Home Blog Page 1281

વારંવાર તરસ લાગે છે તો થઈ જજો સાવધાન, ક્યાંક તમે આ બીમારીઓના શિકાર તો નથી બની ગયા ને?

If you feel thirsty often, be careful

  • જો તમને પણ વધુ પાણી પીવાની આદત છે તો તમે આ બીમારીનો શિકાર હોય શકો છો.

આપણા શરીરમાં 70 ટકા પાણી હોય છે અને જેટલું વધુ પાણી પીએ તેને સ્વાસ્થ્ય (Health) માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પાણી વધુ પીવાઇ છે પણ કેટલાક લોકો એવા હોય છે જે દર કલાકે સામાન્ય કરતા વધુ પાણી પીવે છે. અને તેના કારણે એ એક્સ્ટ્રીમ થર્સ્ટનો (Extreme Thirst) શિકાર છે. આવી સ્થિતિને મેડિકલ ભાષામાં પોલિડિપ્સિયા (Polydipsia) પણ કહેવામાં આવે છે.

જો તમને પણ વધુ પાણી પીવાની આદત છે તો તમે આ બીમારીનો શિકાર હોય શકો છો. જો એવું હોય તો તેને હળવાશથી ન લો અને તરત જ ડોક્ટરની સલાહ લો અને જરૂર પડે તો આવી સ્થિતિમાં બ્લડ ટેસ્ટ કરાવો જેથી તમને સમયસર બીમારીની ખબર પડી શકે. જો કે વધુ પડતી તરસ લાગવી એ બીજી બીમારીઓની નિશાની પણ હોય શકે છે.

વધુ પડતી તરસ લાગવી આ બીમારીનું લક્ષણ હોય શકે :

ડિહાઈડ્રેશન Dehydration :

જો કે આ કોઈ બીમારી નથી પણ તે એક ખરાબ કન્ડિશન છે. ડિહાઇડ્રેશન એ એવી સ્થિતિ છે જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને તેમાં ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા અને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ડાયાબિટીસ Diabetes :

જ્યારે કોઈને પહેલી વખત ડાયાબિટીસ થાય છે. ત્યારે તે બીમારીને ઓળખવી સહેલી નથી. પણ વધુ પડતી તરસ લાગવી એ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. જ્યારે તમને ખૂબ તરસ લાગે ત્યારે બ્લડ સુગર ટેસ્ટ કરાવવું જોઈએ.

એનેમિયા Anemia :

જ્યારે આપણા શરીરમાંથઈ રેડ બ્લડ સેલ્સ ઓછા થવા લાગે ત્યારે એનિમિયાનો રોગ થાય છે. તેને સામાન્ય ભાષામાં લોહીની ઉણપ પણ કહેવાય છે. આવી સ્થિતિમાં પણ વધુ તરસ લાગે છે.

આ પણ વાંચો :-

વિચિત્ર સજા ! ઉનાની સ્કૂલમાં સફાઇનો ઇનકાર કરતા શિક્ષકે ફટકારી એવી સજા કે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

0

Strange punishment! A teacher who refused

  • ગીર સોમનાથના ઉનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉનાની એક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને આકરી સજા આપતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઉનાની (Una) એક સ્કૂલમાં શિક્ષકે ધોરણ 10ના વિદ્યાર્થીને સફાઇ કરવાનું કહેતા તે વિદ્યાર્થીએ (Student) સફાઇ કરવાનું ના કહી દીધું હતું. આથી શિક્ષકે વિદ્યાર્થી સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું. વિદ્યાર્થીએ શિક્ષકના કહેવા પર સફાઇ ના કરતા શિક્ષકે (The teacher) વિદ્યાર્થીને 200થી વધુ ઉઠકબેઠક કરાવી હતી.

ધોરણ-10ના વિદ્યાર્થીને શિક્ષકે 200થી વધારે ઉઠકબેઠક કરાવતા વિદ્યાર્થીની તબિયત લથડી હતી. આથી તેને પહેલા ઉનાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને રાજકોટની સવાણી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી.

પહેલેથી જ શાળાને જાણ કરી હતી, કાર્યવાહીની માંગણી કરાઇ :

વધુમાં મળતી માહિતી મુજબ વિદ્યાર્થીના પિતાએ તેમનો પુત્ર પહેલેથી જ નબળો હોવાની જાણ શાળાના સંચાલકો અને શિક્ષકોને કરી હતી. તેમ છતાં શિક્ષકે તે વિદ્યાર્થીને ઉઠકબેઠકની સજા કરી હતી. જોકે આ ઘટનાને થોડાક દિવસ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં આ બનાવમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

મારા પુત્રને કીડની પર અસર થતા સોજો આવ્યો : વિદ્યાર્થીના પિતા

આ ઘટના અંગે વિદ્યાર્થીના પિતા મહેશભાઇનું કહેવું એમ છે કે, મારો છોકરો સરસ્વતી સ્કૂલમાં ભણે છે. તેને સાહેબે 200 ઉઠક બેઠક કરાવી. આથી મારો છોકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે એની પિન્ની ચઢી ગઇ હતી. પછી ડૉક્ટર પાસે ગયો તો એની પિન્ની તો ચઢાવી દીધી પણ એને વોમિટ બંધ નહોતી થતી. આથી શાહ સાહેબને બતાવવા ગયા તો શાહ સાહેબે કીધું કે ત્રણ દિવસનો કોર્ષ આપું છું, જો ના ફેર પડે તો પછી રિપોર્ટ કઢાવવો પડે.

આથી ત્રણ દિવસ સારવાર કરાવી પણ કંઇ ફેર ના પડ્યો એટલે રિપોર્ટ કઢાવ્યા. રિપોર્ટ જોઇને પીછડિયા સાહેબ પાસે ગયા તો સાહેબે રાજકોટ મોકલ્યા. ત્યારે રાજકોટની હોસ્પિટલવાળાનું કહેવું એમ છે કે, આને ડાયાલીસીસ કરાવવું પડે. તેને કિડનીમાં સોજા ઉતરતા નથી. પછી અમે પૈસાના બંદોબસ્ત કરવામાં પડ્યા. મારા પુત્રને કીડની પર અસર થતા તેને સોજો આવ્યો હોવાથી ડોક્ટરે ડાયાલીસીસ કરવાનું કહ્યું છે.

તેમજ અમારી આર્થિક સ્થિતી પણ નબળી હોવાથી અમે સારવાર માટે કાર્ડ કઢાવવા આમથી તેમ દોડાદોડી કરી રહ્યાં છીએ. પછી હું જ્યારે સ્કૂલમાં ગયો ત્યારે કહ્યું કે, પ્રાર્થનામાં હાજરી નથી આપતો. મે ચારેબાજુથી પૈસાં ભેગાં કરીને 30થી 35 હજાર જેટલાં રૂપિયા મારી દીકરા અને પત્નીને દઇને આવ્યો અને હજુ પણ હું પૈસાનો બંદોબસ્તમાં લાગ્યો છું.’

આ પણ વાંચો :-

ગુજરાતમાં પ્રવેશતી બસમાંથી ઝડપાયું અધધ… 143 કિલો ચાંદી, બસમાં એવી જગ્યાએ સંતાડ્યું હતું કે…

Half… 143 kg of silver was seized from

  • આગરાથી અમદાવાદ આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી 86 લાખની ચાંદી ઝડપાઈ.

ગુજરાત-રાજસ્થાન બોર્ડર (Gujarat-Rajasthan border) પર આવેલી માવલ ચોકી પરથી આબુરોડની રિકો પોલીસે નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરતાં આગરાથી અમદાવાદ (Agra to Ahmedabad) જઈ રહેલી લકઝરી બસમાંથી અંદાજે ૮૬ લાખ રૂપિયાની કિંમતની ૧૪૩ કિગ્રા ચાંદીનો જથ્થો જપ્ત કરી આ લકઝરીને રિકો પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી અને તેમાં સવાર અન્ય મુસાફરોને બીજા વાહનોમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના આબુરોડની રિકો પોલીસ સ્ટેશનનો સ્ટાફ માવલ પોલીસ ચોકીએ નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન આગરાથી અમદાવાદ જઈ રહેલી એક સ્લીપર લકઝરી નં. GJ-14-X-9845ને થોભાવી તેમાં તપાસ હાથ ધરી હતી. જેમાં લકઝરીની સીટ નંબર ૧૧ અને ૧૨ની નીચે ખાસ પાટેશન બનાવવામાં આવ્યું હતું.

જેમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કટ્ટામાં ચાંદીની ધાતુથી બનેલા ઘરેણાં ભરેલાં હતા. કોઈ પણ જાતના પાસ પરમિટ વિના વધુ માત્રામાં ચાંદીનું પરિવહન કરતાં  કલમ ૧૦૨ સીઆરપીસી મુજબ ચાંદીને જપ્ત કરી સ્લીપર બસને કલમ ૨૦૭ એમવી એક્ટ અંતર્ગત ડિટેઇન કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ઈટાલિયા-ઈરાની વચ્ચે તું તું મેં મેં : સ્મૃતિ મારા જૂના વીડિયો પોસ્ટ કરે છે, ગેસના બાટલા માથે……

0

Between Italy-Iran Tu Tu Mein Mein

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાના અપમાન મામલે સ્મૃતિ ઈરાનીના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર. કહ્યુ- ઈટાલિયાએ રાજકારણમાં ચમકવા માટે હીરાનું અપમાન કર્યુ. ગુજરાતની જનતા PMની માતાનું અપમાન સહન નહીં કરે. ચૂંટણીમાં જનતા જવાબ આપશે.

ગુજરાતની ચૂંટણીઓમાં (Gujarat election) અત્યાર સુધી બે રાજકીય પક્ષો વચ્ચે હોડ ચાલતી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) એન્ટ્રી થતા ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના (Gopal Italia) મહિલાઓના વિવાદને લઈને રાજકીય મામલો ગરમાયો છે. ભાજપ અને આપના નેતાઓ સામસામે પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની (Gopal Italia) અટકાયત બાદ ભાજપના નેતા સ્મૃતિ ઈરાની (Smriti Irani) મેદાનમાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાના અપમાન મામલે સ્મૃતિ ઈરાનીએ ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરતા કહ્યુ કે ઈટાલિયાએ રાજકારણમાં ચમકવા માટે હીરાનું અપમાન કર્યુ છે. ગુજરાતની જનતા PMની માતાનું અપમાન સહન નહીં કરે. ચૂંટણીમાં જનતા જવાબ આપશે.

AAP ને ગુજરાતની જનતા પાઠ ભણાવશે :

ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીના આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, AAP ને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતીઓનું અપમાન કર્યુ છે. રાજકીય ફાયદા માટે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ચૂંટણીમાં ફાયદા માટે આપના નેતાઓ નિવેદન આપી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં AAP ધ્વસ્ત થઈ જશે.

ગોપાલ ઈટાલિયાનો સ્મૃતિ ઈરાનીને વળતો જવાબ :

સ્મૃતિ ઈરાનીને જવાબ આપવા ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભાજપ જુના વીડિયો વાયરલ કરી મત માંગવા નીકળ્યા છે. NCW માં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે મેડમે મારી સાથે ખરાબ વર્તન કર્યું. ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી.

પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રી પદેથી ગાળો ભાંડી છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ છે. પાટીદાર આગેવાનો સાથે વાત થતા કહ્યું આવું ન થવું જોઈએ. સ્મૃતિ ઈરાની મારા જુના વિડીયો પોસ્ટ કરે છે પણ તે ગેસના બાટલા માથે લઈને રોડ પર નાચતા હતા તેવા વીડિયો પણ તેને પોસ્ટ કરવા જોઈએ.

આ પણ વાંચો :-

વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું જાપાનનું આ ટોઈલેટ, ખાસિયત એવી કે જાણીને તમે પણ થઈ જશો વિચારતા

This Japanese toilet has become a topic

  • રિપોર્ટસ મુજબ આ જાપાની ટોઈલેટમાંથી દર વર્ષે આ દેશમાં લાખો લીટર પાણીની બચત થાય છે. એવામાં જો તમે દરેક ઘરમાં આ ટોઈલેટ ઈન્સ્ટોલ કરાવો તો વિશ્વમાં પાણીની સમસ્યા ઘણી ઓછી થઇ શકે છે.

તમે બધાએ તમારી સુવિધાની દ્રષ્ટિએ તમારા ઘરમાં વોશરૂમ (Washroom) બનાવડાવ્યું હશે. વોશરૂમમાં નવા અંદાજના મોર્ડન ફિટીંગ્સની એન્ટ્રી થઇ ગઇ છે. આ વાત એવા જપાની ઈકોફ્રેન્ડલી ટોઈલેટની (Japanese eco-friendly toilet) જેની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે.

જપાની ટેકનિકનો ઉપયોગ વિશ્વભરમાં દશકોથી પૂરા ભરોસા સાથે થઇ રહ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ (Electronics) હોય કે ઈનોવેશન દરેક મામલે જપાની પ્રોડક્ટ્સનો કોઈ તોડ નથી.

ચર્ચામાં જાપાની ટોઈલેટ :

હાલ એક વાત જાપાની ટોઈલેટની જે દર વર્ષે લાખો લીટર પાણી બચાવવાની પોતાની ખાસિયતને પગલે ચર્ચામાં આવ્યું છે. જેને લઇને એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પર્યાવરણને અનુકૂળ આ ટોઈલેટની ડિઝાઈનથી વોશરૂમમાં જગ્યાની બચત થાય છે. કોમ્પેક્ટ વોશરૂમનો ઉલ્લેખ કરતા એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે જપાન આવા ટોઈલેટનો મોટાપાયે ઉપયોગ કરીને ઘણા વર્ષોથી લાખો લીટર પાણી બચાવી રહ્યું છે.

કમોડમાં શું છે ખાસ? 

જાપાની ટોઈલેટમાં લગાવવામાં આવેલા આ કમોડની તસ્વીરને જો તમે ધ્યાનથી જોશો તો આ શીટમાં એક ફ્લશ ટેન્ક છે, જેની ઉપર એક હેન્ડવોશિંગ સિન્ક લગાવી છે. જેમાં લગાવેલા એક પાઈપના કારણે હાથ ધોવાથી નિકળતા સાબુનુ પાણી ટોઈલેટમાં વહેવાને બદલે ફ્લશ ટેન્કમાં જાય છેે.

આ પ્રક્રિયાથી દરરોજ ઘણા લીટર પાણીની બચત થાય છે. ઉલ્લેખનીય છે કે આ સિન્ક પર લગાવેલા નળનુ પાણી તાજુ હોય છે. પરંતુ ટોઈલેટની આ ડિઝાઈનના કારણે દરરોજ ઘણુ પાણી બચી જાય છે અથવા તેનો યોગ્ય ઉપયોગ થાય છે.

આ પણ વાંચો :-

 

હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે ! ચૂકવવો પડશે 18 ટકા GST, જાણી લો વિગત

0

From now on, eating parathas

  • હવેથી હોટેલ રેસ્ટોરાંમાં પરાઠા ખાવા મોંઘા પડશે. કારણ કે પરાઠા પર 18% GST લગાડવામાં આવ્યો છે.

એક તરફ દિવસે ને દિવસે મોંઘવારી (Inflation) વધી રહી છે ને બીજી બાજુ ગુજરાત એપેલેટ ઓથોરિટીએ મહત્વનો ચુકાદો આપ્યો છે. એટલે કે હવેથી હોટેલ રેસ્ટોરાંમાં (Hotel Restaurants) પરાઠા પર 18% GST લાગશે. પરાઠા વેપારીઓની GAAARના હુકમને પડકારતી અરજી ગુજરાત એપેલેટ ઓથોરિટીએ ફગાવી દીધી છે.

પરાઠાઓ એ સાદી રોટલી નથી : GAAAR

GAAARનું કહેવું છે કે પરાઠાઓ એ સાદી રોટલી નથી. આથી પરાઠા પર 18% GST લાગશે. પરાઠા પ્લેન રોટી કે સાદી રોટીથી અલગ છે. પરાઠાને પ્લેન રોટીમાં વર્ગીકૃત ન કરી શકાય. પરાઠા અને રોટલીની સરખામણી ન કરી શકાય.’ મહત્વનું છે કે પરાઠા પર 18% GSTને લઈને અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે પરાઠાને રોટલી સમાન ગણાવી ઓછાં GST દરની માંગ કરી હતી.

Uttar Pradeshમાં રસ્તાની હાલત તો જુઓ, ભૂવામાંથી બાઈક નીકળ્યું

તમને જણાવી દઇએ કે યુનિફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે, પરંતુ તેની ગૂંચવણો હજુ ખતમ થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે. ત્યારે રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ કંઇક આવું જ છે.

પરાઠા પર 18 ટકા GST અને રોટલી પર લાગશે 5 ટકા GST :

જો તમારે પરાઠા (frozen) ખાવા હોય તો હવે તેની પર તમારે 18 ટકા GST ચૂકવવો પડશે. જ્યારે રોટલી ખાવી હોય તો 5 ટકા GST રહેશે. ભૂતકાળમાં પણ રોટલી-પરાઠા પરના GSTને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે, બંને બનાવવા માટેની મૂળભૂત સામગ્રી ઘઉંનો લોટ જ છે, આથી તેની પર સમાન જીએસટી લાગુ થવો જોઈએ.

આ અંગે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે પણ જણાવ્યું હતું કે, તેઓ 8 પ્રકારના પરાઠા બનાવે છે. જેમાં મુખ્યત્વે લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. માલાબાર પરાઠામાં લોટનું પ્રમાણ 62 ટકા અને મિશ્ર શાકભાજીના પરાઠામાં 36 ટકા હોય છે.

પરંતુ ગુજરાત જીએસટી ઓથોરિટીએ કહ્યું કે રોટલી રેડી ટુ ઇટ છે, જ્યારે પરાઠા રેડી ટુ કૂક છે. ટેક્સ સત્તાવાળાઓ સ્પષ્ટપણે કહે છે કે પરાઠા રોટીથી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી લગાવ્યા વિના રોટલી ખાઈ શકો છો, પરંતુ તેની વગર પરાઠા નથી બનતા. કારણ કે ઘી ચોપડેલી રોટલી કે પરાઠા એક રીતે અલગ કેટેગરીમાં આવે છે, આથી તેની પર 18 ટકાના દરે ટેક્સ વસૂલવો હિતાવહ છે.

દૂધ અને ફ્લેવર્ડ દૂધ વચ્ચે પણ છે આવો જ તફાવત :

રોટલી અને પરાઠાની જેમ જ GST વિવાદ દૂધ અને સુગંધિત અથવા તો ફ્લેવર્ડ મિલ્કને લઈને છે. ગુજરાતના GST સત્તાવાળાઓએ ફ્લેવર્ડ મિલ્ક પર 12 ટકા GST માન્ય રાખ્યો છે, જ્યારે દૂધ પર કોઈ ટેક્સ નથી રાખ્યો.

આ પણ વાંચો :-

 

પેટ્રોલ-ડીઝલને લઈ મોટા સમાચાર, દિવાળી પહેલા નહીં ઘટે ભાવ, અરવલ્લીમાં કેન્દ્રિય મંત્રી ધમેન્દ્ર પ્રધાને આપ્યો સંકેત

0

Big news about Petrol-Diesel, prices will not

  • પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલમાં કોઈ રાહત નહિ.

ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના (Petrol Diesel) તોતિંગ ભાવ જનતાના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. લોકો એક રાહતની નજરે સરકાર સમક્ષ જોઈ રહ્યા છે કે દિવાળી ટાણે સરકાર પેટ્રોલ ડિઝલના ભાવમાં થોડી રાહત આપી શકે છે. પણ માઠા સમાચારએ મળી રહ્યા છે કે દિવાળી પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં (In petrol-diesel prices) ઘટાડો નહીં થાય

તેલના ભાવો ઘટાડવા માટે ભારતે પણ કરી છે માંગણી : ધર્મેન્દ્ર પ્રધાન

આ અંગે કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને અરવલ્લીમાં મીડિયા સાથે કરેલી વાતચીમાં કહ્યું કે દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલમાં કોઈ રાહત આપી શકાય તેમ નથી. કારણ કે ઉત્પાદનકારી દેશો અપ્રાકૃતિક દબાણ વધારી રહ્યા છે. જેના કારણે કાચું તેલ જ ખૂબ મોંઘું મળી રહ્યું છે. તેલના ભાવો ઘટાડવા માટે ભારત સતત ઈંધણ ઉત્પાદક દેશો પાસે માંગણી કરી રહ્યું છે.

ઈંધણના ભાવ ઘટાડવાના મૂડમાં નથી સરકાર :

મંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી આંતરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ભડકે ભળતા રહેશે ત્યાં સુધી કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે ઈંધણના ભાવ ઘટાડવાના મૂડમાં નથી એટલે કે દિવાળીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે તેવી આશા માંડીને બેઠેલો લોકોને ફટકો પડ્યો છે.

અરવલ્લીમાં ગુજરાત ગૌરવયાત્રામાં લીધો ભાગ :

મહત્વનું છે કે ગુજરાત ગૌરવ યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી હતી જેની અધ્યક્ષતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી. જેમાં પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, કે સી પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંબોધન દરમિયાન ઘમેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા કહ્યું હતું કે એક પરિવારે દેશને પોતાની જાગીર સમજી, એક પરિવાર દેશનો માલિક બની બેઠો.

તાકાત હોય તો ભારત જોડો યાત્રા ગુજરાતમાં લઈને આવો, આ કોંગ્રેસને 27 વર્ષથી ગુજરાત માંથી ભગાડી છે કારણ કે અમે મજૂર છીએ, પ્રજા અમારી માલિક છે. ગુજરાત વિરોધી બહુરૂપી પાર્ટીથી દુર રહેવા પણ જનતાને અપીલ કરી હતી.

આ પણ વાંચો :-

BIG NEWS : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોનું આજે થઈ શકે એલાન, 3 વાગે ECની પ્રેસ કોન્ફરન્સ

0

BIG NEWS: Election dates in Gujarat

  • વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે, ત્યારે આજે ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોનું એલાન કરી શકે છે.

મળતી જાણકારી પ્રમાણે આજે બપોરે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું (Press conference) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને ગુજરાતની (Gujarat) વિધાનસભા ચૂંટણીની તારીખોનું મહત્વનું એલાન ચૂંટણી પંચ કરી શકે છે.

15 ઓક્ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થાય તેવી શક્યતા :

ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રથી મળતી વિગત પ્રમાણે 15 ઓક્ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થઇ શકે છે.નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે ગત ટર્મનાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી.

આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકિય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

ઉમેદવાર ભૂતકાળ અપરાધિક છે તેની મતદારોને વિગત અપાશે :

આ વખતે ઉમેદવાર તરીકે નામાંકન બાદ ત્રણ વખત ભૂતકાળ અપરાધિક ઉમેદવારોની સમાચાર પત્રોમાં જાહેરાત અપાશે. એફિડેવિટ ઓનલાઈન મુકવામા આવશે. ઉમેદવારની જાણકારી માટે ખાસ એપ્લિકેશન પણ બનાવાઇ છે. KYC કરેલી વિગતો યોર કેંડિડેટ એપ પર જાણી શકાશે.

રાજકીય પક્ષોઓ ક્રિમિનલ ઉમેદવારો અંગે માહિતી આપવી પડશે. તેમજ ચૂંટણીપંચે પક્ષોને ટકોર કરતાં કહ્યું હતું કે  શા માટે કોઈ બેઠક પર ક્રિમિનલને ટીકીટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ભાજપ સરકારના શાસન પૂર્વેના વર્ષોમાં અઢી દાયકા પહેલાં આદિવાસીઓની હાલત કેવી હતી? અને આજે કેવી છે? અમિત શાહે અરિસો ધરી દીધો

How was the condition of tribals two

  • કેટલાં ગામમાં શાળાઓ હતી, કેટલાં ગામમાં સરકારી દવાખાના હતા, કેટલાં ગામમાં પાકા રસ્તા હતા, કેટલાં ગામમાં પાણીનાં નળ હતા અને કેટલાં લોકો શિક્ષિત હતા?
  • અમિત શાહનાં એકએક સવાલનો કોઈ પાસે જવાબ નહોતો ! આદિવાસી લોકો મનોમંથન કરતાં રહી ગયા
  • ભાજપ સરકારે શહેરોમાં મળતી સુવિધાઓ સમાંતર આદિવાસી વિસ્તારોમાં પણ પહોંચાડી હોવાથી આદિવાસી હવે કોઈની ઉપર નિર્ભર રહ્યો નથી, ખાનગી સંસ્થાના કેમ્પ માટે રાહ જોવી પડતી નથી
  • ગામડાંની ગ્રામ પંચાયતથી સંસદ સુધી ચૂંટાયેલા આદિવાસી સભ્યો અવાજ ઉઠાવી શકે છે અને સમગ્ર આદિવાસીઓનાં કલ્યાણ માટે યોજનાઓ મંજુર પણ કરાવે છે, બીજા કોઈની નહીં, ભાજપની દેન છે
  • આજે સ્થિતિ એવી છે કે, દરેક ગામમાં શાળા છે, દવાખાના છે, પાકા રસ્તા છે, ઘરમાં પીવાના પાણીના નળ છે અને નવી પેઢીનાં શિક્ષિત યુવાઓ સરકારી, ખાનગી સંસ્થાઓમાં નોકરીઓ અને વેપાર, ધંધા પણ કરે છે.

સૌરાષ્ટ્રના જામકંડોરણા (Jamkandorana of Saurashtra) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રાજકીયને બદલે સામાજિક વાતો કરીને લોકોના મન બદલવામાં અપે‌િક્ષત સફળતા મળ્યા બાદ આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) દ‌િક્ષણ ગુજરાતનાં આદિવાસી પ્રભાવિત અને જાણિતા તીર્થસ્થળ ઉનાઈ ખાતેથી ભાજપ પ્રેરિત ‘બિરસા મુંડા આદિવાસી ગૌરવયાત્રા’ અને ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું (Gujarat Pride Yatra) પ્રસ્થાન કરાવતી વખતે બરાબર ખિલ્યા હતા.

યાત્રા પ્રસ્થાન કરાવવાનો સમય બપોરનો હતો. હવામાનમાં રાજકીય અને બપોરના તાપનો ઉકળાટ હતો. પરંતુ અમિત શાહે યાત્રામાં ઉપસ્થિત લોકોને જકડી રાખ્યા હતા. અમિત શાહે ગુજરાતમાં ૨૭ વર્ષનાં ભાજપ સરકારના અને કેન્દ્રમાં આઠ વર્ષની ભાજપ સરકારનાં શાસન પૂર્વેની આદિવાસી પરિવારોની દારૂણ સ્થિતિ અને આજની આદિવાસીઓની સ્થિતિ વચ્ચે છણાવટ કરી ભાજપ સરકારે કરેલા કાર્યોનો અહેસાસ કરાવ્યો હતો. વિતેલા વર્ષોની ભેદરેખા દોરતા અમિત શાહે કહ્યું હતું કે, અઢી દાયકા પૂર્વે પણ આદિવાસી પરિવારો જીવતા હતા અને આજે પણ જીવે છે. પરંતુ અઢી દાયકા પૂર્વેનાં જીવનમાં અને આજના જીવનમાં આસમાન જમીનનો તફાવત છે. કોઈપણ પ્રક્રિયામાં બદલાવ આવતા સમય લાગે છે. મહેનત કરવી પડે છે. આયોજનો કરવા પડે છે અને તો જ અપે‌િક્ષત બદલાવ લાવી શકાય. તેમણે આદિવાસી પરિવારોને જ સવાલ કર્યો હતો કે, આજના રાજકીય પક્ષોના ગૂમરાહ કરવાના ભાષણોને બાજુમાં મુકીને તમારી જાતે નિરીક્ષણ કરો કે, અઢી દાયકા પહેલા તમારી અને તમારા પરિવારની સ્થિતિ કેવી હતી?

