HomeInternationalVIDEO: નેપાળના પૂર બાદ બિહારમાં પહોંચી ‘અજાણી’ માછલીઓ, સરકારે કહ્યું- ભૂલથી પણ...

VIDEO: નેપાળના પૂર બાદ બિહારમાં પહોંચી ‘અજાણી’ માછલીઓ, સરકારે કહ્યું- ભૂલથી પણ ન ખાશો!

Date:

Related stories

VIDEO: સુરતમાં કેમિકલના ડ્રમ ફાટતાં આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ

સુરતના ગભેણી વિસ્તારમાં આજે સવારે અચાનક ભડકેલી આગે ગણતરીની...

દવા ખરીદતા પહેલા સાવધાન! ગુજરાતમાં દવા અને ભેળસેળ સામે સરકારનું શું મોટું એક્શન?

ગુજરાતમાં નકલી દવા અને ભેળસેળનો ધંધો કરનારાઓ માટે હવે...

VIDEO: VNSGUની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક રોષ કેમ ફાટી નીકળ્યો? વિદ્યાર્થિનીઓએ કર્યા ગંભીર આક્ષેપ

હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ માટે ભોજન અને પીવાનું પાણી જેવી...

૨ સપ્ટેમ્બરનું રાશિફળ: કોના ભાગ્યના દરવાજા ખુલશે? ૧૨ રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ

🔮 ૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારનું રાશિફળજાણો ૧૨ રાશિના જાતકો...
spot_img

નેપાળમાં આવેલા વિનાશક પૂરનો પ્રવાહ હવે બિહારના નદીકાંઠાના વિસ્તારો માટે નવી ચિંતાનું કારણ બન્યો છે. પૂરનાં પાણી સાથે અજાણી અને અસામાન્ય દેખાતી મોટી માછલીઓ બિહારના કેટલાક વિસ્તારોમાં જોવા મળતાં તંત્રએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. બિહાર સરકારે આવી માછલીઓને પકડવા, ખરીદવા, વેચવા કે ખાવાથી દૂર રહેવાની સ્પષ્ટ સલાહ આપી છે. અધિકારીઓનું કહેવું છે કે પૂરનાં પાણીમાં રહેલી માછલીઓ ગંદકી અને દૂષિત પદાર્થોના સંપર્કમાં આવી શકે છે, જેના કારણે આરોગ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે.

બિહારના ડેરી, ફિશરીઝ અને એનિમલ રિસોર્સિસ વિભાગની ફિશરીઝ ડિવિઝને આ અંગે જાહેર એડવાઇઝરી બહાર પાડી છે. વિભાગે જણાવ્યું છે કે પૂર દરમિયાન તળાવો, નદીઓ, તળાવડીઓ અને અન્ય જળાશયોમાંથી માછલીઓ પૂરનાં પ્રવાહ સાથે દૂર સુધી પહોંચી શકે છે. આવી માછલીઓ ગંદા નાળા, મૃત પ્રાણીઓ અને અન્ય દૂષિત પદાર્થોના સંપર્કમાં આવવાથી બેક્ટેરિયા, વાયરસ અથવા અન્ય રોગકારક તત્વોથી દૂષિત થવાની શક્યતા રહે છે.

સરકારે લોકોને અજાણી અથવા અસામાન્ય દેખાતી માછલીનું સેવન ન કરવા અને પૂરનાં પાણીમાંથી પકડાયેલી માછલીની ખરીદી-વેચાણથી દૂર રહેવાની અપીલ કરી છે. સંબંધિત વિભાગની ઓળખ અને પુષ્ટિ વિના આવી માછલીને ખાવા યોગ્ય ન માનવા પણ જણાવાયું છે.

આવી માછલી ખાધા બાદ ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ અથવા અન્ય અસામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. માછલી અંગેની માહિતી મળે તો સ્થાનિક પ્રશાસન અથવા સંબંધિત જિલ્લા મત્સ્ય અધિકારીને જાણ કરવા પણ અપીલ કરાઈ છે.

દરમિયાન, 2 સપ્ટેમ્બર 2026ની સવાર સુધી નેપાળની સન કોશી, બુઢી ગંડકી અને મહાકાલી નદીઓનું જળસ્તર ચેતવણી સ્તરથી ઉપર નોંધાયું હતું. નેપાળના Department of Hydrology and Meteorologyએ નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તથા પાણીનું સ્તર વધે તો સલામત સ્થળે ખસવા તૈયાર રહેવાની અપીલ કરી છે.

Subscribe

Latest stories

spot_img