HomeNational284 વખત ચૂંટણી લડી એક પણ નહીં જીતનારા ધરતીપકડ મૃત્યુ સામે પણ...

284 વખત ચૂંટણી લડી એક પણ નહીં જીતનારા ધરતીપકડ મૃત્યુ સામે પણ હારી ગયા

Date:

Related stories

આપદા વચ્ચે તિબેટમાં વધુ એક આંચકો! 14 કિમી ઊંડે આવ્યો 5.0ની તીવ્રતાનો ભૂકંપ

તિબેટમાં વિનાશક પૂર અને હિમનદી દુર્ઘટનાની અસર હજુ ઓછી...

શ્રીલંકાને બદલે હવે ક્યાં રમાશે ICC Women’s Champions Trophy 2027?

મહિલા ક્રિકેટના ચાહકો માટે ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા...

બજેટ ફ્રેન્ડલી 4 ધમાકેદાર ઓટોમેટિક કાર , કિંમતથી માઇલેજ સુધી જાણો આખી વાત

શહેરમાં ટ્રાફિક વચ્ચે વારંવાર ક્લચ અને ગિયર બદલવાની ઝંઝટથી...

રાઘવ ચઢ્ઢાની રાજ્યસભાની સીટ ખતરામાં? SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાયું, જાણો શું કહે છે કાયદો

પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ...
spot_img

ચૂંટણી જીતવા માટે નહીં, પરંતુ લોકશાહીમાં સામાન્ય માણસની ભાગીદારીનો સંદેશ આપવા માટે જિંદગીભર ચૂંટણીના મેદાનમાં ઉતરનાર ભાગલપુરના નાગરમલ બાજોરિયા ઉર્ફે ‘ધરતી પકડ’નું 97 વર્ષની ઉમરે આજે 3 સપ્ટેમ્બર 2026ના રોજ પટનામાં નિધન થયું છે. ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા અને રાષ્ટ્રપતિ પદ સુધી 280થી વધુ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર નાગરમલ બાજોરિયા ચૂંટણીની અનોખી સફર માટે દેશભરમાં ઓળખાતા હતા.

નાગરમલ બાજોરિયા લાંબા સમયથી ઉંમર સંબંધિત તબિયતની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને પટનામાં સારવાર હેઠળ હતા. તેમના નિધનના સમાચારથી ભાગલપુરના સામાજિક અને રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમનું પાર્થિવ શરીર ભાગલપુર લાવવામાં આવી રહ્યું છે, જ્યાં કાલે બરારી ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તેમની ઓળખ માત્ર સતત ચૂંટણી લડવા પૂરતી નહોતી. નાગરમલ બાજોરિયા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી સામે રાયબરેલી અને રાજીવ ગાંધી સામે અમેઠીથી પણ ચૂંટણી લડી ચૂક્યા હતા. 2012ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે પ્રણવ મુખર્જી સામે પણ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. 2020માં તેમણે કુલ 284 વખત નામાંકન દાખલ કર્યા હતા, જેમાં ત્રણ નામાંકન રદ થયા હતા અને 281 ચૂંટણી લડ્યાનું નોંધાયું હતું.

નાગરમલ બાજોરિયા માનતા હતા કે ચૂંટણીનો હેતુ માત્ર જીત નથી. તેમનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય માણસને લોકશાહીમાં પોતાની શક્તિનો અહેસાસ કરાવવાનો હતો. સતત ચૂંટણી લડવાની તેમની આ જિજ્ઞાસા અને ક્યારેય હિંમત ન હારવાના સ્વભાવને કારણે તેમને ‘ધરતી પકડ’ તરીકે ઓળખ મળી હતી.

નાગરમલ બાજોરિયા ઉર્ફે ‘ધરતી પકડ’નો ચૂંટણી પ્રચાર પણ તેમની રાજકીય સફર જેટલો જ અનોખો હતો. અહેવાલ મુજબ તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત ગધેડાઓને સાથે લઈને ફરતા અને પોતે ટાંગા પર સવાર થતા હતા. તેમની આ અલગ અંદાજની પ્રચાર પદ્ધતિ ચૂંટણી દરમિયાન લોકોનું ધ્યાન ખેંચતી અને તેઓ સ્થાનિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બનતા હતા.

તેમનો જન્મ લાહોરમાં થયો હતો અને આઝાદી પહેલાં તેમનું પરિવાર ભાગલપુરમાં આવી વસ્યું હતું. ચૂંટણીની સાથે તેઓ સામાજિક કાર્યોમાં પણ સક્રિય રહ્યા હતા. ભાગલપુરમાં ચાપાકલ લગાવવાથી લઈને ગરીબ પરિવારોને મદદ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં તેમનો ફાળો રહ્યો હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.

નાગરમલ બાજોરિયાની ચૂંટણી સફર ભારતીય રાજકારણમાં એક અનોખું પ્રકરણ બની રહેશે. જીત તેમના માટે કદાચ ક્યારેય અંતિમ લક્ષ્ય નહોતું, પરંતુ ચૂંટણીના મેદાનમાં સતત ઉતરવાની તેમની જિદ્દે તેમને એવી ઓળખ અપાવી, જે ભાગલપુરની રાજકીય યાદોમાં લાંબા સમય સુધી જીવંત રહેશે.

Subscribe

Latest stories

spot_img