Home Blog Page 1388

નદીનું પાણી પૂલ પરથી ધોધમાર વહી રહ્યું હતું પણ ડ્રાઇવર તો પણ કાર ચલાવતા 9ના મોત

0

River water was flowing

  • ઉત્તરાખંડથી એક મહત્વનાં સમાચાર સામે આવી રહ્યાં છે.રામનગરમાં ઢેલા નદીના વહાણમાં એક અર્ટિગા કારના વહી જવાથી 9 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડના (Uttarakhand) નૈનીતાલ (Nainital) જિલ્લામાં એક મોટી દુર્ઘટનાની ખબર આવી છે. રામનગરમાં ઢેલા નદીના (Dhela river) વહાણમાં એક અર્ટિગા કારના વહી જવાથી 9 લોકોના મોત થયા છે જ્યારે એક જણને બચાવવામાં આવ્યો હતો. એક ઘાયલ છોકરીને આનન ફાનનમાં (Anan Fanan) મેડિકલ હેલ્પ આપવામાં આવી હતી. નદીમાં વહીને ડૂબી ગયેલી કારમાંથી 9 લોકોના શવ બહાર કાઢવામાં આવ્યા છે. કલાકની મહેનત પછી દુર્ઘટનાગ્રસ્ત કારને (To the wrecked car) પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. બધા મૃતકો પંજાબના (Punjab) રહેવાસી હતા.

ઢેલા નદીની ધારાના ક્ષેત્રમાં રાતે 2 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી, જેનાથી નદીમાં પૂર આવ્યું હતું. કાશીપુરથી રામનગર જવાના રસ્તામાં નદીનો વહાણ જોઈને ત્યાં ઊભા રહેલા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તેણે કારને પાણીનું વહાણ વધારે હોવાની સૂચના માટે હાથથી ઈશારો કરી ત્યાં જ રોકાઈ જવા માટે કોશિશ કરી હતી, પરંતુ કાર ચાલકે તેની પર ધ્યાન આપ્યું નહીં અને નદી પાર કરવાની કોશિશમાં નદી પાણીના વહેણમાં વહેવા લાગી હતી. આ કારમાં કુલ 10 લોકો સવાર હતા. જેમાંથી એક છોકરીનો જીવ બચાવી શકાયો હોત. DIG નિલેશ આનંદ ભરણે આ ઘટના અને રેસ્ક્યૂની પુષ્ટિ આપી હતી.

બધા મૃતકો પંજાબના હોવાનું જણાવવામાં આવ્યું છે અને કાર પર પટિયાલાના આરટીઓનો નંબર જોવા મળ્યો છે. આ ઢેલાથી રામનગર જઈ રહી હતી. તે સમયે દુર્ઘટના ઘટી હતી. ઘટનાસ્થળ પર સ્થાનિક લોકોની ઘણી ભીડ જમા થઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ કાર તથા લાશોને રેસ્ક્યૂ કરવામાં મદદ કરી હતી. કાર પાણીમાં પથ્થરોની વચ્ચે ઘણી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી, જેને ટ્રેક્ટરની મદદથી કાઢવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસન અને લોકોએ ભેગા મળીને આ રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું.

SDM ગૌરવ ચટવાલે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત કારમાં સાત મહિલાઓ હતી, જેમાંથી 6ની મોત થઈ છે. એકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ચટવાલે એ પણ કહ્યું છે કે આ કારમાં પટિયાલાના લોકો સવાર હતા. પરંતુ મૃતક મહિલાઓમાંથી બે રામનગરની હતી. મૃતકો અંગે તપાસ ચાલી રહી છે અને તેમની ઓળખ હજુ થઈ શકી નથી.

આ પણ વાંચો –

સુરતમાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક વિધાનસભાની ચૂંટણી માટે નિર્ણાયક બનશે

  • ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, સામે પક્ષે હરિફોની છાવણી ખાલી છે, ભાનિર્ધાર સાથે કુદી પડશે તો ગુજરાતના રાજકારણમાં ચમત્કાર સર્જાશે

 

  • સૌરાષ્ટ્રમાં ભાંગફોડ થવાની આશંકાઓનો ઉકેલ આવી ગયો, હવે આદિવાસી વિસ્તારોમાં ભગવો ફરી વળશે તો કોંગ્રેસનું નામોનિશાન ભુંસાઈ જશે

 

  • આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં પગપેસારો કરવાનું સપનું શેખચલ્લી જેવું પુરવાર થશે, ચૂંટણીના પરિણામો પછી પક્ષમાં છે એ પણ ભાગી જશે

 

  • કેન્દ્રીય નેતૃત્ત્વનો વિશ્વાસ અને સી.આર. પાટીલની વ્યૂહરચના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મીનમેખ ૧૫૦ પ્લસ બેઠકો અપાવશે; અલબત સી.આર. પાટીલનો ૧૮૨ બેઠકોનો લક્ષ્યાંક સાચો પણ પડી શકે

