Home Blog Page 1288

રવીના ટંડનની દીકરી રાશાને જોઈ દંગ રહી જશો, સુંદરતામાં માતાને પણ આપે છે માત, જુઓ વાયરલ તસ્વીરો

You will be amazed to see Raveena

  • રવિના ટંડનની દીકરી રાશા દેખાવમાં તેની માતા કરતાં વધુ સુંદર છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આવું કહે છે.  (Raveena Tandon’s daughter Rasha looks more beautiful than her mother. We are not saying this but many social media users are saying so.)

રવિના ટંડને (Raveena Tand) હવે તેની પુત્રી સાથેની એક તસ્વીર શેર કરી છે. જેમાં મા-દીકરી (mother-daughter) બંને બ્લેક આઉટફિટમાં પોઝ આપતાં જોઈ શકાય છે. રાશા માં સાથે મિરર સેલ્ફી (Mirror Selfie) લેતી જોવા મળી રહી છે. બંનેએ એક જ રંગના કપડા પણ પહેર્યા છે અને બંને ખૂબ જ સુંદર પણ લાગી રહ્યા છે.

રવીના ટંડન અને રાશા વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે :

ખાસ વાત એ છે કે રવીના ટંડન અને રાશા વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. તસ્વીરો શેર કરતા રવિના ટંડને લખ્યું, ‘ટ્વીનિંગ ટીમ રાશા થડાની અને હું.’ રવિના ટંડનની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. તેને 1 કલાકમાં 22000થી વધુ લાઈક્સ મળી છે.

જ્યારે આના પર 200થી વધુ કોમેન્ટ્સ કરવામાં આવી છે. ઘણા લોકોએ તસ્વીરો પર ઈમોજી શેર કર્યા છે. તો કેટલાક લોકોએ ‘વાહ સુંદર.’, ‘તમે બંને સારા લાગો છો.’ , ‘જોરદાર.’, ‘ફેબ્યુલસ.’ જેવી કોમેન્ટ્સ કરી છે.

રવિના ટંડને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે :

ઉલ્લેખનીય છે કે રવિના ટંડને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે. રવિના ટંડન અવારનવાર પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. જેને લઈને ફેન્સ પણ ઘણા ઉત્સાહિત રહે છે.

રવિના ટંડનની પુત્રી રાશા ફિલ્મોમાં દેખાઈ શકે છે :

રવિના ટંડનની પુત્રી રાશા હાલ અભ્યાસ કરી રહી છે અને તે ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળી શકે છે. જોકે, તેણે આ વાતની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો :-

સાડીમાં જ કબડ્ડી…કબડ્ડી… દેશી ઓલિમ્પિક્સમાં મહિલાઓનો જોશ તો જુઓ, વીડિયો જબરો વાયરલ

0

Kabaddi in sarees… Kabaddi… Watch the

  • મહિલાઓ કબડ્ડી રમી રહી હોય તેવો વીડિયો ટ્વિટર પર આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે. (IAS officer Avnish Sharan has shared a video of women playing Kabaddi on Twitter. The video has been viewed by millions of people.)

છત્તીસગઢમાં (Chhattisgarh) ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે (Bhupesh Baghele) છત્તીસગઢ ઓલિમ્પિકનુ ઉદ્ઘાટન કર્યુ. આ દરમ્યાન તેમણે જાતે પણ ભૌંરા, બાટી અને પિટ્ઠુલ જેવી રમતમાં હાથ અજમાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.

આ રમતમાં કબડ્ડીનો (Kabaddi) પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. જેમાં મહિલાઓ શાનદાર રીતે કબડ્ડી રમી રહી છે.

વીડિયો થયો વાયરલ  :

અવનીશ શરણે વીડિયો શેર કરીને લખ્યું, આપણે કોઈનાથી ઓછા શક્તિશાળી છીએ શું… છત્તીસગઢીયા ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી 51 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 35 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે મોટી સંખ્યામાં યુઝર્સે શેર પણ કર્યો છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે મહિલાઓ સાડી પહેરીને કબડ્ડી રમી રહી છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો મહિલાઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે. વિચારવા જેવી વાત એ છે કે કબડ્ડી જેવી રમત રમતી સમયે પણ મહિલાઓએ પોતાના માથે સાડીનો એક છેડો ઓઢીને રાખ્યો હતો.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધી નહીં આ વ્યક્તિના હાથમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન, યુપીમાં નિભાવી હતી જવાબદારી

