Home Blog Page 1320

શહીદોને રૂ.1 કરોડનું વળતર, માજી સૈનિકોને ખેતીની જમીન… જેવી માંગ સાથે સતત બીજા દિવસે સરકાર સામે આંદોલન

0

Agitation against government for second

  • હાલમાં ગુજરાતમાં સરકારી કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આ કડીમાં નિવૃત સૈનિકોએ પણ પોતાની માંગોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે.

આજે સતત બીજા દિવસે મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો (Veterans) ગાંધીનગર ખાતે એકઠા થયા છે. આજે સતત બીજા દિવસે પૂર્વ સૈનિકોનું આંદોલન યથાવત છે. પૂર્વ સૈનિકો અનામત, ખેતી માટે જમીન, પ્લોટ, પગાર રક્ષણ, હથિયાર નવા લેવા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ (Security Contract System) નાબૂદી, ફિક્સ પ્રથા જેવા અનેક મુદ્દાઓ પર આ આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે સવારથી જ અનેક પૂર્વ સૈનિકો ગાંધીનગરમાં (Gandhinagar) એકઠા થયા છે. આજે સવારથી ફરી નિવૃત સૈનિકોએ ધરણા શરૂ કર્યા છે.

સરકાર જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી આદોલન ચાલુ રહેશે :

માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ અનસન પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે, ‘સરકાર જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અમારું આદોલન યથાવત રહેશે.’ મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર વિધાનસભાની પાસે આંદોલન કરી રહ્યા છે.

આંદોલન દરમિયાન નિવૃત આર્મીમેનનું મૃત્યુ :

ગતરોજ પણ મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર ખાતે એકઠા હતા. આર્મીના જવાનોએ ચીલોડાથી ગાંધીનગર સુધી માર્ચ કાઢી હતી. તો બીજી તરફ ગાંધીનગર સચિવાલયમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીનગરના ચીલોડા પાસે ધરણા દરમિયાન નિવૃત્ત આર્મી જવાન કાનજીભાઈ મોથલીયાની તબીયત લથડતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જે બાદ મોટી સંખ્યામાં માજી સૈનિકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં હાજર માજી સૈનિકોએ જણાવ્યું હતું કે, પોલીસના મારથી તેઓનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૂંઢ મારી પૂર્વ જવાનને ઘાયલ કર્યા હતા. નિવૃત્ત આર્મીમેન સાથે આંતકવાદી જેવો વ્યવહાર થયો હોવાનો આરોપ લાગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

સલમાન ખાન મળ્યો જૈન મુનિને, સળંગ 180 દિવસ ઉપવાસ કરનાર એકમાત્ર જૈન મુનિ

Salman Khan meets Jain Muni

  • સલમાન ખાન જૈન સાધુ આચાર્ય વિજય હંસરત્નાસુરિને તેમના 180 દિવસના ઉપવાસ બાદ મળવા પંહોચ્યા હતા.

બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનની (Salman Khan) ઈમેજ હંમેશા એક દિલદાર વ્યક્તિ તરીકે રહી છે. આવું એટલા કે તેઓ માણસાઈને સમર્થન આપવાની એક પણ તક ગુમાવતા નથી. અત્યાર સુધી સલમાન ખાનની ઉદારતાના ઘણા ઉદાહરણો આપણે બધા એ જોયા જ હશે અને હાલ વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. હાલમાં જ સલમાન ખાન જૈન સાધુ આચાર્ય વિજય હંસરત્નાસુરિને (Jain monk Acharya Vijay Hansratnasur) તેમના 180 દિવસના ઉપવાસ બાદ મળવા પહોચ્યા હતા.

સલમાને કરી આચાર્ય સાથે મુલાકાત :

આચાર્ય વિજય હંસરત્નસૂરિ એક ઘણા જાણીતા જૈન આચાર્ય છે. સલમાન એમના 180 દિવસના ઉપવાસ પૂર્ણ થયા પછી તેને મળવા ગયા હતા. તમને જણાવી દઈએ કે આચાર્ય વિજય હંસરત્નસુરિ 180 દિવસના ઉપવાસ પર હતા. આવો ઉપવાસ એમને છઠ્ઠી વખત કર્યો છે.

તેમના ફોલોવર્સનું કહેવું છે કે આ મુલાકાત દરમિયાન સલમાન ખાનને આચાર્ય એ જૈન ધર્મના વિવિધ પાસાઓ અને વિધિઓ વિશે પણ જણાવ્યું હતું.

180 દિવસનો ઉપવાસ :

રિપોર્ટ અનુસાર આચાર્ય વિજય હંસરત્નસુરિએ રવિવારના દિવસે તેમના 180 દિવસના નિરંતર ઉપવાસને પૂરો કર્યો હતો. આ ઉપવાસના પુરન કર્યાની સાથે જ તેઓ એકમાત્ર એવા જૈન સાધુ બન્યા છે જેમના આ મેરેથોન ફાસ્ટીંગને પૂરું કર્યું છે. તેમના અનુયાયીઓના જણાવ્યા અનુસાર આચાર્ય હંસરત્નસુરિ તેમના જીવનના છેલ્લા બે દાયકામાં સાધુ તરીકે કુલ 12 વર્ષ ઉપવાસ કર્યા છે.

બિગ બોસ સહિત આ ફિલ્મોમાં નજર આવશે સલમાન ખાન :

હાલ સલમાન ખાન બિગ બોસ 16ને લઈને ચર્ચામાં છે. શોનો પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ શોમાં સલમાન ફરી એકવાર હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય સલમાન ખાન મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ સિવાય સલમાન ખાન ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો :-

 

ચૂંટણી પહેલા આપમાં ડખો, વેજલપુર બેઠકના ઉમેદવાર સામે ઉભો થયો વિવાદ

0

Before the elections, a controversy

  • ઉમેદવારોની જાહેરાત સાથે AAPમાં કકળાટ શરૂ, પૈસાના જોરે ટિકિટ મળતી હોવાનો આક્ષેપ

એક તરફ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે, અને બીજી તરફ ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો શરૂ થયો. અમદાવાદ શહેર ઉપપ્રમુખે ખુલ્લેઆમ પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યો છે.

વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોળાભાઈ પટેલના નામની જાહેરાતને લઈને શાકિર શેખે વિરોધ દર્શાવ્યો. સાથે જ તેમણે રાજીનામુ આપવાની પણ ચીમકી આપી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 29 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોળાભાઈ પટેલને ટિકિટ આપી છે.

ત્યારે કલ્પેશ પટેલની ટિકિટને લઈને અમદાવાદ શહેર ઉપપ્રમુખ શાકિર શેખે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કલ્પેશ પટેલને આયાતી ઉમેદવાર ગણાવ્યું. તેમણે કહ્યું કે, સ્થાનિક લોકોને ટીકીટ આપવાની વાત કરતી પાર્ટીએ આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે. હું વર્ષ 2015 થી આપ માટે અહીંયા કામ કરી રહ્યો છું. જ્યારે કલ્પેશ પટેલ તો આ બેઠકના રહેવાસી પણ નથી.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

તેઓ પૈસાદાર છે એટલે તેઓને ટીકીટ આપવામાં આવી છે. રૂપિયાના જોરે તેઓએ ટીકીટ મેળવી છે. મેં મારી રજૂઆત પાર્ટીમાં કરી છે પણ કોઈએ વાત સાંભળી નથી. અરવિંદ કેજરીવાલ આમાં હસ્તક્ષેપ કરે, અન્યથા હું મારા સેંકડો સમર્થકો સાથે આપમાંથી રાજીનામું આપીશ.

તો બીજી તરફ અમરેલી બગસરા તાલુકા પંચાયતના 2 સદસ્ય તેમજ 1 કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા છે. જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા ત્રણ સભ્યોને ખેસ પહેરાવીને ત્રણેયને આવકાર્યા હતા. ત્રણ સદસ્યો કોંગ્રેસ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

કોણ કોણ ભાજપમાં જોડાયું :

  • બાબુભાઈ શામજીભાઈ બકરાણી, ગ્રામ પંચાયત સદસ્ય (હડાળા)
  • નાગજીભાઈ છગનભાઈ સિદ્ધપુરા – ગ્રામ પંચાયત સદસ્ય – નવી હળીયાદ
  • ગોપાલભાઈ બકરાણી – કોંગ્રેસ આગેવાન

આ પણ વાંચો :-

દરરોજ આટલી મિનિટ ચાલવાથી ટળે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો હ્રદયને કેવી રીતે રાખવું સ્વસ્થ

0

Walking for a few minutes every day can

  • પણ શું તમે જાણો છો કે ચાલવાથી હાર્ટ અટેકનો ખતરો પણ ટળી શકે છે? દરરોજ કેટલું ચાલવાથી હ્રદય સ્વસ્થ રહે છે એ વિશે આજે અમે તમને જણાવશું..

શરીરને ફીટ અને સ્વસ્થ (Fit and Healthy) રાખવા માટે ચાલવું ખૂબ જ જરૂરી છે. ચાલવાથી હૃદય અને ફેફસાં બંને સ્વસ્થ રહે છે સાથે જ શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે. આ સાથે જ રોજ ચાલવાથી શરીરને પૂરતું ઓક્સિજન (Oxygen) પણ મળી રહે છે અને પાચનક્રિયા સ્વસ્થ (Healthy digestion) રહે છે.

આ સિવાય ચાલવાના ઘણા ફાયદા છે. પણ શું તમે જાણો છો કે ચાલવાથી હાર્ટ અટેકનો ખતરો પણ ટળી શકે છે? દરરોજ કેટલું ચાલવાથી હ્રદય સ્વસ્થ રહે છે એ વિશે આજે અમે તમને જણાવશું..

એક સ્ટડી મુજબ દર અઠવાડિયે 200 થી 400 મિનિટ ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. એવરેજ તમારે એક દિવસમાં ઓછામાં ઓછા અડધાથી એક કલાક ચાલવું જોઈએ. આ સિવાય દરરોજ 2- થી 30 મિનિટ જોગિંગ કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. નિયમિત રીતે જોગિંગ કરવાથી અને ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ કેવી રીતે ઓછું થાય ચાલો જાણીએ..

ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે :

હાર્ટ ફેલ એક ક્રોનિક કન્ડિશન છે જેમાં હૃદય શરીરના અન્ય ભાગોમાં પૂરતા પ્રમાણમાં લોહી પંહોચાડવામાં અસમર્થ રહે છે. આ સ્થિતિમાં હૃદયની પમ્પિંગની ગતિ ધીમી પડી જાય છે. કેટલાક પરિબળો છે જેવા કે વજનમાં વધારો, કાર્ડિયો-મેટાબોલિક સ્થિતિ, હાઈ બ્લડ પ્રેશર અને ટાઇપ-2 ડાયાબિટીસ જે હાર્ટ ફેલનું કારણ બની શકે છે. નિયમિતપણે ચાલવા અને કસરત કરવાથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં અને સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ મળે છે.

શાકભાજીનું કરો સેવન  :

હૃદયને મજબૂત રાખવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. પાલક, બ્રોકોલી, કોબી જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા હૃદયના રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ : 52 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો, બનાસકાંઠામાં ભારે પવન ફુંકાતા નુકસાન

0

Meghraja’s Dhunadhar batting in Gujarat

  • રાજ્ય (Gujarat) માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા અનેક જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી રહ્યાં છે. ત્યારે આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા સુધીમાં કુલ 52 તાલુકામાં વરસાદ ખાબક્યો.

ગુજરાતમાં (Gujarat) હજુ આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. ત્યારે આજ રોજ સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 52 તાલુકામાં મેઘરાજા (Maharaja) મન મૂકીને વરસ્યા છે.

આજે સૌથી વધુ જામજોધપુરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો :

રાજ્યમાં સવારના 6થી 10 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદમાં આજે સૌથી વધુ જામજોધપુરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ચોટીલામાં સવા ઈંચ, લોધિકામાં સવા ઈંચ, વલસાડમાં 1 ઈંચ, કોડીનારમાં 17 મીમી વરસાદ, વાગરામાં 17 મીમી, રાપરમાં 17 મીમી, થાનગઢમાં 17 મીમી, હાંસોટમાં 16 મીમી, લીમખેડામાં 14 મીમી અને વાપીમાં 13 મીમી વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો :

બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં પાલનપુર, સુઈગામ અને વડગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો. થરાદ વિસ્તારમાં ભારે પવન ફુંકાતા અનેક સેડ ઉડવા લાગ્યા હતા. થરાદના ડોડ ગામે ભારે પવનથી બાગાયતી પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ખેતરમાં બનાવેલ પશુઓ માટેના અનેક સેડ ભારે પવનથી પડી ભાંગ્યા.

હાલ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે :

આજ સવારના 6થી અત્યાર સુધીમાં વરસેલા વરસાદની જો વાત કરીએ તો રાજ્યમાં આજે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. દાહોદમાં ઝાલોદ, લીમડી, સિંગવડ, લીમખેડા, સંજેલી અને નાનસલાઈ વરોડમાં વરસાદ વરસ્યો. સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો :-

આખરે લાખો રૂપિયાની કાર કેમ સાઈરસ મિસ્ત્રીનો જીવ ન બચાવી શકી ? જાણવા માટે મર્સિડિઝે લીધું મોટું પગલું

0

Finally, why the car worth lakhs of rupees

  • ચાર સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર રોડના ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેમાં કારની પાછલી સીટ પર બેઠેલા મિસ્ત્રી (54) અને જહાંગીર પંડોલેનું મોત નિપજ્યું હતું. 

ટાટા સન્સના પૂર્વ ચેરમેન (Former Chairman of Tata Sons) સાઈરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) રોડ અકસ્માતમાં નિધન થયું. તેમના મોતની તપાસ માટે હોંગકોંગથી મર્સિડિઝ બેન્ઝના (Mercedes Benz) ઓફિસરોની એક ટીમ મંગળવારે થાણા પહોંચી. આ ટીમ અકસ્માતનો ભોગ બનેલી મર્સિડિઝ કારની (Mercedes car) તપાસ કરશે. આ અકસ્માતમાં મિસ્ત્રી અને તેમના મિત્રનું મોત નિપજ્યું હતું.

પાલઘરના એસપી બાલાસાહેબ પાટિલે કહ્યું કે ત્રણ સભ્યોનું એક્સપર્ટ ગ્રુપ હોંગકોંગથી આવ્યું છે. પોલીસ અધિકારીઓની હાજરીમાં આ ગ્રુપ તપાસ કરશે. તેમણે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત થયેલી કારને થાણામાં મર્સિડિઝ બેન્ઝના યુનિટમાં રાખવામાં આવી છે. અહીં પહોંચીને આ ગ્રુપ તપાસ કરશે અને પછી મર્સિડિઝ બેન્ઝ કંપનીને પોતાનો રિપોર્ટ સોંપશે.

મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું :

ચાર સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર રોડના ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેમાં કારની પાછલી સીટ પર બેઠેલા મિસ્ત્રી (54) અને જહાંગીર પંડોલેનું મોત નિપજ્યું હતું. કાર જાણીતા સ્ત્રીરોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે (55) ચલાવી રહ્યા હતા અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) તેમની સાથે આગળની સીટ પર બેઠા હતા. અકસ્માતમાં દંપત્તિ ઘાયલ થયું હતું.

કંપનીએ વચગાળાનો રિપોર્ટ પોલીસને સોંપ્યો :

ગત અઠવાડિયે મર્સિડિઝ બેન્ઝે સાઈરસ મિસ્ત્રી દુર્ઘટના મામલે પોતાનો વચગાળાનો રિપોર્ટ પાલઘર પોલીસને સોંપ્યો. જેમાં કહેવાયું છે કે રોડ પર બનેલા ડિવાઈડરથી ટકરાતા પાંચ સેકન્ડ પહેલા ગાડીની બ્રેક મારવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે તે કાર દુર્ઘટનાની તપાસમાં અધિકારીઓની સાથે સહયોગ કરી રહી છે અને માત્ર તેમની સાથે જ પરિણામ શેર કરશે.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

વચગાળાના રિપોર્ટમાં કહેવાયું છે કે દુર્ઘટનાની થોડી સેકન્ડ પહેલા કારની ગતિ 100 કિમી પ્રતિ કલાક હતી જ્યારે પૂલ પર ડિવાઈડર સાથે કાર ટકરાઈ તે સમયે 89 કિમી પ્રતિ કલાક હતી. પાલઘર પોલીસે કાર નિર્માતા કંપનીને અનેક પ્રકારના સવાલ પૂછ્યા છે જેમ કે એરબેગ કેમ ખુલ્યા નહીં ? ગાડીમાં શું કોઈ ટેક્નિકલ ખામી હતી ? ટાયર પ્રેશર કેટલું હતું ? કારનું બ્રેક ફ્લૂઈડ શું હતું ?

આ પણ વાંચો :-

પાકિસ્તાનમાં પૂર બાદ ભયાનક સ્થિતિ, ભૂખે મરતા બાળકો, મહિલાઓ ખુલ્લામાં સૂવા માટે મજબૂર

Horrible situation after floods in Pakistan

  • પાકિસ્તાનમાં પૂરે હાહાકાર મચાવ્યો છે. પૂરના પગલે દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે. પૂર બાદ પણ લોકોની હાલત દયનિય છે.

પાકિસ્તાનમાં (Pakistan) પૂરે હાહાકાર મચાવ્યો છે. પૂરના પગલે દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે. પૂર બાદ પણ લોકોની હાલત દયનિય છે. બાળકો ભૂખે મરી રહ્યા છે તો મહિલાઓ (Woman) ખુલ્લામાં સુવા માટે મજબૂર બની છે.

લગભગ સમગ્ર સિંધ પ્રાંત હજુ પણ પાણીમાં ડૂબી ગયો છે. વહીવટીતંત્ર સતત બચાવ કાર્ય ચલાવી રહ્યું છે. તમામ લોકોને ભોજન અને પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ પ્રયાસો અપૂરતા જણાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકારે પણ હાથ ઊંચા કરી દીધા છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિતિ વધુ ખરાબ થશે.

પાકિસ્તાનમાં ઉભી થયેલી હાલત માટે નિષ્ણાતો સરકાર અને તંત્રને જવાબદાર માની રહ્યા છે. તેઓ પૂર, આર્થિક કટોકટી અને રાજકીય ઉથલપાથલ માટે પાકિસ્તાનના ગેરવહીવટ અને અમાનવીયતાને જવાબદાર ઠેરવી રહ્યા છે. રાજકીય અર્થશાસ્ત્રી નિયાઝ મોર્તઝા વર્તમાન કટોકટીને ત્રિ-પાંખીય અવરોધ તરીકે વર્ણવે છે. આમાં આર્થિક, રાજકીય અને કુદરતી અવરોધોનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

તેઓ કહે છે, ગરીબો પહેલેથી જ બે મહિનાથી મોંઘવારી, નોકરી ગુમાવવા અને રાજકીય વિકલાંગતાથી પરેશાન હતા અને હવે પૂરે તેમને ખાડામાં ધકેલી દીધા છે. કમનસીબે આ પરિસ્થિતિઓનો સામનો કરવાને બદલે રાજકીય પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે અથવા પૂર માટે ભારતને દોષી ઠેરવવા મંડ્યા છે.

1,300 થી વધુ લોકોના મોત :

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પૂરના પાણી ઓછુ થવામાં કેટલાક મહિના લાગી શકે છે. આવી સ્થિતિમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનું જોખમ ત્યાં નોંધપાત્ર રીતે વધી ગયું છે. આ સમગ્ર વિસ્તાર આકાશી આફતથી તબાહ થઈ ગયો છે. અહીં હજારો લોકો બેઘર બની ગયા છે.

પાકિસ્તાન હાલ પૂરથી પીડિત છે. 22 કરોડ લોકો પ્રત્યક્ષ અને આડકતરી રીતે પ્રભાવિત થયા છે. 1,300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 160 માંથી 81 જિલ્લામાં પૂરના કારણે 3.3 કરોડ લોકો બેઘર બન્યા છે.

ન ખાવાનું, ન ઘર, ના જલ્દી સ્વસ્થ થવાની આશા સિંધ પ્રાંતને ફરી ઊભા થવામાં ઘણો સમય લાગશે. અહીં પૂરના કારણે હજારો ઘરો, ઘણાં ગામો અને મસ્જિદો અને મદરેસાઓ નાશ પામ્યા છે. પાક બરબાદ થઈ ગયો છે અને જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી બીજો પાક થઈ શકે નહીં.

નિષ્ણાતોના મતે સિંધ પ્રાંતમાં એવા ઘણા વિસ્તારો છે. જ્યાંથી પાણી બહાર આવવામાં 2-3 મહિનાનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ભૂખમરો વધશે, સ્થિર પાણીને કારણે બીમારીઓ વધશે અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પાસે આ સ્થિતિનો સામનો કરવા માટે કોઈ સાધન નથી.

હજારો લોકો સુધી મદદ કેમ નથી પહોંચી રહી ?

પાકિસ્તાનમાં પૂરથી પ્રભાવિત એવા ઘણા ગામો છે, જ્યાં બધું જ તબાહ થઈ ગયું છે. આ ગામોના લોકો ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર છે. બાળકોને સુરક્ષિત રાખવા માટે કેટલાક લોકોએ ઘરના કપડામાંથી ટેન્ટ બનાવ્યા છે. એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કુદરતી આફતનો સામનો કરવામાં પાકિસ્તાન આટલું લાચાર કેવી રીતે લાગે છે? આખરે હજારો લોકો સુધી મદદ કેમ નથી પહોંચી રહી?

રાહત સામગ્રીમાં ભ્રષ્ટાચાર :

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારની હદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક લોકો પૂર પીડિતોની રાહત સામગ્રીની લૂંટમાં પણ રોકાયેલા છે. ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે પાકિસ્તાને તેના પૂર રાહત અને સામગ્રી વિતરણના કાર્યને પારદર્શક બનાવવા માટે ડિજિટલાઇઝેશનનું કામ શરૂ કર્યું છે.

જિયો ન્યૂઝ અનુસાર વિદેશમાંથી મળેલી મદદ અને તેના વિતરણની વિગતો ડિજિટલ ફ્લડ ડેશબોર્ડ દ્વારા સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતને આ મુશ્કેલ સમયમાંથી જલ્દી બહાર આવવા માટે પ્રાર્થના કરી શકાય છે.

આ પણ વાંચો :-

સરકાર હવે તો બંધ આંખો ખોલો, જે બાળક હજી દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો

0

Govt open your closed eyes now

  • વડોદરામાં રખડતા ઢોરે સગર્ભા મહિલાને અડફેટે લેતા ગર્ભમાં રહેલા શિશુનું મોત… 4 વર્ષની નાની બાળકીને બચાવવા જતાં રખડતા ઢોરે મહિલાને ફંગોળી..

એક તરફ રાજ્ય સરકારે (State Govt) આગામી વિધાનસભા સત્રમાં ઢોર નિયંત્રણનો (Cattle control) કાયદો પરત ખેંચવાનો નિર્ણય લીધો. માલધારી સમાજના (Merciful society) આગેવાનોને મુખ્યમંત્રીએ આ વિશે ખાતરી આપી. પરંતુ ગુજરાતમાં રખડતા ઢોરોનું શું, જેનો ભોગ નાગરિકો બની રહ્યાં છે. સરકારે ચૂંટણી પહેલા પોતાની વોટબેંક બચાવવા બંધ બારણે ખેલ પાડી દીધો. પરંતું રખડતા ઢોરોથી હવે નાગરિકોને કોણ બચાવશે.

આવામાં એક એવી ઘટના બની છે જે જાણીને તમારું કાળજુ પણ કંપી ઉઠશે. જે બાળક હજી દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો. વડોદરામાં રખડતા ઢોરે ગર્ભવતી મહિલાને અડફેટે લેતા મહિલાના ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજ્યું છે. પરિવારે બીકના માર્યે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. પરંતું આ આંખ ખોલતો કિસ્સો છે. ત્યારે હવે સરકાર ક્યાં સુધી આંખ મીંચીને બેસી રહેશે.

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. વડોદરામાં ઠેરઠેર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેસેલા હોય છે. આવામાં એક રખડતા ઢોરે ગર્ભવતી મહિલાને અડફેટે લીધી હતી. રખડતા ઢોરે અડફેટે લેતા મહિલાના ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજ્યું છે. વડોદરાના સલાટવાડા વિસ્તારની આ ઘટના છે.

સલાટવાડા વિસ્તારમાં રખડતા ઢોરે ગર્ભવતી માતાને અડફેટે લીધી હતી. રખડતી ગાય નાની બાળકીને ગાય મારતી હતી ત્યારે બાળકીને બચાવવા જતા ગર્ભવતી મહિલાને ગાયે ફંગોળી હતી. જેથી મહિલા ઈજાગ્રસ્ત બની હતી.

ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. ગર્ભવતી મહિલાને ગુપ્તાંગના ભાગમાં વાગવાથી ગર્ભમાં રહેલ શિશુનું મૃત્યુ નિપજ્યું હતું. તો બીજી તરફ, પરિવાર ડરી જતા પોલીસ ફરિયાદ કરવાનીના પાડી.

આ પણ વાંચો :-

હવે તમે પણ પાવાગઢ મંદિરના શિખર પર ધજા ચઢાવી શકશો, મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય

0

Now you too will be able

  • માઈ ભક્તો હવે દક્ષિણા ચૂકવીને આવનારી આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકશે. આ માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણાની રકમ પણ જાહેર કરી.

સદીઓ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે પાવાગઢ (Pavagadh) નિજ મંદિર પર ધ્વજારોહણ (Flag hoisting) કરાયુ હતું. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. ત્યારે હવે ભક્તો પણ નવરાત્રિમાં પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકો છો. આ માટે મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે.

માઈ ભક્તોને ધજા ચડાવવા પાવાગઢ મંદિર ટ્રસ્ટે એક નિર્ણય લીધો. જેમાં હવે માઈભક્તો દક્ષિણા આપીને મંદિર પર ધજા ચઢાવી શકે છે. આ માટે દક્ષિણાના અલગ અલગ ચાર્જ રાખવામાં આવ્યા છે. જે ધજાની અલગ અલગ સાઈઝ મુજબ રાખવામાં આવ્યા છે.

નવરાત્રિમાં પાવાગઢની મહાકાળી માતાનું ખાસ મહત્વ હોય છે. નવરાત્રિના નવ દિવસોમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો મહાકાળીના દર્શને આવતા હોય છે. ત્યારે હવે મહાકાળીનું મંદિર જીર્ણોદ્વાર બાદ ભક્તોની સંખ્યા વધી ગઈ છે.

તેથી શ્રી કાલિકા માતાજીના ટ્રસ્ટ દ્વારા ભક્તોને ધજા ચઢવવાની સુવિધા આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે. માઈ ભક્તો હવે દક્ષિણા ચૂકવીને આવનારી આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકશે. આ માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણાની રકમ પણ જાહેર કરી છે.

અલગ સાઈઝની ધજા માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણા જાહેર કરી છે. માઈ ભક્તો 11 ફૂટથી લઈને 51 ફૂટની ધજા માટે દક્ષિણા જાહેર કરાઈ છે. ભક્તો હવે દક્ષિણા આપી પોતાની મરજી મુજબની ધજા પાવાગઢ મંદિર પર ચડાવી શકશે. ભક્તોમાં ધજારોહણને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાઈડલાઇન જાહેર કરાઈ છે. ધજારોહણ માટે ભક્તોએ દક્ષિણા ચૂકવવી પડશે.

  • 11 ફૂટની ધજા માટે 3100 રૂપિયા દક્ષિણા
  • 21 ફૂટની ધજા માટે 4100 રૂપિયા દક્ષિણા
  • 31 ફૂટની ધજા માટે 5100 રૂપિયા દક્ષિણા
  • 41 ફૂટની ધજા માટે 6,100 રૂપિયા દક્ષિણા
  • 51 ફૂટની ધજા માટે 11000 રૂપિયા દક્ષિણા

26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થતી આસો નવરાત્રીના પહેલા દિવસથી તેનો અમલ કરવામાં આવશે. જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા માંગતા હોય તે યજમાન ભક્તોને મંદિર તરફથી ધજા અને પ્રસાદી, પૂજાપો, ધૂપ આપવામાં આવશે. મંદિરમાં પૂજા કરાવવામાં આવશે અને મંદિર દ્વારા ધજાને શિખર ઉપર ચડાવવામાં આવશે. આ ધજા લાલ કલરની અને શ્રી કાલિકા માતાજીના લખાણવાળી હશે.

આ પણ વાંચો :-

દેવી-દેવતા વિરૂદ્ધ ટીપ્પણી કરનારા સ્વામિ.સંતો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ, કાર્યવાહી નહીં થાય તો પોલીસ…

0

A complaint has been registered against

  • ગઢડામાં સનાતન ધર્મના અગ્રણીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan Sect) સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતા વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી, તેના વિરોધમાં ગઢડા શહેર (Gadhda) ખાતે આજે મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકોએ ભેગા થઈને રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ ઉપરાંત સનાતન ધર્મના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી આ સંતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ સામે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

રેલી કાઢી નોંધાવ્યો વિરોધ :

બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતે આજરોજ કમલમ હોલ ખાતે સનાતન ધર્મના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જે ભગવાન શિવ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે, તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને શહેરના રાજ માર્ગો પર રેલી કાઢી સનાતન ધર્મની જય, હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ ફરિયાદ :

જે બાદ મોટી સંખ્યામાં લોકો શહેરના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાં ગઢડા શહેરના સ્થાનિક વાલેરાભાઈ રાઠોડ, ઋષિકેશ ભાઈ ત્રિવેદી અને નાજભાઈ દ્વારા સનાતન ધર્મના મોટી સંખ્યામાં લોકોને સાથે રાખીને ફરિયાદી બનીને સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણ વલ્લભ સ્વામી, ઋગનાથ ચરણદાસ સ્વામી અને આનંદસાગર સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

આ ઉપરાંત પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં પોલીસ વિરુદ્ધ પણ સનાતન ધર્મના લોકો વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ પણ વાંચો :-