Home Blog Page 1214

શું તમે જાણો છો કે બેંકો ગ્રાહકને જાણ કર્યા વિના લોનના વ્યાજ દરમાં કરી શકે છે વધારો, જાણો શું છે કોર્ટનો નિર્ણય?

0

Do you know that banks can increase the loan interest

  • આ વાત 2005થી શરૂ થાય છે. ફરિયાદી વિષ્ણુ બંસલે નવેમ્બર 2005માં બેંકમાંથી 30,74,100 રૂપિયાની લોન લીધી હતી. આ લોન ફ્લોટિંગ રેટ પર લેવામાં આવી હતી.

નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને (NCRDC) તેના તાજેતરના એક નિર્ણયથી લોન લેનારાઓને મોટો ઝટકો આપ્યો છે. NCRDCએ ICICI બેંક અને લોન લેનાર વચ્ચેના વિવાદમાં નિર્ણય આપતાં કહ્યું છે કે ફ્લોટિંગ રેટ લોનમાં (Floating Rate Loans) બેંકને લોન લેનારને જાણ કર્યા વિના પણ વ્યાજ દર વધારવાનો અધિકાર છે. દર વખતે વ્યાજ વધારતા પહેલા લોન લેનારને જાણ કરવી જરૂરી નથી. આ મામલે પહેલો નિર્ણય 2019માં આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સ્તરીય કમિશને લોન લેનારની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. હવે NCRDCએ તેને પલટી નાખ્યો છે.

આ વાત 2005થી શરૂ થાય છે. ફરિયાદી વિષ્ણુ બંસલે નવેમ્બર 2005માં બેંકમાંથી 30,74,100 રૂપિયાની લોન લીધી હતી. આ લોન ફ્લોટિંગ રેટ પર લેવામાં આવી હતી. ફ્લોટિંગ રેટ લોન એવી છે, જેમાં બેન્ચમાર્કમાં થતા ફેરફારોના આધારે વ્યાજ દરો પણ બદલાય છે. ઉદાહરણ તરીકે હાલમાં મોટાભાગની બેંકો બોન્ડ યીલ્ડ અથવા રેપો રેટને બેન્ચમાર્ક મુજબ ચાલે છે. જો રેપો રેટમાં ફેરફાર થાય છે. તો લોનના વ્યાજ દર પણ તે મુજબ બદલાય છે. વિષ્ણુ બંસલે આ લોન 240 મહિનામાં ચૂકવવાની હતી અને તેની EMI 24,297 રૂપિયા પ્રતિ માસ હતી.

ક્યાં ભૂલ થઈ?

બંસલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં બેંકે તેમની પાસેથી વાર્ષિક 7.25 ટકા વ્યાજ વસૂલ્યું હતું. પરંતુ બાદમાં 8.75 ટકા કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમને આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ પછી બેંકે ફરી એકવાર વ્યાજ દર વધારીને 12.25 ટકા કર્યો છે. ઉપરાંત, તેની લોન ચૂકવવાની મુદત 240 મહિનાથી વધારીને 331 મહિના કરવામાં આવી હતી.

બંસલે ICICI સાથેની તેમની લોન બંધ કરી અને તેને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી ત્યાં સુધીમાં તેણે રૂ. 1.62 લાખની વધારાની ચુકવણી કરી દીધી હતી. બંસલે સૌપ્રથમ ફેબ્રુઆરી 2010માં બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી હતી. તે RBI દ્વારા નિયુક્ત એક વરિષ્ઠ અધિકારી છે. જે બેંકોની અસંતોષકારક કામગીરી અંગે ગ્રાહકોના પ્રશ્નો સાંભળે છે અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. જોકે બંસલને અહીં કોઈ મદદ મળી ન હતી.

પ્રથમ ચુકાદો :

આ પછી બંસલ ડિસ્ટ્રિક્ટ કમિશન પાસે ગયા જ્યાં મામલો એમ કહીને સાંભળવામાં આવ્યો ન હતો કે તે તેમના અધિકારક્ષેત્રની બહાર છે. બંસલ પછી રાજ્ય કમિશન તરફ વળ્યા. સ્ટેટ કમિશને ચોક્કસપણે સંમતિ આપી કે બેંકને વ્યાજ દર વધારવાનો અધિકાર છે. પરંતુ સાથે જ કહ્યું કે તેનો અર્થ એ નથી કે બેંક જાણ કર્યા વિના તેમાં વધારો કરશે. કમિશને બેંકને ફરિયાદીને વ્યાજ સહિત રૂ. 1.62 લાખ પરત કરવાનો આદેશ આપ્યો હતો.

મામલો નેશનલ કમિશન સુધી પહોંચ્યો :

આ નિર્ણયથી અસંતુષ્ટ ICICI બેંકે આ વખતે નેશનલ કમિશનનો સંપર્ક કર્યો, જ્યાં નિર્ણય તેની તરફેણમાં આવ્યો. નેશનલ કમિશને કહ્યું કે બેંકને જાણ કર્યા વિના લોનના વ્યાજમાં વધારો કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કમિશને વધુમાં કહ્યું કે, બેંકે તેની વેબસાઈટ પર આનાથી સંબંધિત એક નોટિફિકેશન મુક્યું છે અને વ્યાજ દરમાં વધારો કર્યા બાદ ઋણધારકોને રીસેટ લેટર પણ મોકલવામાં આવ્યા છે. અંતે કમિશને કહ્યું કે, કોર્ટ ગ્રાહકને માત્ર રૂ. 1 લાખની ગુડવિલ તરીકે ચૂકવણી કરી શકે છે. કારણ કે અહીં કોઈ ગેરકાયદાકીય વેપાર પ્રથા કરવામાં આવતી નથી.

આ પણ વાંચો :-

સરકારની આ સ્કીમ અંતર્ગત દર મહિને મજૂરોને મળશે રૂ. 3 હજારનું વેતન ! જાણો કેવી રીતે

0

Under this scheme of the government,

  • અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ બનાવ્યું અને રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં આર્થિક સહાય આપવામાં આવશે.

દેશના અસંગઠિત ક્ષેત્રોમાં (Unorganized Sectors) કામ કરતા મજૂરો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. રજિસ્ટર્ડ કામદારોના બાળકોના શિક્ષણ, દીકરીના લગ્નથી લઈને સારવાર સુધીની ઘણી યોજનાઓ છે. આ સાથે જ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો માટે સરકાર દ્વારા નોંધણી પછી ઈ-શ્રમ કાર્ડ (E-Labour Card) જારી કરવામાં આવે છે.

જે મજૂરો આ યોજના હેઠળ તેનું (E-Shram Card Registration) કરાવે છે એ મજૂરોને સરકાર દ્વારા ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) બનાવવા માટે કોઈ પણ 16 થી 59 વર્ષની વયના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ મજૂર અરજી કરી શકે છે .

જણાવી દઈએ કે ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નિર્ધારિત લાયકાત ધરાવતા કામદારો અને મજૂરોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે અને એ માટે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે સત્તાવાર વેબસાઇટ eshram.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. આ સિવાય CSC સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

દર મહિને મળશે પેન્શન :

ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નોંધણી કરવા માટે કામદારોને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડશે. જેમ કે – અરજદારનું આધાર કાર્ડ, આધાર સાથે લિંક કરવામાં આવેલ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર. આવા દસ્તાવેજોના આધારે સરળતાથી ઈ-લેબર કાર્ડ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ પણ બનાવ્યું છે. જણાવી દઈએ કે આ યોજનામાં રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

તમામ કામદારોને પોર્ટલ પર નોંધણી કર્યા પછી ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકશે. જણાવી દઈએ કે આ કાર્ડ 12 અંકનું હોય છે.

ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)ના ફાયદા :

  • ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કામદારોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે.
  • જો અકસ્માતમાં કામદારનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે.
  • જો કામદાર અકસ્માતમાં આંશિક રીતે વિકલાંગ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
  • રજીસ્ટર કામદારોને UAN આપવામાં આવશે જેમાં તેઓને સરકારી યોજનાનો લાભ મળી શકે છે.

આ પણ વાંચો :-

ભારતમાં કોરોનાના કેટલા વેરિએન્ટ, શું ચીનમાં તબાહી મચાવનાર BF 7 છે ડરવાની જરૂર?

0

How many variants of corona in India

  • વર્તમાનમાં જે બીએફ 7 વેરિએન્ટને લઈને ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને જે ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે તે પણ ઓમિક્રોનનો વેરિએન્ટ છે. આ વેરિએન્ટ ઓક્ટોબર 2022થી ભારતમાં હાજર છે.

આ સમયે વિશ્વમાં આ સમયે 5 કોરોના વેરિએન્ટ (Corona variant) ચિંતાનું કારણ બનેલા છે. તેમાં સામેલ છે- આલ્ફા, બીટા, ડેલ્ટા, ગામા અને ઓમીક્રોન. આ સિવાય 2 વેરિએન્ટ ઓફ ઈન્ટરસ્ટ મળ્યા છે- લામ્બડા (lambda) અને MU પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

તેમાં 7 વેરિએન્ટના હજારો જીનોમ આશરે 91 હજાર 315 અને તેના 409 લીનિએજ ભારતમાં જોવા મળ્યા છે. હાલ જે  BF 7 વેરિએન્ટને લઈને ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે ચીનમાં તબાહીનું કારણ બની રહ્યો છે તે પણ ઓમિક્રોનનો વેરિએન્ટ છે. આ વેરિએન્ટ ઓક્ટોબર 2022થી ભારતમાં પણ છે. ભારતમાં આ સમયે સૌથી વધુ કોવિડ કેસ ઓમિક્રોન્ટ વેરિએન્ટના છે.

‘ખતરો હવે એટલો મોટો નથી’ :

ભારતમાં કોરોના વેરિએન્ટનું જીનોમ સિક્વેન્સિંગ કરનારી ટીમ સીએસઆઈઆરના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક ડો. રાજેશ પાંડે પ્રમાણે જો ભારતની મોટી વસ્તી વેક્સીનેડેટ ન હોત તો ઓમિક્રોનનો આ વેરિએન્ટ બીએફ 7 ખતરનાક સાબિત થાત. પરંતુ હવે ખતરો એટલો મોટો નથી.

ભારતીય વેક્સીન ખુબ અસરકારક :

ડો.પાંડેનું કહેવું છે કે ચીનમાં વેક્સીનેશનનું સ્ટાન્ડર્ડ ભારતના મુકાબલે ખુબ ઓછુ છે. ભારતીય વેક્સીન ખુબ અસરકારક છે અને તે BF 7 વિરુદ્ધ અસરકારક સાબિત થઈ રહી છે.

જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના વડોદરામાં કોરોનાના BF.7 વેરિએન્ટનો કેસ સામે આવ્યો હતો. 61 વર્ષીય મહિલામાં BF.7 વેરિએન્ટ જોવા મળ્યો હતો. કોરોનાનો વેરિએન્ટ મળ્યા બાદ મહિલા ઘરમાં આઈસોલેટ હતી. ફાઇઝરની રસી લગાવ્યા છતાં મહિલા બીએફ 7થી સંક્રમિત થઈ હતી. આ મહિલા 11 નવેમ્બરે અમેરિકાથી વડોદરા આવી હતી. મહિલાના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

શું તમારે બિનજરૂરી Calls આવે છે ? આટલું કરશો તો રિંગ વાગતાં પહેલાં જ નંબર થઈ જશે બ્લોક 

Do you get unnecessary calls? If you do this

  • TRAI એ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરને એક મેંડેટ જાહેર કર્યું છે. તેમણે કંપનીઓને યૂઝર્સ માટે DND સર્વિસ શરૂ કરવા માટે કહ્યું છે.

Spam Calls સતત વધી રહ્યા છે. દરરોજ ઓછામાં ઓછા 4 થી 5 બિનજરૂરી કોલ આવે છે. ક્યારેક બેંક લોન તો ક્યારેક વીમો. તમામ પ્રકારના કોલ પરેશાન કરે છે. ઘણા લોકો Truecaller એપની મદદથી કોલ આવ્યા બાદ નંબર બ્લોક કરી દે છે.

પરંતુ પછી નવા નંબર પરથી કોલ આવવા લાગે છે. આવી સ્થિતિમાં સમસ્યા પૂરી થવાનું નામ નથી લેતી. આ સમસ્યાના ઉકેલ માટે TRAIએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ જારી કર્યો છે. તેમણે કંપનીઓને વપરાશકર્તાઓ માટે DND સેવા શરૂ કરવા કહ્યું છે.

સરકારે DND સેવાને ખૂબ જ સરળ બનાવી છે. DND સેવા બે રીતે શરૂ કરી શકાય છે. એક SMS અને બીજો CALL.આ બે સરળ રીતે DND સેવા ચાલુ કરી શકાય છે..

SMS દ્વારા DND સેવા કેવી રીતે એક્ટિવ કરવી :

SMS કરવા માટે તમારે મેસેજિંગ એપ પર જવું પડશે.
– START 0 ટાઈપ કરવાનો રહેશે અને 1909 પર મેસેજ મોકલવાનો રહેશે.
આમ કરવાથી DND સેવા સક્રિય થઈ જશે.

– ડાયલર એપ ખોલો.
– 1909 પર કોલ કરો.
– તમારે કેટલીક સૂચનાઓનું પાલન કરવું પડશે. આ કર્યા પછી, DND સેવા સક્રિય થઈ જશે.

તો આ રીતે તમે DND સેવા શરૂ કરીને બિનજરૂરી કોલ્સ બંધ કરી શકો છો.

આ પણ વાંચો :-

શું તમે તૂટેલી કે વળેલી નંબર પ્લેટ બદલવા માંગો છો ? તો ઘરે બેઠા કરો આટલું કામ, નહીંતર થઈ શકે છે જેલ

0

Do you want to replace a broken or bent number plate

  • જો તમારા વાહન પર HSRP નંબર પ્લેટ રાખવી ફરજિયાત છે. નંબર પ્લેટનો કલર ઉડી ગયો હોય કે ફેન્સી નંબર પ્લેટ હોય અથવા તો તે નંબર પ્લેટ તૂટી કે વળી ગઈ હોય તો તે IPC અને મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો બને છે.

જે પણ લોકોનાં વાહનની નંબર પ્લેટ (Number plate of the vehicle) વળી કે તૂટી ગઈ છે અથવા તો નંબર પ્લેટ સાથે કોઈ પણ પ્રકારની ચેળા કરી છે તે લોકોએ સાવધાન થઇ જવું જરૂરી છે કારણ કે IPC હેઠળ આ એક ગુનો બને છે અને તેના માટે તમને સજા પણ મળી શકે છે અથવા તો કેસ થઈ શકે છે.

HSRP શું છે :

હાઈ સિક્યોરિટી રેજિસ્ટ્રેશન પ્લેટ HSRP એટલે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે વાહનમાં HSRP પ્લેટ સિવાય કોઇ પણ પ્રકારની પ્લેટનો ઉપયોગ કરી શકાશે નહીં. જો તમારા વાહનમાં તમને HSRP નંબર પ્લેટ ફીટ કરાવવી હોય તો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લઇ અને RTOમાં જઈ તમે નંબર પ્લેટ લગાવી શકો છો.

શું આ પ્રક્રિયા ફ્રીમાં થાય છે?

ના HSRP નંબર પ્લેટને તમારા વાહન પર ફીટ કરાવવાની પ્રક્રિયા ફ્રીમાં થતી નથી. તેના માટે RTO તમારા પાસેથી ચોક્કસ ચાર્જ વસૂલે છે. વાહન પ્રમાણે લોકોએ ચાર્જ આપવાનું રહેશે.

શું Graduity પર પણ ટેક્સ લાગી શકે ? જુઓ સરકારી અને પ્રાઈવેટ કર્મચારીઓને કેટલી અપાય છે છૂટછાટ

0

Can Graduity also be taxed

  • પગારદાર વ્યક્તિને પીએફ અને અન્ય ભથ્થાઓ સાથે ગ્રેચ્યુટીનો લાભ પણ આપવામાં આવે છે. આ રકમ કર્મચારીની કમાણીમાંથી બાદ કરવામાં આવેલી રકમ છે. જે તેને રાજીનામું અથવા નિવૃત્તિ પછી મળે છે.

નોકરી કરતી વ્યક્તિ સરકારી ક્ષેત્રની હોય કે ખાનગી, ચોક્કસ સમય પછી તેને ગ્રેચ્યુટીનો (Gratuity) લાભ મળે છે. શ્રમ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ સાડા 4 વર્ષથી વધુ સમય સુધી સતત કામ કરે છે. તો તેને ગ્રેચ્યુટી તરીકે મોટી રકમ મળે છે. જો કે તે કર્મચારીએ નોકરીમાં કેટલો સમય પસાર કર્યો તેના પર નિર્ભર છે.

ગ્રેચ્યુટી પણ કમાણીનો એક ભાગ :

હકીકતે ગ્રેચ્યુટી કંપની અથવા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતી એક એવી રકમ છે. જે નોકરી દરમિયાન કર્મચારીના ખાતામાંથી ધીમે ધીમે કાપવામાં આવે છે. સ્વાભાવિક છે કે ગ્રેચ્યુટી તરીકે મળેલા પૈસા પણ એક રીતે તમારી કમાણીનો એક ભાગ છે.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કર્મચારીએ અન્ય આવકની જેમ આ નાણાં પર પણ ટેક્સ ચૂકવવો પડશે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ…

સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે મોટો તફાવત  :

રોકાણ અને ટેક્સ બાબતોના નિષ્ણાંત કહે છે કે ગ્રેચ્યુઇટી એ કર્મચારીના પગારનો એક ભાગ છે, જે કંપની દ્વારા ધીમે ધીમે કાપવામાં આવે છે અને ચોક્કસ સમય પછી, જ્યારે કર્મચારી રાજીનામું આપે છે અથવા નિવૃત્ત થાય છે, ત્યારે આ રકમ એકસાથે આપવામાં આવે છે. આવકવેરાના નિયમો હેઠળ આના પર ટેક્સ છૂટની જોગવાઈ છે, પરંતુ સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ટેક્સ મુક્તિ લિમિટમાં મોટો તફાવત છે.

સરકારી કર્મચારીઓ માટે ટેક્સમાં કેટલી છે છૂટ? 

નિષ્ણાંત અનુસાર અગાઉ સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુટી તરીકે મળતા 10 લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ મુક્તિ હેઠળ હતી. પરંતુ વર્ષ 2018માં સરકારે કાયદામાં ફેરફાર કરીને નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

આ અંતર્ગત સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુટી પર મળતી કરમુક્તિની મર્યાદા બમણી કરવામાં આવી છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી પેમેન્ટ પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.

પ્રાઈવેટ સેક્ટરમાં કેટલી છૂટ? 

નિષ્ણાંતો અનુસાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી પર ટેક્સ છૂટની રકમ પર હાલમાં 10 લાખ રૂપિયા સુધી મર્યાદિત છે અને આવા કર્મચારીઓએ 10 લાખ રૂપિયાથી વધુની ગ્રેચ્યુટી તરીકે પ્રાપ્ત રકમ પર તેમના સ્લેબ અનુસાર ટેક્સ ચૂકવવો પડશે.

જો કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ગ્રેચ્યુટી પર વધુ કર મુક્તિ આપવા માટે ચર્ચા ચાલી રહી છે અને જો ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેમને રૂ. 20 લાખ સુધીની ચૂકવણી પર પણ કર મુક્તિ મળશે.

આ પણ વાંચો :-

22 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : વિષ્ણુજી કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય

22 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેરબજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજશોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઈ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારું મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝઘડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્રફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

ઓ માય ગોડ ! પતિને છોડીને પરપુરુષ પર આવ્યું આ હસીનાઓનું દિલ, દુનિયાને ભૂલી ચલાવ્યું ચક્કર !

Leaving the husband, the heart of this girl

  • બોલીવુડ હોય કે ટીવી સ્ટાર્સ, તેમની પર્સનલ લાઈપ અને ખાસ કરીને તેમને લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. વાત જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેરની આવે ત્યારે લોકોને ખૂબ જ મસાલો મળતો હોય છે.

અનેક વાર અભિનેત્રીઓના (Actress) લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તે પતિની સેવા બીજા પુરુષથી એટલી આકર્ષાઈ જાય છે કે તે અભિનેત્રીનું ચક્કર ચાલુ થઈ જાય છે. આજે અમે તમને એવી હિરોઈનો (Heroines) વિશે બતાવીશું જે પોતાના આવા અફેરને કારણે ચર્ચામાં રહી.

આજની આ સ્ટોરીમાં અમે એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો. લિસ્ટમાં અનેક પોપ્યુલર ચહેરાઓ છે જેમાં મલાઈકા અરોરાથી લઈને નિશા રાવલનું પણ નામ છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર મલાઈકા અરોરા વિશે એવું કહેવામાં આવે છે કે, અરબાઝ ખાન સાથેના તેના છૂટાછેડાનું કારણ અર્જુન કપૂર સાથેની તેની નિકટતા હતું. જ્યાં મલાઈકા અત્યારે અર્જુન કપૂરની સાથે પોતાની પર્સનલ લાઈફને માણી રહી છે તો અરબાઝ પણ જૉર્જિયા એન્ડ્રિયાની સાથે સંબંધમાં છે.

આ લિસ્ટમાં કામ્યા પંજાબીનું નામ પણ સામે છે. એક્ટ્રેસના એક્સ હસબન્ડ બંટી નેગીએ કામ્યા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કામ્યાનું ચક્કર બોલીવુડ સ્ટાર સંજય દત્તના કઝિન નિમાઈ બાલી સાથે છે.

ટીવીના મશહૂર એક્ટર આમિર અલી અને સંજિદા શેખ પણ અલગ થઈ ચુક્યા છે. જો કે, સંજિદા શેખ પર પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજિદા અને આમિરના છૂટાછેડાનું કારણ હર્ષવર્ધન રાણે છે.

ટીવી એક્ટર નિશા રાવલ અને કરણ મહેરાનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું. કરણે નિશા પર આરોપ લગાવ્યો કે તેનું અફેર તેના માનેલા ભાઈ રિતેશ સાથે રહ્યું.

આ પણ વાંચો :-

વર્ષની છેલ્લી અમાસે આ 4 વસ્તુઓને પાણીમાં નાખીને કરો સ્નાન, થશે મોટો ચમત્કાર 

Bathe by putting these 4 things in water

  • 23 ડિસેમ્બર 2022 એ વર્ષની છેલ્લી અમાસ છે. આને પોષ અમાસ કહેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે.

23 ડિસેમ્બર, 2022 એ વર્ષની છેલ્લી અમાસ (Amas) છે. આને પોષ અમાસ કહેવામાં આવે છે. એક વર્ષમાં કુલ 12 અમાસ હોય છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિને અમાસ કહેવાય છે. અમાસનો દિવસ દેવી લક્ષ્મીની પૂજા અને પિતૃઓની શાંતિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

જીવનમાં સુખ અને ધનનું થશે આગમન :

પોષ અમાસ સ્નાન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે. જીવનમાં ધન અને સુખનું આગમન થાય છે. મહાલક્ષ્મીના આશીર્વાદ વરસે છે. ચાલો જાણીએ પોષ અમાસ પર કઈ વસ્તુઓથી સ્નાન કરવું.

પોષ અમાસ 2022 મુહૂર્ત  :

હિન્દુ પંચાંગ અનુસાર પોષ અમાસ તિથિ 22 ડિસેમ્બર 2022ના રોજ સાંજે 07.13 કલાકે શરૂ થશે. 23 ડિસેમ્બર 2022 ના રોજ બપોરે 03.46 વાગ્યે પૌષ મહિનાની અમાસ તિથિ સમાપ્ત થશે.

  • સ્નાન મુહૂર્ત- સવારે 5.24થી 6.18 (23 ડિસેમ્બર)
  • અભિજીત મુહૂર્ત- બપોરે 12.5થી 12.47 (23 ડિસેમ્બર)

પોષ અમાસે આ ખાસ વસ્તુઓથી કરો સ્નાન

તલ :

ધન મેળવવા માટે આ વર્ષની અંતિમ અમાવાસ્યાના દિવસે પાણીમાં થોડા તલ નાખીને સ્નાન કરો. તેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી. આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

દૂધ અથવા સફેદ ચંદન :

જે લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તે લોકોએ પોષ અમાસ પર પાણીમાં દૂધ અથવા સફેદ ચંદન ભેળવીને સ્નાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે તે માનસિક શાંતિ અને શારીરિક શક્તિ તેમજ દીર્ધાયુ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો :-

ટ્રેનમાં ભૂલમાંથી આ 4 વસ્તુઓ સાથે લઈ જતાં નહીં નકર પહોંચી જશો સીધા જેલમાં !

0

If you take these 4 things with you by mistake

  • ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન  લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે.

ટ્રેનની મુસાફરી (Train travel) દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન (baggage)  લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે. રેલવેમાં મુસાફરી દરમિયાન 3 ચીજો લઈ જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.

જો ચેકિંગ દરમિયાન ટીટીઈને તેની ખબર પડી તો સીધા જેલમાં જવું પડી શકે છે અને ભારે ભારખમ દંડ ચૂકવવાનો તો અલગથી. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ટ્રેનમાં ક્યારેય સાથે રાખવી જોઈએ નહીં.

ચૂલો કે ગેસ સિલિન્ડર :

બીજી જગ્યાઓ પર રહીને કામ કરતા લોકો હંમેશા ઘર વાપસી દરમિયાન પોતાનો ચૂલો અને સિલિન્ડર પણ સાથે લઈ જતા હોય છે. રેલવે એક્ટ હેઠળ ટ્રેનમાં ગેસ સિલિન્ડર અને સ્ટવ લઈ જવું ગેરકાયદેસર છે. જો કોઈે એવું લાગે કે તેના માટે આમ કરવું મજબૂરી છે તો રેલવે પાસેથી અગાઉથી મંજૂરી મેળવીને તેઓ ફક્ત ખાલી સિલિન્ડર લઈને જઈ શકે છે. જો સિલિન્ડર ભરેલું નીકળે તો જેલ અને કડક દંડ પણ ભોગવવો પડી શકે છે.

હથિયારો :

તમે ટ્રેનમાં લાઈસન્સી હથિયારોને બાદ કરતા તલવાર, ચાકૂ, ભાલા, દેશી તમંચો, રાઈફલ કે અન્ય કોઈ પણ ઘાતક હથિયાર સાથે રાખી શકો નહીં. જો રાખ્યા તો તમારા વિરુદ્ધ આમ કરવા બદલ રેલવે એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તરત જ કાર્યવાહી શરૂ થઈ શકે છે. આવામાં હથિયારો ટ્રેનમાં સાથે લઈને ન જવા એમાં જ તમારું હિત છે.

આ પણ વાંચો :-