Home Blog Page 1233

2 ડિસેમ્બર 2022, રાશિફળ :  સાંઈ બાબા આ 7 રાશિના લોકો પર વરસાવશે હંમેશા કૃપા – ધંધામાં મળશે સફળતા

2 December 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતણા જણાય. ભાગ્ય સારૂ છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિયાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતીનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યના આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થીમિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોર્ટ ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે  સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધ તી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકૂળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમિયાન મિશ્રફળ અ‌નુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઇ-બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવાથી અગ્‍નીથી સાચવવું. તમામ બાબતોમાં જીવનસાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્તોત્ર વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઇ-બહેનને વાઇરાલ ઇન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાથી દૂર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જૂના ગુરૂ-શિક્ષકોને મળવા યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આધ્યાત્મિક પ્રગતી થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

પંજાબના સંગરુરમાં CM આવાસ બહાર મજૂરોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ, જાણો શું છે વિરોધ

0

Hull of laborers outside CM’s residence

  • જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન પહેલાં પટિયાલા બાયપાસ પર ભેગાં થયાં અને ત્યારબાદ સીએમ આવાસની તરફ કૂચ કરી. પીએમનાં આવાસ બહાર પહેલેથી જ મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવાયેલ હતું.

પંજાબનાં (Punjab) સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં (Chief Minister Bhagwant Mana) આવાસની સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલિસે લાઠીચાર્જ (Police baton charge) કર્યો છે. આ મજૂરો બુધવારે પોતાની માંગને લઇને સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં આવાસની સામે પહોંચ્યાં હતાં જ્યાં પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ હતી. ત્યાર બાદ મજૂરો પર લાઠીચાર્જ (baton charge) કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મજૂરોનાં ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ  :

જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી.

સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ : 

જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી. સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.

રસ્તાઓ ખોલાવવા કર્યો લાઠીચાર્જ :

માહિતી અનુસાર ખેડૂતો અને મજૂરોએ રસ્તા પર ટ્રકો લગાવ્યાં હતાં. પછી પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ તો રસ્તા ખોલાવવા અને ટ્રક હટાવવા માટે પોલીસએ લાઠીચાર્જ કર્યું. કેટલાક ખેડૂતો અને મજૂરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. રિપોર્ટસ અનુસાર પોલીસે કહ્યું છે કે તેમની પાસે લાઠીચાર્જ કર્યાં સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો. પોલીસે કહ્યું કે મજૂરો જે રીતે હાઇ વેને જામ કરીને બેઠાં હતાં તેને ખોલાવવું ઘણું જરૂરી હતું. તે ન માન્યા તેથી લાઠીચાર્જ કરવું પડયું.

આ પણ વાંચો :-

ભ્રમમાં ન રહેતા ! બટેકાથી પણ ઘટી શકે છે વજન, રીત જાણી લેશો તો થશે ફાયદો

Do not live in illusion

  • બટાકામાં ફેટ, સોડિયમ કે કોલેસ્ટ્રોલ હોતું નથી. વિટામિન બી 6, ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડેન્ટ્સની સારી માત્રા હોય છે, બટેટા શરીર માટે હોય છે ફાયદાકારક.

આપણા દેશમાં બટેટા (potato) એક એવું શાક છે. જેનો ઉપયોગ કોઈ પણ શાકભાજી સાથે કરી શકાય છે. એટલે જ શાકભાજીનો રાજા બટેટાને કહેવાય છે. બટેટા એટલે ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ (Delicious dishes). પછી ભલે તે આલુ ટિક્કી જેવો દેશી સ્વાદ હોય કે પછી આલુ ટિક્કી બર્ગરનો (Plum Tikki Burger) વિદેશી સ્વાદ હોય. બટેટા દરેક ખાદ્ય પદાર્થોમાં તડકા લગાવાનું કામ કરે છે. પરંતુ તેમ છતાં લોકો બટેટાને રોગનું મૂળ પણ કહે છે.

ખાસ કરીને શુગરના દર્દીઓ માટે. હેલ્થ લાઈન મુજબ બટેટામાં પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય તેમાં ફાઇબર પણ હોય છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બટેટાનું સેવન પાચન માટે પણ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. બટેટામાં વિટામિન એ, સી, બી-કોમ્પ્લેક્સ અને કાર્બોહાઈડ્રેટ હોય છે. તે હાઈપોગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટાડે છે.

બટેટા ખાવાની હેલ્થી રીત :

ડાયટમાં બાફેલા બટેટાનો સમાવેશ કરી શકે છે. બટેટાને બાફ્યા પછી સંપૂર્ણ ઠંડા થવા દો. પછી તેના ટુકડા કરી લો. બાફેલા બટેટાનો સ્વાદ વધારવા માટે તેમાં કાળા મરી ઉમેરો. બટેટાને દહીં કે છાશમાં મિક્સ કરીને નાસ્તામાં કે બપોરના ભોજનમાં ખાવાથી ફાયદો થશે. બાફેલા બટેટાના સેવનથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

બાફેલા બટેટા ઓવર ઈટિંગથી બચાવશે : 

બાફેલ બટેટા ખાવાથી તમને વારંવાર ભૂખ લાગતી નથી. બાફેલા ઠંડા બટાટા મોટા પ્રમાણમાં રસિસ્ટાન્સ સ્ટાર્ચ ઉત્પન્ન કરે છે. તે મેટાબોલિજ્મને વધારવામાં મદદ કરે છે અને શરીરની વધારાની ચરબી ઘટાડે છે. બાફેલા બટેટામાં શક્કરિયા જેટલી જ કેલરી હોય છે.

પોષક તત્વોની માત્રા :

બટેટામાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેમાં ચરબી, સોડિયમ કે કોલેસ્ટ્રોલ હોતું નથી. વિટામિન બી6, ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડેન્ટસ સારી માત્રા હોય છે. બટેટામાં પોટેશિયમની માત્રા કેળા કરતા વધારે હોય છે. સાથે જ તેમાં વિટામિન સીની દૈનિક જરૂરિયાતનો અડધો ભાગ હોય છે. બટેટા ફ્રી રેડિકલ્સ સામે લડે છે. જે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

બટેટાને હમેંશા છાલ સાથે રાંધો :

છાલ સાથે રાંધેલ બટેટામાં સારી માત્રામાં પોષક તત્વો હોય છે. તેને ખાવા તમારા માટે ફાયદાકારક રહેશે. બટેટાને હંમેશાં છાલ સાથે ઉકાળો અને છાલ કાઢ્યા વિના નહીં. જો તમે બટેટાને છોલીને ઉકાળો છો. તો તે બટેટામાં વિટામિન સી અને બી જેવા પોષક તત્વોને ઘટાડે છે. બટાકાને બાફવા માટે ઓછા પાણીનો ઉપયોગ કરો.

આ વસ્તુઓ સાથે ખાવાનું ટાળો :

બટાકાની સાથે ઘી, તેલ, માખણ, ક્રીમ, પનીર અને કૃત્રિમ ફ્લેવરનો વધુ પડતો ઉપયોગ ન કરો. બટાટા રાંધવા માટે ઓલિવ તેલ જેવા તંદુરસ્ત તેલનો ઉપયોગ કરો.

આ પણ વાંચો :-

01 ડિસેમ્બર 2022, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી- તેઓની પર હંમેશા રહે છે વિષ્ણુ ભગવાનની કૃપા

01 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આનંદ ઉત્સાહ પૂર્ણ ‌દિવસ આવકનું પાસુ મજબુત બનતું જણાય. આ‌‌ર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. માતૃસુખમાં વધારો થાય. ‌મિત્રોથી લાભ. પ‌રિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ‌ચિંતા રહે.

મિથુન
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાકી શકાય. નાણાંકીય, બાબતો માટે ઉત્તમ ‌દિવસ, નાના ભાઈ બહેનોની પ્રગ‌તિ થતી જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્ર‌તિકારક શ‌ક્તિ ઘટે. થાક લાગે.

કર્ક
‌મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્ય‌ક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પ‌ત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

‌સિંહ
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના ‌મિત્રો ને મળવાનું થાય. ‌મિત્રો નો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. ‌વિદ્યાર્થી ‌મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગ‌તિ આવક વધશે.

કન્યા
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્ય‌ક્તિને સફળતા મળે. માતા-‌પિતા તરફથી શાં‌તિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ અનુભવાશે.

તુલા
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનત ના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃ‌શ્ચિક
ભાગ્યના બળે આવકમાં વૃ‌દ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ‌ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધન
માન‌સિક અશાં‌તિ રહે. નકારાત્મક ‌વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાં‌તિથી ‌દિવસ પસાર કરવા. ભગવાન ‌શિવની ઉપાસનાથી લાભ થાય.

મકર
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા ‌વિશાળ મન રહેશે. ભ‌ક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું ‌નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધા‌ર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભ
જોમ-જુસ્સામાં વધારો થાય. ‌મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમ ભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ‌ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીન
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગ‌તિ થી આનંદ થાય. ‌વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ‌દિવસ. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ થાય. બીજા ને મદદ કરવાથી દીલ હરખાય. ‌મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

9 કલાક મોડી આવી ટ્રેન ! મુસાફરોએ સ્ટેશન પર જે કર્યું તે જોઈને કહેશો, આવું માત્ર ભારતમાં જ થાય

0

9 hours late train

  • સોશીયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોની ટ્રેન 9 કલાક મોડી આવી હતી પરંતુ ટ્રેનને જોતા જ ઘણા લોકો ઝૂમી ઉઠ્યા હતા.

ભારતમાં (India) ટ્રેન મોડી પડવી સામાન્ય વાત છે પરંતુ જયારે આ ટ્રેન એક બે કલાક નહી પરંતુ 9 કલાક મોદી પડે ત્યારે… તો ભાઈ, બહુ દુઃખ થાય છે! સાચું કહું તો બધાને ગુસ્સો આવે છે. ઘણા લોકો ‘ભારતીય રેલવે’ને (Indian Railways) કોસવા લાગે છે. હવે વિચારો કે એ લોકોની હાલત શું હશે જેમની ટ્રેન (Train) 9 કલાક મોડી પડી હતી. જનતાના ગુસ્સાથી ઓતપ્રોત થશે ને? પરંતુ જ્યારે તમે આ વીડિયો જોશો ત્યારે તમે દંગ રહી જશો! વાસ્તવમાં મુસાફરો પ્લેટફોર્મ (platform) પર તેમની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. જે સંપૂર્ણ 9 કલાક મોડી પડી હતી.

આવી સ્થિતિમાં જ્યારે એક જૂથે તેમની ટ્રેનને પ્લેટફોર્મ પર આવતી જોઈ તો તેઓ આનંદથી કૂદી પડ્યા અને નાચવા લાગ્યા. હવે આ અદ્ભુત ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે તેમની ધીરજ જોઈને કેટલાક લોકો કહેતા હોય છે કે જીવનમાં આટલી ધીરજની જરૂર છે !

‘ભારતમાં આ સામાન્ય છે…’

આ વીડિયો ટ્વિટર હેન્ડલ @bonthu_hardik પરથી શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં કહ્યું- અમારી ટ્રેન 9 કલાક મોડી હતી. જ્યારે તે આવી ત્યારે લોકોએ કેવી પ્રતિક્રિયા આપી તે અહીં જોઈ શકાય છે. આ ક્લિપને અત્યાર સુધીમાં 8 હજાર વ્યૂઝ અને 200થી વધુ લાઈક્સ મળી છે. તેમજ આ સીન જોયા બાદ ઘણા યુઝર્સ તેમના મનની વાતો લખી રહ્યા છે.

ઉદાહરણ તરીકે એક વ્યક્તિએ લખ્યું કે મારો દેશ આવો છે. બીજાએ લખ્યું – ભારતમાં ગમે તેટલી સમસ્યા હોય, લોકો કોઈપણ રીતે મીમ્સ બનાવે છે. ત્રીજાએ લખ્યું કે ભારતમાં આ સામાન્ય છે. બીજાએ લખ્યું કે લાઈટ આવવાનો આનંદ જેટલો ટ્રેન મોડી પડવાનો આનંદ હતો તેટલો જ થયો. કેટલાકે લખ્યું કે દેશ ખરેખર બદલાઈ ગયો છે !

આ પણ વાંચો :-

જનતાને મળશે મોટી રાહત ! દેશમાં 14 રૂપિયા સસ્તું થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ ! જાણો ભાવ ઘટવાના 3 મુખ્ય કારણ

People will get a big relief

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ જાન્યુઆરીથી નીચા સ્તરે હતા જે હવે ઘટીને $81 પર આવી ગયું. જેથી હવે ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

દેશમાં વધતી મોંઘવારી (inflation) વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વોગતો મુજબ હવે ક્રૂડ ઓઈલની (Crude oil) કિંમતમાં ઘટાડાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં (International market) ક્રૂડ ઓઈલના ભાવ જાન્યુઆરીથી નીચા સ્તરે છે. તે હવે ઘટીને $81 પર આવી ગયું છે. યુએસ ક્રૂડ (US Crude) પ્રતિ બેરલ 74 ડોલરની નજીક છે.

મહત્વનું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાથી ભારતીય રિફાઈનરીઓ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમતઘટીને બેરલ દીઠ $82 થઈ ગઈ છે. જોકે માર્ચમાં તે $112.8 હતી. આ મુજબ 8 મહિનામાં રિફાઈનિંગ કંપનીઓ માટે ક્રૂડ ઓઈલની કિંમતમાં $31 (27%)નો ઘટાડો થયો છે.

SMC ગ્લોબલના જણાવ્યા અનુસાર દેશની ઓઈલ કંપનીઓ ક્રૂડમાં દર $1ના ઘટાડા માટે રિફાઇનિંગ પર પ્રતિ લિટર 45 પૈસા બચાવે છે. તે મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ.14 થશે. પ્રતિ લીટર કરતા ઓછો હોવો જોઈએ.

તો શું કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે ? ગુજરાત

  • પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલના વેચાણ પર નફો કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ડીઝલમાં હજુ પણ પ્રતિ લીટર 4 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારથી બ્રેન્ટ ક્રૂડ લગભગ 10% સસ્તું થયું છે. આવી સ્થિતિમાં ડીઝલ પર પણ કંપનીઓ નફાકારક બની છે.
  • દેશમાં પેટ્રોલ અને ડીઝલની વર્તમાન કિંમતો અનુસાર ક્રૂડ ઓઈલની ભારતીય ટોપલી બેરલ દીઠ $85ની આસપાસ હોવી જોઈએ, પરંતુ તે $82ની આસપાસ આવી ગઈ છે. આ કિંમતે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પ્રતિ બેરલ (159 લિટર) રિફાઇનિંગ પર લગભગ રૂ. 245 બચાવશે.
  • એક પેટ્રોલિયમ નિષ્ણાતે જણાવ્યું હતું કે બ્રેન્ટ ઝડપથી $70 તરફ આગળ વધી રહ્યું છે. આનાથી ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. પરંતુ તેમાં થોડો સમય લાગશે. તેલની આયાતથી રિફાઇનિંગ સુધીનું ચક્ર 30 દિવસનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઘટાડો થયાના એક મહિના બાદ તેની અસર જોવા મળી રહી છે.

મહત્વનું છે કે દેશમાં તેલના ભાવ છેલ્લા લગભગ 6 મહિનાથી લગભગ સ્થિર છે. જો કે જુલાઈમાં મહારાષ્ટ્રમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું. પરંતુ અન્ય રાજ્યોમાં કિંમતો યથાવત છે.

પેટ્રોલ-ડીઝલના ભાવનો મુખ્યત્વે કયા પરિબળો પર આધાર ? 

  • રૂપિયા સામે અમેરિકી ડોલરનો દર
  • કાચા તેલની કિંમત
  • દેશમાં ઇંધણની માંગ
  • કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલાત કર

ભારત કેટલું ક્રૂડ ઓઈલની આયાત કરે છે :

ભારત જરૂરિયાતના 85% કરતાં વધુ ક્રૂડ તેલ બહારથી ખરીદે છે. આની કિંમત આપણે ડોલરમાં ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો અને ડોલરની મજબૂતીથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ ગયા છે. ક્રૂડ ઓઈલ બેરલમાં આવે છે. એક બેરલ એટલે 159 લિટર ક્રૂડ ઓઈલ.

આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે ?

જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન, 2010 પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું. એ જ રીતે ઓક્ટોબર 2014 સુધી સરકાર ડીઝલના ભાવ નક્કી કરતી હતી.

19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ તેલ કંપનીઓને સોંપી દીધું. હાલમાં ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત રોજ નક્કી કરે છે.

આ પણ વાંચો :-

મોડી રાત્રે રસ્તો પૂછવાના બહાને કોઈ ઊભું રાખે તો ચેતજો ! અમદાવાદમાં બની ચોંકાવનારી ઘટના 

Be warned if someone stands

  • લૂંટારોઓ થયા બેફામ અમદાવાદના આનંદનગરમાં વિદ્યાર્થી પાસેથી મોબાઈલ, વોચ અને સોનાની ચેઇન લૂંટીને શખ્સો ફરાર.

રાજ્યમાં દિન પ્રતિદિન લૂંટની (Robbery) ઘટના વધતી હોય તેવું જણાઈ રહ્યું છે. પોલીસના કડક વલણ અને સતત પેટ્રોલીંગ (Patrolling) હોવા છતા લૂંટની ઘટના સામે આવી રહી છે. અમદાવાદના (Ahmedabad) આનંદનગરમાં વિદ્યાર્થી પાસે લૂંટ થઈ છે. વિદ્યાર્થી (student) ત્રણ શખ્સોએ ધારદાર હથિયાર બતાવીને લૂંટ ચલાવી છે.

મોબાઈલ, વોચ અને સોનાની ચેઈન લૂંટીને શખ્સો ફરાર થયાં છે. વિદ્યાર્થીને રસ્તો પૂછવાના બહાને ઉભો રાખ્યો હતો અને ત્યારે બાદ તેને લૂંટી લેવામાં આવ્યો હતો. જે ઘટના સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.

3 શખ્સોએ લૂંટ ચલાવી :

અમદાવાદના આનંદનગરમાં પાસે વિદ્યાર્થી લૂંટાયો છે. ધારદાર હથિયાર બતાવીને 3 શખ્સો લૂંટ ચલાવી હતી. જે વિદ્યાર્થી પાસે મોબાઈલ, વોચ તેમજ સોનાની ચેઈનની લૂંટી લીધી હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો :-

શું તમે જાણો છો કે કયા દેવતાની કેટલી વખત પરિક્રમા કરવી જોઇએ? નહીં ને તો જાણી લો આ નિયમ

Do you know how many times a deity

  • હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી-દેવતાની ઉપાસનામાં પરિક્રમાનુ વિશેષ મહત્વ હોય છે. જેનાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને બધી સમસ્યાઓનુ નિવારણ કરે છે.

હિન્દુ ધર્મમાં (Hinduism) અલગ પ્રકારથી દેવી-દેવતાઓની પૂજા થાય છે. ધાર્મિક સ્થળો (Religious places) પર દેવોને અગરબત્તી, ફૂલ, ધ્વજ, નારિયેળ અને પ્રસાદ ચઢાવવામાં આવે છે અને ભગવાનની પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમાને ફેરી લગાવવી પણ કહે છે. કોઈ પણ દેવી-દેવતાની ઉપાસનામાં પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે પરિક્રમા વગર પૂજા અધૂરી રહી જાય છે.

જાણીતા પંડિતનુ કહેવુ છે કે પરિક્રમા ભગવાનની સાધના કરવાની એક પ્રક્રિયા છે જેનાથી દેવો પ્રસન્ન થાય છે અને દરેક સંકટોનુ નિવારણ કરે છે. પરંતુ શાસ્ત્રોમાં દરેક દેવોની પરિક્રમા કરવાના વિશેષ નિયમ જણાવવામાં આવ્યાં છે. એવામાં નિયમો મુજબ પરિક્રમા કરવી જોઈએ.

પરિક્રમાના નિયમ અને લાભ :

શાસ્ત્રો મુજબ ધાર્મિક સ્થળો પર દંડવત પરિક્રમા કરવાથી અશ્વમેઘ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઈ પણ દેવોની મૂર્તિની પરિક્રમા શરૂ કર્યા બાદ તેને અધૂરી ના છોડવી જોઈએ અને જ્યાંથી પ્રારંભ કર્યો છે ત્યાં પ્રદક્ષિણા પૂરી કરવી જોઈએ. પરિક્રમા સમયે એકદમ શાંત રહો, કોઈની સાથે વાત ના કરવી જોઈએ અને જે દેવોની પરિક્રમા કરી રહ્યાં છો તેનુ ધ્યાન કરવુ જોઈએ.

કયા દેવોની કેટલી પરિક્રમા કરો :

જ્યોતિષ શાસ્ત્રો મુજબ, જે રીતે બધા દેવોની પૂજા વિધિ અલગ-અલગ હોય છે, એ રીતે દેવોની પરિક્રમાનું અલગ-અલગ વિધાન હોય છે. ભગવાન શિવની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. કારણકે સોમ સૂત્રને પાર કરવું ઉચિત હોતુ નથી. શિવલિંગમાંથી દૂધ અને જળની ધારા જ્યા વહે છે તેને સોમ સૂત્ર કહે છે.

જેને પાર કરવુ યોગ્ય ગણાતુ નથી. આ રીતે સૂર્ય ભગવાનની સાત વખત પરિક્રમા કરવી જોઈએ અને આ સાથે સૂર્ય દેવના મંત્રોનો જાપ કરવો જોઈએ. માં દુર્ગાની માત્ર એક પરિક્રમા કરવામાં આવે છે. આ રીતે ભગવાન ગણેશની પ્રદક્ષિણા ત્રણ વખત કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પરિક્રમા ચાર વખત કરવી જોઈએ.

આ પણ વાંચો :-

ચૂંટણી ટાણે અમદાવાદ શહેરમાં આ રોગનો ફૂંફાડો, કેસ વધતા આરોગ્ય વિભાગ લાગ્યું કામે, બાળકોને સાચવજો

The outbreak of this disease

  • અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનામાં 250 વધુ કેસ ઓરી-અછબડાના નોંધાય, આરોગ્ય વિભાગ હરકતમાં આવી બાળકોને રસી આપવાની કામગીરી શરુ કરી.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ઓરી-અછબડાના (Measles) કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 2 મહિનામાં 250 જેટલા કેસ સામે આવ્યાં છે. સતત કેસમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ (Department of Health) પણ હરકતમાં આવ્યો છે. ઓરી અછબડાના કેસા સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને રસી આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે. શહેરના દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, રામોલ, બહેરામપુરા, દરિયાપુર, સંકલિતનગર, વેજલપુર, સરખેજ કેસ નોંધાયા છે.

કોને થાય છે?

ઓરી-અછબડા વાયરલ ચેપી રોગ છે છે જે બાળકોને વધુ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર છ માસથી આઠ વર્ષના બાળકોમાં વધુ થતા હોય છે. અને આ બીમારમાં જો દર્દીની ઉંમર વધુ હોય તો તેને આ રોગની પીડા પણ વધુ થતી હોય છે. આ એવો રોગ છે જે એક વખત થયા પછી બીજી વખત થતો નથી.

ઓરી-અછબડાના લક્ષણો :

ઓરી-અછબડામાં શરૂઆતમાં તાવ આવે છે જે અમુકને ન પણ આવે તેમજ નોર્મલ શરદી જેવું રહે છે. શરીર પર સફેદ નાના મોતી જેવા ઉપસેલા ફોલ્લા દેખાય છે જે શરીરના દરેક અંગ પર થતા હોય છે ચહેરા પર પણ ખરા. જે બીમારી દરમિયાન સામાન્યથી ભારે તાવ પણ આવી શકે છે તેમજ નબળાઈ અનુભવાય છે. તેમજ બે-ત્રણ દિવસ પછી એ ફોલ્લા થોડા મોટા થાય છે. જે ઉંમર પ્રમાણે મોટા હોય છે વધુ ઉંમરનાને મોટા થાય છે. જ્યાં સામાન્ય ખુજલી પણ આવે છે.

આ પણ વાંચો :-

1 ડિસેમ્બરથી થશે ડિજિટલ રૂપિયાની શરૂઆત, જાણો કેવી રીતે ઉપયોગમાં લઈ શકાશે

0

Digital rupee will be launched

  • આરબીઆઈ આ ડિજિટલ રૂપિયાને તે સંપ્રદાયમાં જારી કરશે, જે રીતે વર્તમાનમાં કાગળનું ચલણ અને સિક્કા જારી કરવામાં આવે છે. તેનું વિતરણ મધ્યસ્થીઓ દ્વારા કરવામાંવ આવશે. જેમાં બેંકો પણ સામેલ હશે.

1 ડિસેમ્બરના રોજ RBI રિટેલ વ્યાપાર માટે ડિજિટલ રૂપિયાની (Digital Rupees) તેની પ્રથમ પાયલોટ લોન્ચ કરશે. હજુ આરબીઆઈ આ પાયલોટ (pilot) ફક્ત ગ્રાહકો અને વેપારીઓના નજીકના ગ્રુપ અને પસંદગીના સ્થળો પર જ કામ કરશે. ઈ-રૂપિયો, ડિજિટલ ટોકનના રૂપમાં કામ કરશે. જેને લીગવ ટેન્ડર મળશે.

આરબીઆઈ આ ડિજિટલ રૂપિયાને તે સંપ્રદાયમાં જારી કરશે. જે વર્તમાનમાં કાગળનું ચલણ અને સિક્કા જારી કરવામાં આવે છે. તેનું વિતરણ મધ્યસ્થીઓ દ્વારા કરવામાંવ આવશે. જેમાં બેંકો પણ સામેલ હશે.

એક અહેવાલ અનુસાર સામાન્ય લોકો આમાં સામેલ બેંકો e રૂ.-R ડિજિટલ વોલેટ દ્વારા ઈ-રૂપીનો ઉપયોગ કરી શકશે. આ પેમેન્ટ મોબાઈલ અને બીજા ડિવાઈસ દ્વારા કરી શકાશે. આ રિટેલ પાયલોટ દ્વારા વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારીને ટ્રાન્ઝેક્શન કરી શકાશે. રોકડની જેમ જ ઈ-રુપિયો લોકોમાં વિશ્વાસ, સુરક્ષા અને સેટલમેન્ટની ભાવના સ્થાપિત કરશે.

ડિપોઝિટ પર નહિ મળે વ્યાજ :

રોકડની જેમ કોઈ પણ વ્યક્તિ તેને બેંકમાં ડિપોઝિટ કરીને વ્યાજ મેળવી શકશે નહિ સાથે જ આ રૂપિયાને અન્ય કોઈ પણ રુપિમાં બદલી શકાશે નહિ. પરંતુ તે વ્યક્તિને રોકડ જેટલી જ સ્વતંત્રતા આપશે.

શું છે ડિજિટલ રૂપિયો :

ઈ-રૂપિયા પર રિઝર્વ બેંકે કહ્યું હતું કે સીબીડીસી એટલે કે કેન્દ્રીય બેંક ડિજિટલ રૂપિયામાં જારી એક લીગલ ટેન્ડર કરન્સી હશે. તે ફિઅટ ચલણ જેવું જ હશે અને ફિઅટ ચલણની સાથે તેને બદલી શકાય છે. આ ચલણ માત્ર તેના સ્વરૂપની દ્રષ્ટિએ અલગ છે.

તમે તેને સરળ ભાષામાં સમજી શકો છો કે ભારતીય રૂપિયો અને સીબીડીસીમાં ડિજિટલ રૂપિયામાં કોઈ જ ફર્ક નથી. બ્લોકચેન સપોર્ટેડ વોલેટ દ્વારા ડિજિટલ ફિઅટ કરન્સી કે સીબીડીસીનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

આ પણ વાંચો :-