Home Blog Page 1349

પાવાગઢના ઈતિહાસમાં પહેલીવાર નિજ મંદિરમાં લહેરાયો તિરંગો, આરતી બાદ કરાયું રાષ્ટ્રગાન

0

For the first time in the history

  • પાવાગઢ મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત કાલિકા માતાની મંદિરમાં આરતી બાદ  રાષ્ટ્રગાન કરાયુ હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંદિર ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત માઈ ભક્તોએ રાષ્ટ્રગાન કર્યું.

હાલ આખું દેશ દેશભક્તિના (Country Patriotism) રંગમાં રંગાયુ છે. હર ઘર તિરંગા અભિયાનમાં દરેક લોકો સામેલ થયા છે. આ અભિયાનમાં જોડાઈને ભારતની દરેક ઓફિસ, દરેક ઘર, વાહનો પર પણ તિરંગા લહેરાઈ રહ્યાં છે. ભારતીયો શાન અને ઉત્સાહથી તિરંગો લહેરાવી રહ્યાં છે. તો પછી મંદિરો અને ધર્મ સંસ્થાનો (Institute of Religion) કેમ તેમાંથી બાકાત રહે.

ધર્મ સંસ્થાનો પણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલા જોવા મળ્યાં. આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ ઇતિહાસમાં પ્રથમ વખત મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

પાવાગઢ ખાતે આ નજારો ખાસ બની રહ્યો. જ્યાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિનો સમન્વય જોવા મળ્યો. પાવાગઢ મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત કાલિકા માતાની મંદિરમાં આરતી બાદ  રાષ્ટ્રગાન કરાયુ હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંદિર ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત માઈ ભક્તોએ રાષ્ટ્રગાન કર્યું હતું.

નિજ મંદિરનું ગર્ભ ગૃહ રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠ્યુ હતું. માતાજીના ગર્ભ ગૃહમાં જ પહેલા આરતી કરાઈ હતી, અને બાદમાં રાષ્ટ્રગાન કરાયુ હતું. નિજ મંદિરમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. ભક્તોમાં પણ રાષ્ટ્રભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ક્ષણે ભારતને વિશ્વગુરુ બનાવવા માઇ ભક્તો દ્વારા પ્રાર્થના કરાઈ હતી. પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો. મંદિર ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણને વધાવી હતી. મા મહાકાળીના સાંનિધ્યમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું.

આ પણ વાંચો :-

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનો ફરી ભયાનક વરતારો : ઓગસ્ટ મહિનામાં શું આ જિલ્લાઓમાં પૂર આવશે ?

0

Meteorologist Ambalal Pate

  • ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યમાં આગામી 3 દિવસ યથાવત વરસાદી માહોલ (Rainy weather) રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. તો 15 અને 16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની (Heavy rain) સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાથી વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તો રાજ્યના બંદરો પર સિગ્નલ નંબર 1 લગાવવાયું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી :

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી 24 થી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને લઈને પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા હતા. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 13 જુલાઈ સુધી સારા વરસાદ થવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા હતા જે સચોટ સાબિત થયા છે.

અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદને લઈને ફરી એક આગાહી કરી છે. જેમાં વલસાડ, સુરતમાં સારા વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના આકરા એંધાણો વ્યક્ત કર્યા છે, એટલે અહીં ભારેથી અતિભારે વરસાદના કારણે ફરી પૂર આવે એવી સંભાવના જણાવી છે.

રાજ્યના ડેમની સ્થિતિ :

સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા. આ  સીઝનમાં પહેલીવાર ડેમના દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

ડેમ મહત્તમ જળસપાટીથી 5.17 મીટર દૂર છે. નર્મદા નદીમાં તબક્કાવાર 10 હજારથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાવામાં આવશે, જે પહેલા નર્મદા નદીના કાંઠા વિસ્તારના વડોદરાના 3 તાલુકા અને ભરૂચના કાંઠા વિસ્તારના લોકોને અલર્ટ પણ કરાયા છે.

આ પણ વાંચો :-

બેન તો આવી જ હોવી જોઈએ ! રક્ષાબંધનની ભેટ ન આપી તો નાની બહેને ભાઈને ઢીબી નાંખ્યો, VIDEO થયો વાયરલ

0

Ben should be like this

  • સોશિયલ મીડિયામાં એક ફની વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં નાની બહેન તેના મોટા ભાઈને મારી રહી છે. યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યાં છે.

રક્ષાબંધનના (Rakshabandhan) તહેવાર પર વાયરલ થયેલો આ વીડિયો ખૂબ ફની લાગી રહ્યો છે. અનેક લોકો આ વીડિયોને રક્ષાબંધનના તહેવાર સાથે જોડે છે. આ વીડિયોમાં તમે જોશો કે નાની બહેન તેના મોટા ભાઈને મારી રહી છે. સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયેલો વીડિયો ખૂબ ક્યુટ છે.

અત્યાર સુધી તમે ભાઈ-બહેનના પ્રેમના વીડિયો જોયા હશે. પરંતુ આ વીડિયોમાં ભાઈ-બહેનની એક અલગ સાઈડ જોવા મળી છે. તમે જોઇ શકો છો કે નાની બહેન કોઈ વાતને લઇને ભાઈ સાથે નારાજ થાય છે અને અચાનક તેને મારવા લાગે છે.

માર ખાધા બાદ ભાઈ રડવા લાગ્યો  :

આ વીડિયોમાં તમે બહેનની નિર્દોષતા અને મોટા ભાઈની સહનશક્તિને જોઇ શકો છો. નિર્દોષ બહેન ભાઈને મારી રહી છે, પરંતુ મોટો ભાઈ બહેનને કશુ બોલતો નથી અને મારી રહ્યો છે. આ હોય છે ભાઈ-બહેનનો પ્રેમ. જો કે, મારામારી બાદ ભાઈની આંખમાંથી આંસુ નિકળી ગયા અને તે રડવા લાગ્યો.

વાયરલ થયો વીડિયો :

આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 20 કલાક પહેલા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 1.40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

સવારે ભૂલથી પણ ખાલી પેટ ના ખાતા આ 3 વસ્તુઓ, નહીં તો સ્વાસ્થ્યને લઈને ગંભીર પરિણામ ભોગવું પડી શકે છે

0

Do not eat these 3 things on an empty stomach

  • સવારના નાસ્તાને દિવસનું મહત્વનું ભોજન માનવામાં આવે છે. જો ખાવામાં થોડી પણ ભૂલ થઈ જાય તો આખા દિવસના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

આપણે બધા જાણીએ છીએ કે ખોરાક આપણા સ્વાસ્થ્ય (Health) માટે કેટલો મહત્વપૂર્ણ છે. દરેક વસ્તુ ખાવા માટે એક ખાસ સમય હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો કેટલીક વસ્તુઓ ખાસ કરીને ખાલી પેટે (Empty stomach) લેવાની મનાઈ કરે છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને તમે સવારે ખાલી પેટ ખાઈ શકો છો.

આ સાથે જ એ પણ જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે ખાલી પેટ ન ખાવી જોઈએ. તેમાં એવી તમામ વસ્તુઓ આવે છે જે એસિડિક છે. ખાલી પેટે એસિડિક કંઈપણ ખાવાથી પેટ અને આંતરડા પર અસર થાય છે અને ઈન્ફેક્શનનો ખતરો રહે છે.

ખાલી પેટે આ વસ્તુઓનું કરો સેવન :

ઈંડા :

ઇંડા પ્રોટીનનો રિચ સોર્સ છે અને તે સવારનો પરફેક્ટ નાસ્તો છે. સવારે ઈંડા ખાવાથી તમારું પેટ દિવસભર ભરેલું રહે છે.અને તમને ઘણી એનર્જી પણ મળે છે.

પપૈયું :

પપૈયું એક સુપર ફૂડ છે. તમે તમારા નાસ્તામાં દરેક સિઝનમાં મળતા પપૈયાનો સમાવેશ કરી શકો છો. તે તમારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હૃદય રોગને વધતા અટકાવે છે.

પલાળેલી બદામ :

સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારે ખાલી પેટે 4 પલાળેલી બદામ ખાવી જોઈએ. જેના કારણે આપણને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6 એસિડથી ભરપૂર બદામને આખી રાત પલાળ્યા પછી સવારે ખાલી પેટે ખાવા જોઈએ. તે જ સમયે, ધ્યાનમાં રાખો કે બદામની છાલ ઉતાર્યા પછી, તેનું જ સેવન કરો.

ખાલી પેટે ક્યારેય ન ખાઓ આ વસ્તુઓ  :

ટામેટા  :

કાચા ટામેટાં ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ ખાલી પેટ કાચા ટામેટાં ખાવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. ટામેટાંના એસિડિક ગુણધર્મો પેટમાં હાજર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એસિડ સાથે પ્રતિક્રિયા કરીને જેલ બનાવે છે જે પેટમાં દુખાવો, મરોડ જેવી સમસ્યાઓનું કારણ બને છે. તેથી સવારે ખાલી પેટે તેનું સેવન કરવાનું ટાળો.

દહીં :

આમતો દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને ભૂખ્યા પેટે ન ખાવું જોઈએ. તેમાં લેક્ટિક એસિડ હોય છે. જેના કારણે સવારે દહીં ખાવાથી તમને બહુ ઓછા સ્વાસ્થ્ય લાભ મળે છે.

સોડા :

સોડામાં હાઈ ક્વોન્ટિટીની કાર્બોનેટ એસિડ હોય છે. જ્યારે આ વસ્તુ પેટમાં હાજર એસિડ સાથે ભળી જાય છે, ત્યારે તે પેટમાં દુખાવો જેવી સમસ્યાને જન્મ આપે છે. તેથી તેનું સવારે સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો :-

13 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ : સંકટ મોચન હનુમાન  આ ૭ રાશિના લોકો ઉપર થશે મહેરબાન, થશે ધનનો વરસાદ

13 August 2022, Today’s Horoscope Gujarat Guardian
મેષઃ
સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ, જંતુ કરડવાની શક્યતા છે.
વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા-નોકરી ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.
મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા- માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્યસારૂં, ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.
કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણો માંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.
સિંહઃ
સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ, પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.
કન્યાઃ
સરળ નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્ર‌િષ્ટ‌એ ફાયદો, કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્કિમ ઉન્નતિ અનુભવાય.
તુલાઃ
આળસ આવે કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જ‍ળવાય. ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય.
વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.
ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.
મકરઃ
આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.
કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃધ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.
મીનઃ
ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી શીખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

દુલ્હન હમ લે જાયેંગે ! 390 કરોડ જપ્ત કરવાનો મામલો, 260 જાનૈયાઓ, 120 ગાડીયો, લગ્નનું સ્ટીકર, આવી રીતે ફિલ્મ સ્ટાઇલમાં પાડ્યો દરોડા

0

We will take the bride

  • આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કોઈના લગ્નમાં જઈ રહ્યા હોય તેવો માહોલ ઉભો કરાયો હતો, તમામ વાહનોની ઓળખ માટે કોડ વર્ડ પણ મૂકવામાં આવ્યો હતો. કોડ વર્ડ હતો – દુલ્હન હમ લે જાયેંગે.

મહારાષ્ટ્રના (Maharashtra) જાલનામાં આવકવેરા વિભાગે (income tax raid) ફિલ્મી ઢબે મોટી કાર્યવાહી કરી છે. જેમાં 58 કરોડની રોકડ અને 32 કિલો સોનું મળી આવ્યું છે. આઈટીની ટીમે સ્ટીલ ઉત્પાદક કંપનીના (Steel Manufacturer Vibration) માલિકની ફેક્ટરી સાથે ઘર અને ઓફિસ પર દરોડા પાડીને 390 કરોડ જપ્ત કર્યા હતા. જાલનામાં (jalna) આવકવેરા વિભાગની ટીમે ફિલ્મ સ્ટાઈલમાં સ્ટીલના બિઝનેસમેનના (businessman) ઘરે રેડ કરી હતી.

આ રેડને દુલ્હન હમ લે જાયેંગે નામ આપવામાં આવ્યું હતું. કોઈને આ દરોડાની ગંધ ન આવે તે માટે આવકવેરાની ટીમે અનોખી પદ્ધતિ અપનાવી હતી. આઈટીની આખી ટીમ લગ્ન માટે જાન લઈને જતા મહેમાનોની જેમ રેડ કરવા પહોંચી હતી. વરરાજાની ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાહનો પર વર-વધૂના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. દરોડા માટે આઇટી ટીમના 260 અધિકારી અને કર્મચારીઓએ 120 વાહનોનો ઉપયોગ કર્યો હતો.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

Tata Punch : ટાટા પંચ બની ગ્રાહકોની પહેલી પસંદ, SUVએ બનાવ્યો નવો રેકોર્ડ

0

Tata Punch: Tata Punch became

  •  ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના મામલે આ કારને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે.

ટાટા મોટર્સે (Tata Motors) ગુરુવારે પૂણેમાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી પંચ (Tata Punch)કોમ્પેક્ટ એસયુવી (tata punch suv)નું 1,00,000મું યુનિટ લોન્ચ કર્યું છે. આ સાથે જ આ એસયુવી (SUV) માત્ર 10 મહિનાની અંદર જ આ સિદ્ધિ હાંસલ કરનારી દેશની સૌથી ઝડપી એસયુવી બની ગઈ છે. સેફ્ટી રેટિંગ (Safety Rating)માં ફાઈવ સ્ટાર રેટિંગ સાથે આવનારી આ એસયુવી માટે ગ્રાહકોની મજબૂત માંગને કારણે આ ઉપલબ્ધિ શક્ય બની છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ થયા પછી પંચ સતત દેશની ટોચની 10 સૌથી વધુ વેચાતી કારનો ભાગ રહી છે. આ વર્ષે જુલાઈમાં આ એસયુવીનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ 11,007 યુનિટનું રહ્યું હતું.

પંચ કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી વધુ વેચાતી એસયુવીમાંની એક છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ ગ્રાહકોનો મજબૂત પ્રતિસાદ દર્શાવે છે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

જાણો કેવા છે કારના ફીચર્સ – ટાટા પંચના ઇન્ટીરિયર અને ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. સ્ટીયરિંગ કંટ્રોલ, 366 લીટર બૂટ સ્પેસ, ફ્રન્ટ અને રિયર પાવર વિંડોઝ, એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ, ક્રૂઝ કંટ્રોલ, રિયલ ફ્લેટ સીટ, ફુલ ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ જેવા ફિચર્સ તમને આકર્ષિત લાગશે. ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના મામલે આ કારને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે.

ટાટા પંચના સેફ્ટી ફીચર્સ – ટાટા પંચને ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના મામલે ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. સેફ્ટીની વાત કરીએ તો આ કારમાં ડ્યુઅલ એરબેગ આપવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD)ની સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને કોર્નર સેફ્ટી કન્ટ્રોલ પણ હશે.

કિંમત – ટાટા પંચની કિંમતોની વાત કરીએ તો કંપનીએ તેની પ્રારંભિક કિંમત 5.93 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરી છે. આ કિંમતમાં પેટ્રોલ મેન્યુઅલ એન્જિન આપવામાં આવે છે. તેના ટોપ મોડલ ક્રિએટિવ (IRA પેક)ની કિંમત 9.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો :-

દેવનાથ બાપુને મળી જાનથી મારી નાખવાની  ધમકી, ‘પઠાણ’ ફિલ્મનો કર્યો હતો વિરોધ

0

Devnath Bapu received death

  • આમિર ખાન અને શાહરુખ ખાનની ફિલ્મનો વિરોધ કરનાર કચ્છના સંતને મળી ધમકી. રાપરના એકલધામના મહંત યોગી દેવનાથબાપુને હત્યાની મળી ધમકી.

કચ્છના (Kutch) સંતને ટ્વિટર પર સર કલમ (Sir Kalma) કરવાની ધમકી મળી છે. રાપરના સંત દેવનાથબાપુને સોશિયલ મીડિયામાં (Social media) સર કલમ કરતાં ફોટો સાથેની ટ્વિટ કરાઈ છે. સર કલમ કરતાં ફોટો સાથે એક વ્યક્તિએ ટ્વિટ કર્યુ છે. પઠાણ ફિલ્મના (Pathan movie) વિરોધમાં ટ્વિટ કર્યા બાદ તેમને આ ધમકી મળી છે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ના ટ્રેલરનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. ત્યારે આ ફિલ્મને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. હકીકતમાં કચ્છના સંત દેવનાથ બાપુએ ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યુ હતું. જે બાદ તેમને સોશિયલ મીડિયા પર સર કલમ કરી નાંખવાની ધમકી મળી છે.

No description available.

તેમને જે ટ્વિટર એકાઉન્ટ પરથી ધમકી મળી છે. તેમાં સર કલમ કરેલી તસવીર મૂકવામાં આવી છે. જેને ફોટોશોપ કરીને બનાવવામાં આવી છે, આ એક ધમકીના ભાગરૂપે મૂકાઈ છે. સંત દેવનાથ બાપુ રાપર એકલધામના સંત છે. સંત દેવનાથ ધમકીના પગલે પોલીસમાં ફરિયાદ કરશે.

શા કારણે થઇ રહ્યો છે ફિલ્મ પઠાણનો વિરોધ :

સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ના બહિષ્કારની માંગ વાસ્તવમાં બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલી છે. રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડમાં ફેલાયેલા કથિત ‘નેપોટિઝમ’ અથવા ભાઇ-ભત્રીજાવાદે સોશિયલ મીડિયા અને મીડિયા બંનેમાં ભારે હોબાળો મચાવ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા કલાકારો પર આકરા પ્રહારો કર્યા છે.

આ સંબંધમાં ‘પઠાણ’ના ટ્રેલરનો બહિષ્કાર કરવાની અપીલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે રાજપૂત આત્મહત્યા કેસ પછી જે રીતે ચાહકોમાં નેપોટિઝમ અથવા સ્ટાર કિડ્સની ફિલ્મો સામે ગુસ્સો જોવા મળ્યો છે, તેની ફિલ્મો પર મોટી અસર પડી રહી છે.

આ પણ વાંચો :-

સ્વતંત્રતા દિવસ 2022 : શું PM મોદી આ વખતે પણ લાલ કિલ્લા પર બુલેટપ્રૂફ બોક્સમાં ઉભા રહીને ભાષણ આપશે? આ તસવીરને લીધે ઊભાં થયા સવાલો 

0

Independence Day 2022: Will PM Modi deliver

  • લોકો સાથે સીધા જોડાવા માટે પીએમ મોદીએ વર્ષ 2014માં શપથ લીધા બાદ ક્યારેય બુલેટ પ્રૂફ બોક્સમાં ભાષણ આપ્યું ન હતું. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તમામ વડાપ્રધાનો બુલેટ પ્રુફ બોક્સમાં ભાષણો આપતા હતા. તે એક પરંપરા બની ગઈ હતી.

દેશ આઝાદીનો અમૃત ઉત્સવ (Amrit Utsav) મનાવી રહ્યો છે. બ્રિટિશ શાસનમાંથી (British rule) દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ વખતે પણ PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી દરેક વખતે બુલેટ પ્રુફ બોક્સ (Bullet proof box) વગર ભાષણ આપે છે. ભાષણ આપ્યા પછી તે પ્રોટોકોલ તોડે છે અને બાળકોને પણ મળે છે.

શું આ વખતે પરંપરા બદલાશે ?

નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન ઘણીવાર બુલેટ પ્રુફ બોક્સમાં ભાષણ આપતા હતા. પરંતુ પીએમ બન્યા પછી પીએમ મોદીએ કોઈપણ સુરક્ષા ચક્ર વિના ભાષણ આપવાની પરંપરા શરૂ કરી. પરંતુ શું આ વખતે કંઇક અલગ હશે ? શું PM મોદી બુલેટ પ્રૂફ બોક્સમાં ઉભા રહીને દેશને સંબોધિત કરશે ? એક તસવીર સામે આવ્યા બાદ આ અટકળો લગાવવામાં આવી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા આજે એક તસવીર જાહેર કરવામાં આવી છે. જેમાં કર્મચારીઓ લાલ કિલ્લાના કિલ્લા પર બુલેટ પ્રૂફ બોક્સ મૂકી રહ્યા છે. એટલા માટે એવી અટકળો ચાલી રહી છે કે શું પીએમ મોદી આ વખતે બુલેટ પ્રૂફ બોક્સમાં ભાષણ આપશે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

લોકો સાથે સીધા જોડાવા માટે પીએમ મોદીએ વર્ષ 2014માં શપથ લીધા બાદ ક્યારેય બુલેટ પ્રૂફ બોક્સમાં ભાષણ આપ્યું ન હતું. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તમામ વડાપ્રધાનો બુલેટ પ્રુફ બોક્સમાં ભાષણો આપતા હતા.

તે એક પરંપરા બની ગઈ હતી. 1985માં પ્રથમ વખત પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ બુલેટ પ્રુફ બોક્સમાં ઉભા રહીને ભાષણ આપ્યું હતું. વર્ષ 1990માં તત્કાલીન પીએમ વીપી સિંહે હાફ બોક્સની પસંદગી કરી હતી. પરંતુ ફરીથી પીવી નરસિમ્હા રાવ માટે સંપૂર્ણ બોક્સ પસંદ કર્યું.

આ વખતે સુરક્ષાની તૈયારીઓ આવી છે :

75માં સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટે લાલ કિલ્લાની સુરક્ષા 10000 પોલીસ કર્મચારીઓના હાથમાં રહેશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

આપ બાદ કોંગ્રેસ પણ જાહેરાતોની રેસમાં, ચૂંટણી પહેલા ખેડૂતો માટે કરી મફત વીજળીની ઘોષણા

0

After AAP, Congress too in the race

  • વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની મોટી જાહેરાત…કહ્યું  સરકાર બનશે તો ખેડૂતના 3 લાખ સુધીના દેવા માફ કરી 10 કલાક મફત વીજળી આપીશું..સિંચાઈ દરમાં 50 ટકાની રાહત મળશે..

ગુજરાતમાં (ગુજરાત) ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) માર્ગે ચાલતા કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. જોકે, કોંગ્રેસ (Congress) સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક ખેડૂતોને લઈને માર્યો છે. ખેડૂતોને (Farmers) રિઝવવા માટે કોંગ્રેસે ચૂંટણી પહેલાં મોટી જાહેરાત કરી છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો તમામ ખેડૂતોના વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે.

સાથે જ ખેડૂતોના સ્વ વીજવપરાશ અને વધારાની વીજળી વેચી શકે તે માટે સોલાર -વિન્ડ મિની ફાર્મિગ માટે માતબર સહાય કરવામાં આવશે. જો કોંગ્રેસની સરકાર બનશે તો તમામ પહેલી કેબિનેટમાં તમામ ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરી દેવામાં આવશે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીત એક્ટિવ થઈ છે, તે જોતા ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. બંને પક્ષોએ હવે ઘોડા દોડાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આપ બાદ ગુજરાત કોંગ્રેસે ખેડૂતો માટેના વચનો જાહેર કર્યાં છે. આ સાથે જ વિવાદ બાદ રાજનીતિમાંથી થોડા સમય ગાયબ રહેલા ભરતસિંહ સોલંકી ફરીથી એક્ટિવ થયા છે. તેમણે ખેડૂતલક્ષી અનેક જાહેરાતો કરી છે.

કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામા આવી કે, કોંગ્રેસ પક્ષની સરકાર તમામ ખેડૂતોને વીજળીનાં મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફ્રી વીજળી આપશે. ખેડૂતોને સ્‍વ વિજવપરાશ તથા વધારાની વીજળી વેચી શકે તે માટે ‘સોલાર-વીન્‍ડ મીની ફાર્મીંગ’ માટે માતબર સહાય કરાશે. કોંગ્રેસની સરકાર બનશેતો તમામ ખેડૂતોના રૂ. ૩ લાખ સુધીનાં દેવાં પ્રથમ કેબિનેટમાં જ માફ કરી દેશે.

આ પણ વાંચો :-