Home Blog Page 1309

વલસાડમાં બની મોહાલીવાળી ઘટના, રસોઈયાએ વિદ્યાર્થીનીઓના ન્હાતા વીડિયો બનાવ્યા, ગંદી વાતો કરી

0

Mohali incident happened in Valsad

  • ગરીબ આદિવાસી બાળકોની કોઈક બહારના રસોઇયાઓ દ્વારા માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી, વાલીઓ તથા વિદ્યાર્થીનીઓએ સ્કૂલ સામે મોરચો માંડ્યો.

દક્ષિણ ગુજરાતના (South Gujarat) વલસાડ જિલ્લામાં પંજાબના (Punjab) મોહાલીવાળી ઘટના બની છે. વલસાડના ધરમપુરની (Dharampur) એક શાળાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરે કે રસોઈયો વિદ્યાર્થિનીઓના ન્હાતા ફોટો, વીડિયો બનાવે છે. એટલુ જ નહિ, આ રસોઈયો વિદ્યાર્થિનીઓને (Student) અસભ્ય વાતો કહેતો હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

ત્યારે વાલીઓ અને વિધાર્થીઓ શાળાએ ભેગા થઈને આ મામલે હોબાળો કર્યો હતો. વિધાર્થીનીઓને રસોઈયો હેરાન કરતો હોવાની ધરમપુર PSI ને લેખિત ફરિયાદ કરાઈ છે. આ મામલાની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ વડા તપાસના આદેશ આપ્યા છે. વિદ્યાર્થીનીઓ તથા વાલીઓએ ગૃહમાતા અને રસોઇયાને હટાવવાની માંગ કરી છે. ત્યારે ગુજરાતની એક શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

ધરમપુરના ઓઝરપાડા સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, કરચોંડ તથા ધરમપુરમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો. તેઓએ શાળાના મેનુ મુજબના ભોજન નહીં મળતું હોવાની ફરિયાદ કરી. તેમજ શાળાનો રસોઈયો વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન કરતો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, અમારા જમવામાં પણ કેટલીક વખત ઈયળો નીકળે છે.

આ પણ વાંચો :-

 

ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચેલા કિસાન સંઘના આગેવાનોની અટકાયત, અનેક આંદોલનોથી ગાંધીનગર ગૂંજ્યું

0

Detention of Kisan Sangh leaders who reached

  • પોતાની માંગણીઓને સમર્થન આપે તે હેતુસર આજે ભારતીય કિસાન સંઘ ગાંધીનગર ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચ્યો. જ્યાં આગેવાનોની અટકાયત કરાઇ.

ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh) દ્વારા આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો. કિસાન સંઘ આજે ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચ્યો હતો. જ્યાં તેઓએ ધારાસભ્યોનું સમર્થન માંગ્યુ હતું. કિસાન સંઘના (Kisan Sangh) આગેવાનો પોતાની માંગો લઇને પહોંચ્યા હતા.

કિસાન સંઘ દ્વારા પોતાની માંગણીઓમાં ધારાસભ્યો પણ સાથ આપે તે માટે સમર્થન માંગવામાં આવ્યું. જો કે ધારાસભ્યોનું સમર્થન માંગવા આવેલા કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરી લેવાઇ હતી.

કિસાન સંઘના આગેવાનો ધારાસભ્યોને મળ્યા હતા :

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કિસાન સંઘના આગેવાનો દ્વારા સરકારે બનાવેલી કમિટીના સભ્યો એવા મંત્રીઓના નિવાસસ્થાનને ઘેરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે કિસાન સંઘના આગેવાનો આજે ધારાસભ્યોને મળ્યા હતા અને વિધાનસભામાં તેઓની માંગણી ઉઠાવવાની માંગ કરી હતી.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના 500થી વધુ લોકોનું શ્રમિક સંમેલન :

મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસથી ગાંધીનગરમાં વિવિધ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના 500થી વધુ લોકોનું શ્રમિક સંમેલન પણ યોજાયું છે. 18 જેટલી માંગણીઓ લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર સમક્ષ શ્રમિકો માટે આવાસ અને ટોયલેટ જેવી સુવિધાની તેઓ માંગ કરી રહ્યાં છે. વારંવાર થતા અકસ્માત અંગે સરકાર પોલિસી બનાવે તેવી તેઓ માંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

વડોદરા સેન્ટ્રલ જેલમાં એક સાથે 7 કેદીઓએ પીધું ઝેરી પ્રવાહી, કારણ જાણીને પોલીસ ચોંકી   

0

In Vadodara Central Jail, 7 prisoners

  • ટિફિન બાબતે મનદુઃખ થતા વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓએ ફિનાઈલ પી લીધું હતું અને જેલ સત્તાધિશો ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ કરી હતી.

