Home Blog Page 1235

મુંબઈ સે આયા મેરા દોસ્ત …! 30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન

0

Mumbai se aya mera dost

  • એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મુંબઈના ઝૂમાંથી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગમાં વાઘની આ જોડી લવાઈ છે. બદલામાં તેમની આપણાં તરફથી એક સિંહની જોડી આપવામાં આવી છે. 30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન થયું છે.

ભારત સરકારના (Government of India) પ્રાણીઓની જાળવણી અંગેના એટલે કે વાઈલ્ડ લાઈફના નિયમોને અનુસરીને આપણે ત્યાં અભ્યાસ અને પ્રવાસનના હેતુથી એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ (Animal Exchange Program) ચાલતો હોય છે. જેમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રાણીઓને ઝૂમાં એક્ષચેન્જ કરવામાં આવતા હોય છે. એ જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં મહારાષ્ટ્રથી (Maharashtra) લાવવામાં આવી છે એક વાઘની જોડી.

આ પ્રોગ્રામ અંતર્ગત આપણે ત્યાંથી એક સિંહની જોડી આપીને વાઘ અહીં લાવવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં આવેલાં સક્કરબાગમાં આ વાઘની જોડી લાવવામાં આવી છે.એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મુંબઈના ઝૂમાંથી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગમાં વાઘની આ જોડી લવાઈ છે. બદલામાં તેમની આપણાં તરફથી એક સિંહની જોડી આપવામાં આવી છે.

30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન થયું છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુંબઇથી વાઘની જોડી લવાઇ હોય તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. અંદાજે 150 વર્ષ કરતા જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે.

એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ અહિંથી પ્રાણીઓને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલી ત્યાંથી નવા પ્રાણી મંગાવવામાં આવે છે. ત્યારે એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ખાતેથી 2.5 વર્ષના સિંહ અને 2 વર્ષની સિંહણને સંજય ગાંધી નેશનલ પાર્ક મુંબઈમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી 2 વાઘને લવાયા છે. આમાં વાઘની ઉંમર 6 વર્ષની છે. જ્યારે વાઘણની ઉંમર 4 વર્ષની છે.

આ પણ વાંચો :-

આફતાબ પર હુમલાનો પ્રયાસ, કહ્યું-શ્રદ્ધાના 35 ટુકડા કરનારાના 70 ટુકડા કરીશું

Attempted attack on Aftab

  • દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો સાંજે 6.45 વાગે થયો જ્યારે આફતાબને દિલ્હી પોલીસ એફએસએલ ઓફિસ લઈને પહોંચી હતી.

શ્રદ્ધા મર્ડર કેસના (Shraddha Murder Case) આરોપી આફતાબ પૂનાવાલાની ગાડી પર સોમવારે (28 નવેમ્બર) ના રોજ દિલ્હીના (Delhi) રોહિણીમાં હુમલો થયો છે. પોલીગ્રાફ ટેસ્ટ (Polygraph test) બાદ એફએસએલ ટીમ આફતાબને લઈને બહાર નિકળી હતી.

ત્યારે કેટલાક લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી અને ગાડી પર હુમલો કરી દીધો. આ લોકોના હાથમાં તલવારો હતી અને આ આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા. ત્યારે એક પોલીસકર્મી વાનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંદૂક તાણી દીધી.

હવાઈ ફાયરિંગની વાત પણ કહેવામાં આવી રહી છે. ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ વાન પર પથ્થરમારો પણ કર્યો છે. હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે તેને બે મિનિટ બહાર નિકાળો, મારી નાખીશ. આફતાબની ગાડી પર હુમલો કરનાર કેટલાક આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હુમલાવરોએ હિંદુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કર્યો છે.

તલવાર લઈને આ લોકો પહેલાં પોલીસ સામે આવી ગયા. પોલીસે આ લોકોને જ્યારે રોકવાનો પ્રયત્ન કર્યો તેમના પર હુમલો પણ કર્યો. ત્યારબાદ પોલીસ જેવી થોડી પાછળ હતી. તેમણે તે વાનનો દરવાજો ખોલી દીધો જેમાં આફતાબ હાજર હતો. આ હુમલો સાંજે લગભગ 6.45 વાગે થયો. હુમલાવરોએ કહ્યું કે અમારી બહેન-દીકરીઓ આજના સમયમાં સુરક્ષિત નથી. એવામાં અમારી બહેનના 35 ટુકડા કરનારાના અમે 70 ટુકડા કરીશું.

આ પહેલાં FSL આસિસ્ટંટ ડાયરેક્ટર સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે એક્સપર્ટની ટીમ પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે અને જલદીજ અ આજનું સેશન પુરૂ કરી લેવામાં આવશે. જો જરૂરિયાત જણાશે તો કાલે પણ આફતાબને આ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ ખત થયા બાદ નાર્કો ટેસ્ટની શરૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

આજથી ઠંડી શરૂ ! સાંજ પડતા જ ઠંડાગાર થઈ જશે ગુજરાતના આ શહેરો, જાણો તમારા શહેરનું હવામાન

0

Starting cold from today

  • ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપામાન 18 ડિગ્રી થઈ જશે. જેના કારણે તો સાંજ પડતા જ મોટા ભાગના શહેરોમાં ઠંડક વર્તાવા લાગશે.

શિયાળો (Winter) શરૂ તો થઈ ગયો છે પણ હજુ સુધી જોઈએ એવી ઠંડી પડતી નથી. રાત્રે ઠંડી અનુભવાય છે પણ દિવસ દરમ્યાન વાતાવરણ ગરમ રહેતું હોય છે. પણ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આજથી વાતાવરણમાં પલટો આવશે. સાંજ પડતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આજ સાંજથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના કેટલાંક શહેરોમાં વાતાવરણમાં બદલા આવશે. વાતાવરણમાં પલટાને કારણે રાજ્યના કેટલાંક શહેરો ઠંડાગાર થઈ જશે.

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપામાન 18 ડિગ્રી થઈ જશે. જેના કારણે તો સાંજ પડતા જ મોટા ભાગના શહેરોમાં ઠંડક વર્તાવા લાગશે. વાતાવરણ બદલાતા આજથી રીતસર ઠંડીનો ચમકારો અનુભાવાશે.

આજે અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથ, મોરબી અને ભરૂચ જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે. તાપમાન ઘટતા આ જિલ્લાઓમાં અચાનક ઠંડી વધી ગઈ હોવાનો અહેસાસ થશે. તેથી સાંજે બહાર નીકળતા હોવ તો ગરમ કપડાં કે સાલ સાથે રાખવાનું ના ભૂલતા.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેશે.

તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 22 ડ઼િગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 37 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો :-

મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘૂસતા જોવા જેવી થઈ, ગેહલોતે આમાય ભાજપને કોસી, જુઓ શું કહ્યું

0

It was like seeing a bull enter the Congress meeting in Mehsana

  • મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જતા લોકોમાં નાસભાગ મચી હતી. અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે.

ગુજરાતમાં ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે. ત્રણય પક્ષો જીત માટે એડી ચોટીનો દમ લગાવી રહ્યાં છે અને વિવિધ સ્થળોએ પ્રચારનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિત શાહે ગુજરાતમાં પ્રચાર કમાન સંભાળી છે તો વળી કોંગ્રેસમાં અશોક ગહેલોત (Ashok Gehlot) સહિત કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.

આ બધાની વચ્ચે એક મહત્વની ઘટના સામે આવી છે જેમાં મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો અને લોકોમાં આખલાને પગલે નાસભાગ મચી હતી જે મુદ્દે અશોક ગહેલોત ભાજપ પર પ્રહાર કર્યા હતાં.

મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો :

મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો. જેના પગલે સભા સ્થળે લોકોમાં નાસભાગ મચી હતી. આખલા મામલે અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે અને જ્યારે જ્યારે કોંગ્રેસની સભા હોય ત્યારે ભાજપ આવું કરે છે પરંતુ છતા પણ કોંગ્રેસ જીતે છે.

આ પણ વાંચો :-

આ રીતે બનાવો મસાલા ચા, શરદી-ઉધરસ-શરીરનાં સોજાં થશે દૂર

Make masala tea in this way

  • મસાલાં ચામાં અનેક પૌષ્ટિક તત્વો રહેલાં હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ચાનો ટેસ્ટ પણ અદભૂત હોય છે જે તમને શરદી-ઉધરસમાં રાહત અપાવે છે. આ સિવાય પણ મસાલાં ચામાં અનેક ગુણો રહેલાં છે.

ચોમાસાની સિઝન હોય કે શિયાળાની, ભારતનાં લોકો હંમેશા ખુશનુમા વાતાવરણમાં ચાને (Tea) યાદ કરતાં હોય છે. ત્યારે શિયાળાના ઠંડીના વાતાવરણમાં ચાય જેટલીવાર મળી જાય તે ઓછું જ લાગે છે. તેવામાં જો તમને શરદી કે ઉધરસ કે ગળાંમાં દુ:ખાવો વધે છે તો આ મસાલા ચા જેવું અકસીર બીજું કંઈ નથી. આ ચામાં રહેલાં પૌષ્ટિક તત્વો ઈમ્યૂનિટી (Immunity) વધારવાની સાથે હાડકાંઓને પણ મજબૂત કરે છે.

મસાલાં ચા બનાવવાની રીત :

  1. ચા મસાલાં પાઉડર બનાવવા સૂંઠને પીસી લ્યો.
  2. હવે ધીમા ગૅસે એક તપેલાને મૂકી તેમાં લવિંગ, કાળા મરી, એલાઇચી અને તજ ઉમેરી ચડવા દો.
  3. આ તમામ મસાલાંને ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને ગ્રાઇન્ડરમાં પીસીને પાઉડર બનાવી લો.
  4. આ પાઉડરમાં પિસેલ સૂંઠ અને જાયફળનો પાઉડર ઉમેરી ફરી પીસી લો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું :

  1. મસાલા ચા બનાવતી વખતે દૂધ અને પાણીની માત્રાનું ધ્યાન રાખવું
  2. ચાને વધુ સમય સુધી ગેસ પર ન ચડાવવું
  3. જો ચા મસાલો વધુ તેજ અને તીખું પસંદ નથી તો મસાલાંની માત્રા થોડી ઓછી કરી દેવી અને કાળા મરી અને તજનો ઉપયોગ પણ ઓછો રાખવો.

આ ચાનાં ફાયદા :

મોટાભાગનાં લોકોને ઠંડીનાં વાતાવરણમાં હાડકાંઓનાં દુ:ખાવા પર ફરિયાદ રહેતી હોય છે અને શરીરમાં સોજાં પણ આવતાં હોય છે. તેવામાં તમે મસાલાં ચામાં આદૂ અને લવીંગનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારા શરીરનો દુ:ખાવો અને સોજાં દૂર થાય છે. આદૂ અને લવિંગ પણ આ તકલીફોમાં ફાયદાકારક રહે છે.

  • ઈમ્યૂનિટી વધશે :

મસાલાં ચામાં એન્ટીઓક્સિડેન્ટસ અને ફાઈટોકેમિકલ જેવા ગુણો રહેલાં છે જે તમારી ઇમ્યૂનિટીને મજબૂત બનાવે છે. ઠંડીમાં ઇમ્યૂનિટી ઘટી જતી હોય છે અને બિમારી વધી જતી હોય છે તેવામાં આ બિમારીઓથી બચવા અને ઇમ્યૂનિટી મજબૂત કરવાં આ મસાલાં ચાનું સેવન કરવું જોઇએ.

શિયાળાનાં સમયમાં બાળકોથી લઇને મોટી ઉંમરનાં તમામ લોકો એકવાર તો શરદી-ઉધરસ જેવા વાયરલનો ભોગ બને જ છે. તેવામાં જો તમે આદૂ, તુલસી જેવા તત્વોથી બનેલી અદભૂત મસાલાં ચાનું સેવન કરો છો તો થોડાં સમયમાં જ તમને ફાયદો દેખાશે અને શરદી-ઉધરસ-ફ્લૂથી રાહત મળશે.

આ પણ વાંચો :-

ફેસબુક યુઝર્સ સાવધાન ! જો-જો આવી ભૂલ કરતા નહીં તો એક ઝાટકે થઇ જશે બેંક એકાઉન્ટ સાફ

Facebook users beware

  • આજકાલ ફેસબુક દ્વારા અનેક રીતે ઓનલાઈન છેતરપિંડી થવા લાગી છે એટલા માટે ફેસબુકનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

ફેસબુક (Facebook) એ વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ્સમાંથી એક છે અને આ એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા તમે દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકો છો અને દુનિયાના કોઈપણ છેડેથી લોકો તમારી સાથે જોડાયેલ રહી શકે છે. ઓળખીતો હોય કે કોઈ અજાણ્યો કોઈ પણ ફેસબુક પર તમારો મિત્ર બની શકે છે.

તમારા વિચારો વ્યક્ત કરવા અને મિત્રોનું વર્તુળ વધારવા માટે ફેસબુક એ સારી એપ છે પણ આજકાલ ફેસબુક દ્વારા અનેક રીતે ઓનલાઈન છેતરપિંડી થવા લાગી છે. ઘણા ફેસબૂક યુઝર્સ અલગ અલગ રીતે અનેક છેતરપિંડીના શિકાર બન્યા છે. એટલા માટે હવે ફેસબુકનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. સાથે જ કેટલીક એવી બાબતો છે. જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફેસબુક દ્વારા જો કોઈ તમને કોઈ પણ લિંક મોકલે છે તો તે લિંક પર ક્લિક ન કરવું જોઈએ. સામાન્ય રીતે આવી લિંક્સ આકર્ષક ઓફર સાથે મોકલવામાં આવે છે અને લિંક ક્લિક કરવા પર તમારું એકાઉન્ટ હેક પણ થઈ શકે છે. એક વખત હેક થઈ ગયા પછી તમારી પ્રોફાઇલમાં રહેલ દરેક વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કરીને હેકર્સ તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકાય છે.

ફેસબુક પર ખૂબ જ સસ્તા દરે કે મફત વસ્તુઓ અને સામાન આપવાનો દાવો કરતી જાહેરાતોથી બચવું જોઈએ અને તેની જાળમાં ક્યારેય ન ફસાવવું જોઈએ. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુઝર્સના બેંક ખાતામાંથી આવી લોભમણી જાહેરાતોની આડમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા જ તમામ પૈસા ઉપાડીને બેંક ખાતું ખાલી કરી દેવામાં આવે છે.

Facebook પર તમારી ફ્રેન્ડ લિસ્ટમાં તમે જેને ઓળખો છો તેને જ એડ કરવા જોઈએ. આ ઉપરાંત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી કે સ્વીકારતા સમયે એ ખાતરી કરવી જોઈએ કે પ્રોફાઇલ ફેક તો નથીને. જો કોઈપણ અજાણ્યા વ્યક્તિને એડ કરી લેવાથી તે તમારા એકાઉન્ટની માહિતીની મદદથી છેતરપિંડી પણ કરી શકે છે.

જો તમારા કોઈ મિત્રના નામે ફરીથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી રહી હોય તો તે એક્સેપ્ટ ન કરવી જોઈએ. આ પાછળ કારણ એ છે કે હાલ સાયબર ક્રિમિનલ્સ ડુપ્લીકેટ ફેસબુક આઈડી બનાવીને લોકો સાથે આડેધડ છેતરપિંડી કરી રહ્યા છે.

ફેસબુક દ્વારા જો તમારો કોઈ ઓળખીતો વ્યક્તિ બેંક ખાતાની વિગતો અથવા પૈસા માંગે તો તે ક્યારેય ન આપવા જોઈએ. એવું પણ શક્ય છે કે કોઈ વ્યક્તિએ તમારા ઓળખીયા વ્યક્તિનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યું હોય અને પછી તેના નામે તમારી પાસેથી પૈસા માંગવામાં આવતા હોય છે.

આ પણ વાંચો :-

29 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

29 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આનંદ ઉત્સાહ પૂર્ણ ‌દિવસ આવકનું પાસુ મજબુત બનતું જણાય. આ‌‌ર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. માતૃસુખમાં વધારો થાય. ‌મિત્રોથી લાભ. પ‌રિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ‌ચિંતા રહે.

‌મિથુન
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાકી શકાય. નાણાંકીય, બાબતો માટે ઉત્તમ ‌દિવસ, નાના ભાઈ બહેનોની પ્રગ‌તિ થતી જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્ર‌તિકારક શ‌ક્તિ ઘટે. થાક લાગે.

કર્ક
‌મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્ય‌ક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પ‌ત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

‌સિંહ
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના ‌મિત્રો ને મળવાનું થાય. ‌મિત્રો નો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. ‌વિદ્યાર્થી ‌મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગ‌તિ આવક વધશે.

કન્યા
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્ય‌ક્તિને સફળતા મળે. માતા-‌પિતા તરફથી શાં‌તિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ અનુભવાશે.

તુલા
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનત ના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃ‌શ્ચિક
ભાગ્યના બળે આવકમાં વૃ‌દ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ‌ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધન
માન‌સિક અશાં‌તિ રહે. નકારાત્મક ‌વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાં‌તિથી ‌દિવસ પસાર કરવા. ભગવાન ‌શિવની ઉપાસનાથી લાભ થાય.

મકર
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા ‌વિશાળ મન રહેશે. ભ‌ક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું ‌નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધા‌ર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભ
જોમ-જુસ્સામાં વધારો થાય. ‌મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમ ભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ‌ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીન
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગ‌તિ થી આનંદ થાય. ‌વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ‌દિવસ. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ થાય. બીજા ને મદદ કરવાથી દીલ હરખાય. ‌મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

શ્રદ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેક્શન : સુરતના ડ્રગ પેડલર સાથે છે આફતાબનો સંબંધ

0

Gujarat connection in Shraddha murder case

  • આફતાબના ડ્રગ્સ એન્ગલમાં હવે સુરત સાથે તાર જોડાયા, સુરતનો કુખ્યાત ડ્રગ પેડલર આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હોવાનો ખુલાસો થયો.

દિલ્હીમાં (Delhi) શ્રદ્ધા મર્ડર કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હવે શ્રદ્ધા મર્ડર કેસનું ગુજરાત (Gujarat) કનેક્શન ખૂલ્યું છે. આફતાબ સાથે જોડાયેલ ડ્રગ પેડલરની (Drug peddler) ધરપકડ થઈ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, ડ્રગ પેડલર સુરતનો હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની (Faisal Momin) ધરપકડ કરાઈ છે. તે સુરતનો છે. ફૈઝલ મોમીન આફતાબ પૂનાવાલાને (Aftab Poonawalla) ડ્રગ પહોંચાડતો હતો. ત્યારે શ્રદ્ધા મર્ડર કેસમાં સુરત પોલીસ પણ દોડતી થઈ છે.

સુરતનો ફૈઝલ મોમીન આફતાબ પૂનાવાલાને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. તેથી હવે ફૈઝલ મોમીનના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની 4 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પાંડેસરા અને અમરોલીમાં 4 કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. ત્યારે ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.

બે વાર થયો છે આફતાબનો પોલિગ્રાફી ટેસ્ટ :

દિલ્હીના મહરૌલી વિસ્તારમાં પોતાની પ્રેમિકા શ્રદ્ધાની ઘાતકી હત્યા કરીને તેના મૃતદેહા 35 ટુકડા કરનાર આરોપી આફતાબનો સોમવારે ત્રીજીવાર પોલીગ્રાફી ટેસ્ટ થશે. હાલ કોર્ટે આફતાબને 13 દિવસની ન્યાયિક પૂછપરછમાં રાખ્યો છે. તે દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. આફતાબનો નાર્કો ટેસ્ટ આંબેડકર હોસ્પિટલના ડો.નવીન કરશે.

આફતાબ પૂનાવાલાનો અત્યાર સુધી બે વાર પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો છે. એફએસએલની ટીમે ગુરુવારે ટેસ્ટ દરમિયાન 8 કલાક તેની પૂછપરછ કરી હતી. શુક્રાવેર આફતાબની 3 કલાક પૂછપરછ કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આફતાબની તબિયત ખરાબ થવાને બીજા દિવસે અમે પૂછપરછ કરી શક્યા ન હતા. આ કારણે સોમવારે તેનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો છે.

શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ ફોરેન્સિક તપાસમાં થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જે હાડકાં પોલીસને મળી આવ્યા હતા તેના  બ્લડ ક્લોટ  અને શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલને મેચ કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે ફોરેન્સિક લેબે  બ્લડ ક્લોટ અને હાડકાનું શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલ સાથે મેચ કર્યું હતું. જેમાં ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયું હોવાની પુષ્ટિ થઈ છે.

સમગ્ર રિપોર્ટમાં લાગશે સમય :

પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફોરેન્સિક તપાસની ટીમે દિલ્હી પોલીસને એ વાતની મૌખિક જાણકારી આપી છે. એવું કહેવાયું છે કે સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને આપવામાં હજું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને થોડા દિવસનો સમય લાગી શકે છે.

પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા એગ્ઝાબિટની તપાસ બાદ શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ ગઈ છે. બીજી બાજુ ફોરેન્સિક ટીમે પોલીસને એ પણ જણાવ્યું કે તેમને આરીથી બોડી કાપવાના નિશાન મળ્યા છે. આવામાં પોલીસ હવે આગળની કાર્યવાહી કરવાની સાથે ડિટેઈલ રિપોર્ટ મળવાની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો :-

ભડકે બળી રહ્યું છે ચીન, અનેક મોટા શહેરોમાં મોટેપાયે બળવો ! શી જિનપિંગને હટાવવા માટેના લાગ્યા નારા

China is on fire

  • નોંધનીય છે કે ચીનમાં આ પ્રકારનું પ્રદર્શન અને શી જિનપિંગ વિરુદ્ધ ખુલ્લેઆમ નારા લગાવવા એ સામાન્ય વાત નથી. ચીનમાં સરકાર અને રાષ્ટ્રપતિની સીધી આલોચના કરવા બદલ કડક સજા થાય છે. ચીનના અનેક શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને શી જિનપિંગની સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે.

ચીનમાં (China) વધતા કોરોના વાયરસના (Corona virus) કેસ વચ્ચે લોકડાઉન (Lockdown) લગાવવામાં આવતા જ લોકો ભડકી ગયા છે. ચીનના અનેક શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને શી જિનપિંગની સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે. ચીની નાગરિકોને તેમના રાષ્ટ્રપતિ શી જિનપિંગની (President Xi Jinping) કડક ઝીરો કોવિડ પોલીસી જરાય પસંદ આવી રહી નથી.

હજારો પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતર્યા છે અને પોલીસનો સામનો કરી રહ્યા છે. પોલીસ પ્રદર્શનકારીઓને (Police demonstration) રોકવામાં લાગી છે પરંતુ સ્થિતિ બેકાબૂ બની રહી છે. ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ (President Xi Jinping) વિરુદ્ધ નારા લાગી રહ્યા છે.

સૌથી મોટો બળવો?

મળતી માહિતી મુજબ બેઈજિંગ, અને શાંઘાઈ સહિત ચીનના અનેક શહેરોમાં કોવિડ-19ના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનો વિરોધ  થઈ રહ્યો છે. શાંઘાઈમાં તો જ્યારે હજારો પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતર્યા તો પોલીસે તેમની સાથે કડકાઈ આચરી. અનેક લોકોને પોલીસની કારોમાં બાંધી દેવાયા. બેઈજિંગ અને નાનજિંગ સહિત અન્ય જગ્યાઓ પર પણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રદર્શન કર્યા.

લોકડાઉનના કારણે 10 લોકોના મોત !

રિપોર્ટ મુજબ ચીનના નોર્થ-વેસ્ટ શહેર ઉરુમકીમાં પણ વિરોધ પ્રદર્શન બાદ અશાંતિ છે. અહીં એક ટાવર બ્લોકમાં આગ લાગવાના કારણે 10 લોકોના મોત થઈ ગયા. લોકો આ માટે લોકડાઉનને જવાબદાર ઠેરવી રહ્યા છે. જો કે ચીની અધિકારીઓ આ વાતનો ઈન્કાર કરે છે કે કોવિડ પ્રતિબંધોના કારણે લોકોના મોત થયા.

રિપોર્ટ મુજબ ચીની સરકાર વિરુદ્ધ નારા લગાવનારાઓને પોલીસ શોધી રહી છે. જો કે લોકડાઉનના કારણે ચીનના અનેક શહેરોમાં નાગરિકો ગુસ્સામાં છે અને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કોવિડ પ્રતિબંધોથી નારાજ લોકોએ હાલમાં જ ઝેંગ્ઝોથી ગ્વાંસઝૂ સુધી હિંસક વિરોધ પ્રદર્શન પણ કર્યું.

આ પણ વાંચો :- 

 

પેન્શનરો માટે ગુડ ન્યુઝ ! EPFO પેન્શન નિયમોમાં થઈ શકે છે ફેરફાર, થશે મોટો ફાયદો

0

Good news for pensioners

  • EPFO એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ પે સ્કેલને ઉચ્ચ પગાર ધોરણ સાથે લિંક કરવા જઈ રહ્યું છે તેને કારણે તે કર્મચારીઓને બમણો લાભ મળશે જેમનો માસિક પગાર રૂ. 21000 સુધી છે.

ઘણા લોકો નોકરી કરતાં હોય છે અને લગભગ નોકરિયાત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની પેન્શન યોજનાનો લાભ લેતા હોય છે. એવા કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર (Central Govt) ટૂંક સમયમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની પેન્શન યોજનાની પગાર મર્યાદા વધારી શકે છે. જણાવી દઈએ કે EPFO એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ પે સ્કેલને 21000 ઉચ્ચ પગાર ધોરણ સાથે લિંક કરવા જઈ રહ્યું છે અને તેને કારણે તે કર્મચારીઓને (Employee) બમણો લાભ મળશે જેમનો માસિક પગાર રૂ. 21000 સુધી છે.

જણાવી દઈએ કે હાલમાં EPFOની કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજનામાં નિવૃત્તિ બચત યોજના માટેની પગાર મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ માસ છે અને તેને વધારીને 21,000 રૂપિયા કરવામાં આવશે. જો સરકાર આ નિર્ણય માટે મંજૂરી આપે છે તો 75 લાખ વધુ કર્મચારીઓ EPFOના દાયરામાં આવશે અને હાલ તેમની સંખ્યા 6.8 કરોડ છે. ખાસ જાણવાનું રહ્યું કે પગાર મર્યાદા છેલ્લે 2014માં 6,500 રૂપિયા પ્રતિ માસથી વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી હતી.

પેન્શનરોને સૌથી વધુ ફાયદો થશે :

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર પગાર મર્યાદા વધારવા માટે ટૂંક સમયમાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી શકે છે જે મોંઘવારી અનુસાર તેની મર્યાદા નક્કી કરશે. સાથે જ EPFOના કાર્યક્ષેત્રમાં આવવા માટે સમય સમય પર તેની સમીક્ષા પણ કરવામાં આવશે. હાલ 15,000 રૂપિયા માસિક પગાર પર 12%ના દરે 1,800 રૂપિયા છે.

જો પગાર મર્યાદા વધારીને 21,000 રૂપિયા કરવામાં આવે છે તો 12% દરે PF યોગદાન વધીને 2,520 રૂપિયા થઈ જશે અને તેનાથી રિટાયરમેન્ટ ફંડમાં પણ ઘણો વધારો થશે. આ નિર્ણયથી ખાસ પેન્શનરોને સૌથી વધુ ફાયદો મળી શકે છે.

EPFO તરફથી મળે છે વ્યાજ  :

જણાવી દઈએ કે આ યોજના હેઠળ કર્મચારીના પગારમાંથી 12% રકમ કાપીને પેન્શન યોજનામાં જમા કરવામાં આવે છે અને કંપનીએ સામે તે જ રકમ કર્મચારીના ખાતામાં જમા કરવાની હોય છે. એટલે કે કર્મચારીની બચત 1 દિવસમાં બમણી થઈ જાય છે. તેના પર EPFO તરફથી વ્યાજ મળે છે જે કોઈપણ બેંકની FD કરતા વધારે હોય છે.

કોર્ટે આ મર્યાદાને પણ કરી હતી રદ  :

કેન્દ્ર હાલમાં EPFOની એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ માટે દર વર્ષે લગભગ રૂ. 6,750 કરોડ ચૂકવે છે અને તેમાં EPFOએ યોજના તરફના સબસ્ક્રાઈબર્સને મૂળભૂત પગારના 1.16 ટકા યોગદાન આપે છે. હાલ માં જ સુપ્રીમ કોર્ટે 2014 ની કર્મચારી પેન્શન યોજનાની માન્યતાને સમર્થન આપ્યું હતું અને કોર્ટે પેન્શન ફંડમાં જોડાવા માટે રૂ. 15,000 માસિક વેતનની મર્યાદાને રદ કરી હતી.

આ પણ વાંચો :-