શું તમને પણ ડાયાબિટીસ છે ? બપોરે જમતી વખતે ડાયેટમાં સામેલ કરો આ ચીજ, મળશે અઢળક ફાયદાઓ

Share this story

Do you also have diabetes? Include this item

  • જો તમે ડાયાબિટીસનાં દર્દી છો, તો જાણો ક્યા પ્રકારનો ખોરાક તમારા માટે ફાયદાકારક રહેશે.

ડાયાબિટીસનાં (Diabetes) દર્દીઓએ લાઈફસ્ટાઈલની સાથે સાથે પોતાના ખાનપાનમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમે જરાક પણ બેદરકારી કરી તો તમારા સ્વાસ્થ્યને (Health) નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે એ જાણવું જરૂરી છે કે ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ અને ક્યા ખોરાકનું સેવન ન કરવું જોઈએ.

આવામાં આજે અમે તમને જણાવશું શુગર પેશન્ટનાં બપોરાના ડાયેટ વિશે. તો આવો જાણીએ ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરની થાળીમાં ક્યા ખોરાકને સામેલ કરવો જોઈએ.

અનાજ અને દાળ :

ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરના ખાવામાં અનાજ અને દાળનો સમાવેશ ચોક્કસથી કરવો જોઈએ. આના સેવનથી ડાયાબિટીસનાં દર્દીઓને પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળે છે.

દહીં :

દહીં ખાવું તો ઘણા લોકોને અત્યંત પસંદ હોય છે. જો થાળીમાં દહીં મળી જાય તો ખાવાની મજા જ ડબલ થઇ જાય છે. આ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને શુગરનાં દર્દીઓ માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે. તમે દહીં બપોરના ભોજનમાં જરૂર સામેલ કરો.

આમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને ઘણા પોષકતત્વો હોય છે. આ સાથે જ તેમાં સીએલએ પણ હોય છે, જે બ્લડ શુગરને ઘટાડવામાં મદદરૂપ છે. સાથે જ વજન ઘટાડવાથી લઈને ઈમ્યૂનીટી મજબૂત કરવામાં પણ સહાયતા આપે છે.

ડાયાબિટીસ પેશન્ટ બપોરના ભોજનમાં ઈંડાનો સમાવેશ કરી શકે છે. શુગર પેશન્ટ રોજ એક ઈંડાનું સેવન કરે, તો તેનાંથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદાઓ થશે. તેમના પ્રોટીન સિવાય એમીનો એસીડ પણ હોય છે, જે તમને હેલ્ધી રાખવાની સાથે સાથે શુગર લેવલ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો :-