ખુલીને હસવાથી બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં ! સ્વાસ્થ્યને થાય છે આ મોટા ફાયદા, જાણો

Share this story

Laughing openly keeps blood pressure

  • સ્મિત અને ખુલીને હસવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. શું તમે જાણો છો કે ખુલીને હસવું એ શારારિક અને માનસિક સ્વાસ્થ માટે કેટલું સારું છે. હસવાથી શરીરમાં પોઝીટીવ હોર્મોન્સ રિલીઝ થાય છે.

જેનાથી બ્લડ સુગર લેવલ (Blood sugar level) નિયંત્રણમાં રહે છે. જો તમે હમેંશા હસ્તા રહો તો તેનાથી મૂડ પણ સારું રહે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે હસવું (To Laugh) અથવા સ્મિત આપવું તમારા સ્વાસ્થ માટે કેટલું લાભદાયી છે.

ખુલીને હસવાથી સ્વાસ્થ્યને થાય છે આ ફાયદા :

દર્દમાં મળે છે રાહત :

જો તમે સ્પૉન્ડિલાઈટિસ કે કમરના દુખાવાથી પરેશાન છો. તો તમે ખુલ્લેઆમ હસીને આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. આટલું જ નહિ જો તમે 10 મિનિટ સુધી હાસ્ય સાથે હસશો. તો તમે થોડા કલાકો સુધી પીડામાંથી રાહત મેળવી શકો છો.

બ્લડ પ્રેશર ઘટાડે છે :

જે લોકો રોજ હસતા રહે છે અથવા ખુલીને હસતા રહે છે. તેમનું બીપી કંટ્રોલમાં રહે છે. આ એટલા માટે છે કારણ કે હસવાથી રક્ત વાહિનીઓના કાર્યમાં સુધારો થાય છે. જેથી તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને તમે હૃદયને લગતી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો

ડિપ્રેશનમાંથી રાહત :

આ વાત તો બધા જાણે છે કે હસવાથી મૂડ સારું રહે છે. કારણ કે હસવાથી શરીર વધુ મેલાટોનિન ઉત્પન્ન કરે છે, જેના કારણે વ્યક્તિને સારી ઊંઘ આવે છે. જેના કારણે તમે ડિપ્રેશનના શિકાર થતાં નથી.

આ પણ વાંચો :-