Home Blog Page 1285

લો બોલો ! શોપિંગ મોલમાં વેચાઈ રહ્યા છે 10 રૂપિયાના છાણના પેકેટ, મળ્યો 3 ટન લિપણના છાણનો ઓર્ડર

0

Speak up! Dung packets of 10 rupees

  • આ દિવાળીએ રાયપુરના ગોકુલ નગર તબેલાની દેશી ગાયોનું છાણ હવે લોકોને પોસાય તેવા ભાવે સી-માર્ટ પર ઉપલબ્ધ થશે. આ દેશી ગાયનું છાણ સી-માર્ટમાં લોકોને એક કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે.

આ મહિનાની 24 તારીખે દિવાળી છે. દિવાળીના (Diwali) અવસર પર, પૂજા અને પવિત્ર વિધિઓ પાંચ દિવસ અગાઉથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં પૂજા કરવા અથવા ગૌરી ગણેશ (Gauri Ganesh) બનાવવા માટે સાથે જ સ્થાનને પવિત્ર કરવા માટે દેશી ગાયના છાણની (Cow Dung) ઉપલબ્ધતા એ શહેરોમાં એક મોટી સમસ્યા છે.

ત્યાં જ આ વર્ષે શહેરોમાં પૂજા ઘરના લિપણ માટે કોઈ મુશ્કેલી નહીં આવે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢના રાયપુરમાં સસ્તામાં લિપણ માટે છાણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

લિંપણ માટે વપરાય છે ગાયનું છાણ   :

હિન્દુ ધર્મમાં તીજ-તહેવારોમાં ગાયના છાણના ઉપયોગનું પોતાનું મહત્વ છે. કોંક્રીટના રણની જેમ વિકસતા શહેરોમાં દેશી ગાયનું છાણ શોધવું એ લોકો માટે ઘણું મુશ્કેલ કામ છે. ક્યારેક આવા પ્રસંગોએ શહેરની બહારના ગામડાઓમાંથી ગ્રામજનો પાસેથી મંગાવીને ગાયનું છાણ લાવવું પડે છે. આ દિવાળીએ રાયપુરના રહેવાસીઓને આ સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. રાયપુરમાં ગાયનું છાણ માત્ર 10 રૂપિયામાં મળશે.

સી માર્ટમાં થશે છાણનું વેચાણ  :

રાયપુરના ગોકુલ નગર તબેલાની દેશી ગાયોનું છાણ હવે સી-માર્ટમાં લોકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે. ગોકુલ નગર ઝોન 6 ના  તબેલામાં કામ કરતી મહિલા સ્વ-સહાય જૂથની સભ્ય દેશી ગાયના છાણનું આકર્ષક પેકિંગ કરી રહી છે. અહીં લિપિંગ માટે દેશી ગાયના છાણમાં કલર ભેળવીને તેને લાલ, પીળો, લીલો અને વાયોલેટ કલર આપવામાં આવી રહ્યો છે. આ દેશી ગાયનું છાણ સી-માર્ટમાં લોકોને એક કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે.

3 ટન લિપણના છાણનો મળ્યો ઓર્ડર  :

સ્વ-સહાય જૂથના પ્રમુખ નીલમ અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઘણા લોકો ગાયનું છાણ માંગવા આવતા હતા, જે મફત આપવામાં આવતું હતું. આથી આ વર્ષે મહિલાઓ માટે આવકનો નવો સ્ત્રોત બનાવી તબેલામાં જ તેને તૈયાર કરીને વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

તબેલામાં 400 થી વધુ દેશી ગાયો છે જેમાંથી દરરોજ લગભગ 3 હજાર કિલો છાણ મળે છે. આ છાણનો ઉપયોગ કરીને અનેક પ્રકારના ઉત્પાદનો બનાવવામાં આવે છે અને આ વર્ષે દિવાળી પહેલા ત્રણ ટન લિપણ માટેના છાણ તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેનું વેચાણ સી-માર્ટ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

