Home Blog Page 1339

ભાજપ નેતા વિજયભાઈ સુવાળા AAPના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ! ચૂંટણી પહેલાં જ રાજકારણ ગરમાયું

0

BJP leader Vijaybhai Suwala is the chief guest

  • AAPનાં એક કાર્યકમમાં ભાજપના નેતાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપતાં ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગાયો છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ BJP, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ વધુ ઘેરાયો છે. નોંધનીય છે કે આ દરમિયાન હવે ભાજપના વિજયભાઈ સુવાળા (Vijaybhai Suwala) અને ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ દ્વારા આયોજિત ભવ્ય રમેલના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જોડાતા હોવાથી રાજકારણ ગરમાયું છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલા મહિના પહેલા વિજયભાઈએ AAPનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેવામાં હવે AAPને ભાજપની B ટીમ ગણાતી હોવાની ચર્ચા વચ્ચે વિજય સુવાળાનું આ રમેલમાં જોડાવું ઘણું ચર્ચાસ્પદ રહી શકે છે.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

વિજયભાઈએ 7 મહિનામાં આપ સાથે છેડો ફાડ્યો :

નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં વિજયભાઈ સુવાળાએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો. તેમને ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. જોકે આ દરમિયાન લગભગ 7 મહિનાની અંદર વિજયભાઈએ ભાજપનો સાથ લીધો હતો. આ દરમિયાન સી.આર.પાટીલે તેમને કેસરિયો ખેસ ધારણ કરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતા.

ઈસુદાન તેમને મનાવવા ગયાં હતા :

આમ આદમી પાર્ટી છોડીને જ્યારે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાની વિચારણા કરી હતી. ત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે તેમને ઘરે મનાવવા માટે ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. જો કે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધું હતું.

આ પણ વાંચો :-

PM મોદીએ મંત્રીઓ પાસે માંગ્યો રિપોર્ટ : મહિનાઓ પહેલા આપ્યા હતા સૂચનો, કેટલી ટિફિન બેઠક કરી ?

0

PM Modi asked for a report from the ministers

  • મોદીએ થોડા મહિના પહેલા મંત્રી પરિષદને કાર્યક્ષમતા અને શાસન વધારવા સંબંધિત ટિપ્સ આપી હતી. હવે પીએમ જાણવા માંગે છે કે, તેમના સૂચનોનો કેટલો અમલ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તેમના મંત્રીઓ પાસેથી ટિફિન બેઠકને લઈ રિપોર્ટ માંગ્યો છે. મોદીએ થોડા મહિના પહેલા મંત્રી પરિષદને (Council of Ministers) કાર્યક્ષમતા અને શાસન વધારવા સંબંધિત ટિપ્સ આપી હતી. હવે પીએમ જાણવા માંગે છે કે, તેમના સૂચનોનો કેટલો અમલ થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણા મુદ્દાઓ પર મંત્રાલયો અને તેમના વિભાગો પાસેથી જવાબો મંગાવવામાં આવ્યા છે. તેમાં GeM (સરકારી ઈ-માર્કેટ) પોર્ટલનો ઉપયોગ કરવો, અધિકારીઓ સાથે ‘ટિફિન‘ મીટિંગ કરવી અને સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રના નિર્ણયોને જાહેર કરવાનો સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘ટિફિન મિટિંગ’ ની શરૂઆત કરી હતી. જેમાં ખાણીપીણીને લઈને અધિકારીઓ સાથે બેઠક થતી હોય છે. અધિકારીઓ પોતપોતાના ટિફિન સાથે આ બેઠકોમાં આવે છે અને ભોજન સાથે તેમના વિચારો શેર કાંકરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ મંત્રીઓને સૂચન કર્યું હતું કે, કેન્દ્રમાં પણ આવી સંસ્કૃતિ વિકસાવવી જોઈએ. તેની પાછળનો હેતુ ટીમ ભાવના વિકસાવવાનો અને બોન્ડિંગને મજબૂત કરવાનો છે.

મહત્વનું છે કે, અગાઉ મોદી દ્વારા મંત્રીઓ અને તેમના વિભાગોને જિયોટેગિંગ જેવી સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લીકેજ અને ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કહેવામાં આવ્યું હતું. મંત્રીઓને મહિનામાં ઓછામાં ઓછા એક વખત હોદ્દેદારો સાથે બેઠક યોજવાની સૂચના આપવામાં આવી હતી.

આ સિવાય સોશિયલ મીડિયા પર સરકારી યોજનાઓથી  નાગરિકોને કેવી રીતે ફાયદો થશે તે જણાવવા કહેવાયું હતું. આ સાથે મંત્રીઓ પાસેથી ફરિયાદ નિવારણ તંત્રની વિગતો પણ માંગવામાં આવી હતી.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મોદીએ શાસનને વધુ કાર્યક્ષમ અને પારદર્શી બનાવવા માટે અનેક અવસરો પર સૂચનો કર્યા હતા. મંત્રીઓને તેમના મંત્રાલયો દ્વારા સરકારના ઈ-કોમર્સ પ્લેટફોર્મ – GeM પોર્ટલ દ્વારા કરવામાં આવતી કોઈપણ ખરીદીની ખાતરી કરવા જણાવ્યું. મોદીએ મંત્રાલયોને અધિકારીઓ સાથે નિયમિત બેઠક કરવાનું પણ સૂચન કર્યું છે.

આ પણ વાંચો :-

જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો મોબાઈલ નંબર પરથી જાણી શકશો આધાર નંબર

0

If your Aadhaar card is lost

  • જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અને તમારે આધાર નંબરની જરુર પડે તો શું કરશો? આ એક ખુબ જ સરળ રીતે તમે આધાર નંબર મોબાઈલ ફોન મારફત મેળવી શકો છો. તમારા રજિસ્ટર્ડ નંબર પર તમે આધારને લગતી તમામ માહિતી મેળવી શકો છો.

ભારતમાં આધાર કાર્ડ (aadhar card) ઓળખ પત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતું ડોક્યુમેન્ટ બની ગયું છે. બેન્કથી લઈને તમામ નાના મોટા કામ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આધાર કાર્ડ પર લોન (loan) પણ લઈ શકાય છે. આ પરિસ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. યોગ્ય સમયે આધાર કાર્ડ આપણી પાસે ના હોય તો સમસ્યા પણ થઈ શકે છે.

જો તમારી પાસે આધાર કાર્ડના હોય અને તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે જરૂરિયાત ઊભી થવા પર આધાર નંબર જાણી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમારી પાસે માત્ર એક મોબાઈલ નંબર હોવો જોઈએ. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમે આધાર કાર્ડ વિશે તમામ જાણકારી મેળવી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો.

મોબાઈલ નંબરથી આધાર કાર્ડ નંબર કેવી રીતે ચેક કરવો :

– સૌથી પહેલા તમારે gov.in ની વેબસાઈટ પર જવાનું રહેશે.

– જ્યાં myaadhaar સેક્શન પર ક્લિક કરો.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

– હવે Retrieve Lost or Forgotten EID/UID ઓપ્શન પર ક્લિક કરો.

– ત્યારબાદ તમારું આખું નામ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, કેપ્ચા ટાઈપ કરીને સેન્ડ OTP પર કરો.

– હવે મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, તે OTP એન્ટર કરીને વેરિફાઈ OTP પર ક્લિક કરો.

– ત્યારબાદ UIDAI તરફથી મોબાઈલ નંબર પર એક SMS મોકલવામાં આવશે. આ મેસેજમાં આધાર નંબરની જાણકારી હશે.

મોબાઈલ નંબર પરથી આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો ?

– ઉપરની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને આધાર નંબર મળે તો ઈ-આધાર ડાઉનલોડ કરવાના ઓપ્શન પર ક્લિક કરો.

– નવુ પેજ ઓપન થયા બાદ તમારે તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે.

– કેપ્ચા કોડ એન્ટર કર્યા પર સેન્ડ OTP ઓપ્શન પર ક્લિક કરો.

– OTP એન્ટર કર્યા બાદ બે વિકલ્પ ‘હા’ અને 11/15 દિવસ પર ક્લિક કરવાનું રહેશે.

– ત્યારબાદ સ્ક્રીન પર આધાર કાર્ડ જોવા મળશે. ત્યારબાદ વેરિફાઈ ડાઉનલોડના વિકલ્પ પર ક્લિક કર્યા બાદ સ્ક્રિન પર આધાર કાર્ડ જોવા મળશે.

– હવે તમે ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો.

જો તમે માસ્ક આધાર ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો તમારે આધાર નંબર એન્ટર કર્યા પછી માસ્ક આધારકાર્ડ ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ આ જ પ્રોસેસ ફોલો કરીને તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો :-

ગુજરાતને લજવતો કિસ્સો ! માતાપિતાએ 40 હજારમાં કાળજાના કટકાને વેચી નાંખી, દલાલો 4 લાખમાં કરાવવાના હતા લગ્ન

Shameful case of Gujarat !

  • બે મહિલાઓએ આ દંતાણી પરિવારને રૂ.40 હજારની લાલચ આપી હતી. તેમની 17 વર્ષની કિશોરીની ખરીદી કરી હતી અને આ કિશોરીને થરાદના ડેલ ગામેં રહેતી દલાલોને વેચી મારી.

બનાસકાંઠાના (Banaskantha) જિલ્લાના થરાદના ડેલ ગામમાંથી બાળ કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી છે. થરાદ પોલીસની સતર્કતાના કારણે મૂળ લુણાવાડા (Lunawada) અને અમદાવાદમાં મજૂરી કરતા એક ગરીબ પરિવવારની સગીર દીકરીનું કેટલાક લોકો થોડાક રૂપિયાની લાલચમાં વેચવાના હતા.

તેનું લગ્ન કરાવે તે પહેલાં બાતમીના આધારે પોલીસે ડેલ ગામમાં રેડ કરી ગુલાબબેન વાઘેલા અને જીવણ જોશી નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે. કિશોરીને તસ્કરોના કબજામાંથી મુક્ત કરાવી અને કિશોરીના માતા પિતા સહિત 8 લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતા-પિતાએ દીકરીને 40 હજારમાં વેચી :

ગુજરાત રાજ્યમાં માતા પિતા અને પુત્રીના સંબંધને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક જરૂરિયાતને લઈ માતા પિતાએ દીકરીનો જ વેપાર કરી દીધો. મૂળ મહીસાગર જિલ્લાના  લુણાવાડા તાલુકાના રહેવાસી અને હાલમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહી મજુરી કરી પેટિયું રળતા દંતાણી પરિવારની 17 વર્ષીય કિશોરીને તેને માતા પિતાએ માત્ર રૂ.40 હજારમાં દલાલોને વેચી દીધી હતી.

તો આ દલાલોએ કિશોરીને બનાસકાંઠામાં મોકલી રૂ.4 લાખમાં લગ્ન કરાવવાનો સોદો તો કરી દીધો, પરંતુ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઇ હતી. પોલીસ આ કિશોરીનું વેચાણ કરાય તે પહેલા જ કિશોરીને જે જગ્યાએ રાખી હતી તે ડેલ ગામે પહોંચી આ દલાલોના મનસૂબા પર પાણી ફેરવી કિશોરીને દલાલોની ચૂંગલમાંથી મુક્ત કરાવી.

લગ્ન ઈચ્છુક યુવાનોને સગીરાઓ વેચવાનો ખેલ ચાલતો  :

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના શાહપુરમાં રહેતી રમીલાદીદી અને હંસામાસી નામની બે  મહિલાઓએ આ દંતાણી પરિવારને રૂ.40 હજારની લાલચ આપી હતી. તેમની 17 વર્ષની કિશોરીની ખરીદી કરી હતી અને આ કિશોરીને થરાદના ડેલ ગામેં રહેતી દલાલ ગુલાબબેન મફજી વાઘેલા અને ફૃલબાઈ બળવંતભાઈ વાઘેલાના ઘરે લઈ આવ્યા હતા.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

ડેલ ગામમાં કિશોરીને મહિલા દલાલે પોતાના ઘરમાં રાખી અને દિયોદર તાલુકાના દેલવાડા ગામના જીવણ જોશી નામના દલાલને સાથે રાખ્યો હતો. જેથી જીવણ જોશી લગ્ન કરવા ઈચ્છુક યુવાનોને બાળ કિશોરીના સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો અને વીડિયો મોકલી દલાલી કરવા લાગ્યો હતો. ત્યારે આ દલાલો કિશોરીને 4 લાખથી વધુના પૈસાથી વેચાણ કરી લગ્ન કરાવાના ફિરાકમાં હતા.

પોલીસે અટકાયત કરેલા આરોપી :

  • ગુલાબબેન મફજી વાઘેલા (રહે.ડેલ, તા.થરાદ)
  • જીવણ કરશન જોશી (રહે. દેલવાડા, તા.દિયોદર)

મહિલા દલાલો અને ફરાર આરોપીઓ :

  • રમીલાદીદી (રહે.શાહપુર, અમદાવાદ)
  • હંસામાસી (રહે.અમદાવાદ)
  • ફૂલીબાઈ બળવંતભાઈ વાઘેલા (રહે ડેલ, તા.થરાદ)
  • મગજી કરશન વાઘેલા (રહે ડેલ., તા.થરાદ)
  • પૂનમાભાઈ કેશાભાઈ દંતાણી (કિશોરીનો પિતા) હાલમાં રહે નરોડા અને મૂળ વતન લુણાવાડા, મહીસાગર
  • કોકિલાબેન પુનમાભાઈ દંતાણી (કિશોરીની માતા)

ગરીબ દીકરીઓને વેચીને ગુલાલ પોતાનું ગુજરાન ચલાવતી :

આ સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને બાતમીના આધારે થઈ હતી. જેને લઈ પોલીસે ડેલ ગામે રહેતી ગુલાબબેન મફજી વાઘેલાના ઘરે રેડ કરી હતી. ઘરમાંથી ગુલાબબેન અને દીયોદરના દેલવાડા ગામના જીવણ કરશન જોશીને ઝડપી પાડ્યો હતો. સાથે જ તેમની ચૂંગલમાં રહેલી કિશોરીને મુક્ત કરાવી હતી. જો કે તે બાદમાં કિશોરીની પૂછપરછ કરી તો કિશોરીનો પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈને આ કિશોરીનો સોદો કરી અને ડેલ ગામે વેચી મારી હોવાનું ખુલ્યું હતું.

No description available.

જેને લઈ પોલીસે ગુલાબબેન મફાજી વાઘેલા અને જીવણ કરશન જોશીની અટકાયત કરી સમગ્ર રેકેટમાં સંડોવાયેલા કિશોરીના માતા પિતા સહીત 8 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ દલાલો અન્ય કોઈ આવી તસ્કરી આચરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ પુછપરછ દરમ્યાન પોલીસના હાથે ઝડપાયેલી  ગુલાબબેન ગરીબ પરિવારની દીકરીઓને ખરીદી ઊંચા ભાવે દીકરીઓને વેચી તેમાંથી કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હોવાનું સામે આવ્યું.

આ વિશે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અમને જાણ થતા અમે બે લોકોની અટકાયત કરી છૅ અને કિશોરીને મુક્ત કરાવી છે. થરાદ પોલીસે આરોપીઓ સામે IPC કલમ 363, 366, 368, 370, 34, તેમજ ધી જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 81 મુજબ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો :-

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા રાજા સિંહની ધરપકડ, વિવાદિત નિવેદન સામે હૈદરાબાદમાં થયો હતો વિરોધ

0

Arrest of BJP firebrand leader

  • ભાજપના ધારાસભ્ય ટી.રાજા સિંહે કથિત રીતે પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

તેલંગાણામાં (Telangana) ભાજપના ધારાસભ્યની ધરપકડના સામે આવી રહ્યા છે. વિગતો મુજબ ટી.રાજા સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ધાર્મિક ભાવનાઓને (religious spirit) ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભાજપના ધારાસભ્ય ટી.રાજા સિંહે કથિત રીતે પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ત્યારથી લોકો નારાજ હતા.

દરાબાદમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ આજે સવારે હૈદરાબાદથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પયગંબર મોહમ્મદ વિશે તેમની કથિત ટીપ્પણી બદલ તેમની સામે અનેક ફરિયાદો કરવામાં આવી હતી.

આટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો દબીરપુરા, ભવાનીનગર, રેઈનબજાર, મીર ચોક પોલીસ સ્ટેશનની બહાર ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે, તેઓએ એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

શું છે સમગ્ર મામલો ? 

ટી. રાજાએ તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેણે પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી. મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે પોલીસ કમિશનર સીવી આણંદની ઓફિસ સામે અને શહેરના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

દેખાવકારો તેમની ધરપકડની માંગ પર અડગ હતા. આ વીડિયોમાં ટી. રાજાએ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને તેની માતા પર પણ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો :-

ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ બુટલેગરો બેફામ, સુરતમાં એક બુટલેગરે પોલીસની આખી ટીમને દોડાવ્યા

Bootleggers rampage

  • શું બુટલેગરોને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો. આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે. બુટલેગરો પોલીસ પર પણ હુમલો કરતા હવે અચકાતા નથી. કોની રહેમ નજરથી ગુજરાતમાં બુટલેગરોનો બિઝનેસ ફુલ્યોફાલ્યો છે.

ગુજરાતમાં સૌથી વધુ ક્રાઈમ સુરત શહેરમાં (Crime Surat City) જોવા મળે છે. સુરતમાં જાણે લોકોને કાયદાનો ડર નથી રહ્યો. તો બીજી તરફ પોલીસ પર ગુનેગારોનો કોઈ અંકુશ નથી રહ્યો. ખુદ ગૃહ રાજ્યમંત્રીના (Minister of State for Home Affairs) શહેરમાં જ ડ્રગ્સ-દારુનું (Drugs-Alcohol) વેચાણ થઈ રહ્યું છે. લાગે છે સુરતમાં ગુનેગારોને કાયદાનો ડર નથી રહ્યો. ત્યારે વધુ એકવાર મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે.

સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં વિદેશી દારૂ આવી રહ્યો છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એક કાર પસાર થતા જ પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ બુટલેગરે કાર પૂરઝડપે હંકારી દીધી હતી. આ સમયે ફિલ્મી દ્રષ્યો જોવા મળ્યા હતા. પોલીસે કારને ઝડપી લેવા અલગ અલગ વાહનોથી પીછો કર્યો હતો, તો બીજી તરફ કાર ચાલકે પોલીસથી બચવા બાઈક પર પીછો કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી.

જેમાં સદનસીબે બંને જવાનો બચી ગયા હતા. પણ બાઈકને નુકસાન પહોચ્યું હતું, બુટલેગર કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો, અને ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક કાર મૂકી ભાગી હતો. હાલ ઉમરપાડા પોલીસે કાર જપ્ત કરી લીધી છે. કારની તલાશી લેતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે.

બુટલેગરોને પોલીસ કે કાયદાનો ડર નથી :

સોમવારના સાંજના સમયે પોલીસ અને ઉમરપાડા પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા જેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે કે શું બુટલેગરોને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો. આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે કેવી રીતે જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. બુટલેગરો પોલીસ પર પણ હુમલો કરતા હવે અચકાતા નથી.

કોની રહેમ નજરથી ગુજરાતમાં બુટલેગરોનો બિઝનેસ ફુલ્યોફાલ્યો છે. હાલ તો ઉમરપાડા પોલીસે વિદેશી દારૂ અને કાર જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે. પણ પોલીસને હવે બેફામ થયેલા બૂટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

આ પણ વાંચો :-

કુદરતનો આવો તે કેવો ન્યાય ? મૃત્યુ સનાતન છે તો સમય પહેલાં શા માટે ?

What is the justice of nature?

  • સંબંધમાં બનેવી પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’ માટે અપાર ચિંતા ધરાવતા રમણીકલાલના અકાળે નિધનની ઘટનાએ વધુ એક વજ્રઘાત પહોંચાડ્યો
  • એક વર્ષના ટુંકા ગાળામાં ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારે બિધાનચંદ્ર પંડ્યા (બી. કે. પંડ્યા), બાબુકાકા, હેમંત ભટ્ટજી, યોગેશ ઢીંમર ગુમાવ્યાનું દર્દ રુઝાય ત્યાર પહેલાં રમણીકલાલનાં નિધને વધુ એક આઘાત પહોંચાડ્યો
  • ઘણી વખત લાગણીભર્યા અને સ્નેહાળ શબ્દો આફતના સમયે જીવન જીવવાનો માર્ગ બતાવવા માટે પુરતા થઈ પડે છે, રમણીકલાલ હંમેશા કહેતાં ‘‘કામકાજ હોય તો કહેજો’’ આ શબ્દો જ અમારા માટે જડીબુટ્ટી જેવા હતા.

જીવન એક યાત્રા છે જેનો ભૂતકાળ, વર્તમાન અને અંતકાળ (the end times) પણ  છે પરંતુ આ બધુ સત્ય ત્યારે જ સમજાય છે કાં તો એ માણસ જી‍ંદગીને જીવી ગયો. કાં જી‍ંદગીથી દાઝી ગયો હોય. આપણી રોજબરોજની જી‍ંદગીમાં આપણી આસપાસ ઘણા લોકો સ્વજનો રહેતા હોય છે પરંતુ તેમના મનમાં ઉભરાતી લાગણીઓ, આનંદ અને શોકને આપણે એટલા માટે સમજી શકતા નથી કારણ કે આપણે આવા સ્વજનોને કાંતો હળવાશથી લઇએ છીએ અથવા તો આપણા મનમાં આવી કોઇ સંવેદના નથી હોતી અને મોટાભાગના લોકો વર્તમાન સમયમાં સંવેદના વગર જીવતા હોય છે અને ક્યારેક સંવેદના હોવા છતાં સમય અને સંજોગો સંવેદનાને ભુલી જવા માટે મજબૂર કરતા હોય છે પરંતુ પોતીકા સ્વજનને ગુમાવ્યા પછી આપણામાં છુપાવેલી કે દબાવી રાખેલી સંવેદનાઓ દુઃખનો ધોધ બનીને વહેવા માંડે છે અને સાથે અંતરમનમાંથી એક હતાશાની સ્થિતિ આકાર પામે છે.

વ્યક્તિગત અને જાહેરજીવનમાં રોજબરોજ આપણી આસપાસમાં આવી ઘટનાઓ આકાર પામતી જ હોય છે. આપણી અડોશપાડોશમાં કે આપણી સાથે કામ કરતા સહકર્મીઓ અને પરિવારમાં બનતી ઘટનાઓને આપણે માત્ર દુઃખ કે સહાનુભૂ‌િત વ્યક્ત કરીને ભુલી જઇએ છીએ. ઘરેથી નીકળીને નોકરી કે ધંધાના સ્થળે જતી વખતે રસ્તામાં ઘણી વખત શબવાહીની બંધ બોડીમાં સ્મશાન ઘાટ લઇ જવાતા મૃતકના સ્વજનોના મનમાં ચાલતા વલોપાતને આપણે અનુભવી શકતા નથી. કારણ કે મૃત્યુ પામેલી વ્યક્તિ આપણું સ્વજન નથી.

ખેર, દરેકના જીવનમાં આવી ઘટનાઓ બનતી હોય છે. માત્ર સ્વજન જ નહીં પરંતુ જીવનની સફરમાં સાથી, મિત્ર બનીને આવેલા સ્વજનનું મૃત્યુ પણ અત્યંત દુઃખદાયક હોય છે. પરંતુ તેમના મૃત્યું બાદ તેમની ગેરહાજરીનો ખાલીપો બાકીની જી‍ંદગીને વેરાન કરી નાંખે છે. મારા મિત્ર અને ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારના મોભી બિધાનચંદ્ર પંડ્યા (બી.કે.પંડ્યા)ને ગુમાવ્યાને બરાબર એક વર્ષનો સમય પસાર થઇ ગયો પરંતુ હજુ પણ તેમનો ખાલીપો દિવસ-રાત સતાવ્યા કરે છે. એક વર્ષ પછી પણ તેમની ચેમ્બર અને ખુરશી ખાલી પડ્યા છે! અને હજુ પણ ભાસ થાય છે કે પંડ્યાજી ઓફિસમાં બેઠા છે. આ બધુ થવા પાછળ માત્રને માત્ર આત્મિય સંબંધો જ કારણરૂપ છે અને સ્વાર્થ વગરના આત્મિય સંબંધોને કારણે જ જી‍ંદગી જીવી જવાય છે બાકી દરેકનું મૃત્યુ એ ‘સનાતન’ સત્ય છે.

પંડ્યાજી પછી ગુજરાત ગાર્ડિયન પરિવારે પંડ્યાજી જેવા જ નખશીખ સજજન બાબુકાકા ત્યાર પછી હેમંત ભટ્ટ (ભટ્ટજી) અને ખુબ જ પ્રમાણિક અને પોતાને કેન્સર હોવા છતાં કામગીરી ચાલુ રાખનાર યુવાન યોગેશ ઢીંમરને ગુમાવ્યા હતા. ખૂબ જ ટુંકા ગાળામાં પરિવારના સભ્ય એવા ચાર ચાર સ્વજનોને ગુમાવ્યા પછી જાણે જી‍ંદગી સાવ નિરર્થક લાગતી હતી પરંતુ કેટલીક જવાબદારીઓ જી‍ંદગી જીવવા માટે મજબૂર કરી રહી છે. અલબત્ત આ મજબુરી સમાજના બધા જ લોકો સમજી શકે એ જરૂરી નથી.

આજકાલ જી‍ંદગી એક વેપાર જેવી બની ગઇ છે. કોઇક મજબુરીમાં ફસાયેલો માણસ‘જીવે કે મરે’ તેની કોઇને જ પડી નથી સમગ્ર જગત જાણે સ્વાર્થી બની ગયું છે બલ્કે એવું ચોક્કસ કહી શકાય કે દેશની પડી ભાંગેલી આર્થિક વ્યવસ્થાએ માણસ જાતને સ્વાર્થી બનાવી દીધી છે. માનવીય સંબંધો સાવ ભુલાઇ ગયા છે. આવા કપરાકાળમાં તમારા આત્મિય સ્વજનનું મૃત્યુ પોતાના મોત કરતા પણ વધુ પીડાદાયક હોય છે.

‘‘ગુજરાત ગાર્ડિયન’’ એ ચાર ચાર સભ્યોને ગુમાવ્યા બાદ ખાસ કરીને ‘‘ગુજરાત ગાર્ડિયન’’ માટે સતત મુક સંવેદના પ્રગટ કરનાર સંબંધમાં ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારનાં બનેવી પરંતુ મિત્ર કરતા વિશેષ રમણીકલાલનું નિધન વધુ અકળાવી ગયું પોતે આર્થિક સક્ષમ નહોતા પરંતુ પોતે કંઇક મદદ કરવા માટે તડપતા હતા. સ્વભાવે વિનમ્ર અને અત્યંત લાગણીશીલ રમણીકલાલના મનમાં ગુજરાત ગાર્ડિયનની મુશ્કેલી માટે વહેતી વેદનાની અમે કલ્પના કરી શકતા હતા. તેમના હંમેશ શબ્દો હતા ‘‘સાહેબ, કંઇ કામ હોય તો કહેજો’’ તેમના આટલા શબ્દો અમને જીવન જીવવા અને સંઘર્ષનો સામનો કરવા હિંમત આપતા હતા. પાછલા ચાર પાંચ વર્ષ દરમિયાન અનેક આફતો આવી અને ગઇ, ઘણાં સ્વજનોએ મોઢા ફેરવી લીધા પરંતુ રમણીકલાલના દિલ અને દિમાગમાં ‘‘ગુજરાત ગાર્ડિયન’’ ફરી ક્યારે મૂળસ્થિતિમાં ધમધમતુ થાય તેની સતત ચિંતા વહેતી હતી. કોઇક દિવસ પેપર મળ્યું ન હોય તો અનેક ચિંતાઓ વચ્ચે ફોન કરીને સ્થિતિ જાણી લેવાની ચિંતા કરતા હતા.

રમણીકલાલ સ્વભાવે શાંત, નિર્મળ અને સહનશીલ હતા. કોઇક મુદ્દે આપણે ઊંચા અવાજે વાત કરીએ તો તેઓ વાતને હંમેશા ટાળી દેતા હતા ‘‘તેઓ હંમેશા કહેતા ઠીક છે તમારૂ મગજ શાંત થાય પછી વાત કરીશું’’ તેમના આટલા શબ્દો જ મનને શાંત કરવા માટે પુરતા થઇ પડતા હતા. મુંબઈ દહીંસર ખાતે રહેતાં બે ભાઇઓના પરિવારમાં તેઓ નાના હતા પરંતુ એકપણ ઘટના એવી બનવા પામી નહી હોય કે તેમણે મોટાભાઇ હિંમતભાઇના શબ્દો ઊથાપ્યા હોય. પરિવાર મોટો હોવાથી ઘરમાં મતભેદ થવાના જ પરંતુ તેઓ મોટાભાઇ હિંમતભાઇને પિતા તુલ્ય માનતા હતા અને કોઇપણ પ્રસંગ હોય તો મોટાભાગે બન્ને ભાઇઓ સાથે જ જવાના આગ્રહી રહેતા હતા. ઘણી વખત અમને એવું કહેતા હતા કે ‘‘મને નહીં સાચવો તો કંઇ નહીં પણ મારા ભાઇનું સન્માન જળવાવું જોઇએ જ’’ અલબત્ત મોટાભાઇ પ્રત્યેની લાગણીનો અમને પણ ગર્વ હતો.

હજુ થોડા દિવસ પહેલા બહેન મંજુલાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઇ જવામા આવી હતી. ડોકટરોએ તત્કાળ સારવાર આપીને મંજુલાને સાવ સારી નરવી કરી દીધી, આ ઘટના દુઃખદ હતી, પરંતુ મંજુલા સારી થઈ જવાથી પરિવારના આનંદમાં ફેરવાઇ ગઇ હતી. બન્ને ભાઇઓનો પરિવાર ખુશખુશાલ હતો, કારણ કે મંજુલાના માથેથી ખૂબ મોટી આફત ટળી ગઇ હતી. બલ્કે એવું કહી શકાય કે મોત દરવાજે ટકોરો મારીને ચાલ્યું ગયું હતું.

પરંતુ કોઇને ક્યાં ખબર હતી કે કાળ હજુ દરવાજે ઊભો હતો !

મંજુલાની બીમારીની ખબર પુછવા રોજેરોજ સ્વજન, સંબંધીઓ મિત્રો… આવી રહ્યા હતા. પરિવારમાં પણ ખુશાલીનો માહોલ હતો પરંતુ જાણે કુદરતને આ ખુશાલી મંજુર નહોતી. ૧૯મી ઓગષ્ટને શુક્રવારે જન્માષ્ટમીનો તહેવાર હતો. મધરાત સુધી ઘરમાં ઉત્સવની ખુશાલી હતી, મધરાત્રે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવના દર્શન કર્યા. પ્રસાદી પણ લીધી અને વાતો કરતાં કરતાં બધા પથારીમાં સુઇ ગયા. કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઊંઘી ગયેલા રમણીકલાલ માટે આ જીવનયાત્રાનો અંતિમ સમય હતો॰

કોઇપણ પ્રકારની બીમારી નહોતી કંઇક અજુગતું લાગતું હોવાની ફરિયાદ પણ ન હોતી પરંતુ શનિવારની મધરાત અને રવિવારની વહેલી સવારે દરવાજે ઊભેલો કાળ કામ કરી ગયો હતો.

વહેલી સવારે અચાનક છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા મોટાભાઇનો દિકરો નિલેશ દવાખાને લઇ ગયો અને બસ ગણતરીની મીનીટોમાં રમણીકલાલ અનંતની યાત્રાએ ઉપડી ગયા હતા !

બંધ પડી ગયેલા હૃદયને ફરી ધબકતું કરવા ડોકટર્સના લાખ પ્રયાસો છતાં રમણીકલાલ કાળ પથારીમાંથી ફરી બેઠા થયા નહીં !

આ તરફ પરિવાર તેમના પાછા ફરવાની રાહ જોઇને બેઠો હતો, મોટાભાઇ હિંમતભાઇ હોસ્પિ.માં ફોન કરીને સ્થિતિ જાણવાની કોશીષ કરતા. મંજુલાના મનમાં પણ કોઇ અમંગળની શંકાઓ નહોતી રાબેતા મૂજબ ઘરનું કામ કરતી હતી, પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેનુ સૌભાગ્ય નંદવાઇ ગયું હતું.! ઘર પરિવારના કોઇપણ સભ્ય મંજુલાને અમંગળ વાત કરવાની સ્થિતિમાં નહોતા અને વાત કરવી તો કઇ રીતે કરવી? આવી મુંઝવણ વચ્ચે આખરે રમણીકલાલના‘નિધન’ની વાત કરવામાં આવી ત્યારે મંજુલા દુઃખનો આઘાત વ્યક્ત કરવાની સ્થિતિમાં નહોતી, કોઇ શબ્દ નહોતા. તેની આંખના આંસુ પણ થીજી ગયા હતા !

આ દ્રષ્ય અત્યંત ભયાનક હતું મંજુલાને તૂટતી રોકવી જરૂરી હતી. અંતે એક વિકટ સમય પસાર થઇ ગયો. સ્વજનો, સંબંધીઓ, પડોશીઓથી ઘર ભરાઇ ગયું અને બીજા દિવસે રવિવારની સવારે રમણીકલાલના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેમની ચિતામાંથી નીકળતી આગ ક્ષણ ભંગુર જીવન માટે ખૂબ મોટો સંદેશો આપતી હતી. જાણે રમણીકલાલ કહી રહ્યા હતા, મારું નિર્લેપ જીવન જ મારો સંદેશ છે.

અને એ પણ હકીકત છે કે લગભગ ૬૪ વર્ષની લાંબી જી‍ંદગીમાં રમણીકલાલને કોઇ સાથે વિવાદ થયો હોવાની એકપણ ઘટના બનવા પામી નહોતી. તેઓ અજાત શત્રુ હતા. રમણીકલાલ સાથે  કોઈ સંજોગોમાં કારણ વગર વિવાદમાં ઉતરેલા લોકોને પણ એક નખશીખ સજ્જન ગુમાવ્યાની વેદના જરૂર કોરી ખાતી હશે.

દહીંસરનો આનંદનગર વિસ્તાર સાવ સુનો ભાસતો હતો. રમણીકલાલ અને પરિવારે આ વિસ્તારમાં દાયકાઓ પસાર કર્યા હતા. દરેક સોસાયટી અને ફૂટપાથ ઉપર વસતાં લોકો પણ રમણીકલાલના નિધન માટે આઘાત વ્યક્ત કરી રહ્યાં હતાં.

આ પણ વાંચો :-

યુવકે લોકોની નજર સામે મોતને ગળે લગાવ્યું, ટ્રક નીચે 5 સેકન્ડમાં ગયો જીવ

The young man embraced

  • ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થનારાઓ માટે આ એક શોકિંગ ઘટના હતી. એક ટ્રક અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક ટ્રક પાસે આવ્યો હતો. ટ્રક થોડી આગળ ગઈ ત્યારે જ યુવક ટ્રકની નીચે કૂદી પડ્યો હતો.

રાજકોટમાં (Rajkot) આજે આપઘાતનો ચોંકાવનારો બનાવ બન્યો છે. રાજકોટમાં યુવકના આપઘાતના લાઈવ (Suicide Live) દ્રશ્યો સામે આવ્યા છે. જે ભલભલાને વિચલિત કરી દે તેવા છે. ગ્રીન લેન્ડ ચોક નજીક યુવકે દોડતી ટ્રક નીચે પડતું મૂકીને મોત વ્હાલુ કર્યું હતું. ટ્રકને આવતી જોઇ અચાનક યુવકે ટ્રકના ટાયર નીચે પડતું મૂક્યું હતું. આપઘાતના લાઈવ દ્રષ્યો (Live views) જોઈને તમે પણ ગભરાઈ જશો.

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક યુવકે જાહેરમાં આપઘાત કર્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થનારાઓ માટે આ એક શોકિંગ ઘટના હતી. એક ટ્રક અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક ટ્રક પાસે આવ્યો હતો. ટ્રક થોડી આગળ ગઈ ત્યારે જ યુવક ટ્રકની નીચે કૂદી પડ્યો હતો.

જેથી ટ્રકની પાછળના પૈડાં તેના શરીર પરથી પસાર થઈ ગયા હતા. આ જોઈ ટ્રક ચાલકે ટ્રક રોકી હતી. પરંતુ તે પહેલા જ યુવકનું મોત નિપજ્યુ હતું.

આ ઘટનાથી રાજકોટ બી ડીવીઝનની પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી પણ કબજે કર્યાં હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 30 વર્ષીય યુવક પરપ્રાંતીય હતો.

તેનું નામ નીલમ છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસે મોબાઈલના આધારે યુવકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. સાથે જ યુવક કેમ જાહેરમાં આવુ કરવા મજબૂર બન્યો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ, 23 ઓગસ્ટ 2022 : 51 વર્ષ બાદ આ રાશિના લોકો પર મહાદેવ થશે પ્રશન્ન – જાણો તમારી રાશી અનુસાર

Today’s Horoscope, 23 August 2022

મેષઃ
સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ, જંતુ કરડવાની શક્યતા છે.

વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા-નોકરી ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા- માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્યસારૂં, ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણો માંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ
સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ, પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.

કન્યાઃ
સરળ નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્ર‌િષ્ટ‌એ ફાયદો, કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્કિમ ઉન્નતિ અનુભવાય.

તુલાઃ
આળસ આવે કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જ‍ળવાય. ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.

મકરઃ
આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃધ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ
ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી શીખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

જય શ્રી રામ ! રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખ નક્કી, આ દિવસે ગર્ભગૃહમાં બિરાજમાન થશે રામ લલ્લા 

0

Jai Shri Ram! Ram Lalla’s

  • રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખને લઈ મોટા સમાચાર, 14 જાન્યુઆરી 2024 એટલે કે મકરસંક્રાંતિએ રામલલાની ગર્ભગૃહમાં સ્થાપના થઈ શકે છે : સૂત્રો

રામનગરી અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આખો દેશ એ સમયની રાહ જોઈ રહ્યો છે જ્યારે રામ લલ્લા મંદિરના (Ram Lalla Temple) ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ દરમ્યાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે રામલલાના ઘરમાં પ્રવેશની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી 14 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે મકરસંક્રાંતિના દિવસે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની સ્થાપના કરવામાં આવશે.

રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી 14 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે મકરસંક્રાંતિના દિવસે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની સ્થાપના કરવામાં આવશે.

શું કહ્યું VHPના પ્રાંતીય મીડિયા પ્રભારી ? 

આ તરફ VHPના પ્રાંતીય મીડિયા પ્રભારી શરદ શર્માએ કહ્યું કે, રામ લલ્લાને શક્ય તેટલી વહેલી તકે ગર્ભગૃહમાં બેસાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવશે. કોશિશ એ છે કે, 2024ની મકરસંક્રાંતિના અવસર પર રામલલાને કાયદા સાથે તેમના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવે. શરદ શર્માએ જણાવ્યું કે બાંધકામનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ :

નોંધનીય છે કે, અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક રવિવારે પૂરી થઈ. બેઠકમાં મકાન બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં રામજન્મભૂમિ સ્થિત એલએનટી અને ટાટા કન્સલ્ટન્સી કાર્યાલય ખાતે ટ્રસ્ટના અધિકારીઓ અને કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોની હાજરીમાં રામજન્મભૂમિ ખાતે સમાપન થયું હતું.

આ પણ વાંચો :-