HomeGujaratરજા હોવા છતાં આજથી જ શાલિની અગ્રવાલે સુરતમાં સંભાળ્યો ચાર્જ, 800 કરોડનો...

રજા હોવા છતાં આજથી જ શાલિની અગ્રવાલે સુરતમાં સંભાળ્યો ચાર્જ, 800 કરોડનો આ પ્રોજેક્ટ બનશે સૌથી મોટો પડકાર

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

Despite the holiday, Shalini Agarwal took

  • રજા હોવા છતાં આજથી જ શાલિની અગ્રવાલે સુરતમાં સંભાળ્યો ચાર્જ, 800 કરોડનો આ પ્રોજેક્ટ બનશે સૌથી મોટો પડકાર

જો કે શાલિની અગ્રવાલ (Shalini Aggarwal) સુરત મનપા કમિશનર (Surat Municipal Commissioner) તરીકે ચાર્જ સંભાળે એ પહેલા જ આજે રજાનો દિવસ હોવા છતાં અધિકારીઓને હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતના નવા મનપા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ સામે અનેક નવા પડકારો ઊભા થશે. ત્યારે આજે ઉચ્ચ અધિકારીઓ, ઝોનલ વડાઓ (Zonal Head) અને વિભાગીય વડાઓને રજા હોવા છતાં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે.

નવા મનપા કમિશનર શાલિની અગ્રવાલ સામે અનેક પડકારો :

શાલિની અગ્રવાલ સામે સુરતના ડુમસ સી ફેસ, રિવરફ્રન્ટ અને બેરેજ સહિતના પ્રોજેકટ સહિત અનેક નવા પડકારો તૈયાર છે. જેમાં સુરતમાં અપૂરતી ગ્રાન્ટ સામે વિકાસના હજારો કરોડોના કામો શરૂ થઇ ગયા છે. તદુપરાંત સુરત મનપાના નવા આવકના સ્ત્રોત ઊભા કરવાનું પણ નવા મનપા કમિશનર માટે એક ચેલેન્જ કહી શકાય. 800 કરોડના ડુમસ પ્રોજેક્ટ માટે પાલિકાના સરકારી જમીન મેળવવાના પ્રયાસ શરૂ છે. સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરાઇ હોવા છતાં હજુ સુધી ગ્રાન્ટની મંજૂરી નથી મળી.

તાજેતરમાં જ સુરત-વડોદરા મનપા કમિશનરની કરાઇ હતી આંતરિક બદલી :

ઉલ્લેખનીય છે કે હમણાં થોડાક દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા છે તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. ત્યારે આજે સુરતના નવા મનપા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img