Home Blog Page 1294

કપલ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે BALI : સસ્તા મળશે શાનદાર સુવિધાઓ, પ્લાન બનાવતા પહેલા જાણી લેજો આ વાતો

BALI is the best destination for couples

  • લાંબા સમયથી બાલી ફરવાની પ્લાનિંગ કરી રહ્યા છો આજે અમે તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદ થી તમે ઓછા ખર્ચામાં ત્યાં આરામથી ફરી શકો છો.

બાલી ભારતીયો (Bali Indians) વચ્ચે સૌથી વધુ જોવાવાળી એક ઈન્ટરનેશનલ જગ્યાઓ માંથી એક છે. તેનું પહેલુ કારણ એ છે કે ત્યાં બજેટની અંદર ફરી શકાય છે. જો તમે પણ લાંબા સમયથી બાલી ફરવાની (Traveling to Bali) પ્લાનિંગ કરી રહ્યા છો તો ચિંતા ન કરો આજે અમે તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદ થી તમે ઓછા ખર્ચામાં ત્યાં આરામથી ફરી શકો છો. ટિપ્સ જણી લીધા પછી તમારી પત્ની સાથે જરૂરથી ત્યાં ફરવા જજો.

પહેલાથી જ બુકિંગ કરો  :

જો તમે ઈચ્છો છો કે તમારું ટુર સસ્તામાં થઈ જાય તો પહેલા ફ્લાઇટથી જોડાયેલ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે યાત્રાના થોડા દિવસ પહેલા જ ફ્લાઇટ બુક કરી દો તો તમને ટિકિટ ઘયની સસ્તી પડી શકે છે. જેટલું પાછળથી બુકિંગ કરશો એટલી ટિકિટની કિંમત વધતી જાય છે.

બાલી જવા માટે વિઝાની જરૂર પડે છે ? 

ઇન્ટરનેશનલ ટ્રીપ કરવા માટે દરેક લોકોને સૌથી પહેલા વિઝાની ચિંતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે 30 દિવસ માટે બાલી જવાવાળા ભારતીયોને વિઝાની જરૂર પડતી નથી. બસ તમારે ઈમિગ્રેશન કાઉન્ટરથી વિઝા છૂટ સ્ટેમ્પ મેળવી શકો છો જેમાં તમારે એક રૂપિયાનો પણ ખર્ષ આવશે નહીં. જો તમે 30 દિવસથી વધુ સમય માટે જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે ઈન્ડોનેશિયામાં એન્ટ્રી કરતાંની સાથે જ વિઝા ઓન આરાઇવલ માટે આવેદન કરવું પડશે.

બાલીની કરન્સી  :

ઇન્ડોનેશિયાની કરન્સી કે આઇડિઆર છે અને તમને જાણીને ખુશી થશે કે અહિયાંના એક રૂપિયા =  IDR 188 થાય છે. આમ તમે બાલીમાં રહીને ખુદને અમિર પણ સમજી શકો છો.

કેટલા દિવસની ટ્રીપ કરવી જોઈએ ટ્રીપ ?

બાલીમાં રહીને ફરવાનો પૂરતો અનુભવ લેવો હોય તો તમારે એક અઠવાડિયાનો સમય લઈને જવું જોઈએ. જો તમારી પાસે આનાથી વધુ સમય છે અને બજેટ પણ છે તો બાલીથી તમે આસપાસ બીજી જગ્યા પર પણ ફરી શકો છો.

બાલીમાં હોટલ કેટલી મોંધી છે ? 

બજેટ બગાડ્યા વિના શાનદાર હોટલ કે રિસોર્ટ કે હોમ સ્ટેમાં તમે રોકાઈ શકો છો. જો તમે પૂરતું રિસર્ચ કરીને જાઓ તો ત્યાં તમે 800-1000 રૂપિયાની વચ્ચે એક રેટ માટે હોટલમાં રહી શકો છો.

બાલીમાં ફરવા માટે સૌથી બેસ્ટ જગ્યા  :

સમકાલીન અને આધુનિક યુગના ખૂબ સારા મિશ્રણવાળા બાલીમાં તમને ઘણી સુંદર અને આકર્ષિત જગ્યાઓ જોવા મળશે. જેવી કે જતીલૂવ \ રાઈસ ટેરેસ, માઉન્ટ બટુર, જીમ્બરન બે, તનાહ લોટ મંદિર, નુસા પેનિડા દ્વીપ અને ઉલૂવાતુ મંદિર.