 નસીબમાં જ ‘રાજયોગ’ લઈને જન્મેલા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને તે પૂર્વે પણ તેમની સામાજિક અને રાજકીય ઉજ્જવળ પ્રગતિનો રથ ક્યારેય પણ અટક્યો નથી, પોલીસદળમાં નોકરી, વેપાર, ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું અને અખબારી પ્રકાશનમાં પણ જોડાયા. પરંતુ અનેક મુશ્કેલીઓ વચ્ચે સી.આર. પાટીલની પ્રગતિનો રથ એક તસુભાર પણ પાછળ પડ્યો નથી. કપરા સંજોગોમાં વફાદારી જાળવી રાખવી એ સી.આર. પાટીલનું સૌથી મજબૂત જમાપાસુ રહ્યું છે. તેમની આજ પર્યન્તની રાજકીય કારકીર્દીમાં ક્યારેય પણ પક્ષ પલટો કરવાનો વિચાર સુદ્ધા કર્યો નથી. પક્ષનાં નેતૃત્ત્વના વિવાદમાં તેઓ કદાપી પક્ષકાર બન્યા નથી. બલ્કે નેતૃત્ત્વના વિવાદને ઉકેલવામાં હંમેશા કડીરૂપ ભૂમિકા ભજવતા આવ્યા છે. કદાચ આજની તેમની સ્થિતિ તેમની ભૂમિકાની ફળશ્રૃતિ પણ હોઈ શકે.

ભાજપનો ઉદયકાળ હતો ત્યારે સી.આર. પાટીલે જરાપણ વિચલીત થયા વગર કે કોંગ્રેસની જાહોજલાલીથી અંજાયા વગર ભાજપને મોટો કરવાની દિશામાં ‘એકલવ્ય’ જેવા પ્રયાસો કર્યા છે. ભાજપના વરિષ્‍ઠ નેતૃત્ત્વ સામે ઘણી વખત મતભેદ પણ થયા છે. ઘણાં નેતાઓએ તેમની અવગણના પણ કરી હશે, પરંતુ તેથી તેમણે ભાજપનો ત્યાગ કરવાનો કદાપી વિચાર કર્યો નથી. આજે ભાજપનો સૂર્ય મધ્યાહને છે, તેવા સમયે સી.આર. પાટીલને ગુજરાત ભાજપના સુકાની બનાવવાનો નિર્ણય શિર્ષ નેતૃત્ત્વએ ચોક્કસ વિચાર કરીને જ કર્યો હશે. ઘટાદાર વટવૃક્ષ જેવા બનેલા ભાજપ અને કેન્દ્ર સહિત દેશભરમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ત્યારે પક્ષમાં આંતરિક અસંતોષ જરૂર હશે. ભાજપમાં ઘણાં એવા લોકો પણ હશે કે જેમને સી.આર. પાટીલ સામે વાંધો પણ હોઈ શકે, પરંતુ સી.આર. પાટીલ આવા નારાજ નેતાઓનું પણ ખૂબ જ આદર સાથે સન્માન કરતાં આવ્યા છે.

ખેર, સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા તે દિવસથી જ તેમણે ભાજપની પ્રતિભાને સતત ઊંચાઈ ઉપર લઈ ગયા છે. રાજકીય પક્ષોમાં ચૂંટણી જીતવી એ નેતૃત્ત્વની સફળતાનો પહેલો માપદંડ છે અને આ માપદંડમાં સી.આર. પાટીલ હંમેશા સફળ ખેલાડી પુરવાર થતાં આવ્યા છે. ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને ગામડાંનાં લોકો સાથે સીધો જ નાતો ધરાવતી સહકારી સંસ્થાઓમાં પણ ભગવો લહેરાવીને સી.આર. પાટીલ ગુજરાતમાં ભાજપને છેક છેવાડાના નાગરિક સુધી લઈ ગયા છે અને હવે આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં  ૧૫૦ કરતાં વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક ચોક્કસ હાંસલ કરીને ભાજપના નેતૃત્ત્વએ તેમના ઉપર મુકેલો વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવશે.

ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકનું સુરતમાં આયોજન વિધાનસભાની ચૂંટણીનો એક ભાગ ગણી શકાય. બેઠક દરમિયાન થયેલા ભાષણો, વાતચીત અને પ્રશ્નોત્તરી આ બધા દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અતિભવ્ય જીત હાંસલ કરવાનો મુખ્ય મુદ્દો હતો. કોંગ્રેસ નબળી પડી છે અને ‘આપ’ તેનો ફાયદો ઉઠાવીને ગુજરાતમાં પગપેસારો કરવા માંગે છે, પરંતુ ‘આપ’ની મુરાદને બર આવવા દેવાશે નહીં. આમ પણ રાજયની મહાનગરપાલિકાઓની ચૂંટણી એક માત્ર સુરતમાં ‘આપ’ના ૨૭ સભ્યો ચૂંટાયા હતા. આ દિવસે જ સી.આર. પાટીલે ‘આપ’ને ગુજરાતમાંથી સાફ કરી નાંખવાનો સંકલ્પ કર્યો હતો અને સુરતમાં ‘આપ’ની હાજરીને ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ ગણાવી હતી.

થોડા સમય માટે એવી ભ્રમણા ઊભી કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થઈ શકે અને રાજકોટ શહેર અને અન્ય વિસ્તારમાં બનેલી રાજકીય ઘટનાઓ જોતા એવું લાગતું હતું કે, સૌરાષ્ટ્રમાં ભાજપ માટે મુશ્કેલી થશે. આ બધાની વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ રાજકારણમાં સક્રિય થઈ રહ્યાં હોવાનું ચિત્ર ઊભુ કરીને રાજકીય માહોલ ડહોળી નાંખ્યો હતો, પરંતુ પવન જોઈને નરેશ પટેલે પણ રાજકારણી બનવાની મહેચ્છાઓ સંકેલી લીધી હતી. સૌરાષ્ટ્ર પંથકમાં ભાજપના ભગવાને રોકવાનું હવે લગભગ શક્ય નથી. વળી સૌરાષ્ટ્રનો ગઢ મજબૂત કરવાં સી.આર. પાટીલે સૌરાષ્ટ્રના વિવિધ સમુદાયના લોકો સાથે રાજકીય અને વ્યક્તિગત ‘નાતો’ જોડી દીધો હોવાથી હવે સૌરાષ્ટ્રના કોઈપણ ખૂણામાં ભાજપના વિજય રથને રોકવાનું શક્ય જ નથી.

સૌરાષ્ટ્ર અકબંધ કર્યા બાદ સી.આર. પાટીલે ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત મતબેંક ગણવામાં આદિવાસી વિસ્તારોમાં પડાવ નાંખીને આદિવાસીઓને કોંગ્રેસના પ્રભાવમાંથી બહાર લાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ રજૂ કરીને આદિવાસીઓના મનમાંથી કોંગ્રેસ જ તારણહાર હોવાની ભ્રમણા દૂર કરવામાં સફળ થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આદિવાસી પ્રભાવિત વિસ્તારોમાં વારંવારની મુલાકાતો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આદિજાતિ લોકોના કલ્યાણ માટેની હારબંધ જાહેરાતોને પગલે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કોંગ્રેસની પકડ ઢીલી પડવા સાથે મૂળિયામાંથી બહાર આવી રહી છે. રાજ્યના પૂર્વના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં વિધાનસભાની લગભગ ૪૫ જેટલી બેઠકો છે. તમામ બેઠકો મીનમેખ કબજે કરવા ભાજપનો લક્ષ્યાંક છે અને આ લક્ષ્યાંક પાર પડી જશે તો ગુજરાત વિધાનસભાની ૧૫૦ કરતાં વધુ બેઠકો કબજે કરતા ભાજપને કોઈ જ નહીં રોકી શકે. અલબત સી.આર. પાટીલ આનાથી પણ આગળ વધીને વિધાનસભાની તમામ બેઠકો એટલે કે ૧૮૨ બેઠકો કબજે કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યાં છે.

ઘણાં લોકોને સી.આર. પાટીલના ગણિતમાં વિશ્વાસ નહીં બેસે, પરંતુ જેઓ સી.આર. પાટીલને નજીકથી ઓળખે છે તેઓ ચોક્કસ સી.આર. પાટીલના ગણિત સાથે સહમત થશે.

ગુજરાતનો રાજકીય સિનારિયો જોતા ભાજપનું નેતૃત્ત્વ એક થઈને નિશ્ચિય કરશે તો ૧૮૨ બેઠકો કબજે કરવાનું દૂર નથી. કોંગ્રેસ લગભગ મૃતપ્રાય હાલતમાં છે. કદાચ એવું પણ બની શકે કે આ વખતે કોંગ્રેસને ૧૮૨ બેઠકો માટે ઉમેદવારો પણ નહીં મળે. બીજી તરફ ‘આપ’નું કદાચ એવું ગણિત હશે કે કોંગ્રેસની ગેરહાજરીમાં ‘આપ’ને થોડી બેઠકો મળી જશે. પરંતુ આ ગણિત શેખચલ્લીના સપના જેવું પુરવાર થશે. મફત વીજળી, મફત તબીબી સારવાર વગેરે વગેરે ‘મફત’ના મુદ્દાઓ રજુ કરવાથી ગુજરાતના ભાજપને વફાદાર મતદારોનું મન બદલવાનું વિચારવા જેટલું આસાન નથી. વળી ગુજરાતના લોકો સ્વીકારી શકે એવું ‘આપ’ પાસે નેતૃત્ત્વ પણ નથી.

ગુજરાતની ચૂંટણીઓ આડે હવે માંડ ગણતરીના મહિના બાકી રહ્યાં છે, એ પૂર્વે ગુજરાતનું રાજકીય ચિત્ર જોતા ચૂંટણીના પરિણામોમાં ચમત્કાર સર્જાઈ શકે. જોવા જઈએ તો તમામ બેઠકો ઉપર ભાજપનો વિજય વાવટો ફરકાવવા માટે મેદાન સાફ છે.

સુરત ખાતેની ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં મોટાભાગની ચૂંટણીલક્ષી જ ચર્ચા કરવામાં આવી હતી અને પ્રત્યેક પદાધિકારી, હોદ્દેદારોને ચૂંટણી જંગનો એક જ મંત્ર આપવામાં આવ્યો હતો. ભાજપનો વિજય તો મીનમેખ છે, પરંતુ ગુજરાતના કોઈ ખૂંણામાં પણ હરિફ પક્ષોને સ્થાન મળવું જોઈએ નહીં એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સુરત ખાતે મળેલી ભાજપની કારોબારી બેઠકમાં કરાયેલા સંકલ્પ મુજબ ભાજપનું નેતૃત્ત્વ એકથઈને લડશે તો ગુજરાતના ખૂંણેખૂંણામાં ભાજપને પ્રસરી જતાં વિરોધીઓ પણ રોકી શકશે નહીં. અને કદાચ ગુજરાતમાં રાજકીય હરિફ પક્ષોને સાફ કરવાનું વિજય તિલક સી.આર. પાટીલનાં લલાટે લખાયેલું હશે.

આ પણ વાંચો –

10 જુલાઈ 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માં ખોડલની અસીમ કૃપાથી દરેક દુઃખ-દર્દ થશે દુર

July 10, 2022, Today’s horoscope Gujarat Guardian

મેષઃ
ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણઆંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારું છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ
માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઈસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ
મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાંના રોગોથી સાચવવું.

કુંભઃ
નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો –

સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકર અને જય શાહ સહિત અન્ય મિત્રો સાથે પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો

0

Sourav Ganguly celebrates

આજે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે. ત્યારે તે પોતાનો 50મો જન્મ દિવસ ઉજવશે. એક દિવસ પહેલાં જ સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકર અને જય શાહ સહિત અન્ય મિત્રો સાથે પાર્ટી કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) 8 જૂલાઈ 2022ના રોજ પોતાનો 50મો જન્મ દિવસ ઉજવશે. તેમના જન્મ દિવસના એક દિવસ પહેલાથી જ ઈંગ્લેન્ડમાં (England) પાર્ટી શરૂ થઈ ગઈ હતી. સૌરવ ગાંગુલી આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં હાજર છે અને ભારત-ઈંગ્લેન્ડ (India-England) શ્રેણી ઉપર નજીકથી નજર રાખી રહ્યા છે. આ દરમિયાન તે પોતાના BCCIના સાથીદારો તથા પોતાના સાથી ક્રિકેટર તથા મિત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar) સાથે જન્મ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાએ આ પાર્ટીની એક તસવીર ટ્વિટર ઉપર શેર કરી છે. આ પાર્ટીમાં સૌરવ ગાંગુલીની સાથે સચિન તેંડુલકર અને રાજીવ શુક્લા ઉપરાંત BCCIના સચિવ જય શાહ અને ખજાનચી અરુણ ધૂમલ સહિત અનેક સભ્યો જોવા મળ્યા હતા. શુક્લાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સૌરવ ગાંગુલીના 50મા જન્મ દિવસની ઊજવણી. તેમને સ્વસ્થ અને સુખી જીવનની શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલી ઓક્ટોબર 2019થી BCCIના અધ્યક્ષ પદનો હવાલો સંભાળી રહ્યા છે.

 સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની અતૂટ જોડી :

સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે એકસાથે અનેક ક્રિકેટ મેચો રમી છે. બંનેની જોડી ઓપનિંગમાં પણ ખૂબ જ  સફળ સાબિત થઈ હતી. આ બંનેની જોડીએ ભારત માટે 136 ઈનિંગ્સમાં 21 સદી અને 23 અડધી સદી ફટકારી છે. આ જોડીએ એકસાથે 49થી વધુની એવરેજથી ઓપનિંગમાં 6,609 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, સચિન અને ગાંગુલીની જોડીએ ODI ક્રિકેટમાં સૌથી વધુ વખત 150થી વધુ રનોની ભાગીદારીનો વર્લ્ડ રોકોર્ડ પોતાના નામે કરેલો છે.

