Home Blog Page 1307

એક પણ પૈસાના રોકાણ કર્યા વગર તગડી કમાણી કરાવી આપે છે આ બિઝનેસ, જાણો વિગતો

0

This business makes you earn hard

  • બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે.

બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ (Talent) હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે.

જો તમે કઈક હટકે કરવા માંગતા હોય તો અમે તમને આજે એકદમ નવો આઈડિયા બતાવી રહ્યા છીએ. હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જેમાં લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) બનીને લોકો મોટી કમાઈ કરી રહ્યા છે.

જો તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય તો તેનો ઉપયોગ પ્રોફેશનલ રીતે જરૂર કરો. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાંડ એન્ડોર્સમેન્ટ કરીને કમાણી થઈ શકે છે. જો કે તે માટે ફોલોઅર્સનો સ્ટ્રોંગ બેસ હોવો ખુબ જ જરૂરી છે. જેથી કરીને લોકો તમારા પર ભરોસો કરી શકે.

કેવી રીતે બની શકાય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર :

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા માટે તમારે તમારી ક્રિએટિવિટી ઉપર પૂરેપૂરી રીતે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્લુએન્સર (પ્રભાવશાળી) બનવા માટે તમારે તમારી સ્પેશિયાલિટીને ઓળખવી પડશે. એક ફિક્સ પ્રોગ્રામ હેઠળ કામ કરવું પડશે. ધીરે ધીરે તમારી સ્પેશિયાલિટી લોકોને આકર્ષિત કરશે અને તમારા ફોલોઅર્સની સંખ્યા લાખો સુધી પહોંચી જશે.

ફેસબુક એકાઉન્ટ પર લાઈક્સ વધારવા માટે કવર અને પ્રોફાઈલ ફોટો યોગ્ય રીતે પસંદ કરવો જોઈએ. જો તમારું બિઝનેસ પેજ હશે તો પ્રોફાઈલ ફોટો પર પોતાનો ફોટો લગાવો પરંતુ કવર ફોટા સાથે ક્રિએટિવિટી કરી શકો છો.

કન્ટેન્ટ પર કરો ફોકસ :

સોશિયલ મીડિયા પર લાઈક અને ફોલોઅર્સ વધારવા માટે સૌથી પહેલા તો તમારે તમારા કન્ટેન્ટ પર ખાસ ધ્યાન આપવું પડશે. માની લો કે જે રીતે તમારા ઘરમાં અખબાર આવે છે અને તમે બિઝનેસ પેજ ખોલીને જાણવા માંગો કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં શું થયું. કઈ કંપનીએ કાર કે બાઈકનું નવું મોડલ લોન્ચ કર્યું. બસ આ જ નોલેજ તમને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનાવી શકે છે.

તમારે બસ એ કરવાનું છે કે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોની સાથે તમારું નોલેજ શેર કરવાનું છે. તમે ઈચ્છો તો લોન્ચ થનારા નવા મોડલની સમીક્ષા પણ કરી શકો છો. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોસ્ટ કરવાના નામે ગમે તે વસ્તુ કે કન્ટેન્ટ પોસ્ટ ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી ક્રેડિબિલિટી ઉપર પણ સવાલ ઉઠી શકે છે.

આ પણ વાંચો :-

 

કોણ સંભાળશે રાજસ્થાનની રાજગાદી ? શું આ વખતે પાયલોટના હાથમાં આવશે ‘પ્લેન’ ? આજે થશે નક્કી

0

Who will take over the throne of

  • આજે થશે રાજસ્થાનનો ફેંસલો. કોંગ્રેસ હાઈકમાન કોનેની કરે છે તાજપોશી ? કોને મળી શકે છે રાજસ્થાનમાં રાજ કરવાનો પરવાનો ? આજે અંગે લેવાઈ શકે છે મહત્ત્વનો નિર્ણય.

રાજસ્થાનના મુખ્યમંત્રી (Chief Minister of Rajasthan) બદલાવવાની અટકળો વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) જયપુરમાં વિધાયક દળની બેઠક બોલાવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge)  અને પ્રભારી અજય માકન હાજર રહેશે.

આ સિવાય વિધાયક દળની બેઠકમાં રાજ્યમાં નવા સીએમ કોણ હશે તેના પર પણ નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધી પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટનું (Sachin Pilot) નામ સૌથી આગળ છે. પરંતુ બેઠક પહેલા કઈ કહી ના શકાય. કોંગ્રેસ પાર્ટીએ જયપુરમાં થનારી બેઠક અંગે ટ્વીટ કરી છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે શનીવારે રાત્રે ટ્વીટ કરીને કોંગ્રેસ પાર્ટીના અધ્ય7 અંગે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને જયપુરમાં થનારી વિધાયક દળની બેઠક અંગે ઓબ્ઝર્વર અને ઈન્ચાર્જ બનાવ્યા છે. વિધાયક દળની બેઠક આજે સાંજે 7 વાગ્યે શરૂ થશે.

ખાસ વાત એ છે કે અશોક ગહેલોત જે હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી છે તે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. તેવામાં પાર્ટીના એક વ્યક્તિ એક પદના નિયમ અનુસાર તેમણે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવુ પડશે. અશોક ગહેલોતે શુક્રવારે કહ્યું હતું કે નિશ્ચિતરૂપથી કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ગહેલોતે એ પણ કહ્યું હતુ કે જો અધ્યક્ષ બનશે તો ઉત્તરાધીકારી અંગે નિર્ણય હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવશે. પાર્ટીમાં એકતા પર જોર આપતા ગહેલોતે કહ્યું હતું કે ભલે કોઈ પણ ચૂંટણી જીતે, કોંગ્રેસને તમામ સ્તરો પર મજબૂત કરવા માટે બધાએ સાથે મળીને કામ કરવાનું રહેશે.

આ પણ વાંચો :-

સફળતાની કહાની ! ફક્ત 19 વર્ષમાં અરબપતિ બન્યો આ વ્યક્તિ, તમે પણ વિદ્યાર્થી છો તો જાણો કેવી કમાયા રૂપિયા ?

0

Success story! This person became a

  • અમે વાત કરી રહ્યા છીએ Zepto ના કો-ફાઉન્ડર્સ કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાની. બંને યુવા આંત્રેપેન્યોર હુરૂન ઇન્ડીયા ફ્યૂચર યૂનિકોર્ન ઇંડેક્સ 2022 માં સૌથી નાની ઉંમરના સ્ટાર્ટ અપ ફાઉન્ડર પણ છે.

સફળ થવા માટે મહેનત સાથે સાથે એક્સપરીમેન્ટ (Experiment) પણ કરવા પડે છે અને એવું નથી કે જો કંઇ કર્યું અને તેમાં ફેલ થઇ ગયા તો પછી બધુ છોડી દો. આપણે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેવું જોઇએ જ્યાં સુધી સફળતા ન મળે. કારણ કે દરેક અસફળતાથી કંઇક ને કંઇક સીખવા મળે છે. આજે અમે એવા જ એક સ્ટાર્ટ અપ ફાઉન્ડરની વાત કરી રહ્યા છીએ જેમણે ગ્રેજ્યુએશનનો (Graduation) અભ્યાસ કરવાની ઉંમરમાં 7300 કરોડ રૂપિયાની કંપની ઉભી કરી દીધી.

અમે વાત કરી રહ્યા છીએ Zepto ના કો-ફાઉન્ડર્સ કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાની. બંને યુવા આંત્રેપેન્યોર હુરૂન ઇન્ડીયા ફ્યૂચર યૂનિકોર્ન ઇંડેક્સ 2022 માં સૌથી નાની ઉંમરના સ્ટાર્ટ અપ ફાઉન્ડર પણ છે. કૈવલ્ય અને આદિતને ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ કરવા દેશના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનું દર્શાવે છે.

વર્ષ 2021 માં કૈવલ્ય અને આદિતે Zepto ની શરૂઆત કરી. આ કરિયાણાની ડિલીવરીની એપ છે. તેનો કોન્સેપ્ટ છે. ‘જેપ્ટોસેકેંડ’ એટલે એકદમ ઝડપી કરિયાણાનો સામાન ડિલીવર કરવો. 10 મિનિટમાં ગ્રોસરી ડિલીવરી પુરો ખેલ બદલી દીધો. Zepto એ નવેમ્બર 201 માં ફંડિંગ દ્રારા 486 કરોડ એકઠા કર્યા.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

તો બીજી તરફ ડિસેમ્બરમાં વધુ એક ફંડિંગ રાઉન્ડમાં 810 કરોડ રૂપિયા એકઠા કર્યા. આ વર્ષે મે સુધી કંપનીનું ઇવેલ્યૂએશન 7300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. હવે Zepto 10 મોટા શહેરોમાં 3000 થી વધુ પ્રોડક્ટ ડિલીવર કરી રહી છે.