વડોદરાની સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail) 7 કાચા કામના કેદીઓએ ફીનાઇલ ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે. જેલ પ્રશાસનના (Jail Administration) ત્રાસને પગલે કેદીઓએ ફિનાઈલ (Drink) પીધુ હોવાની રાવ ઉઠતાં ચકચાર મચી જવા પામી છે. જેને લઈને કેદીઓને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં તમામની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ :

આજે સાંજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ પીધાની ઘટના સામે આવી છે.  નોકરી મામલે છેતરપિંડીના ગુન્હામાં હર્ષિલ લિંબાચીયા અને પાદરામાં મર્ડર કેસમાં ચર્ચાતું નામ અભી ઝા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેને પગલે એસએસજી હોસ્પિટલ ખાતે તમાંમની સારવાર ચાલી રહી છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

જ્યાં સારવાર દરમિયાન હર્ષિલે હોસ્પિટલમાં જેલ તંત્ર પર ત્રાસ આપવા સહીત હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા રૂપિયાની માંગ કરવામા આવતી હોવાના આરોપ લગાવ્યા હતા. રૂમ બહાર ન નીકળવા દેતા હોવા ઉપરાંતની અનેક ધગધગતી રાવ કરાઇ છે.

કેદીઓની તબિયત હાલ સ્થિર  :

બીજી તરફ આ ઘટનાને પગલે તાત્કાલિક ડીસીપી ઝોન 2નાં અભય સોની તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જયા ફરિયાદ નોંધવા સહીતની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેલ સંકુલમાં હાહાકાર મચાવતી આ ઘટના અંગે જેલમાં ફિનાઈલ કેદીઓ સુધી કોણે પહોંચાડ્યું તે સહીતની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  આ મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ કેદીઓની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તપાસ બાદ વધુ માહિતી બહાર આવશે.

આ પણ વાંચો :-

પરંપરા હજી પણ જીવે છે, આધુનિકતામાં પણ કુંભારના હાથે બનેલા માટીના ગરબાની માંગ છે

0

The tradition still lives on, even in

  • નવરાત્રી દરમ્યાન અખંડ દીવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ છે.

નવરાત્રિને (Navratri) આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારની ઉજવણી માટે વિવિધ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારના સમયમાં અલગ-અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે. આધુનિક સમયમાં હવે માટીના ગરબાની (Garba of clay) જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે. પરંતુ બોટાદના ગઢડામાં આજેપણ માટીના ગરબાની પરંપરા જોવા મળે છે.

ગઢડામાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર માટીના ગરબા બનાવવામાં આવે છે. હવેના આધુનિક યુગમાં ચિનાઈ માટીના અલગ-અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે. જેણે પરંપરાગત ગરબીઓના ક્રેઝને ઘટાડી દીધો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો જૂની પરંપરા પ્રમાણે માટીના ગરબાની ખરીદી કરીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી માટીનું કામ કરતા પરિવારને રોજીરોટી મળી રહે. ગઢડામાં લોકો માટીના ગરબા ખરીદવા આવતાં કુંભાર પરિવારમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

નવરાત્રિને હવે ગણત્રરીના દિવસો બાકી છે ત્યારે આધુનિક યુગમાં હવે અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટીના ગરબાની જુની પરંપરા લુપ્ત થઈ રહી છે. ત્યારે નવરાત્રી દરમ્યાન અખંડ દીવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ જોવા મળે છે.

 વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રિ. દરેક ગુજરાતી નવરાત્રિની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હોય છે. તેમાં પણ કોરોના જેવા કપરા કાળ બાદ નવરાત્રિની હવે ઘડીઓ ગણાઇ રહી હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે. નવરાત્રિ શક્તિની ઉપાસનાનો તહેવાર છે, સાથે ગુજરાતીઓના લોહીમાં નવરાત્રીનો તહેવાર એવો સમાઇ ગયો છે કે જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં નવરાત્રીનો તહેવાર તો ઉજવાય જ. આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભની સાથે જ વાતાવરણમાં દિવ્યતાનો અણસાર પથરાઇ જશે.

ગરબીની પ્રથાને જાળવી રાખતા કુંભાર મેરામભાઈ જણાવે છે કે, આધુનિક યુગમાં હવે ગરબા પણ અલગ અલગ પ્રકારના બજારમાં જોવા મળી રહ્યા છે અને માટીના ગરબાની પરંપરા થોડી લુપ્ત થઈ રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા જોવા મળે છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે. હવેના આધુનિક યુગમાં હવે અલગ અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જુની પરંપરા મુજબ પ્રાચીન માટીના ગરબાની ખરીદી કરીને જુની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચીન માટીના ગરબાની માંગ થઈ રહી છે.

આધુનિક યુગમાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારોમાં લોકો માટીના ગરબાની માંગ કરી રહ્યા છે. જેથી માટીકામ કરતા પરીવારોને રોજીરોટી મળી રહે છે. હાલ માટીના ગરબાની માંગ છે ત્યારે ગઢડામા માટીના ગરબા બનાવતા કુંભાર પરીવારમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

ઉડતા નહિ, પણ ડ્રગ્સ પકડતા ગુજરાત : હર્ષ સંઘવીએ ગૃહમાં કોંગ્રેસને એવું તતડાવ્યું કે…

0

Gujarat, not flying, but catching drugs

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 6,500 કરોડના ડ્રગ્સ સાથે 750 ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. એટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી.

ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ પકડવામાં ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી (Drugs Reward Policy)’ ખૂબ મહત્વની સાબિત થઈ છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીએ (Minister of State for Home Harsh Sandhvi) વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું નથી. પણ ગુજરાત પોલીસની (Gujarat Police) સતર્કતાથી ગુજરાતમાં ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 6,500 કરોડના ડ્રગ્સ સાથે 750 ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. એટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ પકડવા માટે અમલમાં મૂકાયેલી ઐતિહાસિક ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી‘ની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે.

એમ જણાવી હર્ષ સંધવીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવીને ડ્રગ્સ પકડતી ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કોંગ્રેસ બંધ કરે. રાજ્યના યુવા ધનના હિતમાં ચાલી રહેલા ગુજરાત પોલીસના ડ્રગ્સ નાબૂદી અભિયાન વિરુદ્ધ કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ.

એટલું જ નહિ ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. વિવિધ રાજ્યોમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર પંજાબની જેલ સુ઼ધી જાય છે.

હર્ષ સંધવીએ ગૃહને આહવાન કર્યું હતું કે, ડ્રગ્સ સામેનો આ જંગ સૌ સાથે મળીને જીતવાનો છે અને ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. પશ્ચિમી દેશોમાં ડ્રગ્સનું સેવન એ ફેશન સ્ટેટસ બની ગયું છે. ગુજરાના યુવાનોમાં આ દૂષણ ન ફેલાય તે જોવાનું કામ આપણા સૌનું છે.

આ પણ વાંચો :-

 

ભાજપ માટે નવાજુનીના એંધાણ ! ચૂંટણી પૂર્વે કોળી સમાજનું સંમેલન યોજાયું, કઈ 9 માંગ મુદ્દે થઈ ચર્ચા ?

0

New ideas for BJP! A convention of Koli

  • જસદણ વિછિયા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડ્યા હતા. આ સંમેલન કોળી સમાજના પ્રમુખ શામજીભાઇ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજ્યું હતું.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચુંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજો (Different societies) પોતાની વિવિધ માંગ લઈને સંમેલનો કરી રહી છે અને પોતાનું વર્ચસ્વ બતાવવા પ્રયાસ કરવા સાથે દરેક પક્ષ તેની નોંધ લે તેવો પ્રયાસ કરી રહી છે. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણના (Jasdan) બાખલવડ ગામે કોળી સમાજનું (Koli society) મહા સમેલન યોજાયું હતું.

જસદણ વિછિયા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડ્યા હતા. આ સંમેલન કોળી સમાજના પ્રમુખ શામજીભાઇ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજ્યું હતું. જેમાં કોળી સમાજ ઉપર હજુ પણ અત્યાચાર અને અન્યાય થઈ રહ્યાના આરોપો કરવામાં આવ્યા હતા.

આ સંમેલનમાં કોળી સમાજને થઈ રહેલ અન્યાય માટે ચિંતન કરવાં આવ્યું હતું. જેમાં કોળી સમાજને તેની વસ્તીને લઈને અનામતની માંગ કરવામાં આવી હતી અને દરેક જિલ્લમાં કોળી સમાજની છાત્રાલય હોય સાથે કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર બજેટ આપે તેવા 9 જેટલા પ્રશ્નોની માંગ સાથે અહી કોળી સમેલન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે કોળી સમાજના આગેવાનો હવે રાજકીય પ્રવેશ કરે તેવી માંગ કોળી સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને જસદણના કોળી સમાજના પ્રમુખ એવા શામજીભાઇ ડાંગર હવે રાજકીય પ્રવેશ કરે તેવી આ સંમેલનમાં પ્રમુખને આહ્વાન કર્યું હતું સાથે સાથે કોળી સમાજના શિક્ષત યુવકો હવે રાજકારણમાં પ્રવેશે અને કોળી સમાજને થતાં અન્યાય સામે લડે વગેરે મુદ્દે આજે આ ચિંતન શિબિરના મહત્વના મુદ્દા રહ્યા હતા. સાથે સાથે કોળી સમાજ પોતાનું રાજકીય મહત્વ સાબિત કરવા પણ મથામણ થતી હોય તેવું સ્પસ્ટ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

મધર ડેરીની જાહેરાત : ફરીથી વધશે દૂધના ભાવ, ભાવ વધારા પાછળનું કારણ પણ જણાવ્યું

0

Mother Dairy Announcement :

  • ડેરી પ્રોડક્ટનો બિઝનેસ કરનારી કંપની મદર ડેરી આગામી થોડા મહિનામાં દૂધ-દહીંના ભાવ વધારી શકે છે.

ડેરી પ્રોડક્ટનો (Dairy product) બિઝનેસ કરનારી કંપની મધર ડેરી આગામી થોડા મહિનામાં દૂધ-દહીંના (Milk-Curd) ભાવ વધારી શકે છે. એવા સંકેત કંપનીના અધિકારી તરફથી આપવામાં આવ્યા છે. મધર ડેરીએ હાલમાં જ દૂધ-દહીં, છાશ વગેરેના રેટ વધારી દીધા હતા. તેની પાછળ ખર્ચા વધ્યા (Costs increased) હોવાનો હવાલો આપ્યો હતો.

એવું પણ કહ્યું છે કે ડીઝલના ભાવ વધવા માલની હેરફેરનો ખર્ચ વધ્યો છે. તેથી રેટ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કંપનીએ એવું પણ કહ્યું કે દૂધ દહીં જેવી ડેરી પ્રોડક્ટના ભાવમાં વધારાનો ફાયદો ખેડૂતોને પણ થાય છે. જે મધર ડેરીમાં પોતાનો માલ વેચે છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

તેની સાથે જ મધર ડેરીએ આશા વ્યક્ત કરી છે કે હાલના નાણાકીય વર્ષમાં તેમના વેચાણમાં 20 ટકા સુધી વધારો થઈ શકે છે. અને ટર્નઓવર 15,000 કરોડ રૂપિયા સુધી જઈ શકશે. મધર ડેરી દૂધ અને ડેરી પ્રોડક્ટ ઉપરાંત ફળો અને શાકભાજીનો બિઝનેસ પણ કરે છે.