0

In the hands of this person, not Rahul Gandhi

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં સોંપવમાં આવી છે. (When the Gujarat assembly elections are looming, this time the Congress election campaign in Gujarat has been handed over to Priyanka Gandhi.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સહિતના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં (Gujarat) મુલાકાત વધી રહી છે. આગામી 9 ઓક્ટોબરના રોજ PM મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

ભાજપની સાથે-સાથે કોંગ્રેસ પણ આગામી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ચૂકી છે. ત્યારે હાલ કોંગ્રેસના (Congress) ચૂંટણી પ્રચારને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) બદલે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ચૂંટણી પ્રચાર કરશે.

પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે :

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારતો જોડો યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રા પર તેઓ અત્યાર સુધીમાં લગભગ 700 કિલોમીટર સુધીનો સફર કરી ચૂક્યા છે અને આ યાત્રા કર્ણાટકમાં પહોંચી છે. આવનારા દિવસોમાં આ યાત્રા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પસાર થશે.

તો આ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ બંને રાજ્યોમાંથી તેઓ દૂર કેમ રહેશે. જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે આ ચિંતાનું સમાધાન કદાચ કોંગ્રેસે શોધી કાઢ્યું છે. રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર ! આમ આદમી પાર્ટી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો , જુઓ સંપૂર્ણ વિડીયો

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ છોડી રહ્યા છે પાર્ટીનો સાથ :

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે પ્રિયંકા ગાંધી રાજ્યમાં પ્રચાર કરશે. તેઓ ટૂંક સમયમાં ગુજરાત પહોંચી શકે છે. વાસ્તવમાં ગુજરાતમાં કોંગ્રેસ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. રાજ્યમાં હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે.

આ પણ વાંચો :-

અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે… રાધનપુરમાં જાણો કોણે આપ્યું આવુ નિવેદન

0

If Alpesh Thakor comes with a ticket

  • રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજી વાર સંમેલન મળવા જઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપી. (So former MLA Nagarji Thakor reacted sharply against Alpesh Thakor)

રાધનપુરમાં (Radhanpur) વિધાનસભાની ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી હારનાર અલ્પેશ ઠાકોરનો (Alpesh Thakor) ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.

અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજી વાર સંમેલન મળવા જઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે (Nagarji Thakore) અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપી છે.

અલ્પેશ ઠાકોરના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરની તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમારો અલ્પેશ ઠાકોર સામે પૂરતો વિરોધ છે. પરંતુ ભાજપ સામે કોઈ વિરોધ નથી. અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે. તેઓ ટિકિટ લઈને આવે તો આ સીટ જાય એમ છે.

તેમણે વધુમાં કહ્યું કે ત્રણ તાલુકાને જોડતું આ વિધાનસભાનું સંમેલન છે. જેમાં ભાજપના વિરુદ્ધની કોઈ વાત નહિ થાય. અમારે એક જ મુદ્દો છે કે સ્થાનિક ઉમેદવાર જોઈએ. અમારી માંગ સ્થાનિક ઉમેદવાર માટેની છે. કારણ કે, અલ્પેશ ઠાકોર જ્યારે આવે ત્યારે તેમની સેનાના 2000 માણસોને બોલાવે અને તેમને મળીને જતા રહે છે. તે વિસ્તારના આગેવાનોને પૂછતો નથી, તેમને ઓળખતો પણ નથી.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

પાંચ વર્ષોમાં કોઈ દિવસ ફોન કર્યો નથી. મરજીની જેમ વહેવાર કરે છે. હવે તેમણે રાજકારણ છોડી દીધું છે. હવે તો તેમણે કહ્યું કે, મારે રાધનપુરને પરણવુ છે. આ નિવેદન વાજબી ન ગણાય. પરણવાની વાત રાજકીય ન ગણાય, એ તો બહેન-દીકરીને પરણવાની વાત હોય તેવું લાગે. તેથી સમાજમાં તેમના પ્રત્યે રોષ છે. જેથી અમે આ સંમેલન બોલાવ્યું છે. તેમા ભાજપના વિરોધની કોઈ વાત જ નથી. અમે વર્ષોથી ભાજપના હતા, અને ભાજપના રહેવાના છીએ.

ઉલ્લેખનીય છે કે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાધનપુર બેઠક પર ભાજપની અંદરોઅંદરની લડાઈ જોવા મળી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવા સંકેત આપ્યા છે.

તેની વચ્ચે રાધનપુર ભાજપમાં અંદરખાને જ બે મોટા ભાગ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ રાધનપુર વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ MLA લવિંગજી ઠાકોર-નાગરજી ઠાકોરની આગેવાનીમાં 11 ઓક્ટોબરે મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે.  અઢારે આલમ સમાજના નામે યોજાનાર મહાસંમેલન પહેલા ‘જીતશે સ્થાનિક, હારશે બહાર’નો લખાણવાળી પત્રિકા ફરતી થઈ ગઈ છે.

આ પણ વાંચો :-

Fact Check : શું આ યોજના હેઠળ દેશની દરેક દીકરીઓને મળી રહ્યા છે 1.50 લાખ રૂપિયા ?

0

Fact Check: Is every daughter of the

  •  કેન્દ્ર સરકાર દેશની દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદને આર્થિક સહાય આપવામાં આવે છે. આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકાર (Central Govt) દેશની દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદને (Rib and Needy) આર્થિક સહાય આપવામાં આવે છે. આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ (The video went viral) થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર પ્રધાનમંત્રી કન્યા આશીર્વાદ (Pradhan Mantri’s Bride Blessings) યોજનાની હેઠળ બધી જ દીકરીઓને 1.50 લાખ રૂપિયા આપી રહી છે. સરકાર દ્વારા સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ મેસેજ સાથે સંબંધિત સત્ય શેર કર્યુ છે. આવો જાણીએ મેસેજનું સત્ય…

શું કહેવામાં આવ્યુ છે વાયરલ મેસેજમાં :

એક યૂટ્યૂબ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી કન્યા આશીર્વાદ યોજનાની શરૂઆત કરી છે અને સરકાર આ યોજના હેઠળ દરેક દીકરીઓને 1,50,00 રૂપિયાની આર્થિક મદદ આપી રહી છે.

સરકારે મેસેજ ખોટો હોવાનું જણાવ્યું :

PIB ફેક્સ ચેકે ટ્વીટ કરીને આ ખબર વિશે સત્ય હકીકત જણાવી છે. PIBએ તેની ટ્વીટર દ્વારા આને લઈને ચેતવણી આપી છે કે સરકાર એવી કોઈ જ યોજના નથી ચલાવી રહી અને આ મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે.

તમે પણ કરાવી શકો છો ફેક્ટ ચેક :

જાણકરી અનુસાર ઘણી વાર સોશિયલ મીડિયાના યુગમાં ખબરો વાયરલ થવા લાગે છે. જો તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ કે વ્હોટ્સ એપ પર આવેલી કોઈ ખબર પર સંદેહ છે તો તમે પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ ની મુલાકાત લેવી પડશે. આ ઉપરાંત તમે વ્હોટ્સએપ નંબર 8799711259 કે ઈમેઈલઃ pibfactcheck@gmail.com પર વિગતો મોકલી શકો છો.

આ પણ વાંચો :-

 

રજા હોવા છતાં આજથી જ શાલિની અગ્રવાલે સુરતમાં સંભાળ્યો ચાર્જ, 800 કરોડનો આ પ્રોજેક્ટ બનશે સૌથી મોટો પડકાર

0

Despite the holiday, Shalini Agarwal took

  • રજા હોવા છતાં આજથી જ શાલિની અગ્રવાલે સુરતમાં સંભાળ્યો ચાર્જ, 800 કરોડનો આ પ્રોજેક્ટ બનશે સૌથી મોટો પડકાર

જો કે શાલિની અગ્રવાલ (Shalini Aggarwal) સુરત મનપા કમિશનર (Surat Municipal Commissioner) તરીકે ચાર્જ સંભાળે એ પહેલા જ આજે રજાનો દિવસ હોવા છતાં અધિકારીઓને હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતના નવા મનપા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ સામે અનેક નવા પડકારો ઊભા થશે. ત્યારે આજે ઉચ્ચ અધિકારીઓ, ઝોનલ વડાઓ (Zonal Head) અને વિભાગીય વડાઓને રજા હોવા છતાં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે.

