વારંવાર તરસ લાગે છે તો થઈ જજો સાવધાન, ક્યાંક તમે આ બીમારીઓના શિકાર તો નથી બની ગયા ને?

Share this story

If you feel thirsty often, be careful

  • જો તમને પણ વધુ પાણી પીવાની આદત છે તો તમે આ બીમારીનો શિકાર હોય શકો છો.

આપણા શરીરમાં 70 ટકા પાણી હોય છે અને જેટલું વધુ પાણી પીએ તેને સ્વાસ્થ્ય (Health) માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પાણી વધુ પીવાઇ છે પણ કેટલાક લોકો એવા હોય છે જે દર કલાકે સામાન્ય કરતા વધુ પાણી પીવે છે. અને તેના કારણે એ એક્સ્ટ્રીમ થર્સ્ટનો (Extreme Thirst) શિકાર છે. આવી સ્થિતિને મેડિકલ ભાષામાં પોલિડિપ્સિયા (Polydipsia) પણ કહેવામાં આવે છે.

જો તમને પણ વધુ પાણી પીવાની આદત છે તો તમે આ બીમારીનો શિકાર હોય શકો છો. જો એવું હોય તો તેને હળવાશથી ન લો અને તરત જ ડોક્ટરની સલાહ લો અને જરૂર પડે તો આવી સ્થિતિમાં બ્લડ ટેસ્ટ કરાવો જેથી તમને સમયસર બીમારીની ખબર પડી શકે. જો કે વધુ પડતી તરસ લાગવી એ બીજી બીમારીઓની નિશાની પણ હોય શકે છે.

વધુ પડતી તરસ લાગવી આ બીમારીનું લક્ષણ હોય શકે :

ડિહાઈડ્રેશન Dehydration :

જો કે આ કોઈ બીમારી નથી પણ તે એક ખરાબ કન્ડિશન છે. ડિહાઇડ્રેશન એ એવી સ્થિતિ છે જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને તેમાં ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા અને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ડાયાબિટીસ Diabetes :

જ્યારે કોઈને પહેલી વખત ડાયાબિટીસ થાય છે. ત્યારે તે બીમારીને ઓળખવી સહેલી નથી. પણ વધુ પડતી તરસ લાગવી એ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. જ્યારે તમને ખૂબ તરસ લાગે ત્યારે બ્લડ સુગર ટેસ્ટ કરાવવું જોઈએ.

એનેમિયા Anemia :

જ્યારે આપણા શરીરમાંથઈ રેડ બ્લડ સેલ્સ ઓછા થવા લાગે ત્યારે એનિમિયાનો રોગ થાય છે. તેને સામાન્ય ભાષામાં લોહીની ઉણપ પણ કહેવાય છે. આવી સ્થિતિમાં પણ વધુ તરસ લાગે છે.

આ પણ વાંચો :-