HomeGujaratSouth Gujaratઉદ્યોગપતિ અને દાતા મહેન્દ્રભાઈ કતારગામવાળાનું નિધનથી સુરત શોકાતુર

ઉદ્યોગપતિ અને દાતા મહેન્દ્રભાઈ કતારગામવાળાનું નિધનથી સુરત શોકાતુર

Date:

Related stories

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર: મળશે ₹1.50 લાખ સુધીની સ્કોલરશિપ, જાણો કોણ કરી શકશે અરજી

ગુજરાતમાં ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે...

નેપાળ પૂર ત્રાસદી : મૃત્યુઆંક 469 પર પહોંચ્યો, 290 ભારતીય સહિત 1600થી વધુ લોકો ગુમ

નેપાળમાં ભીષણ પૂરથી સર્જાયેલી તબાહીમાં અત્યાર સુધીમાં 469થી વધુ...
spot_img

મહેન્દ્રભાઈ નાથુભાઈ કતારગામવાળા સુરતના જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને દાતાશ્રી તરીકે જાણીતા તેમજ વેપાર અને ઉદ્યોગક્ષેત્રમાં સફળ કારકિર્દી સાથે તેમણે સામાજિક જવાબદારીને પણ જીવનનો મહત્વપૂર્ણ ધ્યેય બનાવી અનેક સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહીને જરૂરિયાતમંદ લોકોની મદદ, શિક્ષણના પ્રોત્સાહન અને સમાજકલ્યાણના વિવિધ કાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપનારા મહેન્દ્રભાઈ નાથુભાઈ કતારગામવાળાનું આજે નિધન થતાં સુરતનું ઉદ્યોગજગત જ નહીં દરીદ્રનારાયણો પણ રાંક થયા છે.

1 એપ્રિલ 1950ના રોજ એક પ્રતિષ્ઠિત પાટીદાર પરિવારમાં જન્મેલા મહેન્દ્રભાઈ કતારગામવાલાનું જીવન ઉદ્યોગ અને સેવાનો સુમેળ રહ્યો છે. તેમના પિતા ચાંદીના તાર બનાવવાનું કામ કરતા, જ્યાંથી તેમને પરિશ્રમના સંસ્કાર મળ્યા. પિતાથી એક ડગલું આગળ વધીને તેઓ કન્સ્ટ્રક્શન, હૉસ્પિટાલિટી અને ટેક્સટાઇલ એમ ત્રિવિધ ક્ષેત્રોમાં સફળતાના શિખરો સર કરી પિતા કરતાં સવાયા પુરવાર થયા છે. વૈષ્ણોદેવી ગ્રૂપ દ્વારા રિયલ એસ્ટેટમાં આઇકોનિક પ્રોજેક્ટ્સ આપ્યા બાદ, તેઓ સાપુતારા સ્થિત ‘હોટેલ શિલ્પી ઇન્ટરનેશનલ રિસોર્ટ’ના ચેરમેન તરીકે પણ સેવા આપી ચુક્યા છે. સુરતમાં ફાઇવ સ્ટાર હોટેલના નિર્માણ દ્વારા હૉસ્પિટાલિટી ક્ષેત્રે નવું સીમાચિહ્ન અંકિત કરવા ઉપરાંત વ્યાપારની સાથે મહેન્દ્રભાઈનું હૃદય સેવામાં ધબકતું રહ્યું છે. તેઓ ભરત કૅન્સર હૉસ્પિટલ અને નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટરનું સંચાલન કરતા ભારતીમૈયા મેમોરિયલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે વર્ષોથી માનવતાનું કાર્ય પણ કરતા હતા. 46 વર્ષથી સાધના વિદ્યાલયના પ્રમુખ તરીકે શિક્ષણની ધૂણી ધખાવી હતી. મહાજન અનાથાશ્રમ સાથે 26 વર્ષનો નાતો અને ચિલ્ડ્રન વેલ્ફેર સોસાયટી (રિમાન્ડ હોમ)ના પ્રમુખ તરીકે તેમણે સમાજના વંચિત વર્ગ માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે. દસ વર્ષથી ઓફિસર્સ જીમખાનાના ખજાનચી તરીકે પણ તેમણે સેવા આપી હતી.

ચેમ્બરના પ્રમુખ તરીકે તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવો ચીલો પાડ્યો હતો. થાઇલેન્ડમાં ગ્રીન અને યલો સ્ટોનનું વિશ્વનું સૌથી મોટું બજાર છે, તે પારખીને તેમણે થાઇલેન્ડ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો સાથે ગાઢ સંબંધો બાંધ્યા. આ પ્રવાસ દરમિયાન 200 ભારતીયો માટે ગ્રાન્ડ ડિનર હોસ્ટ કરવાનું હોય કે થાઇલેન્ડના વેપારીઓને સુરત બોલાવીને ભવ્ય ઓર્નામેન્ટ શો કરવાનું હોય, મહેન્દ્રભાઈએ સુરતના ઝવેરીઓ માટે વૈશ્વિક તકોના દ્વાર ખોલવાનું ભીગરથ કાર્ય પણ પાર પાડ્યું હતું.

સરળ, મિલનસાર અને સેવાભાવી સ્વભાવ ધરાવતા મહેન્દ્રભાઈ સમાજના વિવિધ વર્ગોને સાથે લઈને રચનાત્મક કાર્યોમાં સક્રિય રહ્યા હતા. દાનને માત્ર આર્થિક સહાય પૂરતું ન માનતા તેઓ સંસ્થાઓને માર્ગદર્શન, આયોજન અને સક્રિય સહકાર દ્વારા પણ મજબૂત બનાવવામાં વિશ્વાસ રાખતા હતા. સુરતના સામાજિક અને સેવાકીય ક્ષેત્રમાં તેમની સક્રિય ભાગીદારીને કારણે તેઓ એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સાથે સંવેદનશીલ અને લોકહિતચિંતક વ્યક્તિત્વ તરીકે પણ ઓળખ ધરાવતા હતા.

મહેન્દ્રકુમાર નાથુભાઈ કતારગામવાળા સુરતના ઉદ્યોગ અને સમાજજીવન સાથે લાંબા સમયથી સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. તેઓ 2014-15 દરમિયાન સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ રહ્યા હતા. આ જવાબદારી દરમિયાન વેપાર-ઉદ્યોગના પ્રશ્નો ઉપરાંત સંસ્થાગત વિકાસ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન રહ્યું છે. તેઓ સામાજિક અને ઉદ્યોગ અગ્રણી તરીકે પણ ઓળખાય છે અને સુરતના સામાજિક ક્ષેત્ર સાથે તેમની સક્રિય સંકળાયેલતા નોંધાય છે.

Subscribe

Latest stories

spot_img