HomeGujaratદરરોજ આટલી મિનિટ ચાલવાથી ટળે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો હ્રદયને કેવી...

દરરોજ આટલી મિનિટ ચાલવાથી ટળે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો હ્રદયને કેવી રીતે રાખવું સ્વસ્થ

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

Walking for a few minutes every day can

  • પણ શું તમે જાણો છો કે ચાલવાથી હાર્ટ અટેકનો ખતરો પણ ટળી શકે છે? દરરોજ કેટલું ચાલવાથી હ્રદય સ્વસ્થ રહે છે એ વિશે આજે અમે તમને જણાવશું..

શરીરને ફીટ અને સ્વસ્થ (Fit and Healthy) રાખવા માટે ચાલવું ખૂબ જ જરૂરી છે. ચાલવાથી હૃદય અને ફેફસાં બંને સ્વસ્થ રહે છે સાથે જ શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે. આ સાથે જ રોજ ચાલવાથી શરીરને પૂરતું ઓક્સિજન (Oxygen) પણ મળી રહે છે અને પાચનક્રિયા સ્વસ્થ (Healthy digestion) રહે છે.

આ સિવાય ચાલવાના ઘણા ફાયદા છે. પણ શું તમે જાણો છો કે ચાલવાથી હાર્ટ અટેકનો ખતરો પણ ટળી શકે છે? દરરોજ કેટલું ચાલવાથી હ્રદય સ્વસ્થ રહે છે એ વિશે આજે અમે તમને જણાવશું..

એક સ્ટડી મુજબ દર અઠવાડિયે 200 થી 400 મિનિટ ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. એવરેજ તમારે એક દિવસમાં ઓછામાં ઓછા અડધાથી એક કલાક ચાલવું જોઈએ. આ સિવાય દરરોજ 2- થી 30 મિનિટ જોગિંગ કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. નિયમિત રીતે જોગિંગ કરવાથી અને ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ કેવી રીતે ઓછું થાય ચાલો જાણીએ..

ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે :

હાર્ટ ફેલ એક ક્રોનિક કન્ડિશન છે જેમાં હૃદય શરીરના અન્ય ભાગોમાં પૂરતા પ્રમાણમાં લોહી પંહોચાડવામાં અસમર્થ રહે છે. આ સ્થિતિમાં હૃદયની પમ્પિંગની ગતિ ધીમી પડી જાય છે. કેટલાક પરિબળો છે જેવા કે વજનમાં વધારો, કાર્ડિયો-મેટાબોલિક સ્થિતિ, હાઈ બ્લડ પ્રેશર અને ટાઇપ-2 ડાયાબિટીસ જે હાર્ટ ફેલનું કારણ બની શકે છે. નિયમિતપણે ચાલવા અને કસરત કરવાથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં અને સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ મળે છે.

શાકભાજીનું કરો સેવન  :

હૃદયને મજબૂત રાખવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. પાલક, બ્રોકોલી, કોબી જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા હૃદયના રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img