વેચાણ વધવાની આશા :

મધર ડેરીના મેનેજમેન્ટ ડિરેક્ટર મનીષ બંડલીશ વેચાણમાં વધારા વિશે કહે છે કે હાલના નાણાકીય વર્ષમાં દૂધ અને ડેરી પ્રોડક્ટની માગમાં 15 ટકાથી વધારે ઉજાળો જોવા મળી રહ્યો છે. જેનો ફાયદો મદર ડેરીને મળશે. મદર ડેરીનો 70 ટકા કારોબાર દૂધ અને ડેરી પ્રોડક્ટનો જ હોય છે.

બંડલીશ કહે છે કે, આ વર્ષે આઈસ્ક્રીમના વેચાણ પણ બંપર રહેવાની આશા છે કારણ કે કોરોનામાં તેનો બિઝનેસ બિલ્કુલ ઠપ હતો. તબિયત બગડવાના ડરથી લોકોએ આઈસ્ક્રીમ ખરીદવાનું બંધ કર્યું હતું. જેથી છેલ્લા બે વર્ષમાં તેનું વેચાણ ઘટી ગયું હતું.

મધર ડેરીના એમડીના જણાવ્યા અનુસાર ફળ, શાકભાજી અને ખાદ્ય તેલના બિઝનેસમાં 30 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેઓ માને છે કે ઈ કોમર્સ કંપનીઓથી મધર ડેરીને મોટી ટક્કર છે અને કેટલાય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી બાબતો હોવા છતાં ફળ, શાકભાજી અને ખાદ્યતેલનો બિઝનેસ દમદાર રહ્યો છે.

આ પણ વાંચો :-

શું તમે જાણો છો કે કયું ભોજન કેવા વાસણમાં મુકવું જોઈએ ? આયુર્વેદ અનુસાર જાણો કેવો પડે છે શરીર પર તેનો પ્રભાવ

Do you know which food should be put in which

  • આયુર્વેદ અનુસાર અમે કેટલીક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ કે તમારે કયા પ્રકારનો ખોરાક કયા વાસણમાં સ્ટોર કરવો જોઈએ જેથી કરીને તમારા સ્વાસ્થ્ય પર તેની કોઈ ખોટી અસર ન પડે.

બચેલા ખોરાકનો સંગ્રહ (Food storage) કેવી રીતે કરવો તેના પર આપણે બિલકુલ ધ્યાન નથી આપતા. કોઈ પણ પ્લાસ્ટીક અથવા સ્ટીલના ડબ્બામાં (Steel cans) ભરીને તેને ફ્રિઝમાં મુકી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે આનાથી માત્ર ખોરાકના પોષણ અને સ્વાદમાં (Nutrition and taste) જ ફરક નથી પડતો. પરંતુ તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

જી હા આજે અમે તમને આયુર્વેદ અનુસાર કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે તમારે કયા પ્રકારનો ખોરાક કયા વાસણમાં સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને તમારા સ્વાસ્થ્ય પર તેની કોઈ ખોટી અસર ન પડે. ચાલો જાણીએ કે બચેલા ખોરાકનો સંગ્રહ કેવી રીતે કરવો.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

જ્યુસ અને સિરપને આ રીતે કરો સ્ટોર :

જ્યુસ અને સિરપ જેવી વસ્તુઓને તમારે કોઈ પણ વાસણમાં આમ જ સ્ટોર ન કરવા જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ માટે તમારે ચાંદીના વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ.

ઘી કેવી રીતે સ્ટોર કરશો ? 

ઘીનો ઉપયોગ મોટાભાગે ભારતીય રસોડામાં થાય છે. જો તમે ઘરે ઘી બનાવો છો તો તે ખૂબ જ સારું છે. પરંતુ જો તમે તેને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખીને તેનો ઉપયોગ કરો છો. તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જી હા ઘી લોખંડના વાસણમાં અથવા કાચની બરણીમાં રાખો.

ખાટી વસ્તુઓને આ રીતે કરો સ્ટોર :

ખાટી વસ્તુઓને ખાસ કરીને માટીના વાસણોમાં સ્ટોર કરો. અથવા તો તમે ચીની માટીના વાસણોનો પણ ઉપયોગ કરી શકો છો. જેથી તેના કારણે શરીરમાં કોઈ રિએક્શન ન આવે અને ભોજન પણ બગડે નહીં. ખાસ કરીને અથાણાં જેવી ખાટી વસ્તુઓ બોઝાનમાં રાખવામાં આવે છે.

આ પણ વાંચો :-

ફ્રીમાં મળશે Netflix Amazon Primeનું સબ્સ્ક્રિપ્શન, બસ ફોલો કરો આ સરળ ટિપ્સ

0

Get Netflix Amazon Prime subscription

  • આજકાલ ઓટીટી પ્લેટફોર્મ માટેના વધુ વિકલ્પોને કારણે દરેક એપનું સબ્સ્ક્રિપ્શન લેવાનું શક્ય નથી. આજે અમે તમને એક ટ્રીક જણાવી રહ્યા છીએ જેનાથી તમે અમેઝોન અને નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં લઈ શકો છો.

ભારતમાં પણ OTTનો ટ્રેન્ડ ઘણો લોકપ્રિય થયો છે. આ જ કારણ છે કે અહીં OTT પ્લેટફોર્મ પણ ઘણા છે. Amazon Prime અને Netflix જેવા OTT પ્લેટફોર્મ સૌથી વધુ લોકપ્રિય છે. તેનું સબ્સ્ક્રિપ્શન (Subscription) પણ અન્ય એપ્સ કરતાં થોડું વધારે છે.

આવી સ્થિતિમાં સંખ્યા વધુ હોવાને કારણે દરેક યુઝર્સ તમામ એપ્સનું સબ્સ્ક્રિપ્શન ન લઈ શકે. જ્યારે અલગ અલગ કન્ટેન્ટના કારણે તેમને તેની જરૂરીયાત મસેસુસ થાય છે. આજે અમે તમને એક ખાસ પ્લાન જણાવીશું જેના દ્વારા તમે એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સને ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી શકો છો.

જીયો પોસ્ટ પેડનો 399 રૂપિયા વાળો પ્લાન :

જો તમે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ મફતમાં મેળવવા માંગતા હો તો તમારી પાસે જીયો પોસ્ટપેડનો આ પ્લાન લેવાનો પહેલો ઓપ્શન છે. આમાં તમને અનલિમિડેટ કોલિંગ અને 1 દિવસમાં 100 મેસેજની સુવિધા મળશે.

ઉપરાંત નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનું સબ્સ્ક્રિપ્શન પણ મફતમાં ઉપલબ્ધ રહેશે. કંપની તમને આ યોજનામાં 75 જીબી ડેટા પણ આપે છે. આ યોજના વિશેની ખાસ વાત એ છે કે તે 200GB Data Rollover સાથે આવે છે.

જીયોનો 599 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન :

જીયોનો આ પ્લાન પોસ્ટપેડ કેટેગરીમાં સૌથી વધારે પોપ્યુલર છે. 599 રૂપિયાના રેન્ટલ વાળા આ પ્લાનમાં તમને 100GB ડેટા મળે છે. ત્યાં જ આ પેક ફેમિલી પ્લાન એટલે કે એડિશનલ સિમની સાથે આવે છે. તમે તેમાં 200GB સુધી ડેટા રોલઓવર કરી શકો છો. કોલિંગની વાત કરવામાં આવે તો તે પણ અનલિમિટેડ કોલિંગ મળે છે અને સૌથી ખાસ વાત એ છે કે આ પ્લાનની સાથે તમને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રોઈમનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.

એરટેલનો 1199 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન :

એરટેલ 1199 પોસ્ટપેડ પ્લાનમાં તમને Netflix, Amazon Prime અને Disney+Hotstarનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. આ પ્લાનમાં પણ જીયોની જેમ તમને અનલિમિટેડ કોલિંગ અને 100 મેસેજ ડેલીની સિવિધા મળે છે. કંપની તમને 150જીબી ડેટાને રોલઓવર કરી આપે છે. આ પ્લાનની પોપ્યુલારિટીનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આ એરટેલ પોસ્ટપેડનો સૌથી વધુ વેચાતો પ્લાન છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 22 સપ્ટેમ્બર : કુંભ-મીન રાશિના જાતકોના ખર્ચામાં વધારો થશે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today’s Horoscope September 22 :Gujarat Guardian

મેષ
નાણાંકીય બાબતો માટે અનુકુળતા જળવાય. આવકનું પાસું મજબૂત બને. કુટુંબમાં પરસ્પરના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી રાખવા. માતાની ત‌બિયતની કાળજી જરૂરી. આરોગ્ય સારૂં રહેશે.

વૃષભ
લાગણીશીલતાનું પ્રમાણ વધતું જણાય. સંબંધના ખેંચાણને કારણે ખોટું કામ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. પા‌રિવા‌રિક જીવનમાં સ્નેહ વધે. ભાગ્યનો સાથ મળે છે. ધંધાકીય ક્ષેત્રે નવીન ઉર્જાનો અનુભવ થાય.

મિથુન
ગુસ્સાનું પ્રાણ વધે. આવકનું પ્રમાણ ઘટે. ગળાના રોગથી સાચવવું. જમણી આંખની કાળજી રાખવી. ફાયનાન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હોટલના ધંધામાં લાભ. ધંધામાં ઓ‌‌ચિં‌તિ સારી તક આવે.

કર્ક
‌વિચારવાયુનું પ્રમાણ વધે. યશ, પ્ર‌તિષ્‍ઠામાં વધારો થતો જણાય. પ‌રિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

‌સિંહ
આવકનું પ્રમાણ જળવાય. પ‌રિવારમાં પરસ્પર પ્રેમની ભાવના બળવત્તર બને. ધારેલા કાર્ય પાર પાડી શકાય. નાણાંકીય રોકાણોનું યોગ્ય આયોજન શકય બને. આરોગ્ય જળવાય. થોડો શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યા
આવકનું પાસુ મજબૂત બને છે. ગણત્રીપૂર્વકના આ‌‌ર્થિક રોકાણો યોગ્ય રીતે કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા અને યશના સહભાગી બનશો. માતાની ત‌બિયત સાચવવાની સલાહ છે. સંતાનની પ્રગ‌તિથી આનંદ જળવાય.

તુલા
આળસનો અનુભવ થાય. કામકાજ કરવાની ઇચ્છા ન થાય. આવકનું પ્રમાણ ઘટે. પ‌રિવારમાં માન‌સિક તણાવ રહે. અગત્યના કાર્યો, રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળશે. ધા‌ર્મિક યાત્રાનું આયોજન શકય બને.

વૃ‌શ્ચિક
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. ભાઇ-બહેન સાથેના સંબંધોમાં તણાવ રહે. સ્થાવર જંગમ ‌મિલકત ક્ષેત્રે ફાયદો અનુભવી શકાય. ગળાના રોગોથી સાવચેતી જરૂરી. વૈવા‌હિક જીવનમાં પ્રેમ વધે.

ધન
મન અશાંત રહે. નકારાત્મક ‌વિચારો વધે. ‌ડિપ્રેશનના દર્દી માટે ‌વિશેષ સાવધાની જરૂરી. નાણાંકીય આવક અટકતી જણાય. સ્થાવર-જંગમ ‌મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાય. માતાની ત‌બિયત સાચવવી. દામ્પત્ય જીવનમાં ગુસ્સો ટાળવો.

મકર
માન‌સિક ‌સ્થિરતા જળવાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. માન-સન્માન વધતા જણાય. ખોટા ખર્ચ ટાળવા. ‌મિલકત તથા વાહન અંગે શુભ સમય છે. સંતાન સુખમાં વધારો સંભવે. આરોગ્ય જળવાય. માથામાં ઇજા થાય તો સાવધાની જરૂરી.

કુંભ
માન‌સિક તણાવ વધતો જણાય. આવકનું પ્રમાણ ધાર્યા કરતાં ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. ધંધામાં નાણાં ફસાઇ જવાના યોગ બને છે. માતૃસુખ જળવાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. પાણીના રોગોથી સાચવવું.

મીન
આત્મ‌વિશ્વાસ વધવાને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ‌રિવારમાં પરસ્પર પ્રેમમાં વધારો થાય. સંતાનની ત‌બિયતની ‌ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. જુના ‌મિત્રોની મુલાકાત શકય બને.

આ પણ વાંચો :-