Image

સૌરવ ગાંગુલીની કરિયર ઉપર એક નજર :

સૌરવ ગાંગુલીએ 1992થી 2008 સુધી ભારતીય ક્રિકેટમાં સેવા આપી હતી. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ ક્રન્ટોલ બોર્ડના પ્રમુખ છે. તેમણે ભારત માટે 18,585 આંતરરાષ્ટ્રીય રન બનાવેલા છે. તેમના નામે 113 ટેસ્ટ મેચોમાં 7,212 અને 311 વન-ડે મેચોમાં 11,363 રન નોંધાયેલા છે. IPLમાં પણ તેમણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. IPLની પ્રારંભિક સીઝનમાં તેઓ KKR માટે અને બાદમાં પુણે વોરિયર્સ માટે રમતા જોવા મળ્યા હતા. તેમના નામે IPLની 59 મેચોમાં 1,349 રન નોંધાયેલા છે. તેઓ ઘણી વખત બેટિંગ સિવાય પોતાની બોલિંગથી પણ વિરોધી ટીમને હરાવી દેતા હતા. તેમના નામે 32 ટેસ્ટ મેચ, 100 વન-ડે મેચ અને 10 IPL વિકેટ પણ નોંધાયેલી છે.

આ પણ વાંચો –

અમરનાથમાં વાદળ ફાટતાં જામનગરના 20 શ્રદ્ધાળુઓ ફસાયા, સુરતના 85 સહી સલામત

0

20 devotees of Jamnagar trapped

  • અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે.

અમરનાથ ગુફા (Amarnath Cave) નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ત્યારે આ યાત્રામાં જામનગરના (Jamnagar) યાત્રિકો પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના (Baba Barfani) દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં વાદળ ફાટતા તમામ યાત્રિકોને સંગમ ઘાટી પાસે રોકી દેવામાં આવ્યા હતા. જેના કારણે યાત્રિકોને ફરજિયાત અધવચ્ચે જ રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે. જેમણે હાલ સંગમ ઘાટી પાસે જ રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા. આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કરાયું છે. સુરત જિલ્લા માટે પણ રાહતના સમાચાર મળી રહ્યા છે.

સુરત જિલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પણ સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. 85 જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાંથી યાત્રાએ ગયા હતા. જેમાં શહેર અને જિલ્લામાંથી કુલ 4 જેટલી બસ શ્રીનગર પહોંચી હતી. પરંતુ ગતરોજ વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ ગયેલા લોકોના પરિવારજનો ચિંતિત બન્યા હતા.

નોંધનીય છે કે, અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે..જ્યારે 40થી વધુ યાત્રી ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે..શુક્રવારે અમરનાથ ગુફાથી 2 કિલોમીટર દૂર વાદળ ફાટ્યું હતું..જેથી યાત્રીકોના ટેન્ટ વચ્ચેથી ધમસમસતો પાણીનો પ્રવાહ પસાર થયો હતો..જો કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.અને અત્યાર સુધી 3500થી વધુ યાત્રીકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સેના દ્વારા હેલિકોપ્ટરથી સતત રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે..સાથે યાત્રીકોના પરિવારજનો હેરાના ના થાય તેના માટે હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે..મહત્વનું છે કે અમરનાથ ગુફા તરફ જવાના બંને રસ્તા કાચા છે. અને રસ્તાઓ એટલા સાંકડા છે કે ઘોડા પણ એક-એક કરીને મોકલવામાં આવે છે. ગુફાની આજુબાજુ અસ્થાયી ટેન્ટ લગાડવામાં આવ્યા છે. જે લોકો ભવનની પાસે રોકાય છે, તેમને આ અસ્થાયી કેમ્પમાં ઉતારો આપવામાં આવે છે. શુક્રવારે જ્યારે વાદળ ફાટ્યું ત્યારે અનેક અસ્થાયી કેમ્પ પણ વહી ગયા હતા.

આ પણ વાંચો –

અમદાવાદમાં તંત્રએ એક મહિના પહેલા બનાવ્યો હતો રોડ, ધોધમાર વરસાદ પડ્યો અને ખૂલી ગઈ પોલ

0

In Ahmedabad

  • અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની ખૂલી પોલ, રો઼ડ રસ્તા બેસી જવા-તૂટી ગયા હોવાનુ આવ્યુ સામે, એએમસીની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ.

8 જુલાઇ, શુક્રવારે અમદાવાદમાં (Ahmedabad) અનરાધાર વરસાદ પડ્યો. મેઘરાજાએ તો 3 કલાકમાં આખુ અમદાવાદ પાણી પાણી કરી નાંખ્યુ. જો કે શહેરીજનો પણ કાગડોળે ધમાકેદાર વરસાદની રાહ જોઇ રહ્યા હતા. વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી ગઇ, દાળવડાની (Dalwada) દુકાને લાંબી લાંબી લાઇનો લાગી ગઇ. પરંતુ  સવાર પડતા જ જેવા પાણી ઓસર્યા કે તંત્રની પોલ ઉઘાડી પડી. એએમસીએ કરોડોના ખર્ચે કરેલો રોડ રસ્તાનો મેકઅપ ધોવાઇ ગયો અને જોવા મળ્યા મસમોટા ખાડા.

ધોધમાર વરસાદ પડે અને રોડ રસ્તા ન ધોવાય એવું કદી બને ખરુ ? અમદાવાદ ભલે સ્માર્ટ સિટી કહેવાતું પરંતુ વરસાદ તો તંત્રની પોલ ખોલીને જ રહે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના આ દ્રશ્યો જોઇ શકો છો. પેટ્રોલ પંપ બહાર રસ્તો બેસી ગયો. લોકોનું કહેવુ છે કે થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પહેલા જ વરસાદમાં કરોડોના ખર્ચે બનાવેલા પોલા રસ્તા ખખડધજ બની ગયા. રસ્તા પરથી પોપડા ઉખડી ગયા, એટલે અંદાજો લગાવી શકાય છે કે રોડ રસ્તામાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા કેવી હશે.

એક તરફ કરોડોના ખર્ચે રોડ રસ્તાના ટેન્ડર પાસ કરવામાં આવે છે પરંતુ કામગીરીના નામે માત્ર પોપડા જોવા મળે છે. ત્યારે આવી હલકી ગુણવત્તાવાળી કામગીરી માટે જવાબદાર કોણ , તંત્ર કે પછી કોન્ટ્રાક્ટરો ?  પ્રિ મોન્સૂન કામગીરીને લઇને મોટા મોટા બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વરસાદ પડતા આ વાતો પોલી સાબિત થાય છે.  વળી વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ એમ કહે છે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી એટલે સોનાના રોડ કે એવું નથી.

અરે સાહેબ, અમને રસ્તા સોનાના નથી જોઇતા પરંતુ સમયસર વેરો ભરવા છતાં અમને ટેમ્પરરી સુવિધા મળે તે શું કામનું ?  ક્યાં જાય છે એ કરોડો રૂપિયા ?  રોડ રસ્તા બન્યા પછી કેમ ગુણવત્તાની નથી કરાતી ચકાસણી ? શું કોન્ટ્રાક્ટ આપ્યો એટલે  કામ પુરુ થઇ ગયુ ?  ઠેર ઠેર આવા રોડ બેસી જશે, ઠેર ઠેર ખાડાઓ પડશે તો પછી શહેરીજનો કરશે શું ? વાહનચાલકોને પડતી મુશ્કેલીનું શું ? જો આવા ખખડધજ રસ્તાને કારણે કોઇએ જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે તો જવાબદાર કોણ ?  ત્યારે આવી સ્થિતિમાં  તાત્કાલિક રોડ રસ્તાનું સમારકામ થાય તે હિતાવહ થઇ પડે છે .

આ પણ વાંચો –

અંબાલાલ પટેલની આગાહી : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના લીધે પૂર આવશે !

0

Ambalal Patel’s forecast

  • ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં 10મી જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે અને આ દરમિયાન રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે.

ગુજરાતના (Gujarat) હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા કપરો સમય લાવે તેવી આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં (Central Gujarat) ભારે વરસાદની શક્યતા દર્શાવી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ (Heavy rain) પડવાની શક્યતા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાના લીધે પૂર આવે તેવી સ્થિતિ વર્ણવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેણા કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં 10મી જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે અને આ દરમિયાન રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે.

ગુજરાતમાં જૂન મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં જે વરસાદની ઘટ હતી તે મોટા ભાગની ઘટ હવે જૂલાઇ માસમાં પૂર્ણ થઈ ગઈ છે. મેઘરાજા હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં સાંબલેધાર વરસી રહ્યા છે. જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યાં જ માનવજીવન પણ મુશ્કેલીમાં મૂકાયું હતું. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 10થી 15 જૂલાઈ વચ્ચે ભારેથી વરસાદની આગાહી વચ્ચે પૂરની સ્થિતિની આગાહી કરી છે.

ક્યાં ઝોનમાં કેટલો વરસાદ ?

કચ્છમાં 33.36 %, ઉત્તર ગુજરાતમાં 16.93 %, સૌરાષ્ટ્રમાં 31.26 %, મધ્ય ગુજરાતમાં 13.68 % અને દક્ષિણ ગુજરાતમાં 25.64 % વરસાદ પડી ગયો છે.

વલસાડમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર :

વલસાડ જિલ્લામાં સતત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ છે ધરમપુર તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માન નદી ઉપર આવેલા લોલેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે ધરમપુર તાલુકાના સિંદૂમ્બર ખાતે આવેલો ભટરી ફળિયા અને અન્ય ત્રણ જેટલા ફળિયાને જોડતો પુલ પાણીમાં ડૂબી જતાં આશરે 2500 થી વધુ લોકોને હાલાકીનો સામનો કરવાનો વાળો આવ્યો છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે જિલ્લા ના 44 રસ્તાઓ બંધ થયા છે સતત વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર સર્જાઈ છે.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 13 ગામ અસરગ્રસ્ત :

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 13 ગામ અસરગ્રસ્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં ડાંગમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વઘઈમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદ થતા લો લેવલ કોઝવે, રસ્તા પર પાણી ભરાયા છે. અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની છે. વન વિસ્તાર, ધોધ પાસે લોકોને ફોટોગ્રાફી ન લેવાની અપીલ કરાઈ છે. અધિકારીઓને મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ પણ છૂટ્યા છે.

આ પણ વાંચો –

HDFCના કરોડો ગ્રાહકોને આંચકો ! બેંકે આજથી આ નવો નિયમ લાગુ કર્યો 

0

Shock to millions of HDFC customers

  • HDFC બેંકે ફરી એકવાર MCLRના દરમાં વધારો કર્યો છે. છેલ્લા એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થશે.

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકના કરોડો ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. વધતી મોંઘવારી (Rising inflation) વચ્ચે આ સમાચારને મધ્યમ અને નીચલા વર્ગના લોકો માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, HDFC બેંકે વિવિધ મુદતની તમામ પ્રકારની લોન માટે MCLR વધાર્યો છે. બેંક દ્વારા તેમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બેંક દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ જે ગ્રાહકોએ HDFC પાસેથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન (Personal loan) લીધી છે, તેમના EMI બોજમાં વધુ વધારો થશે.

આજથી નવા દરો અમલી :

બેંક દ્વારા નવા દરો 7 જુલાઈથી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, એક રાતના MCLRનો દર 20 બેસિસ પોઈન્ટ વધારીને 7.70 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે, એક મહિનાના સમયગાળા માટે MCLRનો દર 7.75 ટકા, 3-મહિનાના સમયગાળા માટે MCLRનો દર 7.80 ટકા અને છ મહિના માટે MCLRનો દર 7.90 ટકા પર પહોંચી ગયો છે. એ જ રીતે, એક વર્ષનો MCLR વધારીને 8.05 ટકા કરવામાં આવ્યો છે.

ગયા મહિને 35 બેસિસ પોઈન્ટ વધાર્યા હતા :

તમને જણાવી દઈએ કે HDFC બેંકે ગયા મહિને જ દરોમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેનો અમલ 7 જૂનથી કરવામાં આવ્યો હતો. HDFC દ્વારા એક મહિનામાં બીજી વખત દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારા બાદ વિવિધ બેંકોની લોન મોંઘી થઈ ગઈ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 જૂને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આના થોડા દિવસો પહેલા અચાનક તેમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. તે મુજબ છેલ્લા એક મહિના દરમિયાન તેમાં 90 પૈસાનો વધારો થયો છે.

બેંકનું નેટવર્ક બમણું થશે :

અગાઉ 22 જૂને બેંક દ્વારા દેશભરમાં હાલની શાખાઓને બમણી કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી. બેંક દ્વારા કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે લગભગ 1,500 થી 2,000 શાખાઓ ખોલવામાં આવશે. આ સાથે આગામી ત્રણથી પાંચ વર્ષમાં બેંકનું નેટવર્ક બમણું થશે. હાલમાં દેશમાં બેંકની 6,000થી વધુ શાખાઓ છે. બેંક અધિકારી વતી જણાવવામાં આવ્યું હતું કે વસ્તીના હિસાબે બેંકની શાખાઓની સંખ્યા ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દેશો કરતા ઓછી છે.

આ પણ વાંચો –

 

૯ જુલાઈ શનિવાર રોજ આ રાશિના લોકો પર તૂટી શકે છે મુસીબતોનો પહાડ, જો આ વાતોનું ધ્યાન નહિ રાખ્યું તો થઇ જશો બરબાદ 

On Saturday, July 9, a mountain of troubles

મેષઃ- આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પુરા કરવા. આરોગ્ય સાચવવું.

વૃષભઃ- બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

મિથુનઃ- આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, એકાઉન્ટીંગક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્કઃ- શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીયક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર ‌જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

સિંહઃ- શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીયક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર ‌જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

કન્યાઃ- પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્ષ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ- વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ. પ્રતિષ્ઠા વધે. સાચુ ખોટુ પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ- બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે, આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધનઃ- બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનંુ પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકરઃ- ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભઃ- દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીનઃ- બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આનંદમાં પણ વધારો થાય.

આ પણ વાંચો –

ટ્રાન્સપન્ટ ગાઉન પહેરીને મિસ ઈન્ડિયા ઇવેંટમાં પહોચી 48 વર્ષની મલાઇકા, લોકોએ કહ્યું ઉંમર જોઈને કપડાં પહેરો આંટી

0

Malaika, 48, arrives

  • 48 વર્ષની મલાઇકા આજ પણ બોલિવૂડની ઘણી યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે. એવામાં મલાઇકાના આઉટફિટને લઈને હંમેશા તે ચર્ચામાં રહે છે પણ આ વખતે થઇ ગઈ ટ્રોલ.

બૉલીવુડની સુપર ગ્લેમરસ અને મીડિયા વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહેતી મલાઇકા અરોરા (Malaika Arora) વિશે આપણે બધા જાણીએ જ છીએ. મલાઇકા 48 વર્ષની ઉંમરે પણ ઘણી ફિટ છે. વારંવાર તેની ફિટનેસ અને તેની ડેટિંગ લાઈફને (Dating Life) કારણે મલાઇકા ચર્ચા માં રહે છે. અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા ક્યારે લગ્ન કરશે એ વિશે ઘણી ચર્ચા ચાલતી રહે છે અને લોકો ટેને ટ્રોલ કરતાં રહે છે. પણ આ વખતે મલાઇકા કોઇ બીજા કારણોસર ટ્રોલરના નિશાને આવી છે. ગઇકાલે મિસ ઈન્ડિયા ઈવેન્ટમાં (Miss India event) જજ બનીને પંહોચેલ મલાઇકા તેના પહરેલ ડ્રેસના કારણે હાલ ટ્રોલરનો નિશાનો બની છે.

રવિવારે મુંબઈમાં મિસ ઈન્ડિયા ઇવેંટનું આયોજન થયું હતું જેમાં મલાઇકા અરોડા જજ તરીકે શામેલ થઈ હતી. ઇન્વેન્ટમાં પંહોચતાની સાથે જ બધા કેમેરા તેની તરફ ફરી ગયા અને મલાઇકાના ફોટોસ ખેંચવા માટે ફોટોગ્રાફર્સ મલાઇકાના નામની બૂમો પાડવા લાગ્યા હતા. પણ ઘણા ખરા લોકો હાલ સોશ્યલ મીડિયા પર એમના એ જ ગ્લેમરસ અવતાર અને તેમના ડ્રેસને લઈને મજાક બનાવીને ટેને ટ્રોલ કરી રહ્યા છે.

48 વર્ષની મલાઇકા આજ પણ બોલિવૂડની ઘણી યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે. એવામાં મલાઇકાના આઉટફિટને લઈને હંમેશા તે ચર્ચામાં રહે છે. મિસ ઇન્ડિયા ઈવેન્ટમાં મલાઇકા ટ્રાન્સપન્ટ ગાઉન પહેરીને પંહોચી હતી. આ સાથે ન્યુડ મેકઅપ અને ખુલ્લા વાળ એમના લિકને કમ્પ્લીટ કરી રહ્યા હતા. જો કે આ જ ટ્રાન્સપરંટ આઉટફિટને કારણે હાલ મલાઇકા ટ્રોલરના નિશાને આવી છે.

આ આઉટફિટમાં મલાઇકાને જોઈને ઘણા લોકોએ તેના વખાણ કર્યા તો ઘણા-ખરા લોકોએ તેનો મજાક બનાવ્યો છે. ઘણા લોકો સોશ્યલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને સસ્તી Kendall Jenner કહી રહ્યા છે. તો કોઇ તેની ઉમરને લઈને તેનો મજાક બનાવી રહ્યા છે.

મિસ ઈન્ડિયા વિશે વાત કરીએ તો આપણા દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે. કર્ણાટકની સીની શેટ્ટીએ મિસ ઇન્ડિયાનો સુંદર તાજ તેના નામે કર્યો છે. 31 ફાઇનલિસ્ટને હરાવીને એમને આ અદભૂત તાજ પોતાના નામે કર્યો છે. ત્યાં જ રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની અને ઉતર પ્રદેશની શીનાતા ચૌહાણ સેંકડ રનર અપ બની છે.

આ વખતે જજ પેનલમાં મલાઇકા અરોડા, નેહા ધૂપિયા, ડિનો મોરિયો, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શામક ડાબર શામેલ હતા. આ સિવાય બીજા ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ ઈન્ડિયાનું ફીનાલે મુંબઈ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –