Home Blog Page 1349

Tata Punch : ટાટા પંચ બની ગ્રાહકોની પહેલી પસંદ, SUVએ બનાવ્યો નવો રેકોર્ડ

0

Tata Punch: Tata Punch became

  •  ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના મામલે આ કારને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે.

ટાટા મોટર્સે (Tata Motors) ગુરુવારે પૂણેમાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી પંચ (Tata Punch)કોમ્પેક્ટ એસયુવી (tata punch suv)નું 1,00,000મું યુનિટ લોન્ચ કર્યું છે. આ સાથે જ આ એસયુવી (SUV) માત્ર 10 મહિનાની અંદર જ આ સિદ્ધિ હાંસલ કરનારી દેશની સૌથી ઝડપી એસયુવી બની ગઈ છે. સેફ્ટી રેટિંગ (Safety Rating)માં ફાઈવ સ્ટાર રેટિંગ સાથે આવનારી આ એસયુવી માટે ગ્રાહકોની મજબૂત માંગને કારણે આ ઉપલબ્ધિ શક્ય બની છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ થયા પછી પંચ સતત દેશની ટોચની 10 સૌથી વધુ વેચાતી કારનો ભાગ રહી છે. આ વર્ષે જુલાઈમાં આ એસયુવીનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ 11,007 યુનિટનું રહ્યું હતું.

પંચ કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી વધુ વેચાતી એસયુવીમાંની એક છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ ગ્રાહકોનો મજબૂત પ્રતિસાદ દર્શાવે છે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

જાણો કેવા છે કારના ફીચર્સ – ટાટા પંચના ઇન્ટીરિયર અને ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. સ્ટીયરિંગ કંટ્રોલ, 366 લીટર બૂટ સ્પેસ, ફ્રન્ટ અને રિયર પાવર વિંડોઝ, એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ, ક્રૂઝ કંટ્રોલ, રિયલ ફ્લેટ સીટ, ફુલ ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ જેવા ફિચર્સ તમને આકર્ષિત લાગશે. ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના મામલે આ કારને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે.

ટાટા પંચના સેફ્ટી ફીચર્સ – ટાટા પંચને ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના મામલે ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. સેફ્ટીની વાત કરીએ તો આ કારમાં ડ્યુઅલ એરબેગ આપવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD)ની સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને કોર્નર સેફ્ટી કન્ટ્રોલ પણ હશે.

કિંમત – ટાટા પંચની કિંમતોની વાત કરીએ તો કંપનીએ તેની પ્રારંભિક કિંમત 5.93 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરી છે. આ કિંમતમાં પેટ્રોલ મેન્યુઅલ એન્જિન આપવામાં આવે છે. તેના ટોપ મોડલ ક્રિએટિવ (IRA પેક)ની કિંમત 9.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો :-

દેવનાથ બાપુને મળી જાનથી મારી નાખવાની  ધમકી, ‘પઠાણ’ ફિલ્મનો કર્યો હતો વિરોધ

0

Devnath Bapu received death

  • આમિર ખાન અને શાહરુખ ખાનની ફિલ્મનો વિરોધ કરનાર કચ્છના સંતને મળી ધમકી. રાપરના એકલધામના મહંત યોગી દેવનાથબાપુને હત્યાની મળી ધમકી.

કચ્છના (Kutch) સંતને ટ્વિટર પર સર કલમ (Sir Kalma) કરવાની ધમકી મળી છે. રાપરના સંત દેવનાથબાપુને સોશિયલ મીડિયામાં (Social media) સર કલમ કરતાં ફોટો સાથેની ટ્વિટ કરાઈ છે. સર કલમ કરતાં ફોટો સાથે એક વ્યક્તિએ ટ્વિટ કર્યુ છે. પઠાણ ફિલ્મના (Pathan movie) વિરોધમાં ટ્વિટ કર્યા બાદ તેમને આ ધમકી મળી છે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ના ટ્રેલરનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. ત્યારે આ ફિલ્મને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. હકીકતમાં કચ્છના સંત દેવનાથ બાપુએ ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યુ હતું. જે બાદ તેમને સોશિયલ મીડિયા પર સર કલમ કરી નાંખવાની ધમકી મળી છે.

No description available.

તેમને જે ટ્વિટર એકાઉન્ટ પરથી ધમકી મળી છે. તેમાં સર કલમ કરેલી તસવીર મૂકવામાં આવી છે. જેને ફોટોશોપ કરીને બનાવવામાં આવી છે, આ એક ધમકીના ભાગરૂપે મૂકાઈ છે. સંત દેવનાથ બાપુ રાપર એકલધામના સંત છે. સંત દેવનાથ ધમકીના પગલે પોલીસમાં ફરિયાદ કરશે.

શા કારણે થઇ રહ્યો છે ફિલ્મ પઠાણનો વિરોધ :

સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ના બહિષ્કારની માંગ વાસ્તવમાં બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલી છે. રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડમાં ફેલાયેલા કથિત ‘નેપોટિઝમ’ અથવા ભાઇ-ભત્રીજાવાદે સોશિયલ મીડિયા અને મીડિયા બંનેમાં ભારે હોબાળો મચાવ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા કલાકારો પર આકરા પ્રહારો કર્યા છે.

આ સંબંધમાં ‘પઠાણ’ના ટ્રેલરનો બહિષ્કાર કરવાની અપીલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે રાજપૂત આત્મહત્યા કેસ પછી જે રીતે ચાહકોમાં નેપોટિઝમ અથવા સ્ટાર કિડ્સની ફિલ્મો સામે ગુસ્સો જોવા મળ્યો છે, તેની ફિલ્મો પર મોટી અસર પડી રહી છે.

આ પણ વાંચો :-

સ્વતંત્રતા દિવસ 2022 : શું PM મોદી આ વખતે પણ લાલ કિલ્લા પર બુલેટપ્રૂફ બોક્સમાં ઉભા રહીને ભાષણ આપશે? આ તસવીરને લીધે ઊભાં થયા સવાલો 

0

Independence Day 2022: Will PM Modi deliver

  • લોકો સાથે સીધા જોડાવા માટે પીએમ મોદીએ વર્ષ 2014માં શપથ લીધા બાદ ક્યારેય બુલેટ પ્રૂફ બોક્સમાં ભાષણ આપ્યું ન હતું. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તમામ વડાપ્રધાનો બુલેટ પ્રુફ બોક્સમાં ભાષણો આપતા હતા. તે એક પરંપરા બની ગઈ હતી.

દેશ આઝાદીનો અમૃત ઉત્સવ (Amrit Utsav) મનાવી રહ્યો છે. બ્રિટિશ શાસનમાંથી (British rule) દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ વખતે પણ PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી દરેક વખતે બુલેટ પ્રુફ બોક્સ (Bullet proof box) વગર ભાષણ આપે છે. ભાષણ આપ્યા પછી તે પ્રોટોકોલ તોડે છે અને બાળકોને પણ મળે છે.

શું આ વખતે પરંપરા બદલાશે ?

નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન ઘણીવાર બુલેટ પ્રુફ બોક્સમાં ભાષણ આપતા હતા. પરંતુ પીએમ બન્યા પછી પીએમ મોદીએ કોઈપણ સુરક્ષા ચક્ર વિના ભાષણ આપવાની પરંપરા શરૂ કરી. પરંતુ શું આ વખતે કંઇક અલગ હશે ? શું PM મોદી બુલેટ પ્રૂફ બોક્સમાં ઉભા રહીને દેશને સંબોધિત કરશે ? એક તસવીર સામે આવ્યા બાદ આ અટકળો લગાવવામાં આવી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા આજે એક તસવીર જાહેર કરવામાં આવી છે. જેમાં કર્મચારીઓ લાલ કિલ્લાના કિલ્લા પર બુલેટ પ્રૂફ બોક્સ મૂકી રહ્યા છે. એટલા માટે એવી અટકળો ચાલી રહી છે કે શું પીએમ મોદી આ વખતે બુલેટ પ્રૂફ બોક્સમાં ભાષણ આપશે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

લોકો સાથે સીધા જોડાવા માટે પીએમ મોદીએ વર્ષ 2014માં શપથ લીધા બાદ ક્યારેય બુલેટ પ્રૂફ બોક્સમાં ભાષણ આપ્યું ન હતું. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તમામ વડાપ્રધાનો બુલેટ પ્રુફ બોક્સમાં ભાષણો આપતા હતા.

તે એક પરંપરા બની ગઈ હતી. 1985માં પ્રથમ વખત પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ બુલેટ પ્રુફ બોક્સમાં ઉભા રહીને ભાષણ આપ્યું હતું. વર્ષ 1990માં તત્કાલીન પીએમ વીપી સિંહે હાફ બોક્સની પસંદગી કરી હતી. પરંતુ ફરીથી પીવી નરસિમ્હા રાવ માટે સંપૂર્ણ બોક્સ પસંદ કર્યું.

આ વખતે સુરક્ષાની તૈયારીઓ આવી છે :

75માં સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટે લાલ કિલ્લાની સુરક્ષા 10000 પોલીસ કર્મચારીઓના હાથમાં રહેશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

આપ બાદ કોંગ્રેસ પણ જાહેરાતોની રેસમાં, ચૂંટણી પહેલા ખેડૂતો માટે કરી મફત વીજળીની ઘોષણા

0

After AAP, Congress too in the race

  • વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની મોટી જાહેરાત…કહ્યું  સરકાર બનશે તો ખેડૂતના 3 લાખ સુધીના દેવા માફ કરી 10 કલાક મફત વીજળી આપીશું..સિંચાઈ દરમાં 50 ટકાની રાહત મળશે..

ગુજરાતમાં (ગુજરાત) ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) માર્ગે ચાલતા કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. જોકે, કોંગ્રેસ (Congress) સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક ખેડૂતોને લઈને માર્યો છે. ખેડૂતોને (Farmers) રિઝવવા માટે કોંગ્રેસે ચૂંટણી પહેલાં મોટી જાહેરાત કરી છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો તમામ ખેડૂતોના વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે.

સાથે જ ખેડૂતોના સ્વ વીજવપરાશ અને વધારાની વીજળી વેચી શકે તે માટે સોલાર -વિન્ડ મિની ફાર્મિગ માટે માતબર સહાય કરવામાં આવશે. જો કોંગ્રેસની સરકાર બનશે તો તમામ પહેલી કેબિનેટમાં તમામ ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરી દેવામાં આવશે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીત એક્ટિવ થઈ છે, તે જોતા ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. બંને પક્ષોએ હવે ઘોડા દોડાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આપ બાદ ગુજરાત કોંગ્રેસે ખેડૂતો માટેના વચનો જાહેર કર્યાં છે. આ સાથે જ વિવાદ બાદ રાજનીતિમાંથી થોડા સમય ગાયબ રહેલા ભરતસિંહ સોલંકી ફરીથી એક્ટિવ થયા છે. તેમણે ખેડૂતલક્ષી અનેક જાહેરાતો કરી છે.

કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામા આવી કે, કોંગ્રેસ પક્ષની સરકાર તમામ ખેડૂતોને વીજળીનાં મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફ્રી વીજળી આપશે. ખેડૂતોને સ્‍વ વિજવપરાશ તથા વધારાની વીજળી વેચી શકે તે માટે ‘સોલાર-વીન્‍ડ મીની ફાર્મીંગ’ માટે માતબર સહાય કરાશે. કોંગ્રેસની સરકાર બનશેતો તમામ ખેડૂતોના રૂ. ૩ લાખ સુધીનાં દેવાં પ્રથમ કેબિનેટમાં જ માફ કરી દેશે.

આ પણ વાંચો :-

ભારતમાં રેવડી કલ્ચરની ચર્ચા વચ્ચે બ્રિટનમાં ઋષિ સુનકની મોટી જાહેરાત, PM બનશે તો એનર્જી બિલમાં 200 પાઉન્ડની રાહત

Rishi Sunak’s big announcement in Britain

  • એકતરફ ભારતમાં મફતની લ્હાણી કરવાનાં રેવડી કલ્ચરની નિંદા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ બ્રિટનમાં ભારતીય મૂળનાં વડાપ્રધાન પદના ઉમેદવાર Rishi Sunak એ મોટી જાહેરાત કરી દીધી છે.

બ્રિટનનાં (Britain) આગામી વડા પ્રધાન બનવા માટે જોરશોરથી સ્પર્ધા કરી રહેલા ભૂતપૂર્વ બ્રિટિશ નાણા પ્રધાન ઋષિ સુનાકે (Former British Finance Minister Rishi Sunake) ગુરુવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે બ્રિટનનાં ઘરો માટે વધતા ખર્ચને પહોંચી વળવા ઊર્જા બિલમાં (Energy Bill) ઘટાડા સહિતની યોજના તૈયાર કરી હતી.

એકતરફ ભારતમાં રેવડી કલ્ચર મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં બીજી તરફ બ્રિટનમાં મફત સુવિધાઓને પ્રોત્સાહન આપવાની વાત થઈ રહી છે.

ઊર્જા બિલ પર લગભગ 200 પાઉન્ડ નો કટ મળશે :

ભારતીય મૂળનાં ઋષિ સુનકે ધ ટાઈમ્સમાં લખતાં, કહ્યું હતું કે વેલ્યૂ એડેડ ટેક્સમાં ઘટાડા સાથે દરેક ઘરને તેમના ઊર્જા બિલ પર લગભગ 200 પાઉન્ડ નો કટ મળશે.

અગાઉઠી જ ઊંચા ઉર્જા બિલને ત્રણ ગણા કરતાં વધુ કરવા માટે બ્રિટન આ વર્ષે તૈયારી કરી રહ્યું છે, ચેરિટિ સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર આ ફટકો હળવો કરવા માટે  મલ્ટિ-બિલિયન પાઉન્ડ સપોર્ટ પેકેજ શરૂ નહીં કરે તો લાખો લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે.

લિઝ ટ્રુસની સાથે નેતૃત્વની રેસમાં અંડરડોગ ગણાતા સુનકે જણાવ્યું હતું કે તેમની યોજના તમામ લોકોને આવરી લેશે. પેન્શનર્સ માટે સપોર્ટ, જરૂરિયાતમંદ માટે મદદ અને તમામને મદદ કરવા માટેની આ યોજના હશે.

ભૂતપૂર્વ નાણા પ્રધાને જણાવ્યું હતું કે લોકો અને પેન્શનરોના સૌથી સંવેદનશીલ ગ્રુપને વેલ્ફેર સિસ્ટમ દ્વારા તેમના એનર્જી બિલને પહોંચી વળવા માટે નાણાં મળશે.

સુનકે એમ પણ કહ્યું કે તે સરકાર બચત કરવા માટે એક કાર્યક્રમ ચલાવીને આ યોજના માટે ચૂકવણી કરશે. “તેનો અર્થ એ થઈ શકે છે કે આપણે સરકારમાં કેટલીક બાબતોને અટકાવવી પણ  પડશે.”

તેમણે અગાઉ નાણામંત્રી તરીકે રજૂ કરેલા તેલ અને ગેસ ઉત્પાદકોના નફા પર 25% વિન્ડફોલ ટેક્સનો સંદર્ભ આપતા કહ્યું હતું કે “એનર્જીના ભાવ સતત વધી રહ્યા છે તે જોતાં, એવી પણ શક્યતા છે કે સરકાર મેં રજૂ કરેલ એનર્જી પ્રોફિટ વધુ આવક વધારશે,”

ગરીબો કરતાં વધારે અમીરોને ફાયદો  :

ટ્રુસે બુધવારે એમ પણ કહ્યું હતું કે જો તે પીએમ બનશે તો તે ઉર્જા કંપનીઓ સાથે મળીને કિંમતો ઘટાડવા માટે કામ કરશે. ટીકાકારોનું કહેવું છે કે ટેક્સમાં ઘટાડો એ ગરીબો કરતાં સૌથી ધનિકોની તરફેણમાં વધારે રહેશે.

આ પણ વાંચો :-

 

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં મોટું ષડ્યંત્ર નાકામ : 2 હજાર કારતૂસ સાથે 6 શખ્સો ઝડપાયા

0

Big conspiracy foiled in Delhi

  • 15મી ઓગસ્ટે પહેલા દિલ્હીમાં પોલીસની મોટી કાર્યવાહી, આરોપીઓ 2 હજાર કારતુસ ક્યાં સપ્લાય કરવા જતા હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ.

દિલ્હીમાં (Delhi) 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ (A live cartridge) મળી આવતા હડકંપ મચી ગયો છે. કાર્યવાહી દરમ્યાન દિલ્હીમાં કારતુસ સપ્લાય કરનારા 6 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ પૂર્વ દિલ્હી પોલીસે આનંદ વિહાર (Anand Vihar) વિસ્તારમાંથી 2 બેગ સાથે સપ્લાયરની ધરપકડ કરી છે. હવે આ લોકો આ 2 હજાર કારતુસ ક્યાં સપ્લાય કરવા જતા હતા તે અંગે પોલીસ દ્વારા આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર દિલ્હી :

દિલ્હી પોલીસ 15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર છે. સમગ્ર દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમ્યાન 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ મળી આવતા હડકંપ મચી ગયો છે. જેને લઈ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે કરાઇ કાર્યવાહી ? 

15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર રહેલી પૂર્વ દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે આનંદ વિહાર વિસ્તારમાં બે શંકાસ્પદ છે જેમની પાસે હથિયાર હોઈ શકે છે. જેને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી શકમંદની તલાશી લેતા તેના કબજામાંથી 2000 જીવતા કારતૂસ ભરેલી બે થેલીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ પછી પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી તો તેમના અને અન્ય સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં 10 હજાર પોલીસકર્મીઓ તૈનાત :

આ વખતે આખો દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. આ ખુશનુમા વાતાવરણમાં કોઈ અવરોધ ન આવે તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ વખતે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની સુરક્ષામાં 10 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 15 ઓગસ્ટ પહેલા જ સમગ્ર દિલ્હીને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા પોતે વિવિધ ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા સંસ્થાઓના વડાઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે તેઓ પૂરા પ્રયાસ કરી રહ્યા છે.

આ તરફ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓની વાત માનીએ તો આતંકવાદી સંગઠનો દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી શકે છે. 15 ઓગસ્ટે IBએ દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે.

10 પાનાના રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ બ્યુરોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ આતંકવાદી ષડયંત્રની યોજના બનાવી હોવાની માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISI તેમને લોજિસ્ટિક મદદ આપીને બ્લાસ્ટ કરવા માંગે છે. જેમાં અનેક નેતાઓ સહિત મોટી સંસ્થાઓની ઈમારતોને નિશાન બનાવી શકાય છે.

આ પણ વાંચો :-

બોટાદ લઠ્ઠાકાંડ : AMOSના માલિક સમીર પટેલ સહિત અન્ય 5ની આગોતરા જામીન અરજી નામંજૂર

Botad case: Anticipatory bail application

  •  કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડની આ ઘટનામાં જે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો તે AMOS કંપનીમાંથી આવ્યો હતો.

બરવાળા-ધંધુકા પંથકમાં (Barwala-Dhandhuka) બનેલી કેમિકલ કાંડની (Chemical stain) ઘટનાએ 50થી વધુ લોકોનો ભોગ લીધો હતો. લઠ્ઠાકાંડ (Lattakand) મામલે કેમિકલ કંપની એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઈ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ, ચંદુભાઈ પટેલ, રજીત મહેશભાઈ ચોકસી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાએ બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી.

બોટાદ સેસન્સ કોર્ટમાં આજે આ આગોતરા જામીન અરજી અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે લઠ્ઠાકાંડ કેસના આરોપીઓને મોટો ઝાટકો આપીને તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.

બોટાદના બરવાળા તાલુકામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના રાજ્ય ઉપરાંત દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડની આ ઘટનામાં જે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો તે AMOS કંપનીમાંથી આવ્યો હતો.

પોલીસે AMOS કંપનીના સંચાલક સમીર પટેલ સહિત 5 લોકોને 2 વખત સમન્સ પાઠવ્યા હતા. જોકે તે પૈકીનું કોઈ પોલીસ સામે હાજર ન રહેતા લુકઆઉટ નોટિસ પાઠવીને પોલીસે તેમના આવાસ ખાતે તપાસ કરી હતી.

ત્યારે સમીર પટેલ સહિતના 5 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી રાખી હતી. જોકે નામદાર કોર્ટે અરજી વિડ્રો કરી સેશન્સ કોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું. આમ સમીર પટેલ સહિતના 5 લોકોએ આગોતરા જામીન માટે બોટાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો :-

 

ટ્રાફિક જવાનનો ‘પાવર’ : જામનગરમાં TRB જવાને દિવ્યાંગને જાહેરમાં લાફો માર્યો, વીડિયો થયો વાયરલ

0

Traffic jawan’s ‘power’

  • Jamnagar News : બનાવ સ્થળે હાજર લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. જે બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદમાં આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.

જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને (TRB) દિવ્યાંગ વ્યક્તિને જાહેરમાં ફડાકો માર્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (TRB Jawan viral video) થયો છે. જામનગર (Jamnagar) શહેરના રાજકોટ રોડ (Rajkot road) નજીક આવેલા નાગનાથ ગેટ વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતો હતો ત્યારે જ ટીઆરબી જવાને તેને લાફો મારી દીધો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટીઆરબી જવાને ખેંચીને વાહન ચાલકને તમાચો મારે છે. વાહન ચાલક એક હાથથી વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ સ્થળે હાજર લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. જે બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદમાં આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિક શાખાના પી.આઇ. વાય.જે.વાઘેલાએ જણાવ્યું હતું કે, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ દશરથસિંહ વાઢેર (Dasrathsinh Vadher) નામના ટીઆરબી જવાનને તાત્કાલિક અસરથી છૂટો કરી દેવાયો છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

અવારનવાર સ્થાનિક રાહદારીઓ સાથે ટ્રાફિક નિયમન માટે રખાયેલા કેટલાક ટીઆરબી જવાનો દ્વારા અણછાજતા વર્તન કરતાં હોવાની પણ ક્યાંકને ક્યાંક લોકોમાં ચર્ચા થઈ રહી છે. આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જામનગરમાં બનેલી આ ઘટનાને લઈને રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

જાહેરમાં માર મારવાની ઘટના બાદ લોકો ભોગ બનનાની યુવકને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ ટીઆરબી જવાનને તો છૂટો કરી દેવાયો છે પરંતુ આ સમગ્ર ઘટના અંગે ટીઆરબીમાં નોકરી કરતા દશરથસિંહ વનરાજસિંહ વાઢેરે સિલ્વર કલરના GJ 10 BL 9843 નંબરના એક્સેસ મોટરસાયકલના ચાલક સામે ટ્રાફિકજામ કેમ થયો છે ? તેમ કહી ગાળો ભાંડવી તેમજ ટ્રાફિકની કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટીઆરબી જવાને ખેંચીને વાહન ચાલકને તમાચો મારે છે. વાહન ચાલક એક હાથથી વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે. તમાચા બાદ વાહન ચાલકનો ગાલ લાલ થઈ ગયેલો જોઈ શકાય છે. એટલું જ નહીં, લોકો તેને ન્યાય મળે તેવી માંગણી પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

એલર્ટ થઇ જજો ! ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસનો આ સ્ટ્રેન, રિસર્ચમાં થયો ખુલાસો

0

Be alert! This strain of corona

  • તમને જણાવી દઇએ કે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાન 2726 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી વધુ 6 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર હાલ 14.38 ટકા ચાલે રહ્યો છે.

દેશમાં કોરોના વાયરસના (Corona virus) કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા લોકો તેને કોરોનાની ચોથી લહેર કહી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી (Delhi) સહિત દેશના વિભિન્ન રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં જોઇ સરકારી સંસ્થા ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કંસોર્ટિયમ (Genomics Consortium) પર રિસર્ચ કરશે. સંસ્થા તરફથી કોવિડ 19 વેરિએન્ટના જીનોમિક દેખરેખના ડેટાની સમીક્ષા કરવામાં આવશે.

મૂળ વેરિએન્ટની તુલનામાં 30 ટકા વધુ ખતરનાક :

મેડિકલ એક્સપર્ટોના અનુસાર દિલ્હી એનસીઆરમાં હાલ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના ઘણા સ્ટ્રેનના કેસ સામે આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્ટ્રેન મૂળ ઓમિક્રોન વાયરસની તુલનામાં 20-30 ટકા વધુ ખતરનાક છે.

બિમારી ફેલાઇ રહી છે પરંતુ મોત ઓછા :

કોવિડ વર્કિંગ ગ્રુપ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇઝેશનના ચેરપર્સન ડો.એનકે અરોરાએ કહ્યું કે ‘હાલ સ્ટ્રેન જે ચારેય તરફ ચક્કર લગાવી રહ્યો છે, તે ઓમિક્રોન સબ-વેરિએન્ટની તુલનામં 20-30 ટકા વદુહ સંક્રમક છે. તેમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઇ તો રહી છે પરંતુ હોસ્પિટલમાં ભરતી થવું અને મોત હજુ થયા છે.

કોરોનાની ચોથી લહેરમાં ઓમિક્રોનનો મોટો હાથ :

ડો.અરોરાએ કહ્યું હતું કે સબ-વેરિએન્ટ BA.4, BA.5, BA.2.75, BA.2.38 છે. જોકે હોસ્પિટલમાં ભરતી થવું અથવા કોઇ પણ બિમારીની ગંભીરતામાં કોઇ ઉછાળો હજુ સુધી જોવા મળ્યો નથી.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

INSACOG તરફથી 11 ઓગ્સ્ટના રોજ જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર દેશમાં કોરોનાની ચોથી લહેરને ફેલાવવામાં ઓમિક્રોન અને તેના વિભિન્ન સ્ટ્રેનનો મોટો હાથ જોવા મળ્યો છે. ડો. અરોરાએ કહ્યું ‘BA.2.75 સબ વેરિએન્ટે SARS-CoV-2 ના સ્પાઇક પ્રોટીન અને અન્ય વેરિએન્ટની દેખરેખ રાખવામાં આવી રહી છે.

4 સરકારી સંસ્થાઓએ શરૂ કરી દેખરેખ :

INSACOG ને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને બાયોટેકનોલોજી વિભાગે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ અને ભારતીય તબીબી સંશોધન પરિષદની સાથે સંયુક્ત રૂપથી મળીને શરૂ કર્યું છે. આ સંસ્થા દેશમાં કોરોના મહામારી અને બીજી મોટી સંકર્મિત બિમારીઓની દેખરેખ અને તેમની સારવાર પર નજર રાખવામાં આવી રહી છે.

તમને જણાવી દઇએ કે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાન 2726 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી વધુ 6 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર હાલ 14.38 ટકા ચાલે રહ્યો છે.

આ પણ વાંચો :-

NDA માં ભંગાણ વચ્ચે 2024 પર ભાજપની નજર, મમતાને ગઢમાં માત આપવાનો પ્લાન

0

BJP eyeing 2024

  • એક તરફ જેડીયૂના એનડીએથી અલગ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે તેની અસર 2024ની ચૂંટણી પર પડશે, તો ભાજપે લોકસભા ચૂંટણી 2024ને લઈને પોતાની તૈયારીઓ વધુ મજબૂત કરી દીધી છે.

બિહારમાં (Bihar) રાજકીય ભૂંકપ બાદ વિપક્ષનો જુસ્સો આસમાને છે. તો તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે બીજી પાર્ટીઓએ પણ બિહારમાંથી શીખ લેવી જોઈએ. નીતિશ કુમારે (Nitish Kumar) પણ પોતાના નિવેદનથી સંકેત આપી દીધો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં તે ભાજપ વિરુદ્ધ સક્રિય ભૂમિકા ભજવશે.

તેમણે કહ્યું હતું કે 2014મા જે આવ્યા હતા તે શું 2024માં રહી શકશે કે નહીં. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. 2019માં પશ્ચિમ બંગાળમાં ભાજપને સારી સફળતા મળી હતી. તેથી હવે પાર્ટી મમતાના ગઢને છોડવા માંગતી નથી.

પાછલી લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળની કુલ 42 સીટમાંથી 18 સીટ જીતી હતી. હવે પાર્ટીએ ત્રણ કેન્દ્રીય મંત્રીઓને પશ્ચિમ બંગાળની જવાબદારી આપી છે. તેમાં ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની અને જ્યોતિરાદિત્ય સામેલ છે. 2021 વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના કારણોને લઈને આ નેતાઓએ કામ શરૂ કરી દીધુ છે. જામવા મળી રહ્યું છે કે હાલ રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાને પણ આ જવાબદારી આપી શકાય છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલા જગદીપ ધનખડના રાજભનવ છોડ્યા બાદ હવે કેન્દ્ર સરકાર અન્ય ઘણી રીતે પશ્ચિમ બંગાળની સરકાર પર દબાવ બનાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. ભાજપ હાઈકમાન્ડે રાજ્ય સંગઠનને નિર્દેશ આપ્યો છે કે ભાજપ અને ટીએમસી વચ્ચે ડીલની અફવાઓ પર વિરામ લગાવે. નોંધનીય છે કે હાલમાં મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

ધર્મેન્દ્ર પ્રધાન પર કેમ વ્યક્ત કર્યો વિશ્વાસ :

ભાજપ નેતૃત્વે ધર્મેન્દ્ર પ્રધાનને પશ્ચિમ બંગાળની જવાબદારી એટલા માટે આપી કારણ કે રાજ્યમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી સાથે તેના સારા સંબંધ છે. તેમને રાજ્યની 42 લોકસભા સીટ પર ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રધાન પહેલા પણ અધિકારીઓ સાથે જોડાયેલા રહ્યાં છે. ત્યારબાદ તેમણે ટીએમસીને અલવિદા કહ્યુ હતું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી નંદીગ્રામથી જીત મેળવી હતી.

મહિલા મતો માટે પણ તૈયારી :

ચૂંટણીમાં મહિલાઓના મતનું ખુબ મહત્વ છે. તેવામાં ભાજપ ઈચ્છતી નથી કે મહિલાઓ પાર્ટીથી દૂર થાય. 2021મા ટીએમસીની મોટી જીત પાછળ મહિલાઓના મત પણ છે. સ્મૃતિ ઇરાનીને પ્રદેશમાં મહિલાઓની સમસ્યાઓ જાણવા અને ચૂંટણીની તૈયારી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. ખાસ વાત છે કે ઈરાની અને પ્રધાન બંને બાંગ્લા જાણે છે.

આ પણ વાંચો :-