Home Blog Page 1348

દર્શકોનો ગુસ્સો જોઈ કરીના કપૂરે લીધો યુટર્ન, હવે કહ્યું પ્લીઝ આવું ના કરશો…

Seeing the anger of the audience

  • કરીના કપૂર ખાને હવે ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ને લઈને ખુલાસો કર્યો છે. તેમણે લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી છે. જ્યારે આ પહેલા અભિનેત્રીએ કંઈક બીજું કહ્યું હતું.

કરીના કપૂર (Kareena Kapoor) અને આમિર ખાનની (Aamir Khan) સૌથી મોટી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા‘ લોકોના નિશાના પર છે. ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. એક એવો ગ્રુપ છે જે સતત તેના બહિષ્કારની (Boycott) માંગ કરી રહ્યું છે અને બીજી બાજુ એવા લોકો છે જે તેને સારી ફિલ્મ તરીકે જોવાનું કહી રહ્યા છે. પરંતુ આમિર અને કરીના તેની વચ્ચે ફસાઈ ગયા છે.

આ પહેલા આમિર ખાને લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવા અને જોવા જવાની અપીલ કરી હતી. હવે કરીનાએ પણ આવું જ કંઈક કહ્યું છે અને લોકોને તેનો બહિષ્કાર ન કરવા કહ્યું છે. કરીના કપૂર ખાને પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા‘ને બોયકોટ કરનાર લોકોને અપીલ કરી છે અને તેમના જુના સ્ટેટમેન્ટની પાછળના ઈરાદા વિશે વાત કરી છે. આમિર ખાનની ફિલ્મ ગુરૂવારે રિલીઝ થઈ. તેમાં ક્રીટિક્સ અને દર્શકોના રિએક્શન મળ્યા છે.

કરીનાએ કરી સ્પષ્ટતા :

ફિલ્મની રિલીઝ પહેલા કરીના કપૂર ખાને બોલીવુડમાં ચાલી રહેલા બહિષ્કાર અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું કે દરેકનો અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ તેને લાગે છે કે એક સારી ફિલ્મ દરેક વસ્તુને વટાવી શકે છે. તેના શબ્દો પર લોકોના રિએક્શનને યાદ કરીને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીને એવા દાવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું કે તે દર્શકો માટે અપમાનજનક હોઈ શકે છે.

આ લોકો 1% જેટલા પણ નથી :

જ્યારે આરજે સિદ્ધાર્થ કન્નને કરીનાને પૂછ્યું કે શું લોકો તેના વિચારોને હળવાશથી લઈ રહ્યા છે?’ ત્યારે તેણે જવાબ આપ્યો, ‘મને લાગે છે કે તે ફક્ત કેટલાક લોકો છે જે ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ ખરેખર મને લાગે છે કે ફિલ્મને જે પ્રેમ મળી રહ્યો છે તે ઘણો અલગ છે. તે ફક્ત એવા લોકોનું જૂથ છે જે કદાચ તમારા સોશિયલ મીડિયા પર છે, જે કદાચ 1% જેટલા છે.’

સારી ફિલ્મને બૉયકોટ કેમ કરવી ?

તેણે આગળ કહ્યું, ‘પણ વાત એ છે કે તેઓએ આ ફિલ્મનો બહિષ્કાર ન કરવો જોઈએ. આ ખૂબ જ સુંદર ફિલ્મ છે અને હું ઈચ્છું છું કે લોકો મને અને આમિર ખાનને સ્ક્રીન પર જુએ. ત્રણ વર્ષ થઈ ગયા, અમે ખૂબ રાહ જોઈ. તેથી પ્લીઝ આ ફિલ્મને બોયકોટ ન કરશો, કારણ કે તે સારી ફિલ્મને બોયકોટ કરવા સમાન છે. લોકોએ આના પર કેટલી મહેનત કરી છે? આ ફિલ્મ પર અઢી વર્ષથી 250 લોકોએ કામ કર્યું છે.

લાલ સિંહ ચઢ્ઢા‘નું પરફોર્મન્સ  :

દરમિયાન લાલ સિંહ ચડ્ઢાએ બોક્સ ઓફિસ પર નિરાશાજનક કલેક્શન કર્યું હતું. તેણે તેના પહેલા દિવસે માત્ર 10 થી 11 કરોડની કમાણી કરી છે. કથિત રીતે લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ઉત્તર પ્રદેશ સહિત ભારતના ભાગોમાં પણ ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

પાકિસ્તાન ! હિન્દુ છોકરી કરીનાએ કોર્ટ સમક્ષ હૈવાનિયતનો અસલી ચહેરો ઉજાગર કર્યો, અપહરણ કરી બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા

Pakistan ! Hindu girl Kareena exposes true face

  • પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિન્દુ પરિવારો સાથે ભારે હૈવાનિયત આચરવામાં આવી રહી છે. ખાસ કરીને સગીર વયની દિકરીઓના અપહરણ કરીને તેમના સાથે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવામાં આવે છે.

પાકિસ્તાનના (Pakistan) દક્ષિણી સિંધ પ્રાંતમાં છ જૂને ઘરેથી અપહરણ કરાયેલી હિન્દુ કિશોરી કરીના (Hindu Kishori Kareena) કુમારીએ શુક્રવારે કોર્ટને પોતાના પર થયેલી હેવાનિયત વિશે જણાવ્યું હતું. તેણે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન (Conversion) કરાવી જૂન મહિનામાં મુસ્લિમ ખલીલ સાથે લગ્ન કરાવી દીધા. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક મહિલાઓ સાથે આવી હૈવાનિયત (Animal) હવે તો ત્યાં સામાન્ય બાબત થઈ ચુકી છે.

સિંધના ગ્રામિણ વિસ્તારમાં બેનઝીર શહીદાબાદમાં આવેલા ઘરેથી અપહરણ કરાયેલા કરીનાના પિતા સુંદર મલે તેને શોધવા માટે ઓફિસરો પાસે મદદ માગી. છોકરીને શોધ કરી તેને નવાબશાહની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમણે વીડિયોના માધ્યમથી આપેલા નિવેદનમાં કોર્ટ પાસેથી અપીલ કરી હતી કે, તેને તેના પિતા માટે મોકલવામાં આવે. તેને હાલમાં મહિલા કેન્દ્રમાં મોકલી દેવામાં આવી છે.

કરીનાના પિતા સુંદર મલે કોર્ટને કહ્યું કે, અમે લાચાર અને ગરીબ છીએ. અમારી પાસે કોર્ટ સુધી આવવા માટે બસના ભાડાના રૂપિયા પણ નથી. મારી દિકરીએ કોર્ટને સચ્ચાઈ જણાવી છે. તેને ઘરે મોકલી કોર્ટ અપહરણ કરી હેવાનિયત આચરનારા લોકો અને મારી છોકરીને વેચી દેનારા લોકોને સજા આપવી જોઈએ.

કરીનાના પિતાના વકીલ દિલીપ કુમાર મગલાનીએ કહ્યું કે, ધર્મ પરિવર્તન કરાવાના કારણે ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં હિન્દુ છોકરીઓે અને તેમના પરિવાર ખતરામાં છે. આપણે કોશિશ કરી શકીએ, પણ મોટા ભાગની અપહરણ કરાયેલ છોકરીએ સગીરવયની છે.

અપહરણકર્તાઓ કોર્ટમાં નકલી દસ્તાવેજો રજૂ કરી બાદમાં પોલીસ પણ મદદ નથી કરતી. આ છોકરીઓના માતા-પિતા પાસે પોતાની દિકરીની સાચી ઉંમર સાબિત કરવા માટે કોઈ પુરતા પ્રમાણપત્ર પણ હોતા નથી. પોલીસ પણ તેનો લાભ ઉઠાવે છે. માતા-પિતાને દિકરીને મળવા પણ દેવાતી નથી.

માર્ચમાં અપહરણ થયેલી ત્રણ હિન્દુ છોકરીઓનો કોઈ પત્તો નથી :

આ વર્ષે માર્ચમાં ત્રણ હિન્દુ છોકરીઓ સતરાન ઓડ, કવીતા ભીલ અને અનીતા ભીલનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું. આઠ દિવસની અંદર તેમના મુસ્લિમ વ્યક્તિઓ સાથે લગ્ન કરાવ્યા. ત્યાર બાદથી તેમનો કોઈ પત્તો નથી. રોહરીમાં 21 માર્ચે પૂજા કુમારીનું ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

એક પાકિસ્તાની વ્યક્તિ તેની સાથે લગ્ન કરવા માગતો હતો. થોડા દિવસ પહેલા આ વ્યક્તિએ બે સાથીઓની પૂજા પર ગોળી ચલાવી દીધી હતી. પૂજાના પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી, પણ આરોપીઓની ઉંચી પહોંચના કારણે સમાધાન કરાવી લીધું.

આ પણ વાંચો :-

હવે જાતે જ જોઈ શકાશે લાઇટબિલ, સૌરાષ્ટ્રમાં લાગશે 56 લાખ સ્માર્ટ મીટર, PGVCL એ બનાવી નાખ્યો પ્લાન

0

Now you can see the light bill

  • માહિતી મુજબ PGVCL દ્વારા પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવામાં આવશે, વર્ષ 2025 સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા અત્યારથી જ કવાયત શરૂ.

સૌરાષ્ટ્રમાં PGVCLના સ્માર્ટ મીટરને (Smart meter) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવામાં આવશે. જેનો સીધો ફાયદો એ થશે કે, સ્માર્ટ મીટરમાં વીજગ્રાહકો (Consumers) પોતે જ રીડિંગ જોઈ શકશે. માહિતી મુજબ PGVCL દ્વારા પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવામાં આવશે. જોકે વર્ષ 2025 સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા અત્યારથી જ કવાયત શરૂ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવામાં આવશે :

PGVCL દ્વારા સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવામાં આવશે. જેમાં PGVCL દ્વારા પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર આવરી લેવાશે. આ સ્માર્ટ મીટર મોબાઈલ એપથી કામ કરશે. આ સાથે હવે સ્માર્ટ મીટરમાં વિજગ્રહકો પોતે જ રીડિંગ જોઈ શકશે.

2025 સુધીમાં પ્રોજેકટ પૂરો કરવા ટાર્ગેટ :

સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 56 લાખ સ્માર્ટ મીટર લગાવવાની કવાયત અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ તરફ હવે 2025 સુધીમાં પ્રોજેકટ પૂરો કરવાનો ટાર્ગેટ છે. જેને લઈ પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવામાં આવશે.

આ પણ વાંચો :-

ચાકુથી થયેલ હુમલા બાદ લેખક સલમાન રશ્દીની હાલત નાજુક, વેન્ટિલેટર પર રખાયા, એક આંખ ગુમાવવાનો ખતરો

Author Salman Rushdie critically ill

  • ભારતમાં જન્મેલ લેખક અને બૂકર પ્રાઇઝ વિજેતા Salman Rushdie પર New York માં ચાકુથી હુમલો થયા બાદ હાલ તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. સંદિગ્ધ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.

ભારતીય લેખક (Indian writer) અને બૂકર પ્રાઇઝ વિજેતા (Booker Prize Winner) સલમાન રશ્દી પર અમેરિકામાં હુમલો કરવામાં આવ્યો હતો. ગઈકાલે થયેલ હુમલામાં (Attacks) એક કાર્યક્રમમાં જ્યારે લેખ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ એક વ્યક્તિએ આવીને ચાકુનાં ઘા કર્યા હતા અને લેખક ત્યાં જ પડી ગયા હતા. બાદમાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાલ સ્થિતિ નાજુક  :

હાલ તેઓની સ્થિતિ નાજુક છે. હોસ્પિટલમાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સર્જરી બાદ તેઓને એક આંખ પણ ગુમાવવી પડે તેવી સ્થિતિ છે. સલમાન રશ્દીનાં એજન્ટ Andrew Wylie એ કહ્યું હતું કે લેખક હાલ બોલી શકે એવી સ્થિતિમાં પણ નથી.

સંદિગ્ધની હુમલાખોરની ધરપકડ  :

ન્યુયોર્ક પોલીસનાં જણાવ્યા અનુસાર હુમલાનાં સંદિગ્ધ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. તેનું નામ હાદી મેટર છે જે ન્યુ જર્સીમાં રહે છે. પોલીસે કહ્યું હતું આવી ઘટના લગભગ 150 વર્ષનાં ઇતિહાસમાં ક્યારેય નથી બની. અમે એફબીઆઈ સાથે મળીને કામ કરી રહ્યા છે.

વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સૂલીવાને કહ્યું હતું કે, ”લેખક સલમાન રશ્દી પરનો હુમલો આઘાતજનક છે, તેઓની ઝડપી રિકવરી માટે અમે પ્રાર્થના કરીએ છીએ, તેમની મદદ આવનાર લોકોનાં અને ઉમદા નગરિકોનાં અમે આભારી છીએ”

શુક્રવારની સવારે લેક્ચર આપતા પહેલા CHQ 2022 કાર્યક્રમ માટે મંચ પર જતી વખતે લેખક પર જીવલેણ હુમલો કર્યો હતો. આપને જણાવી દઈએ કે, સલમાન રશ્દીની બુક દ સૈટેનિક વર્સિઝ (The Satanic Verses) ઈરાનમાં 1988થી બેન છે, કારણ કે કેટલાય મુસ્લિમો તેને ઈશનિંદા માને છે.

સૈટેનિક વર્સિઝ લખવા માટે રશ્દીને ઈરાન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી ચુકી હતી. ત્યારે આવા સમયે ધમકી મળ્યાના 33 વર્ષ બાદ શુક્રવારે સલમાન રશ્દીને ન્યૂયોર્કમાં એક મંચ પર ચાકૂના ઘા મારવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, દ સટેનિક વર્સિઝ અને મિડનાઈડ ચિલ્ડ્રન જેવી બુક લખીને ચર્ચામાં આવ્યા. તેમણે પોતાની બીજી નવલકથા મિડનાઈડ ચિલ્ડ્રનથી ખ્યાતી મેળવી, જેને 1981માં બુકર પુરસ્કાર મળ્યું હતું. તેમની મોટા ભાગની પ્રારંભિક નવલકથાઓ ભારતીય ઉપ મહાદ્વિપ પર આધારિત હતી. આપને જણાવી દઈએ કે, સટેનિક વર્સિઝ માટે તેમને તેમને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા રુહોલ્લા ખોમૈનીના ફતવાનો પણ સામનો કરવો પડ્યો હતો.

પાવાગઢના ઈતિહાસમાં પહેલીવાર નિજ મંદિરમાં લહેરાયો તિરંગો, આરતી બાદ કરાયું રાષ્ટ્રગાન

0

For the first time in the history

  • પાવાગઢ મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત કાલિકા માતાની મંદિરમાં આરતી બાદ  રાષ્ટ્રગાન કરાયુ હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંદિર ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત માઈ ભક્તોએ રાષ્ટ્રગાન કર્યું.

હાલ આખું દેશ દેશભક્તિના (Country Patriotism) રંગમાં રંગાયુ છે. હર ઘર તિરંગા અભિયાનમાં દરેક લોકો સામેલ થયા છે. આ અભિયાનમાં જોડાઈને ભારતની દરેક ઓફિસ, દરેક ઘર, વાહનો પર પણ તિરંગા લહેરાઈ રહ્યાં છે. ભારતીયો શાન અને ઉત્સાહથી તિરંગો લહેરાવી રહ્યાં છે. તો પછી મંદિરો અને ધર્મ સંસ્થાનો (Institute of Religion) કેમ તેમાંથી બાકાત રહે.

ધર્મ સંસ્થાનો પણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલા જોવા મળ્યાં. આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ ઇતિહાસમાં પ્રથમ વખત મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

પાવાગઢ ખાતે આ નજારો ખાસ બની રહ્યો. જ્યાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિનો સમન્વય જોવા મળ્યો. પાવાગઢ મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત કાલિકા માતાની મંદિરમાં આરતી બાદ  રાષ્ટ્રગાન કરાયુ હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંદિર ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત માઈ ભક્તોએ રાષ્ટ્રગાન કર્યું હતું.

નિજ મંદિરનું ગર્ભ ગૃહ રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠ્યુ હતું. માતાજીના ગર્ભ ગૃહમાં જ પહેલા આરતી કરાઈ હતી, અને બાદમાં રાષ્ટ્રગાન કરાયુ હતું. નિજ મંદિરમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. ભક્તોમાં પણ રાષ્ટ્રભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ક્ષણે ભારતને વિશ્વગુરુ બનાવવા માઇ ભક્તો દ્વારા પ્રાર્થના કરાઈ હતી. પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો. મંદિર ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણને વધાવી હતી. મા મહાકાળીના સાંનિધ્યમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું.

આ પણ વાંચો :-

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનો ફરી ભયાનક વરતારો : ઓગસ્ટ મહિનામાં શું આ જિલ્લાઓમાં પૂર આવશે ?

0

Meteorologist Ambalal Pate

  • ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યમાં આગામી 3 દિવસ યથાવત વરસાદી માહોલ (Rainy weather) રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. તો 15 અને 16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની (Heavy rain) સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાથી વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તો રાજ્યના બંદરો પર સિગ્નલ નંબર 1 લગાવવાયું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી :

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી 24 થી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને લઈને પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા હતા. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 13 જુલાઈ સુધી સારા વરસાદ થવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા હતા જે સચોટ સાબિત થયા છે.

અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદને લઈને ફરી એક આગાહી કરી છે. જેમાં વલસાડ, સુરતમાં સારા વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના આકરા એંધાણો વ્યક્ત કર્યા છે, એટલે અહીં ભારેથી અતિભારે વરસાદના કારણે ફરી પૂર આવે એવી સંભાવના જણાવી છે.

રાજ્યના ડેમની સ્થિતિ :

સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા. આ  સીઝનમાં પહેલીવાર ડેમના દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

ડેમ મહત્તમ જળસપાટીથી 5.17 મીટર દૂર છે. નર્મદા નદીમાં તબક્કાવાર 10 હજારથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાવામાં આવશે, જે પહેલા નર્મદા નદીના કાંઠા વિસ્તારના વડોદરાના 3 તાલુકા અને ભરૂચના કાંઠા વિસ્તારના લોકોને અલર્ટ પણ કરાયા છે.

આ પણ વાંચો :-

બેન તો આવી જ હોવી જોઈએ ! રક્ષાબંધનની ભેટ ન આપી તો નાની બહેને ભાઈને ઢીબી નાંખ્યો, VIDEO થયો વાયરલ

0

Ben should be like this

  • સોશિયલ મીડિયામાં એક ફની વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં નાની બહેન તેના મોટા ભાઈને મારી રહી છે. યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યાં છે.

રક્ષાબંધનના (Rakshabandhan) તહેવાર પર વાયરલ થયેલો આ વીડિયો ખૂબ ફની લાગી રહ્યો છે. અનેક લોકો આ વીડિયોને રક્ષાબંધનના તહેવાર સાથે જોડે છે. આ વીડિયોમાં તમે જોશો કે નાની બહેન તેના મોટા ભાઈને મારી રહી છે. સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયેલો વીડિયો ખૂબ ક્યુટ છે.

અત્યાર સુધી તમે ભાઈ-બહેનના પ્રેમના વીડિયો જોયા હશે. પરંતુ આ વીડિયોમાં ભાઈ-બહેનની એક અલગ સાઈડ જોવા મળી છે. તમે જોઇ શકો છો કે નાની બહેન કોઈ વાતને લઇને ભાઈ સાથે નારાજ થાય છે અને અચાનક તેને મારવા લાગે છે.

માર ખાધા બાદ ભાઈ રડવા લાગ્યો  :

આ વીડિયોમાં તમે બહેનની નિર્દોષતા અને મોટા ભાઈની સહનશક્તિને જોઇ શકો છો. નિર્દોષ બહેન ભાઈને મારી રહી છે, પરંતુ મોટો ભાઈ બહેનને કશુ બોલતો નથી અને મારી રહ્યો છે. આ હોય છે ભાઈ-બહેનનો પ્રેમ. જો કે, મારામારી બાદ ભાઈની આંખમાંથી આંસુ નિકળી ગયા અને તે રડવા લાગ્યો.

વાયરલ થયો વીડિયો :

આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 20 કલાક પહેલા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 1.40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

સવારે ભૂલથી પણ ખાલી પેટ ના ખાતા આ 3 વસ્તુઓ, નહીં તો સ્વાસ્થ્યને લઈને ગંભીર પરિણામ ભોગવું પડી શકે છે

0

Do not eat these 3 things on an empty stomach

  • સવારના નાસ્તાને દિવસનું મહત્વનું ભોજન માનવામાં આવે છે. જો ખાવામાં થોડી પણ ભૂલ થઈ જાય તો આખા દિવસના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

આપણે બધા જાણીએ છીએ કે ખોરાક આપણા સ્વાસ્થ્ય (Health) માટે કેટલો મહત્વપૂર્ણ છે. દરેક વસ્તુ ખાવા માટે એક ખાસ સમય હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો કેટલીક વસ્તુઓ ખાસ કરીને ખાલી પેટે (Empty stomach) લેવાની મનાઈ કરે છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને તમે સવારે ખાલી પેટ ખાઈ શકો છો.

આ સાથે જ એ પણ જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે ખાલી પેટ ન ખાવી જોઈએ. તેમાં એવી તમામ વસ્તુઓ આવે છે જે એસિડિક છે. ખાલી પેટે એસિડિક કંઈપણ ખાવાથી પેટ અને આંતરડા પર અસર થાય છે અને ઈન્ફેક્શનનો ખતરો રહે છે.

ખાલી પેટે આ વસ્તુઓનું કરો સેવન :

ઈંડા :

ઇંડા પ્રોટીનનો રિચ સોર્સ છે અને તે સવારનો પરફેક્ટ નાસ્તો છે. સવારે ઈંડા ખાવાથી તમારું પેટ દિવસભર ભરેલું રહે છે.અને તમને ઘણી એનર્જી પણ મળે છે.

પપૈયું :

પપૈયું એક સુપર ફૂડ છે. તમે તમારા નાસ્તામાં દરેક સિઝનમાં મળતા પપૈયાનો સમાવેશ કરી શકો છો. તે તમારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હૃદય રોગને વધતા અટકાવે છે.

પલાળેલી બદામ :

સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારે ખાલી પેટે 4 પલાળેલી બદામ ખાવી જોઈએ. જેના કારણે આપણને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6 એસિડથી ભરપૂર બદામને આખી રાત પલાળ્યા પછી સવારે ખાલી પેટે ખાવા જોઈએ. તે જ સમયે, ધ્યાનમાં રાખો કે બદામની છાલ ઉતાર્યા પછી, તેનું જ સેવન કરો.

ખાલી પેટે ક્યારેય ન ખાઓ આ વસ્તુઓ  :

ટામેટા  :

કાચા ટામેટાં ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ ખાલી પેટ કાચા ટામેટાં ખાવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. ટામેટાંના એસિડિક ગુણધર્મો પેટમાં હાજર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એસિડ સાથે પ્રતિક્રિયા કરીને જેલ બનાવે છે જે પેટમાં દુખાવો, મરોડ જેવી સમસ્યાઓનું કારણ બને છે. તેથી સવારે ખાલી પેટે તેનું સેવન કરવાનું ટાળો.

દહીં :

આમતો દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને ભૂખ્યા પેટે ન ખાવું જોઈએ. તેમાં લેક્ટિક એસિડ હોય છે. જેના કારણે સવારે દહીં ખાવાથી તમને બહુ ઓછા સ્વાસ્થ્ય લાભ મળે છે.

સોડા :

સોડામાં હાઈ ક્વોન્ટિટીની કાર્બોનેટ એસિડ હોય છે. જ્યારે આ વસ્તુ પેટમાં હાજર એસિડ સાથે ભળી જાય છે, ત્યારે તે પેટમાં દુખાવો જેવી સમસ્યાને જન્મ આપે છે. તેથી તેનું સવારે સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો :-

13 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ : સંકટ મોચન હનુમાન  આ ૭ રાશિના લોકો ઉપર થશે મહેરબાન, થશે ધનનો વરસાદ

13 August 2022, Today’s Horoscope Gujarat Guardian
મેષઃ
સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ, જંતુ કરડવાની શક્યતા છે.
વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા-નોકરી ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.
મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા- માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્યસારૂં, ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.
કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણો માંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.
સિંહઃ
સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ, પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.
કન્યાઃ
સરળ નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્ર‌િષ્ટ‌એ ફાયદો, કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્કિમ ઉન્નતિ અનુભવાય.
તુલાઃ
આળસ આવે કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જ‍ળવાય. ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય.
વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.
ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.
મકરઃ
આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.
કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃધ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.
મીનઃ
ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી શીખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

દુલ્હન હમ લે જાયેંગે ! 390 કરોડ જપ્ત કરવાનો મામલો, 260 જાનૈયાઓ, 120 ગાડીયો, લગ્નનું સ્ટીકર, આવી રીતે ફિલ્મ સ્ટાઇલમાં પાડ્યો દરોડા

0

We will take the bride

  • આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કોઈના લગ્નમાં જઈ રહ્યા હોય તેવો માહોલ ઉભો કરાયો હતો, તમામ વાહનોની ઓળખ માટે કોડ વર્ડ પણ મૂકવામાં આવ્યો હતો. કોડ વર્ડ હતો – દુલ્હન હમ લે જાયેંગે.

મહારાષ્ટ્રના (Maharashtra) જાલનામાં આવકવેરા વિભાગે (income tax raid) ફિલ્મી ઢબે મોટી કાર્યવાહી કરી છે. જેમાં 58 કરોડની રોકડ અને 32 કિલો સોનું મળી આવ્યું છે. આઈટીની ટીમે સ્ટીલ ઉત્પાદક કંપનીના (Steel Manufacturer Vibration) માલિકની ફેક્ટરી સાથે ઘર અને ઓફિસ પર દરોડા પાડીને 390 કરોડ જપ્ત કર્યા હતા. જાલનામાં (jalna) આવકવેરા વિભાગની ટીમે ફિલ્મ સ્ટાઈલમાં સ્ટીલના બિઝનેસમેનના (businessman) ઘરે રેડ કરી હતી.

આ રેડને દુલ્હન હમ લે જાયેંગે નામ આપવામાં આવ્યું હતું. કોઈને આ દરોડાની ગંધ ન આવે તે માટે આવકવેરાની ટીમે અનોખી પદ્ધતિ અપનાવી હતી. આઈટીની આખી ટીમ લગ્ન માટે જાન લઈને જતા મહેમાનોની જેમ રેડ કરવા પહોંચી હતી. વરરાજાની ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાહનો પર વર-વધૂના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. દરોડા માટે આઇટી ટીમના 260 અધિકારી અને કર્મચારીઓએ 120 વાહનોનો ઉપયોગ કર્યો હતો.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.