Home Blog Page 1288

રજા હોવા છતાં આજથી જ શાલિની અગ્રવાલે સુરતમાં સંભાળ્યો ચાર્જ, 800 કરોડનો આ પ્રોજેક્ટ બનશે સૌથી મોટો પડકાર

0

Despite the holiday, Shalini Agarwal took

  • રજા હોવા છતાં આજથી જ શાલિની અગ્રવાલે સુરતમાં સંભાળ્યો ચાર્જ, 800 કરોડનો આ પ્રોજેક્ટ બનશે સૌથી મોટો પડકાર

જો કે શાલિની અગ્રવાલ (Shalini Aggarwal) સુરત મનપા કમિશનર (Surat Municipal Commissioner) તરીકે ચાર્જ સંભાળે એ પહેલા જ આજે રજાનો દિવસ હોવા છતાં અધિકારીઓને હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતના નવા મનપા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ સામે અનેક નવા પડકારો ઊભા થશે. ત્યારે આજે ઉચ્ચ અધિકારીઓ, ઝોનલ વડાઓ (Zonal Head) અને વિભાગીય વડાઓને રજા હોવા છતાં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે.

નવા મનપા કમિશનર શાલિની અગ્રવાલ સામે અનેક પડકારો :

શાલિની અગ્રવાલ સામે સુરતના ડુમસ સી ફેસ, રિવરફ્રન્ટ અને બેરેજ સહિતના પ્રોજેકટ સહિત અનેક નવા પડકારો તૈયાર છે. જેમાં સુરતમાં અપૂરતી ગ્રાન્ટ સામે વિકાસના હજારો કરોડોના કામો શરૂ થઇ ગયા છે. તદુપરાંત સુરત મનપાના નવા આવકના સ્ત્રોત ઊભા કરવાનું પણ નવા મનપા કમિશનર માટે એક ચેલેન્જ કહી શકાય. 800 કરોડના ડુમસ પ્રોજેક્ટ માટે પાલિકાના સરકારી જમીન મેળવવાના પ્રયાસ શરૂ છે. સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરાઇ હોવા છતાં હજુ સુધી ગ્રાન્ટની મંજૂરી નથી મળી.

તાજેતરમાં જ સુરત-વડોદરા મનપા કમિશનરની કરાઇ હતી આંતરિક બદલી :

ઉલ્લેખનીય છે કે હમણાં થોડાક દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા છે તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. ત્યારે આજે સુરતના નવા મનપા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :-

આનંદો ! હવે ગુજરાતમાં કોની દિવાળી સુધરી ? ગુજરાત સરકારે એક ઝાટકે કર્યો પગાર ડબલ

0

Enjoy! Now whose Diwali has

  • પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કામકરતાં કર્મચારીઓનો પગાર વધારો કરાયો છે.

વિધાનસભાની ચૂંટણી ટાણે અનેક કર્મચારીઓ (Employee) પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે. જેમાં મોટા ભાગે રાજ્ય સરકારે (State Govt) દરેક લોકોની માંગ સ્વીકારીને આંદોલનની આગ ઠારી દીધી છે. ચૂંટણી સમયે ભાજપ કોઈ જોખમ લેવા માંગતી નથી.

ત્યારે મધ્યાહન ભોજન (Mid-day meal) યોજનામાં કાર્યરત કર્મચારીઓ પણ પોતાના વેતનમાં વધારાની માંગ કરી રહ્યા હતા. ત્યારે દિવાળી (Diwali) પહેલા જ સરકારે તેમના પગારને લઈને મહત્વની જાહેરાત કરી છે.

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કામકરતાં કર્મચારીઓનો પગાર વધારો કરાયો છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને વિગતવાર માહિતી આપી છે.

Image

જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂ. 1400નો વધારો કરીને રૂ. 3000 કરવામાં આવ્યા છે જ્યારે કુક કમ હેલ્પરના રૂ. 1100નો વધારો કરીને રૂ. 2500 અને હેલ્પરના રૂ. 500 વધારો કરીને રૂ. 1000 કરવામા આવ્યા છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, ગુજરાતભરમાં આપનો વિરોધ કરતા બેનર લાગ્યા

0

Poster war in Gujarat before elections

  • ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા, બેનરમાં અરવિંદ કેજરીવાલનો વિરોધ કરાયો

આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Chief Minister Bhagwant Maan) આજે વડોદરા આવશે. વડોદરામાં (Vadodara) બંને મુખ્યમંત્રી તિરંગા યાત્રા કાઢશે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.

રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’ નું પોસ્ટરમાં લખાણ સાથેના બેનર્સે ગુજરાતમાં ચર્ચા જગાવી છે.

ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ બેનરો લાગ્યા છે. જેમાં ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

ગઈ કાલે દિલ્હીના મંત્રીનો રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતમાં તેનો રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે.

આ બેનર્સમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. તો અરવિંદ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ’ તેવું લખવામાં આવ્યું છે.

આ ઉપરાંત ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું પણ કેટલાક બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એકતરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.

આ પણ વાંચો :-

ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં ગેનીબેન ઠાકોરે પ્રધાનજી ઠાકોર પર સાધ્યું નિશાન, આપ્યું મોટું નિવેદન

0

In favor of Gulab Singh Rajput, Ganiben

  • વિધાનસભાની ચૂંટણી પહેલા જ બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. વાવના MLA ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં પ્રધાનજી ઠાકોર પર આકરા પ્રહાર કર્યા છે.

વાવના MLA (Vavna MLA) ગેનીબેન ઠાકોરે (Ganiben Thakore) ગુલાબસિંહ રાજપૂતની (Gulab Singh Rajput) તરફેણમાં પ્રધાનજી ઠાકોર (Pradhanji Thakor) પર નિશાન સાધતા કહ્યું કે, ‘આગેવાનો સ્વાર્થ માટે બીજાના હાથા બનીને આવે છે. ચૂંટણી સમયે આગેવાનો બીજા લોકોનો હાથો બની રહ્યાં છે. શંકર ચૌધરીને (Shankar Chaudhary) મદદ કરવા અમુક લોકો હાથા બની રહ્યાં છે.’

પ્રધાનજી ઠાકોરે ગુલાબસિંહ રાજપુત પર કર્યા હતા ગંભીર આક્ષેપ :

ઉલ્લેખનીય છે કે, પ્રધાનજી ઠાકોરે ગુલાબસિંહ રાજપુત પર આક્ષેપ કર્યા હતા. જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોરે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પર ભેદભાવના આરોપ લગાવ્યા હતા. પ્રધાનજી ઠાકોરને ગુલાબસિંહ રાજપૂતે હરાવ્યાં હોવાના આક્ષેપ કર્યા હતા. 2021ની યુથ કોંગ્રેસની ચૂંટણીમાં પ્રધાનજી ઠાકોરની હાર પાછળ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પ્રધાનજી ઠાકોર જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તથા તેઓએ આવનારી ચૂંટણીમાં ટિકિટની પણ માંગણી કરી છે. જો કોંગ્રેસ ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપશે તો ઠાકોર સમાજ તેમનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઇ હતી.

કોંગ્રેસની બાર સાંધે ત્યાં તેર તુટે જેવી હાલત..!

ઉલ્લેખનીય છે કે હાલમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સર્જાયેલી છે. કારણ કે તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ (Harshad ribadiya) કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હર્ષદ રિબડીયાએ 6 ઓગસ્ટના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે પોતાના સમર્થકો સાથે તેઓએ કેસરિયો ધારણ કરી લીધો હતો. જોકે રિબડીયા ભાજપમાં જોડાતા હવે એવા પણ તર્કવિતર્ક પણ થઈ રહ્યાં છે કે, શક્ય છે કે હર્ષદ રિબડીયા વિસાવદર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : સ્કૂલની પરીક્ષા બોર્ડ જેવી જ હશે, તાત્કાલિક અપાયા મોટા આદેશ

0

Big news for Gujarat students :

  • આગામી સોમવારથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે તમામ સ્કૂલોને આદેશ અપાયો છે.

ગુજરાત માધ્યમિક (Gujarat Secondary) અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Board of Higher Secondary Education) દ્વારા શાળાઓની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી સોમવારથી યોજાઈ રહેલી શાળાઓની પરીક્ષા ગેરરીતિ વિહીન (Without malpractice) અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે

ખંડ નિરીક્ષકને બોર્ડ પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ :

આ પરિપત્રમાં શાળાઓની પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ આગામી સોમવારથી શાળાઓમાં શરૂ થઈ રહેલી પરીક્ષામાં ખંડ નિરીક્ષકને બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ અપાયો છે.

CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ તપાસવા આદેશ :

આ ઉપરાંત તમામ ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવા અને CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ ચકાસણા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. નિરીક્ષકે બોર્ડની પરીક્ષાની માફક પુરવણીની સંખ્યા, વિદ્યાર્થીઓએ કેટલા પાનામાં લખાણ લખ્યું સહિતની વિગતો ભરવાની રહેશે.

શિક્ષા કોષ્ટકને નોટિસ બોર્ડ પર લગાવાની અપાઈ હતી સૂચના :

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે શિક્ષા કોષ્ટક (પરીક્ષામાં ગેરરીતિના કેસ સામે કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તેની માહિતી) શાળાના નોટિસ બોર્ડ ઉપર લગાવવાની સૂચના આપવામાં આવી હતી. આ અંગે પણ શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાનો પ્રયાસ :

પરિપત્રમાં જણાવાયું હતું કે, માર્ચ-2023માં બોર્ડની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું અંગોતરુ આયોજન કરવું જરૂરી છે. આ સંદર્ભે ગેરરીતિ કેસ બને તો ક્યાં પગલાં લેવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓ અવગત બને અને સ્વસ્થ જાગૃત માનસિકતા અને પૂર્વ તૈયારી સાથે પરીક્ષા માટે સજ્જ બને તે જરૂરી છે. આ માટે શિક્ષા કોષ્ટકને દરેક શાળાઓના નોટિસ બોર્ડ ઉપર લગાવાની સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ફેસ્ટિવલ સેલમાં ધૂમ ખરીદી, 40,000 કરોડનું ઓનલાઇન વેચાણ થયું, દર કલાકે વેચાયા આટલાં ફોન

0

Dhoom buys in festival sale, 40,000 crores

  • ભારતમાં ઓનલાઇન શોપિંગ માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. ખાસ કરીને તહેવારોની સીઝનમાં માર્કેટે હરણફાળ ભરતા 5.7 અબજ ડોલરનું ઓનલાઈન વેચાણ થયું છે.

આંકડા મુજબ દર કલાકે 56 હજાર મોબાઇલ (Mobile) વેચાયા છે. કુલ વેચાણમાં 41 ટકાના યોગદાન સાથે મોબાઇલ ફોન બજારમાં અગ્રેસર છે. ફેસ્ટિવલ સેલના (Festival Sale) પ્રથમ સપ્તાહમાં તમામ પ્લેટફોર્મ પર 75-80 મિલિયન લોકો એ ઓર્ડર આપ્યા હતા.

પ્રથમ સપ્તાહમાં ગ્રાહકોના બેઝમાં પણ વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો થયો છે. ચાલુ વર્ષે સેલમાં ફ્લિપકાર્ટ, મિત્રા અને શોપ્સી 62 ટકા બજાર હિસ્સા સાથે બજારમાં અગ્રેસર રહ્યું હતું. જ્યારે મીશો માર્કેટ શેરના 21 ટકા વોલ્યુમના ઓર્ડરની દ્રષ્ટિએ બીજા ક્રમે ઉભરી આવ્યું હતું.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

બીજી તરફ ફેશનનો ફાળો 20 ટકા રહ્યો છે અને ગત વર્ષે ફેસ્ટિવલ સેલ કરતા 48 ટકા વધ્યો છે. સેલના પ્રથમ ચાર દિવસમાં ભારતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે રૂ. 24,500 કરોડથી વધુની કમાણી કરી હતી. પ્રથમ ચાર દિવસમાં આશરે 55 મિલિયન ગ્રાહકોને ઓનલાઇન ખરીદી કરી હતી.

આ પણ વાંચો :-

ઈંડાને શાકાહારી જ ગણવા જોઈએ : વૈજ્ઞાનિકોએ કારણ આપી કર્યો દાવો

Eggs should be considered vegetarian

  • ઈંડાને લઈને લોકોના મનમાં હંમેશા એક સવાલ આવે છે કે તે વેજ છે કે નોનવેજ? ચાલો આજે તમને વૈજ્ઞાનિક રીતે સમજાવીએ કે ઇંડાને તમે વેજ ગણશો કે નોનવેજ.

‘સન્ડે હો યા મન્ડે, રોજ ખાઓ અંડે’ આ તમે ટીવી પર ઘણી વાર એડમાં જોયું હશે. ઈંડા (egg) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જે લોકો નોનવેજ (nonveg) ખાય છે તેઓ ઇંડા ખૂબ જ સરળતાથી ખાય લે છે. પરંતુ શાકાહારીઓ ઇંડા ખાવાનું ટાળે છે. કેટલાક લોકોનું માનવું છે કે ઈંડા નોનવેજ (Eggs are non-veg) છે કારણ કે તે મરઘી દ્વારા આપવામાં આવે છે.

સાથે જ શાકાહારી લોકો પણ કહે છે કે ઈંડામાંથી બચ્ચા નીકળે છે એટલે નોનવેજ છે. જો કે કેટલાક લોકો આ દલીલ માનતા નથી. વૈજ્ઞાનિકો પણ આ દલીલને ખોટી સાબિત કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દૂધ જાનવરોમાંથી પણ આવે છે, તો તે શાકાહારી કેવી રીતે બની ગયું? (Scientists also disprove this argument. Scientists say that milk also comes from animals, so how did it become vegetarian?)

બજારમાં અનફર્ટિલાઈઝ્ડ ઇંડા પણ ઉપલબ્ધ :

તમને જણાવી દઈએ કે બજારમાં મળતા બધા ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે. એટલે કે આ ઇંડામાંથી બચ્ચાં ક્યારેય બહાર નથી આવતા. આ મુજબ ઈંડાને નોનવેજ ગણવું યોગ્ય નહીં ગણાય. વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના માધ્યમથી આ સવાલનો જવાબ પણ માંગ્યો છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

ઈંડા પર થયેલા એક રિસર્ચ અનુસાર ઈંડામાં ત્રણ લેયર હોય છે. પહેલી છાલ, બીજી સફેદ અને ત્રીજી ઇંડાની જરદી એટલે કે યોક, યોકનો અર્થ થાય છે પીળો ભાગ. ઈંડાની સફેદીમાં માત્ર પ્રોટીન હોય છે. તેમાં પ્રાણીનો કોઈ ભાગ હાજર નથી. તેથી તકનીકી રીતે, ઇંડાની સફેદી એ વેજ છે.

ઈંડાની યોકમાં પ્રોટીન અને કોલેસ્ટ્રોલ હોય છે :

જો ઈંડાની જરદીની વાત કરવામાં આવે તો તેમાં પ્રોટીનની સાથે કોલેસ્ટ્રોલ અને ફેટ પણ સારી માત્રામાં હોય છે. ઇંડા મુરઘી અને મુરઘાના સંપર્કમાં આવ્યા પછી બને છે. તેમાં પ્રજનન કોષો હોય છે જે તેને માંસાહારી બનાવે છે. જ્યારે બજારમાં ઈંડામાં આવું કંઇ થતું નથી.

મરઘી મરઘાના સંપર્કમાં આવ્યા વિના ઇંડા મૂકે છે :

તમને જાણીને આશ્ચર્ય થશે કે મરઘી 6 મહિનાની થયા પછી ઇંડા મૂકવાનું શરૂ કરે છે. તે દર દોઢ દિવસે ઇંડા મૂકે છે. તે મરઘાના સંપર્કમાં હોવું જરૂરી નથી. મરઘાના સંપર્કમાં આવ્યા વિના જે મરઘી ઇંડા મૂકે છે તેને અનફર્ટિલાઇઝ્ડ ઇંડા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે બચ્ચાઓ ક્યારેય તેમાંથી બહાર આવી શકતા નથી. આથી બજારમાં મળતા ઈંડાની ગણતરી શાકાહારી વર્ગમાં જ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ઓ માય ગોડ ! દેશના આઠ શહેરોમાં શરૂ થઈ ગઈ Airtelની 5G સેવાઓ, પ્લાનને લઈને કંપનીએ કરી ચોંકાવનારી જાહેરાત

0

Airtel’s 5G services launched in eight

  • મુખ્ય દૂરસંચાર કંપની ભારતી એરટેલની 5જી સેવાઓ દેશના આઠ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં શરૂ થઇ ગઇ છે.

મુખ્ય દૂરસંચાર કંપની ભારતી એરટેલની (Bharti Airtel) 5જી સેવાઓ દેશના આઠ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં (Nagpur and Varanasi) શરૂ થઇ છે. કંપનીએ ગુરૂવારે આ જાણકારી આપી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે. 5જી સેવાઓનો લાભ ઉઠાવનારા ગ્રાહકોને પોતાના વર્તમાન 4જી પ્લાન મુજબ ચૂકવણી કરવી પડશે.

ભારતી એરટેલના મેનેજમેન્ટ નિર્દેશક અને મુખ્ય કાર્યપાલક અધિકારી ગોપાલ વિટ્ટલે 5જીની રજૂઆતના અવસરેે કહ્યું, ભારતી એરટેલ છેલ્લાં 27 વર્ષથી દેશની દૂરસંચાર ક્રાંતિમાં સૌથી આગળ રહી છે. અમે અમારા ગ્રાહકોને સૌથી સારો અનુભવ આપવા માટે હંમેશા સારા નેટવર્કનુ નિર્માણ કર્યુ છે અને આગળ પણ ચાલુ રાખીશુ. અમારી આ યાત્રામાં આજે વધુ એક પગલુ છે.

ગ્રાહક પોતાના 4જી પ્લાન મુજબ સેવાઓનો લાભ ઉઠાવી શકશે :

તેમણે કહ્યું, એરટેલ 5જી પ્લસ કોઈ પણ 5જી ઉપકરણ અને ગ્રાહકના હાલના સિમ કાર્ડની સાથે કામ કરશે. ભારતી એન્ટરપ્રાઈઝના સંસ્થાપક અને ચેરમેન સુનીલ મિત્તલે એક ઓક્ટોબરે દેશના આઠ શહેરોમાં 5જી સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે ગ્રાહક પોતાના 4જી પ્લાન મુજબ સેવાઓનો લાભ ઉઠાવી શકશે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

તેમણે કહ્યું કે એરટેલ ગ્રાહક પોતાના ક્ષેત્રમાં 5જી સિગ્નલ મેળવવા માટે 5જી પર સ્વિચ કરી શકે છે. જો ગ્રાહકોને લાગે કે 5જી પર ડેટાનો ખર્ચ વધુ થઇ રહ્યો છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

તો તેઓ 4જી નેટવર્ક પર પાછા જઇ શકેે છે. પ્રવક્તાએ કહ્યું, 5જી સુધી પહોંચવુ વૈકલ્પિકક છે. હાલમાં એપલ, સેમસંગ, શાઓમી, વીવો, ઓપ્પો, રીયલમી અને વનપ્લસના 5જી મોડલ એરટેલ 5જી પ્લસ સેવાને અનુકૂળ છે.

આ પણ વાંચો :-

08 ઓકટોબર 2022, આજનું રાશિફળ : માં લક્ષ્મી આ રાશિના જાતકો પર થશે મહેરબાન, કરશે ધનનો વરસાદ

08 October 2022, Today’s Horoscope

મેષઃ
આવક જળવાય. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ રહે. નવી શક્તિનો સંચાર થતો અનુભવી શકાય. સંતાન અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. બપોર બાદ આવક ઘટતી જણાય.

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. સંતાનની પ્રગતિથી આનંદ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય.

મિથુનઃ
ભાગ્યનો સુંદર સાથ મળતા તમામ ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધારેલી આવક મેળવવામાં સરળતા રહે. વ્યવસાયીક ક્ષેત્રે આનંદ-સફળતા જળવાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ
બપોર સુધી આવક અંગે અસંતોષ રહે. માતાની તબિયતની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો વર્તાય. સ્વાસ્થ્ય સારું રહે. મિત્રોથી લાભ.

સિંહઃ
અગત્યના કાર્યો બપોર સુધી નીપટાવી દેવા. બપોર બાદ માનસિક અશાંત‌િ વધતી જણાય. નકારાત્મક વિચારો વધે. શરદી-ખાંસી રહેતા જણાય. આવકનું પ્રમાણ ઘટે તથા ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

કન્યાઃ
વિદેશ સંબંધી બાબતોથી લાભ મળતો જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ, ઉત્સાહ, પ્રેમનો અનુભવ થાય. માનસિક આનંદ બરકરાર રહે. હાંડકાના દુઃખાવાથી સાવધાની જરૂરી. ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી.

તુલાઃ
સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા. એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આદ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. ખોટા ખર્ચ ટાળવા. પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય. વાહન જમીન અંગે શુભ દિવસ. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વેપારમાં નવા સાહસો આકાર લેતા જણાય. માતૃ-પિતૃ સુખમાં વધારો. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય જળવાય.

ધનઃ
સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. સામાજીક સંસ્થામાં પદ-પ્રતિષ્‍ઠા વધતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃ પક્ષ તરફથી લાભ મળતો જણાય.

મકરઃ
આવકમાં વધારો થતો અનુભવી શકો. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય.

કુંભઃ
માનસિક ચંચળતા અનુભવાય. સામાન્ય શરદી, ખાંસી, તાવની સમસ્યા રહે. આવકનું પ્રમાણ જળવાય. નવું જાણવાના યોગ બને છે. સંતાન સુખમાં વૃદ્ધિ. નાણાંકીય વ્યવહારમાં અત્યંત સાવચેતી જરૂરી.

મીનઃ
બપોર સુધી તમામ ક્ષેત્રે પ્રતિકુળતા વર્તાય. બપોર બાદ આનંદ-ઉત્સાહમાં વધારાનો અનુભવ થાય. આવક આવતી અનુભવાય. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવતી જણાય. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

વિચાર બદલે દુનિયા : જાણો કેવી રીતે સિગારેટનાં ઠુઠામાંથી બની રહ્યાં છે રમકડાં

0

A world instead of thought

  • મન હોય તો માળવે જવાય’ એ ઉક્તિને દિલ્હીના એક બિઝનેસમેને સિધ્ધ કરી બતાવી છે. તેને રમકડાં બનાવવા માટે કોઈ મોંઘા મટીરિયલ નહીં પરંતુ કચરો બની ગયેલ સિગરેટનાં ઠુઠાનો ઉપયોગ કર્યો છે.

કચરાની (Garbage) વધતી જતી સમસ્યા અને સમાજ માટે કાંઈક કરવાની ધગશથી આજે દિલ્હીના (Delhi) બિઝનેસમેન નમન ગુપ્તા (Businessman Naman Gupta) કચરાનો એક નાનો હિસ્સો નિકાલ કરે છે અનેક લોકોને રોજી રોટી આપે છે અને નવો આવિષ્કાર પણ કરે છે.

વધુ વિગતે જાણીએ તો સિગારેટના (Cigarettes) પાછળના ભાગને બનાવવા માટે ફાયબરનો ઉપયોગ થયો હોય છે. આથી કેટલાક સમાજસેવીઓ આ ઉપયોગ થઈ ગયેલી સિગારેટને એકત્ર કરે છે અને જરૂરી પ્રોસેસ કરે છે. સિગરેટના ખાલી ઠુઠાને બ્લિચિંગ કરીને કેમિકલમાં ડુબાડવામાં આવે છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

ત્યારબાદ કાગળ અને પ્લાસ્ટિકને જુદા પાડવામાં આવે છે. કાગળનો કમ્પોસ્ટ પાવડર તૈયાર કરવામાં આવે છે અને ફાઈબરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના રમકડાં બનાવવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં 26.7 કરોડ એટલે કે 30 ટકા લોકો તમાકુંનું સેવન કરે છે આથી ક્યારેય કાચા માલની અછત થતી નથી અને સિગારેટનું ખાલી ઠુઠુ પણ પ્રદુષણ ખરાબ કરતું નથી.

આ પણ વાંચો :-