Home Blog Page 1310

GMDCના ગરબામાં PM મોદી આપી શકે છે હાજરી, માં અંબાની ઉતારશે આરતી ! શું છે સંભવિત કાર્યક્રમ ?

0

PM Modi may attend GMDC’s Garba

  • મહત્વનું છે કે, પીએમ નરેન્દ્ર મોદી નવરાત્રિ ટાણે અમદાવાદમાં આવનાર છે, એટલે કે 29 સપ્ટેમ્બરથી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સુરત, અમદાવાદ અને ભાવનગરની મુલાકાત લેવાના છે.

ગુજરાતમાં હવે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections) યોજાનાર છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) દિગ્ગજ નેતાઓ હવે ગુજરાતના પ્રવાસે આવીને લોકોને આકર્ષી રહ્યા છે. ત્યારે સમાચાર એવા છે કે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) નવરાત્રિ ટાણે ગુજરાત પ્રવાસે આવનાર છે.

ત્યારે ગુજરાત પ્રવાસે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. સૂત્રો જણાવી રહ્યા છે કે GMDCના ગરબામાં PM મોદી માં અંબાની આરતી પણ કરી શકે છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

મહત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદી નવરાત્રિ ટાણે અમદાવાદમાં આવનાર છે, એટલે કે 29 સપ્ટેમ્બરથી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સુરત, અમદાવાદ અને ભાવનગરની મુલાકાત લેવાના છે. પીએમ મોદી નવરાત્રિમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપવાના છે.

PM મોદી પાંચમા નોરતે એટલે કે 30 સપ્ટેમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. આ સાથે જ નવરાત્રીના પર્વ નિમિત્તે તેઓ અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. જેને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે PM મોદી અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી નવરાત્રી મહોત્સવમાં અંબાજી માતાની આરતી પણ ઉતારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે ફરી તેઓ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે છે.

આ પણ વાંચો :-

અજબ પ્રેમ કી ગજબ કહાની  : ટ્રાફિકજામમાં ફસાયેલા યુવકને થઈ ગયો યુવતી સાથે પ્રેમ, જાણો પછી શું થયું

0

Ajab Prem Ki Gajab Kahani : A young man

  • બેંગ્લોરના ટ્રાફિકના કિસ્સા તો તમે બધાએ સાંભળ્યાં હશે. પરંતુ આ ટ્રાફિકની વચ્ચે લવ સ્ટોરીની શરૂઆત થવી આ હકીકતમાં કઈક અલગ છે. આવો એક કિસ્સો લોકોનેે ખૂબ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં (Social media) એક લવ સ્ટોરી લોકોની ખૂબ એટેન્શન લઇ રહી છે. આ કહાની અંગે જાણીને તમે એવુ લાગશે કે આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ છે. પરંતુ આ કહાની વાસ્તવિક છે. આ લવ સ્ટોરી (Love story) અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. આ લવ સ્ટોરી તમને પણ સરપ્રાઈઝ કરી શકે છે. બેંગ્લોરના (Bangalore) ટ્રાફિકનો ઉલ્લેખ વારંવાર સ્ટેન્ડઅપ કોમેડીમાં થતો રહે છે. પરંતુ આ ટ્રાફિક કોઈની લાઈફ ચેન્જિંગ મોમેન્ટ (A life changing moment) પણ હોઇ શકે છે. આ કોઈએ વિચાર્યુ પણ નહીં હોય.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

ટ્રાફિકના કારણે બની જોડી  :

રેડિટ પર શેર કરવામાં આવેલી આ કહાનીને ટ્વિટર પર ઓછા શબ્દોમાં જણાવવામાં આવી છે. બેંગ્લોરના સોની વર્લ્ડ સિગ્નલે બે મિત્રોનુ જીવન બદલીને રાખ્યું છે. આ કહાનીને જાણતા પહેલા તમે પણ ટ્વિટર પર પોસ્ટ કરાયેલું આ ટ્વિટ અવશ્ય વાંચો.

આવી છે તેમની લવ સ્ટોરી 

ખરેખર આ કપલ વચ્ચે પહેલા જ મિત્રતા હતી. પરંતુ ક્યારેય પણ પ્રેમ જેવી ફીલિંગ અંગે તેમણે વિચાર્યુ નહોતુ. જ્યારે યુવક એક દિવસ પોતાના મિત્રને છોડીને જઇ રહ્યો હતો ત્યારે નિર્માણાધીન એજીપુરા ફ્લાય ઓવરના કારણે આ બંને ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. ટ્રાફિક જામમાં ફસાયા હોવાના કારણે બંનેને ભૂખ લાગી અને બંનેએ તે દિવસે સાથે ડીનર કર્યુ. અહીંથી આ કપલની લવ સ્ટોરીની શરૂઆત થઇ અને બંનેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા.

આ પણ વાંચો :-

ગંદા પાણીમાં ન્હાયા, ડૂબકી મારી : લોકોએ મને કામ કરવા ચૂંટી છે ખોટા વાયદા કરવા નહીં, ધારાસભ્યનો અનોખો વિરોધ

0

Bathed in dirty water, took a dip : People have

  • બિહાર-ઝારખંડ સરહદ પર રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ અનોખો વિરોધ કર્યો હતો.

બિહાર-ઝારખંડ (Bihar-Jharkhand) સરહદ પર રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. વરસાદના સમયે રોડ પર કમર સુધી પાણી ભરાઈ રહે છે. નાળાના પાણી પણ રસ્તા પર આવી જાય છે. લોકો તેને લઈને સતત વિરોધ પ્રદર્શન કરતા રહ્યા છે. બિહાર ઝારખંડ સરહદ પર લોકો દંગ રહી ગયા જ્યારે ત્યાં મહિલા ધારાસભ્ય (Woman MLA) પહોંચ્યા ધારાસભ્યએ રસ્તા પર જામ થયેલા પાણી જોઈને ગુસ્સે થઈ ગયા હતા. જો કે તેમણે આ ગુસ્સે જરાં અલગ રીતે ઠાલવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો ઝારખંડના મહગામાના ધારાસભ્ય દીપિકા પાંડેયનું ઘર બિહારના ઝારખંડ સરહદથી અડીને આવેલા મેહરમામા છે. મેહરમા ઝારખંડમાં છે. ઝારખંડના સિદ્ધુ કાન્હૂ ચોક પર રસ્તામાં પાણી ભરાયા હતા. કમર સુધીના પાણી જોઈને ધારાસભ્ય ગુસ્સે ભરાયા હતા. ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના છે. આ આખો વિસ્તાર ઝારખંડ સરકાર હસ્તક છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

ધારાસભ્યે એ કહ્યું કે લોકો કેવી રીતે આ રસ્તા પર પસાર થઈ શકે. કેટલી મુશ્કેલીઓ વેઠતા હશે. જો કે, આ વિસ્તાર બિહારના લોકો માટે અત્યંત મહત્વનો છે. બિહારના ભાગલપુર જિલ્લાના મોટા ભાગના લોકો અહીં આવે છે. તેમનો વેપાર પણ અહીંથી ચાલે છે.

સાથે જ તેમનું બજાર જવાનો રસ્તો પણ અહીંથી પસાર થાય છે. પીરપેંતીના લગભગ છ જેટલી પંચાયતના લોકોનું અહીંથી પસાર થવાનું હોય છે. લોકો ખરીદી માટે અહીંથી બજાર અને હાટ જતાં હોય છે. અહીં મોટી બજાર આવેલી છે. ભાગલપુર જિલ્લાના મોટી સંખ્યામાં લોકો અહીં આવનજાવન કરે છે.

ધારાસભ્ય દીપિકા પાંડેએ વિરોધ સ્વરુપ રસ્તા પર પાણીમાં બેસીને પ્રદર્શન કર્યા હતા. તેમણે રસ્તા પર વહી રહેલા પાણીથી સ્નાન પણ કર્યું. ત્રણ ડૂબકી પણ લગાવી, રસ્તા પર નાળાના પાણી વહી રહ્યા છે. ઘણી વાર સુધી આવો વિરોધ ચાલ્યો હતો. તેનો વીડિયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. તેની ચર્ચા ઝારખંડથી વધારે બિહારમાં થઈ રહી છે.

આ પણ વાંચો :-

રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાયુ, વિધાનસભામાં બહુમતીના આધારે લેવાયો નિર્ણય

0

The Stray Cattle Control Bill was

  • ગુજરાત વિધાનસભાનું ચૂંટણી પહેલાંનું અંતિમ બે દિવસીય સત્ર હાલ ચાલી રહ્યું છે. જેમાં સરકારે આખરે રખડતા ઢોર નિયંત્રણના વિધેયકને પરત લેવાનું નક્કી કર્યું છે. શું છે તેની પાછળનું કારણ? જાણો રખડતા ઢોર મુદ્દે સરકારે કેમ કરવી પડી પાછી પાની…

લાંબા સમયથી ગુજરાતમાં રખડતા ઢોરના (Stray cattle) ત્રાસનો મામલો યક્ષ પ્રશ્ન બનીને ઉભો છે. આ મુદ્દે રખડતા ઢોરના નિયંત્રણ માટે એક કાયદો લાવવાનું નક્કી કર્યું હતું. જો કે આ સમગ્ર મામલે ભારે રાજકારણ બાદ આખરે આજે ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) ભાજપે બહુમતીના આધારે આ વિધેયક પરત ખેંચવાાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલા રખડતા ઢોર (stray cattle) અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હતી.

જ્યારથી આ વિધેયક પસાર થયો હતો ત્યારથી તેઓ વિરોધ કરી રહ્યા છે. આ નારાજગી ખાળવા માટે સરકારે આ કાયદાના અમલમાં પાછી પાની કરવી પડી છે તેવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલો રખડતા ઢોર (stray cattle) અંગેનો કાયદાને હવે વિધાનસભામાં બહુમતીના આધારે પરત ખેંચી લેવામાં આવ્યો છે. મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. રખડતા પશુ નિયંત્રણ કાયદાને (Stray Animal Control Laws) લઈ માલધારી સમાજના (Maldhari community) ઉગ્ર વિરોધ બાદ હવે રાજ્ય સરકારે નમતું જોખ્યું છે.

આ વિધેયક પરત ખેંચવા અંગે રાજ્યમાં ઠેર-ઠેર માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્રો આપ્યા હતા. માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક અને જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે એવા સમયે ભાજપ સરકારને માલધારી સમાજની નારાજગી પોસાય તેમ નથી. એજ કારણ છે કે આજે મળેલાં વિધાનસભાના સત્ર દરમિયાન સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચવાનો નિર્ણય લેવાય છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક માલધારી સમાજના આગેવાનોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (C R Patil) ને મળીને પણ અગાઉ આ બાબતે રજૂઆત કરી હતી. તે સમયે માલધારી સમાજની માગને વ્યાજબી ગણાવતા પાટીલે કહ્યું હતું કે આના પર યોગ્ય નિર્ણય લેવા સરકારને સુચન કરવામાં આવશે. અને આખરે આજે આ વિધેયકને પરત ખેંચવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચો :-

વાળમાં તેલ ના લગાવવાના છે ઘણા નુકસાન, સાચવી લો ક્યાંક બાદમાં પસ્તાવું ના પડે

There are many disadvantages of not applying

  • સુંદર દેખાવા માટે હેલ્ધી વાળ હોવા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે વાળમાં તેલ ન લગાવવાના શું નુકસાન છે.

સુંદર દેખાવા માટે હેલ્ધી વાળ (Healthy hair) હોવા ખૂબ જ જરૂરી છે. વાળની ​​યોગ્ય કાળજી લેવા અને તેને મજબૂત અને ચમકદાર રાખવા માટે સમય સમય પર તેલ (Oil) લગાવવું જોઈએ. સાથે જ ઘણા લોકો વાળમાં તેલ બિલકુલ નથી લગાવતા. પરંતુ કેટલાક લોકો વાળમાં ચમક (Shine) લાવવા માટે દરરોજ તેલ લગાવે છે.

તમને જણાવી દઈએ કે ઘણી વખત વાળમાં તેલ લગાવવાથી પણ ઘણા નુકસાન થાય છે. પરંતુ આનો મતલબ એ નથી કે તમારે વાળમાં તેલ બિલકુલ ન લગાવવું જોઈએ.

વાળમાં તેલ લગાવવાથી માત્ર તમારા વાળને જ ફાયદો નથી થતો પરંતુ તેનાથી તમારા સ્કેલ્પને પણ ફાયદો થાય છે. એટલા માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. ચાલો અમે તમને અહીં જણાવીએ કે વાળમાં તેલ ન લગાવવાના શું નુકસાન થાય છે.

વાળમાં તેલ ન લગાવવાના ગેરફાયદા :

  • વાળમાં તેલ ન લગાવવાથી તમારા વાળ ડ્રાય થઈ શકે છે અને તેના કારણે તમારા વાળ નબળા થઈ જાય છે.
  • ઉનાળામાં વાળ અને સ્કેલ્પમાં મોઈસ્ચર જાળવી રાખવા માટે વાળમાં તેલ લગાવવું જરૂરી છે.
  • માથાની ચામડીમાં ખીલ અને ખંજવાળથી બચવા માટે વાળમાં તેલ લગાવવું જરૂરી છે.
  • વાળમાં તેલ ન લગાવવાથી ડ્રાયનેસ અને ડેન્ડ્રફ જેવી સમસ્યા થઈ શકે છે.
  • હેર ઓઈલીંગ ન કરવાથી તમારા વાળને પોષણ મળતું નથી અને વાળ તૂટવા લાગે છે.

વાળમાં તેલ લગાવવું કેમ જરૂરી ?

  • વાળમાં તેલ ન લગાવવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વાળના પૂરતા પોષણ, વૃદ્ધિ અને મજબૂતાઈ માટે સમયાંતરે તેલ લગાવવું જોઈએ.
  • વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે તેલ લગાવવું જરૂરી છે.
  • વાળની ​​ફ્રિઝિનેસ ઘટાડવા અને તૂટવાથી બચવા માટે તેલ લગાવવું જરૂરી છે.
  • વાળને હાઇડ્રેટ રાખવા માટે હેર ઓઇલીંગ જરૂરી છે.
  • વાળના પોષણમાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

 

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, સાંભળીને થઇ જશો ખુશ

0

Finance Minister made a big announcement

  • પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી પરેશાન લોકો માટે કામના સમાચાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકાર હવે દર 15 દિવસે ક્રૂડ ઓઇલ, ડીઝલ-પેટ્રોલ અને વિમાન ઇંધણ (ATF) પર લગાવવામાં આવેલા ટેક્સની સમીક્ષા કરશે.

પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel) વધતા જતા ભાવથી પરેશાન લોકો માટે કામના સમાચાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકાર હવે દર 15 દિવસે ક્રૂડ ઓઇલ, ડીઝલ-પેટ્રોલ અને વિમાન ઇંધણ (ATF) પર લગાવવામાં આવેલા ટેક્સની સમીક્ષા કરશે. જોકે આંતરરાષ્ટ્રીય કિંમતોને (International prices) ધ્યાનમાં રાખતાં સરકાર દ્વારા ટેક્સની સમીક્ષા દર પંદર દિવસે કરવામાં આવશે.

નાણામંત્રીએ કહી મોટી વાત :

નાણામંત્રી સીતારમણે કહ્યું કે આ એક મુશ્કેલ સમય છે અને વૈશ્વિક સ્તર પર ઓઇલના ભાવ બેલગામ થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે ‘અમે નિર્યાતને હતોત્સાહિત કરવા માંગતા નથી પરંતુ ઘરેલૂ સ્તર પર તેની ઉપલબ્ધતા વધારવા માંગીએ છીએ. જો ઓઇલ ઉપલબ્ધ નહી થાય અને નિર્યાત અપ્રત્યાશિત લાભ સાથે રહેશે તો તેમાં ઓછામાં ઓછો ભાગ પોતાના નાગરિકો માટે પણ રાખવો જરૂરી રહેશે.

પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણ પર નિર્યાત ટેક્સ :

સરકારે શુક્રવારે જ પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણના નિર્યાત પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇએ કે પેટ્રોલ અને એટીએફના નિર્યાત પર છ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના નિર્યાત પર 13 રૂપિયા પ્રતિ લીટરના દરથી ટેક્સ લગાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ નવો નિયમ એક જુલાઇથી લાગૂ થઇ ગયો છે.

સ્થાનિક સ્તર પર ઉત્પાદિત ઓઇલ પર પણ ટેક્સ :

રૂપિયાના ઘટાડા પર નાણામંત્રીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક અને સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. સરકાર આયાત પર રૂપિયાના મૂલ્યની અસરને લઇને પણ સંપૂર્ણપણે સચેત છે.

આ પણ વાંચો :-

ગુડ્ડુભૈયા ચડશે ઘોડીએ, ભોલી પંજાબન સાથે કરશે લગ્ન, લાંબા સમયથી પ્રેમમાં ગળાડૂબ કપલ આખરે પરણી જશે

0

Guddubhaiya will ride a horse, Bholi will

  • બોલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અલી ફઝલ સાથે 4 ઓક્ટોબરના રોજ લગ્ન કરશે.

અભિનેત્રી રિચા ચઢ્ઢા (Richa Chadha) તેના પ્રેમી અલી ફઝલ (Ali Fazal) સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને જ્યારે ચાહકો તેમના લગ્ન કેવા હશે તે વિશે વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છે. જાણવા મળ્યું છે કે તેના લગ્નની (Marriage) તારીખ 4 ઓક્ટોબર છે.

4 ઓક્ટોબરના રોજ થશે લગ્ન  :

તેમના લગ્નના રિવાજો 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. લગ્ન પહેલાના ત્રણ ફંક્શન્સ – કોકટેલ, સંગીત અને મહેંદી થવાની સંભાવના છે. આ ત્રણેય પ્રસંગો નવી દિલ્હીમાં યોજાય તેવી શક્યતા છે.

આ દરમિયાન સમાચારો સામે આવી રહ્યા છે કે રિચા ચઢ્ઢાના લગ્ન માટે આભૂષણો બિકાનેરના એક 175 વર્ષ જૂના જ્વેલર પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવશે. જે દુલ્હનના આભૂષણો બનાવવા માટે પ્રચલિત છે.  દિલ્હીના સમારોહ માટે, રિચાના આભૂષણોને તૈયાર કરવામાં આઆવી રહ્યા છે.

રિચા ચઢ્ઢા-અલી ફઝલનું પ્રી વેડિંગ સેલિબ્રેશન  :

બંનેનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ભારતના સૌથી જૂના ક્લબમાં થશે. આ ક્લબ દિલ્હીના જીમખાના ક્લબના નામથી પ્રચલિત છે. 1913માં ક્લકબની સ્થાપના થઈ હતી. એવું કહેવાય છે કે અહીં સભ્યપદ માટે લગભગ 37 વર્ષનું વેઇટિંગ લિસ્ટ છે.

આ પણ વાંચો :-

બાળપણમાં ઇંદિરા ગાંધી જેવી દેખાતી હતી કંગના રનૌત, પરિવારે પણ એક્ટ્રેસને આપ્યું હતું આ ખાસ નામ

Kangana Ranaut looked like Indira Gandhi

  • બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે.

આ ફિલ્મમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની (Former Prime Minister Indira Gandhi) ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર 14 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં એક્ટ્રેસના લુક્સ અને એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. કંગના બિલકુલ ઈન્દિરા ગાંધી (Indira Gandhi) જેવી લાગે છે. આ દરમિયાન એક્ટ્રેસે તેના બાળપણની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે જણાવી રહી છે કે તે બાળપણથી જ ઈન્દિરા ગાંધી જેવી દેખાતી હતી.

કંગનાએ બાળપણની તસવીરો શેર કરી :

એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બાળપણની બે તસવીરો શેર કરીને પોતાની સરખામણી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી સાથે કરી હતી. એક તસવીરમાં કંગના સ્કૂલ યુનિફોર્મમાં છે. તેના કેપ્શનમાં તે લખે છે, ‘આ માત્ર સંયોગની વાત છે કે બાળપણમાં તેના સંબંધીઓ તેને ઈન્દિરા ગાંધી કહેતા હતા કારણ કે તેની હેરસ્ટાઈલ બિલકુલ તેમના જેવી જ હતી.’

બીજી તસવીર શેર કરતા કંગનાએ કહ્યું કે તેણે કોઈની હેરસ્ટાઈલ કોપી નથી કરી. તેને શરૂઆતથી જ તેની સ્ટાઈલ ગમતી હતી. તે વાળંદ પાસે જઈને તેની પસંદગી મુજબ તેના ટૂંકા વાળ કપાવી લેતી. કારણ કે કંગનાના વાળ વાંકડિયા છે, આ કારણે તેને ટૂંકા વાળમાં ઈન્દિરા ગાંધી કહેવામાં આવતી હતી.

કંગનાએ ઈન્દિરા ગાંધીના લૂકમાં તેના પાત્રની ઝલક દેખાડી હતી :

કંગના રનૌતની ‘ઇમરજન્સી’ 1975ની ઇમરજન્સી પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મનું પ્રોડક્શન કંગના રનૌત દ્વારા કરવામાં આવ્યું છે અને તે ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. થોડા દિવસો પહેલા કંગનાએ સેટ પરથી એક તસવીર શેર કરી હતી.

જેમાં તે ઈન્દિરા ગાંધી જેવી દેખાતી હતી. કેપ્શનમાં પોતાની ઓળખ અંગે ચિંતા વ્યક્ત કરતાં કંગનાએ લખ્યું કે, એક એક્ટર તરીકેના પાત્રમાં આવ્યા પછી તમે ક્યારેય એવા વૃદ્ધ નથી રહેતા. પાત્રના નિશાન એક નિશાનીની જેમ એક્ટર સાથે રહે છે.

ફિલ્મ ક્યારે આવી રહી છે ?

ફિલ્મ ‘ઇમરજન્સી’ 1975માં કયા સંજોગોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઈમરજન્સીની ઘોષણા પછીના પરિણામો પણ બતાવવામાં આવશે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી કારણ કે તેનું શૂટિંગ હજુ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :-

શખ્સે ગરમીથી બચવા અપનાવ્યો ગજબ જુગાડ ! માથા પર જ ફિટ કરી દીધો પંખો, VIDEO જોઇને મગજ ચકરાવે ચડી જશે

0

The man adopted a great game to escape

  • સોશિયલ મીડિયા પર હાલ એક જુગાડનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તેના માથા પર સોલર ફેન ફિટ કરીને ચાલતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા (Social media) પર આપણે દરરોજ કોઈને કોઈ વ્યક્તિને પોતાના મુશ્કેલ કામોને સરળ બનાવવા માટે ગજબના જુગાડ કરતા જોઈએ છીએ. તે જ સમયે આવા જુગાડ ઘણી વખત આપણને ચોંકાવનારા પણ હોય છે. તો અમુક લોકો આવા જુગાડનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળે છે. જો બાદમાં ખૂબ જ વાયરલ થઈ જાય છે.

હાલમાં જ એક વૃદ્ધ વ્યક્તિને ગરમીથી છુટકારો મેળવવા માટે અનોખો જુગાડ લગાવતા જોવામાં આવ્યો છે. જેને જોઈને સારા સારા એન્જિનિયરોના મગજ પણ ચકરાવે ચઢી જશે. વીડિયોમાં જોવા મળી રહેલા વૃદ્ધ શખ્સે માથા પર બાંધેલા કપડા પર એક હેલમેટ પહેર્યું છે. તેના પર એક પંખાને લટકેલો જોઈ શકાય છે. જે ચાલું છે અને કામ કરી રહ્યો છે. વૃદ્ધ શખ્સે આ પંખાને ચલાવવા માટે સોલર એનર્જીનો ઉપયોગ કર્યો છે.

હેલમેટ પર ફિટ કર્યો સોલર ફેન :

વિડિઓમાં વ્યક્તિના હેલમેટ પર ફેન તેમજ સોલર પ્લેટ જોવા મળે છે. જેમાંથી ફેન ચલાવવા માટે  વીજળી બની રહી છે. હાલમાં વીડિઓ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. ઘણા યુઝર્સ આ જોઈને ચોંકી ઉઠ્યા છે.

જુગાડ થયો વાયરલ :

સમાચાર વખાયા ત્યાં સુધી સોશિયલ મીડિયા પરની વીડિઓને કરોડો વ્યૂઝ મળી ચુક્યા છે. હાલમાં, વીડિઓ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેમની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘આ ટેક્નોલોજી ઈન્ડિયાની બહાર ન જવી જોઈએ’. બીજા વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિને ‘ટેક્નિકલ બાબા’ કહ્યા છે. જ્યારે બીજાએ વૃદ્ધ વ્યક્તિને ‘અજુબા બાબા‘ કહ્યા છે.

આ પણ વાંચો :-

લક્ઝરી કારના શોખીન રાજુ શ્રીવાસ્તવ હતા કરોડોના આસામી, જાણો કેટલું છે નેટવર્થ

Luxury car enthusiast Raju Srivastava

  • કોમેડી જગતના મોટા નામોમાં રાજુ શ્રીવાસ્તવનું નામ પણ સામેલ હતું. બધાને હસાવતા રાજુ શ્રીવાસ્તવ આજે બધાને રડાવીને દુનિયાને અલવિદા કહી દીધુ છે.

કોમેડી જગતના મોટા નામોમાં રાજુ શ્રીવાસ્તવનું (Raju Srivastava) નામ પણ સામેલ હતુ. બધાને હસાવતા રાજુ શ્રીવાસ્તવ આજે બધાને રડાવીને દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેઓ છેલ્લા 40થી વધુ દિવસોથી હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા હતા. સ્ટેન્ડઅપ કોમેડીથી (Standup comedy) ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. પોતાની મહેનતના દમ પર રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) આ મુકામ પર પહોંચ્યા છે.

બોલિવુડના જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન મોત થયું છે. જીમમાં કસરત દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને છેલ્લા 40થી વધુ દિવસથી તેઓ સારવાર હેઠળ હતા. તેમને 10 ઓગસ્ટનથી જ દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ વેન્ટિલેટર પર હતા અને ડોક્ટર્સે તેમને બચાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા.

સ્ટેન્ડઅપ કોમેડીથી ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. પોતાની મહેનતના દમ પર રાજુ શ્રીવાસ્તવ આ મુકામ પર પહોંચ્યા છે. એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવ આજે આલિશાન મકાનમાં રહેતા હતા. તેઓ કરોડોની કિંમતની કાર ચલાવે છે. ચાલો જાણીએ કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવની કમાણી, ઘર, કાર અને નેટવર્થ વિશે.

રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ હતું. તેઓ પોતે કવિ છે અને બલાઈ કાકા તરીકે જાણીતા છે. રાજુને પણ તેમના પિતા પાસેથી પ્રતિભા મળી. તેઓ નાનપણથી જ સારી મિમિક્રી કરતો હતો.

રાજુએ નાનપણથી જ કોમેડિયન બનવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવા માટે રાજુ શ્રીવાસ્તવે ઘણા સ્ટેજ શો, ટીવી શોમાં કામ કર્યું. મીડિયા રિપોર્ટ્સના અનુસાર રાજુ શ્રીવાસ્તવ પોતાના દરેક સ્ટેજ શો માટે 4થી 5 લાખ રૂપિયા જેટલી ફી લે છે. રાજુ સાથે જાહેરાત, હોસ્ટિંગ અને ફિલ્મોમાંથી પણ રાજુ શ્રીવાસ્તવ કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર રાજુ શ્રીવાસ્તવની ટોટલ નેટવર્થ 20 કરોડ રૂપિયા છે. તે સાથે રાજુ શ્રીવાસ્તવની પાસે આલીશાન ઘર પણ છે. તેમના ઘરમાં તમામ સુવિધાઓ છે. તે સાથે તેમની પાસે કાનપુરમાં પણ પોતાનું ઘર છે.

રાજુ શ્રીવાસ્તવ લક્ઝરી કારના પણ શોખીન છે. તેમની પાસે કારનું સારું કલેક્શન છે. તેમના કારના કાફલામાં ઈનોવા, BMW 3ની કિંમત 46.86 લાખ રૂપિયા છે અને ઓડી Q7ની કિંમત 82.48 લાખ રૂપિયા છે. રાજુ શ્રીવાસ્તવ ‘બાઝીગર’, ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’, ‘મેં પ્રેમ કી દિવાની હૂં’ અને ‘કેદી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સાથે જ તેમણે ટીવી શો ‘શક્તિમાન’માં પણ કામ કર્યું છે, પરંતુ રાજુ શ્રીવાસ્તવને સ્ટેન્ડઅપ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ ની પહેલી સિઝનમાં ભાગ લીધા બાદ ઓળખ મળી હતી. તેના પછી રાજુએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

રાજુના અંગત જીવનની વાત કરીએ તો તેમના લગ્ન 1 જુલાઈ 1993ના રોજ શિખા શ્રીવાસ્તવ સાથે થયા હતા. બંનેને બે બાળકો છે. પુત્રનું નામ આયુષ્માન શ્રીવાસ્તવ અને પુત્રીનું નામ અંતરા શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ દર મહિને લગભગ 10 લાખ સુધી કમાય છે. રાજુ શ્રીવાસ્તવ લગભગ 15થી 20 કરોડની સંપત્તિના માલિક છે.

આ પણ વાંચો :-