માત્ર આદિવાસી હોવાના કારણે કોઈના દયા દાન ઉપર જીવવાની જરૂર નથી. આદિવાસીઓ પણ ભારત દેશના નાગરિકો છે. વિકાસ યોજનાઓ અને બદલાતા આધુનિક જીવન ઉપર જેટલો બીજા લોકોનો અધિકાર છે એટલો જ અધિકાર આદિવાસી પરિવારોનો પણ છે.

વિતેલા અઢી દાયકામાં ઘણું ઘણું બદલાયું છે. પાકા રોડ રસ્તા બન્યા છે, ગામમાં શાળાઓ બની છે, દવાખાના આવ્યા છે અને આદિવાસી સમાજનાં બાળકો શિ‌િક્ષત બનીને સરકારી કે ખાનગી નોકરી માટે હકદાર બન્યા છે. એક સમય એવો હતો કે, આદિવાસી સમાજનો માત્ર મતો મેળવવા માટે ઉપયોગ થતો હતો. ઊંડાણનાં જંગલોમાં જીવતા આદિવાસી પરિવારોને સેવાભાવી સંસ્થાઓનાં દાન, સહાય ઉપર આધાર રાખવો પડતો. તબીબી સહાય મેળવવા માટે ખાનગી સંસ્થાઓનાં મેડિકલ કેમ્પ માટે રાહ જોવી પડતી હતી. પરંતુ આજે અઢી દાયકા પછી તમારા ઘરના આંગણે તબીબી સારવાર આપવામાં આવે છે. ગામના પાદરમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો કિલ્લોલ કરી રહ્યાં છે અને ડુંગરાની ટોચ ઉપર પાઈપ વાટે એટલે કે નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે.

અલબત્ત આ બધુ કરવા માટે ઈચ્છા શક્તિ અને સમય બંને જોઈએ. ઉપરાંત દિર્ઘદૃષ્ટીનું આયોજન પણ હોવું જરૂરી છે. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા એ દિવસથી જ ગુજરાતનાં વનબંધુઓની કાયાપલટ કરવાનું મહાઅભિયાન હાથ ધર્યું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની ભાજપા સરકારોએ આદિવાસી સમાજને ઉજળિયાત સહિત અન્ય સમાજ ‘સમોવડિયો’ બનાવવાનું મહાઅભિયાન ચાલુ રાખ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આદિવાસી સમાજની કાયાપલટની યોજનાઓને હંમેશા અગ્રિમતા આપી રહ્યાં છે અને ફળશ્રૃતિરૂપે ગુજરાતનાં વનબંધુઓના જીવનમાં કેવા કેવા બદલાવ આવ્યા એ કોઈને કહેવા જવાની જરૂર નથી. ખુદ આદિવાસી પરિવારો તેની અનુભૂતિ કરી રહ્યાં છે. બલ્કે આજે પ્રત્યેક આદિવાસી વ્યક્તિ સ્વમાનભેર જીવતો થયો છે. રાજકીય કે સામાજિક પ્રવૃત્તિમાં અનિવાર્ય અંગ બની ગયો છે. આદિવાસી પરિવારોની નવી પેઢીના યુવાનો સરકારી કાર્યાલયોમાં નોકરી કરી રહ્યાં છે. હવે આદિવાસી મહિલાઓને પાણી કે બળતણ માટે ભટકવું પડતુ નથી. ઘરમાં પાણી અને ગેસ બંને છે. આવો અદ્‍ભૂત બદલાવ માત્રને માત્ર ભાજપ શાસનને કારણે જ આવ્યો છે. સરકારી અને સહકારી સંસ્થાઓમાં શિ‌િક્ષત આદિવાસી યુવા ભાઈ, બહેનો કોઈનાં કહેવાથી નહીં પોતાના આત્મવિશ્વાસ સાથે નિર્ણય કરી રહ્યાં છે. આનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે?

