Home Blog Page 1418

 સુરતના સૌથી ઊંચા બ્રિજનું આ તારીખે થશે લોકાર્પણ, રિંગરોડ ફ્લાયઑવર પણ ફરી શરૂ થશે 

0

Surat’s tallest bridge

  • ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે .

સુરતમાં નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું (Newly built Sahara Gate Bridge) 19 જૂને લોકાર્પણ (Dedication) કરવામાં આવશે. વિગતો મુજબ ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મંત્રી વિનુ  મોરડિયાના હસ્તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.

ડાયમંડ સિટી સુરતમાં હવે એક નવા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું આગામી 19 જૂને લોકાર્પણ થવાનું છે. આ ફલાયઓવર માન દરવાજાથી સહારા દરવાજા જંક્શનને જોડશે. આ સાથે  રેલવે સ્ટેશનથી સહારા દરવાજાને જોડતો ફલાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.

સુરતનો સૌથી ઊંચો બ્રિજ :

નવનિર્મિત સહારા દરવાજા બ્રિજ સુરતનો સૌથી ઊંચો બ્રિજ હોવાનું મનાય છે. ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતા આ બ્રિજને 19 જુનના સી.આર.પાટીલ, મંત્રી વીનુ મોરડિયાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકશે. આ સાથે રિંગ રોડ ફ્લાયઓવર પણ ફરી શરૂ થશે.

IND vs SA : ટીમ ઈન્ડિયાના ભલા માટે આ ખેલાડીને બહાર થવું પડશે, ટીમ ઈન્ડિયા માટે બોજ સમાન 

0
IND vs SA: For the good of Team India
  • IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમમાં રમાશે. આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થનારી આ મેચ ભારત માટે ‘કરો યા મરો’ જેવી હશે.

IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા (India and South Africa) વચ્ચે ત્રીજી T20 મેચ વિશાખાપટ્ટનમના (Visakhapatnam) ACA-VDCA સ્ટેડિયમમાં રમાશે. આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થનારી આ મેચ ભારત માટે ‘કરો યા મરો’ જેવી હશે. આ શ્રેણીમાં જીવંત રહેવા માટે ટીમ ઈન્ડિયાએ આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે કારણ કે આ પાંચ મેચની ટી20 શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા પહેલાથી જ 2-0થી આગળ છે. વધુ એક હાર ટીમ ઈન્ડિયાને શ્રેણી જીતવાની રેસમાંથી બહાર કરી દેશે.

ટીમ ઈન્ડિયાના ભલા માટે આ ખેલાડીને આઉટ કરવો પડશે :

ટીમ ઈન્ડિયાના સારા દેખાવ માટે કોઈ ખેલાડીનું ત્રીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હોવું જરૂરી છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે બોજ બની રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં આ ખેલાડીના ફ્લોપ પ્રદર્શનને કારણે ભારત સતત બે મેચ હારી ગયું છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અવેશ ખાન છે.

ટીમ ઈન્ડિયા પર બોજ સમાન  :

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અવેશ ખાન સાઉથ આફ્રિકા સામેની વર્તમાન T20 સિરીઝમાં એક પણ વિકેટ લઈ શક્યો નથી. પ્રથમ T20 મેચમાં અવેશ ખાને 4 ઓવરની બોલિંગમાં એકપણ વિકેટ લીધા વિના 35 રન આપી દીધા હતા. આ પછી બીજી ટી20 મેચમાં પણ અવેશ ખાન 3 ઓવરની બોલિંગમાં 17 રન આપીને એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. આ ખરાબ પ્રદર્શનને કારણે અવેશ ખાનનું પત્તું ત્રીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી કપાઈ જાય તેવું લાગી રહ્યું છે.

ટીમ ઈન્ડિયા માટે ખરાબ પ્રદર્શન :

સતત બે મેચમાં આ ખરાબ પ્રદર્શન બાદ અવેશ ખાનની ટીમને ભારતમાં જગ્યા મળી નથી. ફાસ્ટ બોલર ઉમરાન મલિક અવેશ ખાનની જગ્યાએ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાનો હકદાર છે. જે 150 Kmph થી વધુની ઝડપે સતત બોલિંગ કરે છે. હવે કદાચ ઉમરાન મલિકને જોવાનો સમય આવી ગયો છે. ઉમરાન મલિકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL 2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ચાર અને એકવાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથના ગજવેશમાં દર્શન, વર્ષે એક જ વાર મળે છે આવો લ્હાવો

0

Lord Jagannath after the voyage

  • સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી.

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની (Lord Jagannath) રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા નીકળી હતી.આજે સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની રથયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી. આ જળયાત્રા (Voyage) મીની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. જે બાદમાં ભગવાનને ગજવેશનો શણગાર કરાવવાઆવ્યો હતો.

ભક્તોએ અખાડાના કરતબ બતાવ્યા :

સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાબરમતીના મધ્યેથી કળશમાં જળ ભરીને નિજ મંદિર ખાતે લાવવામાં આવ્યું હતું. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. અખાડાના કેટલાક કરતબો પણ બતાવ્યા હતા. ખાસ કરીને બે યુવતીઓએ પણ અખાડાના કરતબ મંદિરના પ્રાંગણમાં દર્શાવ્યા હતા.

બે વર્ષ બાદ રથયાત્રાનું રંગેચંગે આયોજન :

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના નહિવત કેસો હોવાના પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યજાશે.

જળયાત્રામાં આ દિગ્ગજો રહ્યાં ઉપસ્થિત :

આ જળયાત્રામાં મુંબઈ અને ડાકોરના માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો , મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યાં

દોઢ વર્ષમાં કરો આટલી ભરતી : PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા આદેશ

0

Recruitment in a year and a half

  • મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનની (Human resources) સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં તેના પર કામ કરવાનો આદેશ આપ્યો છે.

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે.

શું કહ્યું વડાપ્રધાન કાર્યાલયે ? 

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં શું કહ્યું ? 

ગત વર્ષે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 1 માર્ચ, 2020 સુધીમાં, કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે, હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે.

8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર 

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી લગભગ 31 લાખ 32 હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે.

2016-17 થી 2020-21 કેટલી ભરતી થઈ ? 

2016-17થી 2020-21 દરમ્યાન ભરતીના આંકડા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, SSCમાં કુલ 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય RRBએ 2,04,945 લોકોને એપોઇન્ટમેન્ટ આપી છે. જ્યારે યુપીએસસીએ પણ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.

અગાઉ મોદી સરકાર પર પ્રહારો કરતા અનેકવાર આરોપ લગાવી ચૂક્યા છે કે તે રોજગાર આપી શકતી નથી. ખાસ કરીને નોટબંધી, GST અને પછી કોરોનાના સમયગાળા દરમ્યાન અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મંદીના કારણે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધુ બહાર આવી રહી નથી. આવી સ્થિતિમાં મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે.

દહેજ માટે હેવાનિયતની હદ વટાવી, પત્નીનાં પ્રાઇવેટ પાર્ટમાં બોટલ નાખીને……. સાસરાવાળા હસતાં રહ્યા

Exceeding the level of bullying

  • બરેલી એસએસપી રોહિત સિંહ સજવાણે જણાવ્યું કે એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલામાં તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) બરેલીમાં હેવાનિયતની (Bestiality) હદ પાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિ પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવતા એસએસપી બરેલી પાસે ફરિયાદ કરી છે.

પીડિતાએ જણાવ્યું કે પતિ દરરોજ તેની સાથે મારપીટ કરે છે. મહિલાનો આરોપ છે કે પતિએ એક દિવસ તેના પ્રાઈવેટ પાર્ટમાં બોટલ નાખી દીધી હતી. આટલું જ નહીં તાપમાં લઈ જઈને તેને મરઘો બનવા મજબૂર કરી હતી અને પછી તેની પીઠ પર ઈંટ મુકી હતી. મહિલાએ જણાવ્યું કે પતિની આ બધી વસ્તુઓ રોકવાની જગ્યા પર સાસરીના લોકો તેના પર હસતા હતા. ત્યાં જ આ વાત પર પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

દહેજ માટે બન્યા હેવાન :

 હકીકતે જિલ્લાના કિલા સ્ટેશન ક્ષેત્રની રહેવાસી મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેના લગ્ન 2018માં થયા હતા. થોડા દિવસ તો બધુ બરાબર ચાલ્યુ પરંતુ ત્યાર બાદ પતિ અને સાસરીના લોકો તેને મારવા લાગ્યા.

સાથે જ એક લાખ રૂપિયા દહેજ માટે કહેવા લાગ્યા રૂપિયા ના આપવા પર મારપીટ કરતા હતા અને તલાકની પણ ધમકી આપી હતી. મહિલાએ જણાવ્યું કે નિકાહ વખતે માતા-પિતાએ તેમના પ્રમાણે જધારે જ દહેજ આપ્યું હતું પરંતુ સાસરીવાળા નાખુશ છે. હવે તે વારંવાર 1 લાખ રૂપિયા દહેજ લાવવાની વાત કરી રહ્યા છે.

પ્રાઈવેટ પાર્ટમાં નાખી બોટલ :

પીડિતાએ આરોપ લગાવ્યો કે એક દિવસ મારપીટ કરતા પતિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં બોટલ નાખી હતી અને તાપમાં લઈ જઈને મરઘો બનવા મજબૂર કરી અને પછી મારા પર ઈંટ મુકી દીધી. આ બધી વસ્તુઓ જોઈને સાસરીવાળા પતિને રોકવાની જગ્યા પર તેની પર હસી રહ્યા હતા. મહિલાનો આરોપ છે કે તેનો પતિ દહેજ ન આપવા પર વારંવાર ડિવોર્સ આપવાની ધમકી આપે છે.

મહિલાએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી તો તેની સાથે મારપીટ ન કરવામાં આવી પરંતુ બાળકી આવતા બાદમાં ફરી પતિ અને સાસરીયાના લોકો ડિવોર્સની વાત કરવા લાગ્યા. મહિલા ગમે તે રીતે પોતાની માતાની પાસે પહોંચી અને સમગ્ર વાત જણાવી. પરીવારના લોકોએ મહિલાના પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યો. ત્યાર બાદ મહિલાને પરેશાન કરવાનું શરૂ કરી દીધું.

એસએસપીએ આપ્યા તપાસના આદેશ :

હવે પીડિતાએ બરેલી એસએસપીને પોતાની મુશ્કેલી જણાવી છે. મહિલાએ પતિ પર અન્ય કોઈ મહિલા સાથે અવૈધ સંબંધનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તે બીજા નિકાહ કરવા માંગે છે.

તે હંમેશા તલાકની ધમકી આપે છે અને કહે છે કે તે ઘરથી બાળકને ળઈને નિકળી જશે. આ સંપૂર્ણ મામલામાં બરેલીના એસએસપી રોહિત સિંહ સજવાણીએ જણાવ્યું કે એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સમગ્ર મામલાની ભૂતા પોલીસ સ્ટેશનમાં તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

કુવૈત : નુપુરનો વિરોધ કરી રહેલા ભારતીયોને મળશે કડક સજા, જાણો કુવૈતના નિયમ કે જેના હેઠળ તેમણે પરત ફરવું પડશે

To the Indians who are opposing Nupur

  • 10 જૂને ભારતીયો સહિત બિન-નિવાસી એશિયન નાગરિકોએ કુવૈતમાં નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ પછી કુવૈત સરકારે તેની ધરપકડ કરી અને તેને તેના દેશમાં પરત મોકલવાનો નિર્ણય કર્યો. કુવૈત એ દેશોમાંથી એક છે જેણે નુપુરની ટિપ્પણી બાદ ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા.

ખાડી દેશ કુવૈતમાં (Gulf country Kuwait) ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (Former BJP spokesperson Nupur Sharma) સામે વિરોધ કરી રહેલા ભારતીયો ફરી ક્યારેય કુવૈત (Kuwait) પરત ફરી શકશે નહીં. ટૂંક સમયમાં જ તેઓને ભારત પરત મોકલવામાં આવશે. આ પછી ભાગ્યે જ કુવૈત સરકાર (Government of Kuwait) તેમને પાછા આવવા દેશે. ખરેખર, કુવૈતમાં ઇમિગ્રન્ટ્સ માટેના શ્રમ કાયદા એટલા કડક છે કે તેનું ઉલ્લંઘન કરવું એ ત્યાં ‘પાપ’ સમાન છે. અને જો કુવૈત સરકાર કાયદાનું પાલન ન કરે તો તેમાં નમ્રતાને અવકાશ નથી.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ શ્રમ કાયદાના મામલામાં ઈમિગ્રન્ટ્સ માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આમાં પરપ્રાંતીય કામદારોને કુવૈતમાં કોઈપણ પ્રકારનું પ્રદર્શન કે ધરણાં કરવાની મંજૂરી નથી. આ પછી પણ ત્યાં રહેતા ભારતીયો અને એશિયાઈ નાગરિકોએ નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેના પછી તેને ભારત પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, તેમને ટૂંક સમયમાં પરત મોકલી દેવામાં આવશે.

શું છે સમગ્ર મામલો ?

કુવૈતમાં 10 જૂને ભારતના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફહેલ વિસ્તારમાં આ પ્રદર્શનમાં ભારતીયો સહિત બિન-નિવાસી એશિયન નાગરિકોએ ભાગ લીધો હતો. આ પછી કુવૈત સરકારે તેની ધરપકડ કરી અને તેને તેના દેશમાં પરત મોકલવાનો નિર્ણય કર્યો.

કુવૈત ફરી પાછા ફરી શકશે નહીં :

નિયમો હેઠળ, કુવૈત સરકાર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલે છે. આ સિવાય તે ફરીથી તેમના દેશમાં આવવા પર પણ પ્રતિબંધ મૂકે છે. આવી સ્થિતિમાં વિરોધ કરી રહેલા ભારતીયો ફરીથી કુવૈત જઈ શકશે નહીં.

ભારત સરકાર તરફથી કોઈ મદદ મળશે નહીં :

આ મામલે ભારત સરકાર તરફથી કોઈ મદદ મળવાની આશા નથી. હકીકતમાં, કુવૈતમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ મામલે પહેલાથી જ એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. દૂતાવાસનું કહેવું છે કે અહીં કામ કરતા કામદારોએ કુવૈતના નિયમોનું પાલન કરવું પડશે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ તેમની મદદ કરી શકશે નહીં.

ઉત્તર ગુજરાતમાં વાજતે ગાજતે પધાર્યા મેઘરાજા, ડીસાના આ ગામમાં વરસાદની સાથે માછલીઓ વરસી

0

Megharaja arrived in North Gujarat on time

  • ડીસાના ખેંટવા ગામે વરસાદની સાથે એક અદભૂત ઘટના જોવા મળી.

ડીસાના ખેંટવા (Deesa’s scratch) ગામે એક અદભૂત ઘટના જોવા મળી છે. મહત્વનું છે કે, ગત રવિવાર મોડી સાંજ બાદ ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના (North Gujarat) વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડો પવન ફૂંકાવવા (Blowing the wind) લાગ્યો હતો. અને બાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે આકાશમાંથી માછલીઓ પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકોના ટોળા માછલીઓને જોવા માટે ઉમટ્યા હતા.

ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ  દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટા ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતા અચરજ ફેલાયું હતું. અહી આસપાસ નદી તળાવ નથી તેવામાં માછલીઓ જોવા મળતા લોકો ઉમટી પડ્યા હતા.આમ દુનિયામાં ભાગ્યે જ થતો માછલીઓનો વરસાદ ડીસા તાલુકાના ખેંટવા ગામે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદમાં એક ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું.

ગઈકાલે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની રમઝટ :

નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેની વચ્ચે સાબરકાંઠાના તલોદ, મોઢુકા, લંઘાનામઠ, જશનપુર, કઠવાડા, રણાસણ, બનાસકાંઠાના દિયોદર કાંકરેજ, અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજી, બારડોલીના ભામૈયા , મોરી, ખોજ, પારડી, દ્વારકાના કલ્યાણપુર, ભોપલકા, રાણ, લીંબડી, ખંભાળિયાના સલાયા, હરિપર, કુબેર વિશોત્રી, ભાડથર, ભાતેલ, દ્વારકાના મીઠાપુર, દેવપરા,પાડલી સહિત જૂનાગઢ , છોટાઉદેપુર, પંચમહાલ, મહેસાણા – અમદાવાદ હાઇવે , રાજકોટ, યાત્રાધામ અંબાજી, કચ્છ-ભુજ,  સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે

આજે કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચ સુધીના વરસાદની શક્યતા :

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 2.5 મીમીથી લઇ અઢી ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. તેમજ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

ગાયોની અનોખી સેવા, સૂકો મેવો નાંખી 11 ક્વિન્ટલ કેરીનો રસ ગાયોને પીવડાવાયો

0

Unique service of cows

  • ગાયો પણ કેરીનો રસ માણી શકે તે માટે અહીં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉનાળાની (Summer) ઋતુમાં રસદાર કેરીનો આનંદ લેવા દરેક વ્યક્તિ ઈચ્છે છે. કેરીની સિઝનમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિ કેરીનો રસ માણવાનું ચૂકતા નથી. તો પછી અબોલ પ્રાણીઓ શા માટે તેનાથી દૂર રહે? આ જોતાં રાજસ્થાનના (Rajasthan) પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં (Mahavir Govardhan Gaushala) આયોજકોએ ગાયોને પુષ્કળ કેરીનો રસ આપ્યો હતો. ગાયો પણ કેરીનો રસ માણી શકે તે માટે અહીં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં 11 ક્વિન્ટલ કેરીમાં ડ્રાયફ્રૂટ્સ (Dried fruits મિક્સ કર્યા બાદ કેરીનો રસ તૈયાર કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ ભક્તિભાવથી ગાયોને ખવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગને જોવા માટે મોટી સંખ્યામાં લોકો શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળા ખાતે પહોંચ્યા હતા અને આ અનોખા નજારાને માણ્યો હતો.

માંગલિક કાર્યક્રમો અને તહેવારો દરમિયાન ગાયોને લાપસી, ગોળ અને લીલો ચારો ખવડાવવાના ઘણા કાર્યક્રમો હોય છે. પરંતુ ગાયોને કેરીનો રસ આપવાની આ ઘટના કદાચ પ્રથમવાર બની છે. પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળાના સંચાલકોએ ખૂબ જ આદરભાવ સાથે શનિવારે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં પહેલા 11 ક્વિન્ટલ કેરીનો રસ તૈયાર કરીને પૂલમાં ભરવામાં આવ્યો હતો. તે પછી ભક્તોએ કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગાય પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમને લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

જિલ્લાની સૌથી મોટી શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં 1205 ગાયો છે. આ એ ગાય છે જેને કતલખાને જવાથી બચાવી લેવામાં આવી છે. આ ગૌશાળા ગાય ભક્તો અને દયાળુ આત્માઓ તરફથી આર્થિક સહાય મેળવીને ચલાવવામાં આવે છે. માંગલિક કાર્યક્રમ નિમિત્તે લોકો વતી ગાયોને લીલો ચારો અને ગોળ લાપસી ખવડાવવાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

ગૌશાળાના ટ્રસ્ટી અરવિંદ વાયા કહે છે કે, આ ગૌશાળામાં જિલ્લાભરના પોલીસ સ્ટેશનોમાંથી ગાયો મોકલવામાં આવે છે. જિલ્લામાં વધુ પાંચ ગૌશાળાઓ છે. પરંતુ કેટલીકવાર જગ્યાના અભાવે તેમને ગાયો લેવાનો ઇનકાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તે ગાયોને પણ અહીં છોડવામાં આવે છે. અહીંની ગાયો પણ સામાન્ય લોકોની જેમ કેરી ખાવાની મજા માણી શકે તે માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૌશાળા સાથે સંકળાયેલા જૈન સંગીતકાર ત્રિલોક મોદી જણાવે છે કે, અહીં આવતા સમયે કતલખાને જવાથી બચાવેલી ગાયોની હાલત ખૂબ જ ખરાબ હોય છે, પરંતુ અહીં આવ્યા બાદ ગાયોના ખોરાકનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમને ચારો તેમજ પ્રોટીનયુક્ત ખોરાક આપવામાં આવે છે. જેના કારણે કતલખાને જવાથી બચી ગયેલી ગાયો પણ અહીં પ્રજનન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિવિધ ગૌશાળાઓમાં જાળવણીના અભાવે ગાયોના મોતના સમાચાર ચર્ચાનો વિષય બનતા રહે છે. બીજી તરફ પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં આયોજિત આ પ્રકારનો કાર્યક્રમ રાજ્યની અન્ય ગૌશાળાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.

Viral Video : ચાર યુવતીઓએ ડોમિનોઝ ગર્લની ડંડાથી પીટાઇ કરી, જુઓ વાયરલ Video

0

Four young women Domino’s Girl

  • video viral on social media – પીડિતા પર હુમલો થઇ રહ્યો હતો તે સમય ત્યાં હાજર રહેલી ભીડ તમાશો જોઇ રહી હતી. કોઇપણ પીડિતાની મદદ માટે આગળ આવ્યું ન હતું

મધ્ય પ્રદેશના (madhya pradesh) ઇન્દોરમાં ચાર યુવતીઓનો મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (video viral on social media) થઇ રહ્યો છે. ચાર યુવતીઓએ ડોમિનોઝ માટે ડિલિવરી કરવા આવેલી એક યુવતીની પીટાઇ (four girls beat delivery girl) કરી હતી. વીડિયોમાં ચારેય યુવતીઓ ડોમિનોઝ ગર્લને (Domino’s Girl) પહેલા થપ્પડ મારે છે અને પછી ડંડો લઇને માર મારી રહી છે. યુવતી પોતાનો જીવ બચાવવા માટે ભાગતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ ચાર યુવતીની ધરપકડની માંગણી કરી રહ્યા છે.

આ ઘટના ઇન્દોરના દ્વારકાપુરીની બતાવવામાં આવી રહી છે. ઘટના ગત શનિવારની છે. વીડિયોમાં બે યુવતીઓએ પીડિતાના હાથ પકડેલા છે. જ્યારે એક યુવતી પાછળથી થપ્પડ મારે છે. આ પછી ચારેય યુવતીઓ પીડિતાને ઘેરી લઇને થપ્પડ મારે છે જે પછી પીડિતા નીચે પડી જાય છે. આમ છતા પીડિતાને યુવતીઓ માર મારે છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે ચારેય આરોપી યુવતીઓ સામે કેસ નોંધ્યો છે. પીડિતા પર હુમલો થઇ રહ્યો હતો તે સમય ત્યાં હાજર રહેલી ભીડ તમાશો જોઇ રહી હતી. કોઇપણ પીડિતાની મદદ માટે આગળ આવ્યું ન હતું. પીડિતા હુમલાથી બચવા માટે એક ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે.

આ મામલે પોલીસે જણાવ્યું કે ઋષિપેલેસ કોલોનીમાં રહેતી પીડિતાએ આ કોલોનીમાં રહેતી પિંકી અને તેની અન્ય ત્રણ મિત્ર સામે મારપીટનો કેસ નોંધાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે ચાર યુવતીઓમાંથી એકે તેને પોતાની પાસે બોલાવી હતી. આ પછી તેના પર હુમલો કર્યો હતો.

આરોપી યુવતીઓ હાલ ફરાર ચાલી રહી છે. જાણકારી પ્રમાણે મારપીટ ગેંગની મુખ્ય સરગનાનું નામ પિંકી બતાવવામાં આવી રહ્યું છે. તે વિસ્તારના લિસ્ટેડ અપરાધી સાથે હંમેશા ફરતી જોવા મળે છે.

ભડકાઉ પોસ્ટ કરનારા સુધરી જજો ! ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનારા અમદાવાદના આરોપીની ધરપકડ

Improved judges who post provocative

  • સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપી ઈરસાદ અન્સારીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

ભાજપ નેતા નુપુર શર્મા (BJP leader Nupur Sharma) દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ઈરસાદ અન્સારી નામના યુવકે ફેસબુક અને વોટ્સએપ થકી ભડકાઉ મેસેજ વાયરલ કર્યા હતા. જેથી સાયબર ક્રાઈમે તેની વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ સોશિયલ મિડીયામાં વહેતા કર્યા હતા ભડકાઉ મેસેજ :

અમદાવાદમાં સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપી ઈરસાદ અન્સારીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. નોંધનિય છે કે, નુપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદન બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. આવી સ્થિતિ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ સોશિયલ મિડીયામાં કરવા બદલ સાયબર ક્રાઈમે કાર્યવાહી હાથ ધરી છે, નુપુર શર્માના નિવેદન બાદ સોશિયલ મિડીયામાં ખોટા અને ભડકાઉ મેસેજ વાયરલ કરનાર પર સાયબર ક્રાઈમ સતત નજર રાખી રહી છે, તેવી જ એક તપાસમાં અમદાવાદના ઈરસાદ અન્સારી નામના યુવકે પોતાના ફેસબુક અને વોટ્સએપ થકી ભડકાઉ મેસેજ વાયરલ કર્યા હતા.જે અંગે સાયબર ક્રાઈમે તેને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદની શાંતિ ડોહળાય તેવી મુકી હતી પોસ્ટ :

છેલ્લા કેટલાક દિવસથી લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તેવા મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યા છે. તેવામાં આરોપી ઈરસાદ અન્સારીએ યુવકોની ઉશ્કેરણી થાય અને અમદાવાદની શાંતિ ડોહળાય તે માટે પોસ્ટ મુકી હતી. મહત્વનુ છે કે, નુપુર શર્માના વિરોધમાં અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી લોકો રોડ પર ઉતરી આવ્યા છે. અને તેની ફાંસીની માંગ કરી રહ્યા છે. તેવા સંજોગો વચ્ચે અમદાવાદ શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી.