HomeEntertainment‘દીકરી તો પારકી થાપણ કહેવાય...’ સહિત અનેક યાદગાર રચનાઓના સર્જક ગૌરાંગ વ્યાસનું...

‘દીકરી તો પારકી થાપણ કહેવાય…’ સહિત અનેક યાદગાર રચનાઓના સર્જક ગૌરાંગ વ્યાસનું 87 વર્ષે નિધન

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

ગુજરાતી સંગીતના ચાહકો માટે 3 સપ્ટેમ્બરનો દિવસ એક મોટી ખોટ લઈને આવ્યો છે. દાયકાઓ સુધી ગુજરાતી ફિલ્મો, લોકસંગીત અને સુગમ સંગીતને યાદગાર સ્વર-સર્જનાઓ આપનાર જાણીતા સંગીતકાર, ગાયક અને એરેન્જર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર સામે આવતા જ ગુજરાતી કલા અને સંગીતજગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ગૌરાંગ વ્યાસ જાણીતા સંગીતકાર અને પદ્મશ્રી સન્માનિત અવિનાશ વ્યાસના પુત્ર હતા. પિતાની સંગીત પરંપરાનો વારસો મળ્યો હોવા છતાં ગૌરાંગ વ્યાસે પોતાની આગવી શૈલી અને પ્રયોગશીલ અભિગમથી ગુજરાતી સંગીતમાં અલગ ઓળખ બનાવી હતી. માત્ર પાંચ વર્ષની ઉંમરે તેઓ હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડતા હતા. બાદમાં તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું અને મુંબઈમાં નોકરી પણ કરી, પરંતુ સંગીત પ્રત્યેના લગાવને કારણે અંતે સંગીતને જ જીવનનો માર્ગ બનાવ્યો હતો.

તેમની ફિલ્મી સફરની શરૂઆત પિતા અવિનાશ વ્યાસ સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે થઈ હતી. ત્યારબાદ ‘લાખો ફૂલાણી’થી તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ગૌરાંગ વ્યાસે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ‘ભવની ભવાઈ’, ‘મણિયારો’, ‘નસીબની બલિહારી’, ‘પારકી થાપણ’, ‘લીલુડી ધરતી’ અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ જેવી ફિલ્મોમાં તેમનું સંગીત નોંધપાત્ર રહ્યું હતું.

ગૌરાંગ વ્યાસની સૌથી લોકપ્રિય રચનાઓમાં ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ વિશેષ સ્થાન ધરાવે છે. આ ગીતને લતા મંગેશકરના અવાજે વિશાળ લોકપ્રિયતા મળી હતી. ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો’ અને ‘હુ તુ તુ તુ, જમી રમતની ઋતુ’ જેવી રચનાઓ પણ આજે યાદ કરવામાં આવે છે. તેમણે ‘જલારામની ઝૂંપડી’, ‘ભજન અનમોલ’, ‘ગંગા સતીનાં ભજનો’, ‘કહત કબીર’ અને ‘નોન સ્ટોપ ડાંડિયા-રાસ’ જેવા આલ્બમોમાં પણ મહત્વનું કામ કર્યું હતું.

તેમણે લતા મંગેશકર ઉપરાંત આશા ભોંસલે, કિશોર કુમાર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર અને અન્ય દિગ્ગજ ગાયકો સાથે કામ કર્યું હતું. તેમના સંગીત ક્ષેત્રના યોગદાનને અનેક સન્માન મળ્યાં હતાં, જેમાં 2022નો લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ પણ સામેલ છે.

ગૌરાંગ વ્યાસના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરી જણાવ્યું કે તેમણે અવિનાશ વ્યાસની સમૃદ્ધ પરંપરાને આગળ વધારી ગુજરાતી સંગીતમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી અને તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.

Subscribe

Latest stories

spot_img