Home Blog Page 1287

લાંબી બીમારી બાદ સપા નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન, પરિવાર શોકમગ્ન

0

SP leader Mulayam Singh Yadav passes

  • ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમ સિંહ યાદવનું 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થતા શોક વ્યાપ્યો હતો.

દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના (Netaji’s) હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું (Former UP CM Mulayam Singh Yadav) અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે.

મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની (Gurugram) જાણીતી મેદાંતા હોસ્પિટલમાં (Medanta Hospital) અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામા તકલીફ અને બીજી બીમારીઓને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ :

સપા નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત દુ:ખ વ્યક્ત કર્યું હતું. ટ્વીટર પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તેઓ કટોકટી દરમિયાન લોકતંત્રના એક મુખ્ય સૈનિક રહ્યા.  (In a post on Twitter, he said that Mulayam Singh Yadav has created a distinct identity for himself in Uttar Pradesh and national politics. He remained one of the main stalwarts of democracy during the crisis.)

ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ

મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગર સિંહ યાદવ હતું કે જેઓ ખેડૂત હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરી સીટ પરથી લોકસભાના સાંસદ હતા.

ઉત્તર પ્રદેશની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ બંનેમાં મુલાયમ સિંહ યાદવની ગણતરી અગ્રણી નેતાઓમાં થતી. તેઓ ત્રણ વખત યુપીના સીએમ રહી ચૂક્યાં છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. આ સિવાય મુલાયમ સિંહ 8 વખત ધારાસભ્ય અને 7 વખત લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા છે.

મુલાયમ સિંહ યાદવે બે વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ માલતી દેવી હતું કે જેનું મે 2003માં અવસાન થયું હતું. તેઓ અખિલેશ યાદવના માતા હતા. મુલાયમ સિંહ યાદવે બીજી વાર સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. મુલાયમ સિંહ યાદવ અને સાધનાના પુત્રનું નામ પ્રતીક યાદવ છે. તાજેતરમાં જ સાધના યાદવનું અવસાન થયું હતું.

આ પણ વાંચો :-

 

ઓ માય ગોડ ! ટોયલેટમાં મગરની ગુડ મોર્નિંગ, સોજિત્રામાં ટોયલેટમાં 6 ફૂટ લાંબો મગર ઘૂસ્યો

0

Good morning crocodile in toilet

  • આણંદના સોજિત્રાના ખારાકુવા વિસ્તારમાં એક ઘરમાં લગભગ 6 ફૂટ લાંબો મગર રવિવારે સવારે ટોયલેટમાંથી મળ્યો. મગરમચ્છે સવાર સવારમાં ટોયલેટ પર કબજો જમાવી લેતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે સવારે ટોયલેટ જાવ અને તમારા સ્વાગત માટે ટોયલેટમાં ક્રોકોડાઇલ (Crocodile) હાજર હોય. આ પ્રકારની ઘટના ગુજરાતના આણંદથી પ્રકાશમાં આવી છે. આણંદના સોજિત્રાના (Anandana Sojitra) ખારાકુવા વિસ્તારમાં એક ઘરમાં લગભગ 6 ફૂટ લાંબો મગર રવિવારે સવારે ટોયલેટમાંથી મળ્યો. મગરમચ્છે સવાર સવારમાં ટોયલેટ (The Toilet) પર કબજો જમાવી લેતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉદયસિંહ રાઠોડના સ્વામિત્વવાળા ઘરના લોકો પાસે મગરના નિકળવા સુધી કોઇ વિકલ્પ નથી.

