Home Blog Page 1282

આ મંદિરમાં પતિ-પત્ની સાથે નથી કરી શકતા પૂજા ! કરે તો મળે છે સજા, જાણો શું છે તેના પાછળની માન્યતા

0

Husband and wife cannot worship

  • હિન્દુ ધર્મમાં લગ્ન પછી પતિ-પત્ની ઘણીવાર મંદિરમાં દર્શન કરવા જાય છે. પરંતુ ભારતમાં એક એવું મંદિર છે, જ્યાં પતિ-પત્ની એકસાથે નથી જઈ શકતા, જાણો શા માટે..

હિંદુ ધર્મમાં (Hinduism) એવી માન્યતાઓ છે કે લગ્ન પછી વિવાહિત યુગલે (Married couple) કોઈ પણ શુભ કાર્યક્રમ, પૂજા, હવન વગેરેમાં એકસાથે ભાગ લેવો પડે છે. તીર્થયાત્રા (Pilgrimage) અને પૂજાનું શુભ ફળ પતિ-પત્નીને દંપતીના રૂપમાં જ પ્રાપ્ત થાય છે.

પરંતુ અમે તમને ભારતના એક અદ્ભુત મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં પતિ-પત્ની એક સાથે દર્શન કરી શકતા નથી. અહીં કોઈ યુગલને એકસાથે પૂજા કરવાની મંજૂરી નથી. આવો જાણીએ આ મંદિરની કહાની અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

અદ્ભુત અને અનોખું મંદિર :

પરણિત યુગલોના એક સાથે દર્શન પર આ પ્રતિબંધ ધરાવતું આ મંદિર દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. શિમલામાં આવેલ આ મંદિર માતા દુર્ગાનું મંદિર છે. આ અનોખા અને ખાસ મંદિર મા દુર્ગા શ્રી કોટી માતાના નામથી ઓળખાય છે. માતા ભીમા કાલી ટ્રસ્ટ આ મંદિરની દેખરેખ અને વ્યવસ્થા કરે છે. શિમલામાં આવેલા આ મંદિરની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 11000 ફૂટ ઉપર છે.

એક સાથે દર્શન કરવા પર મળે છે સજા :

હિન્દુ માન્યતાઓ અનુસાર મા દુર્ગાના આ મંદિરમાં પતિ-પત્ની અથવા પરિણીત યુગલો માટે એકસાથે પૂજા કરવાની મનાઈ છે. જો કોઈ પરિણીત યુગલ કોઈક રીતે આ મંદિરમાં જાય છે અને માતાની મૂર્તિના દર્શન કરે છે. તો તેમને આ ગુનાની સજા પણ ભોગવવી પડી શકે છે. જો કે જો પતિ-પત્ની આ મંદિરમાં દર્શન કરવા માંગતા હોય તો તેમણે મંદિરમાં અલગ-અલગ જઈને માતાના દર્શન કરવા પડે છે.

શું છે તેના પાછળનું પૌરાણિક કથા :

આ અનોખા અને વિશેષ મંદિર વિશે ઘણી જૂની કથા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે એકવાર ભગવાન શિવના બે પુત્રો ગણેશજી અને કાર્તિકેયજી બ્રહ્માંડની પરિક્રમા કરવા નીકળ્યા હતા. ગણેશજીએ તેમના માતા-પિતાની પ્રદક્ષિણા કરી અને પૂછવા પર કહ્યું કે બ્રહ્માંડ માતા-પિતાના ચરણોમાં છે. ત્યારે કાર્તિકેયજીએ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી અને તેઓ તેમની પરિક્રમા કરીને પાછા ફર્યા ત્યાં સુધીમાં ગણેશજીના લગ્ન થઈ ચૂક્યા હતા.

શ્રાપને કારણે વિવાહિત યુગલો દર્શન નથી કરતા :

ગણેશજીના લગ્નથી કાર્તિકેય ગુસ્સે થયા અને તેમણે ક્યારેય લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. માતા પાર્વતી પુત્ર કાર્તિકેયના લગ્ન ન કરવાના વ્રત પર ખૂબ ગુસ્સે થયા. જે જગ્યાએ કાર્તિકેયજી રોકાયા હતા ત્યાં માતા પાર્વતીએ કહ્યું કે જે પણ પતિ-પત્ની કાર્તિકેયજીના દર્શન કરશે. તેઓ એકબીજાથી અલગ થઈ જશે. આ કારણે કપલ અહીં એકસાથે પૂજા કરતાં ડરે ​​છે.

આ પણ વાંચો :-

ખુલીને હસવાથી બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં ! સ્વાસ્થ્યને થાય છે આ મોટા ફાયદા, જાણો

Laughing openly keeps blood pressure

  • સ્મિત અને ખુલીને હસવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. શું તમે જાણો છો કે ખુલીને હસવું એ શારારિક અને માનસિક સ્વાસ્થ માટે કેટલું સારું છે. હસવાથી શરીરમાં પોઝીટીવ હોર્મોન્સ રિલીઝ થાય છે.

જેનાથી બ્લડ સુગર લેવલ (Blood sugar level) નિયંત્રણમાં રહે છે. જો તમે હમેંશા હસ્તા રહો તો તેનાથી મૂડ પણ સારું રહે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે હસવું (To Laugh) અથવા સ્મિત આપવું તમારા સ્વાસ્થ માટે કેટલું લાભદાયી છે.

ખુલીને હસવાથી સ્વાસ્થ્યને થાય છે આ ફાયદા :

દર્દમાં મળે છે રાહત :

જો તમે સ્પૉન્ડિલાઈટિસ કે કમરના દુખાવાથી પરેશાન છો. તો તમે ખુલ્લેઆમ હસીને આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. આટલું જ નહિ જો તમે 10 મિનિટ સુધી હાસ્ય સાથે હસશો. તો તમે થોડા કલાકો સુધી પીડામાંથી રાહત મેળવી શકો છો.

બ્લડ પ્રેશર ઘટાડે છે :

જે લોકો રોજ હસતા રહે છે અથવા ખુલીને હસતા રહે છે. તેમનું બીપી કંટ્રોલમાં રહે છે. આ એટલા માટે છે કારણ કે હસવાથી રક્ત વાહિનીઓના કાર્યમાં સુધારો થાય છે. જેથી તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને તમે હૃદયને લગતી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો

ડિપ્રેશનમાંથી રાહત :

આ વાત તો બધા જાણે છે કે હસવાથી મૂડ સારું રહે છે. કારણ કે હસવાથી શરીર વધુ મેલાટોનિન ઉત્પન્ન કરે છે, જેના કારણે વ્યક્તિને સારી ઊંઘ આવે છે. જેના કારણે તમે ડિપ્રેશનના શિકાર થતાં નથી.

આ પણ વાંચો :-

14 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકો પર હંમેશા રહે છે રામદેવપીરની કૃપા- જીવનમાં ક્યારેય નથી આવતું દુઃખ

14th October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્નિ સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
સ્વભાવમાં જુદ્દીપણું બધતું જણાય. આવકનું પ્રમાણ જળવાય, પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી-ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારું રહે.

કર્કઃ
સ્વભાવમાં ભાવનાત્મકતાનું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદી કરવાના યોગ બને છે. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. વાહનસુખ-મિલકત સુખમાં વૃદ્ધિ. નાણાંકીય વ્યવહારોમાં લાભ.

સિંહઃ
નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકારક પુરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યાઃ
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. ફટકાથી સાચવવું. સ્થાવર-જંગમ મિલકત અંગે લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલાઃ
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. ખોટું લાગે એવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જ‍ળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાવચેતી જરૂરી. હરિફોને શીકસ્ત આપી શકો.

ધનઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠનમાં સામેલ થઈ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિદ્ધિ શક્ય બને.

Uttar Pradeshમાં રસ્તાની હાલત તો જુઓ, ભૂવામાંથી બાઈક નીકળ્યું

મકરઃ
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાનસુખમાં વૃદ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવું. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભઃ
જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીનઃ
ખોટા ખર્ચા ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરીમાં બઢતી-બદલી સંભવ. વૈવાહિક જીવનમાં આનંદ. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત, ગોપાલે કહ્યું- ‘NCW ચીફે પોલીસ બોલાવી મને ધમકાવ્યો અને…’

0

Gopal Italia Detained in Delhi, Gopal

  • દિલ્હી ગયેલા AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની મહિલા આયોગ સમક્ષ હાજર થતા અટકાયત કરવામાં આવી છે. આથી તેઓએ એક ટ્વિટ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ (Gopal italia) PM વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આના આધારે રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે આજે દિલ્હી બોલાવ્યા હતા. આથી ગોપાલ ઈટાલિયા (Gopal italia) આજે દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી હતી.

ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લગાવેલા ગંભીર આરોપથી રાજકારણ ગરમાયું :

મહત્વનું છે કે ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓના એકબીજા પર આકરા પ્રહાર વધતાં જઈ રહ્યાં છે. એવામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લગાવેલા ગંભીર આરોપથી રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે પણ સવાલ કર્યો છે કે ભાજપ ઈટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે?

મને ધમકાવવામાં આવી રહ્યો છે : ગોપાલ ઇટાલિયા

નોંધનીય છે કે મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મહિલા આયોગના ચીફ તેમને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મને ધમકાવવામાં આવી રહ્યો છે અને પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે.

આટલું જ નહીં ઈટાલિયાએ આ મુદ્દા પર પાટીદાર કાર્ડ પણ ખેલ્યો અને કહ્યું કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે પણ હું સરદાર પટેલનો વંશજ છું અને તમારી જેલોથી ડરતો નથી.

ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ બાદ આખી આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે આખી ભાજપ ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે. ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ પણ ટ્વિટ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

Vastu Tips For Money : શું તમે પૈસા ગણતી વખતે આ ભૂલો નથી કરતા ને ? માતા લક્ષ્મી ગુસ્સે થશે

Vastu Tips For Money Dont you

  • સામાન્ય રીતે દરેક વ્યક્તિ પરિવારને ટેકો આપવા અને જીવનમાં પ્રગતિ કરવા માટે પોતાની રીતે સખત મહેનત કરે છે. મહેનત અને આયોજનના અભાવની સાથે તેની પાછળ નસીબનો પણ હાથ હોય છે.

 

ઘણીવાર પૈસાની (money)ગણતરી કરતી વખતે થતી ઘણી ભૂલો પણ તમારી ગરીબીનું કારણ બની શકે છે. ત્યારે આ ભૂલોને સમયસર દૂર કરવી વધુ સારું છે. તો ચાલો જાણીએ કઈ ભૂલો છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

પૈસાને આડા અવળા ન રાખો :

ઘણા લોકો જ્યારે પગાર મેળવે છે અથવા બહારથી પૈસા આવે છે ત્યારે તેને અહીં અને ત્યાં ફેંકી દે છે. આવું કરવાથી મા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જેના કારણે તે ક્રોધિત થઈ જાય છે. તમારે પૈસાનું સન્માન કરીને તમારે તેને તિજોરી અથવા અલમારીમાં રાખવું જોઈએ. જે આ કામ માટે બનાવવામાં આવે છે. જો તમે અહીં અને ત્યાં પૈસા રાખો છો. તો તમે ગરીબીને આમંત્રણ આપો છો.

રૂપિયાને ઉછળીને ફેકવા જોઈએ નહીં :

ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ કોઈને આપવા માટે પૈસા ફેંકી દે છે અથવા ફેંકી દે છે. આ પદ્ધતિ યોગ્ય નથી. આ પૈસાનું અપમાન છે. જે વ્યક્તિ માટે અપમાનજનક છે જેની પાસે તમે આ રીતે પૈસા ફેંકી રહ્યા છો. જો તમને આ આદત કે શોખ છે તો આજે જ બદલી નાખો નહીંતર ગરીબી ઘર સુધી પહોંચતા વાર નહીં લાગે.

થૂંક લગાવીને નોટના ગણો : 

નોટો ગણતી વખતે ઘણા લોકો તેમની આંગળીઓ પર થૂંક લગાવતા હોય છે . આવું કરવાથી પૈસાઓ ગણવામાં સરળતા રહે છે અને સમયની બચત થાય છે. પરંતુ આ આદત આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારી નથી. જ્યારે તમે થૂંકતા હાથથી નોટો ગણી રહ્યા છો. ત્યારે તમે અજાણતામાં મા લક્ષ્મીનું અપમાન કરી રહ્યા છો. આપણા મોંમાં બેક્ટેરિયા અને વાયરસ હોય છે. તેનાથી બચવા માટે તમે થૂંકવાને બદલે પાણીનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો :-

 

ભારતીબાપુના નિવેદનથી ખળભળાટ ! જો કોઈ પક્ષ સમાજને મહત્વ નહિ આપે તો… લડી લેવા પણ તૈયાર

0

Bharti Bapu’s statement stirred

  • ઋષિ ભારતીબાપુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની 182 બેઠક માંથી 72 બેઠક ઉપર કોળી સમાજનો હક્ક છે, તેને ન્યાય મળવો જોઈએ, સમાજને જે પક્ષ વધુ ટિકિટ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે.

ચુંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક સમાજ પોતાની જ્ઞાતિનું વર્ચસ્વ (Dominance of caste) વધારવા તેમજ જ્ઞાતિના ઉમેદવાર ને સ્થાન અપાવવા પ્રયત્નશીલ છે. એવા સમયે ભાવનગર (Bhavnagar) ખાતે પણ કોળી સમાજ દ્વારા અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમના (Bharti Ashram) મહંત ઋષિ ભારતીબાપુના (Bharatibapu) અધ્યક્ષ સ્થાને યુવા ચિંતન શિબિરનું (Youth Thinking Camp) આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના શિવશક્તિ હોલ ખાતે યોજાયેલી આ શિબિરમાં કોળી સમાજના તમામ સામાજિક આગેવાનો અને તમામ સંગઠનો એક મંચ ઉપર એકત્રિત થયા હતા ખાસ તો કોળી સમાજની સામાજિક, શૈક્ષણિક અને રાજકિય બાબતોમાં ઉત્થાન થાય તેવા મુખ્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તેમજ શિબિરમાં નક્કી કરાયેલા યોગ્ય દિશા નિર્દેશ મુજબ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે જોડાયેલા કોળી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઋષિ ભારતીબાપુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની 182 બેઠક માંથી 72 બેઠક ઉપર કોળી સમાજનો હક્ક છે, તેને ન્યાય મળવો જોઈએ. સમાજને જે પક્ષ વધુ ટિકિટ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે.

જો કોઈ પક્ષ સમાજને મહત્વ નહિ આપે તો કોળી સમાજ હવે જાગૃત બન્યો છે અને સમાજ માટે લડી લેવા પણ તૈયાર છે. ઋષિ ભારતીબાપુ એ કહ્યું કે 30, 35 વર્ષથી કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઈ રહ્યો છે જે વ્યાજબી નથી.

આ પણ વાંચો :-

ક્રિકેટ બાદ હવે ફિલ્મી દુનિયામાં પણ ધમાલ મચાવશે શિખર ધવન, જાણીતી અભિનેત્રી સાથે કરશે બોલીવુડમાં ડેબ્યૂ

Shikhar Dhawan will make a splash in the

  • ક્રિકેટર શિખર ધવન હવે ફિલ્મ ‘ડબલ એક્સએલ’થી હુમા કુરેશી તથા સોનાક્ષી સિંહા સાથે પોતાનો બૉલીવુડ ડેબ્યૂ કરશે. જુઓ તસવીરો

ક્રિકેટના મેદાન પર ચોક્કા – છગ્ગાથી ફેન્સના દિલો પર રાજ કરનારા ભારતના ઓપનર શિખર ધવન (Opener Shikhar Dhawan) હવે ફિલ્મી પરદા પર જોવા મળશે. તેઓ એક હિન્દી ફિલ્મમાં જોવા મળશે. શિખર સાથે આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને હુમા કુરેશી (Huma Qureshi) પણ કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર દ્વારા આ વાતની પુષ્ટિ પણ થાય છે.

શિખર ધવનનો બોલીવુડ ડેબ્યૂ :

ટીમ ઈન્ડિયામાં પોતાની કપ્તાનીથી દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝમાં જીત અપાવ્યા બાદ શિખર દગવાં હવે ફિલ્મી પડદા પર પોતાનો જાદૂ વિખેરશે. તેઓ હુમા કુરેશી, સોનાક્ષી સિંહા સાથે પોતાનો બોલીવુડ ડેબ્યૂ કરશે.

‘ડબલ એક્સએલ’ થી કરશે શરૂઆત  :

બોલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશીએ શિખર ધવન સાથે પોતાની તસવીરો શેર કરી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાનની તસવીરો છે. આમાંથી એક તસવીરમાં શિખર અને હુમા રોમેટિક પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે.  બીજી તસવીરમાં શિખર અને હુમા હસતાં જોવા મળે છે.

સોનાક્ષી અને હુમા એકસાથે  :

‘ડબલ એક્સએલ’ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી બંને શિખર સાથે જોવા મળશે. ફિલ્મમાં ઝહીર ઇકબાલ પણ છે. ફિલ્મના નિર્દેશક સતરામ રમાની છે.

આ પણ વાંચો :-

દિવાળી પહેલા જ સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનેદારે તાપીમાં લગાવી મોતની છલાંગ, એવી તો શું આફત આવી પડી?

0

Just before Diwali, an embroidery factory in

  • આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. તેમાં પણ હવે તો દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

હિસાબ-કિતાબને લઈને ધંધાદારીઓમાં (Entrepreneurship) ઉઘરાણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં ક્રિકેટ (Cricket) મેચના સટ્ટામાં દેવું વધી જતા એમ્બ્રોડરી (embroidery) કારખાનેદારે ડબ્બા ટ્રેડીંગવાળાની (Bin trading) ઉઘરાણીના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે.

કરોડોનું નુકસાન જતા તણાવમાં રહેતો હતો :

મળતી માહિતી અનુસાર ચિરાગ પારેખ સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો. તે એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો. તેમજ કારખાનાની સાથે તેણે શેરબજારમાં રોકાણ કરવા માટે ડબ્બા ટ્રેડિગમાં પોતાનું આઇડી ખોલાવ્યું હતું. પરંતુ ડબ્બા ટ્રેડિંગમાં કરોડો રૂપિયાનું નુકશાન થતા છેલ્લા કેટલાક સમયથી ચિરાગ માનસિક તણાવમાં રહેતો હતો.

સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ લખી :

માનસિક તણાવને કારણે ચિરાગે બે દિવસ અગાઉ ડબ્બા ટ્રેડિંગમાં થયેલા નુકશાન સામે ઉઘરાણી કરનાર પંકજ દુધાત, જયદીપ મેર ઉપરાંત જેમની પાસેથી ઉઘરાણી બાકી છે તેવા હરેશભાઇ અને પરાગ રમેશ સાગર કે જેઓ મને મારા રૂપિયા આપતા ન હતા જેથી કંટાળીને આપઘાત કરી રહ્યાની સુસાઇડ નોટ સોશ્યિલ મિડીયા પર મુકી હતી.

ત્યારબાદ તેની લાશ તાપી નદીના કિનારે પાણીમાંથી મળી આવી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :-

વધુ એક મહત્વનો નિર્ણય : ગુજરાતના 3 શહેરોમાં શરૂ થશે CNG-ઇલેક્ટ્રિક બસ સેવા, સરકારે ફાળવ્યાં 121 કરોડ

0

Another important decision: CNG-electric

  • શહેરી પરિવહન સુવિધાને ધ્યાને રાખતા ગુજરાત સરકારે રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ બસ સેવા માટે રૂ. 121 કરોડની ફાળવણી કરી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી ગઇ છે એટલે કે નજીકના દિવસોમાં તેની તારીખ પણ જાહેર કરી દેવાશે. એ પહેલાં ગુજરાત સરકાર (Gujarat Govt) એકબાદ એક મહત્વના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરી રહી છે તેમજ મહત્વના નિર્ણયો પણ લઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારે (State Govt) જનતા હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.

ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે રૂ. 9.03 કરોડની ફાળવણી :

ગુજરાત સરકારે શહેરી પરિવહન વ્યવસ્થાને લઈને રૂપિયા 121 કરોડની ફાળવણી કરી છે. સરકારે રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ બસ સેવા માટે મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારે રાજકોટમાં 50 ઈલેક્ટ્રિક બસ સંચાલન માટે રૂપિયા 91.25 કરોડની ફાળવણી કરી છે. જ્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ માટે રૂ. 20.44 કરોડની સરકારે ફાળવણી કરી છે. તો ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે રૂ. 9.03 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યના 8 મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાના કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતુ જાય છે. તદુપરાંત રાજ્યમાં માર્ગ અકસ્માતો તેમજ અસલામત પરિવહનની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. ત્યારે રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે સરળ અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરી છે.

કુલ 1189 બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી :

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની 8 મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો લાભ મળે તેવા અભિગમથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ 500 ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળીને કુલ 1189 બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

મહત્વનું છે કે મંજૂરીની વાત કરીએ તો અમદાવાદમાં 625, વડોદરામાં 50, સુરતમાં 400, જૂનાગઢમાં 25 અને જામનગરમાં 10 એમ 1110 બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓ પૈકી 8 નગરપાલિકાઓમાં 79 બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

બસ, બે દિવસ બાકી…ચૂંટણી પહેલા શાંત દેખાતી કોંગ્રેસ 15 ઓક્ટોબરે કરી શકે છે મોટી જાહેરાત

0

That’s it, two days left…Congress, which seems calm

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે આજે ઉમેદવારોની પ્રથમ યાદીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 15 ઓક્ટોમ્બરની આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને (Voters) રીઝવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસની (Gujarat Congress) રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી (Diwali) પહેલા કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ જશે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નથી કરાઈ જાહેરાત  :

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે.

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ચાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી.

15 ઓક્ટોમ્બર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી કરી શકે છે જાહેર  :

આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર થશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીનો બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપી દેવાશે.

કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી 15 ઓક્ટોબરની આસપાસ જાહેર થઈ શકે છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. જો કે આ અંગે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ત્રણથી ચાર તબક્કામાં જાહેર કરાશે ઉમેદવાર : રઘુ શર્મા

રઘુ શર્માએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવારો જાહેર કરાશે અને પ્રથમ યાદી દિવાળી પહેલા જાહેર કરાશે. તો તેમણે મુખ્યમંત્રી ચહેરાને લઈને કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહીં કરે. કોંગ્રેસમાં ક્યારેય ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનું નામ જાહેર કરાતું નથી.

આ પણ વાંચો :-