાને બદલે, RBI ડિજિટલ રૂપિયાનો ઉદ્દેશ્ય ડિજિટલ ચલણને પૂરક બનાવવા અને વપરાશકર્તાઓને ચુકવણી માટે વધારાનો વિકલ્પ આપવાનો છે.

આ પણ વાંચો :-

2 ડિસેમ્બર 2022, રાશિફળ :  સાંઈ બાબા આ 7 રાશિના લોકો પર વરસાવશે હંમેશા કૃપા – ધંધામાં મળશે સફળતા

2 December 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતણા જણાય. ભાગ્ય સારૂ છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિયાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતીનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યના આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થીમિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોર્ટ ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે  સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધ તી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકૂળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમિયાન મિશ્રફળ અ‌નુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઇ-બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવાથી અગ્‍નીથી સાચવવું. તમામ બાબતોમાં જીવનસાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્તોત્ર વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઇ-બહેનને વાઇરાલ ઇન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાથી દૂર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જૂના ગુરૂ-શિક્ષકોને મળવા યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આધ્યાત્મિક પ્રગતી થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

પંજાબના સંગરુરમાં CM આવાસ બહાર મજૂરોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ, જાણો શું છે વિરોધ

0

Hull of laborers outside CM’s residence

  • જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન પહેલાં પટિયાલા બાયપાસ પર ભેગાં થયાં અને ત્યારબાદ સીએમ આવાસની તરફ કૂચ કરી. પીએમનાં આવાસ બહાર પહેલેથી જ મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવાયેલ હતું.

પંજાબનાં (Punjab) સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં (Chief Minister Bhagwant Mana) આવાસની સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલિસે લાઠીચાર્જ (Police baton charge) કર્યો છે. આ મજૂરો બુધવારે પોતાની માંગને લઇને સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં આવાસની સામે પહોંચ્યાં હતાં જ્યાં પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ હતી. ત્યાર બાદ મજૂરો પર લાઠીચાર્જ (baton charge) કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મજૂરોનાં ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ  :

જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી.

સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ : 

જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી. સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.

રસ્તાઓ ખોલાવવા કર્યો લાઠીચાર્જ :

માહિતી અનુસાર ખેડૂતો અને મજૂરોએ રસ્તા પર ટ્રકો લગાવ્યાં હતાં. પછી પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ તો રસ્તા ખોલાવવા અને ટ્રક હટાવવા માટે પોલીસએ લાઠીચાર્જ કર્યું. કેટલાક ખેડૂતો અને મજૂરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. રિપોર્ટસ અનુસાર પોલીસે કહ્યું છે કે તેમની પાસે લાઠીચાર્જ કર્યાં સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો. પોલીસે કહ્યું કે મજૂરો જે રીતે હાઇ વેને જામ કરીને બેઠાં હતાં તેને ખોલાવવું ઘણું જરૂરી હતું. તે ન માન્યા તેથી લાઠીચાર્જ કરવું પડયું.

આ પણ વાંચો :-

ભ્રમમાં ન રહેતા ! બટેકાથી પણ ઘટી શકે છે વજન, રીત જાણી લેશો તો થશે ફાયદો

Do not live in illusion

  • બટાકામાં ફેટ, સોડિયમ કે કોલેસ્ટ્રોલ હોતું નથી. વિટામિન બી 6, ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડેન્ટ્સની સારી માત્રા હોય છે, બટેટા શરીર માટે હોય છે ફાયદાકારક.

આપણા દેશમાં બટેટા (potato) એક એવું શાક છે. જેનો ઉપયોગ કોઈ પણ શાકભાજી સાથે કરી શકાય છે. એટલે જ શાકભાજીનો રાજા બટેટાને કહેવાય છે. બટેટા એટલે ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ (Delicious dishes). પછી ભલે તે આલુ ટિક્કી જેવો દેશી સ્વાદ હોય કે પછી આલુ ટિક્કી બર્ગરનો (Plum Tikki Burger) વિદેશી સ્વાદ હોય. બટેટા દરેક ખાદ્ય પદાર્થોમાં તડકા લગાવાનું કામ કરે છે. પરંતુ તેમ છતાં લોકો બટેટાને રોગનું મૂળ પણ કહે છે.

ખાસ કરીને શુગરના દર્દીઓ માટે. હેલ્થ લાઈન મુજબ બટેટામાં પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય તેમાં ફાઇબર પણ હોય છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બટેટાનું સેવન પાચન માટે પણ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. બટેટામાં વિટામિન એ, સી, બી-કોમ્પ્લેક્સ અને કાર્બોહાઈડ્રેટ હોય છે. તે હાઈપોગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટાડે છે.

બટેટા ખાવાની હેલ્થી રીત :

ડાયટમાં બાફેલા બટેટાનો સમાવેશ કરી શકે છે. બટેટાને બાફ્યા પછી સંપૂર્ણ ઠંડા થવા દો. પછી તેના ટુકડા કરી લો. બાફેલા બટેટાનો સ્વાદ વધારવા માટે તેમાં કાળા મરી ઉમેરો. બટેટાને દહીં કે છાશમાં મિક્સ કરીને નાસ્તામાં કે બપોરના ભોજનમાં ખાવાથી ફાયદો થશે. બાફેલા બટેટાના સેવનથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

બાફેલા બટેટા ઓવર ઈટિંગથી બચાવશે : 

બાફેલ બટેટા ખાવાથી તમને વારંવાર ભૂખ લાગતી નથી. બાફેલા ઠંડા બટાટા મોટા પ્રમાણમાં રસિસ્ટાન્સ સ્ટાર્ચ ઉત્પન્ન કરે છે. તે મેટાબોલિજ્મને વધારવામાં મદદ કરે છે અને શરીરની વધારાની ચરબી ઘટાડે છે. બાફેલા બટેટામાં શક્કરિયા જેટલી જ કેલરી હોય છે.

પોષક તત્વોની માત્રા :

બટેટામાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેમાં ચરબી, સોડિયમ કે કોલેસ્ટ્રોલ હોતું નથી. વિટામિન બી6, ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડેન્ટસ સારી માત્રા હોય છે. બટેટામાં પોટેશિયમની માત્રા કેળા કરતા વધારે હોય છે. સાથે જ તેમાં વિટામિન સીની દૈનિક જરૂરિયાતનો અડધો ભાગ હોય છે. બટેટા ફ્રી રેડિકલ્સ સામે લડે છે. જે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

બટેટાને હમેંશા છાલ સાથે રાંધો :

છાલ સાથે રાંધેલ બટેટામાં સારી માત્રામાં પોષક તત્વો હોય છે. તેને ખાવા તમારા માટે ફાયદાકારક રહેશે. બટેટાને હંમેશાં છાલ સાથે ઉકાળો અને છાલ કાઢ્યા વિના નહીં. જો તમે બટેટાને છોલીને ઉકાળો છો. તો તે બટેટામાં વિટામિન સી અને બી જેવા પોષક તત્વોને ઘટાડે છે. બટાકાને બાફવા માટે ઓછા પાણીનો ઉપયોગ કરો.

આ વસ્તુઓ સાથે ખાવાનું ટાળો :

બટાકાની સાથે ઘી, તેલ, માખણ, ક્રીમ, પનીર અને કૃત્રિમ ફ્લેવરનો વધુ પડતો ઉપયોગ ન કરો. બટાટા રાંધવા માટે ઓલિવ તેલ જેવા તંદુરસ્ત તેલનો ઉપયોગ કરો.

આ પણ વાંચો :-

01 ડિસેમ્બર 2022, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી- તેઓની પર હંમેશા રહે છે વિષ્ણુ ભગવાનની કૃપા

01 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આનંદ ઉત્સાહ પૂર્ણ ‌દિવસ આવકનું પાસુ મજબુત બનતું જણાય. આ‌‌ર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. માતૃસુખમાં વધારો થાય. ‌મિત્રોથી લાભ. પ‌રિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ‌ચિંતા રહે.

મિથુન
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાકી શકાય. નાણાંકીય, બાબતો માટે ઉત્તમ ‌દિવસ, નાના ભાઈ બહેનોની પ્રગ‌તિ થતી જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્ર‌તિકારક શ‌ક્તિ ઘટે. થાક લાગે.

કર્ક
‌મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્ય‌ક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પ‌ત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

‌સિંહ
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના ‌મિત્રો ને મળવાનું થાય. ‌મિત્રો નો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. ‌વિદ્યાર્થી ‌મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગ‌તિ આવક વધશે.

કન્યા
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્ય‌ક્તિને સફળતા મળે. માતા-‌પિતા તરફથી શાં‌તિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ અનુભવાશે.

તુલા
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનત ના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃ‌શ્ચિક
ભાગ્યના બળે આવકમાં વૃ‌દ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ‌ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધન
માન‌સિક અશાં‌તિ રહે. નકારાત્મક ‌વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાં‌તિથી ‌દિવસ પસાર કરવા. ભગવાન ‌શિવની ઉપાસનાથી લાભ થાય.

મકર
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા ‌વિશાળ મન રહેશે. ભ‌ક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું ‌નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધા‌ર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભ
જોમ-જુસ્સામાં વધારો થાય. ‌મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમ ભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ‌ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીન
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગ‌તિ થી આનંદ થાય. ‌વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ‌દિવસ. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ થાય. બીજા ને મદદ કરવાથી દીલ હરખાય. ‌મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

9 કલાક મોડી આવી ટ્રેન ! મુસાફરોએ સ્ટેશન પર જે કર્યું તે જોઈને કહેશો, આવું માત્ર ભારતમાં જ થાય

0

9 hours late train

  • સોશીયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોની ટ્રેન 9 કલાક મોડી આવી હતી પરંતુ ટ્રેનને જોતા જ ઘણા લોકો ઝૂમી ઉઠ્યા હતા.

ભારતમાં (India) ટ્રેન મોડી પડવી સામાન્ય વાત છે પરંતુ જયારે આ ટ્રેન એક બે કલાક નહી પરંતુ 9 કલાક મોદી પડે ત્યારે… તો ભાઈ, બહુ દુઃખ થાય છે! સાચું કહું તો બધાને ગુસ્સો આવે છે. ઘણા લોકો ‘ભારતીય રેલવે’ને (Indian Railways) કોસવા લાગે છે. હવે વિચારો કે એ લોકોની હાલત શું હશે જેમની ટ્રેન (Train) 9 કલાક મોડી પડી હતી. જનતાના ગુસ્સાથી ઓતપ્રોત થશે ને? પરંતુ જ્યારે તમે આ વીડિયો જોશો ત્યારે તમે દંગ રહી જશો! વાસ્તવમાં મુસાફરો પ્લેટફોર્મ (platform) પર તેમની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. જે સંપૂર્ણ 9 કલાક મોડી પડી હતી.

આવી સ્થિતિમાં જ્યારે એક જૂથે તેમની ટ્રેનને પ્લેટફોર્મ પર આવતી જોઈ તો તેઓ આનંદથી કૂદી પડ્યા અને નાચવા લાગ્યા. હવે આ અદ્ભુત ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે તેમની ધીરજ જોઈને કેટલાક લોકો કહેતા હોય છે કે જીવનમાં આટલી ધીરજની જરૂર છે !

‘ભારતમાં આ સામાન્ય છે…’

આ વીડિયો ટ્વિટર હેન્ડલ @bonthu_hardik પરથી શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં કહ્યું- અમારી ટ્રેન 9 કલાક મોડી હતી. જ્યારે તે આવી ત્યારે લોકોએ કેવી પ્રતિક્રિયા આપી તે અહીં જોઈ શકાય છે. આ ક્લિપને અત્યાર સુધીમાં 8 હજાર વ્યૂઝ અને 200થી વધુ લાઈક્સ મળી છે. તેમજ આ સીન જોયા બાદ ઘણા યુઝર્સ તેમના મનની વાતો લખી રહ્યા છે.

ઉદાહરણ તરીકે એક વ્યક્તિએ લખ્યું કે મારો દેશ આવો છે. બીજાએ લખ્યું – ભારતમાં ગમે તેટલી સમસ્યા હોય, લોકો કોઈપણ રીતે મીમ્સ બનાવે છે. ત્રીજાએ લખ્યું કે ભારતમાં આ સામાન્ય છે. બીજાએ લખ્યું કે લાઈટ આવવાનો આનંદ જેટલો ટ્રેન મોડી પડવાનો આનંદ હતો તેટલો જ થયો. કેટલાકે લખ્યું કે દેશ ખરેખર બદલાઈ ગયો છે !

આ પણ વાંચો :-

જનતાને મળશે મોટી રાહત ! દેશમાં 14 રૂપિયા સસ્તું થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ ! જાણો ભાવ ઘટવાના 3 મુખ્ય કારણ

People will get a big relief

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ જાન્યુઆરીથી નીચા સ્તરે હતા જે હવે ઘટીને $81 પર આવી ગયું. જેથી હવે ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

દેશમાં વધતી મોંઘવારી (inflation) વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વોગતો મુજબ હવે ક્રૂડ ઓઈલની (Crude oil) કિંમતમાં ઘટાડાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં (International market) ક્રૂડ ઓઈલના ભાવ જાન્યુઆરીથી નીચા સ્તરે છે. તે હવે ઘટીને $81 પર આવી ગયું છે. યુએસ ક્રૂડ (US Crude) પ્રતિ બેરલ 74 ડોલરની નજીક છે.

મહત્વનું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાથી ભારતીય રિફાઈનરીઓ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમતઘટીને બેરલ દીઠ $82 થઈ ગઈ છે. જોકે માર્ચમાં તે $112.8 હતી. આ મુજબ 8 મહિનામાં રિફાઈનિંગ કંપનીઓ માટે ક્રૂડ ઓઈલની કિંમતમાં $31 (27%)નો ઘટાડો થયો છે.

SMC ગ્લોબલના જણાવ્યા અનુસાર દેશની ઓઈલ કંપનીઓ ક્રૂડમાં દર $1ના ઘટાડા માટે રિફાઇનિંગ પર પ્રતિ લિટર 45 પૈસા બચાવે છે. તે મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ.14 થશે. પ્રતિ લીટર કરતા ઓછો હોવો જોઈએ.

તો શું કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે ? ગુજરાત

  • પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલના વેચાણ પર નફો કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ડીઝલમાં હજુ પણ પ્રતિ લીટર 4 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારથી બ્રેન્ટ ક્રૂડ લગભગ 10% સસ્તું થયું છે. આવી સ્થિતિમાં ડીઝલ પર પણ કંપનીઓ નફાકારક બની છે.
  • દેશમાં પેટ્રોલ અને ડીઝલની વર્તમાન કિંમતો અનુસાર ક્રૂડ ઓઈલની ભારતીય ટોપલી બેરલ દીઠ $85ની આસપાસ હોવી જોઈએ, પરંતુ તે $82ની આસપાસ આવી ગઈ છે. આ કિંમતે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પ્રતિ બેરલ (159 લિટર) રિફાઇનિંગ પર લગભગ રૂ. 245 બચાવશે.
  • એક પેટ્રોલિયમ નિષ્ણાતે જણાવ્યું હતું કે બ્રેન્ટ ઝડપથી $70 તરફ આગળ વધી રહ્યું છે. આનાથી ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. પરંતુ તેમાં થોડો સમય લાગશે. તેલની આયાતથી રિફાઇનિંગ સુધીનું ચક્ર 30 દિવસનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઘટાડો થયાના એક મહિના બાદ તેની અસર જોવા મળી રહી છે.

મહત્વનું છે કે દેશમાં તેલના ભાવ છેલ્લા લગભગ 6 મહિનાથી લગભગ સ્થિર છે. જો કે જુલાઈમાં મહારાષ્ટ્રમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું. પરંતુ અન્ય રાજ્યોમાં કિંમતો યથાવત છે.

પેટ્રોલ-ડીઝલના ભાવનો મુખ્યત્વે કયા પરિબળો પર આધાર ? 

  • રૂપિયા સામે અમેરિકી ડોલરનો દર
  • કાચા તેલની કિંમત
  • દેશમાં ઇંધણની માંગ
  • કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલાત કર

ભારત કેટલું ક્રૂડ ઓઈલની આયાત કરે છે :

ભારત જરૂરિયાતના 85% કરતાં વધુ ક્રૂડ તેલ બહારથી ખરીદે છે. આની કિંમત આપણે ડોલરમાં ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો અને ડોલરની મજબૂતીથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ ગયા છે. ક્રૂડ ઓઈલ બેરલમાં આવે છે. એક બેરલ એટલે 159 લિટર ક્રૂડ ઓઈલ.

આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે ?

જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન, 2010 પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું. એ જ રીતે ઓક્ટોબર 2014 સુધી સરકાર ડીઝલના ભાવ નક્કી કરતી હતી.

19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ તેલ કંપનીઓને સોંપી દીધું. હાલમાં ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત રોજ નક્કી કરે છે.

આ પણ વાંચો :-

મોડી રાત્રે રસ્તો પૂછવાના બહાને કોઈ ઊભું રાખે તો ચેતજો ! અમદાવાદમાં બની ચોંકાવનારી ઘટના 

Be warned if someone stands

  • લૂંટારોઓ થયા બેફામ અમદાવાદના આનંદનગરમાં વિદ્યાર્થી પાસેથી મોબાઈલ, વોચ અને સોનાની ચેઇન લૂંટીને શખ્સો ફરાર.

રાજ્યમાં દિન પ્રતિદિન લૂંટની (Robbery) ઘટના વધતી હોય તેવું જણાઈ રહ્યું છે. પોલીસના કડક વલણ અને સતત પેટ્રોલીંગ (Patrolling) હોવા છતા લૂંટની ઘટના સામે આવી રહી છે. અમદાવાદના (Ahmedabad) આનંદનગરમાં વિદ્યાર્થી પાસે લૂંટ થઈ છે. વિદ્યાર્થી (student) ત્રણ શખ્સોએ ધારદાર હથિયાર બતાવીને લૂંટ ચલાવી છે.

મોબાઈલ, વોચ અને સોનાની ચેઈન લૂંટીને શખ્સો ફરાર થયાં છે. વિદ્યાર્થીને રસ્તો પૂછવાના બહાને ઉભો રાખ્યો હતો અને ત્યારે બાદ તેને લૂંટી લેવામાં આવ્યો હતો. જે ઘટના સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.

3 શખ્સોએ લૂંટ ચલાવી :

અમદાવાદના આનંદનગરમાં પાસે વિદ્યાર્થી લૂંટાયો છે. ધારદાર હથિયાર બતાવીને 3 શખ્સો લૂંટ ચલાવી હતી. જે વિદ્યાર્થી પાસે મોબાઈલ, વોચ તેમજ સોનાની ચેઈનની લૂંટી લીધી હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો :-