HomeInternationalનેપાળ પૂર ત્રાસદી : મૃત્યુઆંક 469 પર પહોંચ્યો, 290 ભારતીય સહિત 1600થી...

નેપાળ પૂર ત્રાસદી : મૃત્યુઆંક 469 પર પહોંચ્યો, 290 ભારતીય સહિત 1600થી વધુ લોકો ગુમ

Date:

Related stories

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર: મળશે ₹1.50 લાખ સુધીની સ્કોલરશિપ, જાણો કોણ કરી શકશે અરજી

ગુજરાતમાં ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે...

VIDEO: આવી કેવી બિલાડી? Guinness World Recordમાં નામ, એક્સ-રેમાં સામે આવી હતી અનોખી હકીકત

બિલાડીના ચાર પંજામાં સામાન્ય રીતે જેટલી આંગળીઓ હોય છે,...
spot_img

નેપાળમાં ભીષણ પૂરથી સર્જાયેલી તબાહીમાં અત્યાર સુધીમાં 469થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 1,600થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. લાપતા લોકોમાં 290 ભારતીય પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિને ગંભીર ગણાવી છે. દરમિયાન નેપાળમાં ફરી પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પૂર બાદ સર્જાયેલી વિનાશક સ્થિતિમાં 290 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ રહ્યો નથી અને તેમની શોધખોળ માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

આ દરમિયાન ત્રિશૂલી હાઈડ્રોપાવરની ટનલમાં ફસાયેલા 350 જેટલા કામદારો અને કર્મચારીઓને નેપાળી સેનાએ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા છે. આ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં અનેક ભારતીય કામદારો પણ કાર્યરત હતા.

બીજી તરફ, નેપાળ સરકાર દ્વારા પ્લેનેટ લેબ્સ અને લેન્ડસેટની સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણથી ચિંતાજનક માહિતી સામે આવી છે. રસુવાગઢી સરહદથી આશરે 18 કિમી ઉપર લેન્ડે નદીનો પ્રવાહ સંપૂર્ણપણે અટકી ગયો છે.

નદીનો પ્રવાહ અટકતાં કાંઠાના વિસ્તારમાં અસ્થાયી તળાવ બની ગયું છે. નેપાળ સરકારે ચેતવણી આપી છે કે જો આ કુદરતી તળાવનો બંધ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં અચાનક વિનાશક પૂર આવવાનો મોટો ખતરો છે.

Subscribe

Latest stories

spot_img