Home Blog Page 1348

ગોઝારો રવિવાર : ભાવનગરમાં આહીર પરિવારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની-પુત્રનું ઘટનાસ્થળે મોત

0

Gozaro Sunday

  • એક સાથે પરિવારના ત્રણ સદસ્યોના મોતથી આહીર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો !

ભાવનગરમાં (Bhavnagar) વલ્લભીપુર પાસેથી કારમાં પસાર થઈ રહેલા આહીર પર મોત કાળ બનીને આવ્યુ હતું. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયુ છે. તો આ અકસ્માતમાં 17 વર્ષનો દીકરો બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડાયો છે. એક જ પરિવારના ત્રણના મોતથી આહીર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર રાજકોટ હાઇવે પર મોડી રાતે અંધારામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીનો આહીર પરિવાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો. હતો. 40 વર્ષીય જીલુભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં સવાર થઈને સુરતથી અમરેલી વતન તરફ જઈ રહ્યા હતા. કારમાં તેમના પત્ની અને બે પુત્રો સવાર હતા.

ત્યારે રાજકોટ હાઈવે પર કાર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સદસ્યોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પતિ, પત્ની અને 15 વર્ષના દીકરાનું મોત થયુ હતું, તો 17 વર્ષીય દીકરો શુભમ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે.

મૃતકોના નામ :

  • જીલુભાઈ બાબલુભાઈ ભૂવા, ઉંમર 40 વર્ષ
  • ગીતાબેન જીલુભાઇ ભૂવા, ઉંમર 38 વર્ષ
  • શિવમ જીલુભાઈ ભુવા, ઉંમર 15 વર્ષ

ઈજાગ્રસ્ત :

  • શુભમ સમતભાઇ ભૂવા, ઉંમર 17 વર્ષ

સમગ્ર મામલે વલભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તેની તપાસ કરશે. સાથે જ આહીર પરિવારના સ્વજનોને અકસ્માત અંગે જાણ કરાઈ.

આ પણ વાંચો :-

14 ઓગસ્ટ 2022 રાશિફળ : આ 5 રાશિના જાતકો પર માં ખોડલની અસીમ કૃપા રહેશે,ધંધામાં મળશે મોટી સફળતા

14 August 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારું. કાર્યક્ષેત્રે પત્નીનો પૂર્ણ સહકાર મળે. ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ
ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. ધંધાકીય ક્ષેત્રે હરિફોને પરાસ્ત કરી શકશો. સંતાનોની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ
સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનોમાં મહત્ત્વની તક મળે. નોકરી-ધંધામાં વિશ્વાસઘાતથી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશના કામકાજમાં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ
મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણોથી આવક વધતી જણાય. સંતાનની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રોથી લાભ.

સિંહઃ
આત્મબળમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. પારિવારિક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્યો કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોથી ચિંતા રહે.

કન્યાઃ
કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વક્તા, કાર્ય કુશળ બનશો. ભાગ્યોદયની નવી-નવી તક મળે. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઈ રહેશે.

તુલાઃ
દિવસ દરમ્યાન સંઘર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
નાણાંકીય બાબતોમાં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબતોથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ
ધાર્મિક કાર્યોમાં મન પરોવાય. નાણાંકીય બાબતોમાં અનુકુળતા રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથીની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ
પરોપકારની ભવના પેદા થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજનનો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ
ભુલથી ચીજવસ્તુ ખોવાઈ જાય, ફૂડ પોઈઝનીંગ કે દવાના રીએક્શનથી સાચવવું. ઝેરી જંતુ, કુતરુ કરડવાના બનાવ બને. વિદેશી બાબતોથી લાભ મળે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળનો અનુભવ થાય.

મીનઃ
સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખની કાળજી જરૂરી. બહેનોએ ગર્ભાશયના રોગોથી સાચવવું.

આ પણ વાંચો :-

પોલીસે ખેત-મજૂર બની ફિલ્મી સ્ટાઇલમાં પાર પાડ્યું ઓપરેશન ‘કિડનેપિંગ’

The police carried out the

  • બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બે દિવસ અગાઉ યુવકને વ્યાજે પૈસા આપવાની લાલચ આપી ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું.

બનાસકાંઠા (banaskantha) જિલ્લાના ડીસા (deesa)માં બે દિવસ અગાઉ યુવકને વ્યાજે પૈસા આપવાની લાલચ આપી ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ (kidnapping) કર્યું હતું. તે બાદ આરોપીઓએ યુવકના પરિવાર પાસે ખંડણી માંગતા પરિવારે સમગ્ર મામલાની જાણ ડીસા દક્ષિણ પોલીસ (deesa police)ને કરી હતી. પોલીસે ઓપરેશન પાર પાડી  ગણતરીના સમયમાં જ અપહરણકર્તાઓની (the kidnapper) ચૂંગાલમાંથી યુવકને સહીસલામત છોડાવી 3 આરોપીઓને દબોચી લીધા હતા.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતા પ્રકાશભાઈ અમરતભાઈ આલ અને ઢૂવા ગામે રહેતા ઈશ્વર પુંજાભાઈ ભાંગરા વચ્ચે પૈસાની લેતી-દેતીના સંબંધ હતા.  ઈશ્વર, પ્રકાશ પાસેથી પૈસા માંગતો હતો. તેથી તેણે ઉઘરાણીના પૈસા લેવા  રણજીત કાંતુભા વાઘેલા અને વિક્રમસિંહ દાડમસિહ વાઘેલાને ટીપ આપી પ્રકાશનું અપહરણ કરવા કાવતરું ઘડ્યું હતું.

કાવતરા મુજબ પ્રકાશને આ બંને શખ્સોએ વ્યાજે પૈસા આપવાની લાલચ આપી ડીસાના ચૌધરી પેટ્રોલ પંપ નજીક બોલાવ્યો હતો. પ્રકાશ પેટ્રોલ પંપ નજીક પહોંચતાં બન્ને શખ્સ રીક્ષા લઇને પ્રકાશ પાસે પહોંચ્યા અને રીક્ષામાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું.

તેને રીક્ષામાં જ દબોચી દાંતીવાડા ડેમ નજીકની અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેને માર માર્યો હતો. તે બાદ પ્રકાશને છરીની અણીએ રીક્ષામાંથી નીચે ઉતારી કારમાં બેસાડીને નાની ભાખરની પ્રાથમિક શાળામાં લઇ ગયા અને ત્યાં લઇ ગયા બાદ પ્રકાશ પાસે તેના પિતાને ફોન કરાવી એક લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

અપહરણકર્તાઓની ધમકીથી ગભરાયેલા પ્રકાશના પરિવારે સમગ્ર મામલાની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરતા પોલીસે પ્લાનિંગ તૈયાર કર્યું અને પ્રકાશના પિતા પાસે અપહરણકારોને ફોન કરાવી પૈસા લેવા ડીસાના કાંટ પાંજરાપોળ આગળ બોલાવ્યા હતા.

જોકે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પાંજરાપોળ આસપાસ ખેડૂત અને મજૂરોના વેશમાં ગોઠવાઈ ગઈ તો એક પોલીસકર્મી જ  રીક્ષાચાલકનો વેસ ધારણ કરી પ્રકાશના પિતાને અપહરણકારો પાસે ઉતારવા પહોંચ્યા અને જેવા બે  આરોપીઓ પૈસા લેવા પ્રકાશના પિતા પાસે પહોંચતા જ પોલીસે તેમને દબોચી લીધા અને પૂછપરછ હાથ ધરી હતી.

આમ, પોલીસે નાની ભાખરની પ્રાથમિક શાળામાં ગોંધી રાખેલા પ્રકાશને મુક્ત કરાવી ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, અપહરણ માટે ઈશ્વર નામના આરોપીએ ટીપ આપી હોવાનું સામે આવતાં જ પોલીસે ઇશ્વરને પણ  દબોચી લીધો હતો અને ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

સરકાર કરાવશે ચારધામ યાત્રા : ગુજરાતથી ઉપડશે 75 બસો, સોમનાથમાં તિરંગાને અપાશે સલામી

0

Government will conduct Chardham Yatra

  • શ્રાવણ માસના પાવન અવસરે સોમવારે સોમનાથમાં સિનિયર સિટિઝન્સ આપશે તિરંગાને સલામી.

ગુજરાતના (Gujarat) સિનિયર સિટિઝન (Senior Citizen) ગુજરાતના યાત્રા ધામાના સરળતાથી દર્શન કરી શકે તે અર્થે રાજ્ય સરકારે “શ્રવણ તીર્થ દર્શન યોજના” (Shravan Tirtha Darshan Yojana) અમલમાં મૂકી છે. જે અંતર્ગત યાત્રા કરનાર લોકોને 50% ટ્રાવેલ્સ ખર્ચ ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા સહાય આપવામાં આવે છે.

પરંતુ દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. તેથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  શ્રવણ તીર્થ દર્શન યાત્રામાં સબસિડી 50 ટકાથી વધારીને 75 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 આજે રાતે 75 બસ સોમનાથ જવા ઉપડશે :

જી, હા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે  75 બસના માધ્યમથી સિનિયર સિટીઝનને ચારધામ યાત્રા કરાવાશે.  જે માટે 4000થી વધુ નોંધણી થઇ  છે.  દંપતીમાંથી કોઇ એકની ઉંમર 60 વર્ષ હશે તો તેમને પણ લાભ અપાશે. સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 50 હજાર તિરંગાનું વિતરણ કરાયું છે. જે  75 બસો ઉપડવાની છે તેમાં સવાર તમામ યાત્રાળુઓને રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે.  યાત્રાળુઓ સોમનાથ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપશે.

સોમનાથ જઇને રાષ્ટ્રધ્વજ ફરકાવશે યાત્રાળુઓ :

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમાં પણ સોમવારનો દિવસ પવિત્ર ગણાય છે. ત્યારે 4000થી વધુ સંખ્યામાં 75 જેટલી બસ આજે રાતે સુરતથી સોમનાથ જવા નીકળી જશે.  72 કલાકે બસ પરત આવશે. આવતી કાલે સવારે ચોટીલા, ત્યાર બાદ ગોંડલ સ્વામિનારાયણ અને ખોડલધામમાં પણ દર્શન કરશે ત્યારબાદ જ સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે ધ્વજવંદનમાં ભાગ લેશે.

ત્યારબાદ ભાલકાતીર્થ, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવના દર્શન કરીને યાત્રાળુઓ 167 સુરત પશ્ચિમ વિધાનસભાના સિનિયર સિટિઝનો પરત ફરશે.ઉલ્લેખનીય છે કે  સિંધુ દર્શન, જેમાં ગુજરાત સરકાર 15 હજાર સબસીડી આપે છે. ગુજરાતમાંથી અયોધ્યા જવા-આવવા માટે રાજ્ય સરકાર 5 હજાર સબસીડી આપે છે.

આ પણ વાંચો :-

એવું નથી દિલ્હીની સ્કૂલને ટક્કર મારે તેવી શાળા પણ ગુજરાતમાં છે, જાણો સ્માર્ટ સ્કૂલની સ્માર્ટ ખાસિયતો

0

It’s not like there is a school in Gujarat

  • શાળાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની એક માત્ર  સરકારી શાળા છે, જે સંપૂર્ણ રીતે હાઈફાઈ અને Wifi થી સજ્જ અને પુરેપુરી સમાર્ટ છે. અહીં વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરીથી લઈને અભ્યાસ સુધી તમામ ગતિવિધિ સ્માર્ટ રીતે કરવામાં આવે છે.

આજે દિલ્હીની સ્કૂલોની (Schools in Delhi) વાત રોજ સાંભળવા મળે છે, પરંતુ દિલ્હીની સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલ ગુજરાતમાં પણ છે ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના (Jamkandorana Taluka) ગામડાની એક સ્કૂલ જોઈને તમે આશ્ચર્ય થશે. નાના એવા ગામડામાં સંપૂર્ણ સ્માર્ટ સ્કૂલ અને એ પણ સરકારી સ્કૂલ કે જ્યાં અભ્યાસ માટે શહેરમાંથી વિદ્યાર્થીઓ આવે છે.

કેવી છે આ શાળા ? કોણ ચલાવે છે ? શું છે આ શાળામાં…

જામકંડોરણા તાલુકાના ગામડાની એક શાળા છે જેમાં પ્રવેશતા જ સ્વચ્છ મેદાન, મેદાનમાં નાનો બગીચો, મેદાનમાં એક સ્ટેઝ, આ બધું જોઈને અંદર પ્રેવેશો એટલે ક્લાસ રૂમમાં પ્રોજેટર સાથે ટચ બોર્ડ ઉપર અભ્યાસ કરાવતા શિક્ષકો, ક્લાસ રૂમને જોતા એવું લાગે કે કોઈ કોર્પોરેટ અને કોઈ હાઈફાઈ ખાનગી શાળામાં આવી ગયા છો. પણ ના આ તો છે જામકંડોરણાથી 10 કિલોમીટર અંતરિયાળમાં આવેલ દૂધીવાદર ગામની સરકારી પ્રાથમિક શાળા.

જી હા… સામાન્ય રીતે આપણેને દરેકને સરકારી પ્રાથમિક શાળા એટલે ખુબ જ સામાન્ય અને કે જ્યાં પૂરતી પ્રાથમિક સુવિધા પણ ન હોય તેવી શાળાની છબી સામે આવે ત્યારે જામકંડોરણાની આ પ્રાથમિક શાળાને જોતા જ આ છાપ કંઈક અલગ જ જોવા મળે.

સ્માર્ટ સ્કૂલની સ્માર્ટ ખાસિયતો :

શાળાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની એક માત્ર  સરકારી શાળા છે, જે સંપૂર્ણ રીતે હાઈફાઈ અને Wifi થી સજ્જ અને પુરેપુરી સમાર્ટ છે. અહીં વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરીથી લઈને અભ્યાસ સુધી તમામ ગતિવિધિ સ્માર્ટ રીતે કરવામાં આવે છે.અહીંના તમામ ક્લાસ રૂમને ઇન્ટરનેટ, પ્રોજેટર , ટચ બોર્ડ, લેપટોપ અને LED સ્કિનથી સજ્જ કરવામાં આવ્યા છે.

અહીં 1 થી લઈને 8 સુધીના તમામ ધોરણમાં વિદ્યાર્થીને સંપૂર્ણ રીતે આજના ટેક્નોલોજીના યુગમાં એક આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષકો અહીં આવીને વિદ્યાર્થીઓને એક આધુનિક સાથે ગુણવતા સભર શિક્ષણ આપતા જોવા મળે છે. ગામડા ગામમાં આપવામાં આવતા ગુણવતા સભર શિક્ષણને લઈને અહીં શહેરની મોટી ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને એ પણ 1-2 નહીં પરંતુ 80 જેટલા. દુધીવદર તાલુકા શાળાને ખુબ જ આધુનિક અને સમાર્ટ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ વિજયભાઈ વ્યાસનો મોટો ફાળો છે.

No description available.

સરકારનો જે સહયોગ છે, તે પણ સરાહનીય છે. 2016માં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 30 જેટલી શાળાને આધુનિક બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું આ પરિણામ છે. અહીં હવે જામકંડોરણા જેવા શહેરમાંથી પણ ડોક્ટર વકીલ અને ઉચ્ચ અધિકારીના બાળકો અહીં વિદ્યાર્થી તરીકે આવીને મફત શિક્ષણ મેળવા આવે છે.

Somnath – તિરંગાની છાયામાં ભવ્ય સોમનાથ મંદિર ..

શહેરમાંથી જયારે કોઈ આ શાળાને જોવા માટે આવે ત્યારે ખુબ જ અચંબિત થઈ જાય છે, ત્યારે શાળાને જોયા પછી કોઈ પણ વાલી એક વખત ઈચ્છા કરે કે તેના સંતાનો અહીં આ સરકારી શાળામાં અભ્યાસ કરે,  જામકંડોરણાના અનેક લોકોના સંતાનો અહીં અભ્યાસ કરે છે. અહીં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીના માતા પિતા પણ અહીંની શિક્ષણ પદ્ધતિ અને શિક્ષણથી ખુબ જ સંતુષ્ટ જોવા મળે છે અને એક વખત તો આ શાળાના વખાણ કરતા થાકતા નથી.

ટચ બોર્ડ સાથે 2 D વિડ્યો  :

દુધીવદરની તાલુકા શાળામાં જે ટચ બોર્ડ સાથે 2 D વિડ્યો સાથે વિધાર્થીઓને વિજ્ઞાન ગણિત અને અન્ય વિષયની સમજ અને અભ્યાસ કરાવવામાં આવે છે તેને લઈને અહીંના વિદ્યાર્થીઓને તો અહીં જ્ઞાન સાથે ગમ્મ્ત થતી હોય તેવું લાગે છે, અને અભ્યાસ કરવાનો આનંદ લેતા જોવા મળે છે.

કહેવાય છે કે શિક્ષક કયારેય સાધારણ નથી હોતા તે ખૂબ જ સચોટ રીતે અહીં જોઈ શકાય છે. જો સરકાર અને શિક્ષકો ઈચ્છે તો ખુબ જ ખરાબ હાલતમાં રહેલ સરકારી શાળાઓને ઉચ્ચ કક્ષાની અને દુનિયાને ટક્કર આપે તેવી બનાવી શકે છે.

આ પણ વાંચો :-

‘પત્નીની મજાક ઉડાવતાં પહેલાં સુરત કોર્ટનો ચૂકાદો વાંચી લેજો’ નહીંતર પસ્તાશો

0

Read the Surat Court

  • આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ કહેવાય છે.

સામાન્ય રીતે રાજ્યમાં અવાર નવાર પત્ની પર માનસિક તેમજ શારિરીક (Mental as well as physical) ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. ત્યારે પત્નીઓ ના છૂટકે પોલીસના શરણે જાય છે અને ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવે છે. પરંતુ જોકે પતિ પત્ની વચ્ચે નાની મોટી રક જક અને હસી મજાક થતી હોય છે. ત્યારે આવી જ એ ઘટનામાં સુરતની કોર્ટે (Court of Surat) ચોંકાવનારો ચૂકાદો સંભળાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતા રેખાબેનના (નામ બદલ્યું) લગ્ન ચાર મહિના પહેલાં રામજીભાઇ (નામ બદલ્યું) સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ રામજીભાઇના પરિવારજનો દ્વારા છીણી છીણી બાબતે તેમજ કરિયાવરમાં ઓછી વસ્તુઓ લાવી હોવાની કહીને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત મહેશભાઇના પરિવારજનોએ શ્રીમંતના પ્રસંગ દરમિયાન પણ ઝઘડો કર્યો છે.

કોમનવેલ્થ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી દેશ માટે મેડલ જીતનાર ખેલાડીઓનું વતન પરત ફરતાંની સાથે જ કરાયું જોરદાર સ્વાગત ..

આ ઉપરાંત રામજીભાઇ અને તેમના પરિવારજનો રેખાને નાની નાની બાબતોમાં હેરાન-પરેશાન કરીને તેણીની હાંસી ઉડાવતા હતા અને ગરીમા પણ જાળવતા ન હતા. આખરે કંટાળીએ રેખાબેને વકીલ દ્વારા સુરતની ફેમિલી કોર્ટમાં દાખલ કરીને ભરણપોષણ માંગ્યું હતું.

આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ કહેવાય છે. જેથી સુરતની કોર્ટે પત્નીની હાંસી ઉડાવનારને 7 હજાર ભરણપોષણનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો :-

ના હોય… મહિલાએ દીપડાને બાંધી રાખડી!! ચૂપચાપ સંબંધ નિભાવવા ઉભો રહ્યો, જુઓ વીડિયો

0

No… the woman tied up the panther

  • એક મહિલાએ એક દીપડાને રાખડી બાંધી. સંબંધની સુંદરતા તો જુઓ દીપડાએ આ મહિલાને સહેજ પણ ઈજા પહોંચાડી ન હતી. આ કિસ્સો રાજસ્થાનના રાજસમંજ જિલ્લાનો છે.

રક્ષાબંધનના (Rakshabandhan) તહેવારની ઘણા રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આ દિવસે બહેનો તેમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે. એવામાં રાજસ્થાનના (Rajasthan) રાજસમંદ જિલ્લામાં અનોખો કિસ્સો સામે આવ્યો છે.

Somnath – તિરંગાની છાયામાં ભવ્ય સોમનાથ મંદિર ..

ત્યાં એક મહિલાએ એક દીપડાને રાખડી બાંધી. સંબંધની સુંદરતા તો જુઓ દીપડાએ આ મહિલાને સહેજ પણ ઈજા પહોંચાડી ન હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ દીપડાને બાંધી રાખડી :

તમને જણાવી દઈએ કે રાજસમંદ જિલ્લાના ખેડા ગામની રહેવાસી મહિલા લીલા તેના પતિ સાથે પીયર જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં તેને એક ઇજાગ્રસ્ત દીપડો રસ્તાની સાઈડમાં ચાલતો જોવા મળ્યો હતો. એવામાં તેણે ગાડી રોકી દીપડાના પગ પર રાખડી બાંધી. મહિલાએ તેનો વીડિયો પણ બનાવ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ઇજાગ્રસ્ત દીપડાનું મોત :

ફીમેલ દીપડી ઇજાગ્રસ્ત થઈ હતી. જે શહેર તરફ જઈ રહ્યો હતો. મહિલા દ્વારા રાખડી બાધ્યા બાદ ત્યાં હાજર કેટલાક લોકોએ તેની સૂચના વન વિભાગને આપી હતી. ત્યારબાદ ડોક્ટરે દીપડીની સારવાર કરી પરંતુ તે દરમિયાન તેનું મોત થઈ ગયું.

આ પણ વાંચો :-

રાજુ શ્રીવાસ્તવનું બ્રેન હજી પણ રિસ્પોન નથી કરી રહ્યું, પરિવારે સ્ટેટમેન્ટ જાહેર કર્યું

Raju Srivastava’s brain

  • રાજુ શ્રીવાસ્તને હાર્ટ અટેક આવ્યા પછી તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના મેનેજરે જણાવ્યું હતું કે કોમેડિયનનું બ્રેન હજી પણ રિસ્પોન્સ નથી કરી રહ્યું. તેઓ બેભાવ અવસ્થામાં છે.

રાજુ શ્રીવાસ્તને (Raju Srivast) હાર્ટ અટેક આવ્યા પછી તેમને એઈમ્સમાં (AIIMS) દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના મેનેજરે જણાવ્યું હતું કે કોમેડિયનનું બ્રેન (The Comedian’s Brain) હજી પણ રિસ્પોન્સ નથી કરી રહ્યું. તેઓ બેભાવ અવસ્થામાં છે. હવે રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastava) પરિવારે તેમના સ્વાસ્થ્યની જાણકારી આપતા એક નિવેદન જાહેર કર્યું છે.

રાજુ શ્રીવાસ્તના પરિવારે જાણકારી આપતા કહ્યું કે, કોમેડિયનની તબિયત સ્થિર છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા નિવેદનમાં લખ્યું છે, રાજુ શ્રીવાસ્તવની તબિયત સ્થિર છે. તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ડૉક્ટરની આખી ટીમ જવાબદારીની સાથે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે.

છેલ્લાં 10 વર્ષમાં 3 વાર થઇ એન્જિયોપ્લાસ્ટી :

છેલ્લાં 10 વર્ષમાં રાજુ શ્રીવાસ્તવે ત્રણ વખત એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં પહેલીવાર એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આ બાદ 7 વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં જ ફરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પછી બુધવારે ત્રીજી વખત ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવ પર એન્જિયોપ્લાસ્ટી કરી છે. આમ છતાં પણ હજુ બ્રેઈન રિસ્પોન્સ નથી કરી રહ્યું.

3 દિવસ અગત્યના :

AIIMSના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સંદીપ સેઠે શુક્રવારે, રાજુની પત્ની શિખાને કહ્યું હતું કે આગામી 3 દિવસ મહત્વપૂર્ણ છે. ત્યાર બાદ એક દિવસ વીતી ગયો છે. શુક્રવારે સાંજે તેમના સ્વાસ્થ્ય વિશે સારા સમાચાર આવ્યા કે તેમના ખભામાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે.

તેના માટે આગામી 48 કલાક નિર્ણાયક છે. હાલમાં તે વેન્ટિલેટર સપોર્ટ પર છે અને બેભાન છે. જોકે ડોકટરોએ ઓક્સિજન સપોર્ટ 50% થી ઘટાડીને 40% કર્યો છે.

આ પણ વાંચો :-

દર્શકોનો ગુસ્સો જોઈ કરીના કપૂરે લીધો યુટર્ન, હવે કહ્યું પ્લીઝ આવું ના કરશો…

Seeing the anger of the audience

  • કરીના કપૂર ખાને હવે ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ને લઈને ખુલાસો કર્યો છે. તેમણે લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી છે. જ્યારે આ પહેલા અભિનેત્રીએ કંઈક બીજું કહ્યું હતું.

કરીના કપૂર (Kareena Kapoor) અને આમિર ખાનની (Aamir Khan) સૌથી મોટી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા‘ લોકોના નિશાના પર છે. ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. એક એવો ગ્રુપ છે જે સતત તેના બહિષ્કારની (Boycott) માંગ કરી રહ્યું છે અને બીજી બાજુ એવા લોકો છે જે તેને સારી ફિલ્મ તરીકે જોવાનું કહી રહ્યા છે. પરંતુ આમિર અને કરીના તેની વચ્ચે ફસાઈ ગયા છે.

આ પહેલા આમિર ખાને લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવા અને જોવા જવાની અપીલ કરી હતી. હવે કરીનાએ પણ આવું જ કંઈક કહ્યું છે અને લોકોને તેનો બહિષ્કાર ન કરવા કહ્યું છે. કરીના કપૂર ખાને પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા‘ને બોયકોટ કરનાર લોકોને અપીલ કરી છે અને તેમના જુના સ્ટેટમેન્ટની પાછળના ઈરાદા વિશે વાત કરી છે. આમિર ખાનની ફિલ્મ ગુરૂવારે રિલીઝ થઈ. તેમાં ક્રીટિક્સ અને દર્શકોના રિએક્શન મળ્યા છે.

કરીનાએ કરી સ્પષ્ટતા :

ફિલ્મની રિલીઝ પહેલા કરીના કપૂર ખાને બોલીવુડમાં ચાલી રહેલા બહિષ્કાર અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું કે દરેકનો અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ તેને લાગે છે કે એક સારી ફિલ્મ દરેક વસ્તુને વટાવી શકે છે. તેના શબ્દો પર લોકોના રિએક્શનને યાદ કરીને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીને એવા દાવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું કે તે દર્શકો માટે અપમાનજનક હોઈ શકે છે.

આ લોકો 1% જેટલા પણ નથી :

જ્યારે આરજે સિદ્ધાર્થ કન્નને કરીનાને પૂછ્યું કે શું લોકો તેના વિચારોને હળવાશથી લઈ રહ્યા છે?’ ત્યારે તેણે જવાબ આપ્યો, ‘મને લાગે છે કે તે ફક્ત કેટલાક લોકો છે જે ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ ખરેખર મને લાગે છે કે ફિલ્મને જે પ્રેમ મળી રહ્યો છે તે ઘણો અલગ છે. તે ફક્ત એવા લોકોનું જૂથ છે જે કદાચ તમારા સોશિયલ મીડિયા પર છે, જે કદાચ 1% જેટલા છે.’

સારી ફિલ્મને બૉયકોટ કેમ કરવી ?

તેણે આગળ કહ્યું, ‘પણ વાત એ છે કે તેઓએ આ ફિલ્મનો બહિષ્કાર ન કરવો જોઈએ. આ ખૂબ જ સુંદર ફિલ્મ છે અને હું ઈચ્છું છું કે લોકો મને અને આમિર ખાનને સ્ક્રીન પર જુએ. ત્રણ વર્ષ થઈ ગયા, અમે ખૂબ રાહ જોઈ. તેથી પ્લીઝ આ ફિલ્મને બોયકોટ ન કરશો, કારણ કે તે સારી ફિલ્મને બોયકોટ કરવા સમાન છે. લોકોએ આના પર કેટલી મહેનત કરી છે? આ ફિલ્મ પર અઢી વર્ષથી 250 લોકોએ કામ કર્યું છે.

લાલ સિંહ ચઢ્ઢા‘નું પરફોર્મન્સ  :

દરમિયાન લાલ સિંહ ચડ્ઢાએ બોક્સ ઓફિસ પર નિરાશાજનક કલેક્શન કર્યું હતું. તેણે તેના પહેલા દિવસે માત્ર 10 થી 11 કરોડની કમાણી કરી છે. કથિત રીતે લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ઉત્તર પ્રદેશ સહિત ભારતના ભાગોમાં પણ ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

પાકિસ્તાન ! હિન્દુ છોકરી કરીનાએ કોર્ટ સમક્ષ હૈવાનિયતનો અસલી ચહેરો ઉજાગર કર્યો, અપહરણ કરી બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા

Pakistan ! Hindu girl Kareena exposes true face

  • પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિન્દુ પરિવારો સાથે ભારે હૈવાનિયત આચરવામાં આવી રહી છે. ખાસ કરીને સગીર વયની દિકરીઓના અપહરણ કરીને તેમના સાથે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવામાં આવે છે.

પાકિસ્તાનના (Pakistan) દક્ષિણી સિંધ પ્રાંતમાં છ જૂને ઘરેથી અપહરણ કરાયેલી હિન્દુ કિશોરી કરીના (Hindu Kishori Kareena) કુમારીએ શુક્રવારે કોર્ટને પોતાના પર થયેલી હેવાનિયત વિશે જણાવ્યું હતું. તેણે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન (Conversion) કરાવી જૂન મહિનામાં મુસ્લિમ ખલીલ સાથે લગ્ન કરાવી દીધા. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક મહિલાઓ સાથે આવી હૈવાનિયત (Animal) હવે તો ત્યાં સામાન્ય બાબત થઈ ચુકી છે.

સિંધના ગ્રામિણ વિસ્તારમાં બેનઝીર શહીદાબાદમાં આવેલા ઘરેથી અપહરણ કરાયેલા કરીનાના પિતા સુંદર મલે તેને શોધવા માટે ઓફિસરો પાસે મદદ માગી. છોકરીને શોધ કરી તેને નવાબશાહની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમણે વીડિયોના માધ્યમથી આપેલા નિવેદનમાં કોર્ટ પાસેથી અપીલ કરી હતી કે, તેને તેના પિતા માટે મોકલવામાં આવે. તેને હાલમાં મહિલા કેન્દ્રમાં મોકલી દેવામાં આવી છે.

કરીનાના પિતા સુંદર મલે કોર્ટને કહ્યું કે, અમે લાચાર અને ગરીબ છીએ. અમારી પાસે કોર્ટ સુધી આવવા માટે બસના ભાડાના રૂપિયા પણ નથી. મારી દિકરીએ કોર્ટને સચ્ચાઈ જણાવી છે. તેને ઘરે મોકલી કોર્ટ અપહરણ કરી હેવાનિયત આચરનારા લોકો અને મારી છોકરીને વેચી દેનારા લોકોને સજા આપવી જોઈએ.

કરીનાના પિતાના વકીલ દિલીપ કુમાર મગલાનીએ કહ્યું કે, ધર્મ પરિવર્તન કરાવાના કારણે ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં હિન્દુ છોકરીઓે અને તેમના પરિવાર ખતરામાં છે. આપણે કોશિશ કરી શકીએ, પણ મોટા ભાગની અપહરણ કરાયેલ છોકરીએ સગીરવયની છે.

અપહરણકર્તાઓ કોર્ટમાં નકલી દસ્તાવેજો રજૂ કરી બાદમાં પોલીસ પણ મદદ નથી કરતી. આ છોકરીઓના માતા-પિતા પાસે પોતાની દિકરીની સાચી ઉંમર સાબિત કરવા માટે કોઈ પુરતા પ્રમાણપત્ર પણ હોતા નથી. પોલીસ પણ તેનો લાભ ઉઠાવે છે. માતા-પિતાને દિકરીને મળવા પણ દેવાતી નથી.

માર્ચમાં અપહરણ થયેલી ત્રણ હિન્દુ છોકરીઓનો કોઈ પત્તો નથી :

આ વર્ષે માર્ચમાં ત્રણ હિન્દુ છોકરીઓ સતરાન ઓડ, કવીતા ભીલ અને અનીતા ભીલનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું. આઠ દિવસની અંદર તેમના મુસ્લિમ વ્યક્તિઓ સાથે લગ્ન કરાવ્યા. ત્યાર બાદથી તેમનો કોઈ પત્તો નથી. રોહરીમાં 21 માર્ચે પૂજા કુમારીનું ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

એક પાકિસ્તાની વ્યક્તિ તેની સાથે લગ્ન કરવા માગતો હતો. થોડા દિવસ પહેલા આ વ્યક્તિએ બે સાથીઓની પૂજા પર ગોળી ચલાવી દીધી હતી. પૂજાના પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી, પણ આરોપીઓની ઉંચી પહોંચના કારણે સમાધાન કરાવી લીધું.

આ પણ વાંચો :-