લેપટોપ પર કામ કરતી વખતે તમે પણ કરો છો આવી ભૂલ ? તો ચેતી જજો, ગુમાવવું પડી શકે છે પિતા બનવાનું સુખ

Do you also make such a mistake while

  • લેપટોપ પર કામ કરવું તમારા પિતા બનવાનું સપનું તોડી શકે છે. વર્ક ફ્રોમ હોમમાં ખૂબ જ ગમતી આ ખરાબ આદત તમારે છોડી દેવી જોઈએ.

મહિલાઓની સાથે પુરુષોમાં પણ ઈનફર્ટિલિટીનો ગ્રાફ (Graph of Infertility) સતત વધી રહ્યો છે. સમસ્યાનું કારણ એક જ છે કે બદલાયેલી જીવનશૈલીમાં અનેક બિનજરૂરી વસ્તુઓની દખલ અને વધુ પડતો ઉપયોગ. જેમ કે સ્ત્રીઓના ટાઈટ ફિટિંગ જીન્સ અને હાઈ હીલ્સનો (High heels) વધુ પડતો ઉપયોગ તેમને બીમાર અને ઈનફર્ટાઈલ બનાવે છે.

એ જ રીતે ધુમ્રપાન, ડ્રિંકિંગ, મોડી રાતની પાર્ટીઓ, નશો વગેરે તેમજ લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવું અને લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાથી પુરુષોમાં ઈનફર્ટિલિટીની સમસ્યા વધી રહી છે. (Similarly, smoking, drinking, late night parties, drunkenness, etc., as well as long hours of working on a laptop and working with a laptop on the lap are increasing the problem of infertility in men)

લેપટોપ ઈનફર્ટિલિટી કેવી રીતે વધારે છે ?

  • પુરુષોમાં ઈનફર્ટિલિટી અથવા નપુંસકતા વધવાનું કારણ લેપટોપ પણ માનવામાં આવે છે કારણ કે જે પુરુષો તેમના ખોળામાં અથવા તેમની જાંઘ પર લેપટોપ સાથે કામ કરે છે, લેપટોપમાંથી નીકળતી ગરમીને કારણે તેમના અંડકોષનું તાપમાન 1 થી 2 ડિગ્રી વધી જાય છે.
  • સ્પર્મ અંડકોષમાં એટલે કે અંડકોષમાં જ ઉત્પન્ન થાય છે. જ્યારે લેપટોપની ગરમીને કારણે અંડકોષનું તાપમાન એકથી બે ડિગ્રી વધી જાય છે. જેથી સ્પર્મની સંખ્યા 40 ટકા ઘટી જાય છે. જેના કારણે પુરુષોમાં ઈનફર્ટિલિટીની સમસ્યા થાય છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

  • જ્યારે તાપમાન માત્ર 1 થી 2 ડિગ્રી વધે છે ત્યારે અંડકોષમાં સ્પર્મની સંખ્યા 40 ટકા ઘટી જાય છે, જ્યારે જો લેપટોપને આખો દિવસ ખોળામાં રાખીને કામ કરવામાં આવે અથવા જો તેને કલાકો સુધી જાંઘ પર આ રીતે રાખવામાં આવે તો તાપમાન વધે છે. અંડકોષ 5 ડિગ્રી સુધી વધી શકે છે. હવે વિચારો… જો આવું થાય તો સ્પર્મનું શું થાય અને સ્પર્મની ગુણવત્તા કેટલી ઘટી શકે છે.
  • કારણ કે લેપટોપની ગરમીને કારણે સ્પર્મ કાઉન્ટ પર અસર થવાની સાથે સ્પર્મની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે અને સ્પર્મની ગુણવત્તા નબળી હોવાને કારણે પુરુષો પિતા બનવાના આનંદથી વંચિત રહી જાય છે.

જેનાઈટલ ઓર્ગન્સ પર લેપટોપની ખરાબ અસરથી કઈ રીતે બચી શકાય ?

  • ગુપ્તાંગ પર ખરાબ અસર ન પડે તે માટે સૌથી પહેલા લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાની આદત છોડી દો. જો જરૂરી હોય તો, તમે એક કે બે કલાક માટે આ કરી શકો છો, પરંતુ રોજિંદા આદત ન બનાવો.
  • કામ કરતી વખતે, લેપટોપમાંથી માત્ર ગરમી જ નહીં પરંતુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પણ બને છે. એટલે કે, EMF અને તેની અસર એટલી ખરાબ હોઈ શકે છે કે પુરુષોને જીવનભર નિઃસંતાન રહેવાનો શ્રાપ મળી શકે છે.
  • ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ માત્ર પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટી ઘટાડવાની સાથે તેની ગતિશીલતા અને તીવ્રતાને પણ ઓછી કરે છે. તેનાથી ગર્ભાષ્યમાં પહોંચવા અને ગર્ભધારણ કરવાની ક્ષમતામાં પણ કમી આવે છે.

આ પણ વાંચો :-

BCCIના નવા બોસની રેસમાં ચોંકાવનારું નામ, એક સમયે ટીમ ઈન્ડિયામાં હતો જોરદાર દબદબો

0

Shocking name in race for new BCCI boss

  • 18 ઓક્ટોબરનાં રોજ BCCIના અધ્યક્ષ પદની ચૂંટણીમાં સૌરવ ગાંગુલીનાં સ્થાન પર રોજર બિન્નીનાં પસંદ થવાની અટકળો લગાવાઈ રહી છે. જાણો વિગતવાર

હાલમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) છે પણ એમનું અધ્યક્ષ પદ બસ થોડા દિવસો માટે જ બચ્યું છે. જણાવી દઈએ કે BCCIને હવે નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે અને જલ્દી જ BCCI ના દરેક પદ માટે ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

આ સાથે જ એમ પણ માહિતી મળી છે કે સૌરવ ગાંગુલી આ વખતે આ પદ માટે દાવેદાર નહીં બની શકે. આ બધી વાતો વચ્ચે BCCI ના નવા પ્રમુખ કોણ હશે તે વિશે દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ બધા વચ્ચે અટકળોનું બજાર પણ ગરમ છે.  ( Amidst all this, everyone is talking about who will be the new president of BCCI and the speculation market is also hot.)

BCCIના અધ્યક્ષ પદની રેસમાં રોજર બિન્ની મોખરે :

બિન્ની અગાઉ પસંદગી સમિતિનો ભાગ પણ રહી ચૂક્યા છે. અને તે સૌરવ ગાંગુલીના સ્થાનની રેસમાં ટોચ પર છે. જ્યારે જય શાહ સેક્રેટરી તરીકે ઇનિંગ ચાલુ રાખશે તેવા રીપોર્ટ મળી રહ્યા છે. 18 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે બીસીસીઆઈના ચૂંટણી ડ્રાફ્ટમાં બિન્નીનું નામ સામે આવ્યું છે. બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંતોષ મેનનની જગ્યાએ તે જ દિવસે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં રાજ્ય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરશે.

1983 વર્લ્ડ કપમાં બિન્નીએ રચ્યો હતો ઈતિહાસ :

ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે રોજર બિન્ની આખી ટુર્નામેન્ટમાં ભારતની ટાઈટલ જીતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. બિન્નીએ 8 મેચમાં 18 વિકેટ લીધી હતી. જેમાં એક ઈનિંગમાં ચાર વિકેટ લેવાનો ઇતિહાસ એક વખત બન્યો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ઊભી થશે 1512 શિક્ષકોની નવી જગ્યા, એક શાળામાં ત્રણ શિક્ષક અને એક આચાર્યની નવી નીતિના આદેશ

0

1512 new posts of teachers will be created

  • રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ માટે નવું મહેકમ મંજૂર કરી દેવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9-10નો એક વર્ગ ધરાવતી શાળાઓમાં કુલ ૩ શિક્ષક અને 1 આચાર્ય મુજબના મહેકમને મંજૂરી આપવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ (Granted Secondary School) માટે નવા મહેકમની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી. હાલમાં ધોરણ 9 અને 10નો એક-એક વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ સ્કૂલોમાં (Granted Schools) વર્ગ દીઠ 1.5 શિક્ષક અને બે-બે વર્ગ ધરાવતી શાળાઓને વર્ગદીઠ 3 શિક્ષકની મંજૂરી અપાય છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

પરંતુ ઓછા મહેકમને લીધે પુરતા શિક્ષકો ન મળતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. જેના કારણે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 3 શિક્ષક અને એક આચાર્ય મુજબનું શૈક્ષણિક સેટઅપ આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે દરખાસ્ત કરી હતી. જે સરકારે સ્વીકારી લીધી છે.

ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર :

રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાને લઇ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા અંતે સ્કૂલોની માંગણીને સ્વીકારી લેવાતા ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર કરી દેવામાં આવ્યું છે.

શાળામાં કુલ 3 શિક્ષક અને 1 આચાર્ય મુજબના મહેકમને મંજૂરી :

જે મુજબ ધોરણ 9  અને ધોરણ 10ના એક-એક વર્ગની સ્કૂલોમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 વિદ્યાર્થી અને શહેરી વિસ્તારમાં 75 વિદ્યાર્થી સંખ્યા સામે કુલ ૩ શિક્ષક અને એક આચાર્યના સેટઅપને મંજૂરી અપાશે. આ નવા મહેકમથી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નવી 1 હજાર 512 જગ્યા ઉભી થશે.

બજેટમાં રજૂ કરાશે દરખાસ્ત :

શિક્ષણ વિભાગે નવા મહેકમની મંજૂરી કરેલા ઠરાવ મુજબ આ નવા શૈક્ષણિક સેટઅપના કારણે 1512 શિક્ષકોની જગ્યાઓ ઊભી કરવા માટે આગામી નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં નવી બાબત સ્વરૂપે દરખાસ્ત રજૂ કરાશે. બજેટમાં નવી જગ્યાઓ ભરવા જોગવાઈ થશે.

આ પણ વાંચો :-

ઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર ગુજરાતી ફિલ્મ રિલીઝ થાઈ તે પહેલા જ બાળ કલાકારનું નિધન, ૧૦ વર્ષની ઉંમરે દુનિયાને કીધું અલવિદા…

0

A child actor passed away before the release

  • કોઈ વિચારી પણ ન શકે કે જે બાળકની ફિલ્મ ઓસ્કારમાં પહોંચે તે પહેલા જ તેનુ નિધન થાય… છેલ્લો શો ફિલ્મમાં કામ કરનાર બાળ કલાકારનું માત્ર 10 વર્ષની વયે નિધન થયું છે…

ઓસ્કારમાં (Oscar) એન્ટ્રી મેળવનાર ગુજરાતી ફિલ્મ (Gujarati movie) છેલ્લો શો માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમાં કામ કરનાર બાળ કલાકાર રાહુલ કોળીનું (Rahul Koli) 10 વર્ષની વયે નિધન થયું છે. 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં (Cancer Hospital) લ્યુકેમિયાના કારણે તેનું નિધન થયું છે. ફિલ્મમાં 6 બાળ કલાકાર મુખ્ય રોલમાં છે.

જેમાંનો એક રાહુલ કોળી હતો. રાહુલે ફિલ્મમાં સિગ્નલમેનના (signalman) પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. (Rahul played the role of Manu, the son of a signalman and a special friend of the main character in the film.)

ફિલ્મ વિશે…

દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે. ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે “ફિલ્મ શો” માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે જે ફિલ્મો, જમવાનું અને મિત્રોની આસપાસ ફરે છે.

કેન્સરથી રાહુલ કોળીનું નિધન :

કોઈ વિચારી પણ ન શકે કે જે બાળકની ફિલ્મ ઓસ્કારમાં પહોંચે તે પહેલા જ તેનુ નિધન થાય. જે દિવસે આ ફિલ્મ રિલીઝ થશે તેના આગલા દિવસે રાહુલ કોળીનું તેરમુ હશે. 14 ઓક્ટોબરે છેલ્લો શો મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ એટલે કે તેનું તેરમું થશે. 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે રાહુલ કોળીનું નિધન થયું છે. દીકરાના મોતથી કોળી પરિવારમા માતમ છવાયો છે. રાહુલના પિતા રામુ કોળી રીક્ષા ડ્રાઈવર છે.

પરિવારે વ્હાલસોયાને ગુમાવ્યો :

જે ફિલ્મ રાહુલની સફળતાની સીડી હતી. તેને થિયેટરમાં જોતા પહેલા જ તેનુ નિધન થયું. આ ફિલ્મ માટે તે ખૂબ જ ખુશ હતો. તે કહેતો કે આ ફિલ્મ બાદ પરિવારનું જીવન બદલાઈ જશે. પરંતુ એવુ ન થયું. પરિવાર ખુશીના દિવસો જુએ તે પહેલા જ વ્હાલસોયાને ગુમાવ્યો.

આ પણ વાંચો :-

 

MS યુનિવર્સિટીમાં પાર્ટીની રંગત : હોસ્ટેલમાં ચિકન -દારૂની પાર્ટી કરી કુકડુ કુ ગીત વગાડ્યું, VIDEO વાયરલ

0

Party in MS University: Chicken-alcohol party

  • વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે.

વડોદરાની (Vadodara) MS યુનિવર્સિટી વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. શિક્ષણના ધામ (A home of learning) સમાન વડોદરાની (Vadodara) એમ.એસ.યુનિવર્સિટીની (MS University) હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અજાણ્યા શખ્સોએ યુનિવર્સિટીમાં પાર્ટી કેમ કરી તેવો અણીયારો સવાલ ઊભો થયો છે. (Currently, a hive of controversy has erupted in this matter. An urgent question has arisen as to why unknown persons threw a party in the university.)

વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂ અને નોનવેજની પાર્ટી :

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ‘ચિકન કુકડુ કુ’ ગીત વાગે છે. તેમજ હોસ્ટેલ રૂમમાં બેસીને અજાણ્યા વિદ્યાર્થીઓ દારૂ અને ચિકનની પાર્ટીની મોજ માણતા નજરે  પડે છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસ યુનિવર્સિટી સત્તાધીશોનું આબરૂ ધૂળધાણી થઇ છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

બીજી બાજુ MS યુનિવર્સિટીમાં પાર્ટીની રંગતને લઇને અજાણ્યા વિદ્યાર્થીઓને કોનું છે પીઠબળ? અને શિક્ષણના ધામને અભડાવવાનો ઉદ્દેશ શું ? તેવા પણ સવાલો ઊભા થયા છે. જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ફરીવાર PM મોદી આવશે ગુજરાત : આ તારીખે રાજકોટવાસીઓને આપશે કરોડોના વિકાસકાર્યોની દિવાળી ભેટ, યોજાશે ભવ્ય રોડ-શો

0

PM Modi will come to Gujarat again :

  • ગુજરાતમાં ચૂંટણીને ધ્યાને લેતા છેલ્લાં કેટલાય દિવસથી રાજ્યમાં PM મોદીના પ્રવાસ વધી ગયા છે. ત્યારે એકવાર ફરી 19 ઓક્ટોબરે PM મોદી ગુજરાત આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવરજવર કરી રહ્યાં છે. જેમાં PM મોદીથી માંડીને અમિત શાહ (Amit Shah), જે.પી નડ્ડા, અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના CM ભગવંત માન (CM Bhagwant Man) સહિત અનેક નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે.

ત્યારે છેલ્લા 3 દિવસથી PM મોદી ગુજરાતની મુલાકાતે છે. જેમાં આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. ત્યારે વધુ એકવખત પીએમ મોદી ગુજરાત આવશે. (PM Modi is visiting Gujarat for the last 3 days. Today is the last day of PM Modi’s Gujarat tour. Then once again PM Modi will come to Gujarat.)

રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ :

PM મોદી ફરીવાર 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. તદુપરાંત PM મોદી રાજકોટવાસીઓને મોટી ભેટ પણ આપશે. PM મોદી રાજકોટમાં રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. ત્યારે PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

ગઇકાલે અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને આ અંગે મહત્વની બેઠક પણ યોજાઈ :

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 19 ઓક્ટોબરના રાજકોટના કાર્યક્રમને લઇને ગઇકાલે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ 100થી વધુ સંગઠનો સાથે વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા સૌએ એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીને અપીલ કરી હતી. તેમજ 19મીએ રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી PMના ભવ્ય રોડ-શોના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટથી રેસકોર્સના સભાસ્થળ સુધી રોડ-શો યોજવાનું આયોજન છે. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી બને અને એક યાદગીરીરૂપ ભવ્ય કાર્યક્રમ યોજાય એ માટેની પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Avalanche Uttarkashi : ઉત્તરકાશી દુર્ઘટનામાં લાપતા અર્જુનસિંહનો મૃતદેહ મળ્યો, 6 દિવસ બરફમાં દટાયેલો રહ્યો

0
  • દ્રૌપદી કા ડંડા શિખર પર ગયેલા ભાવનગરના બે યુવાન ફસાયા હતા. જેમાંથી કલ્પેશ બારૈયા જીવિત મળી આવ્યો હતો. પરંતુ અર્જુનસિંહ ગોહિલ હિમસ્ખલન થતાં ફસાઈ ગયા હતા. પરંતું છ દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો

ઉત્તરકાશીના (Uttarkashi) ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે ગુજરાતી પર્વતારોહકનો (Gujarati mountaineer) મૃતદેહ બહાર કાઢ્યો છે. ગુજરાતના 5 યુવાનો ટ્રેકિંગ માટે ગયા હતા. જેમાંથી ચાર યુવકોનો જીવ બચી ગયો હતો. પરંતુ ભાવનગર (Bhavnagar) જિલ્લાનો એક પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલ હજી પણ લાપતા હતો. જેનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. અર્જુનસિંહને (Arjun Singh) યાદ કરીને તેના સાથી મિત્રો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. (But Arjun Singh Gohil, a mountaineer from Bhavnagar district, was still missing. His body was found under the snow after 6 days. Remembering Arjun Singh, his fellow friends were very emotional.)

પરિવાજનોમાં દુખનો માહોલ છવાયો :

ભાવનગરના પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. દ્રૌપદી કા ડંડા શિખર પર ગયેલા ભાવનગરના બે યુવાન ફસાયા હતા. એડવાન્સ કોર્સ માટે ગયેલા ભાવનગરના બે યુવાનો કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ હિમસ્ખલન થતાં ફસાઈ ગયા હતા. અગાઉ શોધખોળ દરમ્યાન કલ્પેશ બારૈયા ભાવનગરનો કલ્પેશ બારૈયા સહીસલામત મળી આવ્યો હતો.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

જ્યારે કે જિલ્લાના ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલની કોઈ ભાળ નહિ મળતા શોધખોળ હાથ ધરાઇ હતી. ઘણા દિવસની શોધખોળ બાદ પર્વતારોહી યુવાન અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ચિત્રાવાવ ગામના આશાસ્પદ પર્વતારોહી યુવાનનો મૃતદેહ મળી આવતા ગામના લોકો શોકાતુર બન્યા છે.

મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી  :

ઉત્તરાખંડમાં માર્યા ગયેલા પર્વતારોહી યુવક માટે ગુજરાત સરકારે સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડના હિમપ્રપાતમાં ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામના પર્વતારોહક અર્જુનસિંહ ગોહિલના નિધનની ઘટનાથી દુ:ખની લાગણી અનુભવું છું. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. રાજ્ય સરકાર તેમના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય આપશે.

આ પણ વાંચો :-

સ્માર્ટફોન ખોવાઈ જવા પર અથવા ચોરી થવા પર કરો આ કામ, નહીં તો થઈ જશો કંગાળ

Do this when the smartphone is lost

  • જો તમારો સ્માર્ટફોન ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે તો પહેલા આ કામ કરો નહીંતર તમારો બધો ડેટા અને એકાઉન્ટના પૈસા પણ ચોરાઈ શકે છે.

સ્માર્ટફોન (Smartphone) એક એવું ગેજેટ છે જેનો ઉપયોગ આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ કરે છે. ફોનનો ઉપયોગ કોઈને કોલ કરવા અથવા મેસેજ (Message) કરવા તેમજ અન્ય ઘણી વસ્તુઓ માટે કરી શકાય છે. આ જ કારણ છે કે આપણામાંના મોટાભાગના લોકો ફોન પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં જો ભૂલથી આપણો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આપણો જીવ અધ્ધર થઈ જાય છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તમારે તરત જ આ વસ્તુ કરવી જોઈએ. (Today we are going to tell you about some things that you should always be aware of. You should do this immediately if your phone is lost or stolen.)

ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો સૌથી પહેલા આ કામ કરો :

તમને જણાવી દઈએ કે CEIR એક સત્તાવાર વેબસાઈટ છે જે Department of Telecommunications દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઇટનું કામ સ્માર્ટફોનની ચોરી અને તેના કારણે થતી ડેટાની ચોરીને ઘટાડવાનું છે. આ વેબસાઈટની મુલાકાત લઈને તમે એક ફોર્મ ભરીને તમારા ખોવાયેલા ફોનની જાણ કરી શકો છો. રિપોર્ટ કરવા માટે તમારે પહેલા FIR દાખલ કરવી પડશે. જો ફોન ખોવાઈ જાય, તો સૌ પ્રથમ ફોનને બ્લોક કરો.

ડેટા સાથે કરો આ કામ  :

ફોનને બ્લોક કર્યા પછી ડેટાને રિમોટલી ઈરેજ કરો. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો www.google.com/android/find પર જાઓ અને તમારા Google ID અને પાસવર્ડથી લોગ ઇન કરો. અહીં તમને ફોનની ડિટેલ્સ અને લોકેશન મોકલવામાં આવશે. હવે ‘સેટ અપ સિક્યોર’નો વિકલ્પ પસંદ કરો અને પછી તમારો ડેટા ઈરેઝ કરી નાખો. iPhone યુઝર્સ www.icloud.com/find/ પર જઈને, Apple ID અને પાસવર્ડ વડે લોગઈન કરીને આ કરી શકે છે.

બ્લોક કરો તમારૂ સિમ કાર્ડ :

આ બંને કામ કર્યા પછી હવે એક બીજું કામ કરવું જરૂરી છે અને તે છે સિમ કાર્ડ બ્લોક કરવું. તમારા ફોનના સિમ કાર્ડને બ્લોક કરવા માટે તમારે તમારા ટેલિકોમ ઓપરેટર પાસે જવું પડશે. આ કામ કરવા માટે, તમારે તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી FIRની નકલ લેવી જરૂરી છે. આની મદદથી ઓપરેટરને પૂછીને ફોનનું સિમ કાર્ડ બ્લોક કરી દો.

આ પણ વાંચો :-

Firecrackers Ban : આ રાજ્યમાં દિવાળી પર નહીં ફુટે ફટાકડા, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ યતાવત રાખ્યો

0

Firecrackers Ban: Firecrackers should not

  • ભાજપ સાંસદ મનોજ તિવારીએ તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદ અને ઉપયોગ પર લાગેલા પ્રતિબંધના આદેશને પડકાર્યો હતો.

દિલ્હી એનસીઆરમાં (Delhi NCR) વધતા પ્રદૂષણના સ્તર પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ હટાવવાથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવાર (10 ઓક્ટોબર) એ કહ્યું કે કોર્ટ ફટાકડાના ઉપયોગના સંબંધમાં પહેલા વિસ્તૃત આદેશ પસાર કરી ચુકી છે અને પાછલો આદેશ યથાવત રહેશે. અમે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ફટાકડા પર પ્રતિબંધ (Ban on firecrackers) હટાવીશું નહીં. અમારો આદેશ ખુબ સ્પષ્ટ છે.

સુપ્રીમ કોર્ટે રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરતા ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી પર આ ચુકાદો આપ્યો છે. મનોજ તિવારીએ અરજી દાખલ કરી તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર લાગેલા પ્રતિબંધને પડકાર્યો હતો. (Manoj Tiwari filed the petition challenging the ban on sale, purchase and use of firecrackers during the festive season.)

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ફટાકડા પર પ્રતિબંધને લઈને અમારો સ્પષ્ટ આદેશ છે. અમે ફટાકડાની મંજૂરી કઈ રીતે આપી શકીએ, ભલે તે ગ્રીન ફટાકડા હોય. શું તમે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જોયું છે.

સુપ્રીમ કોર્ટે પરાલીનો પણ કર્યો ઉલ્લેખ :

ન્યાયમૂર્તિ એમ આર શાહની અધ્યક્ષતાવાળી પીઠે મામલાની સુનાવણી કરતા કહ્યું- ગિવાળી બાદ દિલ્હી એનસીઆરની વાયુ ગુણવત્તા વધુ ખરાબ થશે. જેનાથી સ્થિતિ વધુ ખરાબ થશે. પીઠે આ અરજીને અન્ટ પેન્ડિંગ મામલા સાથે ટેગ કરતા પરાલીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ગ્રીન ફટાકડાના ઉપયોગને પણ પ્રતિબંધિત કરવામાં આવે. આગામી કેટલાક દિવસ આપણા બધા માટે મુશ્કેલ હશે.

મનોજ તિવારીએ કરી હતી આ માંગ :

મનોજ તિવારીએ પોતાની અરજીમાં દિલ્હી સરકારના તે આદેશને પડકાર્યો જેમાં હિન્દુઓ, શીખો, ઈસાઈઓ અને અન્ય લોકોના તહેવારોની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. અરજીમાં બધા રાજ્યોને તે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી કે આગામી તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ કે ઉપયોગ કરનાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવા જેવી દંડાત્મક કાર્યવહી ન કરવામાં આવે.

દિવાળી પર પ્રતિબંધ યથાવત રહેશે :

અરજીમાં કહેવામાં આવ્યું કે દિવાળી જેવા તહેવારોમાં આ પ્રકારની ધરપકડ અને એફઆઈઆરથી ન માત્ર સમાજમાં મોટા પાયે એક ખોટો મેસેજ ગયો છે. સાથે બિનજરૂરી રૂપથી લોકોમાં ભય અને ગુસ્સો પેદા થયો છે. પરંતુ સુપ્રીમ કોર્ટનું વલણ સ્પષ્ટ છે કે દિવાળી, છઠ પૂજા, ગુરૂ નાનક જયંતી અને નવા વર્ષ પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ યથાવત રહેશે.

આ પણ વાંચો :-