મગરની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ઉત્સુક ગ્રામજનો ભેગા થઇ ગયા હતા. ખોડિયાર માતાના મંદિર પાસે આ ઘર સ્થિત છે. રસપ્રદ વાત એ છે કે મગરમચ્છ ખોડિયાર માતાનું વાહન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મગરમચ્છનું ખુલ્લેઆમ આવવું કોઇ નવી વાત નથી. ગત વર્ષે પણ આ મંદિરમાં ઘૂસ્યો હતો જ્યાંથી રેસ્ક્યૂ કરી તેને તેના વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

ભીખાભાઇ રાઠોડે કહ્યું કે વંદેવાડ તળાવ, જે અમારા ઘરની પાછળ છે. તેમાં સુરક્ષા માટે દિવાલ બનાવવામાં આવી નથી. આ મગરો મોટી વસ્તી માટે જાણિતું છે. એટલા માટે અવાર નવાર મગર તળવમાંથી નિકળીને ગામમાં ઘૂસી જાય છે. પછી મલતાજ ગામમાંથી વન વિભાગની ટીમ મગરમચ્છને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.  (That’s why the Avar Navar comes out of the crocodile pond and enters the village. Then a forest department team from Maltaj village reached the spot to save the crocodile.)

અત્રે ઉલ્લેખનીય છે કે મલતાજ ગામમાં પણ એક વેટલેંડ છે જે પોતાના સ્વસ્થ મગરની વસ્તી માટે જાણિતું છે. ટીમે મગરને પકડવા માટ એક પીંજરું રાખવામાં આવ્યું જેને દોરડાની મદદથી અંદર ખેંચીને પકડી લેવામાં આવ્યો. વન વિભાગના એક અધિકારીએ કહ્યું કે સ્થાનિક લોકો દ્વારા સૂચિત કર્યા બાદ અમે મગરમચ્છને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી. અમે મગરમચ્છને બચાવી લીધો અને તેની સ્થિતિની તપાસ કર્યા બાદ તેને પ્રાકૃતિક ઘરમાં છોડવામાં આવશે.

આ પણ વાંચો :-

બાપ રે ! તમારા ઘરે આવતું ઘી નકલી તો નથી ને? રાજકોટમાંથી એક-બે નહીં પણ 13 લાખનું ભેળસેળિયું ઘી ઝડપાયું, જાણો કેવી રીતે ચાલતો હતો કાળો કારોબાર

Father! The ghee that comes to your home is

  • રાજકોટમાં ભેળસેળ યુક્ત ઘી વેચતા હોવાની બાતમી મળતા મનપાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડવામાં આવ્યાં.

રાજ્યમાં અવારનવાર વિવિધ શહેરોમાં ખાદ્ય પદાર્થ પર ભેળસેળ વાળા કિસ્સાઓ (Confused cases) સામે આવતા હોય છે. તહેવાર આવે એટલે ભેળસેળિયાઓ સક્રિય થઇ જાય. ખિસ્સા ભરવાની લ્હાયમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા સહેજ પણ ખચકાતા નથી.  ત્યારે રાજકોટ મનપાના (Rajkot Municipality) ફૂડ વિભાગે આ તકનો લાભ લઇને ખોરાકમાં ભેળસેળ કરીને લોકોને છેતરનારા (Cheaters) સામે લાલ આંખ કરી છે.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજકોટના તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડતા 13 લાખનું ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે. તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીનના કારખાનામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે 2021માં પણ મનપાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ જ કારખાનામાંથી ભેળસેળયુક્ત ઘી ઝડપ્યું હતું. (The Food and Drug Department raided the factory of Krishna Fat and Protein in Targhadi Industrial Park. It is important that even in 2021, the food and drug department of the municipality seized adulterated ghee from the same factor)

મહિના અગાઉ શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં પાડ્યા હતા દરોડા 

ઉલ્લેખનીય છે કે હજુ તો એકાદ મહિના અગાઉ જ રાજકોટ ફૂડ વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં દરોડા પાડ્યા હતા. ભેળસેળ યુક્ત ઘી વેચતા હોવાની બાતમીને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. દિવાબત્તીમાં વપરાશ કરવાના નામે ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ થતું હતું.  આથી ફૂડ વિભાગ દ્વારા ઘીનું સેમ્પલ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

રાજકોટ સિટીના પોલીસ સ્ટાફ સાથે ન્યુ સોમનાથ ઇન્ડ. એરીયા, શેરી નં.-૨, કોઠારીયા, રાજકોટ મુકામે આવેલ શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં દિવાબત્તીમાં વપરાશ કરવાના ઓથા હેઠળ ભેળસેળ યુક્ત ઘી તરીકે વેચાણ કરતા હોવાની શંકાના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સુરતમાં પણ બે દિવસ અગાઉ દરોડા પાડવામાં આવ્યા :

