Gujarat Corona Update : ગુજરાતમાં ફરી કોરોનાનાં કેસ વધ્યા, અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત

Share this story

Gujarat Corona Update

  • ગુજરાતમાં નવા 599 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 737 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (Covid-19) સાજા થવાનો દર 98.81 ટકા નોંધાયો છે.

ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસના કેસ (coronavirus)માં સ્વતંત્રતા દિવસ પહેલા સામાન્ય વધારો નોંધાયો છે. આજે 14 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 599 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે.

બીજી તરફ 737 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.81 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 599 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 173 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10991 પર પહોંચી ગયો છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 173, મહેસાણા 60, વડોદરા કોર્પોરેશન 51, રાજકોટ કોર્પોરેશન 34, ગાંધીનગર 30, સુરત કોર્પોરેશન 23, વડોદરા 22, ગાંધીનગર કોર્પોરેશન 21, અમરેલી 17, સુરત 17, વલસાડ 17, કચ્છ 14, સાબરકાંઠા 14, પાટણ 11, પોરબંદર 10, ભરૂચ 9, રાજકોટ 9, અરવલ્લી 8, બનાસકાંઠા 8, આણંદ 6, મોરબી 6, નવસારી 6, દેવભૂમિ દ્વારકા 4, જામનગર કોર્પોરેશન 4, અમદાવાદ 3, દાહોદ 3, ગીર સોમનાથ 3, પંચમહાલ 3, તાપી 3, ભાવનગર કોર્પોરેશન 2, જામનગર 2, ખેડા 2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, છોટા ઉદેપુરમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4066 એક્ટીવ કેસ છે જે પૈકી 22 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 4044 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,60,396 પર પહોંચી ગયો છે.

ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10991 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 74,288 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,99,51,130 લોકોનું રસીકરણ થયું છે.

આ પણ વાંચો :-