નવા મનપા કમિશનર શાલિની અગ્રવાલ સામે અનેક પડકારો :

શાલિની અગ્રવાલ સામે સુરતના ડુમસ સી ફેસ, રિવરફ્રન્ટ અને બેરેજ સહિતના પ્રોજેકટ સહિત અનેક નવા પડકારો તૈયાર છે. જેમાં સુરતમાં અપૂરતી ગ્રાન્ટ સામે વિકાસના હજારો કરોડોના કામો શરૂ થઇ ગયા છે. તદુપરાંત સુરત મનપાના નવા આવકના સ્ત્રોત ઊભા કરવાનું પણ નવા મનપા કમિશનર માટે એક ચેલેન્જ કહી શકાય. 800 કરોડના ડુમસ પ્રોજેક્ટ માટે પાલિકાના સરકારી જમીન મેળવવાના પ્રયાસ શરૂ છે. સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરાઇ હોવા છતાં હજુ સુધી ગ્રાન્ટની મંજૂરી નથી મળી.

તાજેતરમાં જ સુરત-વડોદરા મનપા કમિશનરની કરાઇ હતી આંતરિક બદલી :

ઉલ્લેખનીય છે કે હમણાં થોડાક દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા છે તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. ત્યારે આજે સુરતના નવા મનપા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :-

આનંદો ! હવે ગુજરાતમાં કોની દિવાળી સુધરી ? ગુજરાત સરકારે એક ઝાટકે કર્યો પગાર ડબલ

0

Enjoy! Now whose Diwali has

  • પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કામકરતાં કર્મચારીઓનો પગાર વધારો કરાયો છે.

વિધાનસભાની ચૂંટણી ટાણે અનેક કર્મચારીઓ (Employee) પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે. જેમાં મોટા ભાગે રાજ્ય સરકારે (State Govt) દરેક લોકોની માંગ સ્વીકારીને આંદોલનની આગ ઠારી દીધી છે. ચૂંટણી સમયે ભાજપ કોઈ જોખમ લેવા માંગતી નથી.

ત્યારે મધ્યાહન ભોજન (Mid-day meal) યોજનામાં કાર્યરત કર્મચારીઓ પણ પોતાના વેતનમાં વધારાની માંગ કરી રહ્યા હતા. ત્યારે દિવાળી (Diwali) પહેલા જ સરકારે તેમના પગારને લઈને મહત્વની જાહેરાત કરી છે.

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કામકરતાં કર્મચારીઓનો પગાર વધારો કરાયો છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને વિગતવાર માહિતી આપી છે.

Image

જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂ. 1400નો વધારો કરીને રૂ. 3000 કરવામાં આવ્યા છે જ્યારે કુક કમ હેલ્પરના રૂ. 1100નો વધારો કરીને રૂ. 2500 અને હેલ્પરના રૂ. 500 વધારો કરીને રૂ. 1000 કરવામા આવ્યા છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, ગુજરાતભરમાં આપનો વિરોધ કરતા બેનર લાગ્યા

0

Poster war in Gujarat before elections

  • ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા, બેનરમાં અરવિંદ કેજરીવાલનો વિરોધ કરાયો

આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Chief Minister Bhagwant Maan) આજે વડોદરા આવશે. વડોદરામાં (Vadodara) બંને મુખ્યમંત્રી તિરંગા યાત્રા કાઢશે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.

રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’ નું પોસ્ટરમાં લખાણ સાથેના બેનર્સે ગુજરાતમાં ચર્ચા જગાવી છે.

ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ બેનરો લાગ્યા છે. જેમાં ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

ગઈ કાલે દિલ્હીના મંત્રીનો રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતમાં તેનો રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે.

આ બેનર્સમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. તો અરવિંદ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ’ તેવું લખવામાં આવ્યું છે.

આ ઉપરાંત ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું પણ કેટલાક બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એકતરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.

આ પણ વાંચો :-

ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં ગેનીબેન ઠાકોરે પ્રધાનજી ઠાકોર પર સાધ્યું નિશાન, આપ્યું મોટું નિવેદન

0

In favor of Gulab Singh Rajput, Ganiben

  • વિધાનસભાની ચૂંટણી પહેલા જ બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. વાવના MLA ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં પ્રધાનજી ઠાકોર પર આકરા પ્રહાર કર્યા છે.

વાવના MLA (Vavna MLA) ગેનીબેન ઠાકોરે (Ganiben Thakore) ગુલાબસિંહ રાજપૂતની (Gulab Singh Rajput) તરફેણમાં પ્રધાનજી ઠાકોર (Pradhanji Thakor) પર નિશાન સાધતા કહ્યું કે, ‘આગેવાનો સ્વાર્થ માટે બીજાના હાથા બનીને આવે છે. ચૂંટણી સમયે આગેવાનો બીજા લોકોનો હાથો બની રહ્યાં છે. શંકર ચૌધરીને (Shankar Chaudhary) મદદ કરવા અમુક લોકો હાથા બની રહ્યાં છે.’

પ્રધાનજી ઠાકોરે ગુલાબસિંહ રાજપુત પર કર્યા હતા ગંભીર આક્ષેપ :

ઉલ્લેખનીય છે કે, પ્રધાનજી ઠાકોરે ગુલાબસિંહ રાજપુત પર આક્ષેપ કર્યા હતા. જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોરે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પર ભેદભાવના આરોપ લગાવ્યા હતા. પ્રધાનજી ઠાકોરને ગુલાબસિંહ રાજપૂતે હરાવ્યાં હોવાના આક્ષેપ કર્યા હતા. 2021ની યુથ કોંગ્રેસની ચૂંટણીમાં પ્રધાનજી ઠાકોરની હાર પાછળ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પ્રધાનજી ઠાકોર જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તથા તેઓએ આવનારી ચૂંટણીમાં ટિકિટની પણ માંગણી કરી છે. જો કોંગ્રેસ ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપશે તો ઠાકોર સમાજ તેમનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઇ હતી.

કોંગ્રેસની બાર સાંધે ત્યાં તેર તુટે જેવી હાલત..!

ઉલ્લેખનીય છે કે હાલમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સર્જાયેલી છે. કારણ કે તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ (Harshad ribadiya) કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હર્ષદ રિબડીયાએ 6 ઓગસ્ટના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે પોતાના સમર્થકો સાથે તેઓએ કેસરિયો ધારણ કરી લીધો હતો. જોકે રિબડીયા ભાજપમાં જોડાતા હવે એવા પણ તર્કવિતર્ક પણ થઈ રહ્યાં છે કે, શક્ય છે કે હર્ષદ રિબડીયા વિસાવદર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : સ્કૂલની પરીક્ષા બોર્ડ જેવી જ હશે, તાત્કાલિક અપાયા મોટા આદેશ

0

Big news for Gujarat students :

  • આગામી સોમવારથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે તમામ સ્કૂલોને આદેશ અપાયો છે.

ગુજરાત માધ્યમિક (Gujarat Secondary) અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Board of Higher Secondary Education) દ્વારા શાળાઓની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી સોમવારથી યોજાઈ રહેલી શાળાઓની પરીક્ષા ગેરરીતિ વિહીન (Without malpractice) અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે

ખંડ નિરીક્ષકને બોર્ડ પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ :

આ પરિપત્રમાં શાળાઓની પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ આગામી સોમવારથી શાળાઓમાં શરૂ થઈ રહેલી પરીક્ષામાં ખંડ નિરીક્ષકને બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ અપાયો છે.

CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ તપાસવા આદેશ :

આ ઉપરાંત તમામ ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવા અને CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ ચકાસણા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. નિરીક્ષકે બોર્ડની પરીક્ષાની માફક પુરવણીની સંખ્યા, વિદ્યાર્થીઓએ કેટલા પાનામાં લખાણ લખ્યું સહિતની વિગતો ભરવાની રહેશે.

શિક્ષા કોષ્ટકને નોટિસ બોર્ડ પર લગાવાની અપાઈ હતી સૂચના :

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે શિક્ષા કોષ્ટક (પરીક્ષામાં ગેરરીતિના કેસ સામે કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તેની માહિતી) શાળાના નોટિસ બોર્ડ ઉપર લગાવવાની સૂચના આપવામાં આવી હતી. આ અંગે પણ શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાનો પ્રયાસ :

પરિપત્રમાં જણાવાયું હતું કે, માર્ચ-2023માં બોર્ડની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું અંગોતરુ આયોજન કરવું જરૂરી છે. આ સંદર્ભે ગેરરીતિ કેસ બને તો ક્યાં પગલાં લેવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓ અવગત બને અને સ્વસ્થ જાગૃત માનસિકતા અને પૂર્વ તૈયારી સાથે પરીક્ષા માટે સજ્જ બને તે જરૂરી છે. આ માટે શિક્ષા કોષ્ટકને દરેક શાળાઓના નોટિસ બોર્ડ ઉપર લગાવાની સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો :-