Home Blog Page 1302

નવ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ રોહિત ખુશ નથી; કહ્યું – ટીમ ક્યાં નબળી છે ?

0

Even after beating Australia after

  • ભારતે ઓસ્ટ્રેલિયાને હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી ટી-20માં હરાવ્યું છે. આ સાથે જ ત્રણ મેચની સિરીઝને જીતી લીધી છે.

સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને વિરાટ કોહલીએ (Virat Kohli) અર્ધશતક બનાવી ભારતે હૈદરાબાદમાં (Hyderabad) ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને (Australia) છ વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી ભારતે 3rd ટી20 સિરીઝને 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે નવ વર્ષ પછી હોમ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં હરાવ્યું છે. 2019માં રમાયેલી સિરીઝમાં ભારત બંને ટી20 હારી ગયું હતું. ત્યાં 2017-18માં સિરીઝ 1-1થી ટાઈ થઈ હતી.

આ સિરીઝમાં ભારતને મોહાલીમાં થયેલા પ્રથમ મુકાબલામાં હાર મળી હતી. ત્યારબાદ ભારતે નાગપુર અને હૈદરાબાદમાં જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. પરંતુ ભારતીય કપ્તાન રોહિત શર્મા સિરીઝને લઈને ખુશ જોવા નથી મળ્યા. આજે પણ અવી ઘણી બાબતો છે જ્યાં ટીમને સુધારાની જરૂર છે. મેચ પછી રોહીતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ઘણાં ખેલાડીઓએ જીત મેળવામાં યોગદાન આપ્યું :

રોહિત શર્માએ મેચ પછીની રજૂઆતમાં કહ્યું કે, ‘આ અમારા માટે મોટી તક હતી. અમે સારૂં રમવા માંગતા હતા અને એમાં અમે સફળ પણ રહ્યા છીએ. અમારા માટે સારી બાબત એ છે કે, ઘણા બોલરો અને બેટર્સે જીત મેળવામાં યોગદાન આપ્યું છે. અમે બધા ડ્રેસિંગ રૂમમાં બેસીને જોતા ત્યારે એક ટીમ તરીકે ખૂબ જ સારૂં લાગતું હતું. ઘણીવાર સારા પ્રદર્શન કરવામાં ખરાબ થઈ જાય છે.

આ ટી20 ક્રિકેટ છે અને આમાં ભૂલ ઓછી થવી જોઈએ. મને લાગ્યું કે અમે તકનો ફાયદો ઉઠાવ્યો છે, અમે જોખમ લેવાથી પીછેહઠ કરી નથી. ઘણીવાર આ બાબત આપણા હાથમાં નથી પણ હોતી. પણ હા અમે આ મેચ સાથે આ શીખ લઈને જઈશું.’

બુમરાહે પહેલી વાર 50 રન આપ્યા :

બુમરાહે હૈદરાબાદ ટી-20માં ચાર ઓવરમાં 50 રન આપ્યા છે. પોતાના ટી-20 કરિયરમાં પહેલીવાર બુમરાહે 50 રન આપ્યા છે. તેમણે કોઈ વિકેટ પણ નથી લીધી. આ પહેલાં 2016માં બુમરાહે લોડરહીલમાં વેસ્ટઈન્ડીઝની સામે 47 રન આપ્યા હતા. બીજી તરફ હર્ષલ પટેલ તો પોતાની 4 ઓવર કરી જ નથી શક્યા.

તેમણે બે ઓવરમાં 18 રન આપ્યા. ભુવનેશ્વર કુમારે એકવાર ફરી 18મી ઓવર નાખી અને ફરી મોંઘા સાબિત થયા. તેમણે આ ઓવરમાં 21 રન આપ્યાં. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી પાંય ઓવરમાં 63 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

 

ગોધરાનો યુવક ઘરેથી આખા ગુજરાતની સરકાર ચલાવતો હોય તેવું મસમોટું કૌભાંડ પકડાયું

A huge scam was caught that the

  • પંચમહાલની એલસીબી પોલીસે એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે જાણી તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

સરકારી વિભાગની (Government Deptt) આખા રાજ્યની કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ (Duplicate coins) અને લેટરપેડ બનાવી જાણે ઘરેથી જ સરકાર ચલાવતા હોય તેમ ભેજાબાજોએ આજ ડુપ્લીકેટ સર્ટીફિકેટથી સરકારી તિજોરીને (Government treasury) લાખોનો ચુનો ચોપડ્યો છે.

ગોધરા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતભરમાં બાંધકામ વિભાગના તાબા હેઠળના રસ્તાઓના ક્વોલિટી એસ્યોરેન્સ માટે જે સર્ટીફિકેટની જરૂર પડે છે તે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે “ગેરી”ના ડુપ્લીકેટ ક્વોલિટી ટેસ્ટીંગ રીપોર્ટ બનાવવાનું ખૂબ જ મોટું અને રાજ્યવ્યાપી કૌભાંડ ગોધરાથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. બાતમી મુજબ એલસીબી પોલીસે છાપો મારી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેથી ગોધરાના સાથરીયા બજારની ગલીમાં આવેલ અકિલ ઓનભાઈ અડાદરાવાલાની દુકાનમાં રેડ પાડવામા આવી હતી.

ગુજરાતમાં કાર્યરત રિસર્ચ ઓફિસર મટેરીયલ ટેસ્ટીંગ ડીવીઝનની વડોદરા, ગોધરા, ગાંધીનગર, ભરૂચ, સુરત, પાલનપુર, બોટાદ, કચ્છ અને ભચાઉ સહિત રાજ્યની 31 સરકારી કચેરીઓના અધિકારીઓના તૈયાર કરાયેલા સિક્કાઓ, લેટર પેડ, દસ્તાવેજી કાગળો તેમજ ગુજરાત એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હેડિંગ સાથેના લખાણોના કાગળો અહીંથી મળી આવ્યા હતા. આ ઉરાંત બે લેપટોપ અને પ્રિન્ટર પણ પોલીસે જપ્ત કર્યાં.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

પોલિસે મેળવેલા દસ્તાવેજો અંગે ખરાઈ કરતા જે હકીકત સામે આવી તે જોઈ પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. પોલીસે ગોધરામાંથી અકિલની ઓફિસમાંથી જપ્ત કરેલ તમામ દસ્તાવેજો ડુપ્લીકેટ હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે, ભેજાબાજ કોન્ટ્રાક્ટર અકિલ અને તેની ટુકડીએ રાજ્યના લગભગ તમામ જિલ્લાઓના ગેરીના અધિકારીઓના સિક્કાઓ સહિત અનેક દસ્તાવેજો ડુપ્લીકેટ બનાવ્યા હતા.

રાજ્યની બાંધકામ વિભાગની ઈજારદાર એજન્સીઓ અને મળતીયા ચહેરાઓને ડુપ્લીકેટ સર્ટીફિકેટની લ્હાણી કરવાના લાખો રૂપિયાના કાંડમાં ભેજાબાજ માસ્ટર માઈન્ડ ગોધરાના અકિલ અડાદરાવાલા સામે આખરે પકડમા આવ્યો છે.

ગોધરા સ્થિત ગેરી કચેરીના મદદનીશ સંશોધન અધિકારી દિનેશકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અકિલ અડાદરાવાલા સામે ઈ.પી.કો. 406, 420, 465, 467, 468, 471,472, 473 474 મુજબનો ગુનો નોંધી રાજ્યવ્યાપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તેવું ડીવાયએસપી પીઆર રાઠોડે જણાવ્યું.

આ પણ વાંચો :

હાઈવે નંબર 666 છે દુનિયાનો સૌથી ભૂતિયા હાઈવે, ચાલુ કાર પણ ગાયબ થઈ જાય છે

0

Highway number 666 is the most

  • હાઈવે જો મુસીબતોનો સફર બની જાય તો શું કરવું. અમેરિકામાં એક એવો હાઈવે છે જે દુનિયાનો સૌથી ખતરનાક હાઈવે છે. તેને ડરાવનો હાઈવે કહેવાય છે. અહી ચાલુ ગાડીઓ ગાયબ થઈ જાય છે.

તમે અત્યાર સુધી અનેક હોન્ટેડ સ્થળો (Haunted places) વિશે તમે અનેક કહાનીઓ સાંભળી હશે. પરંતુ તમને અમેરિકાના હાઈવે નંબર 666 વિશે નહિ ખબર હોય. આ દુનિયાનો સૌથી ડરાવનો હાઈવે છે. અહીં ગાડીની એન્ટ્રી થતા જ મુસાફરો સાથે એવી ઘટનાઓ બને છે તેઓ ગભરાઈને બહાર નીકળે છે. આ હાઈવેનો ઈતિહાસ જુનો છે. આ હાઈવે ડેવિલ્સ રોડ (Devil’s Road) કે ધ ડેવિલ્સ હાઈવેના નામથી ઓળખવામાં આવે છે.

બદલવામાં આવ્યું હાઈવેનું નામ :

અમેરિકાનો હાઈવે 666 નું નામ મે, 2013 માં બદલીને 491 રાખવામા આવ્યુ હતું. હકીકતમાં આ હાઈવેને નંબર વર્ષ 1926 માં આપવામાં આવ્યુ હતું. આ હાઈવે બન્યા બાદથી તેના પર અનેક એક્સિડન્ટ્સ થતા રહે છે અને ચાલુ બાઈક, કાર અને વાહનો ગાયબ થઈ જાય છે.

આ કારણે બદલવું પડ્યું નામ :

ધ ડેવિલ્સ હાઈવે પર સતત થઈ રહેલા એક્સિડન્ટના પગલે લોકોએ આ હાઈવેનો નંબર બદલવાની માંગ કરી હતી. કારણ કે, તેમનુ માનવુ છે કે આ તમામ ઘટનાઓ પાછળ હાઈવેનો અશુભ નંબર કારણભૂત છે. તેથી હાઈવેનું નામ બદલવામાં આવ્યું છે. જેના બાદ અહી થતા અકસ્માતોમાં ઘટાડો થયો હતો.

ગાયબ થઈ ગઈ કાર :

આ હાઈવેના ઈતિહાસની વાત કરીએ તો એવુ કહેવાય છે કે, 1930 માં હાઈવે પરથી કાળા રંગની એક કાર અચાનક ગાયબ થઈ ગઈ હતી. લોકોએ આ ગુમ કારને શોધવાનો બહુ જ પ્રયાસ કર્યો. પરંતુ કારનો કોઈ અત્તોપત્તો ન લાગ્યો.

હાઈવેનું રહસ્ય :

એવુ કહેવાય છે કે હાઈવે પર થઈ રહેલા એક્સિડન્ટની પાછળ અનેક શૈતાની તાકાતોનો હાથ છે. હવે હાઈવે પર થઈ રહેલી ઘટનાઓનો ખૌફ એટલો વધી ગયો છે કે લોકો અહીંથી પસાર થતા ડરે છે.

આ પણ વાંચો :-

સુર્ય ઊર્જાથી ચાલતી પહેલી કાર આવી ગઈ ! 1 હજાર કિલોમીટરથી વધારે રેન્જ, જાણો કિંમત અને ફીચર્સ

The first solar powered car has arrived

  • બે કંપનીઓ સોલર કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. પરંતુ આ અત્યારે શુદ્ધ સૌર ઊર્જા આધારિત કાર નથી. તેમની પાસે હાઇબ્રિડ મોટર છે.

કારના ઇતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી માત્ર કમ્બશન બેઝ્ડ એન્જિન (Combustion based engine) જ કાર ચલાવતા હતા. પ્રાયોગિક તબક્કામાં પહેલા સ્ટીમ એન્જિન, પછી પેટ્રોલ, પછી ડીઝલ, હાઇડ્રોજન, સીએનજી, એલ.પી.જી. જો કે હવે તેને બદલવા માટે ઇલેક્ટ્રિક વાહનોની (Electric vehicles) તૈયારી થઇ રહી છે. આ બધા સિવાય આવા વાહનો પર કામ ચાલી રહ્યું છે જેમાં કોઈ પણ પ્રકારના બળતણના બાહ્ય સ્ત્રોતની જરૂર નથી. આ સોલર કાર (Solar car) હશે. બે કંપનીઓ સોલર કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. પરંતુ આ અત્યારે શુદ્ધ સૌર ઊર્જા આધારિત કાર નથી.

તેમની પાસે હાઇબ્રિડ મોટર છે. આવો જાણીએ હાલમાં ઉપલબ્ધ આ સોલર કાર્સ વિશે. અપ્ટેરા અમેરિકા સ્થિત સ્ટાર્ટઅપ છે. જેણે પોતાની સોલર કારનું પ્રદર્શન કર્યું છે અને ટૂંક સમયમાં જ તેને લોન્ચ કરવામાં આવનાર છે. આ કાર હાઇબ્રિડ મોટરવાળી છે. આ કારની ખાસ વાત એ છે કે તે ફુલ ચાર્જ પર 1 હજાર માઇલ (1609 કિમી)ની રેન્જ આપે છે. તેની ભવિષ્યલક્ષી ડિઝાઇન છે અને તે 177 કિ.મી. તેને પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે.

આ કાર સોલર પાવરથી પણ ચાર્જ થાય છે અને તમે પ્લગ-ઇન ચાર્જરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારી એક દિવસની ડ્રાઇવ 64 કિ.મી. કે તેનાથી ઓછી હશે તો તમારે આ કારને ક્યારેય ચાર્જ કરવાની જરૂર નહીં પડે કારણ કે આ કાર આટલું ચાર્જ સોલર એનર્જીથી ચાર્જ કરશે. આ સાથે જ કાર ડ્રાઇવ દરમિયાન સોલર એનર્જી ચાર્જ થતી રહેશે. તેમાં 700 વોટનો સોલર પાવરનો ચાર્જ મળે છે.

હવે તેની મોટરની વાત કરીએ તો આ કાર 150 કિલોવોટની મોટરથી સજ્જ છે, જે તેને શાનદાર પાવર આપે છે. કારને એરોડાયનેમિક શેપ આપવામાં આવ્યો છે જેથી તેની સ્પીડ ઝડપી રહે અને સરફેસ કૂલિંગની સમસ્યા ન રહે. આ કાર હાલમાં 25900 ડોલર (લગભગ 21 લાખ રૂપિયા)માં ઉપલબ્ધ છે. તેને કંપનીની વેબસાઇટ પરથી બુક કરી શકાય છે. આ કારમાં બે લોકોની બેસવાની જગ્યા છે અને તેમાં 25 ક્યુબિક સ્ક્વેર ફૂટની બૂટ સ્પેસ પણ છે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ડચ સ્ટાર્ટઅપ લાઇટઇયર તાજેતરમાં જ 81 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે અને ટૂંક સમયમાં જ તેની કાર લાઇટઇયર ઝીરોને બજારમાં લાવવાની યોજના બનાવી છે. આ પહેલા લાઇટયર ઝીરોએ 150 યુનિટને ફુલ એમાઉન્ટમાં બુક કરાવ્યા છે અને હાલ બુકિંગ લેવામાં આવી રહ્યું છે.

જાણકારી અનુસાર લાઇટઇયર ઝીરોમાં ઇલેક્ટ્રિક મોટર્સ સાથે 60 કિલોવોટ પ્રતિ કલાકની બેટરી પેક આપવામાં આવી છે. આ છતની પાછળની બાજુએ, ડબલ કર્વ સોલર એરેની 53.8 ચોરસ ફૂટ પેનલ્સ છે. તેમાં એક હાઇબ્રિડ મોટર પણ છે જે 174 હોર્સપાવર ઉત્પન્ન કરે છે અને કાર 10 સેકંડમાં 0 થી 62 માઇલ પ્રતિ કલાકની ઝડપે વેગ આપી શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર કાર ફુલ ચાર્જ પર 600 માઇલ (965 કિમી) દોડી શકે છે. આ સાથે જ કાર પ્યોરલી સોલર એનર્જી પર 40 માઇલ (64 કિમી) સુધી ચાલી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારી ડ્રાઇવ ઓછી છે તો પછી તમે તેને પ્લગઇન ચાર્જર વિના લાંબા સમય સુધી ચલાવી શકો છો.

હાલ કંપની લાઇટઇયર ઝીરાના 1000 યુનિટ બનાવશે અને તે બાદ તેના લો-કોસ્ટ લાઇટઇયર 2 વર્ઝન પર કામ કરવામાં આવશે. હાલમાં કંપનીની વેબસાઇટ પર લાઇટઇયર ઝીરો 2.5 લાખ યુરો (લગભગ 1.99 કરોડ રૂપિયા)માં બુક કરાવી શકાય છે. કંપનીના પીઆર અને કોમ્યુનિકેશન્સના વડા રશેલ રિચર્ડસનના જણાવ્યા અનુસાર, લાઇટઇયરનું ઉત્પાદન મર્યાદિત હશે અને તેનું વેચાણ માત્ર યુરોપિયન યુનિયન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડમાં જ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

તુલા-વૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહમાં માનસિક અશાંતિનો અનુભવ થશે, જાણો કેવું રહેશે તમારું સપ્તાહ

Libra-Scorpio natives will e

મેષ
શા‌રિ‌રિક અને માન‌સિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્ર‌તિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભ
મોજ શોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ‌વિદ્યાર્થી ‌મિત્રો માટે સારો ‌દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ.

‌મિથુન
વાહન સુખમાં વૃ‌દ્ધિ. સ્થાવર જંગમ ‌મિલકતના ખરીદ વેચાણ શકય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પ‌રિ‌સ્થિ‌તિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક
પ‌રિવારમાં સુખ-શાં‌તિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શકય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. ‌વિશ્વાસઘાતના ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહ
આ‌‌ર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી, ધંધામાં પ્રગ‌તિ, નવી નોકરી, ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમી પાત્રનું ‌મિલન શકય બને. આરોગ્ય જળવાશે.

કન્યા
માન‌સિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આ‌‌ર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની ત‌બિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલા
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પ‌રિવારમાં વાદ-‌વિવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યના ‌નિર્ણયો મુલતવી રાખવા.

વૃ‌શ્ચિક
‌મિત્રોના સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતા જણાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ. ભાગ્ય સારૂ છે. જ્ઞાનતંતુ ના રોગોથી સાચવવું.

ધન
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ ‌દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પ‌ત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકર
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભ
નકારાત્મક ‌વિચારો રહે, માન‌સિક પ‌રિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના ‌નિર્ણયો ટાળવા. રોગ પ્ર‌તિકાર શ‌ક્તિ ઘટે. પ‌રિવારમાં ‌વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીન
આત્મ ‌વિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ મળતો જણાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

એક પણ પૈસાના રોકાણ કર્યા વગર તગડી કમાણી કરાવી આપે છે આ બિઝનેસ, જાણો વિગતો

0

This business makes you earn hard

  • બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે.

બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ (Talent) હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે.

જો તમે કઈક હટકે કરવા માંગતા હોય તો અમે તમને આજે એકદમ નવો આઈડિયા બતાવી રહ્યા છીએ. હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જેમાં લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) બનીને લોકો મોટી કમાઈ કરી રહ્યા છે.

જો તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય તો તેનો ઉપયોગ પ્રોફેશનલ રીતે જરૂર કરો. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાંડ એન્ડોર્સમેન્ટ કરીને કમાણી થઈ શકે છે. જો કે તે માટે ફોલોઅર્સનો સ્ટ્રોંગ બેસ હોવો ખુબ જ જરૂરી છે. જેથી કરીને લોકો તમારા પર ભરોસો કરી શકે.

કેવી રીતે બની શકાય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર :

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા માટે તમારે તમારી ક્રિએટિવિટી ઉપર પૂરેપૂરી રીતે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્લુએન્સર (પ્રભાવશાળી) બનવા માટે તમારે તમારી સ્પેશિયાલિટીને ઓળખવી પડશે. એક ફિક્સ પ્રોગ્રામ હેઠળ કામ કરવું પડશે. ધીરે ધીરે તમારી સ્પેશિયાલિટી લોકોને આકર્ષિત કરશે અને તમારા ફોલોઅર્સની સંખ્યા લાખો સુધી પહોંચી જશે.

ફેસબુક એકાઉન્ટ પર લાઈક્સ વધારવા માટે કવર અને પ્રોફાઈલ ફોટો યોગ્ય રીતે પસંદ કરવો જોઈએ. જો તમારું બિઝનેસ પેજ હશે તો પ્રોફાઈલ ફોટો પર પોતાનો ફોટો લગાવો પરંતુ કવર ફોટા સાથે ક્રિએટિવિટી કરી શકો છો.

કન્ટેન્ટ પર કરો ફોકસ :

સોશિયલ મીડિયા પર લાઈક અને ફોલોઅર્સ વધારવા માટે સૌથી પહેલા તો તમારે તમારા કન્ટેન્ટ પર ખાસ ધ્યાન આપવું પડશે. માની લો કે જે રીતે તમારા ઘરમાં અખબાર આવે છે અને તમે બિઝનેસ પેજ ખોલીને જાણવા માંગો કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં શું થયું. કઈ કંપનીએ કાર કે બાઈકનું નવું મોડલ લોન્ચ કર્યું. બસ આ જ નોલેજ તમને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનાવી શકે છે.

તમારે બસ એ કરવાનું છે કે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોની સાથે તમારું નોલેજ શેર કરવાનું છે. તમે ઈચ્છો તો લોન્ચ થનારા નવા મોડલની સમીક્ષા પણ કરી શકો છો. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોસ્ટ કરવાના નામે ગમે તે વસ્તુ કે કન્ટેન્ટ પોસ્ટ ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી ક્રેડિબિલિટી ઉપર પણ સવાલ ઉઠી શકે છે.

આ પણ વાંચો :-

 

કોણ સંભાળશે રાજસ્થાનની રાજગાદી ? શું આ વખતે પાયલોટના હાથમાં આવશે ‘પ્લેન’ ? આજે થશે નક્કી

0

Who will take over the throne of

  • આજે થશે રાજસ્થાનનો ફેંસલો. કોંગ્રેસ હાઈકમાન કોનેની કરે છે તાજપોશી ? કોને મળી શકે છે રાજસ્થાનમાં રાજ કરવાનો પરવાનો ? આજે અંગે લેવાઈ શકે છે મહત્ત્વનો નિર્ણય.

રાજસ્થાનના મુખ્યમંત્રી (Chief Minister of Rajasthan) બદલાવવાની અટકળો વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) જયપુરમાં વિધાયક દળની બેઠક બોલાવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge)  અને પ્રભારી અજય માકન હાજર રહેશે.

આ સિવાય વિધાયક દળની બેઠકમાં રાજ્યમાં નવા સીએમ કોણ હશે તેના પર પણ નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધી પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટનું (Sachin Pilot) નામ સૌથી આગળ છે. પરંતુ બેઠક પહેલા કઈ કહી ના શકાય. કોંગ્રેસ પાર્ટીએ જયપુરમાં થનારી બેઠક અંગે ટ્વીટ કરી છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે શનીવારે રાત્રે ટ્વીટ કરીને કોંગ્રેસ પાર્ટીના અધ્ય7 અંગે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને જયપુરમાં થનારી વિધાયક દળની બેઠક અંગે ઓબ્ઝર્વર અને ઈન્ચાર્જ બનાવ્યા છે. વિધાયક દળની બેઠક આજે સાંજે 7 વાગ્યે શરૂ થશે.

ખાસ વાત એ છે કે અશોક ગહેલોત જે હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી છે તે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. તેવામાં પાર્ટીના એક વ્યક્તિ એક પદના નિયમ અનુસાર તેમણે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવુ પડશે. અશોક ગહેલોતે શુક્રવારે કહ્યું હતું કે નિશ્ચિતરૂપથી કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ગહેલોતે એ પણ કહ્યું હતુ કે જો અધ્યક્ષ બનશે તો ઉત્તરાધીકારી અંગે નિર્ણય હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવશે. પાર્ટીમાં એકતા પર જોર આપતા ગહેલોતે કહ્યું હતું કે ભલે કોઈ પણ ચૂંટણી જીતે, કોંગ્રેસને તમામ સ્તરો પર મજબૂત કરવા માટે બધાએ સાથે મળીને કામ કરવાનું રહેશે.

આ પણ વાંચો :-

સફળતાની કહાની ! ફક્ત 19 વર્ષમાં અરબપતિ બન્યો આ વ્યક્તિ, તમે પણ વિદ્યાર્થી છો તો જાણો કેવી કમાયા રૂપિયા ?

0

Success story! This person became a

  • અમે વાત કરી રહ્યા છીએ Zepto ના કો-ફાઉન્ડર્સ કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાની. બંને યુવા આંત્રેપેન્યોર હુરૂન ઇન્ડીયા ફ્યૂચર યૂનિકોર્ન ઇંડેક્સ 2022 માં સૌથી નાની ઉંમરના સ્ટાર્ટ અપ ફાઉન્ડર પણ છે.

સફળ થવા માટે મહેનત સાથે સાથે એક્સપરીમેન્ટ (Experiment) પણ કરવા પડે છે અને એવું નથી કે જો કંઇ કર્યું અને તેમાં ફેલ થઇ ગયા તો પછી બધુ છોડી દો. આપણે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેવું જોઇએ જ્યાં સુધી સફળતા ન મળે. કારણ કે દરેક અસફળતાથી કંઇક ને કંઇક સીખવા મળે છે. આજે અમે એવા જ એક સ્ટાર્ટ અપ ફાઉન્ડરની વાત કરી રહ્યા છીએ જેમણે ગ્રેજ્યુએશનનો (Graduation) અભ્યાસ કરવાની ઉંમરમાં 7300 કરોડ રૂપિયાની કંપની ઉભી કરી દીધી.

અમે વાત કરી રહ્યા છીએ Zepto ના કો-ફાઉન્ડર્સ કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાની. બંને યુવા આંત્રેપેન્યોર હુરૂન ઇન્ડીયા ફ્યૂચર યૂનિકોર્ન ઇંડેક્સ 2022 માં સૌથી નાની ઉંમરના સ્ટાર્ટ અપ ફાઉન્ડર પણ છે. કૈવલ્ય અને આદિતને ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ કરવા દેશના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનું દર્શાવે છે.

વર્ષ 2021 માં કૈવલ્ય અને આદિતે Zepto ની શરૂઆત કરી. આ કરિયાણાની ડિલીવરીની એપ છે. તેનો કોન્સેપ્ટ છે. ‘જેપ્ટોસેકેંડ’ એટલે એકદમ ઝડપી કરિયાણાનો સામાન ડિલીવર કરવો. 10 મિનિટમાં ગ્રોસરી ડિલીવરી પુરો ખેલ બદલી દીધો. Zepto એ નવેમ્બર 201 માં ફંડિંગ દ્રારા 486 કરોડ એકઠા કર્યા.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

તો બીજી તરફ ડિસેમ્બરમાં વધુ એક ફંડિંગ રાઉન્ડમાં 810 કરોડ રૂપિયા એકઠા કર્યા. આ વર્ષે મે સુધી કંપનીનું ઇવેલ્યૂએશન 7300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. હવે Zepto 10 મોટા શહેરોમાં 3000 થી વધુ પ્રોડક્ટ ડિલીવર કરી રહી છે.

કૈવલ્ય વોહરા અને આદિત પાલિચા IIFL Wealth Hurun India Rich List 2022 માં સામેલ થનાર સૌથી નાની ઉંમરના આંત્રેપેન્યોર્સ બની ગયા. 19 વર્ષની ઉંમરમાં, કૈવલ્યા સૌથી અમીર ભારતીયોની યાદીમાં સામેલ થનાર સૌથી નાની ઉંમરના યુવા બની ગયા છે. હુરૂન લિસ્ટમાં કૈવલ્ય 1,000 કરોડની સંપત્તિ સાથે 1036 મા સ્થાન પર છે તો બીજી તરફ 1,200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આદિત પાલિચા આ લિસ્ટમાં 950 મા નંબર પર છે.

કૈવલ્ય બેંગલોરમાં જન્યા ને પોતાની સ્કૂલનો અભ્યાસ દુબઇથી પુરો કર્યો. ત્યારબાદ તેમણે સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું પરંતુ 2022 માં પોતાના મિત્ર આદિત સાથે સ્ટાર્ટઅપ કરવા માટે કોલેજ છોડી દીધી.

આ પણ વાંચો :-

 

શું IPL માંથી નિવૃતિ લેશે ધાકડ MS Dhoni ? આ તારીખે કરશે મોટી જાહેરાત

0

Will MS Dhoni retire from IPL ?

  • ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે લાઇવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો. ‘આ પોસ્ટથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી સંન્યાસ લેવાના સમાચારો ફેલાઇ રહ્યા છે.

ભારતના (India) પૂર્વ ખેલાડી અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Captain Mahendra Singh Dhoni) સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતા નથી અને લાઇમ લાઇટમાં આવવું પસંદ કરતા નથી. ધોનીએ 15 ઓગસ્ટ વર્ષ 2020 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી (International Cricket) નિવૃતિ લઇ લીધી હતી. પરંતુ તે હજુ પણ IPL માં રમી રહ્યા હતા. જો કે હવે ધોનીએ પોતાના ફેસબુક પરથી એક પોસ્ટ કરી છે. જેથી ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ મુકી છે, જેમાં તેમણે 25 સપ્ટેમ્બરના રોજ લાઇવ આવવાની વાત કહી છે. ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે લાઇવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો. ‘આ પોસ્ટથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી સંન્યાસ લેવાના સમાચારો ફેલાઇ રહ્યા છે.

CSK ને 4 વાર બનાવ્યા ચેમ્પિયન :

મહેન્દ્ર સિંહ ધોનીની જાદૂઇ કેપ્ટનશિપમાં CSK એ ચાર વાર આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે. ધોની મેદાન પર ખૂબ જ શાંત રહે છે. તે પોતાના શાંત અને ચતુર દિમાગથી વિરોધીઓને ચિત કરી દે છે. તેમની પાસે DRS લેવાની ગજબ કલા છે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

પરંતુ આઇપીએલ 2022 ના પહેલાં જ ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી હતી, ત્યારે રવિન્દ્ર જાડેજાએ કમાન સંભાળી હતી, પરંતુ ત્યારબાદ ધોની ફરીથી CSK ટીમના કેપ્ટન બની ગયા. આઇપીએલ 2022 સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે તે ચેન્નઇ માટે આઇપીએલ 2023 માં પણ રમશે.

દુનિયાના સારા ફિનિશર :

મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશરમાં સામેલ છે. તેમણે પોતાના દમ પર ટીમ ઇન્ડીયાને ઘણી મેચો જીતાડી છે. તેમની કેપ્ટનશિપમાં જ ટીમ ઇન્ડીયાએ વર્ષ 2007 નો ટી20 વર્લ્ડકપ, વર્ષ 2011 માં વનડે વર્લ્ડ કપ અને વર્ષ 2013 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી.

આ પણ વાંચો :-

 

લો બ્લડ પ્રેશર થવા પર અપનાવો આયુર્વેદના આ ઉપાય, તરત જ મળશે આરામ

Adopt this Ayurvedic remedy for low

  • લો બ્લડ પ્રેશરને ક્યારેય હળવાશથી ન લેવું જોઈએ. જો બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય છે, તો આપણે કેટલાક ઘરેલું ઉપચારની મદદથી તેને ઠીક કરી શકીએ છીએ.

હાઈ બ્લડ પ્રેશર (High blood pressure) હોવાનો ડર દરેકને લાગે છે. બ્લડપ્રેશર વધતાં જ લોકો સતર્ક થઈ જાય છે. હાઈ બ્લડ પ્રેશર હોવું જેટલું ખતરનાક છે લો બ્લડ પ્રેશર (Low blood pressure) હોવું પણ એટલું જ ખતરનાક છે. 120/80 mm Hg સુધીનું બ્લડ પ્રેશર સામાન્ય માનવામાં આવે છે. જો બ્લડ પ્રેશરનું સ્તર 90/60mm Hg સુધી જાય તો તેને લો બ્લડ પ્રેશર ગણવામાં આવે છે. આને હાયપોટેન્શન (Hypotension) કહેવામાં આવે છે. લો બ્લડ પ્રેશરના કારણે વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાય છે તેથી તેને હળવાશથી લેવું યોગ્ય નથી.

બ્લેક સોલ્ટ :

લો બીપીની સમસ્યાને દૂર કરવા માટે બ્લેક સોલ્ટનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે બ્લેક સોલ્ટ તરત રાહત આપે છે. બ્લેક સોલ્ટને રોક સોલ્ટ અને હિમાલયન મીઠાના નામે પણ ઓળખાય છે. તેમાં લિથિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મિનરલ્સ મળી આવે છે. બ્લેક સોલ્ટની તાસીર ઠંડી હોવાના કારણે તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે.

કઈ રીતે નોર્મલ થશે બીપી

બ્લેક સોલ્ટમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. રોક સોલ્ટમાં પોટેશિયમ વધુ માત્રામાં જોવા મળે છે જે બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. બ્લેક સોલ્ટ પાણીમાં ભેળવીને પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને તરત જ આરામ મળે છે. એક ગ્લાસ પાણીમાં 2.5 ગ્રામ મીઠું નાખીને પીવાથી લો બ્લડ પ્રેશર તરત જ સામાન્ય થઈ જાય છે.

લો બ્લડ પ્રેશરના લક્ષણો :

  • જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે ચક્કર અને કમજોરી જેવા શરૂઆતી લક્ષણો દેખાય છે.
  • ઝાંખુ દેખાય છે
  • ઉપકા આવે છે
  • થાક અને બેચેની લાગે છે

લો બ્લડ પ્રેશરના કારણો :

  • લોહીના પ્રવાહમાં ઘટાડો અથવા ચેપને કારણે
  • ડિહાઈડ્રેશન અને કમજોરીના કારણે.
  • ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવા રોગોના કારણે.
  • હૃદયરોગ સાથે જોડાયેલી બીમારીઓની દવાઓના કારણે

લો બ્લડ પ્રેશરથી કઈ રીતે બચવું ? 

લો બ્લડ પ્રેશરનું એક મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. ડિહાઇડ્રેશન દૂર કરવા માટે સારી માત્રામાં પાણી પીવો. આ સિવાય એવી દવાઓ બિલકુલ ન લેવી જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય. બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે ઓછા કાર્બોહાઇડ્રેટવાળા ખોરાકને આહારમાં સામેલ કરવો જોઈએ. રોટલી, પાસ્તા, બટાકા અને ભાત જેવી ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ વસ્તુઓ ટાળવી જોઈએ.

આ પણ વાંચો :-