Home Blog Page 1300

દારૂની મહેફિલ : અમદાવાદની હોટેલમાં દારૂની મહેફિલ માણતી બે યુવતી સહિત સાતની ધરપકડ

Liquor party : Seven including two

  • સુભાષબ્રિજ નજીક આવેલી મેટ્રોપોલ હોટલમાં પોલીસની રેડ. ઈવેન્ટનું કામ કરતી યુવતી સહિત જમીન દલાલ પણ ઝડપાયો.

સુભાષ બ્રિજ સર્કલ (Subhash Bridge Circle) નજીક આવેલી હોટલ મેટ્રોપોલના (Hotel Metropole) 2 રૂમમાં ભેગા થયેલા કેટલાંક છોકરા-છોકરીઓ દારૂની મહેફિલ (Alcohol feast) માણી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે દારૂની મહેફિલ માણતી ઈવેન્ટ મેનેજમેન્ટનું (Event management) કામ કરતી યુવતી તેમજ જમીન દલાલ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતા.

હોટલના રૂમમાં દારૂની મહેફિલ ચાલતી :

મેટ્રોપોલ હોટલના રૂમમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે રાણીપ પોલીસે રવિવારે રાતે 12.55 વાગ્યે દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન હોટલના 2 રૂમમાંથી 2 યુવતી અને 5 યુવાન દારૂ પીતા પકડી પડાયા હતા.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

જેમાં સુનિલ ઓમપ્રકાશ રાજપૂત(ઉ.42 રહે,ચિલોડા), હિતાંશુ રમેશકુમાર મિશ્રા(ઉ.31 રહે, નવા નરોડા), સતીષ હરીભાઈ ચાવડા(ઉ.30 રહે, નવા નરોડા), રવિ સુરેશભાઈ જગસીયા (ઉં.31 રહે,નરોડા), કિશોર પ્રાગજીભાઈ કોરડીયા(ઉં.36 રહે, નાના ચિલોડા) તેમજ 2 યુવતી મળી આવતા તેમની પૂછપરછ હાથ ધરી હતી.

દારૂ પીવાની પરમિટ માગી :

આ સાથે બંને રૂમમાંથી સોડા- પાણી- દારૂની ખાલી અને ભરેલી બોટલો તેમજ બાયટીંગ અને જમવાનું પણ મળી આવ્યું હતું. પોલીસે સાતેય પાસે દારૂ પીવાની પરમિટ માગી હતી. પરંતુ કોઈની પાસે પરમિટ ન હોવાથી રાણીપ પોલીસે મહેફિલનો કેસ કરીને સાતેયની ધરપકડ કરી હતી.

આ અંગે પીઆઈ પરેશ ખાંભલા એ જણાવ્યું હતુ કે દારૂની મહેફિલમાં પકડાયેલા લોકોમાંથી સુનિલ જમીન દલાલ તરીકે કામ કરે છે. જ્યારે હિતાંશુ સિવિલ એન્જિનિયર છે સતીષ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ સાથે મહેફિલ માણતા પકડાયેલી 2 યુવતીમાં 1 ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતુ.

આ પણ વાંચો :-

જાણો કોણ છે શાહબાઝ અહેમદ ? જે લેશે હાર્દિક પંડ્યાની જગ્યા 

0

Know who is Shahbaz Ahmed ?

  • ટી 20 વલ્ડ કપ પહેલા 28 સપ્ટેમ્બરે T20 સિરિઝ શરૂ (T20 World Cup 2022) થઈ રહી છે. આ સિરિઝમાંથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. જોકે તેની જગ્યાએ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે.

ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) આગામી મહિનામાં યોજાશે. જેને લઈને ટીમ ઈન્ડિયા (Team India) પણ પોતાની તૈયારી બતાવી રહી છે. ટીમ વર્લ્ડ કપ પહેલા છેલ્લી T20 સિરીઝ રમવા માટે મેદાને ઉતરી છે. 28 સપ્ટેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA)વચ્ચે 3 મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. જણાવી દઈએ કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને (Hardik Pandya) શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

જો કે તેના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને (Shahbaz Ahmed) ટીમમાં જગ્યા મળી છે. શાહબાઝ આ શ્રેણી દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી રહ્યો છે. અગાઉ IPL 2022માં તે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો જ્યાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

શાહબાઝ અહેમદ ક્રિકેટની સાથે સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, જોકે ક્રિકેટ તેમણે પોતાની પ્રથમ પસંદગી રાખી હતી. આ કારણે તે ભાગ્યે જ ક્લાસમાં જઈ શકતો, તેમ છતાં તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. હરિયાણાના મૂળ શાહબાઝને ક્રિકેટમાં આવવું સરળ નહોતું. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે તે મિત્રના કહેવાથી બંગાળ ગયો હતો. તેણે ડિસેમ્બર 2018માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યો હતો. ત્યારથી તે ભારત માટે રમવાનું સપનું જોઈ રહ્યો હતો.

RCBએ 10 ગણા મોંઘા ભાવે ખરીદ્યા:

IPL 2022 પહેલા હરાજીમાં શાહબાઝ અહેમદની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હોવા છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 2.40 કરોડમાં ખરીદ્યો હતો. એટલે કહી શકાય કે તેને ટીમે 10 ગણા મોંઘા ભાવે ખરીદ્યો હતો. IPL 2022માં તેણે 16 મેચમાં 27ની એવરેજથી સ્ટ્રાઈક રેટ 121 સાથે 219 રન બનાવ્યા હતા. આ સાથે જ તેમણે 45 રનની બેસ્ટ ઈનિંગ્સ રમી હતી. આ સિવાય આ લેફ્ટ સ્પિનરે 4 વિકેટ પણ લીધી હતી.

આ બાદ ટીમ ટી20 લીગમાં પ્લેઓફમાં સુધી પહોંચી ગઈ હતી. તેના ઓવરઓલ T20 પ્રદર્શન (T20 World Cup 2022 )પર નજર કરીએ તો તેણે 56 મેચમાં 20ની એવરેજથી 512 રન બનાવ્યા હતા. અણનમ 60 રનની બેસ્ટ ઇનિંગ રમી અને 30ની એવરેજથી 30 વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે 7 રનમાં 3 વિકેટ લેવી એ બેસ્ટ પર્ફોમન્સ માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

નવરાત્રિમાં ભૂલથી પણ માતાજીને ન ચઢાવો આવી વસ્તુઓ, નહીં તો થશે મોટી તકલીફ

Do not offer such things to Mataji even

  • મા દુર્ગાને આ વસ્તુઓ ન ચઢાવો નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાને સમર્પિત છે. પૂજાના આ 9 દિવસો દરમિયાન મા દુર્ગાને ભૂલીને પણ કેટલીક વસ્તુઓ ન ચઢાવવી જોઈએ. એટલું જ નહીં, નવરાત્રિમાં કેટલીક વસ્તુઓ ન કરવાની મનાઈ છે.

નવરાત્રિમાં (Navratri 2022) ભક્તો મા દુર્ગાના (Mother Durga) આશીર્વાદ મેળવવા માટે સાચા મનથી માતાજીની પૂજા-અર્ચના (Worship) કરે છે. આ દરમિયાન દરેક કામ કરવામાં આવે છે જે તેમને ગમે છે. મા દુર્ગાને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર દેવી દુર્ગાને તેમના અપ્રિય ફૂલ ભૂલીને પણ અર્પણ ન કરો.

તમને જણાવી દઈએ કે નવરાત્રીના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાના દરેક સ્વરૂપને અલગ-અલગ પુષ્પો અર્પણ કરવામાં આવે છે. જેથી મા દુર્ગાની કૃપા મળી શકે. માતા રાણીને હંમેશા તાજા, સુગંધિત અને લાલ ફૂલ ચઢાવો. ભૂલ્યા પછી પણ માતાને વાસી અને ખરબાના ફૂલ ન ચઢાવો. આમ કરવાથી માતા ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં સમસ્યાઓ ઘેરી લે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિની પૂજામાં લાલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરમિયાન ભૂલથી પણ મા દુર્ગાને કાનેર, ધતુરા, હરિંગર, બેલ અને મદાર વગેરેના ફૂલ ન ચઢાવો. આમ કરવાથી તમારા માટે ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

હિંદુ ધર્મમાં પણ અક્ષતનું વિશેષ સ્થાન છે. કહેવાય છે કે કોઈ પણ પૂજા વિધિ અક્ષત વિના અધૂરી છે. પૂજામાં અક્ષતનું આગવું સ્થાન છે. આવી સ્થિતિમાં મા દુર્ગાને અક્ષત અર્પણ કરતી વખતે તૂટેલા ચોખા અર્પણ કરવાનું ભૂલશો નહીં. તેમજ માતાને અર્પણ કરતા પહેલા ચોખાને સારી રીતે ધોઈ લો.

મા દુર્ગાને ભોગ ચઢાવતી વખતે હંમેશા સાત્વિક ભોજન જ ચડાવવું. અથવા માતાને પ્રિય વસ્તુઓ જ મુકો. ભૂલથી પણ ભોજનમાં ડુંગળી અને લસણનો ઉપયોગ ન કરો. માતાને ઘરે બનાવેલી દૂધની મીઠાઈઓ અર્પણ કરો.

આ પણ વાંચો :-

માત્ર 21 વર્ષની ઉંમરે મોજ શોખ કરવા 9થી વધુ જગ્યાએ ચોરી કરી, સુરત પોલીસે આરોપીને ઝડપ્યો

At the age of just 21, he stole from more

  • સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ટ્રાવેલની ઓફિસમાંથી થોડા દિવસ પહેલા પાંચ લાખથી વધુ રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસ ચોરને પકડવા તપાસ તેજ કરી હતી. દરમિયાન ચોરીને અંજાર આપનાર ઈસમને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો.

સુરતના (Surat) રાંદેર વિસ્તારમાં (Rander area) થોડા સમય પહેલા ટ્રાવેલ્સની ઓફિસમાં (Office of Travels) થયેલી ચોરીનો ભેદ (The distinction of theft) પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસે સીસીટીવી મદદથી આ રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ રીઢા આરોપીએ અત્યાર સુધી નવથી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યો હોવાનું બહાર આવ્યું હતું.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ટ્રાવેલની ઓફિસમાંથી થોડા દિવસ પહેલા પાંચ લાખથી વધુ રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસ ચોરને પકડવા તપાસ તેજ કરી હતી. દરમિયાન ચોરીને અંજાર આપનાર ઈસમને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો. દરમિયાન પોલીસને જે જાણકારી મેળી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ચોરી કરનારનું નામ મોહમ્મદ સલમાન ઉર્ફે મુસા હતું એની ઉંમર માત્ર 21 વર્ષની હતી. આ ઉંમરે વેપાર ધંધો કે નોકરી કરવાની બદલે યુવક ઝડપી રૂપિયા ભેગા કરવાની લાયમાં ચોરીના રવાડે ચડી ગયો છે.

જીવનના મોજ શોખ પૂરા કરવા ચોરીનો રસ્તો તેને વધુ સરળ લાગ્યો પરંતુ કહેવાય છે ને કે ખોટા રસ્તાનું અંજામ પણ ખોટું જ આવે છે. તેવી જ રીતે ટૂંકા સમયમાં રૂપિયા કમાવાની લાઇનમાં ચોરી કરનાર મોહમ્મદ સલમાન ઉર્ફે મુસાને આખરે રાંદેર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતમાં મોજશોખ માટે નાની ઉમરથી જ ચોરીના રવાડે ચડેલા યુવક દ્વારા રાંદેર વિસ્તારમાં આવેલ ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

ટ્રાવેલ્સની ઓફિસ બંધ હતી તે દરમિયાન યુવક ઓફિસના દરવાજાનો નકુચો તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 5.45 લાખ ચોરી કરી ત્યાંથી ફરાર ગયો હતો. ઘટનાની જાણ ઓફિસ માલિકને થતા ઘટના અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપી રૂપિયા લઇ ભાગતો ચોર યુવકના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ટ્રાવેલની ઓફિસની બિલ્ડીંગના સીસીટીવીમાં ચોર યુવક થેલીમાં રૂપિયા લઇ ભાગતો હોવાનું જણાય આવ્યું હતું. તેથી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરને શોધવાના ચક્ર ગતિમાન કર્યા હતા.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

રાંદેર પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવાના તપાસ તેજ કરી હતી. આ દરમિયાન પોલીસની ટીમ દ્વારા મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડ્યો હતો. મહમદ સલમાનની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જીવનના મોજ શોખ પૂરા કરવા આરોપી નાની ઉંમરથી જ ચોરી ના રવાડે ચડ્યો હતો. આરોપી ઘરે કોઈ ના હોય તેવા ઘરો કે ઓફિસને ચોરી માટે પસંદ કરતો હતો.

દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરી અંદર રહેલી રોકડની ચોરી કરતો હતો. પોલીસે આરોપી મહંમદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના નવ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. હાલ મહંમદ સલમાનની રાંદેર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય ! માત્ર અપહરણની શંકાના આધારે ભરૂચમાં 2 મહિલાઓને લોકોએ માર માર્યો

0

Children eating gang active! 2 women

  • અમદાવાદના દાણીલીમડામાં અને ભરૂચમાં બાળક ઉઠાવતા હોવાની આશંકાને લઇને સ્થાનિકોએ મહિલા સહીત ત્રણને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં હાલ બાળક ઉઠાવતી ગેંગ (Baby eating gang) સક્રિય થઈ છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ ગેંગ દ્વારા બાળકોની ઉઠાંતરી કરવામાં આવે છે. ક્યાંક રેલવે સ્ટેશન (Railway station) પરથી તો ક્યાંક સ્કૂલ નજીકથી બાળકોની ઉઠાંતરી કરાતી હોવાનું સામે આવી રહ્યું છે. એવા અનેક શંકાસ્પદ વ્યક્તિઓ (a suspicious person) હાલ શહેરમાં ફરતા હોય છે.

પણ માત્ર શંકા અને વહેમનાં આધારે લોકો પણ હિંસક થતા જોવા મળી રહ્યા છે. લોકો એવા શંકાસ્પદ લોકોને પોલીસને સોંપવા કરતા પોતે કાયદો હાથમાં લઈ હિંસક બની રહ્યા છે. જે બાબત દુખદ છે. આવીજ એક ઘટનાં અમદાવાદનાં દાણીલીમડામાં બની હતી. જેમાં બાળકચોરની માત્ર આશંકાનાં લીધે લોકોએ 1 વ્યક્તિને ઢોરમાર મારવામા આવ્યો હતો.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

દાણીલીમડામાં બાળક ઉઠાવતી ગેંગની દહેશત :

અમદાવાદના દાણીલીમડામાં બાળક ઉઠાવતી ગેંગે આતંક મચાવ્યો છે. ત્યારે બાળક ચોરની આશંકાએ લોકોએ એક વ્યક્તિને ધોકાવી નાખ્યો હતો. જેમાં શંકાસ્પદ વ્યક્તિને માર મારાતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ યુવકને માર મારીને પોલીસને જાણ કરી હતી. જેને લઇને દાણીલીમડા પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અગાઉ પણ લોકોએ માધુપુરામાં 2 વ્યક્તિઓને પકડી પોલીસને સોંપ્યા હતા.

ભરૂચમાં બાળકોના અપહરણનો વહેમ રાખી મહિલાઓને માર મારયો :

વધુમાં ભરૂચમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં બાળકોના અપહરણના વહેમ રાખી મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોના ટોળાએ ભરૂચ APMC માર્કેટમાં 2 મહિલાને જાહેરમાં માર માર્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો :-

Rajasthan Politics : રાજસ્થાનનો રાજકીય ભૂકંપ ગુજરાત કોંગ્રેસની મહેનત પર પાણી ફેરવી શકે છે ?

0

Rajasthan Politics: The political earthquake

  • કોંગ્રેસ હાઇકમાન્ડે સૌથી વફાદાર ગણાતા ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યાં ગેહલોતના પોતાના ઘરમાં જ આગ લાગી છે.

રાજસ્થાનમાં (Rajasthan) હાલ એવો રાજકીય ભૂકંપની આગ આખા કોંગ્રેસને દઝાડી રહી છે. અશોક ગેહલોતે (Ashok Gehlot) આખા કોંગ્રેસને હચમચાવી દીધુ છે. અશોક ગેહલોતની હરકતથી ખુદ સોનિયા ગાંધી (Sonia Gandhi) નારાજ છે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષની (Congress President) ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા નથી. 30 સપ્ટેમ્બર પછી કોંગ્રેસ નેતૃત્વ વધુ નિર્ણય લેશે. ત્યારે રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય ભુકંપના આંચકા ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) લાગી શકે છે.

ચૂંટણી આવતા જ માંડ માંડ બેઠી થયેલી કોંગ્રેસને રાજસ્થાનનો રાજકીય ભૂકંપ નુકસાન નોતરી શકે છે. વિધાનસભા ચુંટણી પૂર્વે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમની ગુજરાત પર ભારે અસર પડશે. રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલ સંકટથી ગુજરાત કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતમાં શું અસર પડશે  :

ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર તરીકે અશોક ગહેલોતની નિમણૂંક કરાઈ હતી. જેઓ હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેમજ ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી છે. આવામાં હાલ રાજસ્થાનમાં જે ધમાસાણ મચ્યું છે, તેમાં આ બંને નેતાઓનું સંપુર્ણ ધ્યાન હાલ રાજસ્થાનના ઘટનાક્રમ પર છે.

એટલું જ નહિ લોકસભા દીઠ નિમાયેલ પ્રભારી અને વિધાનસભા મોટાભાગના ઇન્ચાર્જ ગેહલોત ગ્રુપના છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડે સૌથી વફાદાર ગણાતા ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યાં ગેહલોતના પોતાના ઘરમાં જ આગ લાગી છે. આવામાં ગેહલોત ગુજરાત પર ફોકસ કરી શકે તેમ નથી.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

તો બીજી તરફ રાજસ્થાનમાં રાજકીય ડ્રામાથી હાલ અશોક ગહેલોત કોંગ્રેસ હાઇકમાન્ડ નારાજ છે. ત્યારે ચુટંણી માથે છે તેવા સમયે ગુજરાત કોગ્રેસમાં ગેહલોતના આ પ્રકારણથી નિરાશા વ્યાપી શકે છે. રાજસ્થાન કોંગ્રેસનું  રાજકીય સંકટનો હલ ગુજરાત કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરશે. જો રાજસ્થાનમાં વહેલો ઉકેલ નહિ આવે તો ગુજરાતી મતદારો પણ કોંગ્રેસ પર વિશ્વાસ કરવામાં સફળ નહિ રહે.

હાલ પૂરતા રાજસ્થાનના બંને નેતાઓ ગુજરાતને સમય ફાળવી શકે તેમ નથી. એવામાં નવરાત્રિમાં પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે છે ત્યારે પ્રિયંકા ગાંધીના કેમ્પઈન સહિતના ગુજરાત કોંગ્રેસના ચૂંટણીલક્ષી મોટા કાર્યક્રમોને અસર થઇ શકે છે.

આ પણ વાંચો :-

જૂની બાઇક કે કાર ખરીદતા પહેલા ચેતજો ! કાયદામાં મોટો ફેરબદલ કરવા જઈ રહી છે સરકાર

0

Be warned before buying an old bike

  • કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેનાથી ખરીદ-વેચાણની પ્રક્રિયાને પારદર્શી અને સેકન્ડ હેન્ડ ડીલર્સને વધુ જવાબદાર બનાવવામાં આવશે.

દેશમાં જૂના વાહનોનો (Old vehicles) વ્યાપાર ઘણો જૂનો છે. પરંતુ હાલમાં નવી કારનું (New car) લાંબુ વેઈટીંગ અને વધતી મોંઘવારી (Inflation) વચ્ચે ગ્રાહકોનુ જૂના વાહનો તરફ આકર્ષણ ઝડપથી વધી રહ્યું છે. તો ઓનલાઈન એપ્સની (Online apps) મદદથી ઝંઝટ મુક્ત બાય અને સેલને પગલે જૂની કારોનું માર્કેટ ઝડપથી ગુંજી રહ્યું છે.

ડીલરને દર વર્ષમાં લેવુ પડશે લાઈસન્સ :

સરકારે સેકન્ડ હેન્ડ કાર ડીલરને માન્યતા આપવા માટે તેના માટે લાઈસન્સ ફરજીયાત બનાવી દીધા છે. આ નિયમ હેઠળ ઉપયોગમાં લેવાયેલ વાહન ડીલર્સને આરટીઓ પાસેથી લાઈસન્સ પ્રાપ્ત કરવુ પડશે. આ લાઈસન્સ 5 વર્ષ માટે માન્ય રહેશે. લાઈસન્સ પ્રાપ્ત કર્યા બાદ ડીલર જૂનુ વાહન પેચ કરી શકશે. આ સાથે જૂનુ વાહન નવા ગ્રાહકને વેચતા પહેલા કારને નવા માલિકના નામે રજીસ્ટર કરાવવાનુ ફરજીયાત રહેશે. જો આવુ નહીં થાય તો તેનુ લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.

ડીલર પર હશે જૂૂના વાહનની જાણકારી  :

નવા નિયમો મુજબ કોઈ કાર માલિક પોતાની કારને ડીલરશિપના માધ્યમથી વેચવા માટે આપે છે તો તેની જાણકારી પણ ડીલર આરટીઓમાં આપશે. એટલે કે અત્યારની જેમ ડીલર ખરીદનાર અને વેચનારની વચ્ચે મધ્યસ્થ નહીં થાય. તો આ આખી પ્રક્રિયામાં એક પક્ષ હશે. આ નિયમ લાગુ થયા બાદ જ્યાં સુધી કાર વેચાતી નથી તેની જવાબદારી ડીલરની હશે. વાહનના જૂના માલિકની નહીં.

ડીલરે જ RC અપડેટ કરાવવી પડશે  :

નવા નિયમો હેઠળ જ્યારે જૂની કાર વેચાય છે તો ત્યારબાદ નવા માલિક સાથે જોડાયેલી બધી જાણકારીને આરટીઓમાં આપવાની જવાબદારી ડીલરની રહેશે. આ સાથે જૂની કારના બધા દસ્તાવેજ જેવા કે આરસી, એનઓસી ફોર્મ, ફિટનેસ વગેરેની જાણકારી ડીલરને જ આરટીઓમાં આપવી પડશે.

આ પણ વાંચો :-

 

થઇ જાઓ પરદેશના આ 5 સિટીમાં શિફ્ટ, સેટલ થયા પછી આપશે 24 લાખ રૂપીયા

Shift to these 5 foreign cities  after

  • વિદેશમાં સ્થાયી થવા માંગો છો. તો દુનિયાની આ 5 એવી જગ્યા જ્યાં રહેવા માટે તમને મળશે સામેથી ગ્રાન્ટ તો ચાલો આગળ જાણીએ આ 5 જગ્યાઓ વિશે.

ઘણા લોકો વિદેશ પ્રવાસ (Foreign travel) કરવાનું સપનું જોતા હોય છે. પરંતુ વિદેશ (Abroad) જવું ઘણું મોંઘુ પડે છે. પરંતુ જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે સેટલ થાવ ત્યારે તમારે કોઈ ખર્ચ કરવો પડતો નથી. તમને અહીં સ્થાયી થવા માટે લાખો રૂપિયા સામેથી આપવામાં આવે છે.

એન્ટિકિથેરા :-

જો તમે સસ્તામાં વિદેશમાં સ્થાયી થવા માંગતા હોવ તો ગ્રીસના એન્ટિકિથેરા (Antikythera) ટાપુ પર તમે ઘર બનાવી શકો છો. અહીં માત્ર 43 હજાર રૂપિયામાં તમને ઘર બનાવવા માટે જમીન મળી શકે છે.

તુલસા :-

જો તમે અમેરિકામાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો તો ઓક્લાહોમા રાજ્યનું શહેર તુલસા (Tulsa) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જો તમે અહીં સ્થાયી થયા છો. તો તમને ગ્રાન્ટ તરીકે 7.4 લાખ રૂપિયા મળશે. તમને ફ્રી ડેસ્ક સ્પેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાની તક પણ મળશે. આ સિવાય અમેરિકાના મિનેસોટા રાજ્યના (Bemidji) શહેરમાં જશો તો તમને 1.8 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે.

આલ્બિનેન :-

જો તમારી ઉંમર 45 વર્ષથી ઓછી હોય તો તમે સ્વિત્ઝર્લેન્ડના આલ્બિનેન (Albinen)માં સ્થાયી થઈ શકો છો. જો અહીં સ્થાયી થયા તો તમને 21 લાખ રૂપિયાથી વધુ આપવામાં આવશે. પરંતુ અહીં રહેવાની શરત એ છે કે તમારે 10 વર્ષ સુધી આ દેશમાં રહેવું પડશે. આ ઉપરાંત અહીં સ્થાયી થવા માટે તમારી પાસે સ્વિસ નાગરિકત્વ હોવું આવશ્યક છે, અથવા સ્વિસ નિવાસી સાથે લગ્ન કરેલ હોવા જોઈએ.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 27 સપ્ટેમ્બર : સિંહ-કુંભ રાશિના જાતકો માટે દિવસ હકારાત્મક સાબિત થશે, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

Today’s Horoscope 27 September : GujaratGuardian

મેષ રાશિ : વેપારમાં રોકાણ માટે આજનો દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. જીવનમાં કેટલાક નવા બદલાવ આવી શકે છે.

વૃષભ રાશિ : લાંબા સમયથી ચાલતા કામમાં તમને સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. ઘરમાં મહેમાનના આગમનથી વાતાવરણ હળવું રહેશે. ધન ખર્ચ વધી શકે છે. સંતાન તરફથી તમે સંતુષ્ટ રહેશો.

મિથુન રાશિ : આ રાશિના વ્યાપારીઓને આજે ફાયદો થશે. તમારી વાણી પર સંયમ રાખો. નોકરી કરતા લોકોને ઓફિસમાં પ્રશંસા મળશે. વૈવાહિક જીવનમાં સુ:ખ અને શાંતિ રહેશે. વિદેશ પ્રવાસની તકો છે.

કર્ક રાશિ : આજે બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઓફિસમાં સહકર્મીઓની મદદ મળશે.

સિંહ રાશિ : આજે પરિવારમાં તમારી વાત પર ધ્યાન આપવામાં આવશે. આર્થિક લાભ થશે. મનની શાંતિ માટે ધ્યાન અને યોગને તમારી દિનચર્યામાં સામેલ કરો. મિત્રો તરફથી તમને કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. લગ્ન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે.

કન્યા રાશિ : આજેનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વિદેશમાં વેપાર કરવાની તકો છે. કોઈ વાતથી મન પરેશાન થઈ શકે છે. સ્વભાવે ક્રોધનો અતિરેક રહેશે.

તુલા રાશિ : નોકરીમાં પ્રમોશન મળી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યવસાય સામાન્ય રહેશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ભારે પડી શકે છે. નવું વાહન ખરીદી શકો છો.

વૃશ્ચિક રાશિ : આજે તમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. ઓફિસના કામમાં ભાગદોડ કરવી પડી શકે છે.

ધનુ રાશિ : આજે પરિવારમાં થોડો મતભેદ થઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. નોકરીમાં થોડી મુશ્કેલી આવી શકે છે. વેપારમાં વધારો થશે.

મકર રાશિ : પરિવારના સભ્યો સાથે સારો તાલમેલ રહેશે. તમારે મુસાફરી કરવી પડી શકે છે. મનની કોઈ ઈચ્છા પૂર્ણ થવાથી મન પ્રસન્ન થશે. તમારી કાર્યદક્ષતાના બળ પર તમે ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓને ખુશ કરી શકશો.

કુંભ રાશિ : મનમાં આશા અને નિરાશાની ભાવનાઓ ઉભી થશે. ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે. તમારા નજીકના લોકો સાથે સમય વિતાવો.

મીન રાશિ : આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. નવી નોકરી મળી શકે છે. પરિવારમાં અણબનાવ થઈ શકે છે. પૈસાની દ્રષ્ટિએ દિવસ શુભ છે.

આ પણ વાંચો :-

પતિ કોમામાં છે એવું સમજી પત્નીએ ગંગાજળ છાંટીને એક વર્ષ સુધી લાશ ઘરમાં મુકી રાખી !

0

Thinking that her husband was in a

  • વિમલેશની પત્ની દરરોજ સવારે લાશ પર ગંગાજળ છાંટતી હતી. કેમ કે, તેને આશા હતી કે, આવું કરવાથી તે કોમામાંથી જલદી બહાર આવી જશે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રાવતપુર વિસ્તારમાં મૃત વ્યક્તિના (dead person) પરિવારજનોએ તેની લાશને પોતાના ઘરમાં તે સમજીને રાખી કે તે કોમામાં છે અને જીવે છે. મૃતકની ઓળખ ઈન્કમટેક્સ વિભાગમાં (Income Tax Department) કાર્યરત વિમલેશ દીક્ષિતના રૂપે સામે આવી. મૃતકની પત્નીને વિશ્વાસ હતો કે તે કોમામા છે અને તે પતિની લાશનો દરરોજ ગંગાજળ (Ganga water) છાંટતી હતી.

ઘટનાની હકીકત ત્યારે સામે આવી જ્યારે પોલીસકર્મી અને મેજિસ્ટ્રેટ, આરોગ્ય અધિકારીઓ એકસાથે મામલાની તપાસ કરવા માટે વ્યક્તિના ઘરે પહોંચ્યા અને તેમને ત્યાં લાશ મળી. મુખ્ય આરોગ્ય અધિકારી ડો. આલોક રંજને જણાવ્યું કે, વિમલેશ દીક્ષિતનું ગતા વર્ષે 22 એપ્રિલે મૃત્યુ થઈ ગયું હતું પરંતુ પરિવાર અંતિમ સંસ્કાર કરવા માટે રાજી નહોતું. કેમ કે, પરિવારજનોનું માનવું હતું કે દીક્ષિત કોમામા છે.

આ સમગ્ર મામલે સીએમઓએ કહ્યું કે જ્યારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે પરિવારના સભ્યોએ એ જ વાત પર ભાર આપ્યો કે વિમલેશ જીવે છે અને કોમામા છે. ઘણું સમજાવ્યા પછી પરિવારજનોએ સ્વાસ્થ્ય ટીમને લાશ લાલા લજપત રાય હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી આપી. જ્યાં તપાસ કરતાં તેમને વિમલેશને મૃત જાહેર કર્યો. સીએમઓએ કહ્યું કે આ મામલાની તપાસ કરવા અને જલદીથી રિપોર્ટ આપવા માટે ડો. એપી ગૌતમ, ડો. આસિફ અને ડો. અવિનાશની 3 સભ્યોની ટીમ બનાવી.

એક અધિકારીએ જણાવ્યું કે વિમલેશની પત્ની દરરોજ સવારે લાશ પર ગંગાજળ છાંટતી હતી. કેમ કે, તેને આશા હતી કે, આવું કરવાથી તે કોમામાંથી જલદી બહાર આવી જશે. અધિકારીએ કહ્યું કે પરિવારે પોતાના પાડોશીઓને પણ જણાવ્યું હતું કે વિમલેશ કોમામાં છે. પાડોશીમાંથી એકે પોલીસને જણાવ્યું કે પરિવારના સભ્યો ઘણીવાર ઓક્સિજન સિલેન્ડર ઘરે લઈ જતા હતા.

પોલીસે કહ્યું કે લાશ એકદમ સડી ગઈ હતી. એક અધિકારીએ કહ્યું કે, દીક્ષિતની પત્ની માનસિક રીતે કમજોર હોય તેવું સામે આવ્યું છે. કાનપુર પોલીસે એક નિવેદનમાં કહ્યું કે ખાનગી હોસ્પિટલે ડેથ સર્ટિફિકેટમાં કહ્યું હતું કે વિમલેશ દીક્ષિતનું મૃત્યુ 22 એપ્રિલ 2021એ હાર્ટ એટેકના કારણે થયું હતું.

આ પણ વાંચો :-