અમિત શાહ આજે કોઈ જુદા જ મૂડમાં હતા અને તેમણે એક એક વાતો એવી રીતે રજૂ કરી હતી કે, ઉપસ્થિત લોકોની નજર સામે અઢી દાયકાનાં બદલાવનાં દૃશ્યો પસાર થઈ ગયા હતા અને આદિવાસી પરિવારોને પણ અમિત શાહે અહેસાસ કરાવ્યો હતો કે, ભાજપ શાસનમાં જ છેવાડાના આદિવાસી વિસ્તારો અને પરિવારોના જીવનમાં બદલાવ આવ્યો છે.

ગુજરાતનાં ત્રણ સ્થળેથી વિવિધ યાત્રાઓ કાઢવામાં આવી હતી, પરંતુ ઉનાઈ ખાતેથી આજે રવાના કરવામાં આવેલી બિરસા મુંડા આદિવાસી યાત્રા અને ગુજરાત ગૌરવ યાત્રા ખરેખર પ્રભાવક રહી હતી. સામાન્ય સંજોગોમાં અમિત શાહને લાંબુ વક્તવ્ય આપવાની ટેવ નથી, પરંતુ આજનું ઉનાઈ ખાતેનું તેમનું વક્તવ્ય અને એક-એક શબ્દ કાબીલેદાદ હતા. વળી તેઓ કોઈપણ પ્રકારની તૈયારી કર્યા વગર સાવ સહજ અને મૌલિક વક્તવ્ય આપી રહ્યાં હતાં.

નરી વાસ્તવિકતા અને લાગણીસભર શબ્દોમાં અમિત શાહે કરેલી વાતો આદિવાસી પરિવારોના દિલ અને દિમાગમાં અસર કરી ગઈ હતી અને આત્મનિરીક્ષણ કરવામાં આવે તો અમિત શાહે વર્ણાવેલા અઢી દાયકાના વિકાસની વાતોમાં એક પણ મુદ્દો કે વાત ખોટા નહોતા. આદિવાસી પરિવારોનું અઢી દાયકા પૂર્વેનું જીવન અને અઢી દાયકા પછીનું આજનું વાસ્તવિક જીવન પદ્ધતિને સરખાવવામાં આવે તો આદિવાસી વિસ્તારો અને આદિવાસી પરિવારોના જીવનમાં આવેલા ચમત્કારિક બદલાવનો કોઈ જ ઈન્કાર નહીં કરી શકે.

અંતમાં અમિત શાહે આદિવાસી વિસ્તારોમાં વધુ માળખાગત સુવિધાઓ આપવા આદિવાસી પરિવારોને વધુ શિ‌િક્ષત કરવા સાથે તેમના બંધારણિય હક્કો અપાવવા અને વધુ ઉજ્જવળ ભવિષ્યનાં નિર્માણ કરવા માટે ફરી ભાજપની સરકાર બનાવવા અનુરોધ કર્યો હતો અને સભામાંથી જોશભર્યા ઉત્સાહ સાથે પ્રતિસાદ પણ મળ્યો હતો.

કદાચ ઘણાં લોકોને અમિત શાહનું વક્તવ્ય તત્કાળ નહીં સમજાયું હોય, પરંતુ વિશ્લેષણ સાથે જેમ જેમ સમજ પડતી જશે તેમ તેમ આદિવાસી સમાજને કાચ જેવું સત્ય સમજાઈ જશે.

આ પણ વાંચો :-

વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપી સાજન ભરવાડને મળ્યા શરતી જામીન, પણ સાથે હાઈકોર્ટે લગાવ્યા આ પ્રતિબંધ

0

Accused Sajan Bharwad, who attacked lawyer

  • સાજન ભરવાડ ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી સુરત શહેરમાં પ્રવેશી નહીં શકે, એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ.

સુરતમાં વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ (Sajan Bharwad) તરફી જામીન અરજીની માંગ સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે 9 સપ્ટેમ્બરના રોજ ના મંજૂર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સાજન ભરવાડના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેની સુનાવણીમાં આજે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડને શરતી જામીન આપી દેવામાં આવ્યા છે.

હાઇકોર્ટે શું શરતે જામીન આપ્યા ?

ગુજરાત હાઈકોર્ટ 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કર્યો છે. જામીન અંગે શરત મૂકી છે કે જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી તે સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે તે ઉપરાંત એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. મહત્વનું છે કે અગાઉ સુરત સેશન્સ કોર્ટે સાજન ભરવાડના જામીન ફગાવ્યા હતા.

જાણો શું હતી સમગ્ર ઘટના ?

ગત ઓગસ્ટ મહિનામાં અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-