આજનું રાશિફળ 21 સપ્ટેમ્બર : કઈ રાશિ માટે આજનો દિવસ પ્રગતિનો રહેશે ? કોને પડશે મુશ્કેલી ?

Share this story

Today’s Horoscope September 21 Gujarat Guardian

મેષ
મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિણામે આવકનું પ્રમાણ ખૂબ વધવા પામે, બેંક બેલેન્સ વધતું જણાય. અગત્યના નાણાકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા, ત્યારબાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભ
આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઈ બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

મિથુન
સરળ અને સિદ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી.

કર્ક
બપોર સુધી માનસકિ સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહ
આવક ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું . આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલા
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઈ બહેન સાથે મતભેદની શક્યતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃશ્ચિક
આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્યજીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધન
માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાનીપૂર્વક કરવા. મહત્ત્વના નિર્ણયો મુલતવી રાખવા. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકર
આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃદ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઈલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સિંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ, આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભ
માનસિક વ્યગ્રતા રહે. નાણાનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઈ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્‍નીના ગુસ્સાનો સામનો કરવો પડે.

મીન
પોતે સાચા અને બીજા ખોટા એવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્‍ની સાથે મતભેદ ટાળવા.

આ પણ વાંચો :-