Home Blog Page 1347

આનંદો ! સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી

0

Enjoy! The water level of Sardar Sarovar

  • સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી (India@75) કરી રહ્યો છે ત્યારે કેવડીયા (Kavadia) ખાતેથી ગુજરાતીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન (Lifelike) સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની જળ સપાટી 135.29 મીટર પર પહોંચી છે. બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી 23 ગેટ ખોલી 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

વીજ મથક 24 કલાક કાર્યરત કરાતા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ રીતે ડેમમાંથી કુલ 1 લાખ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદી (Narmada River)માં છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા નદીના કાંઠાના ભરુચ, નર્મદા, વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ 1,82,900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ડેમની કુલ સપાટી 138.68 મીટર છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ :

સોમવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

વરસાદની આગાહી :

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :-

આ છે સુરતી !  યુવકે 2 લાખના ખર્ચે કારને તિરંગાથી રંગી, PM ને મળવા કાર લઈને દિલ્હી પહોંચ્યો

0

This is Surti! The youth painted the

  • હર ઘર તિરંગા અભિયાનથી હાલ આખો દેશ તિરંગાના રંગે રંગાયો છે. ઘર, ઓફિસ, ઈમારતો, વાહનો પર જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ચારે તરફ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. દેશભક્તિના રંગો ચોતરફ ફેલાયા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગાનું જશ્ન મનાવાઈ રહ્યું છે.

હર ઘર તિરંગા (Har ghar tiranga) અભિયાનથી હાલ આખો દેશ તિરંગાના રંગે રંગાયો છે. ઘર, ઓફિસ, ઈમારતો, વાહનો પર જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ચારે તરફ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. દેશભક્તિના રંગો ચોતરફ ફેલાયા છે. કાશ્મીરથી (Kashmir) લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગાનું જશ્ન મનાવાઈ રહ્યું છે.

ત્યારે ગુજરાતના એક યુવકે એવુ કર્યું કે તેની વાહવાહી ચારેતરફ થઈ. સુરતના એક યુવકે પોતાની કારને 2 લાખના ખર્ચે તિરંગાની થીમમાં રંગી નાંખી. એટલુ જ નહિ, આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો.

સુરતના યુવક સિદ્ધાર્થ દોશી પર દેશભક્તિનો રંગ એવો ચઢ્યો કે, જેના વિશે જાણીને તમને ગર્વ થશે. સિદ્ધાર્થ દોશીએ 2 લાખના ખર્ચે પોતાની કારને તિરંગના રંગે રંગી નાંખી. આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો, જ્યાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવા માંગે છે.

No description available.

સિદ્ધાર્થે દેશભક્તિ બતાવવા કાર પાછળ 2 લાખનો ખર્ચો કર્યો છે. તે જાતે કાર ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો છે. ત્યારે દિલ્હીમાં પહોંચેલી દેશભક્તિની ગાડી દિલ્હીવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. તો અનેક લોકોએ આ કાર સાથે સેલ્ફી લીધી.

દેશભક્તિ વિશે તે કહે છે કે, મારો હેતુ લોકોને હર ઘર તિરંગા અભિયાન હેઠળ જાગૃત કરવાનો છે, તેથી હું બે દિવસમાં ગાડી ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો. મને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને મળવાની ઈચ્છા છે. દિલ્હીના વિજય ચોકમાં કાર લઈને પહોંચેલા સિદ્ધાર્થે લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી. ત્યારે હવે સિદ્ધાર્થની આ દેશભક્તિ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે.

આ પણ વાંચો :-

વડોદરામાં યુવા પેઢીને ડ્રગ્સને રવાડે ચઢાવનાર કોણ ? MBA થયેલા કબીરખાનનું કારસ્તાન

Who introduced drugs to the young

  • વડોદરા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરતા કબીર ખાન પઠાણના નવાયાર્ડ સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડી તપાસ કરતા 4.37 ગ્રામ ચરસ અને થેલામાંથી 6.22 ગ્રામ એમ. ડી (મેથામ્ફેટામાઇન) ડ્રગ્સ મળી આવ્યું હતું.

હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે ગતરોજ મહારાજા સયાજીરાવ યુનિ (Maharaja Sayajirao Univ).ના વિદ્યાર્થીને પંકજ જયસ્વાલ અને તેના મિત્રો સયાજીગંજ (Sayajiganj) વિસ્તારમાં ઝંડા વહેંચી રહ્યાં હતા. આ દરમિયાન એક યુવકને તેમની સાથે માથાકુટ કરી ધમકાવવા માટે બંદુક જેવું હથિયાર બતાવતા ચકચારી મચી હતી.

જોકે આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતા યુવકની ઓળખ છતી થઇ અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે તેની અંગ ઝડતી કરતા તેના થેલામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતુ. જે અંગે પોલીસ પુછતાછ કરતા વડોદરાના મોટાભાગની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચઢાવનાર ચિંતન ઉર્ફે ચિન્ટુનું નામ સામે આવ્યું હતું.

વડોદરા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરતા કબીર ખાન પઠાણના નવાયાર્ડ સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડી તપાસ કરતા 4.37 ગ્રામ ચરસ અને થેલામાંથી 6.22 ગ્રામ એમ. ડી (મેથામ્ફેટામાઇન) ડ્રગ્સ મળી આવ્યું હતુ. કબીરખાન પાસેથી પોલીસને બંદુક જેવુ દેખાતુ લાઇટર પણ મળી આવ્યું હતું.

કબીર ખાન પાસેથી મળી આવેલુ MD DRUGS અને ચરસ અંગે એસ.ઓ.જી દ્વારા તેની પુછતાછ હાથ ધરવામાં આવી હતી. જે પુછતાછમાં માંજલપુર ખાતે રહેતા અને અગાઉ અનેક વખત ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા ચિંતન ઉર્ફે ચિન્ટુનુ નામ ખુલ્યું હતુ.

જેથી એસ.ઓ.જીની ટીમે ચિંતન ઉર્ફે ચિન્ટુના માંજલપુર યોગેશ્વર પાર્ક સ્થિત નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. જેમાં તેના નિવાસ સ્થાનેથી 40.87 ગ્રામ MD, પેન્ટઝોશીન ઇન્જેક્શન બોટલ નંગ 20 મળી કૂલ રૂ. 5 લાખથી વધુનુ ડ્રગ્સ મળી આવ્યું હતુ.

જેથી આ મામલે પોલીસે ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચિંતન ઉર્ફે ચિન્ટુ સામે અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરવાના મામલે ગુનાઓ નોંધાયેલા છે, અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. કહેવાય છે કે, ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલ એક સુખી સમ્પન્ન પરિવારમાંથી છે, તે પોતે પણ ડ્રગ્સનો આદી છે અને ત્યારબાદ રૂપિયા કમાવવા માટે તેને પોતાના અંગત મિત્રો અને ત્યારબાદ સંપર્કમાં આવતા શહેરના અનેક યુવાન-યુવતિઓને ડ્રગ્સના આદી બનાવી દીધા હતા.

ચિંતન ઉર્ફે ચિન્ટુ મુંબઇથી બિંદાસ્ત ડ્રગ્સ લાવી વડોદરામાં વેચતો હતો. અનેક વખત ડ્રગ્સના મામલામાં તેનુ નામ પણ ખુલ્યું હતુ. લાંબા સુધી અંડરગ્રાઉન્ડ રહ્યાં બાદ ફરી એક વખત હવે ચિંતન ઉર્ફે ચિન્ટુનુ ડ્રગ્સના મામલામાં નામ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરની દુમાડ ચોકડી પાસે સમા પોલીસે ત્રણ વર્ષ અગાઉ 95 ગ્રામના 5.70 લાખની કિંતમના મેથામ્ફેટામાઇ પાવડરના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યાં હતા. મુંબઇનો ડ્રગ ડિલર જફર અલીખાન દુમાડ ચોકડી સુધી આવીને બન્ને ડ્રગ્સ કેરીયરને નશીલો પાઉડર આપી ગયો હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે બન્નેની ધરપકડ કરી જફર અલીખાન અને ડ્રગ્સ મંગાવનાર માંજલપુરના ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ત્યારે મુંબઈના મકરાણી નામના સખ્સ પાસેથી દ્રગ્સ મંગાવતા હોવાની કબુલાત આરોપી કબીર ખાને કરી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

એશિયા કપ પહેલા જ પાક ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડીઓમાં અસંતોષ, આવું છે ક્યાં કારણ

0

Dissatisfaction among the senior

  • એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

28 ઓગસ્ટે બંને ટીમો એક બીજા સાથે ટકરાશે. જોકે તે પહેલા પાકિસ્તાની ક્રિકેટમાં (Pakistani cricket) ઉથલ પાથલ મચી છે. પાકિસ્તાનના બોર્ડે (Board of Pakistan) ખેલાડીઓ સાથે જે નવો કોન્ટ્રાક્ટ કર્યો છે તેને લઈને સિનિયર ખેલાડીઓએ વિરોધ શરુ કર્યો છે.

પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ (Babar Azam), શાહીન આફ્રિદી અને મહોમ્મદ રિઝવાન (Mohammed Rizwan) જેવા સ્ટાર ખેલાડીઓએ બોર્ડ સામે મોરચો ખોલ્યો છે અને કોન્ટ્રાક્ટમાં બદલાવ કરવાની માંગ કરી છે.

જોકે ખેલાડીઓએ કોન્ટ્રાક્ટ પર સહી એટલા માટે કરી છે કે, બોર્ડે તેમને એશિયા કપ બાદ આ મુદ્દે વાતચીત કરીને તેમાં ફેરફાર કરવાની ખાતરી આપી છે. ભારતની જેમ પાકિસ્તાન બોર્ડ પણ ખેલાડીઓ પાસે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાઈન કરાવે છે અને તેમાં અલગ અલગ ત્રણ કેટેગરી છે.આ વખતે બોર્ડે 33 કોન્ટ્રાક્ટનુ એલાન કર્યુ છે.

કોન્ટ્રાક્ટમાં જે શરતો મુકવામાં આવી છે તેમાં વિદેશી ટી-20 લીગમાં ભાગ નહીં લેવાની, આઈસીસી ઈવેન્ટસની તસવીરોના રાઈટ, આઈસીસીની ટુર્નામેન્ટની ફી, ખેલાડીઓના જાહેરાતના કોન્ટ્રાક્ટ જેવી બાબતો સામેલ છે.

જેના પર ઘણા ખેલાડીઓને વાંધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભલે કહી રહ્યુ હોય કે બધુ બરાબર છે પણ ખેલાડીઓ નાખુશ છે.જે પાક ટીમ માટે ચિંતાજનક છે.

પાક ક્રિકેટ બોર્ડ કોન્ટ્રાક્ટ અનુસાર ખેલાડીઓને એક ટેસ્ટ માટે આઠ લાખ, વન ડે માટે પાંચ લાખ અને ટી 20 માટે પોણા ચાર લાખ રુપિયા ચુકવે છે.

આ પણ વાંચો :-

ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIનો કેટલો પગાર વધ્યો ? આ રહ્યું સીધું ગણિત

0

How much salary increase

  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવ્યું હતું કે, તમારા સૌ માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સીએમે મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે.

ગ્રેડ પે (Grade Pay) આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જેના કારણે હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો (police officer) પગાર વધશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ નિર્ણય લીધો છે. ત્યારબાદ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પોલીસકર્મીના પગારમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેની વિગતવાર માહિતી આપી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવ્યું હતું કે તમારા સૌ માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સીએમે મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે.  દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે.

પોલીસ કર્મચારીઓના પગારમાં જાણો કેટલો વધારો કરાયો ?

– પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હવે 4 લાખ 16 હજાર થશે
– અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર હતો.
– હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,96,394 રૂ. કરાયો છે.
– જ્યારે ASIના પગાર વધારી 5,84,094 કરવામાં આવ્યો છે.

અગાઉ આટલો પગાર હતો :

– LRD અને ASIને હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા કરાયો.
– પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર 660 રૂપિયા હતો.
– પોલીસ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 16 હજાર 400 રૂપિયા કર્યો.
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 36 હજાર 654 રૂપિયા હતો.
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 95 હજાર 394 રૂપિયા થયો.

હવે આટલો પગાર વધ્યો :

– ફિક્સ પગાર LRD અને ASIનો 96 હજાર 150 રૂપિયા પગાર વધ્યો.
– LRD અને ASIનો માસિક પગાર 8 હજાર 12 રૂપિયા વધ્યો.
– પોલીસ કોન્સ્ટેબલનો પગાર 52 હજાર 740 રૂપિયા વધ્યો.
– પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4395 રૂપિયા વધ્યો.
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 58 હજાર 740 રૂપિયા વધ્યો.
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો માસિક પગાર 4895 રૂપિયા વધ્યો.

 LRD અને ASIનો આટલો પગાર વધ્યો :

ફિક્સ પગારમાં LRD અને ASIનો પગાર આટલો વધ્યો.
– 2 લાખ 51 હજાર 100 રૂપિયા પગાર હતો.
– હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા પગાર થયો.
– 20 હજાર 925 રૂપિયા ફિક્સ પગાર મળતો હતો.
– હવે 28 હજાર 937 રૂપિયા દર મહિને પગાર મળશે.
– વાર્ષિક 96150 તો માસિક 8012 રૂપિયા પગાર વધ્યો.

CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?

ગુજરાત સરકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું.

પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
 

Gujarat Corona Update : ગુજરાતમાં ફરી કોરોનાનાં કેસ વધ્યા, અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત

Gujarat Corona Update

  • ગુજરાતમાં નવા 599 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 737 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (Covid-19) સાજા થવાનો દર 98.81 ટકા નોંધાયો છે.

ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસના કેસ (coronavirus)માં સ્વતંત્રતા દિવસ પહેલા સામાન્ય વધારો નોંધાયો છે. આજે 14 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 599 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે.

બીજી તરફ 737 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.81 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 599 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 173 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10991 પર પહોંચી ગયો છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 173, મહેસાણા 60, વડોદરા કોર્પોરેશન 51, રાજકોટ કોર્પોરેશન 34, ગાંધીનગર 30, સુરત કોર્પોરેશન 23, વડોદરા 22, ગાંધીનગર કોર્પોરેશન 21, અમરેલી 17, સુરત 17, વલસાડ 17, કચ્છ 14, સાબરકાંઠા 14, પાટણ 11, પોરબંદર 10, ભરૂચ 9, રાજકોટ 9, અરવલ્લી 8, બનાસકાંઠા 8, આણંદ 6, મોરબી 6, નવસારી 6, દેવભૂમિ દ્વારકા 4, જામનગર કોર્પોરેશન 4, અમદાવાદ 3, દાહોદ 3, ગીર સોમનાથ 3, પંચમહાલ 3, તાપી 3, ભાવનગર કોર્પોરેશન 2, જામનગર 2, ખેડા 2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, છોટા ઉદેપુરમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4066 એક્ટીવ કેસ છે જે પૈકી 22 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 4044 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,60,396 પર પહોંચી ગયો છે.

ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10991 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 74,288 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,99,51,130 લોકોનું રસીકરણ થયું છે.

આ પણ વાંચો :-

લાંબુ-સ્વસ્થ આયુષ્ય આપનાર મૃત્યુંજય યજ્ઞ માત્ર આટલાં રૂપિયામાં થશે, એ પણ સોમનાથના સાનિધ્યમાં

0

The Mrityunjaya Yajna which

  • સોમનાથમાં ભકતો માત્ર 25 રૂપિયામાં કરી શકે છે મહામૃત્યુંજય યજ્ઞ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટની અનોખી સેવા.

આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા (Pilgrimage) અને યજ્ઞને પુણ્ય કર્મ કહેવામાં આવ્યુ છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે, અથવા સંપૂર્ણ તૈયારી સાથે વિવિધ પ્રકારના યજ્ઞોનું આયોજન કરે છે. પરંતુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં (First Jyotirlinga Somnath) હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાય છે, તે પણ માત્ર રૂ. 25ના ખર્ચે.

ધાર્મિક વિધિ વિધાન દ્વારા માત્ર 25 રૂપિયામાં રૂપિયામાં યજ્ઞ :

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ યજ્ઞ કરવાનું વિચારે છે ત્યારે એક કુશળ પુરોહિત, ઘણી બધી સામગ્રી, અને બીજી ઘણી બધી વ્યવસ્થા કરવાની જરૂર પડે છે. યજ્ઞ જેટલો મોટો તેટલી જ ભક્તોએ વધુ તૈયારીઓ કરવી પડશે.

પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ આ બધી તૈયારીઓ કરવા સક્ષમ હોય, આ વિચારને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે મહામૃત્યુંજય યજ્ઞની સેવા માત્ર 25 રૂપિયામાં આપવામાં આવી રહી છે.

શાસ્ત્રો કહે છે કે તીર્થસ્થાનમાં કરવામાં આવતી ભક્તિ અનેક ગણું વધુ પુણ્ય આપે છે. જ્યારે ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરની સામે બનાવવામાં આવેલ યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકે છે. સોમનાથ તીર્થના પૂજારીઓ યજ્ઞમાં યજમાનને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જોડે છે.

યજમાનને તલ વગેરે આહૂતિ દ્રવ્ય પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. સોમનાથ મંદિરની સામે આવેલી યજ્ઞશાળામાં ભક્તો મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપે છે. શાસ્ત્રો અનુસાર મહાદેવના સાનિધ્યમાં થઈ રહેલો આ મહામૃત્યુંજય યજ્ઞ ભક્તોને તેઓ રાજવી યજ્ઞ કરી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે.

શું છે મહામૃત્યુંજય યજ્ઞ પાછળની કથા :

શિવના ભક્ત ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે ઋષિ મૃકંડુને તેમની ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું, પરંતુ ઋષિ મૃકંડુને કહ્યું હતું કે, પુત્ર તેના માટે જન્મેલા અલ્પજીવી હશે. જ્યારે શિવની કૃપાથી ઋષિ મૃકંડુને પુત્રનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ કહ્યું કે, આ બાળકની ઉંમર માત્ર 16 વર્ષ હશે.

આ સાંભળીને ઋષિ મૃકંડુ ચિંતિત થઈ ગયા, ત્યારે તેમના પત્નીએ કહ્યું કે, જો મહાદેવની કૃપા હશે તો તેઓ આ વિધાનને પણ મુલત્વી રાખશે. ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કંડેય રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો. માર્કંડેય હંમેશા શિવની ભક્તિમાં લીન રેહતા. જ્યારે અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે ઋષિ મૃકંડુએ તેમના પુત્ર માર્કંડેયને તેમના ટૂંકા જીવન વિશે જણાવ્યું.

સાથે જ તેમણે કહ્યું કે જો શિવાજી ઈચ્છે તો તે મુલત્વી રાખશે. તેમના પ્રત્યેની માતા-પિતાની ચિંતા દૂર કરવા બાળ માર્કંડેયએ દીર્ઘાયુનું વરદાન મેળવવા માટે શિવજીની ઉપાસના શરૂ કરી, તેમજ આયુષ્યનું વરદાન મેળવવા માટે મહામૃત્યુંજય મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥ 

અને શિવ મંદિરમાં બેસીને આ મંત્રના અખંડ જપ કરવાનું શરૂ કર્યું. જ્યારે સમય પૂરો થયો ત્યારે યમદૂત માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા, પરંતુ તેમને શિવની તપસ્યામાં લીન જોઈને તેઓ પાછા યમરાજ પાસે આવ્યા અને આખી વાત કહી. પછી યમરાજ પોતે માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા, જ્યારે યમરાજે માર્કંડેય પર પોતાનો પાશ છોડ્યો ત્યારે બાળ માર્કંડેય શિવલિંગને ભેટી ગયા. આવી સ્થિતિમાં યમરાજનો પાશ શિવલિંગ પર પડ્યો.

પોતાના ભક્ત પર યમરાજના આક્રમણથી શિવ ખૂબ ગુસ્સે થયા. અને ભગવાન શિવ બાળ માર્કંડેયને યમરાજથી બચાવવા પ્રગટ થયા. યમરાજે તેમને વિધિના વિધાનની યાદ અપાવી, તો શિવજીએ માર્કંડેયને લાંબા આયુષ્યનું વરદાન આપીને વિધિના લેખ બદલી નાખ્યાં. આવી છે મહાદેવના મહામૃત્યુંજય મંત્રની શક્તિ છે, જેનો યજ્ઞ સોમનાથ ખાતે ભક્તો માટે શરૂ કરાયો છે.

સોમનાથ ભૂમિમાં મહામૃત્યુંજય યજ્ઞનું વિશેષ મહત્વ :

મહામૃત્યુંજય યજ્ઞ લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. ખાસ કરીને પ્રભાસ ભૂમિ પર સોમનાથ મહાદેવે ચંદ્રદેવનો ક્ષય રોગ પણ મટાડ્યો હતો. શ્રી કૃષ્ણ આ ભૂમિ પર તેમની છેલ્લી લીલા કરીને વૈકુંઠ ગયા હતા, ભગવાન પરશુરામે આ ભૂમિને પોતાના તપોબળથી પુણ્યશાળી બનાવી છે.

આવી સ્થિતિમાં સોમનાથ તીર્થમાં મહામૃત્યુંજય યજ્ઞ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં ભોલેનાથ ભક્તને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે છે.

આ પણ વાંચો :-

15 ઓગસ્ટ 2022, રાશિફળ : આ રાશિના જાતકોને મહિનાની શરૂઆતમાં આર્થિક સ્થિતિ રહેશે સારી

August 15, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પુરા થતા જણાય. ભાગ્ય સારું છે. માતૃપક્ષથી લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યને આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે અનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઈ-બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવા, અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવન સાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઈ-બહેનને વાઈરલ ઈન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાથી દુર રહેવું. પૈસા ફસાઈ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જુના ગુરુ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાબાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

કાયદાની વાત : શું પિતાના મૃત્યું બાદ પુત્રએ તેમનું દેવું ચૂકવવું જરૂરી છે ? શું કહે છે કાયદો ?

0

Legal matter: Is it necessary

  • સંવિધાનના આર્ટિકલ 52 અને 53 કહે છે કે, પિતા અથવા તેમના પણ પિતાના દેવાની ચૂકવણી તે જ વ્યક્તિ કરશે, જે તેમની સંપત્તિના ઉત્તરાધિકારી હશે. જાણકારો કહે છે કે દેવૂ ચૂકવવાની જવાબદારી ઉત્તરાધિકારી કોણ છે અને લોન કયા સ્વરૂપમાં તેના પર નિર્ભર કરે છે.

જ્યારે કોઇપણ વ્યક્તિનું મૃત્યું (Death of a person) થાય છે તો તેમના મોત બાદ પરિવારમાં પ્રોપર્ટીને લઇને ખૂબ વિવાદ થાય છે. ઘણીવાર પ્રોપર્ટી ન હોવાથી તે વ્યક્તિની લોન અને બેંક લોન (Bank loan) પર પણ વિવાદ થાય છે.

જોવા મળે છે જ્યારે પણ પ્રોપર્ટી લેવાની વાત હોય છે તો ઘણા બધા લોકો આગળ આવી જાય છે, પરંતુ જ્યારે લોન ચૂકવવાની હોય છે તો ઘણા લોકો પીછેહઠ કરી દે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આ જરૂરી છે કે પિતાના દેહાંત બાદ પુત્ર લોન ચૂકવે.

એવામાં આજે અમે તમને તેની સાથે જોડાયેલા નિયમો બતાવવા જઇ રહ્યા છે, જેથી તમે સમજી શકશો કે આખરે પિતાના મોત બાદ પુત્રની દેવૂ ચૂકવવાની જવાબદારી હોય છે અથવા પછી તે દેવૂ ચૂકવ્યા વિના પણ રહી શકે છે. તો આવો જાણીએ આ નિયમો સાથે જોડાયેલી દરેક વાતો..

શું કહે છે કાયદો ?

સંવિધાનના આર્ટિકલ 52 અને 53 કહે છે કે, પિતા અથવા તેમના પણ પિતાના દેવાની ચૂકવણી તે જ વ્યક્તિ કરશે, જે તેમની સંપત્તિના ઉત્તરાધિકારી હશે. જાણકારો કહે છે કે દેવૂ ચૂકવવાની જવાબદારી ઉત્તરાધિકારી કોણ છે અને લોન કયા સ્વરૂપમાં તેના પર નિર્ભર કરે છે. આ સાથે જ તેમાં ઘણા પ્રકારની શરતો જોવા મળે છે અને આ શરતોના આધારે નિર્ણય થાય છે. જેમ કે જે વ્યક્તિનું મૃત્યું થાય છે, તે વ્યક્તિ કો ધન-સંપત્તિ મુકીને ગયો છે કે નહી.

તો બીજી તરફ બાળકોની સંપત્તિ પોતાના દમ પર બનાવવામાં આવી છે તો સ્થિતિ અલગ હોઇ શકે છે. જો પૈતૃક સંપત્તિ છે તો સ્થિતિ અલગ હોય છે. આ સ્થિતિમાં જેટલી સંપત્તિના માલિક હશે, એટલા જ દેવાની જવાબદારી લેશે. જેમ કે માની લો કોઇ પરિવારમાં એક વ્યક્તિ સંપત્તિ ચાર લોકોમાં વહેંચાયેલી છે તો તેના પ્રમાણમાં દેવાની જવાબદારી રહેશે.

આ ઉપરાંત ઘણી વસ્તુઓ પણ જોવામાં આવે છે, જેમ કે બીજી કોઇ જવાબદારી તો નથી ને. પછી ઘણી પરિસ્થિતિઓ અને અન્ય કાયદાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. આ ઉપરાંત અલગ લોન પર પણ નિર્ભર કરે છે કે કોણ કોને ચૂકવશે ?

હોમલોનની સ્થિતિમાં ઉત્તરાધિકારીને સંપત્તિનો અધિકારી મળે છે, એવામાં તેને જ લોન ચૂકવવી પડશે.

કાર લોનની સ્થિતિમાં કાર વેચીને પૈસા લઇ શકે છે.

પર્સનલ લોનની સ્થિતિમાં બેક નોમિનીની જવાબદારી હોય છે અને ઇંશ્યોરન્સ છે તો અલગ વાત છે.

બિઝનેસ લોનની સ્થિતિમાં બેક નોમિનીની જવાબદારી હોય છે અને ઇંશ્યોરન્સ છે તો અલગ વાત છે.

ક્રેડિટ કાર્ડમાં પણ સંપત્તિ આધારે સંપત્તિના આધારે પૈસા વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો :-

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગુજરાતીઓએ લહેરાવ્યો તિરંગો, કીર્તિદાનના તાલે ગરબે પણ ઝૂમ્યા

Gujarati people hoisted the tricolor

  • ઓસ્ટ્રેલિયાના પર્થમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનો નવરાત્રિ ઉત્સવ ઉજવાયો હતો. ગુજરાતીઓએ ‘દિલ દિયા હૈ, જાન ભી દેંગે, એ વતન તેરે લિયે…’ જેવા દેશભક્તિના ગીતો પર ગરબા કર્યાં

જ્યાં જ્યાં વિદેશમાં ભારતીય વસ્યા છે, તેઓએ દિલમાં રાષ્ટ્રભક્તિની (Nationalism) ભાવના હંમેશા જગાવીને રાખી છે. તેમાં પણ ગુજરાતીઓ જ્યાં વસે ત્યાં નવરાત્રિ ભૂલતા નથી. આવામાં ઓસ્ટ્રેલિયાની (Australia) ધરતી પર વસતા ગુજરાતીઓએ એક બાજુ ગરબાની રમઝટ બોલાવી, તો બીજી બાજુ રાષ્ટ્રભક્તિ બતાવી.

ત્યાં રહેતા ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો. દરિયાપારના દેશમાં ગુજરાતીઓએ તિરંગો લહેરાવ્યો. તો સાથે જ લોકગાયક કીર્તિદાન ગઢવીના તાલે ગરબા કર્યાં.

ઓસ્ટ્રેલિયાના પર્થમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનો નવરાત્રિ ઉત્સવ ઉજવાયો હતો. જ્યાં ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં નવરાત્રિ માણવા અને ગરબાના તાલે રમવા પહોંચી ગયા હતા.

Somnath – તિરંગાની છાયામાં ભવ્ય સોમનાથ મંદિર ..

જોકે, અહીં દાંડિયા રાસની સાથે તિરંગો પણ જોવા મળ્યો. અહીં ગુજરાતીઓએ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો. કીર્તિદાન ગઢવીના સૂર સાથે રાષ્ટ્રપ્રેમમાં સૌ મુગ્ધ બન્યા.

‘દિલ દિયા હૈ, જાન ભી દેંગે, એ વતન તેરે લિયે…’ જેવા દેશભક્તિના ગીતો કાર્યક્રમમાં રેલાયા. તો દેશભક્તિના સૂર સાથે ગુજરાતીઓએ ગરબા લીધા. કીર્તિદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં પ્રિ નવરાત્રિ મહોત્સવનો આઝાદીના અમૃત મહોત્સવથી પ્રારંભ કર્યો.

પર્થની ધરતી પર આન બાન શાન સાથે તિરંગો લહેરાવાયો. તો ભારત માતાના જયઘોષ ગુંજી ઉઠ્યા. કીર્તિદાન ગઢવીના સૂર સાથે સૌ વતનપ્રેમ અને દેશપ્રેમમાં તરબોળ થયા.

આ પણ વાંચો :-