કૈવલ્ય વોહરા અને આદિત પાલિચા IIFL Wealth Hurun India Rich List 2022 માં સામેલ થનાર સૌથી નાની ઉંમરના આંત્રેપેન્યોર્સ બની ગયા. 19 વર્ષની ઉંમરમાં, કૈવલ્યા સૌથી અમીર ભારતીયોની યાદીમાં સામેલ થનાર સૌથી નાની ઉંમરના યુવા બની ગયા છે. હુરૂન લિસ્ટમાં કૈવલ્ય 1,000 કરોડની સંપત્તિ સાથે 1036 મા સ્થાન પર છે તો બીજી તરફ 1,200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આદિત પાલિચા આ લિસ્ટમાં 950 મા નંબર પર છે.

કૈવલ્ય બેંગલોરમાં જન્યા ને પોતાની સ્કૂલનો અભ્યાસ દુબઇથી પુરો કર્યો. ત્યારબાદ તેમણે સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું પરંતુ 2022 માં પોતાના મિત્ર આદિત સાથે સ્ટાર્ટઅપ કરવા માટે કોલેજ છોડી દીધી.

આ પણ વાંચો :-

 

શું IPL માંથી નિવૃતિ લેશે ધાકડ MS Dhoni ? આ તારીખે કરશે મોટી જાહેરાત

0

Will MS Dhoni retire from IPL ?

  • ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે લાઇવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો. ‘આ પોસ્ટથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી સંન્યાસ લેવાના સમાચારો ફેલાઇ રહ્યા છે.

ભારતના (India) પૂર્વ ખેલાડી અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Captain Mahendra Singh Dhoni) સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતા નથી અને લાઇમ લાઇટમાં આવવું પસંદ કરતા નથી. ધોનીએ 15 ઓગસ્ટ વર્ષ 2020 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી (International Cricket) નિવૃતિ લઇ લીધી હતી. પરંતુ તે હજુ પણ IPL માં રમી રહ્યા હતા. જો કે હવે ધોનીએ પોતાના ફેસબુક પરથી એક પોસ્ટ કરી છે. જેથી ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ મુકી છે, જેમાં તેમણે 25 સપ્ટેમ્બરના રોજ લાઇવ આવવાની વાત કહી છે. ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે લાઇવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો. ‘આ પોસ્ટથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી સંન્યાસ લેવાના સમાચારો ફેલાઇ રહ્યા છે.

CSK ને 4 વાર બનાવ્યા ચેમ્પિયન :

મહેન્દ્ર સિંહ ધોનીની જાદૂઇ કેપ્ટનશિપમાં CSK એ ચાર વાર આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે. ધોની મેદાન પર ખૂબ જ શાંત રહે છે. તે પોતાના શાંત અને ચતુર દિમાગથી વિરોધીઓને ચિત કરી દે છે. તેમની પાસે DRS લેવાની ગજબ કલા છે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

પરંતુ આઇપીએલ 2022 ના પહેલાં જ ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી હતી, ત્યારે રવિન્દ્ર જાડેજાએ કમાન સંભાળી હતી, પરંતુ ત્યારબાદ ધોની ફરીથી CSK ટીમના કેપ્ટન બની ગયા. આઇપીએલ 2022 સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે તે ચેન્નઇ માટે આઇપીએલ 2023 માં પણ રમશે.

દુનિયાના સારા ફિનિશર :

મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશરમાં સામેલ છે. તેમણે પોતાના દમ પર ટીમ ઇન્ડીયાને ઘણી મેચો જીતાડી છે. તેમની કેપ્ટનશિપમાં જ ટીમ ઇન્ડીયાએ વર્ષ 2007 નો ટી20 વર્લ્ડકપ, વર્ષ 2011 માં વનડે વર્લ્ડ કપ અને વર્ષ 2013 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી.

