Home Blog Page 1308

જો તમારી પાસે નાનકડી જમીન હોય તો તમે પણ કમાઈ શકો છો લાખો રૂપિયા , જાણો કઈ રીતે કમાઈ શકો છો લાખો રૂપિયા

0

If you have a small piece of land you

  • જો તમારી પાસે નાનકડી જમીન હોય તો પણ તમે લાખો રુપિયા કમાઈ શકો છો. નાના ખેડૂતોની એક સમસ્યા એ હોય છે કે એવું તો શું કરવું જેથી કરીને નાનકડા ખેતરથી પણ મોટી કમાણી કરી શકાય.

જો તમે ઓછા પૈસાનું રોકાણ કરીને બિઝનેસ (Business) શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને એક બિઝનેસ આઈડિયા જણાવી રહ્યા છીએ. તમે ખૂબ જ ઓછું રોકાણ કરીને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. રજનીગંધાના ફૂલોની ખેતી (Turberose Flower Farming) કરીને તમે બિઝનેસ શરૂ કરી શકો છો. સુગંધિત ફૂલોમાં રજનીગંધાના ફૂલોનું એક અલગ અને મહત્વપૂર્ણ સ્થાન રહેલું છે. રજનીગંધાના ફૂલ લાંબા સમય સુધી સુગંધિત અને તાજા રહે છે. આ કારણોસર બજારમાં રજનીગંધાના (Rajnigandha) ફૂલોની માંગ પણ વધુ રહે છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

મેક્સિકો દેશમાં રજનીગંધા (પોલોએંથસ ટ્યૂબરોજ લિન) ની ઉત્પત્તિ થઈ છે. આ ફૂલ એમરિલિડિએલી ફૂલનો છોડ છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે.

ખેતી કેવી રીતે કરવી :

રજનીગંધાના ફૂલોની ખેતી કરતા પહેલા પ્રતિ એકર જમીનમાં 6થી 8 ટ્રોલી છાણનું ખાતર નાખો. તેની સાથે NPK અથવા DAP જેવા ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફૂલોની ખેતી બટાકાની જેમ કંદથી થાય છે. એક એકર જમીનમાં 20 હજાર કંદ લાગે છે. હંમેશા તાજા, યોગ્ય અને મોટા કંદ લગાવવા જોઈએ, જેથી રજનીગંધાના ફૂલોની ખેતીમાં સારું ઉત્પાદન થાય છે. ભારતમાં રજનીગંધાના ફૂલોની ખેતી 20 હજાર હેક્ટર ક્ષેત્રમાં કરવામાં આવે છે. ફ્રાંસ, ઈટાલી, દક્ષિણ આફ્રિકા, અમેરિકા તથા અન્ય દેશોમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે.

કેટલી કમાણી થઈ શકે છે :

જો એક એકર જમીનમાં રજનીગંધાના ફૂલોની ખેતી કરવામાં આવે તો રજનીગંધાના ફૂલની અંદાજે 1 લાખ સ્ટિક (ફૂલ) મળે છે. તમે આસપાસમાં ફૂલ બજારમાં આ ફૂલ વેચી શકો છો. જો આસપાસમાં કોઈ મોટું મંદિર, ફૂલની દુકાન, લગ્ન પ્રસંગવાળું ઘર હોય તો ત્યાં તમને ફૂલના સારા ભાવ મળી શકે છે. રજનીગંધાનું એક ફૂલ રૂ. 1.5થી રૂ.8માં વેચવામાં આવે છે. આ ફૂલની માંગ કેટલી અને તેનો કેટલો સપ્લાય થાય છે, તેના પર આ બિઝનેસ નિર્ભર કરે છે. તમે માત્ર એક એકર જમીનમાં રજનીગંધાના ફૂલની ખેતી કરીને રૂ. 1.5 લાખથી રૂ. 6 લાખ સુધીની કમાણી કરી શકો છો.

આ પણ વાંચો :-

શું આ દિગ્ગજ યુવા નેતાના હાથમાં જશે રાજસ્થાનની કમાન ? ગેહલોતના નીકટના મંત્રીએ આપ્યો મોટો સંકેત

0

Will the reign of Rajasthan go to the

  • રાજેન્દ્ર ગુઢાએ કહ્યું કે કોંગ્રેસના અમારા નેતા…સોનિયાજી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે પણ નિર્ણય લેશે તેને અમે બધા સ્વીકારીશું.

રાજસ્થાનના (Rajasthan) પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુઢાએ (Rajendra Gudha) ગુરુવારે સંકેત આપ્યો કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના (Ashok Gehlot) પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા અને તેમના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની સ્થિતિમાં જો સચિન પાઈલટને (Sachin pilot) પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેઓ અને અન્ય પાંચ ધારાસભ્યો તેનો વિરોધ કરશે નહીં.

ગુઢા એ છ ધારાસભ્યોમાં સામેલ છે જેમણે બસપા છોડીને કોંગ્રેસની સદસ્યતા લીધી હતી. તેઓ ગહેલોના નીકટના મનાય છે. જો કે ગુઢાએ હાલની રાજકીય પરિસ્થિતિઓમાં પોતાનું વલણ સ્પષ્ટ કરતા સંકેત આપ્યો કે તેઓ કોઈ ચહેરા સાથે નથી.

રાજેન્દ્ર ગુઢાએ કહ્યું કે કોંગ્રેસના અમારા નેતા…સોનિયાજી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે પણ નિર્ણય લેશે તેને અમે બધા સ્વીકારીશું. અને તેમાં કિન્તુ-પરંતુની કોઈ વાત નથી.. ગુઢાએ જયપુરમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે ‘અમે બધા છ ધારાસભ્યો આજે કોંગ્રેસી છીએ. કોંગ્રેસના સભ્ય છીએ અને વિધાનસભામાં પણ કોંગ્રેસના સભ્ય છીએ. સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી જે પણ નિર્ણય લેશે અમે તે નિર્ણયનું સ્વાગત કરીશું.’

અત્રે જણાવવાનું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોતની ચૂંટણી લડવાની શક્યતા આ નિવેદન આવ્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ છે કે જો પાર્ટી હાઈકમાન સચિન પાઈલટને મુખ્યમંત્રી બનાવે તો તેમના વિરોધીઓ તેનો વિરોધ કરશે નહીં. અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ મુજબ અશોક ગેહલોતની ઈચ્છા છે કે સીપી જોશી તેમના ઉત્તરાધિકારી બને. જ્યારે સચિન પાઈલટના નીકટના ધારાસભ્યોની માંગણી છે કે પૂર્વ ડેપ્યુટી સીએમ પાઈલટને જ આ જવાબદારી સોંપવામાં આવે.

આજે મહત્વની બેઠક :

આ બાજુ કોંગ્રેસની ભારત જોડો યાત્રા હવે કેરળના ત્રિશુર સુધી પહોંચી ચૂકી છે. આ યાત્રામાં આજે આરામનો દિવસ છે. આ બધા વચ્ચે રાહુલ ગાંધી દિલ્હી આવ્યા છે અને સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી આજે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક કરશે. બેઠકમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ સામેલ થશે. એવું કહેવાય છે કે રાહુલ ગાંધી અને અશોક ગેહલોત એક જ ચાર્ટર પ્લેનથી દિલ્હી આવ્યા છે.

નવા મુખ્યમંત્રી પર લાગી શકે છે મહોર :

રાહુલ ગાંધીની સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી તથા અશોક ગેહલોત સાથે થનારી બેઠકમાં એ વાત પર ચર્ચા થશે કે રાજસ્થાનની કમાન કોને સોંપવામાં આવે. કારણ કે અશોક ગેહલોત કોંગ્રેસના આગામી અધ્યક્ષની રેસમાં હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી નામ પર મહોર લાગી શકે છે.

આ પણ વાંચો :-

લાઇટ બિલ ભરવાનો ફોન આવે તો ચેતી જજો ! અમદાવાદમાં આવી રીતે લાગ્યો 6 લાખ રૂપિયાનો ‘ઝટકો’

If you get a call to pay the light bill

  • એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા પડાવી લેતા શખ્સને અમદાવાદ સાયબર ક્રાઇમે સુરતથી ઝડપી લીધો હતો. પોલીસે 6 મહિનાથી નોકરી કરતા જીજ્ઞેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime) લાઈટ બિલ (Light bill) ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ છેતરપિંડી (Fraud) કરતી ગેંગના એક આરોપીને દબોચી લીધો છે. પોલીસ ઝપટે ચડેલો આરોપી છેતરપિંડીની રકમથી સોનુ ખરીદવા ગયો હતો. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી માત્ર પગાર માટે નોકરી કરતો હોવાનો ખુલાસો થયો છે. જેને લઇને પોલીસે મુખ્ય આરોપી સુધી પહોચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીએ અમદાવાદમાં કરી 6 લાખની છેતરપિંડી :

અમદાવાદમાં લાઈટ બિલ બાકી છે અને તે નહી ભરો તો કનેક્શન કપાઈ જશે તેવુ જણાવી ફરિયાદી પાસે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 6 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની અમદાવાદ સાયબર ક્રાઈમને એક ફરિયાદ મળી હતી. જે ફરિયાદને પગલે પોલીસ તપાસ કરી રહી હતી.

દરમિયાન છેતરપિંડીની મેળવેલે રકમ બજારમાં વાપરવા માટે આરોપી જિગ્નેશ સુરતમાં ફરતો હતો. જેની સાયબર ક્રાઈમે સુરતથી ધરપકડ કરી લીધી હતી. સાયબર ક્રાઈમે આરોપી જિગ્નેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યુ કે આરોપી છેલ્લા 6 મહિનાથી આ કામ કરતો હતો.

સાવન જિગ્નેશને દર મહિને 45 હજાર પગાર આપતો :

આ ગુનાનો મુખ્ય આરોપી સાવન ગઢીયા હોવાનું ખૂલ્યુ હતું. સાવન જે રૂપિયા આપે છે તે રૂપિયાના આધારે આરોપી સોનુ કે દાગીના ખરીદી કરતો હતો. વધુમાં માત્ર અમદાવાદના ગુના જ નહીં પરંતુ અન્ય ગુનાની રકમ પણ તેણે આવી રીતે વાપરી છે.

સુરતના ડુમસ બીચ પર 10 ફૂટ ઊંચો જિન દેખાયો . કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો વીડિયો. Gujarat Guardian આ વીડિયો ની પુષ્ટિ કરતુ નથી.

આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે સાવન જિગ્નેશને દર મહિને 45 હજાર પગાર આપી આ કામ કરાવતો હતો. આથી આરોપી ક્યાં ક્યાં રૂપિયા રોકાણ કરતો હતો  અને કોની મદદથી નાણાંનું ટ્રાન્જેક્શન કરતો હતો તે મુદ્દે પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરાઈ છે અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :- 

 

વિદાય લેતા પહેલા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, જાણો શું કહે છે હવામાન વિભાગ ?

0

Forecast of rain with storm in Gujarat

  • ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ વિદાય લેતા પહેલા મેઘરાજા ગુજરાતને ધમરોળી શકે છે.

આ વર્ષે વરસાદ નવરાત્રિમાં (Navratri 2022) ખેલૈયાઓને પરેશાન કરી શકે છે. કારણ કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) નવરાત્રિના સમય દરમિયાન વરસાદ (Rain) પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવારણ સૂકું રહેશે. જ્યારે ગીર સોમનાથ-અમરેલીમાં (Gir Somnath-Amreli) છૂટાછવાયા વરસાદની આગાહી છે તો વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે.

જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે.

ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ વિદાય લેતા પહેલા મેઘરાજા ગુજરાતને ધમરોળી શકે છે.

એટલે કે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.

સુરતના ડુમસ બીચ પર 10 ફૂટ ઊંચો જિન દેખાયો . કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો વીડિયો. Gujarat Guardian આ વીડિયો ની પુષ્ટિ કરતુ નથી.

ગુજરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે. નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. મોન્સુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે.

આ પણ વાંચો :-

સગાઈ તોડી નાખતા હત્યા : જમાલપુરમાં મોડી રાત્રે સલીમે છરીના ચાર ઘા મારીને શોએબને પતાવી દીધો

Engagement-breaking murder :

  • અમદાવાદના જમાલપુરમાં છરીના ઘા ઝીંકી વધુ એક યુવાનની હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઇ છે. આ મામલે પોલીસે આરોપીને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના (Ahmedabad) જમાલપુર (Jamalpur) વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં સગાઈ તોડી નાખ્યાની અદાવતનો ખાર રાખી યુવક યુવતીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં બોલા ચાલી ઉગ્ર બનતા ઝઘડો થયો હતો આ દરમિયાન યુવતીના પિતાએ છરીના ઘા ઝીંકી (A knife wound) યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો :

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક શોએબની સગાઈ આરોપી સલીમ વોરાની દીકરી સાથે થઈ હતી. જો કે એક વર્ષ અગાઉ કોઈ કારણોસર સગાઈ તોડી નાખવામાં આવી હતી. જેને લઈને શોએબ યુવતીના ઘરે ગયો હતો. જ્યાં બોલાચાલી અને મારામારી થતા સલીમ વોરાએ સોયબને એક પછી એક છરીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

સુરતના ડુમસ બીચ પર 10 ફૂટ ઊંચો જિન દેખાયો . કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો વીડિયો. Gujarat Guardian આ વીડિયો ની પુષ્ટિ કરતુ નથી.

જે અંગેની જાણ તેણે તેના માતાને કરતા તેના માતા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને શોએબને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી અગાળ ધપાવી છે.

આ પણ વાંચો :-

મુસાફરો માટે સૌથી મોટા ગુડ ન્યૂઝ : ટિકિટને લઈને રેલવે શરૂ કરશે આ સુવિધા, જાણીને તમે પણ ઝૂમી ઊઠશો

0

The biggest good news for passengers

  • ટ્રેનમાં મુસાફરી કરતા કરતા તમારે પોતાની RAC અને WL ટીકીટને કન્ફર્મ ટીકીટ કરવા માટે TTE ને શોધવો નહી પડે. હવે HHT મશીનથી ચાલુ ટ્રેને ઓટોમેટીક ટીકીટ કન્ફર્મ થશે.

રેલ યાત્રીઓ (Rail passenger) માટે મોટા સમાચાર છે. હવે તમારે ટિકિટ કન્ફર્મ (Ticket Confirmation) કરવાની તસ્દી લેવાની જરૂર નથી. ચાલતી ટ્રેનમાં પ્રતીક્ષા અથવા આરએસી ટિકિટની પુષ્ટિ કરવા માટે તમારે હવે ટીટીને વિનંતી કરવાની જરૂર રહેશે નહીં. રેલવે મંત્રાલયના (Ministry of Railways) એક નિર્ણયથી ટ્રેનોમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને વિન્ડો ટિકિટ અને આરએસી ટિકિટ પર મોટી રાહત મળી છે.

હકીકતમાં રેલવે પ્રીમિયમ, મેલ અને એક્સપ્રેસિવ ટ્રેનોના ટીટીને હેન્ડ હેલ્ડ ટર્મિનલ ડિવાઇસ આપવા જઈ રહી છે. રેલવેએ તેની શરૂઆત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ એચએચટી ઉપકરણો વેઇટિંગ અથવા આરએસી નંબર અને કેટેગરી અનુસાર ખાલી બર્થની આપમેળે પુષ્ટિ કરશે.

રેલવેનો મોટો નિર્ણય :

ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેએ અગાઉ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કેટલીક પ્રીમિયમ ટ્રેનો (રાજધાની, શતાબ્દી)માં ટીટીને એચએચટી ઉપકરણો આપ્યા હતા. આનાથી મુસાફરોને ઘણી રાહત મળી હતી. આનાથી વેઇટિંગ અથવા આરએસી ટિકિટ ચાર્ટ બન્યા પછી મુસાફરોએ ચાલતી ટ્રેનમાં આપમેળે પુષ્ટિ કરી અને સંદેશ તેમના સુધી પહોંચ્યો. તેની સફળતા બાદ ભારતીય રેલવેએ 559 ટ્રેનોમાં ટીટીને 5850 એચએચટી ઉપકરણો આપ્યા છે. રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર પ્રીમિયમ ટ્રેનોવાળી તમામ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં ધીમે-ધીમે ઉપકરણો લગાવવામાં આવશે.

ઉપકરણ ચકાસણી પૂર્ણ :

રેલવે બોર્ડે જણાવ્યું હતું કે ચાલતી ટ્રેનમાં એક દિવસમાં 523604 રિઝર્વેશન થયા હતા, જેમાં ચાલતી ટ્રેનમાં 242825 ટિકિટ એચએચટી ડિવાઇસથી ચેક કરવામાં આવી હતી. 18,000થી વધુ આરએસી અને 9,000થી વધુ વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઇ હતી.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર સામાન્ય દિવસોમાં રોજના 12.5 લાખ રિઝર્વેશન થાય છે. આવી સ્થિતિમાં, જો મેઇલ, એક્સપ્રેસ ટ્રેનોમાં એચએચટી ડિવાઇસથી ટિકિટ તપાસવામાં આવે છે, તો પછી કન્ફર્મ ટિકિટની સંખ્યામાં વધારો થશે.

ચેકિંગ કેવી રીતે થાય છે ?

તમને જણાવી દઈએ કે અત્યારે ઘણી ટ્રેનો ટીટી ચાર્ટ્સ લઈને ટિકિટનું ચેકિંગ કરે છે. જે બર્થ પર મુસાફર પહોંચતો નથી તે નિશાની કરવામાં આવે છે અને તે વ્યક્તિને પ્રતીક્ષા અથવા આરએસી માટે આપવામાં આવે છે. પરંતુ તેમાં સીટ-એલોટિંગ ટીટી પર નિર્ભર કરે છે. એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જેમાં ટીટી કન્ફર્મ સીટ મેળવવાના નામે સોદાબાજી કરે છે.

આ પણ વાંચો :-

WhatsApp Status જોવાની મજા થઈ જશે ડબલ ! નવું ફીચર જાણીને ખુશ થઈ ગયા યુઝર્સ

Watching WhatsApp Status will be

  • વોટ્સએપમાં સારું ફીચર આવ્યું છે. નવા ફીચરની મદદથી યુઝર વોઈસ નોટ્સને પણ સ્ટેટસ તરીકે સેટ કરી શકે છે. રિપોર્ટ મુજબ યુઝર 30 સેકન્ડ સુધીના વોઈસ નોટને સ્ટેટસ અપડેટમાં લગાવી શકે છે.

વોટ્સએપ (WhatsApp) તેના કરોડો યુઝર્સના ચેટીંગ અનુભવને વધુ સુરક્ષિત બનાવવા માટે નવા-નવા ફીચર લાવી રહી છે. આ ક્રમમાં હવે વોટ્સએપમાં વધુ એક સારા ફીચરની એન્ટ્રી થવાની છે. આ ફીચર આવ્યાં બાદ તમે વોઈસ નોટ્સને પણ વોટ્સએપ સ્ટેટસ (Whatsapp status) તરીકે લગાવી શકશો. WABetaInfoના રિપોર્ટ મુજબ આ નવા ફીચરને વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા વર્જન 2.22.21.5માં જોવામાં આવ્યું છે. WABetaInfoએ આ નવા ફીચરનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેના યુઝર ઈન્ટરફેસને જોઇ શકાય છે.

ટેકસ્ટ સ્ટેટસ અપડેટ જેવી છે રીત :

શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટને જોઇને કહી શકાય છે કે વોઈસ નોટને સ્ટેટસ તરીકે લગાવવાની રીત લગભગ ટેક્સ્ટ સ્ટેટસ અપડેટ જેવી છે. સ્ટેટસ અપડેટ માટે વોઈસ નોટને રેકોર્ડ કરવાનુ ઓપ્શન વોટ્સએપના નવા વર્જનમાં સેક્શનની અંદર રહેલુ છે. ખાસ વાત એ છે કે યુઝર વોઈસ નોટ સ્ટેટસ અપડેટ કરતી વખતે તેના બેકગ્રાઉન્ડ કલરને પણ પોતાની પસંદ મુજબ સેટ કરી શકશે.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હશે વોઈસ સ્ટેટસ :

WABetaInfoએ કહ્યું કે વોઈસ સ્ટેટસ અપડેટને યુઝર જ્યારે પણ ઓપન કરશે તે ઓટોમેટિકલી પ્લે થવા લાગશે. ખાસ વાત એ છે કે વોટ્સએપ વોઈસ નોટ સ્ટેટસ પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હશે. રિપોર્ટ મુજબ, યુઝર 30 સેકન્ડ સુધી વોઈસ નોટને સ્ટેટસ તરીકે પણ સેટ કરી શકશે. કંપની આ ફીચરનુ અત્યારે ટેસ્ટિંગ કરી રહ્યું છે. બીટા ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ આ ફીચરના સ્ટેબલ વર્જનને ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવશે.

હાઈડ કરી શકશો ઓનલાઈન સ્ટેટસ :

વોટ્સએપમાં ઓનલાઈન સ્ટેટસ છુપાવનારા ફીચરની એન્ટ્રી થઇ ગઇ છે. આ ફીચરને ઇનેબલ કર્યા બાદ ચેટીંગ કરતી વખતે પણ તમે કોઈને ઑનલાઈન જોઈ શકશો નહીં. આ ફીચર અત્યારે અમુક બીટા ટેસ્ટર્સ માટે આવ્યું છે. રિપોર્ટ મુજબ ઓનલાઈન સ્ટેટસને હાઈડ કરવાનુ ઓપ્શન યુઝર્સને લાસ્ટ સીનવાળા સેક્શનમાં મળશે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

લાસ્ટ સીનમાં યુઝર્સને પોતાનુ લાસ્ટ સીન છુપાવવા માટે ચાર ઓપ્શન Everyone, My Contacts, My Contact Except અને Nobodyનો ઓપ્શન મળે છે. તો ઓનલાઈન સ્ટેટસ માટે કંપની બીટા ટેસ્ટર્સને Everyone અને Same as last seenનો ઓપ્શન આપી રહી છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 23 સપ્ટેમ્બર : સિંહ રાશિ માટે આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today’s Horoscope 23 September Gujarat Guardian

મેષ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શકય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શકયતા, અપચન, પેટની તકલીફ રહે.

મિથુન
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ, પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેર બજારથી લાભ. માતૃ પક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં ‌પ્રગતિ.

સિંહ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યા
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણે ના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજ સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક
મોજ શોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થે ની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.

મકર
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ ચે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શકય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મ વિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન
ઉદારતા તથા અન્ય ને મદદ કરી શકવાને કારણે મન માં શાંતિ રહે તથા યશ, પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયાત ને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

ફરી ખેલૈયાઓ માટે મોટા સમાચાર : ગરબા અને લાઉડસ્પીકર અંગે ફરી લેવાયો મોટો નિર્ણય

0

Big news for gamers again :

  • ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.

કોરોના મહામારીના બે વર્ષ બાદ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનો (Navratri 2022) તહેવાર ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. પરંતુ તે પહેલા એક ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપી છે. આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રી અને દશેરામાં રાત્રીના સમયે ચાલુ રખાતાં લાઉડ સ્પીકરના સમય અંગે પરીપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

12 વાગ્યા સુધી બોલાશે રમઝટ :

એટલું જ નહીં દશેરાના દિવસે પણ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. જો કે, આ પરીપત્રમાં કહેવાયું છે કે આ જાહેરનામાં પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાયલન્સ ઝોન જાહેર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

‘જેટલો દારૂ પીવાય એટલે પીવો, દેશભરમાં છુટ છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી’ : જગમલ વાળા

0

Drink as much alcohol as you want,

  • દિલ્હી અને અમદાવાદના વેજલપુર બાદ આમ આદમી પાર્ટીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ મામલે આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો બેફામ વાણી વિલાસનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી ટાણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક્શનમાં આવીને નિવેદનબાજી કરી રહ્યા છે. પરંતુ ક્યારેક જનતા વચ્ચે ઉમેદવારો (Candidates) ઉત્સાહમાં બફાટ પણ કરે છે, જેના કારણે તેમણે વિવાદનું કારણ બનવું પડે છે. હાલ ગુજરાતમાં દારૂબંધીને લઈને અનેક નિવેદનબાજી થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) વધુ એક ઉમેદવારે વહેતી ગંગામાં હાથ ધોયા છે. એટલે ગુજરાત અને દારૂ મામલે આમ આદમી પાર્ટીના વધુ એક ઉમેદવારે બફાટ કરીને ચારેબાજુ ચર્ચાનો વિષય બનાવ્યો છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

દિલ્હી અને અમદાવાદના વેજલપુર બાદ આમ આદમી પાર્ટીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ મામલે આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો બેફામ વાણી વિલાસનો વીડિયો વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે જગમલ વાળા ગીર સોમનાથના આપના ઉમેદવાર છે, જેમનો વિડિયો વાયરલ થયો છે.

જગમલ વાળાના વાયરલ વીડિયોમાં શું કહ્યું ?

આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો દારૂ મામલે બેફામ વાણી વિલાસમાં તેઓ ચૂંટણી પ્રચારમાં જ દારૂ પીવાનો પરવાનો આપી રહ્યા છે. દિલ્હીની લીકર પોલિસી અને વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલના વિવાદ બાદ આ દિગ્ગજ નેતાનો નવો વિવાદથી ખળભળાટ મચ્યો છે. તેઓ જાહેરમાં કહી રહ્યા છે કે, ચૂંટણીમાં જેટલો દારૂ પીવાય એટલે પીવો. દુનિયા ભરના દેશોમાં દારૂ પીવાય છે.

મોટા ડોકટરો અને Ips, ias અધિકારીઓ પણ દારૂ પીવે છે. ભારતમાં પણ ગુજરાત સિવાય બધા રાજ્યોમાં દારૂની છૂટ છે. વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાય છે. ગુજરાત સિવાય દેશ ભરમાં દારૂની છુટ છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી.

કોંગ્રેસની પ્રતિક્રિયા :

ગીર સોમનાથના આપના ઉમેદવારના વાઇરલ વીડિયો મામલે ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પ્રદેશ મીડિયા સેલ કન્વીનર હેમાંગ રાવલે આપ પર આકરા પ્રહારો કર્યા છે. હેમાંગ રાવલે જણાવ્યું કે, આપના ઉમેદવારનો આ વાણી વિલાસ તેમનું ચાલ અને ચરિત્ર દર્શાવે છે. તેમના મનીષ સીસોદીયા પણ લિકર પોલિસી અને વેજલપુરના ઉમેદવાર પણ વિવાદમાં આવી ચુક્યા છે. આપના આ ઉમેદવારના બફાટથી ગાંધીના ગુજરાતમાં યુવાઓનું ભવિષ્ય અંધકારમાં છે.

આ પણ વાંચો :-