આ સિવાય તાજેતરમાં જ આગામી તહેવારોને ધ્યાને રાખતા સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુની દુકાન અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં મીઠાઈની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ લેવાયા હતા. અગાઉ મીઠાઇની 19 દુકાનોમાંથી સેમ્પલ લેવાયા હતા. ચંદી પડવાના દિવસે શહેરમાં મોટા પ્રમાણમાં ઘારીનું વેચાણ થતું હોય છે આથી શહેરમાં બે દિવસ અગાઉ અને મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

10 ઓક્ટોબર 2022 રાશિફળ : સોમવાર પવિત્ર દિવસે આ રાશિના લોકોના જીવનમાં સૂર્યદેવની કૃપાથી ઉજાસ પથરાશે

10 October 2022 Horoscope : Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રા‌િપ્‍ત અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃ પક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારું. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારું રહે. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ‌ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી, કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભઅયો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ તથા હાડકાં દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિકઃ
આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઈ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ
નાણાંકીય આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારું. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય. પરિણામે યશ-પ્રતિષ્‍ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ
મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધન પ્રા‌િપ્‍તના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના, ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

દેશ-વિદેશમાં આ ફળની છે જબરદસ્ત ડિમાન્ડ, તેની ખેતી કરવાથી થશે અઢળક કમાણી

0

There is a huge demand for this fruit in

  • આજકાલ તો ભણેલા ગણેલા લોકો પણ ખેતી તરફ આકર્ષાય છે અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધરખમ કમાણી કરે છે. ભારત આમ પણ કૃષિ પ્રધાન દેશ છે. હજુ પણ મોટા ભાગનો હિસ્સો ખેતી પર નિર્ભર છે. આવામાં તમે પણ ખેતી દ્વારા મોટી કમાણી કરી શકો છે.  (A large portion is still dependent on agriculture. In this way you can also earn big through farming)

આજકાલ તો ભણેલા ગણેલા લોકો (Educated people) પણ ખેતી તરફ આકર્ષાય છે અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધરખમ કમાણી કરે છે. ભારત આમ પણ કૃષિ પ્રધાન દેશ (Minister of Agriculture Desh) છે. હજુ પણ મોટા ભાગનો હિસ્સો ખેતી પર નિર્ભર છે. આવામાં તમે પણ ખેતી દ્વારા મોટી કમાણી કરી શકો છે. અહીં અમે આજે એવા જ એક કમાણીના તરીકા પર વાત કરીશું જેમાં ખેતી દ્વારા તમે પણ આકર્ષક કમાણી કરી શકો.

કિન્નું એક (Kinnuṁ) એવું ફળ છે જેની વિદેશમાં ખુબ માંગણી છે. આ ફળથી તમે બંપર કમાણી કરી શકો છો. ભારતના લગભગ તમામ ક્ષેત્રોમાં કિન્નુની ખેતી સરળતાથી થઈ શકે છે. કિન્નુ ફળમાં વિટામિન સી પ્રચુર પ્રમાણમાં હોય છે. તે ખાટા અને મીઠા ફળોનો સંતુલિત આહાર છે. તેના સેવનથી શરીરમાં લોહી વધે છે અને હાડકા મજબૂત થાય છે. આ સાથે જ કિન્નુ ખાવાથી પાચન શક્તિ સારી થાય છે. તે લીંબુના વર્ગનું ફળ છે. જેમાં સંતરા, લીંબુ અને કિન્નુ જેવા ફળ સામેલ છે.

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર ! આમ આદમી પાર્ટી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો , જુઓ સંપૂર્ણ વિડીયો

કિન્નુ પંજાબનો પ્રમુખ પાક છે. ભારતમાં તેની ખેતી હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા, જમ્મુ કશ્મીર રાજ્યોમાં થાય છે. કિન્નુની ખેતી સમગ્ર ઉત્તર ભારતમાં થાય છે. કિન્નુના ફળમાંથી રસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. જેની બજારમાં ખુબ ડિમાન્ડ હોય છે. આવામાં કિન્નુ ફળે બજારમાં પોતાની એક આગવી ઓળખ પણ બનાવી લીધી છે.

કેવી રીતે કરાય કિન્નુની ખેતી :

કિન્નુની ખેતી અનેક પ્રકારની જમીનમાં થઈ શકે છે. ચીકણી જમીન કે તેજાબી જમીન…કિન્નીની ખેતી સરળતાથી થઈ શકે છે. તેની ખેતી માટે જમીન એવી હોવી જોઈએ જેથી કરીને પાણી સરળતાથી બહાર નીકળી શકે. છોડના સારા વિકાસ માટે 5.5 થી 7.5 વચ્ચે pH વેલ્યૂવાળી જમીન હોવી જોઈએ.

કિન્નુની ખેતી કરવા માટે 13 ડિગ્રીથી 37 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનની જરૂર હોય છે. જ્યારે વરસાદની વાત કરીએ તો 300-400 મિલિમીટર સુધીનો વરસાદ સારા પાક માટે પૂરતો છે. પાક માટે હાર્વેસ્ટિંગ ટેમ્પ્રેચર 20-32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ.

કિન્નુના છોડ પર  લાગેલા ફળોનો રંગ જ્યારે આકર્ષક દેખાય ત્યારે તેને તરત તોડી ન લેવા. છોડ પરથી ફળ જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે ઉતારવા જોઈએ. ખેતરમાંતી આ ફળોને તોડવા માટે તમારે ડાંડીની જરૂર પડશે. આ ઉપરાંત કાતરની મદદથી પણ ફળ ઉતારી શકો છો. પાક ઉતારી લીધા બાદ તેને સારી રીતે ધોઈ લેવો જોઈએ અને છાયામાં સૂકવી દેવો જોઈએ.

કિન્નુના ઝાડ પરથી લગભગ 80થી 150 કિલો સુધી ફળ મળી શકે છે. કિન્નુના પાકને ગમે ત્યાં વેચી શકાય છે. પરંતુ બેંગ્લુરુ, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી, પંજાબ જેવા સ્થળોએ તેનું ખુબ વેચાણ થાય છે. એટલું જ નહીં શ્રીલંકા, સાઉદી અરબમાં પણ કિન્નુનું ખુબ વેચાણ થાય છે.

આ પણ વાંચો :-

09 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકોને કષ્ટભંજન દેવની કૃપાથી ધંધામાં મળશે પ્રગતિ, દરેક મનોકામના થશે પૂરી

09 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ
નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

મિથુનઃ
સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબુત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ
નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આધ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષ થી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ
માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધીચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
બુધ્ધિથી કાર્યસફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.

તુલાઃ
અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ
આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ. સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂ.

ધનઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ
માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. પોતાની વાત જ સાચી, બીજા બધાં ખોટા એવું વર્તન થતું જણાય. આર્થિક પાસુ મજબુત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મીનઃ
અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો :-

રવીના ટંડનની દીકરી રાશાને જોઈ દંગ રહી જશો, સુંદરતામાં માતાને પણ આપે છે માત, જુઓ વાયરલ તસ્વીરો

You will be amazed to see Raveena

  • રવિના ટંડનની દીકરી રાશા દેખાવમાં તેની માતા કરતાં વધુ સુંદર છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આવું કહે છે.  (Raveena Tandon’s daughter Rasha looks more beautiful than her mother. We are not saying this but many social media users are saying so.)

રવિના ટંડને (Raveena Tand) હવે તેની પુત્રી સાથેની એક તસ્વીર શેર કરી છે. જેમાં મા-દીકરી (mother-daughter) બંને બ્લેક આઉટફિટમાં પોઝ આપતાં જોઈ શકાય છે. રાશા માં સાથે મિરર સેલ્ફી (Mirror Selfie) લેતી જોવા મળી રહી છે. બંનેએ એક જ રંગના કપડા પણ પહેર્યા છે અને બંને ખૂબ જ સુંદર પણ લાગી રહ્યા છે.

રવીના ટંડન અને રાશા વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે :

ખાસ વાત એ છે કે રવીના ટંડન અને રાશા વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. તસ્વીરો શેર કરતા રવિના ટંડને લખ્યું, ‘ટ્વીનિંગ ટીમ રાશા થડાની અને હું.’ રવિના ટંડનની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. તેને 1 કલાકમાં 22000થી વધુ લાઈક્સ મળી છે.

જ્યારે આના પર 200થી વધુ કોમેન્ટ્સ કરવામાં આવી છે. ઘણા લોકોએ તસ્વીરો પર ઈમોજી શેર કર્યા છે. તો કેટલાક લોકોએ ‘વાહ સુંદર.’, ‘તમે બંને સારા લાગો છો.’ , ‘જોરદાર.’, ‘ફેબ્યુલસ.’ જેવી કોમેન્ટ્સ કરી છે.

રવિના ટંડને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે :

ઉલ્લેખનીય છે કે રવિના ટંડને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે. રવિના ટંડન અવારનવાર પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. જેને લઈને ફેન્સ પણ ઘણા ઉત્સાહિત રહે છે.

રવિના ટંડનની પુત્રી રાશા ફિલ્મોમાં દેખાઈ શકે છે :

રવિના ટંડનની પુત્રી રાશા હાલ અભ્યાસ કરી રહી છે અને તે ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળી શકે છે. જોકે, તેણે આ વાતની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો :-

સાડીમાં જ કબડ્ડી…કબડ્ડી… દેશી ઓલિમ્પિક્સમાં મહિલાઓનો જોશ તો જુઓ, વીડિયો જબરો વાયરલ

0

Kabaddi in sarees… Kabaddi… Watch the

  • મહિલાઓ કબડ્ડી રમી રહી હોય તેવો વીડિયો ટ્વિટર પર આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે. (IAS officer Avnish Sharan has shared a video of women playing Kabaddi on Twitter. The video has been viewed by millions of people.)

છત્તીસગઢમાં (Chhattisgarh) ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે (Bhupesh Baghele) છત્તીસગઢ ઓલિમ્પિકનુ ઉદ્ઘાટન કર્યુ. આ દરમ્યાન તેમણે જાતે પણ ભૌંરા, બાટી અને પિટ્ઠુલ જેવી રમતમાં હાથ અજમાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.

આ રમતમાં કબડ્ડીનો (Kabaddi) પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. જેમાં મહિલાઓ શાનદાર રીતે કબડ્ડી રમી રહી છે.

વીડિયો થયો વાયરલ  :

અવનીશ શરણે વીડિયો શેર કરીને લખ્યું, આપણે કોઈનાથી ઓછા શક્તિશાળી છીએ શું… છત્તીસગઢીયા ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી 51 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 35 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે મોટી સંખ્યામાં યુઝર્સે શેર પણ કર્યો છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે મહિલાઓ સાડી પહેરીને કબડ્ડી રમી રહી છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો મહિલાઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે. વિચારવા જેવી વાત એ છે કે કબડ્ડી જેવી રમત રમતી સમયે પણ મહિલાઓએ પોતાના માથે સાડીનો એક છેડો ઓઢીને રાખ્યો હતો.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધી નહીં આ વ્યક્તિના હાથમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન, યુપીમાં નિભાવી હતી જવાબદારી

0

In the hands of this person, not Rahul Gandhi

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં સોંપવમાં આવી છે. (When the Gujarat assembly elections are looming, this time the Congress election campaign in Gujarat has been handed over to Priyanka Gandhi.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સહિતના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં (Gujarat) મુલાકાત વધી રહી છે. આગામી 9 ઓક્ટોબરના રોજ PM મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

ભાજપની સાથે-સાથે કોંગ્રેસ પણ આગામી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ચૂકી છે. ત્યારે હાલ કોંગ્રેસના (Congress) ચૂંટણી પ્રચારને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) બદલે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ચૂંટણી પ્રચાર કરશે.

પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે :

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારતો જોડો યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રા પર તેઓ અત્યાર સુધીમાં લગભગ 700 કિલોમીટર સુધીનો સફર કરી ચૂક્યા છે અને આ યાત્રા કર્ણાટકમાં પહોંચી છે. આવનારા દિવસોમાં આ યાત્રા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પસાર થશે.

તો આ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ બંને રાજ્યોમાંથી તેઓ દૂર કેમ રહેશે. જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે આ ચિંતાનું સમાધાન કદાચ કોંગ્રેસે શોધી કાઢ્યું છે. રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર ! આમ આદમી પાર્ટી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો , જુઓ સંપૂર્ણ વિડીયો

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ છોડી રહ્યા છે પાર્ટીનો સાથ :

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે પ્રિયંકા ગાંધી રાજ્યમાં પ્રચાર કરશે. તેઓ ટૂંક સમયમાં ગુજરાત પહોંચી શકે છે. વાસ્તવમાં ગુજરાતમાં કોંગ્રેસ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. રાજ્યમાં હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે.

આ પણ વાંચો :-

અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે… રાધનપુરમાં જાણો કોણે આપ્યું આવુ નિવેદન

0

If Alpesh Thakor comes with a ticket

  • રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજી વાર સંમેલન મળવા જઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપી. (So former MLA Nagarji Thakor reacted sharply against Alpesh Thakor)

રાધનપુરમાં (Radhanpur) વિધાનસભાની ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી હારનાર અલ્પેશ ઠાકોરનો (Alpesh Thakor) ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.

અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજી વાર સંમેલન મળવા જઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે (Nagarji Thakore) અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપી છે.

અલ્પેશ ઠાકોરના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરની તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમારો અલ્પેશ ઠાકોર સામે પૂરતો વિરોધ છે. પરંતુ ભાજપ સામે કોઈ વિરોધ નથી. અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે. તેઓ ટિકિટ લઈને આવે તો આ સીટ જાય એમ છે.

તેમણે વધુમાં કહ્યું કે ત્રણ તાલુકાને જોડતું આ વિધાનસભાનું સંમેલન છે. જેમાં ભાજપના વિરુદ્ધની કોઈ વાત નહિ થાય. અમારે એક જ મુદ્દો છે કે સ્થાનિક ઉમેદવાર જોઈએ. અમારી માંગ સ્થાનિક ઉમેદવાર માટેની છે. કારણ કે, અલ્પેશ ઠાકોર જ્યારે આવે ત્યારે તેમની સેનાના 2000 માણસોને બોલાવે અને તેમને મળીને જતા રહે છે. તે વિસ્તારના આગેવાનોને પૂછતો નથી, તેમને ઓળખતો પણ નથી.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

પાંચ વર્ષોમાં કોઈ દિવસ ફોન કર્યો નથી. મરજીની જેમ વહેવાર કરે છે. હવે તેમણે રાજકારણ છોડી દીધું છે. હવે તો તેમણે કહ્યું કે, મારે રાધનપુરને પરણવુ છે. આ નિવેદન વાજબી ન ગણાય. પરણવાની વાત રાજકીય ન ગણાય, એ તો બહેન-દીકરીને પરણવાની વાત હોય તેવું લાગે. તેથી સમાજમાં તેમના પ્રત્યે રોષ છે. જેથી અમે આ સંમેલન બોલાવ્યું છે. તેમા ભાજપના વિરોધની કોઈ વાત જ નથી. અમે વર્ષોથી ભાજપના હતા, અને ભાજપના રહેવાના છીએ.

ઉલ્લેખનીય છે કે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાધનપુર બેઠક પર ભાજપની અંદરોઅંદરની લડાઈ જોવા મળી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવા સંકેત આપ્યા છે.

તેની વચ્ચે રાધનપુર ભાજપમાં અંદરખાને જ બે મોટા ભાગ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ રાધનપુર વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ MLA લવિંગજી ઠાકોર-નાગરજી ઠાકોરની આગેવાનીમાં 11 ઓક્ટોબરે મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે.  અઢારે આલમ સમાજના નામે યોજાનાર મહાસંમેલન પહેલા ‘જીતશે સ્થાનિક, હારશે બહાર’નો લખાણવાળી પત્રિકા ફરતી થઈ ગઈ છે.

આ પણ વાંચો :-