આ પણ વાંચો :-

 

લો બ્લડ પ્રેશર થવા પર અપનાવો આયુર્વેદના આ ઉપાય, તરત જ મળશે આરામ

Adopt this Ayurvedic remedy for low

  • લો બ્લડ પ્રેશરને ક્યારેય હળવાશથી ન લેવું જોઈએ. જો બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય છે, તો આપણે કેટલાક ઘરેલું ઉપચારની મદદથી તેને ઠીક કરી શકીએ છીએ.

હાઈ બ્લડ પ્રેશર (High blood pressure) હોવાનો ડર દરેકને લાગે છે. બ્લડપ્રેશર વધતાં જ લોકો સતર્ક થઈ જાય છે. હાઈ બ્લડ પ્રેશર હોવું જેટલું ખતરનાક છે લો બ્લડ પ્રેશર (Low blood pressure) હોવું પણ એટલું જ ખતરનાક છે. 120/80 mm Hg સુધીનું બ્લડ પ્રેશર સામાન્ય માનવામાં આવે છે. જો બ્લડ પ્રેશરનું સ્તર 90/60mm Hg સુધી જાય તો તેને લો બ્લડ પ્રેશર ગણવામાં આવે છે. આને હાયપોટેન્શન (Hypotension) કહેવામાં આવે છે. લો બ્લડ પ્રેશરના કારણે વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાય છે તેથી તેને હળવાશથી લેવું યોગ્ય નથી.

બ્લેક સોલ્ટ :

લો બીપીની સમસ્યાને દૂર કરવા માટે બ્લેક સોલ્ટનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે બ્લેક સોલ્ટ તરત રાહત આપે છે. બ્લેક સોલ્ટને રોક સોલ્ટ અને હિમાલયન મીઠાના નામે પણ ઓળખાય છે. તેમાં લિથિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મિનરલ્સ મળી આવે છે. બ્લેક સોલ્ટની તાસીર ઠંડી હોવાના કારણે તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે.

કઈ રીતે નોર્મલ થશે બીપી

બ્લેક સોલ્ટમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. રોક સોલ્ટમાં પોટેશિયમ વધુ માત્રામાં જોવા મળે છે જે બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. બ્લેક સોલ્ટ પાણીમાં ભેળવીને પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને તરત જ આરામ મળે છે. એક ગ્લાસ પાણીમાં 2.5 ગ્રામ મીઠું નાખીને પીવાથી લો બ્લડ પ્રેશર તરત જ સામાન્ય થઈ જાય છે.

લો બ્લડ પ્રેશરના લક્ષણો :

  • જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે ચક્કર અને કમજોરી જેવા શરૂઆતી લક્ષણો દેખાય છે.
  • ઝાંખુ દેખાય છે
  • ઉપકા આવે છે
  • થાક અને બેચેની લાગે છે

લો બ્લડ પ્રેશરના કારણો :

  • લોહીના પ્રવાહમાં ઘટાડો અથવા ચેપને કારણે
  • ડિહાઈડ્રેશન અને કમજોરીના કારણે.
  • ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવા રોગોના કારણે.
  • હૃદયરોગ સાથે જોડાયેલી બીમારીઓની દવાઓના કારણે

લો બ્લડ પ્રેશરથી કઈ રીતે બચવું ? 

લો બ્લડ પ્રેશરનું એક મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. ડિહાઇડ્રેશન દૂર કરવા માટે સારી માત્રામાં પાણી પીવો. આ સિવાય એવી દવાઓ બિલકુલ ન લેવી જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય. બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે ઓછા કાર્બોહાઇડ્રેટવાળા ખોરાકને આહારમાં સામેલ કરવો જોઈએ. રોટલી, પાસ્તા, બટાકા અને ભાત જેવી ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ વસ્તુઓ ટાળવી જોઈએ.

આ પણ વાંચો :-

WhatsApp કોલનાં પણ આપવા પડશે રૂપિયા ! મોદી સરકારે રજૂ કર્યો ડ્રાફ્ટ, જુઓ શું છે આખો પ્લાન

WhatsApp calls also have to pay rupees

  • ટેલિકોમ કંપનીઓ એ ફરિયાદ કરી છે કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ ગ્રાહકોને ફ્રી મેસેજ અને કોલ કરવાની સર્વિસ આપે છે અને તેના કારણે તેમને ઘણું નુકશાન થાય છે.

આજકાલ મોટાભાગના લોકો WhatsApp કોલિંગ કોલ્સ કરતાં હોય છે અને જો તમે પણ તેમાંના એક છો તો આ સમાચાર ધ્યાનથી વાંચજો. જણાવી દઈએ કે દેશમાં ટૂંક સમયમાં એક નવી સિસ્ટમ (New system) લાગુ થવા જઈ રહી છે જેમાં તમારે WhatsApp કોલ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે.

જો કે આ વિશે હજુ વિચારણા ચાલી રહી છે અને મોદી સરકારે લોકોનો અભિપ્રાય મેળવવા માટે ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે. આ બહાર પાડેલ બિલમાં એવી જોગવાઈ છે કે વોટ્સએપ, ફેસબુક દ્વારા કોલ અથવા મેસેજ મોકલવાની સુવિધાને પણ ટેલિકોમ સેવા ગણવામાં આવે અને આ માટે એ કંપનીઓએ લાઇસન્સ લેવાનું રહેશે.

કેમ પડી આ કરવાની જરૂર ? 

જણાવી દઈએ કે દેશની ટેલિકોમ કંપનીઓ એ આ વાતને લઈને ફરિયાદ કરતી રહે છે કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ ગ્રાહકોને ફ્રી મેસેજ અને કોલ કરવાની સર્વિસ આપે છે અને તેના કારણે તેમને ઘણું નુકસાન થાય છે. આટલું જ નહીં પણ આ ટેલિકોમ કંપનીઓ એ એમ પણ કહ્યું હતું કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મની મેસેજ અને કોલની સેવાઓ ટેલિકોમ સર્વિસ હેઠળ આવી જોઈએ.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

એટલા માટે જ આ મુદ્દે લોકોના અભિપ્રાય લેવા માટે મોદી સરકારે લોકોનો અભિપ્રાય મેળવવા માટે ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે. જણાવી દઈએ કે 20 ઓક્ટોબર સુધી લોકો આ બિલના ડ્રાફ્ટ અંગે પોતાનો અભિપ્રાય આપી શકશે અને એ પછી લોકોનો અભિપ્રાય મેળવીને બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ સાથે જ બિલના ડ્રાફ્ટમાં સાયબર ફ્રોડને રોકવા માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે.

સાયબર ફ્રોડને રોકવા માટે પણ બિલનો ડ્રાફ્ટ :

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સાયબર ફ્રોડને રોકવા માટેના પ્રસ્તાવિત બિલમાં આવા ગુનાઓ માટે સજા વધારવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. જો કે પ્રસ્તાવિત બિલમાં બીજી જોગવાઈ કરવામાં આવી છે કે કોલ કરનાર કોઈ પણ વ્યક્તિની ઓળખાણ કોલ રિસીવ કરનાર વ્યક્તિ કરી શકશે અને એ માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. દેશમાં ડિજિટલ સિસ્ટમને સુવ્યવસ્થિત બનાવવા માટે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર ટેલિકોમ બિલ સહિત પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ અને ડિજિટલ ઈન્ડિયા બિલના ડ્રાફ્ટ પર હાલ કામ કરી રહી છે.

આ પણ વાંચો :-

શુક્રનું રાશિપરિવર્તન : આજે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે ભૌતિક સુ:ખોના કારક શુક્ર દેવ, જાણો આ ગોચર તમારા જીવન પર શું અસર કરશે

0

Transit of Venus : Today Venus will enter

મેષઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી-ખાંસી-થાક લાગવાની તકલીફ થાય. ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ. નોકરી-ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

મિથુનઃ
કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવુંું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચીને કરવું. નાણાકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ-સંતાનની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્કઃ
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઈને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઈ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જૂૂના મિત્રોને મળવાનું થાય. પ્રિયપાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા, હોદ્દો, માનમાં વધારો થાય.

કન્યાઃ
દિવસ દરમિયાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધામાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલાઃ
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. માતાપિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદાકારક નીવડે. વાહન સુખ. મિલકત સુખમાં વધારો થાય.

ધનઃ
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઈ બહેનો સાથે સારૂં. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકરઃ
માન-સન્માનમાં વધારો થતો જણાય. નાણાકીય બાબતો અંગે સંતોષ. પરિવારમાં આનંદ, સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય.

કુંભઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ છતાં આજે કોઈને ઉધાર આપવું નહીં, નાણાં ઉછીના આપવા નહીં, પૈસા ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારું.

મીનઃ
આનંદ-ઉત્સાહસભર દિવસ જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સ્ત્રીવર્ગને સફળતા મળતી જણાય. પત્ની સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

આ પણ વાંચો :-

નશામાં ખોવાઈ રહેલું યુવાધન હુક્કાબાર બંધ થતાં હવે યુવાનોમાં વધ્યો નશાનો નવો ક્રેઝ !

With the closure of the youth hookah

  • સામાન્ય રીતે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા. પરતું પ્રતિબંધ હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઇ સિગારેટ રૂપમાં શરૂ થયું છે.

શહેરમાં હુક્કાબાર (Hookah bar) પર પોલીસનો નિયંત્રણ વધતા હવે યુવાનોમાં ઈ-સિગારેટનો (E-cigarettes) ક્રેઝ વધ્યો છે. એસઓજીએ ઈ-સિગારેટનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરી છે અને ચાંદખેડા વિસ્તારમાં એક દુકાનમાં રેડ કરી ઈ-સિગારેટની પ્રતિબધિત વસ્તુઓ જપ્ત કરી છે. ત્યારે આપણે જોઈએ કોણ છે નશાના વેપારીઓ કે યુવાનોનું ભવિષ્ય (Youth) અંધકારમાં ધકેલી રહ્યા છે.

સામાન્ય રીતે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા. પરતું પ્રતિબંધ હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઇ સિગારેટ રૂપમાં શરૂ થયું છે. જે યુવાનને સરળતાથી ઇલેક્ટ્રિક ઇ સિગારેટ બજારમાં મળી રહે છે અને યુવાઓનો હવે હુક્કાની જગ્યાએ લિકવિડ નિકોટીન વાળી ઈ-સિગારેટના વ્યસની બની ગયા છે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

SOGને એક બાતમી મળતા ચાંદખેડામાં આવેલા ક્રિજી ટાઉન પાન પાર્લર અને જ્યુસ નામની દુકાનમાં રેડ કરી વિવિધ કંપનીના જુદી જુદી ફ્લેવરના ઈ-સિગારેટ, લિકવિડ નિકોટીન રિફિલ તથા તેને લગતી ડીવાઇસ,ઇલેક્ટ્રિક રિફિલો મળી આવી હતી. આ તમામ ચિઝવસ્તુઓ પ્રતિબંધત હોવાનું સામે આવતા સંયમ મરડીયા અને અજય નોટવાણીની ધરપકડ કરીને SOGએ ચાંદખેડા પોલીસને સોંપ્યો છે.

SOG ક્રાઇમની ટીમે ઇ સિગારેટ વેચાણ અને ખરીદીનું નેટવર્કની તપાસ કરતા ચાંદખેડામાં ઈ-સિગારેટનો ધંધો ધમધમી રહ્યો હતો. પકડાયેલા આરોપી સંયમ મરડીયા અને અજય નોટવાણી અમદાવાદના સરદારનગર વિસ્તારના રહેવાસી છે. આ આરોપીની પુછપરછમા મુંબઈના વસીમ નામના શખ્સનું નામ સામે આવ્યુ છે.

મહત્વનું છે કે, ઇ સિગારેટની ફ્લેવરમાં લિકવિડ નિકોટીન રહેલ છે અને તમામ ચાજિંગવાળા ઇલેક્ટ્રોનિક સિગારેટ હુક્કાની જેમ ઉપયોગ થતો હોય છે. આ તમામ વસ્તુ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધંધો કરીને યુવાધન બરબાદ કરી રહ્યા છે.

ચાંદખેડા પોલીસે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019ની કલમ 7,8 મુજબ ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે. આ આરોપી કેટલા સમયથી ઈ સિગારેટનો ધંધો કરતા હતા અને મુંબઈના વસીમ સિવાય અને કોઈ વ્યકિત સંડોવાયેલું છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

સુરતમાં કોણે હનીટ્રેપમાં ફસાઇને 5 લાખ ગુમાવ્યા, જાણો વિગતો તો ચોંકી જશો 

Who lost 5 lakhs in honeytrap in

  • સુરત શહેરમાં એક વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાઇને પાંચ લાખ રૂપિયા ગુમાવવાની ફરિયાદ શહેર પોલીસમાં નોંધાઇ છે.

સુરતના અલથાણ (Althan) વિસ્તારમાં રહેતા અને શહેરની નામાંકિત કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરે (Professor) એક મહિના પહેલાં દેખાડેલી માનવતા તેમના માટે મોટી સમસ્યા સર્જી ગઇ હતી. તેમણે મહિના પહેલાં એક યુવકને પોતાની કારમાં લિફટ આપી હતી. ગત તા ૨૫/૦૮/૨૦૨૨ના રોજ બપોરના આશરે સાડા બારેક પરવટ પાટીયા (Parvat Patiya) ખાતે પ્રોફેસર સ્કુલની મીટીંગ અર્થે જવા માટે પોતાની કાર લઇને નીકળ્યા હતા.

તેઓ રિંગરોડ પર આવેલ લોર્ડ હોટલની સામેથી પસાર થઇ રહ્ના હતા ત્યારે ૩૦થી ૩૫ વર્ષના એક અજાણ્યા ઇસમે હાથનો ઇશારા વડે કાર ઉભી રખાવીને મારે હોસ્પીટલના કામ અર્થે જલ્દી જવાનું હોવાનું કહીને લીફ્ટ માંગી હતી.

પ્રોફેસરે માનવતા દાખવી તે અજાણ્યા ઇસમને લીફ્ટ આપી હતી. તો લિફ્ટ લીધા બાદ યુવકે પ્રોફેસરને ચપ્પુ દેખાડીને પોતે કહે તેમ કાર લઇ લેવા માટે કહ્યું હતું. જો કાર કહ્યા પ્રમાણે નહીં હંકારે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે પ્રોફેસર ચપ્પુની અણીએ યુવાનના કહ્યા પ્રમાણે કાર અડાજણમાં મધુવન સર્કલ પાસે એક બિલ્ડીંગમાં લઇ ગયા હતા.

મધુવન સર્કલ પાસેની પહોંચતા જ ચપ્પુની અણીએ પ્રોફેસરને બિલ્ડીંગના એક ફલેટમાં લઇ જવાયા હતા. પ્લેટમાં પહોંચ્યા બાદ પ્રોફેસરના મહિલા સાથે જબરજસ્તી ફોટા પાડી લઇ ડુપ્લીકેટ પોલીસ અને પત્રકાર બની રૂપિયા ૨૦ લાખની માંગણી કરી હતી. કાર ચાલકે પોતાના સમાજ તથા સોસાયટીમાં પોતાનું નામ ખરાબ ન થાય તે માટે તાત્કાલીક પોતાના ઓળખીતાઓ પાસેથી પૈસાની વ્યવસ્થા કરી આરોપીના સંકજામાંથી છુટવા સારૂ ૫૦૦૦૦૦ રૂપિયા આરોપીઓને આપી દેતા સદર આરોપીઓએ કાર ચાલકને પોતાની કારમાં મોટી ટોકીઝ પાસે છોડી દીધા હતા.

આ ઘટના બાદ પ્રોફેસરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં આજે સુરત શહેર ક્રાઈમબ્રાંચ સુરત શહેરમાં હનીપ કરી લોકોને પોતાની જાળમાં ફસાવનાર ગેંગ સક્રિય હોય તેઓને પકડવવા સારૂ પોલીસ કમિશનરશ્રી સુરત શહેર નાઓએ આપેલ સુચના અનુસંધાને અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફીક એન્ડ ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાંચ નાઓની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ અને પોલીસ ઈન્સ્પેકટરશ્રી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી ટીમના માણસો સાથે વર્ક આઉટમાં હતા દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે અડાજણ પોસ્ટમાં નોંધાયેલ હની ટ્રેપના ગુનાના આરોપીઓને પકડી પાડ્યા હતા.

પોલીસે ડિંડોલી ચાર રસ્તા પાસે સાંઇ પોઇન્ટમાં રહેતા 32 વર્ષના હીરાનો ધંધો કરતા લાલ શિવરાજ લખધીર તથા કતારગામમાં કંતારેશ્વર મહાદેવ સામે રહી રેતી કપચીનો ધંધો કરતા અલ્પેશ જગદીશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી 3.87 લાખ રૂપિયા તથા ચાર મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે.

આ પણ વાંચો :-

નવસારીનો યુવાન KBC માં 50 લાખ જીત્યો, 75 લાખના સવાલનો સાચો જવાબ આપીને પણ હારી ગયો

0

Navsari lad wins 50 lakhs in KBC

  • ‘કોને ખોટી રીતે નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો’  75 લાખના આ સવાલમાં કરન મૂંઝાયો હતો. સાચો જવાબ આવડતો ન હોવાથી કરને રમત છોડવાનો નિર્ણય લીધો.

સરળતાથી રૂપિયા મેળવવું સપનું જ હોય છે, કારણ લક્ષ્મી એને જઈ વરે, જે પરસેવે ન્હાય… પરંતુ નવસારીના (Navsari) ઘેજ ગામના યુવાને (The youth) થોડા પ્રશ્નોના જવાબ આપી 50 લાખ રૂપિયા જીત્યા છે. આજના કોન બનેગા કરોડપતિ (Kon banega millionaire) કાર્યક્રમમાં KBC પ્લે અલોન્ગ થકી પહોંચેલા યુવાને લાખો જીતી પોતાના પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યુ છે.

કોન બનેગા કરોડપતિ શોની 14 મી સીઝન ચાલી રહી છે. જેમાં સોશ્યલ મીડિયાની એક એપ્લિકેશન થકી KBC પ્લે અલોન્ગ રમીને કોન બનેગા કરોડપતિના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના 10 પ્રતિસ્પર્ધીઓમાં નવસારીના ઘેજ ગામના 26 વર્ષીય કરન ઇન્દ્રસિંહ ઠાકોરે સ્થાન બનાવ્યું હતું. જેમાં પણ ત્રણ પ્રશ્નોના સૌથી ઝડપી જવાબ આપી મહાનાયક અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ એક પછી એક પ્રશ્નોના જવાબ આપી 15 મા સવાલ સુધી પહોંચ્યો હતો.

કયા પ્રશ્નમાં મૂંઝાયો :

‘કોને ખોટી રીતે નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો’ 75 લાખના આ સવાલમાં કરન મૂંઝાયો હતો. સાચો જવાબ આવડતો ન હોવાથી કરને રમત છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે કરને 14 સવાલોના સાચા જવાબ આપી 50 લાખ રૂપિયા જીત્યા હતા.

75 લાખથી ચૂકી ગયા :

75 લાખ રૂપિયાના સવાલના જવાબમાં કરન અટવાઈ ગયા હતા. આ સવાલ હતો કે, ‘કોને ખોટી રીતે નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો જેને બાદમાં ખોટુ સાબિત કરવામાં આવ્યુ હતું. A. ઓસવાલ્ડ એવરી, B. યોશિય્યાહ ગિબ્સ, C. ગિલ્બર્ટ એન લેવિસ, D. જોહાન્સ ફિબિગર. આ જવાબ ન આવતા કરને ખેલ છોડવાનું નક્કી કર્યું. રમત છોડવાનો નિર્ણય લેતા બિગ-બીએ તેમને એક જવાબ આપવા કહ્યુ હતું. તેમણે ડી વિકલ્પ પસંદ કર્યો હતો. જે હકીકતમાં સાચો હતો અને તેઓ 75 લાખ જીતવાથી ચૂકી ગયા હતા.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

કોન બનેગા કરોડપતિમાં રમવા જવા કરન ઠાકોર લાંબા સમયથી પ્રયાસ કરતો હતો. કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરન ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ સરકારી નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. જેની તૈયારી કરનને કોન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં મદદરૂપ થઇ હતી. કરન સાથે એની પત્ની ખુશ્બુ ઠાકોર પણ કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં ખુશ્બુએ અમિતાભ બચ્ચન સાથે વાત કરતા એમને ‘છૂ કર મેરે મન કો…’ ગીત પણ ગાયુ હતુ.

આટલી રકમનું શું કરશો તે વિશે કરને કહ્યું કે, કરન જીતેલી રકમ તેના ભાઈના અભ્યાસમાં ખર્ચવા માંગે છે. જ્યારે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે વિતાવેલી ક્ષણો જીવનભરનું સંભારણું બની રહેશે.

આ પણ વાંચો :-