સુરતના સૌથી ઊંચા બ્રિજનું આ તારીખે થશે લોકાર્પણ, રિંગરોડ ફ્લાયઑવર પણ ફરી શરૂ થશે 

Share this story

Surat’s tallest bridge

  • ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે .

સુરતમાં નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું (Newly built Sahara Gate Bridge) 19 જૂને લોકાર્પણ (Dedication) કરવામાં આવશે. વિગતો મુજબ ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મંત્રી વિનુ  મોરડિયાના હસ્તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.

ડાયમંડ સિટી સુરતમાં હવે એક નવા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું આગામી 19 જૂને લોકાર્પણ થવાનું છે. આ ફલાયઓવર માન દરવાજાથી સહારા દરવાજા જંક્શનને જોડશે. આ સાથે  રેલવે સ્ટેશનથી સહારા દરવાજાને જોડતો ફલાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.

સુરતનો સૌથી ઊંચો બ્રિજ :

નવનિર્મિત સહારા દરવાજા બ્રિજ સુરતનો સૌથી ઊંચો બ્રિજ હોવાનું મનાય છે. ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતા આ બ્રિજને 19 જુનના સી.આર.પાટીલ, મંત્રી વીનુ મોરડિયાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકશે. આ સાથે રિંગ રોડ ફ્લાયઓવર પણ ફરી શરૂ થશે.