Home Blog Page 1286

આજનું રાશિફળ 11 ઓક્ટોબર : આ રાશિની ચમકશે કિસ્મત, જાણો તમારો દિવસ કેવો રહેશે

Today’s Horoscope 11 October : Gujarat Guardian

મેષઃ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભઃ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્કઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ-શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

સિંહઃ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.

કન્યાઃ
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલાઃ
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અમસર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ
મોજશોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધનઃ
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વતાવરણ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે, પરંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભઃ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીનઃ
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

સરકારી કર્મચારીઓને તો બલ્લે બલ્લે, જાણો કેટલો પગાર વધી શકે, શું છે લેટેસ્ટ અપડેટ ?

0

Govt employees know how much salary

  • સરકારી કર્મચારીઓને તો બલ્લે બલ્લે થવા જઈ રહી છે. દેશમાં અત્યાર સુધીમાં સાત પે કમીશન આવ્યા છે. હવે દેશમાં આઠમું પે કમીશન બનવા જઈ રહ્યું છે.

કેન્દ્રીય કર્મચારીઓ (central government)ના પગાર માળખામાં ફેરફાર કરવા માટે દર દસ વર્ષે પગારપંચની રચના કરવામાં આવે છે. તેની ભલામણો થકી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 7 વાર પે કમિશન બનાવવામાં આવ્યું છે.

દેશમાં પ્રથમ પગારપંચની રચના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી અને સાતમા પગારપંચની રચના 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. હવે દેશમાં (8th pay commission) આઠમું પગાર પંચ બનશે. જેની કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ક્યારથી આવશે આઠમું પગાર પંચ ?

આઠમું પગારપંચ (8th pay commission) 2024માં બનવાનો આયોજન થઈ રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે, 8મું પગારપંચ લાગુ થવાથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત થશે કેમે કે એમના પગારમાં જબરજસ્ત વધારો થઈ શકે છે.

જૂના પગાર પંચ કરતાં ઘણું અલગ હશે :

મીડિયાના રિપોર્ટ અનુસાર અગાઉના બધા પગાર પંચ કરતા આઠમું પગારપંચ ઘણું અલગ હશે. આમાં ફિટમેન્ટ ફેક્ટર કરતા અન્ય કોઈ ફોર્મ્યુલા દ્વારા સમીક્ષા કરવામાં આવશે. સાતમા પગારપંચને આઠ વર્ષ થઈ ગયા છે. જેથી કર્મચારી ગણમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. જો એવું થશે તો સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકોને સીધો લાભ મળશે. હાલમાં સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અત્યારે કોઈ પણ આઠમા પગારપંચ (8th pay commission)ની દરખાસ્ત વિચારણા હેઠળ નથી.

ફિટમેન્ટ ફેક્ટર વધી શકે :

સાતમા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટરને 2.7 ગણો રાખવામાં આવ્યું હતું. જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવામાં આવ્યો હતો. આંકડાઓની સમીક્ષા કરતા જોઈએ તો સાતમા પગારપંચમાં સૌથી ઓછા પગાર પર વધારો મળ્યો હતો. જો કે બેઝિક સેલરી 18,000 રૂપિયા કરવામાં આવી હતી.

હવે આઠમા પગારપંચ (8th pay commission)માં ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણો વધારી શકે છે. એટલે કે લઘુતમ વેતન 18,000 ધરાવતા કર્મચારીઓનો પગાર 26,000 થઈ શકે છે અને આ બધો પગાર વધારો તેમના પરફોર્મન્સના આધારે કરવામાં આવશે. તેનાથી નીચલા ક્રમના કર્મચારીઓને વધુ લાભ થશે.

ક્યા પગાર પંચમાં કેટલો પગાર વધ્યો ?

ચોથા પગારપંચમાં કેટલો પગાર વધ્યો

પગાર વધારો: 27.6%
ન્યૂનતમ પગાર ધોરણ: રૂ. 750

5મા પગારપંચનો પગાર કેટલો વધ્યો

પગાર વધારો: 31%
લઘુત્તમ પગાર ધોરણ: રૂ. 2,550

6ઠ્ઠું પગારપંચ કેટલો પગાર વધ્યો (ફિટમેન્ટ ફેક્ટર)

ફિટમેન્ટ ફેક્ટર: 1.86 ગણું
પગાર વધારો: 54%
લઘુત્તમ પગાર ધોરણ: રૂ. 7,000

7મા પગાર પંચનો પગાર કેટલો વધશે ? (ફિટમેન્ટ ફેક્ટર)

ફિટમેન્ટ ફેક્ટર: 2.57 ગણો
પગાર વધારો: 14.29%
લઘુત્તમ પગાર ધોરણ: રૂ. 18,000

8મા પગાર પંચનો પગાર કેટલો વધશે ? (ફિટમેન્ટ ફેક્ટર)

ફિટમેન્ટ ફેક્ટર: 3.68 ગણું શક્ય
વધારો: 44.44%
લઘુત્તમ પગાર ધોરણ: 26000 રૂપિયા શક્ય

આ પણ વાંચો :-

AAPના પ્રદેશ અધ્યક્ષનો PMને અપશબ્દ કહેતો વીડિયો વાઈરલ થતા રાજકારણ ગરમાયું, ઈટાલિયાએ કહ્યું- 

0

Politics heated up as AAP state president

  • વિધાનસભાની ચૂંટણીમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહી છે. ત્યારે રોજ નવા નવા આક્ષેપો ઉભા થઈ રહ્યા છે.

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા (AAP’s president Gopal Italia) દ્વારા પીએમને લઈને અપશબ્દ બોલવામાં આવ્યો હોવાનો વીડિયો વાઇરલ (Video viral) કરવા બાબતે ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ (Press conference) સંબોધિત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ભાજપ મને ટાર્ગેટ કરી રહી છે. પટેલ સમાજનો યુવાન હોવાથી આગળ વધતા અટકાવી રહ્યા છે.

હું પટેલ યુવાન હોવાને કારણે રોકવાનો પ્રયાસ :

ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર વિરોધી પાર્ટી છે. હું અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી તેમની સામે લડ્યો છું. આજે જ્યારે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે મારા જુના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું ગરીબ મધ્યમ વર્ગનો પટેલ યુવાન હોવાને કારણે હું આગળ ન વધી જાવ તેના માટે મને રોકવામાં આવી રહ્યો છે.

ગોપાલ ઇટાલિયા જવાબ આપવાથી બચ્યા :

ગોપાલ ઇટાલિયા પ્રકાર પરિષદમાં માત્ર એકને એક જ વાતનું રટણ કરતા રહ્યા હતા. પરંતુ વીડિયો બાબતે કોઈ યોગ્ય રીતે ખુલાસો કર્યો ન હતો. એકને એક જવાબ આપીને તેણે એક પણ પ્રશ્નોનો સીધો જવાબ આપ્યો ન હતો. મીડિયા સતત પ્રશ્ન પૂછતી રહી પરંતુ ગોપાલ ઇટાલિયા એકનો એક જવાબ રિપીટ કરતા રહ્યા. તેઓ અન્ય કોઈ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં જણાયા ન હતા.

પાટીદારોએ ગોપાલ માટે આગળ આવવું જોઈએ :

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જુના જુના વીડિયો કાઢીને ટ્વીટર ઉપર સોશિયલ મીડિયામાં સતત ફેરવવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા પટેલ યુવાનને ટાર્ગેટ કરીને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર અગ્રણીઓએ આગળ આવીને તેના સમર્થનમાં વાત કરવી જોઈએ. પાટીદારો ભારતીય જનતા પાર્ટીથી ગભરાયેલા છે.

વીડિયો મુદ્દે દિલ્હી મહિલા આયોગનું ગોપાલ ઇટાલિયાને સમન્સ :

મનોજ સોરઠીયાએ કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે વાઇરલ થયેલા વીડિયો મુદ્દે દિલ્હી મહિલા આયોગ દ્વારા ગોપાલ ઇટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યો છે. કેન્દ્રીય મહિલા આયોગ દ્વારા 13 તારીખે તેમને હાજર થવા માટેનું કહેવામાં આવ્યું છે. અમે કોઈ જવાબ આપવાથી કે કોઈ તપાસ એજન્સી સામે હાજર થવાથી કોઈ ડર નથી. અમે તમામ તપાસ માટે તૈયાર છે.

આ પણ વાંચો :-

 

વધારે પડતો પરસેવો આવતો હોય તો ના કરતા નજર અંદાજ ! હોઈ શકે છે આ ગંભીર બિમારીઓના લક્ષણ

If you are sweating too much, don’t look at

  • જીમ, એક્સરસાઈઝ, કુકિંગ, રનિંગ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન પરસેવો થવો સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે એસી અને પંખામાં હોવા છતાં વધુ પડતો પરસેવો થતો હોય તો આ લક્ષણને ઈગ્નોર કરવાની ભૂલ ના કરતા.

એવું માનવામાં આવે છે કે પરસેવો સ્વાસ્થ્ય (Sweating Health) માટે સારો છે. પરસેવો શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જીમ, એક્સરસાઈઝ, કુકિંગ, રનિંગ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન પરસેવો (Sweat) થવો સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે એસી અને પંખામાં હોવા છતાં વધુ પડતો પરસેવો થતો હોય તો સમજવું કે તે કોઈ રોગની નિશાની છે. વધુ પડતો પરસેવો પણ ડાયાબિટીસનું (Diabetes) લક્ષણ હોઈ શકે છે.

જ્યારે બ્લડ સુગર લેવલ વધે અથવા ઘટે ત્યારે ઠંડો પરસેવો થઈ શકે છે. ઘણા લોકો પરસેવા તરફ ધ્યાન આપતા નથી, પરંતુ તે કોઈ મોટી બીમારીની શરૂઆત હોઈ શકે છે. ડાયાબિટીસ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધુ પડતો પરસેવો પેદા કરી શકે છે. ચાલો જાણીએ ક્યા કારણો છે જેના કારણે વધુ પડતો પરસેવો આવે છે.

હોઈ શકે છે હાર્ટ પ્રોબ્લેમ :

વધુ પડતો પરસેવો પણ હાર્ટ પ્રોબ્લેમની તરફ ઈસારો કરે છે. હેલ્થલાઈન અનુસાર જો કોઈ વ્યક્તિને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ વિના પરસેવો આવે છે. તો તેની પાછળ હાર્ટની પ્રોબ્લેમ પણ હોઈ શકે છે. બ્લૉક થયેલી નસોને કારણે હૃદયને રક્ત પરિભ્રમણ માટે વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે શરીર વધુ થાકી જાય છે અને તણાવ અનુભવે છે. આ તણાવને કારણે વધુ પડતો પરસેવો થઈ શકે છે.

દવાઓની આડઅસર :

કેટલીકવાર દવાઓના વધુ પડતા ઉપયોગથી પણ વધુ પડતો પરસેવો થઈ શકે છે. દવાઓમાં રહેલા કમ્પાઉન્ડ શરીરમાં ગરમી પેદા કરે છે. જેના કારણે નર્વસનેસ અને બેચેની જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જે લોકો સ્ટીરોઈડનું સેવન કરે છે તેમને દવાઓની આડઅસર થઈ શકે છે જેના કારણે પરસેવો થઈ શકે છે.

શુગરના લેવલમાં વધારો અથવા ઘટાડો :

ઘણા કિસ્સાઓમાં વધુ પડતો પરસેવો ડાયાબિટીસ સાથે સંબંધિત હોઈ શકે છે. શરીરના બ્લડ શુગર લેવલમાં વધારો અથવા ઘટાડો એ વધુ પડતો પરસેવો થવાનું કારણ હોઈ શકે છે. શુગર લેવલ વધવાથી હૃદયના ધબકારા ઝડપી થઈ શકે છે. જેનાથી પરસેવો થઈ શકે છે. બીજી તરફ સુગર લેવલ ઓછું હોવાને કારણે હાથ-પગમાં કળતર અને ઠંડો પરસેવો આવી શકે છે.

આ પણ વાંચો :-

Tech News : Twitter યુઝર્સને સ્ક્રીનશોટ લેવાથી રોકી રહી છે કંપની, જાણો શું છે કારણ

Tech News : Company is preventing

  • ટ્વિટર કોઈપણ ટ્વીટનો સ્ક્રીનશોટ (Screenshots) લેવાનો પ્રયાસ કરતા યુઝર્સને પોપઅપ પણ બતાવી રહ્યું છે, જેમાં ડાયરેક્ટ ટ્વીટ શેર કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે (Twitter) લોકોને ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરવાને બદલે ટ્વીટની લિંક શેર કરવા કહ્યું છે. ટ્વિટર યુઝર્સને (Twitter users) આનાથી સંબંધિત એક નોટિફિકેશન મળી રહ્યું છે, જેમાં તેમને સ્ક્રીનશોટની જગ્યાએ ટ્વીટની લિંક શેર (Tweet link share) કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્વિટર કોઈપણ ટ્વીટનો સ્ક્રીનશોટ (Screenshots) લેવાનો પ્રયાસ કરતા યુઝર્સને પોપઅપ પણ બતાવી રહ્યું છે. જેમાં ડાયરેક્ટ ટ્વીટ શેર કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.

પૉપ-અપને સૌપ્રથમ એપ્લિકેશન સંશોધક જેન મંચુન વોંગ દ્વારા જોવામાં આવ્યું હતું. શુક્રવારે ટ્વિટર પર આ અપડેટ શેર કરતાં વોંગે કહ્યું, “ટ્વિટર મને ટ્વીટનો સ્ક્રીનશોટ લેવાને બદલે ટ્વીટ શેર કરવા અથવા લિંકને કોપી કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર ઇચ્છે છે કે લોકો આ પ્લેટફોર્મ પર શક્ય તેટલી વધુ વાતચીત કરે, તેથી જ તે લોકોને ટ્વીટની લિંક શેર કરવા માટે કહી રહ્યું છે.

ટ્વિટર હરીફ પ્લેટફોર્મ પર સ્ક્રીનશૉટ્સને બદલે લિંક્સ જોવા માંગે છે :

યુનાઇટેડ કિંગડમ (યુકે) ની સરકારમાં સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ અને સોશિયલ મીડિયાના ભૂતપૂર્વ વડા, મેટ નવરાએ શુક્રવારે જણાવ્યું હતું કે ટ્વિટર ઇચ્છે છે કે પ્લેટફોર્મ પર સક્રિય વપરાશકર્તાઓ હરીફ પ્લેટફોર્મ પર સ્ક્રીનશૉટ્સને બદલે ટ્વિટ જુએ.

ધ વર્જના એક અહેવાલ અનુસાર, પોપ-અપ એ એક નવું માઇનોર અપડેટ છે જેનું ટ્વિટર ટેસ્ટિંગ કરી રહ્યું છે જેથી લોકો માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરી શકે.

ટ્વિટરના પ્રવક્તા શાઓકી એમડોએ ધ વર્જને જણાવ્યું હતું કે સ્ક્રીનશોટને બદલે ટ્વીટ શેર કરવાનો સંકેત iOS વપરાશકર્તાઓના નાના ગ્રુપ સાથેના એક ટેસ્ટિંગ પર આધારિત હતો. ઓગસ્ટમાં, ટ્વિટરે એક ટેસ્ટિંગની જાહેરાત કરી હતી જે સંભવિત નવા વપરાશકર્તાઓને પ્રોફાઇલ બનાવ્યા વિના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનું ટ્રાયલ કરવાની મંજૂરી આપે છે.

આપને જણાવી દઈએ કે, પહેલા એવા સમાચાર આવ્યા હતા કે Tiktok અને Reels જેવા યુઝર્સના વીડિયો એક્સપિરિયન્સ વધારવા માટે ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયો સેગમેન્ટ બનાવ્યું છે. એક બ્લોગ પોસ્ટમાં, ટ્વિટરે જણાવ્યું હતું કે કંપની તેના વીડિયો પ્લેયરને અપડેટ કરી રહી છે.

તેમજ વપરાશકર્તાઓ માટે એક્સપ્લોર ટેબ ઉમેરી રહી છે. બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ટેબમાં યુઝર્સને ટ્વિટર પર શેર કરવામાં આવેલ સૌથી લોકપ્રિય વીડિયો જોવા મળશે.

આ પણ વાંચો :-

પાટણ પોલીસની બર્બરતા, નજીવી બાબતે 2 યુવાનોને મારી મારીને અધમૂઆ કરી નાખ્યા વીડિયો વાયરલ

0

Brutality of Patan police, 2 youths were

  • પાટણ LCB સ્ટાફે પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા યુવકોને માર્યો માર માર્યો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

પાટણ LCB પોલીસ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. પાટણ LCBની બર્બરતા સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. પાટણના સરસ્વતીનગરના (Saraswatinagar) વામૈયાના બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોર નામના 2 યુવકોને પોલીસે બેફામ માર માર્યો હોવાની રાવ ઉઠી છે.

પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા બંન્ને યુવકો ગાડી લઇને પસાર થઇ રહ્યા હતા. આ વેળાર ગાડી ઉભી રાખવા જેવી નજીવી બાબતે પોલીસે પોલીસકર્મીના જ ભાઇ સાથે બબાલ કરી હતી. ત્યારબાદ પોલીસ બને યુવાનોને ઉઠાવી ગઇ હતી.

ગાડી ઉભી રાખવા બાબતે પોલીસની બર્બરતા :

આ દરમિયાન બંને યુવકોને પોલીસ LCB ઓફિસ ખાતે લઇ ગઇ હતી. જ્યાં યુવાનો સાથે  બેફામ વાણી વિલાસ આચરી બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોરને આડેધડ માર માર્યો હોવાના આરોપ લાગી રહ્યા છે. આ દરમિયાન યુવાને ગંભીર ઇજા પહોંચતા બંનેને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી.

જેને લઇને ગંભીર હાલતમાં બંને યુવકોને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બદલાની ભાવનાથી પોલીસની કાર્યવાહી પર આરોપ લાગી રહ્યા છે. આ મામલો ઉઘાડો પડતા વધુ એક વખત ચર્ચાએ ચડી છે. મહત્વનું છે કે પાટણ LCB પર અનેક વખત માર માર્યાનો આક્ષેપ લાગી ચુક્યા છે. ત્યારે આ મામલે તપાસ બાદ સત્ય સામે આવશે.

આ પણ વાંચો :-

વરસાદે ઝૂંટવ્યો ખેડૂતોના મોઢેથી કોળિયો, મગફળી, ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન, સર્વે કરી સહાયની માંગ

0

Heavy rains caused extensive damage to the

  • દક્ષિણ- મધ્ય ગુજરાતમાં ખેતરોમાં પાક તૈયાર થતાં ખેડૂતો પાક લણણીની તૈયારી કરી દીવાળી સારી જવાની આશા રાખી બેઠા હતા ત્યાં કમોસમી વરસાદ ત્રાટકતા તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લામાં સતત વરસતા વરસાદથી (pouring rain) ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ચીકુ અને શેરડી, મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદમાં ડાગરનો પાકને ભારે નુકસાન થયુ છે. આણંદ જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોના હજારો હેક્ટર જમીનમાં તૈયાર થયેલા ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન (Extensive Damage) કરી દેતા ખેડૂતોને માથે ઉઠીને રોવાનો વારો આવ્યો છે.

મગફળી, ડાંગર અને શેરડીને નુકસાન :

ગુજરાત સરકારના હવામાન ખાતાની આગાહીના પગલે નવરાત્રી પૂર્ણ થયા બાદ વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાબકયો હતો. જેના કારણે આણંદ જિલ્લાના આંકલાવ, બોરસદ, ખંભાત, ઉમરેઠ, તારાપુર, સોજીત્રા, તાલુકામાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે.

કમોસમી વરસાદે ઊભા પાકનો સોથ વાળ્યો :

કમોસમી વરસાદને કારણે તૈયાર થયેલા ડાંગરના પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઇને ખેડૂતોને મોટા પાયે નુક્સાની થઇ છે. આ સાથે  હજારો હેક્ટર જમીનમાં  વરસાદી પાણી ફરી વળતા ઉમરેઠ પંથકમાં ઉમરેઠ બેચરી, ભાલેજ, ખાનકૂવા, સૂરેલી, ધૂલેટા,  ભરોડા, ઓડ સહીત આજુબાજુ ગામમા કેપ્સિકમ મરચાના પાકમાં પણ નુકસાની આવી છે.

આથી ખેડૂતોને આભ ફાટ્યું ત્યાં થિંગડું કયા મારવું જેવી સ્થિતિ જન્મી છે. કેપ્સિકમ મરચાના પાકનું ધોવાણ થતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે મરચી અને તમાકુના ધરું તૈયાર કર્યા હતા જે વરસાદી પાણી ભરાતા નષ્ટ થવા પામ્યા છે. જેને લઈ હવે તમાકુ અને મરચીની રોપણી વિલંબમાં પડશે આમ વરસાદે ખેડૂતોને બેવડો માર મારતા સરકાર દ્વારા સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોમાંથી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો :-

Samosa : અહીં સમોસા પર છે પ્રતિબંધ, ભૂલેચૂકે ખાશો તો જોવા જેવી થશે…કારણ ખાસ જાણો

Samosa : There is a ban on samosa here

  • સમોસા કોને ન ભાવે ? દરેકને ભાવતી આ વાનગી ઉપર પ્રતિબંધ લાગ્યો છે એવું તમે સાંભળો તો સ્વાભાવિક છે કે એવો વિચાર આવે કે આખરે આવો પ્રતિબંધ ક્યાં લાગ્યો અને કોણે લગાવ્યો? તમારા આ તમામ સવાલોના જવાબ માટે વાંચો રસપ્રદ અહેવાલ…

સમોસા (Samosa) ભારતમાં એટલા લોકપ્રિય છે કે કોઈ પણ મહેમાન આવે તો આપણને સમોસા જ મંગાવવાનું મન થતું હોય છે. સમગ્ર દેશમાં તમને ગમે ત્યાં સમોસા તો મળી જ જશે. ભારતમાં કદાચ જ એવું કોઈ હશે જેને સમોસા નહીં ભાવતા હોય.

તમને એ જાણીને નવાઈ લાગશે કે ધરતી પર એવી પણ એક જગ્યા છે જ્યાં લોકો ભૂલેચૂકે સમોસા ખાઈ શકતા નથી. અહીં સમોસા (Samosa) પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.

અજીબોગરીબ કારણથી પ્રતિબંધ :

સોમાલિયા (Somalia) એક એવો દેશ છે જ્યાં કોઈ ભૂલેચૂકે પણ સમોસુ ખાઈ શકતું નથી. વાત જાણે એમ છે કે આવું સમોસાના વિચિત્ર શેપના કારણે છે. સમોસાનો શેપ ત્રિકોણ હોય છે. સોમાલિયાનો એક કટ્ટરપંથી સમૂહ માને છે કે સમોસાનું ત્રિકોણિય રૂપ ક્રિશ્ચિયન કમ્યુનિટીની નજીક છે. તે તેમના પવિત્ર ચિન્હ સાથે મળતું આવે છે. આ ચિન્હને તેઓ ખુબ સન્માન આપતા હોવાના કારણે સોમાલિયામાં સમોસાને પ્રતિબંધિત કરાયા છે.

અત્રે જણાવવાનું કે સોમાલિયાના લોકો સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા પર સજાના હકદાર હોય છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે સોમાલિયામાં સમોસા એટલા માટે પ્રતિબંધિત છે. કારણ કે ત્યાં ભૂખમરાતી મરેલા જાનવરોના મીટનો સમોસામાં ઉપયોગ કરાતો હતો. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે સોમાલિયામાં સમોસાને આક્રમકતાનું પ્રતિક ગણવામાં આવે છે. આથી તેને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરાયા છે.

આ પણ વાંચો :-

ગુજરાતનાં લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા, રાજ્યના લોકો સારા છે નહીં તો પ્રવેશબંધી કરી દે : સી.આર.પાટીલ

0

Kejriwal called the people of Gujarat “Kans”

  • ગુજરાતના લોકોને કેજરીવાલે કંસ કહ્યા હોવાનું જણાવી સી.આર. પાટીલે કેજરીવાલના કંસના વંશજો મુદ્દેના નિવેદનને લઇને પ્રતિક્રિયા આપી હતી.

કેજરીવાલના (Kejriwal) કંસના વંશજો મુદ્દે સી.આર.પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે (C.R. Patil) જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકેના જવાબદાર પદ પર હોવા છતાં કેજરીવાલ બેફામ ખોટુ બોલી રહ્યા છે. તેમણે પોતાની વાણી પર કંટ્રોલ કરવો જોઇએ. તેમ ઉમેરી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કેજરીવાલ જેવુ ખોટું બોલવાવાળા વ્યક્તિને મે આજ સુધી જોયો નથી.

ગુજરાતના લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા : સી.આર.પાટીલ

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે જે  રીતે કેજરીવાલ ખોટું બોલી રહ્યાએ જોતા એમના વિષે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. કારણ કે કેજરીવાલે કીધું હતું કે તેમનો જન્મ 16 ઓગસ્ટ 1968માં થયો હતો. જ્યારે 15 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમી હતી. તો તેમને ખોટુ બોલવીની શું જરૂર પડી તે સમજવું મુશ્કેલ છે. વધુમાં ગુજરાતનાં લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા. (When 15 August 1968 was Janmashtami. So it is difficult to understand why they needed to lie. In addition, Kejriwal called the people of Gujarat Kans.)

આ તો ગુજરાતના લોકો સારા છે નહીં તો ગુજરાતના લોકોને કંસ કહેવું અને વોટ માંગવા આવવું ગુજરાતમાં સંભવ છે. ગુજરાતની જનતા સજ્જનતા છે બાકી બીજા કોઇ રાજ્યમાં આવું કહે તો લોકો રાજ્યમાં ઘુસવા પણ ન દે. તેમ અંતમાં સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું.

હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપ્યું :

આ ઉપરાંત એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેમનો જન્મ દરેક ચૂંટણીમાં બદલાઈ જતો હોય  છે.

જેમાં કોઈ નવાઈની વાત નથી. ઉપરાંત ઉત્તરપ્રદેશની ચુંટણીમાં તેમની વાત અલગ હોય છે તો ઉતરાખંડ, દિલ્હી, પંજાબની ચૂંટણીમાં તેમની વાતો બદલાઇ જાય છે. જે  સૌ લોકો જાણે જ છે. પરંતુ ગુજરાતના લોકો એમને ઓળખી ગયા છે તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું.

આ પણ વાંચો :-

Cheque Bounce Rule : ચેક બાઉન્સ મુદ્દે નવો નિયમ લાવી રહી છે સરકાર, થશે આ મોટા ફેરફાર

0

Check Bounce Rule: The government is bringing

  • ચેક બાઉન્સના કેસોને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર જલદી નવો નિયમ લાવી શકે છે. જે માટે અનેક સૂચનો મળ્યા છે. વાત જાણે એમ છે કે ચેક બાઉન્સના કેસોથી લો સિસ્ટમ પર ભાર વધે છે.

ચેક બાઉન્સના (Check bounce) કેસોને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર (Central Govt) જલદી નવો નિયમ લાવી શકે છે. જે માટે અનેક સૂચનો મળ્યા છે. ઉદ્યોગ સંગઠન (Industry Association) પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ હાલમાં જ નાણા મંત્રાલયને (Ministry of Finance) અપીલ કરી હતી કે ચેક બાઉન્સના કેસોમાં બેંકમાંથી પૈસા કાઢવા પર થોડા દિવસ સુધી અનિવાર્ય રોક જેવા પગલાં લેવામાં આવે. જેનાથી ચેક આપનારા લોકોને જવાબદાર ગણાવી શકાય.

ચેક બાઉન્સ થતા બીજા એકાઉન્ટમાંથી પૈસા કપાશે !

નાણા મંત્રાલય તરફથી જો નવા નિયમ લાગૂ થયા તો ચેક ઈશ્યૂ કરનારના અન્ય એકાઉન્ટમાંથી પૈસા કપાશે. આ સાથે જ નવું એકાઉન્ટ ખોલવા ઉપર પણ રોક લાગી શકે છે. આ પ્રકારના અનેક પગલાં પર નાણા મંત્રાલય વિચાર કરી રહ્યું છે. ચેક બાઉન્સના વધતા કેસોને જોતા મંત્રાલયે હાલમાં જ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં આ પ્રકારના અનેક સૂચનો મળ્યા છે.  (The ministry had recently convened a high-level meeting in view of the increasing cases of check bounces. In which many such suggestions have been found.)

સરકાર આ કારણે છે ચિંતાતૂર : 

વાત જાણે એમ છે કે ચેક બાઉન્સના કેસોથી લો સિસ્ટમ પર ભાર વધે છે. આથી કેટલાક એવા સૂચનો મળ્યા છે, જેમાં કેટલાક પગલાં કાનૂની પ્રક્રિયા પહેલા ઉઠાવવા પડશે. જેમ કે જો ચેક ઈશ્યૂ કરનારાના ખાતામાં પૂરતા પૈસા ન હોય તો તેના અન્ય એકાઉન્ટમાંથી રકમ કાપી લેવી.

 ક્રેડિટ સ્કોર ઉપર પણ અસર ?

સૂત્રોએ જણાવ્યું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસોને કરજ ચૂકવણી તરીકે લેવું અને તેની જાણકારી ઋણ સૂચના કંપનીઓને આપવું એ સામેલ છે. ત્યારબાદ ચેક ઈશ્યૂ કરનારાનો ક્રેડિટ સ્કોર ઓછો થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ સૂચનોને સ્વીકારતા પહેલા કાનૂની સલાહ લેવામાં આવશે.

નવા નિયમથી થશે ફાયદો :

નાણા મંત્રાલયને મળેલા આ સૂચનો જો અમલમાં આવશે તો ચેક ઈશ્યૂ કરનારે ચેકની રકમની ચૂકવણી કરવા માટે મજબૂર થવું પડશે. આ સાથે જ કેસને કોર્ટ સુધી લઈ જવાની જરૂર પડશે નહીં. તેનાથી કારોબારી સુગમતા વધશે અને ખાતામાં પૂરતા પૈસા ન હોવા છતાં ચેક ઈશ્યૂ કરવાના ચલણ ઉપર પણ રોક લાગશે.

આ પણ વાંચો :-