Sunday, Jun 15, 2025

આમ આદમી પાર્ટી પંજાબમાં બનાવી શકે છે નાયબ મુખ્યમંત્રી ! આ વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી શકે છે

2 Min Read

Thus Aam Aadmi Party

  • સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જવાબદારી પાર્ટીના કોઈ પદાધિકારીને સોંપવામાં આવી શકે છે. પંજાબના સંજોગો અનુસાર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

પંજાબને (Punjab) જલ્દી નાયબ મુખ્યમંત્રી (Deputy CM) મળી શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતૃત્વવાળી સરકાર તેના પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના કોઈ કાર્યકર્તાને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. પંજાબના સંજોગો અનુસાર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AAPએ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. પાર્ટીએ 117 સભ્યોની વિધાનસભામાં 92 બેઠકો જીતીને જંગી જીત નોંધાવી હતી. AAPએ ભગવંત માનને રાજ્યના સીએમ બનાવ્યા. પાર્ટીએ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી.

નાયબ મુખ્યમંત્રી કેબિનેટ મંત્રીના દરજ્જા સમાન છે :

નાયબ મુખ્યમંત્રી પદ બંધારણીય નથી. તે રાજ્યના કેબિનેટ મંત્રીના પદની સમકક્ષ છે. નાયબ મુખ્યમંત્રીને ભથ્થાં મળે છે જે કેબિનેટ મંત્રીને મળવા પાત્ર છે. અવિભાજિત પંજાબમાં નાયબ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ હતા. 1966 માં, હરિયાણાને પંજાબમાંથી અલગ રાજ્ય તરીકે બનાવવામાં આવ્યું છે.

ડેપ્યુટી સીએમને સામાન્ય રીતે અન્ય કેબિનેટ મંત્રી તરીકે એક કે બે પોર્ટફોલિયો મળે છે. એવું કહેવાય છે કે ડેપ્યુટી સીએમનું વાસ્તવિક મહત્વ તેમને ફાળવવામાં આવેલા પોર્ટફોલિયો પર આધારિત છે. તેમજ ડેપ્યુટી સીએમ પાસે કોઈ ચોક્કસ નાણાકીય સત્તા હોતી નથી. ડેપ્યુટી સીએમ પાસે અન્ય કેબિનેટ મંત્રીઓ જેટલી જ નાણાકીય સત્તા હોય છે.

પંજાબના ઈતિહાસમાં એક વખત બે નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2021માં, સુખજિંદર સિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોનીને ચરણજીત સિંહ ચન્ની હેઠળ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

Share This Article