Wednesday, Mar 19, 2025

મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘૂસતા જોવા જેવી થઈ, ગેહલોતે આમાય ભાજપને કોસી, જુઓ શું કહ્યું

2 Min Read

It was like seeing a bull enter the Congress meeting in Mehsana

  • મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જતા લોકોમાં નાસભાગ મચી હતી. અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે.

ગુજરાતમાં ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે. ત્રણય પક્ષો જીત માટે એડી ચોટીનો દમ લગાવી રહ્યાં છે અને વિવિધ સ્થળોએ પ્રચારનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિત શાહે ગુજરાતમાં પ્રચાર કમાન સંભાળી છે તો વળી કોંગ્રેસમાં અશોક ગહેલોત (Ashok Gehlot) સહિત કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.

આ બધાની વચ્ચે એક મહત્વની ઘટના સામે આવી છે જેમાં મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો અને લોકોમાં આખલાને પગલે નાસભાગ મચી હતી જે મુદ્દે અશોક ગહેલોત ભાજપ પર પ્રહાર કર્યા હતાં.

મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો :

મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો. જેના પગલે સભા સ્થળે લોકોમાં નાસભાગ મચી હતી. આખલા મામલે અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે અને જ્યારે જ્યારે કોંગ્રેસની સભા હોય ત્યારે ભાજપ આવું કરે છે પરંતુ છતા પણ કોંગ્રેસ જીતે છે.

આ પણ વાંચો :-

Share This Article