આ પણ વાંચો :-

Malaika Arora ફરી કેમ આવી રહી છે અરબાઝની નજીક ? છૂટાછેડા પછી કેમ આવ્યો પૂર્વ પતિ પર પ્રેમ ?

Why is Malaika Arora getting close to

  • મલાઈકા અરોરા અરબાઝ ખાનના સંબંધોમાં સમયની સાથે સતત સુધારો થઈ રહ્યો છે. જોકે, બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એકબીજાથી છૂટાછેડા લીધા બાદ ફરી એકવાર સાથે હોવાની ચર્ચાને કારણે સોશિયલ મીડિયા પર હિલચાલ વધી છે.

છૈયા-છૈયા ગર્લ તરીકે જાણીતી બોલીવુડની ‘મુન્ની (Bollywood’s ‘Munni’)’ ફરી એકવાર થઈ રહી છે બદનામ! આ વખતે એક એવા સમાચાર ચર્ચામાં છે કે જેને કારણે મલાઈકા અરોરાના (Malaika Arora) બોયફ્રેન્ડ અર્જુન કપૂરની (Arjun Kapoor) ઉંઘ હરામ થઈ ગઈ છે. સૌ કોઈ જાણે છે કે મલાઈકાએ અરબાઝ ખાન (Arbaaz Khan) સાથે છૂટાછેડા લઈ લીધાં છે.

જો કે છેલ્લાં કેટલાંક સમયથી આ બન્ને ફરી એકબીજાની નજીક આવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. એ પ્રકારના સમાચારો વાયુવેગે વહેતા થવાને કારણે આ ચર્ચા શરૂ થઈ છે. જો કે આ પરિસ્થિતિને કારણે હાલ અર્જુન કપુરને પરસેવો છુટી ગયો છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એકબીજાથી છૂટાછેડા લીધા બાદ હવે તેમના જીવનમાં આગળ વધ્યા છે. મલાઈકા અરોરા હવે અર્જુન કપૂર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં છે. જ્યારે અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. છૂટાછેડાએ તેમના ચાહકોને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. છૂટાછેડા પછી પણ અરબાઝ મલાઈકાએ પુત્ર અરહાન માટે સારી મિત્રતા જાળવી રાખી હતી. હવે મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથેના છૂટાછેડા પછીના સંબંધો વિશે વાત કરી છે.

મલાઈકા અરોરાએ આ વાત કહી :

હાલમાં જ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાએ જણાવ્યું કે છૂટાછેડા પછી હવે તેના અને અરબાઝ ખાનના સંબંધો કેવા છે. મલાઈકાએ કહ્યું, “મારું અને અરબાઝ વચ્ચે હવે સારું સમીકરણ છે. અમે બંને પહેલા કરતાં વધુ પરિપક્વ થઈ ગયા છીએ.

હવે અમે ખુશ અને શાંત વ્યક્તિ બની ગયા છીએ. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. હું હંમેશા પ્રાર્થના કરીશ કે દરેક વ્યક્તિ તેના જીવનમાં બધું જ ચાલુ રાખે. સારું. કેટલીકવાર લોકો સારા હોય છે પરંતુ તેઓ સારી રીતે મળતા નથી. તે એવું જ હતું. હું હંમેશા તેમની સાથે સરસ રહેવા માંગુ છું.”

શું અરબાઝ મલાઈકાના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે ?

મલાઈકા અરોરાએ આ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે છૂટાછેડા પછી તેના અને અરબાઝ ખાન વચ્ચેના સંબંધો પહેલા કરતા સારા થઈ ગયા છે. અભિનેત્રીના આ ઈન્ટરવ્યુથી તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. જ્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ માટે મલાઈકા અરોરાને ટ્રોલ પણ કરી રહ્યા છે. આ સાથે કેટલાક લોકોનું કહેવું છે કે મલાઈકાની આ વાત સાંભળીને બોયફ્રેન્ડ અર્જુન કપૂરને ખરાબ લાગી શકે છે.

અરબાઝ મલાઈકાના લગ્ન :

મલાઈકા અરોરાએ વર્ષ 1998માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 18 વર્ષ પછી બંને કલાકારોએ અલગ થવાનો નિર્ણય કર્યો. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 2017માં એકબીજાથી છૂટાછેડા લીધા હતા. અરબાઝથી અલગ થયા બાદ મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર પાર્ટી અને હોલિડે એન્જોય કરતા જોવા મળે છે.

આ પણ વાંચો :-

દિવાળી સુધરશે ! સરકારી કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર એડવાન્સમાં આપવા લેવાયો નિર્ણય, આ તારીખે ખાતામાં જમા થઈ જશે પૈસા

0

Diwali will improve! It has been decided to

  • દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે તમામ સરકારી કર્મચારીઓનો પગાર 20 ઓક્ટોબરે થઈ જશે.

નવલી નવરાત્રી (Navli Navratri) વિદાય લઈ રહી છે. 20 દિવસ બાદ દિવાળી (Diwali) આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના (Gujarat Govt) તમામ કર્મચારીઓ (employees) દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર 20 ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે.

20 ઓક્ટોબરે તમામ કર્મચારીઓનો થશે પગાર :

રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના તમામ વર્ગના કર્મચારીઓનો 1થી 5 તારીખની વચ્ચે પગાર કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે 24 ઓક્ટોબરના રોજ દિવાળી હોવાથી કર્મચારીઓ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 20 ઓક્ટોબરના દિવસે જ પગારની ચૂકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા દિવાળીના થોડા દિવસ અગાઉ પગાર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો :-

સુરતમાં વેસુના ગરબા આયોજનમાં હોબાળો ! મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ઉહાપોહ મચી ગયો, જુઓ VIDEO

Uproar in planning Vesu Garba in Surat

  • હોબાળાને પગલે પોલીસ (Surat Police) કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો,જો કે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

નવરાત્રીનો (Navratri) પર્વ સમાપન પર છે. ત્યારે સુરતમાં વેસુ (Vesu) ખાતે આવેલ ઠાકોરજીની વાડીના ગરબા આયોજનમાં વિધર્મી બાઉન્સરો રાખવાના મુદ્દે આઠમની રાત્રીએ ભારે હોબાળો મચ્યો હતો. મળતી માહિતી મુજબ નવરાત્રીના તહેવારમાં વિધર્મીઓને જો પ્રવેશ આપવામાં આવશે. તો તેનો ઉગ્ર વિરોધ (protest) કરવામાં આવશે તેવી ચીમકી પહેલાથી જ હિન્દૂ સંગઠનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી. જો કે સુરતમાં (Surat) પણ ગઈકાલે આ જ મામલે ભારે ઉહાપોહ મચી ગયો હતો.

 

વિધર્મી બાઉન્સરો રાખવાના મુદ્દે વિવાદ સર્જાયો :

વિશ્વ હિન્દુ પરિષદના (Vishva Hindu Parishad) અગ્રણીએ આ મામલે જણાવ્યું હતુ કે, અમને એવો મેસેજ મળ્યો હતો કે વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના ગરબા આયોજનમાં જે બાઉન્સરો મુકવામાં આવ્યા છે, એ તમામ વિદ્યર્મીઓ જ છે. આવા એક બે નહિ પણ 50 બાઉન્સરો વિધર્મી હતા.

જેની સામે અમારો વિરોધ હતો. અમે આયોજકોને આ બાઉન્સરોને દૂર કરવા રજુઆત કરવા માટે ગયા હતા. જો કે આયોજકો કોઈ બાબતે અમારી સાથે સંમત થયા હતા. આ મામલો ઉગ્ર બનતા કેટલાક આગેવાનો દ્વારા બાઉન્સરોને (Bouncer) માર પણ મારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ હોબાળામાં થોડા સમય માટે ગરબા અટકાવવાની પણ ફરજ પડી હતી. મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે પોલીસને ફોન કરવામાં આવતા ગરબા સ્થળ પર પહોંચીને તેમણે પરિસ્થિતિને કાબુમાં કરી હતી. તમને જણાવી દઈએ કે આ અંગે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

આ પણ વાંચો :-

બાપુ ઈઝ બેક ? શંકરસિંહ વાઘેલાને લઈને સૌથી મોટા સમાચાર, મોઢવાડીયાએ આપ્યા સંકેત

0

Bapu is back? Biggest news about

  • કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સંકેત આપતા શંકરસિંહ વાઘેલાની ગુજરાતના રાજકારણમાં સક્રિય થવાની અટકળોનો હવે અંત આવશે તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

ગુજરાતના રાજકારણને (Politics of Gujarat) લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની (Shankar Singh Vaghela) રાજકારણમાં એન્ટ્રી કરવા મામલે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ત્યારે હવે નજીકના સમયમાં શંકરસિંહ બાપુના (Shankar Singh Bapu) રાજકારણમાં પ્રવેશ કરવા અંગેની અટકળોનો અંત આવશે તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે ખુદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ (Arjun Modhwadia) શંકરસિંહ વાઘેલાને લઈને મોટા સંકેત આપ્યા છે.

તમારી આતુરતાનો જલ્દી અંત આવશે : અર્જુન મોઢવાડીયા

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ બાપુના રાજકારણમાં જોડાવવા અંગે સંકેત આપતા કહ્યું કે, ‘તમારી આતુરતાનો જલ્દી અંત આવશે. હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે. પ્રદેશના નેતાઓની પણ એવી લાગણી છે કે બાપુ કોંગ્રેસમાં જોડાય.’

અગાઉ ખુદ બાપુએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા :

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં એક્ટિવ થયા છે. અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ આ મુદ્દો શાંત પડી ગયો હતો. આ દરમિયાન એકવાર ફરી શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં ભળી જવાની અટકળો તેજ થઇ છે.

અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે. એટલે કે જે-તે સમયે અગાઉ પણ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેતો આપ્યા હતા.

આ પણ વાંચો :-

ગરબામાં આકાશથી ઉતરે છે ગરુડ ! વિમાનમાંથી માતાજીના વેશ ધરીને ઉતરે છે બાળાઓ

0

Garuda descends from the sky in Garba

  • ગીલા રાજકોટમાં રાસ-ગરબાની રંગત પણ કંઈક અલગ જ હોય છે. એમાંય વાત રાજકોટના રામનાથપરામાં તો વર્ષોથી અલગ પ્રકારે જ નવરાત્રિની ઉજવણી થતી આવી છે. રામનાથપરા વિસ્તારમાં અંબાજીનો એક પ્રાચીન ગઢ આવેલો છે.

કોરોના કાળ બાદ આવેલી નવરાત્રિમાં (Navratri) આ વખતે યુવા હૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. જો કે ઘણાં એવા સ્થળો છે જ્યાં વર્ષોથી અનોખી રીતે અનોખી પરંપરાથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આવું જ કંઈક રાજકોટ જિલ્લામાં પણ છે. રાજકોટના (Rajkot) રામનાથપરામાં (Ramnathpara) વર્ષોથી વિશેષ રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.

બદલાતા સમય સાથે નવરાત્રિનો ટ્રેન્ડ પણ સતત બદલાઈ રહ્યો છે. તેમ છતાં આજે વધતા જતા અર્વાચીન રાસોત્સવ આયોજન વચ્ચે સૌરાષ્ટ્રમાં હજુ પણ પરંપરાગત પ્રાચીન ગરબીઓના આયોજન કરવામાં આવી રહ્યા છે. 125 વર્ષ જૂની રાજકોટની રાજાશાહી વખતની ગરુડની પ્રખ્યાત ગરબી આજે પણ થઇ રહી છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

રંગીલા રાજકોટમાં રાસ-ગરબાની રંગત પણ કંઈક અલગ જ હોય છે. એમાંય વાત રાજકોટના રામનાથપરામાં તો વર્ષોથી અલગ પ્રકારે જ નવરાત્રિની ઉજવણી થતી આવી છે. રામનાથપરા વિસ્તારમાં અંબાજીનો એક પ્રાચીન ગઢ આવેલો છે. પહેલા ગઢપર સિપાહીઓ રાજકોટની રખેવાળી કરવા બેસતા, ત્યાં માઁ અંબાની સ્થાપ્ના કરવામાં આવેલી ત્યારથી જ આ ગરબી રમાડવામાં આવે છે.

એક માન્યતા પ્રમાણે માં અંબા ગઢમાથી ગરબી રમવા નીચે આવે છે જેથી વર્ષ 1947માં આઝાદી કાળમાં સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાનું એક ગરૂડ બનાવી આપેલું જે ત્યારથી લઈ આજ સુધી યથાવત છે.

એવું માનવામાં આવે છે કે ગરૂડની સવારી કરીને જે બાળક નીચે ઉતરે છે, તે બાળક આખુ વર્ષ બીમાર નથી પડતું. આ તમામ આયોજન ‘જય અંબે’ ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે. ગરૂડ ગરબીમાં ગરબીની 37 બાળાઓ સૌપ્રથમ સ્વાગતમાં માં-અંબા જોગણી સ્વરૂપ ગરૂડમાંથી ઉતરે છે અને રાસગરબાની શરૂઆત કરે છે.

આ ગરબીનાં હુડો રાસ, નડિયાદી ફુદેડી રાસ, ત્રિશૂલ રાસ, મશાલ રાસ, સ્ટેચ્યુ રાસ, ઘુમટા રાસ, સિંધી રાસ ખુબ પ્રચલિત છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની પ્રાચીન અને પ્રખ્યાત એવી ગરુડની ગરબી ખાતે આસ્થાથી દર્શન કરવાં માટે દર વર્ષે હજારો લોકો ઉમટી પડતાં હોય છે. જયારે ગરબીમાં રમતી 37 બાળાઓ સાક્ષાત નારી શક્તિના દર્શન લોકોને કરાવે છે.

આ પણ વાંચો :-

વર્ષોથી આ ગામમાં વિદેશીઓના જવા પર કેમ છે પ્રતિબંધ ? અહીં જતા પહેલાં જાણી લો આ વાત

0

Why has foreigners been banned in this village for

  • જો તમે બર્ફિલી પહાડીઓ પર જવાનું પસંદ કરતા હોવ, તો આ જગ્યા તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. દેશની રાજધાની દિલ્લી આ ગામથી માત્ર 330 કિમીના અંતરે આવેલી છે. દહેરાદૂન પાસે આવેલુ ચકરાતા ગામ એક નાના શહેર જેવુ છે.

ભારતમાં (India) ઘણી સુંદર જગ્યાઓ છે. જ્યાં લોકો દેશ-વિદેશથી દર વર્ષે ફરવા આવે છે. આ સુંદર જગ્યાઓમાં દેવભૂમિ ઉત્તરાખંડનું (Devbhoomi Uttarakhand) નામ સૌથી ઉપર છે. ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યા છે. જ્યાનું પ્રાકૃતિક વાતાવરણ મન મોહી લે છે. પરંતુ ઉત્તરાખંડમાં (Uttarakhand) એક ગામ એવુ છે. જ્યાં વિદેશીઓના (Foreigners) જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ વિદેશી અહીં જવાની હિંમત પણ કરે તો તેના પર સુરક્ષાબળો કડક કાર્યવાહી કરે છે.

આ ગામમાં પ્રવેશ પર છે પ્રતિબંધ :

ઉત્તરાખંડના ચકરાતા ગામમાં વિદેશીઓના પ્રવેશ પર છે પ્રતિબંધ. અહીં વિદેશીઓ નથી પ્રવેશી શકતા. હકીકતમાં આ ગામમાં ભારતીય સેનાની છાવણી છે. જેના કારણે અહીં સેનાના જવાનો તૈનાત રહેલા હોય છે. બ્રિટિશ શાસન સમયથી જ આ ગામમાં સૈન્યની છાવણી છે.

જાણો ક્યારથી છે પ્રતિબંધ :

જો તમે બર્ફિલી પહાડીઓ પર જવાનું પસંદ કરતા હોવ તો આ જગ્યા તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. દેશની રાજધાની દિલ્લી આ ગામથી માત્ર 330 કિમીના અંતરે આવેલી છે. દહેરાદૂન પાસે આવેલુ ચકરાતા ગામ એક નાના શહેર જેવુ છે.

બ્રિટિશ શાસન સમયથી છે ઈન્ફેન્ટ્રી બેઝ :

ઉત્તરાખંડના ચકરાતામાં બ્રિટિશ શાસન સમયથી જ ઈન્ફેન્ટ્રી બેઝ આવેલો છે. ઉત્તરાખંડના સૌથી ઓછા એક્સપ્લોર શહેરમાં ચકરાતા ગામ આવેલુ છે. ચકરાતા ગામ શાંત અને પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. સાથે જ આ ગામ પ્રદૂષણ મુક્ત પણ છે.

ફરવા લાયક કઈ કઈ જગ્યા છે :

ઓછી વસ્તી ધરાવતા ચકરાતા ગામમાં તમને ઉતારો લેવા માટે 2થી 4 હોટલ મળી રહે છે. આ ગામને લોકો જૌંસાર બાવરનાં નામથી પણ ઓળખે છે. અહીં જૌનસારી જાતિના લોકો રહે છે. અહીંથી ટાઈગર ફોલ, દેવવન અને ચિરમિરી નજીકના અંતરે આવેલા છે. જ્યાં ફરવાની મજા માણી શકાય છે.

આ પણ વાંચો :-

કોરોના ગયો પણ અસર રહી ગઈ : થોડુંક ચાલવાથી લાગે છે થાક, ઊંઘ ન આવવી-વાળ ખરવા, જાણો વિગતવાર

Corona is gone but the effect remains Walking a little causes

  • દિલ્હીની એમ્સનાં એક સર્વેમાં ખુલાસો થયો છે કે કોવિડ-19થી ઠીક થયાના બે વર્ષ બાદ પણ લોકોને શ્વાસની તકલીફ તથા અત્યંત થાક લાગવા જેવી તકલીફો છે. જાણો વિગતવાર

કોવિડ-19નાં ઉપચાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ થયેલ દર્દીને સાજા થયાના 24 મહિનાઓ બાદ પણ રાહત નથી. આ લોકો માત્ર 400 થી 500 મીટર ચાલવા એટલો થાક અનુભવે છે. જેટલો બે વર્ષ પહેલા બે થી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ અનુભવતા હતા. (Like two years ago, I used to feel after walking two to three kilometers)

એટલું જ નહીં ઘણા લોકો ઊંઘ ન આવવાથી, વાળ ખરવાથી, શ્વાસ ફૂલાવાથી, ઘૂંટણમાં દુખાવાથી પરેશાન છે. નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)એ પોસ્ટ કોવિડ-19 સ્થિતિને લઈને એક સર્વેનાં માધ્યમથી ચિકિત્સકીય અધ્યયન સમાપ્ત કર્યું છે. જે ડોવપ્રેસ મેડીકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આ સ્ટડીમાં ડોકટરોએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સંક્રમિત દેશના અલગ અલગ હિસ્સાઓમાં દર્દીઓની પસંદગી કરીને તેમની સાથે દૈનિક દિનચર્યા વિષે વાતચીતમાં મેળવ્યું કે 2020 અને 2021 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. તેઓ કોરોનાથી ઠીક તો થઇ ગયા પણ હજુ પણ આઠ કલાકની નોકરી કરવી તેમના માટે મુશ્કેલ છે.

1800 કરતા વધારે લોકો પર કરવામાં આવ્યું અધ્યયન  :

એમ્સનાં પૂર્વ નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાનાં નિરીક્ષણમાં આ અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ રાજ્યોથી 1800 દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી.  આ દર્દીઓનો ફોનના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની વર્તમાન દિનચર્યા વિષે સવાલો પૂછવામાં આવ્યા હતા.

આમાં 79.3 ટકા લોકોએ થાક, સાંધામાં દુઃખાવો (33.4%), સંધિવા (29.9%), વાળ ખરવા (28.0%), માથામાં દુખાવો (27.2%), શ્વાસની તકલીફ (25.3%) અને 25.30 ટકા લોકોએ આખી રાત ઊંઘ ન આવવાની તકલીફ વિષે જણાવ્યું હતું.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

એમ્સનાં ડોકટરોનું કહેવું છે કે જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, તેમને આ દરમિયાન ઘણી બધી એન્ટિબાયોટિક્સ લેવી પડી હતી.

વધી ગઈ તકલીફ  :

સ્ટડી અનુસાર, પોસ્ટ કોવિડની વ્યાપકતા 12 અઠવાડિયામાં ઘટીને 12.8 ટકા નોંધવામાં આવી છે. મહિલા, વૃદ્ધાવસ્થા, ઓક્સીજનનો ખોરાક, ગંભીર બીમારી અને પહેલાથી અન્ય બીમારીઓનાં શિકાર હોવું પોસ્ટ કોવિડ તકલીફો સાથે જોડાયેલા કારણો છે.

કોરોના વેક્સીનને કારણે 39 ટકા લોકોને ફાયદો :

સ્ટડીમાં એમ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે કોરોના વેક્સીને ન માત્ર પર્યાપ્ત એન્ટિબોડીઝ વિકસાવીને લોકોને ચેપ સામે રક્ષણ આવ્યું છે.પરંતુ કોવિડની આશંકા હતી તેમાંથી 39 ટકા લોકોમાં રસીને કારણે લક્ષણો ભારે ન પડ્યા અને આ લોકો કોવિડ પછીની પરિસ્થિતિમાંથી બચી ગયા.

આ પણ વાંચો :-

 

USA : કેલિફોર્નિયામાં 8 મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ

USA: Kidnapping of 4 people of Indian origin

  • અમેરિકાના કેલિફોર્નિયાથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. ભારતીયો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું.

અમેરિકાના (America) કેલિફોર્નિયાથી (California) એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. સોમવારે ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં એક 8 મહિનાની બાળકી પણ સામેલ છે. આ ઘટના કેલિફોર્નિયાના મર્સ્ડ કાઉન્ટીની (Merced County) છે. (This incident is from Merced County, California)

એબીસી ન્યૂઝ મુજબ મર્સ્ડ કાઉન્ટીની શેરીફ ઓફિસે સોમવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે 36 વર્ષના જસદીપ સિંહ, 27 વર્ષની જસલીન કૌર અને તેમના આઠ મહિનાની બાળકી અરુહી અને 39 વર્ષના અમરદીપ સિંહનું અપહરણ કરાયું છે. પોલીસનું કહેવું છે કે સંદિગ્ધ ખતરનાક અને હથિયારધારી છે.

આ મામલે વધુ માહિતી હજુ મળી શકી નથી કારણ કે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. પરંતુ પ્રશાસને જણાવ્યું કે 4 લોકોનું સાઉથ હાઈવે 59 ના 800 બ્લોકથી અપહરણ કરવામાં આવ્યું. પરિવારને કથિત રીતે અપહરણ કરીને એવી જગ્યા પર લઈ જવાયો છે જ્યાં લાઈનબંધ રિટેલર્સ અને રેસ્ટોરન્ટ્સ છે.

એનબીસી ન્યૂઝ મુજબ અધિકારીઓએ હાલ સંદિગ્ધના નામનો કે અપહરણ પાછળના હેતુનો કોઈ ખુલાસો કર્યો નથી. સોમવારે એક નિવેદનમાં પોલીસે કહ્યું કે અમે લોકોને સતત કહી રહ્યા છીએ કે તેઓ સંદિગ્ધ કે પછી પીડિતો સુધી પહોંચવાની કોશિશ ન કરે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

તેઓ 911 પર પોલીસને જાણ કરે. અત્રે જણાવવાનું કે આ અગાઉ વર્ષ 2019માં ભારતીય મૂળના વ્યવસાયી તુષાર અત્રે તેમના ગર્લફ્રેન્ડની કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓ એક ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિક હતા. તેમનું કેલિફોર્નિયાના તેમના આલિશાન ઘરથી કથિત રીતે અપહરણ કરાયું હતું.

અગાઉ પણ થયા છે ભારતીયો પર હુમલા :

અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ હુમલાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. 21 ઓગસ્ટના રોજ કેલિફોર્નિયાના ટાકો બેલ રેસ્ટોરન્ટમાં વંશીય હુમલાની એક ઘટના સામે આવી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હ તો. કૃષ્ણનન જયરન નામના વ્યક્તિ જ્યારે રેસ્ટોરન્ટમાં પોતનો ઓર્ડર લેવા માટે ગયા તો તેમના પર વંશીય હુમલો કરવામાં આવ્યો.

આરોપીએ તેમને કહ્યું હતું કે તમે હિન્દુ છો જે ગાયના પેશાબથી ન્હાય છે.  ભારીય લોકો મજાક છે. ટેક્સાસમાં પણ મેક્સિકન-અમેરિકી મહિલાએ ચાર ઈન્ડો-અમેરિકન મહિલાઓ પર વંશીય ટિપ્પણી અને મારપીટ કરી હતી. મેક્સિકન-અમેરિકન મહિલા ભારતીય મૂળની મહિલાઓ સાથે અભદ્ર ટિપ્પણી અને ગાળાગાળી કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

એક જ રોડનું 7 વાર પેચવર્ક : વડોદરામાં ભાજપના ‘શ્રેષ્ઠ MLA’ જીતુ સુખડિયા પર ભડકી જનતા, ખાતમુહૂર્તમાં જોવા જેવી થઈ 

0

Patchwork of the same road 7 times :

  • વડોદરામાં પેચવર્કના કામનું ખાતમુહૂર્ત કરવા પહોચેલા MLA જીતુ સુખડિયાનો લોકોએ ઘેરાવ કરતા મામલો ગરમાયો હતો.

વડોદરામાં (Vadodara) તંત્રના ઢંગધડા વગરના આયોજનને લઈને લોકોમાં આક્રોશનો જવાળા ભભૂક્યો હતો. શહેરના ગોરવા-પંચવટી રોડ (Gorwa-Panchavati Road) પર વડોદરા મનપા (Vadodara Municipal Corporation) દ્વારા 6 વખત પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું. એટલું ઓછું હોય તેમ સાતમી વખત રોડ પેચવર્કના કામનું આયોજન કરી ખાતમુહૂર્ત કરવા પહોચેલા ધારાસભ્ય સયાજીગંજના જીતુ સુખડિયાનો (Jeetu Sukhdia) લોકોએ ઘેરાવ કર્યો હતો. જેમાં શ્રેષ્ઠ MLA નો એવોર્ડ મેળવનાર જીતુ સુખડિયા પર જનતા ભડકી હતી.

રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે ઘેરાવ  :

વિધાનસભાની ચૂંટણી આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ન છુટકે વિકાસ કામ હાથ ધરવામાં આવી રહ્યા છે. અગાઉ અરજદારો સુવિધાની માંગને લઈને રજૂઆત અર્થે જાય તો થઈ જશે ! જેવા જૂના જવાબોની કેસેટ વગાડી લોકોને અધિકારીઓ રવાના કરી દેતા હતા. પરંતુ હવે ચૂંટણી માથે હોવાથી વડોદરામાં રોડ-રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાઓનાં કામો આડેધડ શરુ કરવામાં આવ્યા છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

તેવામાં વડોદરાના ગોરવા-પંચવટી રોડ ઉપર રોડનું સાતમી વખત પેચવર્ક કામ હાથ ધરાયુ છે. જો કે એક જ રોડ પર સાતમી વખત પેચવર્ક થઈ રહ્યું હોવાનું ધ્યાને આવતા લોકો આકારા પાણીએ થયા હતા. અને કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારના જીતુ સુખડિયા હાજરી આપવા માટે પહોંચ્યા ત્યારે સવાલો કર્યા હતા.

ધારાસભ્ય કામ ન કરતા હોવાનો આરોપ :

લોકોએ પાણી, ડ્રેનેજ લાઇન સહીતની બાબતે રજૂઆતોનો મારો ચલાવતા શ્રેષ્ઠ ધારાસભ્યના એવોર્ડ વિજેતા ધારાસભ્ય જીતુ સુખડિયા ભીંસમાં મુકાયા હતા. મેયરનાં મતવિસ્તારમાં હોબાળો કરતા તેમણે લોકોની રજૂઆત સાંભળી તાબડતોબ કામના ખાતમુહૂર્તની કામગીરી આટોપી લીધી હતી. ઉગ્ર વાતાવરણ વચ્ચે સમગ્ર ઘટનાનોનો લોકો વીડિયો ઉતારતા ભાજપાના કાર્યકર દ્વારા વીડિયો ઉતારતા લોકોને રોકવાનો પણ પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચો :-