Home Blog Page 1234

વોટિંગ પહેલા AAPને આવ્યું અણધાર્યું ધર્મસંકટ, ગોપાલ ઈટાલિયાનો નવો વીડિયો લાવ્યું ભાજપ, થઈ શકે મોટો વિવાદ

0

Before voting, AAP faced an unexpected

  • આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક નવો વીડિયો ભાજપે જારી કરીને તેમની પર સ્વામિનારાયણ સંપ્રદાયના અપમાનનો આરોપ લગાવ્યો છે.

ગુજરાતમાં (Gujarat) પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી (આપ)ને ઘેરવા માટે ‘વીડિયો દાવ‘ ખેલ્યો છે. ભાજપે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો (Gopal Italiya) નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમના પર ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ (Swaminarayan) અને અનુયાયીઓનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.  આ પહેલા પણ ભાજપે ઈટાલિયાના અનેક વીડિયો (Video) શેર કર્યા હતા. જેને આપે જૂના ગણાવ્યા હતા.

ભાજપ નેતા અમિત માલવિયાએ વીડિયો શેર કર્યો  :

આ વીડિયો શેર કરતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું, “આપના પ્રદેશ અધ્યક્ષ અને કેજરીવાલના નજીકના સાથી ગોપાલ ઇટાલિયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનું અપમાન કર્યું હતું અને તેમની શ્રદ્ધાને મૂર્ખતાપૂર્ણ ગણાવી હતી. વિશ્વભરના કરોડો હિન્દુઓ ભગવાન સ્વામિનારાયણની પરંપરાને અનુસરે છે. વીડિયોમાં ઇટાલિયા એક ખાસ સંપ્રદાયના ખાવા-પીવા પર ગુજરાતીમાં કોમેન્ટ કરતા જોવા મળી રહી છે.

ભાજપે ઈટાલિયાના કેટલાક વીડિયો શેર કરી ચૂક્યો છે  :

આ પહેલા ભાજપે ગોપાલ ઈટાલિયાના કેટલાક વીડિયો શેર કર્યા હતા. એક વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ પીએમ મોદીની માતા વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં તેમને મંદિરો અને વાર્તાઓને શોષણનો અડ્ડો કહેતા સાંભળી શકાય છે. ઈટાલિયાના આ વીડિયોએ થોડા સમય માટે પાર્ટીને અસહજ બનાવી દીધી હતી. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે જ્યારે ઈટાલિયા આપમાં ન હતા ત્યારે આ વીડિયો જૂના છે.

આ પણ વાંચો :-

ભાઈ તમે યાત્રામાં ચાલી શકો, રાજકારણમાં નહીં, રાજનીતિમાં ચાલવા ભેજુ જોઈએ : પરેશ રાવલ

0

Brother, you can walk in Yatra

  • પરેશ રાવલએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી આ વિકાસ વાળા શાંતિ અને સમૃદ્ધિથી ભરેલા ગુજરાતના બાપ છે. છોકરો ગમે તેટલો મોટો થઈ જાય પૈસા વાળો થઈ જાય પરંતુ કયારેય બાપનું નામ ભુલવું જોઈએ નહી.

જિલ્લાનાં વિધાનસભા મત વિસ્તારનાં કિંખલોડ ગામમાં આજે ફિલ્મ અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલે (Former MP Paresh Rawle) ભાજપની ચુંટણી સભાને સંબોધતા કોંગ્રેસ અને કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) અવતારી પુરૂષ ગણાવ્યા હતા.

પરેશ રાવલએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી આ વિકાસ વાળા શાંતિ અને સમૃદ્ધિથી ભરેલા ગુજરાતના બાપ છે. છોકરો ગમે તેટલો મોટો થઈ જાય પૈસા વાળો થઈ જાય પરંતુ કયારેય બાપનું નામ ભુલવું જોઈએ નહી.

પરેશ રાવલએ કહ્યું હતું કે આ દેશનાં બે રાષ્ટ્રપિતા છે. એક ગાંધીજી અને બીજા સરદાર પટેલ, ગાંધીજીએ આઝાદી તો અપાવી. ઘણા લોકોએ આઝાદી અપાવી. પરંતુ જો પટેલ ના હોત તો તમે આ આઝાદીને શું કરતા? મોઢામાં અંગુઠો રાખીને ચુસતા ઉભા રહેતા. શું કરતા તેમ જણાવ્યું હતું.

વર્ષો પૂર્વે ગુજરાતમાં કરફયુ લાગેલો રહેતો હતો. હવે કરફયુ નથી હોતો. વિશ્વભરમાંથી મોટા મોટા ઉદ્યોગો અહીયાં આવી રહ્યા છે. મોદી સાહેબે શાંતી વાળી જગ્યા જાળવી રાખી છે. તે વાડીને ઉજડવી ના જોઈએ. મારા મતે મોદી એક અવતાર છે અને હું ભકિત રસમાં તરબોળ થઈને નથી બોલતો. હું ભણેલો ગણેલો માણસ છું. કોઈ અભણ માણસ નથી. જેથી સમજી વિચારીને બોલું છે. આવા માણસને આપણે સાચવીને રાખવાનું છે.

તેમજ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે જે 25 થી 30 હજારનાં જુતા પહેરે છે અને યાત્રાઓ કરે છે. તેમને મારે કહેવું છે કે ભાઈ તમે યાત્રામાં ચાલી શકો રાજકારણમાં ના ચાલી શકો, રાજકારણમાં ચાલવા માટે ભેજુ જોઈએ.

કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તેનાં જેવો જુઠ્ઠો માણસ મેં જોયો નથી. કાંચિડો પણ તમને જોઈને ભાગી જતો હોય છે. તેમણે વર્ષ 2012-13માં પોતાનાં દિકરાઓનાં સોગંદ ખાઈને કહ્યું હતું કે હું રાજકારણમાં નહી આવું.

તેમ છતાં રાજકારણમાં આવ્યા. મુખ્યમંત્રી બન્યા બાદ કહે કે મારે આવાસ ના જોઈએ અને આવાસમાં રહેતા થઈ ગયા પછી સરકારી ગાડી ના જોઈએ અને હવે સરકારી ગાડી વાપરતા થઈ ગયા. આવો જુઠ્ઠો માણસ છે.. માત્ર એટલું નહી પ્રચંડ હિંદુ વિરોધી છે. હિંદુ વિરોધમાં તો તેમણે કોંગ્રેસને પાછળ મુકી દીધી છે, ભગવાન રામનું બર્થ સર્ટીફિકેટ માંગનારો માણસ છે. તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

સોશિયલ મીડિયાવાળી ગર્લફ્રેન્ડથી સાવધાન, વીડિયો કોલ પર ઉતારશે કપડાં પછી…….. આવી રીતે બચો

0

Beware of girlfriends with social media, they will take off their clothes on video calls and then

  • સેક્સટોર્શન ઘણા લોકો માટે નવો શબ્દ હોઈ શકે છે, પરંતુ તે ઈન્ટરનેટની દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તાજેતરમાં જ પૂણેમાં બે યુવકોએ સેક્સટોર્શનનાં લીધે આત્મહત્યા કરી.

સેક્સટોર્શન (Sextortion) ઘણા લોકો માટે નવો શબ્દ હોઈ શકે છે. પરંતુ તે ઈન્ટરનેટની (Internet) દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેના પ્રભાવ હેઠળ આવતા મોટાભાગના લોકો આ બાબતને કોઈપણ રીતે દબાવવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ કૌભાંડીઓ (Scam) માટે આ એક નવું ખુલ્લું મેદાન છે. જ્યાં તેઓ લોકોને ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે.

જો તમે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છો અથવા WhatsApp જેવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરો છો, તો તમે સેક્સટોર્શનનો શિકાર બની શકો છો. આ શબ્દ બે શબ્દોથી બનેલો છે. જેમાં એક છે સેક્સ અને બીજો છે ખંડણી જેનો અર્થ છે જબરજસ્તી ખંડણી વસૂવ કરવી. ત્યારે આવો સૌ પ્રથમ આ રમત શું છે તેને સમજીએ અને તે કેવી રીતે કામ કરે છે.

સેક્સટોર્શન કેવી રીતે થાય છે?

એવું નથી કે સેક્સટોર્શન કોઈ એક પ્લેટફોર્મ પૂરતું મર્યાદિત છે. આ ગુનો અનેક રીતે આચરવામાં આવી રહ્યો છે. જો કે તેમનો હેતુ સ્પષ્ટ છે કે વપરાશકર્તાઓ પાસેથી પૈસા પડાવવાનો. આ માટે ગુનેગારો સામાન્ય લોકોને મિત્રતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. આ પ્રયાસ ગમે તે રીતે થઈ શકે છે.

તાજેતરમાં જ આવા જ એક મામલામાં મોટો ખુલાસો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં પુણેમાં બે યુવકોએ આત્મહત્યા કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે બંને કેસ સેક્સટોર્શનના છે. પોલીસ તપાસમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એક પછી એક ચોંકાવનારા સત્યો સામે આવી રહ્યા છે. રાજસ્થાનનું એક આખું ગામ સેક્સટોર્શનના કામ કરે છે તેવું જાણવા મળ્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી મિત્રતા :

ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી રહે છે. વધતા ફોલોઅર્સ અને મિત્રો કોને પસંદ નથી. આવી સ્થિતિમાં કોઈ તમારી સાથે ખૂબ જ પ્રેમ ભાવથી વાતચીત કરે અને તમે બંને ટૂંક સમયમાં મિત્ર બની જાઓ છો અને તે વ્યક્તિ જે થોડા દિવસો પહેલા સુધી તમારા માટે અજાણ હતી. હવે તે તમારા સૌથી ખાસ મિત્રોમાંથી એક બની ગયો છે.

મિત્રતાના જાળમાં ફસાવી પૈસા પડાવે છે :

પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ મિત્ર તમારા વાસ્તવિક જીવનમાં નથી આવતો, પરંતુ ફક્ત વર્ચ્યુઅલ દુનિયામાં જ તમારા સંપર્કમાં રહે છે. ત્યારે આ મિત્રતા તમને ભારે પડી શકે છે. કારણ કે છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારી પાસેથી પૈસા પડાવવા માટે તમારી આજુબાજુ મિત્રતાનું જાળ બનાવે છે. કદાચ તેઓ તમને વીડિયો કોલ પર આવવા કહે અને તમારો વાંધાજનક વીડિયો પણ બનાવી શકે છે.

કેટલાક કિસ્સાઓમાં તેઓ વપરાશકર્તાઓને તમને એની મિત્રતાના જાળમાં ફસાવે છે અને તેમની પાસેથી ખાનગી ફોટા માંગે છે. તે જ સમયે એવા કેટલાક કિસ્સાઓ છે જેમાં આ સમગ્ર કૌભાંડ પાછળનો વ્યક્તિ હેકર છે, જે તમારા ફોનમાંથી ખાનગી ફોટા અને વીડિયો ચોરી શકે છે. આના અન્ય ઘણા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. જેમાં વીડિયો કોલ કૌભાંડ ખૂબ જ સામાન્ય છે.

આ પણ વાંચો :-

બનાવી લેજો ઘરેણા ! સોનું ખરીદવા માગતા લોકો માટે ખુશખબર, લગ્નસરામાં આટલું સસ્તું થયું

0

Make jewelry

  • લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. આજે 24 કેરેટ સોનું 137 રૂપિયા સસ્તુ થઈને 52715 પર ખુલ્યું હતું. ચાંદીનાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો.

લગ્ન સીઝનમાં સોના-ચાંદી (Gold and silver) ખરીદવાવાળા લોકો માટે ખુશીનાં સમાચાર આવી રહ્યા છે. આજે 24 કેરેટ સોનું 137 રૂપિયા સસ્તુ થઈને 52715 પર ખુલ્યું હતું. ત્યાં ચાંદી પણ 520 રૂપિયા સસ્તુ થઈને 61590 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી. ત્યારે શુદ્ધ સોનું ઓલ ટાઈમ હાઈ રેટ 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 3539 રૂપિયા સસ્તુ થયું હતું. જ્યારે ચાંદી તેનાં બે વર્ષનાં ઉંચા રેટ 76008 રૂપિયા પ્રતિ કિલોથી હવે 14118 રૂપિયા સસ્તું થયું હતું.

જીએસટી સહિત નવીનત્તમ સોનીની કિંમત :

આજે બુલિયન માર્કેટમાં જીએસટી સહિત 24 કેરેટ સોનાની સરેરાશ કિંમત રૂપિયા 54296 છે. તેમાં 99.99 ટકા સોનું છે અને તેમાંથી કોઈ જ્વેલરી બનાવવામાં આવતી નથી. ત્યારે 12 કેરેટ સોનાની સરેરાશ કિંમત જીએસટી સાથે 54079 રૂપિયા છે. આજે માર્કેટમાં 52504 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યો છે. તેમાં 95 ટકા સોનું હોય છે.

22 કેરેટ સોનાની કિંમત 48287 રૂપિયા પ્રતિ 10 ગ્રામ :

22 કેરેટ ગોલ્ડની કિંમત 48287 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 3 ટકા જીએસટી સાથે આ સોનાની કિંમત 49735 રૂપિયા છે. તેમાં 85 ટકા સોનું છે. ત્યારે જ્વેલરી મેકિંગ ચાર્જીસ અને જ્વેલર્સનો નફો ઉમેર્યા પછી તેની કિંમત લગભઘ 61500 રૂપિયા થશે.

જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 39536 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને જીએસટી સાથે હવે તેની કિંમત 40722 રૂપિયા છે. તેમાં 75 ટકા સોનું છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને નફો ઉમેરીને તે લગભગ 51500 રૂપિયા થશે.

આ પણ વાંચો :-

 

30 નવેમ્બર 2022, આજનું રાશિફળ : ગણપતિ બાપની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

30 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવજંતુ કરડવાની શક્યતા છે.

વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાકીય બાબતો માટે અનુકૂળતા સર્જાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારું રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારું. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાની સરળ હેરફેર શક્ય બને. મિત્રો લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્યસુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ
સમગ્ર દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. સ્થાવર જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ. પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થાય.

કન્યાઃ
સરળ, નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દૃષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ. નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલાઃ
આળસ આવે. કામ કરવાની ઈચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો હે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારું વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારું રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.

મકરઃ
આત્મવિશ્વાસમાં વધારો. નાણાકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારું વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય.

કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઈ જાય. ફુડ પોઈઝનિંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃદ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ
ઉદારદીલ રહે. નવી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

Kiara Advaniએ કહ્યું ‘જલ્દી જ કરીશ એલાન’, ફેન્સે લગાવી સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નની અટકળો

Kiara Advani said

  • કિયારા અડવાણીએ રવિવારે એક શોર્ટ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેમણે જાણકારી આપી છે કે તેઓ ટૂંક સમયમાં એક નવી જાહેરાત કરવાની છે. આ અંગે તેમના પ્રશંસકો આશા સેવી રહ્યાં છે કે આ તેમનો લગ્ન સાથે જોડાયેલો મામલો છે.

ફિલ્મ અભિનેત્રી (Film actress) કિયારા અડવાણીએ (Kiara advani) સોશિયલ મીડિયામાં એક નવી જાણકારી આપી છે. જેને પગલે પ્રશંસકો સિદ્ધાર્થ મલ્હોત્રાની (Siddharth Malhotra) સાથે તેમના લગ્નની અટકળો લગાવી રહ્યાં છે. કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સ્માઈલ કરી રહી છે. તેને શરમ આવી રહી છે. કેમેરાની સામે તેમનો અંદાજ અલગ જોવા મળી રહ્યો છે. તો તેમના વાળ હવામાં ઉડી રહ્યાં છે.

હું આ રહસ્યને હવે વધુ સમય નહીં રાખી શકુ : કિયારા અડવાણી

કિયારા અડવાણીએ વ્હાઈટ કલરના કપડા પહેર્યા છે. તેમણે ક્લિપ શેર કરીને લખ્યું છે, હું આ રહસ્યને હવે વધુ સમય સુધી રાખી શકુ તેમ નથી. આ સાથે તેમણે લખ્યું છે, 2 ડિસેમ્બરે તૈયાર રહો. ટૂંક સમયમાં જાહેરાત કરીશ. જેના પર તેમના એક પ્રશંસકે પ્રતિક્રિયા આપતા લખ્યું છે. શું તે પ્રી-વેડીંગ શૂટ છે.

શું તમે લગ્ન કરી રહ્યાં છો. જ્યારે બીજા ચાહકે લખ્યું છે, મને લાગે છે કે આ લગ્નની જાહેરાત છે. તો ત્રીજાએ લખ્યું છે, કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરી શકે છે. તો એક જણાએ લખ્યું છે તમારા અને સિદ્ધાર્થના લગ્ન. આ તો આખા દેશને ખબર છે. કોઈ બીજુ સિક્રેટ હોય તો જણાવો.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજા સાથે વાતચીત કરે છે :

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજા વિશે અવાર-નવાર વાતચીત કરે છે. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધને જાહેર કર્યો નથી. પરંતુ બંનેને ઘણી જગ્યાએ એકસાથે જોઈ શકાય છે. કિયારા અડવાણી વારંવાર સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે સમય વિતાવતા દેખાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને 2023માં લગ્ન કરી શકે છે.

આ પણ વાંચો :-

હાર્દિક પટેલને લઈ વિરમગામમાં નવાજૂનીના એંધાણ ! PAAS નેતાની ખુલ્લી ચિમકીથી ગુજરાતમાં વિવાદ વકર્યો

0

Navajuni’s fire in Viramgam about Hardik Patel

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સંગઠનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. PASSના સભ્ય નિલેશ એરવાડિયાએ કહ્યું કે, PAASની નવી ટીમની રચના કરવામાં આવશે, અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણી નજીક છે. આ વખતે હાર્દિક પટેલ (Hardik Patel), અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓ આંદોલન છોડી રાજકારણમાં આવી ગયા છે. ત્યારે પાટીદારોના આ સંગઠનના પાછલી હરોળના કાર્યકરોએ ફરીથી તેને સક્રિય કર્યું છે. આ અંગે  PASSના સભ્ય નિલેશ એરવાડિયાનું (Nilesh Airwadia) મોટું નિવેદન સામે આવ્યું છે.

ભાજપ સિવાયના પક્ષોને અમારું સમર્થન : નિલેશ એરવાડિયા

તેઓએ જણાવ્યું કે અમે ભાજપ સિવાય તમામ પક્ષોને અમારો ટેકો જાહેર કરીએ છીએ, જેઓ ચૂંટણી લડી રહ્યા છે તેઓ હવે પાસમાં નથી. અમે એવા લોકો ભેગાં થયા છીએ જેઓ રાજનીતિમાં નથી પરંતુ સમાજકારણમાં ચોક્કસ છીએ. હવે PASSમાં કોઈ નવો ચહેરો નહીં હોય.

પોતાની પડતર માગોને લઈ PAAS ફરી થશે સક્રિય :

નિલેશ એરવાડિયાએ કહ્યું કે અમે હવે નવેસરથી અમારું સંગઠનનું માળખું બનાવીને તેને સક્રિય કરીશું. PAASની નવી ટીમની રચના કરવામાં આવશે. અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે. નવી સરકાર માંગો નહીં સ્વીકારે તો ફરી આંદોલન થશે. OBCમાં સમાવવાની અમારી મુખ્ય માંગ છે. આ ઉપરાંત આંદોલન સમયના કેસો પરત ખેંચવા અને મૃતકના પરિવારને નોકરી આપવી એ અમારી માંગ છે.

PASS હાર્દિક પટેલનો કરશે વિરોધ :

હાર્દિક પટેલ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે હાર્દિક પટેલે OBCની મુખ્ય માંગ અવગણી સમાજને ગુમરાહ કર્યો છે. હાર્દિક પટેલ સમાજને ગુમરાહ કરી ભાજપમાં જોડાયો છે. અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. હાર્દિક મોજ કરી રહ્યો છે. હાર્દિકે કરોડોની સંપત્તિ બનાવી લીધી છે.

EWS હાર્દિકે નહીં પણ લાખો યુવાનોના લીધે મળ્યું છે. આગામી સમયમાં PAASના કાર્યકર્તાઓ વિરમગામ જઈ હાર્દિકનો વિરોધ કરશે. ભાજપ સિવાયની પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડતા PAASના તમામ સભ્યોને અમારું સમર્થન છે. ભાજપે પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો હોવાથી અમે તેનું સમર્થન કરતા નથી.

આ પણ વાંચો :-

ભાજપને પરેશાન કરી રહ્યો છે આ એક આંકડો, જાણો કેમ બન્યું છે ચિંતાનું કારણ

0

This one figure is troubling BJP

  • ગુજરાતમાં પ્રથમ તબકકાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. નિર્ણયની ઘડી પણ નજીક આવી ગઈ છે. ચૂંટણીમાં જીત માટે રણનીતિઓ અને તૈયારીઓની સમીક્ષા માટે થઈ રહેલી ભાજપની આંતરિક બેઠકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય પણ બનેલો છે.

ગુજરાતમાં (Gujarat) પ્રથમ તબકકાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. નિર્ણયની ઘડી પણ નજીક આવી ગઈ છે. ચૂંટણીમાં (Election) જીત માટે રણનીતિઓ અને તૈયારીઓની સમીક્ષા માટે થઈ રહેલી ભાજપની આંતરિક બેઠકોમાં નોટા (NOTA) મતોને કઈ રીતે ઓછા કરવા એ ચર્ચાનો વિષય બનેલો છે. કારણ કે ગત ચૂંટણી એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લગભગ 115 બેઠકો પર નોટાના મત ત્રીજા સ્થાને હતા.

શું કહે છે 2017ની ચૂંટણીના NOTA ના આંકડા :

વર્ષ 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીના આંકડા જોઈએ તો ગુજરાત રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 115 પર NOTA ત્રીજા નંબરે હતા. ગુજરાતના લગભગ 3 કરોડ મતદારોમાંથી લગભગ 5.51 લાખ એટલે કે 1.84 ટકા મતદારોએ નોટાની પસંદગી કરી હતી. ગુજરાતમાં નોટાનો કુલ વોટશેર ભાજપ (49.05 ટકા), કોંગ્રેસ (41.44 ટકા) જ્યારે ત્રીજા નંબર પર સૌથી વધુ નોટા (1.84 ટકા) હતો. ગત ચૂંટણીમાં કુલ 794 અપક્ષોમાંથી ફક્ત 3 જ ચૂંટણી જીતી શક્યા હતા. આ એકમાત્ર સમૂહ હતો જેણે નોટાથી વધુ વોટશેર મેળવ્યો હતો.

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ 89 બેઠકો માટે યોજાશે. જ્યારે બાકીની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. એટલે કે ગુજરાતમાં કઈ પાર્ટી સત્તા પર બિરાજમાન થશે તે તો હવે 8મી ડિસેમ્બરે જ ખબર પડશે.

પણ એ વાત નક્કી છે કે NOTA એ દરેક પાર્ટીની અકળામણ વધારેલી છે. આ વર્ષે 4.9 કરોડથી વધુ મતદારો મતદાન કરવાના છે. ગુજરાતમાં 51 હજારથી વધુ મતદાન કેન્દ્રો બનવાના છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

શું તમને પણ તમારા ફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાની આદત છે તો સાવધાન ! આ રીતે તમારા મોબાઇલને હેક કરી શકે છે હેકર્સ

0

Do you also have the habit of turning on the Bluetooth of your phone, then beware

  • જો તમે પણ તમારા સ્માર્ટફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાની આદત છે અને પબ્લિકલી તેનો ઉપયોગ ડિવાઇસ પેરીંગ માટે કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

આજકાલ દરેક સ્માર્ટફોન Bluetooth સાથે નજર આવે છે અને ઘણી વખત લોકો તેને ડિસ્કવરી મોડમાં પણ છોડી દે છે એટલે કે કોઈ પણ તમારા ડિવાઇસના Bluetoothને સર્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં હેકર્સની (Hackers) નજર આવા જ ફીચર પર રહે છે અને આમ કરવાથી હેકર્સ તમારા ડિવાઈસના વધુ પડતાં ડેટાને એક્સેસ કરી લે છે. એટલે કે  એટલે કે પ્રાઈવસી અને સિક્યોરિટીની દૃષ્ટિએ તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

એટલે જો તમે પણ તમારા સ્માર્ટફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાની આદત છે અને તેનો ઉપયોગ ડિવાઇસ પેરીંગ માટે કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો કે તેનાથી બચવા માટે સૌથી પહેલા BlueBugging શું છે તે જાણવું જરૂરી છે. તેને કારણે જ તમારા ડિવાઈસનું નિયંત્રણ હેકરના હાથમાં જઈ શકે છે.

જો કે માત્ર BlueBugging જ નહીં પણ હેકર્સ Bluesnarfing અને Bluejacking નો ઉપયોગ કરીને યુઝર ડેટાને એક્સેસ કરી શકે છે એવામાં સૌપ્રથમ અમે તમને BlueBugging વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તેનાથી કેવી રીતે બચી શકાય તે વિશે પણ કહેશું.

BlueBugging શું છે?

BlueBugging એટેક ખૂબ જ ખતરનાક છે અને તેમાં હેકર્સ લોકોના ડિવાઇસને એક્સેસ કરીને સામગ્રી મેળવવાનો પ્રયાસ કરે છે અને આ માટે બ્લૂટૂથ કનેક્શનની મદદ લેવામાં આવે છે. હેકર્સ કનેક્શનમાં ફેરફાર કરીને યુઝર્સના પાસવર્ડ અને અન્ય વિગતો ચોરી કરવાનો પ્રયાસ કરે છે.  આ માટે હેકર્સ પહેલા વિક્ટિમના ડિવાઈસને એક્સેસ કરે છે અને પછી તેમાં માલવેર ઈન્સ્ટોલ કરે છે.

તેની મદદથી હેકર્સ ભવિષ્યમાં પણ વિક્ટિમના ડિવાઇસને સરળતાથી એક્સેસ કરી શકશે. આ માલવેર દ્વારા હેકર્સ યુઝર્સની જાસૂસી કરે છે અને તેનો હુમલો એટલો ખતરનાક છે કે હેકર્સ એ યુઝરની ફોનની વાતચીત પણ સાંભળી શકે છે અને મેસેજ પણ વાંચી શકાશે.

આ રીતે રહો સેફ  :

જણાવી દઈએ કે તેનાથી બચાવનો પણ ઉપાય છે. એ માટે જાણો કે Bluetooth દ્વારા હુમલો કરવા માટે હેકર તમારી રેન્જમાં હોવો જોઈએ અને આવું વારંવાર જાહેર સ્થળોએ મળી રહે છે. હેકર્સના આ હુમલાની પોતાની મર્યાદાઓ છે પરંતુ તેમ છતાં યુઝર્સને ઘણું નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈપણ અજાણ્યા બ્લૂટૂથ પેરને એક્સેપ્ટ ન કરવું અને જ્યારે કામ ન કરે ત્યારે ડિવાઈસનું બ્લૂટૂથને બંધ રાખો. ખાસ કરીને આ માટે હેકર્સ સોફ્ટવેરની ખામીઓનો ફાયદો ઉઠાવે છે અને એટલા માટે જ તમારા ડિવાઈસ અને સોફ્ટવેરને અપડેટ રાખો.

જો તમારા ડિવાઇસનું બ્લૂટૂથ ડિસ્કવર મોડમાં છે તો તેને બંધ કરો. અને જો તમે ઓડિયો સ્પીકર્સ અથવા ઇયરબડ જેવા ડિવાઈસ સાથે બ્લૂટૂથને પેર કરી રહ્યા છો તો આ માટે ઘર અથવા ખાનગી જગ્યાનો ઉપયોગ કરો. આ કામ માટે ભીડવાળી જગ્યાએ ન જવું જોઈએ. ભીડવાળી જગ્યા પર હેકર્સ તમને નિશાન બનાવી શકે છે.

આ પણ વાંચો :-

અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

0

Alpesh Kathiriya’s challenge

સુરતના (Surat) વરાછા બેઠક (Varacha seat) પર ભાજપમાંથી કિશોર કાનાણી (Kishore Kanani) અને આપ ઉમેદવાર અલ્પેશ કથિરિયા વચ્ચે સીધી ટક્કર છે. ત્યારે ફરી એક વખત અલ્પેશ કથિરીયાએ (Alpesh Kathiriya) કિશોર કાનાણીને કાકા સંબોધીને ખુલ્લી ચેલેન્જ આપી છે.

અલ્પેશ કથિરીયાનું નિવેદન સામે આવ્યુ છે કે ભત્રીજો હોવાથી ખાતરી આપું છું કે પહેલી તારીખે તમારો જન્મ દિવસ છે કાકા અને વરાછાની જનતા તમને મત આપે તેવી હું અપીલ કરુ છે. જો તમે જીતશો તે હું તમને માનગઢ ચોક પર મારા ખભે બેસાડીશ.

આ પણ વાંચો :-