Home Blog Page 1242

મને માફ કરી દો, મારી નસમાં કોંગ્રેસ છે હું ભૂલથી AAPમાં ગયો હતો : રાહુલ ગાંધી સામે ઇન્દ્રનીલે બે હાથ જોડી માફી માંગી

0

Forgive me, I have Congress in my veins

  • રાજકોટ જનસભામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની માંગી માફી “તમામ લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું”

ગુજરાત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. આક્ષેપ અને નિવેદનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. મતદાનની તારીખો નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા જાહેરસભાઓ (Public meeting) અને રેલીઓ ચાલી રહી છે. કોંગ્રેસ (Gujarat Congress) અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવાંમાં આવી છે.

ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે.  ભાજપમાં પ્રચારનો મોરચો વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિક શાહે સંભાળ્યો છે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આજે જનસભાને સંબોધી છે. જેમાં રાજકોટમાં જાહેર સભા દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ પરથી રાહુલ ગાંધીની માંગી માફી હતી.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની માંગી માફી :

રાજકોટમાં જાહેર સભા દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ પરથી રાહુલ ગાંધીની માફી માંગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે, તમામ લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું. તેમણે કહ્યું કે વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી અને રહીશ.

તેમણે કહ્યું કે હું ભૂલથી AAP પાર્ટીમાં જતો રહ્યો હતો અને તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર નથી તે કટ્ટર ભ્રષ્ટાચારી છે. તેમણે કહ્યું કે મને માફ કરી દો. મારી નસમાં કોંગ્રેસ છે હું ભૂલથી AAPમાં ગયો હતો.

રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા :

રાહુલ ગાંધીએ સભાસ્થળ શાસ્ત્રી મેદાન ખાતે આવતા લોકોને અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 150 લોકોના મૃત્યુ થયા તેમાં રાજનીતિ નહીં કરું અને મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા પણ જવાબદારો સામે કાંઈ નહીં.

તે સાથે રોજગારી અને બેરોજગારીને લઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી મળતી નથી. 45 વર્ષની આજે સૌથી વધુ બેરોજગારી ભારતમાં જોવા મળી રહી છે. સરકારમાં લાખો જગ્યા ખાલી છે પણ ભરતી કરવામાં આવતી નથી. મોંઘવારી-બેરોજગારી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો સહન કરે છે. સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો પણ કર્યા હતો.

આ પણ વાંચો :-

 

 

રાજનીતિમાં ગરમાવો ! ભાજપના 3 નેતાઓ પર નોંધાઇ એટ્રોસિટીની ફરિયાદ, અજય તડવીનો મોટો આક્ષેપ

0

Get hot in politics ! Atrocity complaint filed

  • વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે. ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એટ્રોસિટીની ફરિયાદ નોધાઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં (Vadodara) ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની (Atrocity) ફરિયાદ નોંધાઈ છે. 2 નગરસેવક અને ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઘટના બની હતી. જેમાં અજય તડવીએ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે. ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એટ્રોસિટીની ફરિયાદ નોધાઈ છે. વડોદરામાં 2 નગરસેવકો અને 1 ભાજપ શહેર મહામંત્રી પર ફરિયાદ નોધાતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

જેમના પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે તેમના નામમાં કાઉન્સિલર બિરેન શાહ, વિશાલ શાહ અને મહામંત્રી અમિત સોલંકી છે. ડોદરામાં કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના ત્રણેય નેતાઓ ગયા હતા. તે સમયે આ  ઘટના બની હતી. ફરિયાદી અજય તડવીએ ભાજપના ત્રણેય નેતાઓ પર પોતાની ફરિયાદમાં જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હોવાનો વાત સામે આવી રહી છે. આ મામલે DYSP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્રની આ બેઠક પર કીર્તીદાન ગઢવીના કમાભાઈ બન્યા સ્ટાર પ્રચારક, ભાજપનો ઝંડો પકડી મંત્રીનો પાડયો વટ

0

In this seat of Saurashtra, Keertidan Gadhvi

  • ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ મતદારોને આકર્ષવા પ્રયાસ કરી કમાને પ્રચારના મેદાને ઉતાર્યો છે.

ગુજરાત ચુંટણીને લઈને ઉમેદવારોનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. મતદારોને (Voters) રીઝવવા ઉમેવારો દિવસ રાત એક કરીને મહેનતે લાગ્યા છે.  ભાજપે તો સ્ટાર પ્રચારકોની આખે આખે ફોજ ઉતારી છે. નરેન્દ્ર મોદી (Narendra Modi), અમિત શાહ, યોગી આદિત્યનાથ (Yogi Adityanath), દેવેન્દ્ર ફડવણીસ, શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) સહિતના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવીને ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે.

ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોમાં વધુ એક નામ ઉમેરાયુ હોય તેવુ લાગે છે.ગુજરાતમાં ગુંજતું નામ કમો હવે ચુંટણી પ્રચારમાં ઉતાર્યો છે. જે કિર્તીદાન ગઢવીના ડાયરાથી ફેમસ થયો હતો તે કમો હવે પ્રચારમાં રમઝટ બોલાવી રહ્યો છે.

ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં પ્રચાર કરતો કમો :

ડાયરામાં ડાન્સ કરતો કમો હવે ચૂંટણી ટાણે ઉમેદવારનો પ્રચાર કરી રહ્યો છે. ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં કમો પ્રચાર કરતો જોવા મળ્યો હતો. ભાવનગર પશ્ચિમના વિવિધ વિસ્તારમાં કમો ખુલ્લી કારમાં ઉભો રહીને ભાજપના ઝંડા સાથે પ્રચાર કરતો જોવા મળ્યો હતો.

કમાને જોવા માટે તેની આસપાસ મોટી સંખ્યામાં ભીડ જામી હતી.બોલીવુડનું એક ગીત છે કે.  કુછ રંગ પ્યાર કે ઐસી ભી. ત્યારે હવે કમાની એન્ટ્રી જોઈને કહેવુ પડશે.કે રાજકારણના રંગ કુછ ઐસે ભી. કમો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવુ ગમતુ નથી.

ગીત પર ડાન્સ કરીને ફેમસ થયો અને હવે સ્ટાર પ્રચારક બની ગયો છે. નસીબ ક્યારે કોના સિતારા ચમકાવી દે તે કહેવુ મુશ્કેલ છે પણ હાલ કમાના સિતારા ફુલ જોરથી ચમકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો :-

ક્રિકેટના મેદાનથી લઈને પ્રેમની પિચ સુધી, આ રીતે સુપરહિટ થયો ટીમ ઈન્ડિયાનો “મિસ્ટર 360”

From the cricket field to the pitch of love

  • ટીમ ઈન્ડિયાના મિસ્ટર 360 એટલે કે વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ આ સમયે ટીમનો મહત્વનો ભાગ બની ગયો છે. તેની બેટિંગ આગળ મોટા-મોટા બોલરો મુશ્કેલીમાં આવી જાય છે.

સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) વર્ષ 2016માં સાઉથ ઈન્ડિયા સાથે સંબંધ રાખનાર દેવિશા શેટ્ટી (Devisha Shetty) સાથે લગ્ન કર્યા હતા. દેવિશા શેટ્ટીનો જન્મ 1993માં મુંબઈમાં થયો હતો. સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીની પહેલી મુલાકાત મુંબઈની (Mumbai) પોદ્દાર કોલેજ ઓફ આર્ટ્સમાં થઈ હતી. કોલેજના એક પ્રોગ્રામમાં દેવિશાનો ડાન્સ જોઈ સૂર્યા તેના પર ફિદા થઈ ગયો હતો.

દેવિશા શેટ્ટીને કોલેજ લાઈફથી ડાન્સનો શોખ હતો. ડાન્સ પ્રોગ્રામમાં બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. લગ્ન પહેલા બંનેએ 5 વર્ષ ડેટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે દેવિશાએ વર્ષ 2013થી 2015 સુધી એક એનજીઓ “ધ લાઈટહાઉસ પ્રોજેક્ટ” માટે વોલેન્ટિયરના રૂપમાં કામ કર્યું હતું. તે સામાજિક કામોમાં પણ સક્રિય રહે છે.

દેવિશા શેટ્ટી (Devisha Shetty) ઘણીવાર મેદાનમાં સૂર્યકુમાર યાદવને સપોર્ટ કરતી જોવા મળી છે. સૂર્યકુમાર યાદવ અને દેવિશા બંને હંમેશા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. બંને ફેન્સ માટે તસવીરો શેર કરતા રહે છે. સૂર્યકુમાર યાદવ આ સમયે ટી20 ક્રિકેટનો નંબર-1 બેટર છે. તેણે હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ટી20 કરિયરની બીજી સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યાએ માત્ર 51 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

ભાજપ નેતા પબુભા માણેકનો બફાટ, કહ્યું ડીઝલ-પેટ્રોલ 200 રૂપિયે થાય તો ભલે થાય, આવક લાખમાં જોઈએ

0

BJP leader Pabubha Manek blasted

  • પબુભા માણેકનુ મોધવારીને લઇ વિવાદિત નિવેદન સામે આવ્યું છે “ડીઝલ 200 રૂપિયે થાય તો ભલે થાય”

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ (Gujarat Congress) અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવામાં આવી છે. ત્રણેય પક્ષોએ ચૂંટણી જીતવા માટે પ્રચારો જોકમશોર રીતે ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે ચૂંટણી જીતવા માટે આક્ષેપો અને નિવેદનો તેમજ રાજકીય શબ્દોનો વાર પલટવાર ચાલી રહ્યો છે.

ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે. ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે પ્રચાર દરમિયાન વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે. દ્વારકાથી (Dwarka) ભાજપના ઉમેદવાર પબુભા માણેકનું (Pabubha Manek) વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. જુઓ આ વીડિયો..

પબુભા માણેકે આપ્યુ વિવાદિત નિવેદન :

એક તરફ જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે તો બીજી તરફ ભાજપ નેતા પબુભા માણેક એમ કહેતા જણાઈ રહ્યા છે કે, તેઓને મોંઘવારી નથી નડતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવ 200 રૂપિયે પહોંચે તો પણ તેમને વાંધો નથી. મોંઘવારીના પ્રશ્ને પબુભા માણેક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

તેમણે કહ્યું કે ડીઝલ 200 રૂપિયે થાય તો ભલે થાય તેમણે કહ્યું કે, આવક લાખમાં જોઈએ.આ મોંઘવારી નથી ફુગાવો છે. તેમણે કહ્યું કે 200 રૂપિયાનું પેટ્રોલ અમને પોસાશે.

આ પણ વાંચો :-

PF બેલેન્સ ચેક કરવાના ચક્કરમાં એકાઉન્ટમાંથી ઉડી ગયા 1.23 લાખ રૂપિયા, તમે ના કરતા આવી ભૂલ

0

1.23 lakh rupees flew out of the account

  • જો તમે પણ PF બેલેન્સ ચેક કરો છો તો થોડી સાવધાની સાથે બેલેન્સ ચેક કરો. હાલમાં જ એક શખ્સના એકાઉન્ટથી 1.23 લાખ રૂપિયા ઉડી ગયા. જાણો શું છે સંપૂર્ણ મામલો

જો તમે પણ નોકરી કરતા હોવ અને તમારા પગારમાંથી PFના પૈસા કપાય છે તો તમારે પણ તમારું PF બેલેન્સ (PF Balance) ચેક કરવા માટે અલગ-અલગ રીતો અપનાવતા હશો. ક્યારેક ઉમંગ એપ દ્વારા, ક્યારેક મિસ્ડ કોલ દ્વારા તો ક્યારેક એસએમએસ સેવા દ્વારા. પરંતુ એસએમએસ (SMC) અને મિસ્ડ કોલ (Missed call) દ્વારા પીએફ બેલેન્સ ચેક કરતી વખતે તકેદારી રાખવાની જરૂર છે. ખાસ કરીને તમે જે નંબર પર મેસેજ અથવા કોલ કરી રહ્યાં છો તે નંબરની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે.

હાલમાં એક વ્યક્તિ માટે પીએફ બેલેન્સ ચેક કરવું ભારે સાબિત થયું છે અને આ વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા. શું છે આખો મામલો ચાલો તમને જણાવીએ જેથી તમે પણ આ મામલામાંથી શીખી શકો અને સતર્ક થઈ શકો.

શું છે સમગ્ર મામલો :

હાલમાં 47 વર્ષના એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરનારાઓએ 1 લાખ 23 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ વ્યક્તિ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ ઓફિસર છે અને આ વ્યક્તિએ ગૂગલની મદદથી EPFO ​​હેલ્પલાઇન નંબર સર્ચ કર્યો અને આ વ્યક્તિને નંબર મળ્યો.

એક રિપોર્ટ અનુસાર આ એક નકલી નંબર હતો જે ઈન્ટરનેટ પર હેલ્પલાઇન નંબર તરીકે હાજર હતો. આ વ્યક્તિએ આ નંબર પર ફોન કરતાની સાથે જ સામેની વ્યક્તિએ આ પીડિતને રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. પછી છેતરપિંડી કરનારાઓએ આ વ્યક્તિ પાસેથી 14 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ 1 લાખ 23 હજારની લૂંટ કરી દીધી.

ઈન્ટરનેટ પર સર્ચ કરી વેબસાઈટ :

રિપોર્ટ અનુસાર આ શખ્સે EPFOની ઓફિશ્યલ વેબસાઈટને પોતાના મોબાઈલ પર ખોલવાનો ટ્રાય કર્યો પરંતુ સાઈટ લોડ ન થઈ. ત્યાર બાદ આ શખ્સે ઈન્ટરનેટ પર PF કસ્ટમર કેર હેલ્પલાઈન નંબરને શોખવાનું શરૂ કર્યું.

શખ્સે શેર કર્યો 9 આંકડાનો કોડ

જ્યારે આ વ્યક્તિએ આ ફેક નંબર પર કોલ કર્યો તો સામેની વ્યક્તિએ રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. આટલું જ નહીં, પીડિત શખ્સે છેતરપિંડી કરનાર વ્યક્તિ જે પોતાને અધિકારી ગણાવી રહ્યો હતો. તેણે શખ્સની સાથે પોતાનો 9 અંકનો એક કોડ પણ શેર કર્યો હતો.

EPFO મેમ્બર્સે ધ્યાનમાં રાખવી આ વસ્તુઓ :

એવામાં EPFO ​​મેમ્બર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈન્ટરનેટ પર આપવામાં આવેલા નંબરો પર આંધળો વિશ્વાસ ન કરે અને તેમની અંગત માહિતી કોઈની સાથે શેર ન કરે. પીએફ બેલેન્સ તપાસવા માટે EPFOની સત્તાવાર સાઈટ, સરકારની ઉમંગ એપ અથવા EPFOની સાઇટ પર આપવામાં આવેલ મિસ્ડ કોલ અને SMS સર્વિસ નંબરનો ઉપયોગ કરો.

આ પણ વાંચો :-

22 નવેમ્બર 2022 રાશિફળ : દેવાધિદેવ મહાદેવની કૃપાથી આ 6 રાશિના જાતકોના લોકોને ભાગ્ય આપશે સાથ

22 November 2022 Horoscope Gujarat Guardian

મેષ
આજે ‌દિવસ દરમ્યાન માન‌સિક સ્વસ્થતા જળવાશે. આવકની પ‌રિ‌સ્થિ‌તિ સુધરતી જણાશે. પ‌રિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પ‌ત્નિ સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગ‌તિ થતી જણાય.

વૃષભ
આજનો ‌દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના ‌મિત્રોની મુલાકાત શકય બને.

મિથુન
આજે પણ આ‌‌ર્થિક ઉપાર્જન વધતું જણાય. પ‌રિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગ‌તિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક
આ‌‌ર્થિક દૃ‌ષ્ટિ એ ‌દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પ‌રિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદા કારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આ‌‌ર્થિક લાભ મળતો જણાય. પ‌રિવાર ના તમામ સભ્યોની પ્રગ‌તિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. ત‌બિયત સંબંધી થોડી ‌ચિંતા રહે.

કન્યા
આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઈ બહેનોની પ્રગ‌તિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણ પત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા
પરોપકાર, ‌હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર રહે. અણુ ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રો‌નિકસ, બુક સેલરના ધંધામાં વધારે પ્રગ‌તિ થાય. માતા તથા પ‌ત્નિ સાથે મતભેદ થવાની શકયતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃ‌શ્ચિક
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવન સાથી સાથે ઉગતા વાદ ‌વિવાદ ટાળવાની સલાહ છે.

ધન
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આ‌‌ર્થિક રીતે આવક વધતાં માન‌સિક અશાં‌તિ ઓછી થતી જણાય. ‌મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકર
આ‌‌ર્થિક પાસુ મજબુત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શકયતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળો ધંધાકીય ક્ષેત્રે પ્રગ‌તિનો અનુભવ થાય.

કુંભ
ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પ‌રિણામે ‌દિવસ દર‌મિયાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પ‌રિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન
આજે આવક ઘટતી જણાય. માન‌સિક પ‌રિતાપ-‌ચિંતા સતાવે. પ‌રિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ‌ચિતા. તથા ધંધામાં પણ ‌ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

સારા અલી ખાને વરૂણ ધવન સાથે શેર કરી દીધો એવો ફોટો, ઈન્ટરનેટ પર મચી ગઈ ધમાલ

The photo that Sara Ali Khan shared

  • વરૂણ ધવન અને સારા અલી ખાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માટે ગોવા પહોંચી ગયા છે. સારાએ વરૂણ સાથે પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બોલીવુડ અભિનેતા વરૂણ ધવન (Actor Varun Dhawan) આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ ભેડિયા (Bhediya) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ક્રિતી સેનન (Kriti Sanon) સાથે જોવા મળશે. પરંતુ આ વચ્ચે વરૂણ ધવન ફિલ્મના પ્રમોશનથી (Promotion of the film) બ્રેક લઈને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માટે ગોવા પહોંચી ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર સારા અલી ખાન (Sara Ali Khan) સાથે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બંનેએ બીચ પર ક્લિક કરી સેલ્ફી :

વરૂણ ધવને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરને શેર કરી છે. જેમાં તે સારા અલી ખાન સાથે ગોવાના બીચ પર સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. ફોટોમાં સારા અલી ખાન રેડ કલરની બિકિનીમાં છે. તો વરૂણ ધવન શર્ટલેસ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં બંને સિતારાની બોન્ડિંગ જોવા મળી રહી છે. વરૂણે આ તસવીરને શેર કરતા લખ્યું, iffi2022. સારાએ પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વરૂણની સાથે ફોટો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે- Sea You.

ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે સારા અને વરૂણ :

ગોવામાં આજે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 શરૂ થયો છે. જેમાં આ વર્ષે ભારતીય સિનેમાના 100 વર્ષ થવાના જશ્નની ઉજવણી કરવામાં આવશે. આ ફેસ્ટિવલમાં સારા અને વરૂણ ધવન પરફોર્મ કરશે. તો આર્યન, મૃણાલ ઠાકુર અને ઘણા અન્ય સિતારાઓ પણ પરફોર્મ કરવાના છે.

આ પણ વાંચો :-

QR Code સ્કેન કરતી વખતે રહો એલર્ટ, એક ભૂલથી ખાલી થઈ જશે એકાઉન્ટ, જાણો શું છે કૌભાંડ

0

Be alert while scanning QR Code

  • તાજેતરના સમયમાં લોકો હવે QR Code સ્કેન કરીને નાના મોટો પેમેન્ટ કરી રહ્યાં છે ત્યારે હવે લોકોએ આવું કરતી વખતે સાવધાની રાખવી પડશે નહીંતર ખજાનો ખાલી થતા વાર નહીં લાગે.

ઓનલાઈન કૌભાંડો (Online scams) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે લોકોને હંમેશા સાવધાન રહેવાનું કહેવામાં આવે છે. ક્યૂઆર કોડનું (QR code) કૌભાંડ પણ ચાલી રહ્યું છે. આ સાથે જ તમે QR કોડ સ્કેન કરતા જ તમારા પૈસા સ્કેમર્સના અકાઉન્ટ સુધી પહોંચી જશે. ભૂતકાળમાં ઘણી સુરક્ષા સંશોધન કંપનીઓએ આ વિશે અહેવાલ આપ્યો છે.

QR કોડ સ્કેમ નવું નથી. ઘણી વખત લોકો OLX પર આ કૌભાંડનો ભોગ બને છે. તાજેતરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એક મહિલાએ OLX કેટલીક વસ્તુઓ વેચવા મૂકી હતી ત્યારે તેની સાથે ઠગાઈ થઈ હતી અને તેના ઘણા પૈસા કપાઈ ગયા હતા. સ્કેમર મહિલાએ કહેલી પ્રાઈસે વસ્તુઓ ખરીદવા તૈયાર થયો હતો.

ત્યારબાદ તેણે મહિલાને વોટ્સએપ પર ક્યૂઆર કોડ મોકલ્યો હતો. સ્કેમરે દાવો કર્યો હતો કે તે મહિલાને ચૂકવણી કરવા માંગતો હતો. ફોનપે અથવા જીપેમાંથી કોડ સ્કેન કરતા મહિલાના ખાતામાં ઝાઝા પૈસા કપાયા હતા.

ક્યૂઆર કોડ સ્કેન કરતી રાખો સાવધાની  :

આ કામ થતાં જ મહિલાના ખાતામાંથી પૈસા કપાઈ ગયા હતા. જેની જાણ સાયબર ક્રાઈમમાં થઇ હતી. આ સિવાય ક્યૂઆર કોડને લઈને વધુ એક કૌભાંડ કરવામાં આવે છે. જ્યાં સ્કેમર્સ પેટ્રોલ પંપ અથવા દુકાન જેવા જાહેર સ્થળે ક્યુઆર કોડને તેમના ક્યૂઆર કોડથી બદલી નાખે છે.

આ પણ વાંચો :-

સાવધાન ! શું તમે પણ લેપટોપને ખોળામાં રાખીને કામ કરો છો ? આવી બીમારીઓથી ઘેરાઈ શકે છે શરીર

Caution! Do you also work with a laptop on your lap

  • આજે તમને જણાવશું કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરતી વખતે તમને કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કોરોનાકાળ (Corona period) પછી પછી દેશમાં ઘરેથી કામ કરવાનું એટલે કે વર્ક ફ્રોમ હોમનું (Work from home) કલ્ચર વધ્યું છે. જો કે  આ વર્ક કલ્ચરે લોકોને અનેક સુવિધાઓ આપી છે પણ બીજી તરફ તેના કારણે મોટાભાગના લોકો સ્વાસ્થ્યને (Health) લગતી અનેક સમસ્યાઓની ઝપેટમાં આવી ગયા છે.

વર્ક ફ્રોમ હોમના કારણે લોકોને ઘણીવાર લેપટોપ (Laptop) પર લાંબા સમય સુધી બેસીને કામ કરવું પડે છે. અને વધુ પડતાં લોકો લેપટોપને ખોળામાં લઈને પણ કામ કરવા લાગે છે. જો કે આમ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.

જણાવી દઈએ કે લેપટોપમાંથી નીકળતી ગરમી આપણી ત્વચા અને આંતરિક પેશીઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. આજે તમને જણાવશું કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરતી વખતે તમને કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પુરુષોમાં ઈનફર્ટિલિટીનું જોખમ વધે :

સ્ત્રીઓ કરતાં પુરુષો લેપટોપની ગરમીથી વધુ પ્રભાવિત થાય છે. ખરેખર સ્ત્રીઓનું ગર્ભાશય શરીરની અંદર હોય છે અને પુરુષોમાં અંડકોષ શરીરના બહારના ભાગમાં હોય છે અને લેપટોપમાંથી નીકળતી ગરમીનું કિરણો વધુ નજીક રહે છે અને વધારે તાપમાનના કારણે પુરૂષોના શુક્રાણુઓની ગુણવત્તા નબળી પડવા લાગે છે. આ કારણે તેના કારણે પ્રજનન ક્ષમતામાં સમસ્યા આવી શકે છે. એટલા માટે ખાસ કરીને પુરુષોએ લેપટોપનો ઉપયોગ ખોળામાં રાખીને ન કરવો જોઈએ.

રેડિયેશન ફેલાય છે :

જો તમે તમારા ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો તમને ગંભીર માથાનો દુખાવો પણ થઈ શકે છે. લેપટોપમાંથી નીકળતી ગરમી ઓછી ફ્રિકવન્સી રેડિયેશનનું ઉત્સર્જન કરે છે અને તે બ્લૂટૂથ કનેક્શન દ્વારા જ બહાર આવે છે જે તમને બીમાર બનાવી શકે છે.

આ પણ વાંચો :-