Home Blog Page 1301

અંબાજી મંદિરમાં દરરોજ કઈ રીતે બનાવાય છે ? માતાજીને પ્રિય મોહનથાળનો હજારો કિલો પ્રસાદ ?

0

How is it made every day in Ambaji temple

  • અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે દરરોજ 3 હજાર કિલો મોહનથાળની પ્રસાદી બનાવવામાં આવે છે. જ્યારે પૂનમ અને રવિવારના દિવસે 10 હજારથી વધુ કિલોનો પ્રસાદ બનાવવામાં આવે છે એટલું જ નહીં ભાદરવી પૂનમ જેવા અવસરે તો 4 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે.

આજથી આદ્યશક્તિની આરધનાના (Adhyashakti worship) પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિ (Navratri 2022) એટલે કે નવ દિવસ માતાજીની પૂજા-અર્ચના અને ગરબે ઘૂમીને આરાધના કરવાનો અવસર. માઇ ભક્તો ગરબે ઘૂમી મા અંબાની ભક્તિ કરશે. એમાંય માતાના શક્તિપીઠ (Shaktipeeth) પૈકી સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતા આપણાં અંબાજી યાત્રાધામનું (Ambaji pilgrimage) પણ આગવું મહત્ત્વ છે.

એટલું જ નહીં અંબાજીમાં વર્ષોથી મોહનથાળની પ્રસાદી આપવામાં આવે છે. શું તમે જાણો છો કે આ મોહનથાળની પ્રસાદી કેવી રીતે બનાવવામાં આવે છે? જાણો અંબાજી યાત્રાધામમાં તૈયાર કરવામાં આવતા મોહનથાળના પ્રસાદની આખી પ્રોસેસ.

મળતી માહિતી મુજબ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે દરરોજ 3 હજાર કિલો મોહનથાળની પ્રસાદી બનાવવામાં આવે છે. જ્યારે પૂનમ અને રવિવારના દિવસે 10 હજારથી વધુ કિલોનો પ્રસાદ બનાવવામાં આવે છે એટલું જ નહીં ભાદરવી પૂનમ જેવા અવસરે તો 4 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે. મોહનથાળનો પ્રસાદ મંદિર પરિસરની બાજુમાં જ બનાવવામાં આવે છે. જોકે, આટલો બધો મોહનથાળ ભાગ્યે જ એક સાથે કોઈ જગ્યાએ બનતો હશે. તેથી તેની મેકિંગ પ્રોસેસ એટલે કે બનાવવાની પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ છે.

મોહનથાળની પ્રસાદી બનાવવાની પ્રક્રિયા :

મંદિર પરિસરની બાજુમાં આવેલાં વિશાળ રસોડામાં સૌ પહેલાં ચણાના લોટને ચારણીથી ચાળવામાં આવે છે. ચણાના લોટમાં ઘી અને દૂધનું મૌણ આપવામાં આવે છે. ત્યારબાદ મોટી કઢાઈમાં ચોખ્ખું ઘી ગરમ કરી તેમાં મૌણવાળા ચણાના લોટને એકસરખા તાપમાને શેકવામાં આવે છે. ઘી અને મૌણવાળા ચણાના લોટનું તૈયાર થયેલું દાણાદાર મિશ્રણને ઠારવામાં આવે છે. ત્યાં સુધી બીજી તરફ ખાંડની ચાસણી તૈયાર કરવામાં આવે છે.

આ ગરમ ચાસણીને ઠારેલા દાણાદાર મિશ્રણમાં ઉમેરવામાં આવે છે. બરાબર મિક્ષ અને ઘાટું થયા બાદ આ દાણાદાર મિશ્રણને ચોકીઓમાં ઠારવામાં આવે છે.આમ હવે માતાજીને પ્રિય મોહનથાળનો પ્રસાદ તૈયાર થાય છે. તૈયાર થયેલો મોહનથાળ અલગ-અલગ સાઇઝના બોક્સમાં પેક કરવામાં આવે છે. મંદિરની અંદરના કાઉન્ટરમાંથી માઇ ભક્તો આ પ્રસાદ ખરીદીને મા અંબાને અર્પણ કરે છે.

આ પણ વાંચો :-

જિમ જવાનો સમય નથી મળતો ? રોજ સવારે શરૂ કરો આ ડ્રીંક્સ, ફટાફટ ઉતરવા લાગશે વજન

Can’t find time to go to the gym ? Start drinking

  • ઓઈલી ફૂડના સેવનથી વજન વધી જાય છે પણ રોજ અજમાના પાણીના સેવનથી વજન ઉતારી પણ શકાય છે.

ભારતમાં (India) લોકોને ઓઈલી ફૂડ્સ (Oily foods) અને સ્વીટ ડિશિસ (Sweet dish) ખાવાનો ખૂબ જ શોખ હોય છે જેને કારણે મોટેભાગે તેઓ મેદસ્વિતાનો (Obesity) શિકાર બની જાય છે. હવે એકવાર વજન વધી જાય છે તો ઘટાડવું અત્યંત મુશ્કેલ થઈ જાય છે. હવે સૌ કોઈ પાસે ટેલો સમય નથી હોતો કે ડેઇલી લાઈફમાં (Daily Life) કયાંથી સમય કાઢીને જિમમાં જઈ શકે, અને ન કોઈ એવા ડાયટ એક્સપર્ટ મળે છે કે જે દરેક સમયે યોગ્ય ભોજન વિષે જણાવી શકે. હવે જો તમારે સરળતાથી વજન ઊતરવું છે, તો એક ખાસ ડ્રિંકનો (Drink) સહારો લઈ શકાય છે.

સેલરીના પાણીનો કઈ રીતે કરવો ઉપયોગ ?

1. જો તમે સવારે કંઇપણ લીધા વગર સેલરીનું પાણી પીવો છો. તો તેનાથી વજન ઝડપથી ઉતારી શકાય છે અને ફેટ પણ ઓછું થાય છે.

2. સેલરીના પાણીને હલકુ ગરમ કરીને પણ પી શકાય છે, જો તમે થોડા સારા પરિણામની આશા રાખો છો, તો તમાર ડેઇલી  ડાયટમાં અજમાની માત્રા વધારી દો.

3. વેટ ઉતારવા માટે તમે 25 ગ્રામ અજમાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી દો અને બીજા દિવસે સવારે ખાલી પેટ લઈ લો.

4. જો એક મહિના સુધી તમે અજમાના પાણીનું સેવ કરો છો. તો તમે શરીર પર ફરક અનુભવી શકશો.

5. જો તમે રાતના સમયે સેલરીને પાણીમાં પલાલવાનું ભૂલી જાઓ છો. તો સવારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સેલરી ભેળવીને વાસણમાં ઉકાળી લો. છેલ્લે ગેસ બંધ કરી દો અને થોડું ઠંડુ પડવા પર પી લો.

આ પણ વાંચો :-

આ વર્ષે નવરાત્રિ સો ટકા બગડવાની, ગમે તે નોરતે વરસાદ આવશે તેવી છે અંબાલાલ પટેલની આગાહી

0

Ambalal Patel predicts that Navratri

  • નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

હાલ ખેલૈયાઓને એક જ પ્રશ્ન છે નવરાત્રિ (Navratri 2022) દરમિયાન વરસાદ પડશે કે નહિ. કોરોનાના બે વર્ષ બાદ માંડ ગરબા રમવાની તક મળી છે ત્યાં એકમાત્ર વરસાદનું વિધ્ન (Rainfall) આડે આવી શકે છે. ગુજરાતના દરેક શહેરો-ગામડામાં આ વર્ષે ગરબા રમવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ લાખો ખેલૈયાઓ નિરાશ થાય તેવી આગાહી થઈ છે. આજે 26 સપ્ટેમ્બરે પહેલુ નોરતું છે. ત્યારે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ (The rain) થવાની શક્યતા છે. આ આગાહી હવામાન નિષ્ણાત (Meteorologist) અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, તારીખ 8 ઓક્ટોબરથી 13 ઓક્ટોમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. આ ચક્રવાતના લીધે ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે. જેની અસર હાલ દેખાશે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે કોઈપણ ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. ચોમાસાના આ અંતિમ પડાવમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલમાં નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ દિવસોમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ થોડું વધુ રહેશે. તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

તેમણે કહ્યું કે 5 મી ઓક્ટોબર સુધીમાં દરિયામાં પવનોનું જોર વધુ રહેશે. અને 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભી થશે. જેમાં ચક્રવાત થવાની પણ શક્યતા રહેશે. આ સીઝનનું પ્રથમ ચક્રવાત બની શકે છે. જેના લીધે દેશના દક્ષિણી પૂર્વીય તટ પર ભારે વરસાદની શકતા રહેશે. ત્યારે આ દિવસોમાં નવરાત્રિના છેલ્લા નોરતા છે જેની અસર નવરાત્રિ પર પડી શકે છે.

આજે સૌરાષ્ટ્રમાં તૂટી પડ્યો વરસાદ :

વરસાદની આગાહી અને નવરાત્રિના પહેલા નોરતા વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો છે. અમરેલી જિલ્લામાં ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ખાંભા શહેર તથા ગામ, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો ઉનામાં નવરાત્રિના પ્રથમ દિવસે સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. માત્ર અડધા કલાકમાં 1 ઇંચ આસપાસનો વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ચૂંટણી વહેલા આવવાના સીઆર પાટીલે આપ્યા સંકેત, જાણો શું કહ્યું…

0

CR Patil hinted early election in Gujarat

  • આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન પાટીલે કહ્યું કે, આ વખતે ચૂંટણી 12 દિવસ પહેલા યોજાઈ શકે છે. 2017 ની ચૂંટણી ડિસેમ્બરમાં થઈ હતી. આ વખતે મારો અંદાજ છે કે નવેમ્બરમાં થઈ શકે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે ચૂંટણી 15 દિવસ પહેલાં યોજાઈ શકે છે. નવેમ્બરમાં (November) ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવું અનુમાન છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) આ સંકેત આપ્યા છે. આણંદમાં (Aanad) એક કાર્યક્રમ દરમિયાન પાટીલે કહ્યું કે આ વખતે ચૂંટણી 12 દિવસ પહેલા યોજાઈ શકે છે. 2017 ની ચૂંટણી ડિસેમ્બરમાં થઈ હતી. આ વખતે મારો અંદાજ છે કે નવેમ્બરમાં થઈ શકે.

આજે આણંદમાં જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કરાયું કરાયું છે. સાથે જે ભારતમાતા સરદાર પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દિન દયાલ ઉપાધ્યાયની મૂર્તિનું પણ લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 3.50 કરોડના ખર્ચે બનાવાયેલા શ્રી કમલમને ખુલ્લુ મૂક્યુ હતું. ત્યારે કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સીઆર પાટીલે ચૂંટણી વહેલી આવવાની શક્યતા વ્યક્ત કરી.

આણંદમાં ચૂંટણી અંગે સીઆર પાટીલે કહ્યું કે, આ વર્ષે ગુજરાતમાં આગામી નવેમ્બરમાં ચૂંટણી આવશે. આ વખતે ચૂંટણી 10 દિવસ વહેલી આવશે. જો કે ચૂંટણી કઇ તારીખે આવશે તે હું કઈ કહી શક્તો નથી. પરંતું હાલ બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા છે. દિલ્હીથી આવનારા રિટર્ન ટીકીટ કઢાવી લે.

તો બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર ગુજરાતના પ્રવાસે છે. જેમાં 2 દિવસ ગુજરાતમાં બેઠકોનો દોર ચાલશે. આ બેઠકોમાં રાજ્યમાં ચૂંટણી વ્યવસ્થા અંગે ચર્ચા કરાશે. સાથે જ ચૂંટણી તૈયારીઓ માટે વિવિધ કામગીરીની સમીક્ષા કરાશે. રાજકીય પક્ષો અને જિલ્લા કલેક્ટર, પોલીસ વડાઓ સાથે બેઠક કરશે.

આ પણ વાંચો :-

હવે સુરત જાવ તો આ ઐતિહાસિક જગ્યાએ જવાનું ન ભૂલતા, ખૂદ PM મોદી કરવાના છે લોકાર્પણ

0

If you go to Surat now, don’t forget to

  • સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલા ઐતિહાસિક કિલ્લાનું રિનોવેશન પૂર્ણ થઈ ગયું છે. 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ (Gujarat tour) વધી ગયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

પીએમ મોદીના હસ્તે સુરતની ઓળખસમા ઐતિહાસિક કિલ્લા લોકાર્પણ કરવામાં આવશે. પાલિકાએ આ પહેલાં કિલ્લાને ઝગમગ રોશની શણગારવાની કવાયત શરૂ કરી છે.

કિલ્લાનું ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન પૂર્ણ  :

સુરતની ઓળખસમા ઐતિહાસિક કિલ્લાનું અલગ-અલગ તબક્કામાં ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન પૂર્ણ થયું છે. કિલ્લામાં 6 ઇમારતની સાથે 4 બુર્જ, 2 પાર્શિયલ બુર્જ તૈયાર કરાયા છે. આ સાથે મુલાકાતીઓને સોવેનિયર શોપ, બ્રિટિશ ટી-રૂમ, મોબાઇલ એપ, વીઆર બેઝ્ડ સુરતનો નકશો, છફ રૂમ, સાંજના સમયે લાઇટ-સાઉન્ડ શો વગેરે જોવા મળશે. આ લાઈટ-સાઉન્ડ શોના માધ્યમથી સુરત શહેરના ભવ્ય ઈતિહાસની તમામ જાણકારી આપવામાં આવશે.

પાલિકાને સોંપાઈ હતી સંરક્ષણ કાર્યની જવાબદારી :

આપને જણાવી દઈએ કે, વર્ષ 2018માં પાલિકાને સંરક્ષણ કાર્યની જવાબદારી રાજ્ય સરકારે સોંપી હતી. જે બાદ પાલિકાએ કિલ્લાની બિલ્ડિંગોની નિષ્ણાતો પાસે કામગીરી શરૂ કરાવી હતી. અગ્રેજો અને મુગલોનું સાશન જોઈ ચુકેલા આ ઐતિહાસિક કિલ્લાને પાલિકાએ ટુરિસ્ટ પ્લેસમાં રૂપાંતરિત કર્યો છે. હવે આ કિલ્લાને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

ટિકિટના દર કરાયા નક્કી :

જેના માટે ટિકિટના દર નક્કી કરાયા છે. કિલ્લાને જોવા માટે 3થી 16 વર્ષ સુધીના બાળકો માટે 50 રૂપિયા અને 17થી 60 વર્ષ સુધીના મુલાકાતીઓ માટે ટિકિટનો દર 100 રૂપિયા નક્કી કરાયો છે. તો 60થી વધુ વયના વ્યક્તિ 50 રૂપિયા ચૂકવીને આ ઐતિહાસિક કિલ્લાને નિહાળી શકશે. મુલાકાતીઓ મંગળવારથી રવિવાર સુધી પ્રવાસીઓ કિલ્લાને નિહાળી શકશે. 29 સપ્ટેમ્બરે પીએમ મોદીના હસ્તે કિલ્લાનું લોકાર્પણ કરાશે.

આ પણ વાંચો :-

 

ધોનીએ કોથળામાંથી બિલાડું કાઢ્યું, દેશ આખાના ધબકારા વધારીને આખરે કર્યું આવું એલાન

0

Dhoni let the cat out of the bag raising

  • ધોનીએ શનિવારે એવું એલાન કર્યું હતું કે તે રવિવારે એક મોટું એલાન કરીશ પરંતુ ધોનીએ તો કોથળામાંથી બીલાડું કાઢ્યું છે.

ટીમ ઈન્ડીયાના (Team Indiana) પૂર્વ કેપ્ટન ધોનીએ (Former captain Dhoni) રવિવારે એક મોટી જાહેરાત કરવાનું શનિવારે જણાવ્યું હતું. ધોનીની આ જાહેરાત બાદ લાખો ચાહકોના ધબકારા વધી ગયા હતા અને લોકો આઈપીએલમાંથી (IPL 2022) તેની નિવૃતીને લઈને અટકળો લગાવવા લાગ્યાં હતા. આખરે ધોનીએ રવિવારે જાહેર કરી દીધું છે.

ધોનીએ ભારતમાં ફરી વાર ઓરિઓ બિસ્કીટ લોન્ચ કર્યું :

ધોનીએ ભારતમાં ફરી વાર ઓરિઓ બિસ્કીટ લોન્ચ કર્યું છે. ધોનીની આ પ્રમોશનલ ઈવેન્ટ હતી. 2011ની સાલમાં ભારતમાં પહેલી વાર ઓરિઓ બિસ્કીટ લોન્ચ થયા હતા અને તે વર્ષે ધોનીની આગેવાનીમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીની આ પ્રમોશલ ઈવેન્ટને 150k લોકોએ ફેસબુક પર લાઈવ જોયું હતું.

2011ની સાલમાં ઓરિઓ બિસ્કિટ લોન્ચ થયું હતું હવે ફરી વાર થયું લોન્ચ :

ઉલ્લેખનીય છે કે 2011ની સાલમાં ઓરેઓ બિસ્કિટ લોન્ચ થયું હતું અને હવે ફરી વાર લોન્ચ થયું છે.

ધોનીએ શનિવારે શું કહ્યું હતું  :

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી સંભાળી રહેલા ધોનીએ જાતે જ સોશિયલ મીડિયા પર આવતીકાલે (રવિવારે) બપોરે બે વાગ્યે ફેસબુક લાઈવ પર એક સમાચાર શેર કર્યા હતા. એમએસ ધોનીએ પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કરીને લાઇવ આવવાની માહિતી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે માહી મોટી જાહેરાત કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની પોતાના ફેન્સ સાથે લાઈવ કનેક્ટ થવા જઈ રહ્યા છે.

25 સપ્ટેમ્બરે ધોની પોતાના ફેન્સ સાથે વાત કરશે અને આશા છે કે તે કોઇ મોટો નિર્ણય લેવા જઇ રહ્યો છે.એમએસ ધોનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે લાઇવ આવીશ અને આ માહિતી આપીશ. હું આશા રાખું છું કે તમે બધા ત્યાં હશો.

આ પણ વાંચો :-

મતદાનથી વંચિત જૂનાગઢની આ જગ્યાએ પહેલીવાર પહોંચશે ચૂંટણી પંચ ! મતદાન બુથ ઉભું કરવા વિચારણા

0

The Election Commission will reach this

  • ઉપલા દાતારની જગ્યામાં મતદાન બુથ ઉભું કરવા વિચારણા, ઉપલા દાતારના મહંતોની પરંપરા મુજબ તેઓ કદી જગ્યા છોડી નીચે આવતા નથી.

જૂનાગઢ (Junagadh) ઉપલા દાતારની (Upper Datar) જગ્યા કોમી એકતાનું પ્રતિક સમાન છે, ત્યારે આઝાદી સમયથી દાતારની જગ્યાના મહંતો (Mahanto) મતદાનથી વંચિત રહ્યા છે. ત્યારે હાલના મહંતે ચૂંટણી પંચને મતદાન મથક (Polling station) ઉભુ કરવાની અપીલ કરી છે.

જૂનાગઢ ગીરનાર સમીપ ઉપલા દાતારની જગ્યા ખુબ ઊંચાઈ ઉપર આવેલી છે અને ઉપલા દાતારની જગ્યા કોમી એકતાનું પ્રતીક સમાન છે, ત્યારે ઉપલા દાતાર જગ્યાના નવાબી સમયમા પહેલા મહંત પટેલ બાપુ હતા. તે બ્રહ્નલીન થયા તેની જગ્યાએ વિઠ્ઠલ બાપુ મહંત બન્યા પણ સમય જતા તે પણ બ્રહ્મલીન થતા હાલ ભીમ બાપુ ગાદીપદે બિરાજમાન છે.

ઉપલા દાતારની જગ્યા આસન સિદ્ધ તરીકે ઓળખાય છે એટલે ઉપલા દાતાર જગ્યાના જે પણ મહંત બને એ કોઇ દિવસ જગ્યા છોડીને નીચે ઉતરતા નથી. પટેલ બાપૂ અને વિઠ્ઠલ બાપુ દેવ પામ્યા બાદ બંને મહંતની સમાધી પણ તે જગ્યામા આપવામા આવી હતી. ત્યારે આઝાદી કાળથી જગ્યાના મહંત તમામ મહંતો મતદાનથી વંચિત રહ્યા છે.

No description available.

2022 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી દીધી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું પર્વ ખરા અર્થમાં સાર્થક બને એક પણ વ્યક્તિ મતદાન થી વંચિત ના રહે તેવા પ્રયાસો કરવામા આવતા હોઈ છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વર્ષો પહેલા મધ્ય ગીરમાં આવેલ બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપૂ માટે એક મત માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું.

પરંતુ ભરતદાસ બાપુનું અવસાન થતા એ મતદાન મથક બંધ થયું ત્યારે ઉપલા દાતારની જગ્યા એવી છે કે ત્યાંના મહંત કોઇ દિવસ જગ્યા છોડીને જતા નથી. ત્યારે જગ્યાના મહંત ભીમ બાપુએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે પવિત્ર અને કિંમતી મત આપવાનો અધિકાર દરેક ભારતીય નાગરિકને છે ત્યારે જો ઉપલા દાતારની જગ્યામાં મતદાન મથક ઉભુ કરવામાં આવશે તો ખુશી વ્યક્ત થશે અને મતદારોને પણ અપીલ કરી હતી કે મતદાન કરવું જોઈએ.

આ પણ વાંચો :-

રાઘવજી પટેલે લોકોને ખડખડાટ હસાવ્યા, કહ્યું; ‘…ત્યારથી મારી પત્ની ચૂંટણી લડવાનું નામ લેતી નથી’

0

Raghavji Patel made people laugh

  • રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ટોપી વાળા ખોટા ખોટા વચનો આપી રહ્યા છે. 23 વર્ષ સુધી સંઘર્ષ બાદ હું મંત્રી બન્યો છું. અનેકવાર ખેડુતો માટે લડ્યો, જગાડ્યો, હાર્યો અને આજે મંત્રી બન્યો છું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જેતપુર-જામકંડોરણાના (Jetpur-Jamkandorana) ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના (Jayesh Radadia) ગઢમાં ભાજપના નેતાઓનો મેળાવડો જામ્યો છે. રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણામાં (Jamkandorana) કન્યા છાત્રાલયમાં યોજાઈ હતી. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટોપીવાળા રોજ આવીને રેવડી વેચે છે અને જનતાને ખોટાં વચન આપી રહ્યા છે.

રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ટોપી વાળા ખોટા ખોટા વચનો આપી રહ્યા છે. 23 વર્ષ સુધી સંઘર્ષ બાદ હું મંત્રી બન્યો છું. અનેકવાર ખેડુતો માટે લડ્યો, જગાડ્યો, હાર્યો અને આજે મંત્રી બન્યો છું. રાજ્યમાં પ્રાદેષિક પાર્ટીઓનું અસ્તિત્વ ન હોવાની વાત કરી હતી.

રાઘવજી પટેલે લોકોને હસાવ્યા :

રાજ્ય મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુની જાનમાં અમે પણ જોડાયા હતા. હું અને મારી પત્ની બન્ને હારી ગયા હતા. મારી પત્ની ત્યારથી ચૂંટણી લડવાનું નામ લેતી નથી. ટોપીવાળા રોજ આવીને રેવડી વેચે છે.

મહત્વનું છે કે રાજ્ય સરકારના મંત્રી આજ કાલ આક્રમક જોવા મળ્યા હતા, ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના નેતાઓ એક પછી એક આક્રમક બની રહ્યા છે. હવે 11 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણા આવી રહ્યા છે. જામકંડોરણામાં વડાપ્રધાનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે.

આ પણ વાંચો :-

બ્રહ્માંડનું પ્રતિક કહેવાતા ઘટ સ્થાપનાનું નવરાત્રિમાં કેમ હોય છે મહત્વ, વિધિ મુજબ કેવી રીતે કરશો જાણો અહીં બધું

0

What is the significance of the statue called the

  • શાસ્ત્રો અનુસાર કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે. નવરાત્રિ પૂજામાં કળશ એ સંકેત છે કે પૂજામાં કળશ દ્વારા તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે.

આદ્યશક્તિની આરાધના (Adoration of the primal power) વિશેષ નવરાત્રિ પર્વની (Navratri Festival) શાસ્ત્રોકત રીતે આરાધનાર્થે ભુજ આશાપુરા મંદિર (Ashapura Temple) ખાતે વિધિ વિધાન સાથે દેશદેવીની દ્વિમૂર્તિની સાક્ષીએ ઘટસ્થાપન કર્યું હતું. નવ દિવસ નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપના અથવા તો ઘટ સ્થાપનાથી કરવામાં આવે છે. નવરાત્રિમાં (Navratri 2022) ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ છે.

નવરાત્રિમાં મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી શુભ કાર્યો કરી શકાય છે :

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. શારદીય નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે અને માતાની વિધિપૂર્વક પૂજા કરે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિની નવ તિથિ એવી છે. જેમાં મુહૂર્ત જોયા વગર કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. નવરાત્રિના શુભ અવસર પર મોટાભાગના લોકો નવો ધંધો શરૂ કરે છે અથવા નવા ઘરમાં પ્રવેશ કરે છે. નવરાત્રિની ઉજવણીમાં મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરવામાં આવે છે.

ઘટ સ્થાપના કેવી રીતે કરાય છે :

ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખે છે. નવા વર્ષે બીજા નવા જવારા મૂકીને પછી જ જૂનાં જવારા વિસર્જિત કરે છે. નવરાત્રિના પહેલાં દિવસે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે.

કળશ બ્રહ્માંડનું પ્રતિક ગણાય છે  :

શાસ્ત્રો અનુસાર કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે. નવરાત્રિ પૂજામાં કળશ એ સંકેત છે કે પૂજામાં કળશ દ્વારા તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. ભુજ ખાતે આશાપુરા મંદિરે પૂજારી જનાર્દનભાઈ દવે દ્વારા પરંપરાગત તેમજ વર્ષો જુની ધાર્મિક વિધિ મુજબ ઘટસ્થાપન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

કોઈ પણ શુભ પ્રસંગે કળશ સ્થાપના કેમ કરાય છે :

ઘટ સ્થાપનાના મહત્વ વિશે દવેએ જણાવ્યું કે, નવરાત્રિમાં કળશની સ્થાપના સાથે એક દંતકથા જોડાયેલી છે. આ કથા અનુસાર શ્રી હરિ વિષ્ણુ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. તેથી તેમાં અમરત્વની અનુભૂતિ થાય છે. આ જ કારણ છે કે ઘરના કોઈપણ શુભ પ્રસંગે ઘટ સ્થાપન અથવા કળશ સ્થાપન કરવામાં આવે છે. કહેવાય છે કે કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોય છે અને કળશને શુભ કાર્યનું પ્રતિક માનવામાં આવે છે. કળશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચો :-

માત્ર 500 રૂપિયામાં તમારો સ્માર્ટફોન બની જશે iPhone 14 Pro Max !, જાણીને તમે પણ ખુશ થઇ જશો

You will also be happy to know

  • Appleએ તેની iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે અને લોકો તેના દિવાના બની ગયા છે. કંપનીએ પ્રો વર્ઝનમાં કંઈક એવું કર્યું છે, જે અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી.

કંપનીએ એક અલગ ડિઝાઇન (Different design) નોચ આપી છે, જે ઘણા કામ કરે છે. તે લુકમાં એકદમ યુનિક અને શાનદાર છે. કંપનીએ તેનું નામ ડાયનેમિક આઇલેન્ડ (Dynamic Island) રાખ્યું છે. તેને વિવિધ પ્રકારના એલર્ટ, નોટિફિકેશન અને ઇન્ટરેક્શન બતાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સે (Android users) નિરાશ થવાની જરૂર નથી કારણ કે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર એક એપ આવી છે. જે યુઝર્સને આવો જ એક્સપિરિયન્સ આપશે.

જોમો દ્વારા ડેવલપ કરવામાં આવેલ ડાયનેમિકસ્પોટ નામની નવી એપ કદાચ એપલના ડાયનેમિક આઇલેન્ડની કોપી જેવી લાગે છે. એપ્લિકેશન હાલમાં પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ છે અને તમને તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર જ્યાં નોચ સ્થિત છે તે “આઇલેંડ” ની સ્થિતિ અને આકારને સમાયોજિત કરવા દે છે. તે ઘણા કસ્ટમાઇઝેશન પણ આપે છે. તે તમને તમારી સ્ક્રીન પર કયા પ્રકારની નોટિફિકેશન દેખાય છે તે સિલેક્ટ કરવાની મંજૂરી આપે છે.

આ સિવાય Dynamicspot એક જ સમયે બે પોપઅપ નોટિફિકેશન પણ બતાવી શકે છે. એપ્લિકેશનનું ફ્રી વર્ઝન સિમિત કાર્યો સાથે આવે છે. જો કે, જો તમે તેની સંપૂર્ણ ક્ષમતાને ટેસ્ટ કરવા માંગતા હો, તો તમે 4.99 ડોલર (રૂ. 500) ચૂકવી શકો છો અને પ્રો વિકલ્પ મેળવી શકો છો.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ફોનરેનાએ પ્રિન્ટશોટ શેર કર્યો છે જે વધુ સુવિધાઓને અનલોક કરે છે. ઉદાહરણ તરીકે તે યુઝર્સને લોક સ્ક્રીન પર ડાયનેમિક્સસ્પોટ પ્રદર્શિત કરવાની અને સિંગલ ટેપ અને લોન્ગ પ્રેસની ક્રિયાઓ એક્સેસ કરવાની ક્ષમતા આપે છે. ઉલ્લેખ કરવામાં આવ્યા મુજબ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે અને તેમાં કોઈ જાહેરાતો નથી. જો કે, તે હજુ પણ બીટા તબક્કામાં છે અને તેમાં સુસંગતતા સાથે કેટલીક સમસ્યાઓ છે.

આ ઉપરાંત એપમાં કેટલાક બગ્સ પણ હોઈ શકે છે. કોઈપણ સંજોગોમાં જ્યાં સુધી Android નિર્માતાઓ એક સમાન વિકલ્પ લાવવાનું નક્કી ન કરે ત્યાં સુધી તમારા Android ફોન પર Appleના ડાયનેમિક આઇલેન્ડ મેળવવાની આ તમારી પાસે સારો મોકો છે.

આ પણ વાંચો :-