HomeGujaratક્યારે જાગશે તંત્રની સંવેદના ? લમ્પીગ્રસ્ત મૃત પશુઓના ઢગલા, દુર્ગંધથી ત્રાસથી બાળકો...

ક્યારે જાગશે તંત્રની સંવેદના ? લમ્પીગ્રસ્ત મૃત પશુઓના ઢગલા, દુર્ગંધથી ત્રાસથી બાળકો શિક્ષણનો ત્યાગ કરવા મજબૂર

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

When will the consciousness of the

  • ગુજરાતમાં પશુઓની અંદર લમ્પી વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. એક બાદ એક પશુઓ લમ્પી વાઇરસનો ભોગ બની રહ્યાં છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.

અરવલ્લીના (Aravalli) મેઘરજના પિશાલ ગામમાં તમામ શૈક્ષણિક સંસ્થામાં (educational institution) શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામની પ્રા.શાળા, હાઈસ્કૂલ અને આંગણવાડીના વિદ્યાર્થીઓએ શિક્ષણ બહિષ્કાર (Education boycott) કર્યો છે. જોકે તેની પાછળનું ચોંકાવનારુ કારણ જાણીને ચોંકી જશો. કારણ કે, અહીં શાળાની આસપાસ મૃત પશુઓના ઢગલા ખડકી દેવાયા છે. જેના લીધે લમ્પીથી મૃત્યુ પામનાર મૃત પશુઓના મૃતદેહમાંથી ભયંકર દુર્ગંધ આવતા લોકો આનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.

આથી ગામની તમામ શૈક્ષણિક સંસ્થા દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તમામ સંસ્થાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરાયો. જ્યાં સુધી મૃત પશુઓ માટે અન્ય જગ્યા ન ફાળવાય ત્યાં સુધી શિક્ષણના બહિષ્કારની આ લોકોએ ચીમકી આપી છે.

ગુજરાતમાં લમ્પી વાયરસ કંટ્રોલમાં હોવાનો દાવો ?

લમ્પી વાયરસને લઈ અમદાવાદ પશુપાલન તંત્રએ પશોઓનું રસીકરણ પુર્ણ કર્યુ. સમગ્ર જિલ્લામાં 43 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ. વિરમગામમાં 11 હજાર 671, દસક્રોઈમાં 6 હજારથી વધુ તેમજ અમદાવાદ શહેરમાં 4 હજારથી વધુ ગાયોને રસી આપવામાં આવી.

એક માસ અગાઉ વિરમગામમાં લમ્પી વાયરસનો એક કેસ નોંધાતા પશુપાલન વિભાગે રસીકરણ અભીયાન તેજ બનાવ્યું હતું. હાલ અમદાવાદ જિલ્લામાં લમ્પી વાયરસ સંપૂર્ણ કંટ્રોલમાં આવી ગયો હોવાનો દાવો થઈ રાજ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img