Home Blog Page 1396

નવઘણજી ઠાકોરની ચીમકી,”CM અમારા હોવા જોઇએ નહીં તો ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલાશે”

0

Navghanji Thakor’s shou

  • અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર હંમેશાથી પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેમણે આજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) આવનારા સમયમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે રાજનીતિક પાર્ટીઓની સાથે-સાથે બધા સમાજના લોકો પણ સક્રિય બની ગયા છે. પાટીદાર સમાજે આગામી 2022 વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) માં પાટીદાર મુખ્યમંત્રી (Patidar CM) હોવો જોઈએ તેવી માંગણી બાદ હવે ઠાકોર સમાજે (Thakor Samaj) પણ પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગણી કરી છે.

અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાગ રૂપે એક બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ નવઘણજી ઠાકોરે (Navghanji Thakor) આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવો જોઈએ તેવી માંગણી કરી હતી. નવઘણજી ઠાકોરે ભાજપ, કોંગ્રેસ તેમજ આમઆદમી પાર્ટીને ચીમકી આપી છે. બનાસકાંઠામાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે, 2022માં કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી અમારા સમાજનો જ હોવો જોઈએ.

અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર હંમેશાથી પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેમણે આજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવનાર 2022માં અમારા સમાજના મુખ્યમંત્રીની માંગણી માટે ગુજરાતની ભૂમિ પર ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલવાના છે.

ભાજપ કોંગ્રેસ પક્ષને સીધી ચીમકી આપતા ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવાની કરી વાત નવઘણજી ઠાકોરે કરી હતી. આ દરમિયાન નવઘણજી ઠાકોર આવતીકાલે વાવના ઢીમાથી ફાગવેલ સુધી 4 દિવસની ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રા શરૂ કરશે. ક્ષત્રિય સમાજના આગેવાન નવઘણજી ઠાકોર હંમેશા વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે.

નવઘણજી ઠાકોરે કહ્યું હતું કે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનો મુખ્યમંત્રી મારો ઠાકોર જોઈએ. ઠાકોર સમાજના મુખ્યમંત્રીની માંગણી ભાજપ, કોંગ્રસે અને આમ આદમી પાર્ટી પાસે કરે છે. આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અમારા ઠાકોર સમાજનો મુખ્યમંત્રી જાહેર નહીં કરો તો ઠાકોર સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો. આવનાર 2022માં અમારા સમાજના મુખ્યમંત્રીની માંગણી માટે ગુજરાતની ભૂમિ પર ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલવાના છે.

આ પણ વાંચો –

અમરાવતી હત્યાકાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ, મર્ડર માટે આરોપીઓને કર્યા મોટિવેટ

Arrest of mastermind of Amravati

  • મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના માસ્ટરમાઇન્ડને પોલીસે નાગપુરથી ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ આરોપીઓની ઓળખ નાગપુરના એક એનજીઓના માલિક ઇરફાન ખાનના રૂપમાં થઇ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું કે કેમિસ્ટ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ઇરફાને જ હત્યાની યોજના બનાવી હતી.

મહારાષ્ટ્રના (Maharashtra) અમરાવતીમાં (Amravati) કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના માસ્ટરમાઇન્ડને પોલીસે નાગપુરથી ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ આરોપીઓની ઓળખ નાગપુરના (Nagpur) એક એનજીઓના માલિક ઇરફાન ખાનના રૂપમાં થઇ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું કે કેમિસ્ટ હત્યાકાંડના (Chemist massacre) માસ્ટરમાઇન્ડ ઇરફાને જ હત્યાની યોજના બનાવી હતી. અન્ય આરોપીઓને હત્યા માટે મોટિવેટ કરવાનું કામ પણ ઇરફાન ખાને જ કર્યું હતું.

તમને જણાવી દઇએ કે 54 વર્ષીય કેમિસ્ટની 21 જૂનના રોજ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં ચાકૂ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને શંકા હતી કે મહરાષ્ટ્રમાં નૃશંસ હત્યા ત્યારે થઇ જયારે તેણે ફેસબુક પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખી હતી. તે અમરાવતીમાં અમિત મેડિકલ સ્ટોરના નામેથી કેમિસ્ટની દુકાન ચલાવતો હતો.

ઘટના રાત્રે 10 વાગ્યાથી 10.30 વાગ્યા દરમિયાનની છે. જ્યારે કોલ્હે પોતાને દુકાન બંધ કરીને બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. તેમનો પુત્ર સાકેત (27) અને તેમની પત્ની વૈષ્ણવી એક અલગ વાહનમાં તેમની સાથે હતા. ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ શનિવારે કહ્યું કે હત્યાની તપાસ એનઆઇએ કરશે. પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે એનઆઇએ ઉમેશ કોલ્હેની હત્યાની પાછળના કાવતરાની તપાસ કરશે. જેની 21 જૂનના રોજ હત્યા કરી દેવામાં આવી હતી.

પ્રવક્તાએ કહ્યું કે એનઆઇએ સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સંબંધોની કોઇપણ પ્રકારની સંલિપ્તતાની ગહન તપાસ કરશે. માસ્ટરમાઇન્ડની ધરપકડ સાથે જ આ કેસમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ થઇ ચૂકી છે.

આ પણ વાંચો –

03 જુલાઈ 2022, રાશિફળ : માં ખોડલ આ રાશિના જાતકોના તમામ કષ્ટો કરશે દુર, વ્યવસાયમાં થશે પ્રગતી

03 July 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આર્થિક ક્ષેત્રે સફ‍ળતા મળતા. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યો માં પરસ્પર પ્રેમ જળવાશે.નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂં રહેશે.

વૃષભઃ- કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પૂર્ણ વ્ય‌િકતત્વ રહેશે. ધગશ, ઉત્સાહ માં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યકિતઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ- સ્વભાવ જીદ્દી થાય. આવક માં ધટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતી થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂં રહેશે. જીવનસાથી ની તબિયત સાચવવી.

કર્કઃ- દિવસ દરમ્યાન શારિરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્ય ના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ- નાણાંકીય બાબતોથી લાભ સંભવે કુટુંભમાં સુખ શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ રસાયણ ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મન દુઃખન થાય. એ સાચવવું.

ન્યાઃ- આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઇ બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યના શરૂઆત શક્ય બને. નોકરી માં બઢતી તથા ધંધામાં પ્રગ‌િત થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ- બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી ધંધા માં પરિસ્થિતિ સ‌ુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણો નું શુભ ફળ મળતુ જણાય. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ ફળદાયી નિવડે.

વૃશ્ચિકઃ- દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મ‍ળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક. સુસ્તી નો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ- ગઇ કાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહ નો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્ય નું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ- આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારો માં શુદ્ધતા રહે. પરિવાર ના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ- દિવસ દરમ્યાન શકિત સ્ફુર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંભના સભ્યો સાથે વિશ્વાસ નું વાતાવરણ સર્જાય. મવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોથી આવક વધતી જણાય. શરદી – ખાંસી  નો ઉપદ્રવ રહે.

મીનઃ- માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. મવુુ વાહન ની ખરીદી શક્ય બને. સ્ત્રી વર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિ ને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો –

‘તને ખબર છે ઈસ્લામ શું છે’ ઉર્ફી જાવેદને મળી મારી નાખવાની ધમકી

‘You know what Islam is’

  •  ઉર્ફીએ પોસ્ટમાં લખ્યું છે કે, તે આ વ્યક્તિ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરશે.

ઉર્ફી જાવેદ (Urfi Javed) માત્ર પોતાના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટને (Bold fashion statement) કારણે જ નહીં પરંતુ બેફામ નિવેદનોને (Blatant statements) કારણે પણ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ ઉંચા ઈરાદાઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કરવામાં શરમાતી નથી. પછી ભલે ઉર્ફીને આ કારણે ટ્રોલ થવું પડે.

ઉર્ફીને કોણે કરી નારાજ ?

ઉર્ફીએ ઉદયપુરમાં થયેલા કન્હૈયાલાલ હત્યાકાંડની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઉર્ફીએ લખ્યું હતું કે, અલ્લાહ ધર્મના નામે આવી બર્બરતા ક્યારેય મંજૂર નથી. ત્યારબાદ ઉર્ફીને લોકો તરફથી ધમકીભર્યા અને અશ્લીલ મેસેજ મળવા લાગ્યા હતા. ઉર્ફીએ એક યુઝર્સના મેસેજનો સ્ક્રીનશોર્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ વ્યક્તિ સામે ઉર્ફી એક્શન લેવાની છે. ઉર્ફીએ પોસ્ટમાં લખ્યું છે કે, તે આ વ્યક્તિ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરશે.

ઉર્ફીને શું ધમકી મળી

ઉર્ફીને મેસેજમાં અનેક યુઝર્સે અપશબ્દો કહીને તેનું મોં બંધ રાખવાનું કહ્યું છે અને એક યુઝર્સે તેને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તને ખબર છે ઈસ્લામ શું છે’. જો કોઈ અમારા પયગંબરનું અપમાન કરે તેને અમે કેવી રીતે છોડી શકીએ. આ વ્યક્તિના મેસેજે ઉર્ફીનો પારો ઉંચો કરી દીધો છે. ઉર્ફી મુંબઈ પોલીસને ટેગ કરીને કહ્યું હતું કે, આ વ્યક્તિ વિરૂદ્ધ હું ફરિયાદ કરવા માંગુ છું. આ વ્યક્તિ ધર્મના નામે મારવાની ધમકી આપી રહ્યો છે.

આ પણ વાંચો –

પ્રોટોકોલનું ઉલ્લંઘન : PM મોદીના સ્વાગત માટે ફક્ત એક મંત્રી અને યશવંત સિન્હા માટે મંત્રીઓની આખી ફૌજ લઈને પહોંચ્યા મુખ્યમંત્રી KCR

0

Violation of protocol Chief Minister KCR a

  • હૈદરાબાદમાં આજથી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઈ રહી છે. જેમાં ભાગ લેવા માટે પીએમ મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓ સામેલ થવાના છે.

તેલંગણાની (Telangana) સત્તાધારી ટીઆરએસ (Authorized TRS) અને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) વચ્ચે રાજકારણ ગરમાયેલું છે. આ તમામની વચ્ચે આજે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી (PM Modi) આજે હૈદરાબાદ (Hyderabad) પહોંચશે. બીજી બાજૂ વિપક્ષી રાષ્ટ્રપતિ ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) પણ હૈદરાબાદના બેગમપેટ (Begumpet) એરપોર્ટ પર પહોંચશે. મોદીના સ્વાગત માટે રાજ્યમાંથી ફક્ત એક મંત્રી ગયાં, તો વળી સિન્હાને લઈને સીએમ કેસીઆર સહિત આખુ મંત્રીમંડળ ગયું.

પીએમ મોદીના પહોંચ્યા બાદ થોડી કલાક બાદ સિન્હા બેગમપેટ પહોચ્યાં. ત્યાં રાજ્ય સરકાર તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ખુદ સીએમ કેસીઆર અને તેમના મંત્રીગણ ત્યાં હાજર રહેશે. આ બાજૂ પીએમ મોદીના સ્વાગત માટે રાજ્ય સરકારમાંથી ફક્ત એક મંત્રીને મોકલ્યા છે. મોટા ભાગે પ્રધાનમંત્રી જ્યારે કોઈ રાજ્યની મુલાકાતે જાય છે, તો રાજ્યપાલ સહિત સીએમ તથા રાજ્યના મંત્રીઓ પણ એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કરશે. કેસીઆર પહેલા પણ પીએમ મોદીની મુલાકાતથી દૂર રહેલા છે.

ત્રીજી વાર પ્રોટોકોલનું ઉલ્લંઘન :

છ મહિનામાં ત્રીજી વાર છે, જ્યારે સીએમ કેસીઆર પીએમ મોદીની યાત્રા દરમિયાન પ્રોટોકોલનું પાલન નહીં કરે. આ અગાઉ પીએમ મોદી ઈંડિયન સ્કૂલ ઓફ બિઝનેસની 20મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે તેલંગણા ગયા હતા, ત્યારે પણ કેસીઆર બેંગલુરુ જતાં રહ્યા હતા. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ પીએમ મોદી હૈદરાબાદની મુલાકાતે ગયા હતા, ત્યારે પણ કેસીઆર તેમના સ્વાગત માટે પહોંચ્યા નહોતા.

કેસીઆરે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાને ટેકો આપ્યો છે. તેલંગણાના સીએમ તથા ટીઆરએસના પ્રમુખ રાવે સિન્હાને વિપક્ષના ઉમેદવાર બનાવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. 18 જૂલાઈએ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાની ટક્કર એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ સાથે થવાની છે.

આ પણ વાંચો –

પત્રકારો માટે મોટી જાહેરાત: કોરોનાકાળમાં જીવ ગુમાવનારા પત્રકારોને સરકાર આપશે 5-5 લાખ રૂપિયા, કેન્દ્રએ આપી મંજૂરી

0

Big announcement for journalist

  • કેન્દ્રની મોદી સરકાર કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રની મોદી સરકાર (Modi government) કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના (Journalists) પરિવારોને આર્થિક મદદ (Financial help) આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ માહિતી અને પ્રસારણ મંત્રાલયના (Ministry of Broadcasting) સચિવ અપૂર્વ ચંદ્રાની (Secretary Apoorva Chandra) અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, તેમાં જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત આવા પત્રકારોના 16 પરિવારને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમનું મોત કોવિડ 19ના કારણે થયા હતા.

પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયતા :

સરકાર તરફથી નાણાકીય મદદ અંતર્ગત તમામ 35 પત્રકારોના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે. તો વળી જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત સમિતિએ સંસ્થાનના દિશા નિર્દેશ મુજબ બે દિવ્યાંગ પત્રકારો અને પાંચ ગંભીર બિમારીઓનો સામનો કકરી રહેલા પત્રકારોને સારવાર માટે મદદની પણ ભલામણ કરી છે. સમિતિએ બેઠક દરમિયાન કુલ 1.81 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત કોવિડ 19ના કારણે જીવ ગુમાવનારા પત્રકારોના 123 પરિવારને આર્થિક મદદ મળી ચુકી છે. હાલમાં કુલ 139 પરિવારોને આર્થિક મદદ આપવામાં આવી છે.

આ યોજના વિષમ પરિસ્થિતિઓના કારણે પત્રકારોના મોત થવાના સ્થિતિમાં પરિવારને 5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવે છે. તો વળી સ્થાનિક વિકલાંગતા, ગંભીર દુર્ઘટનાઓ અને ગંભીર બિમારીઓના કેસમાં પત્રકારોને આર્થિક મદદ આપવામાં આવે છે. ગત વર્ષે 134 પત્રકારોને અને તેમના પરિવારને અલગ અલગ ક્ષેણીમાં 6.47 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે.

આ પણ વાંચો –

મોડાસાનો ચર્ચિત કિસ્સો : શાળાના આચાર્ય બે સંતાનોની માતા સાથે ભાગી ગયા અને પછી…

0

Discussed case of Modasa

  • આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્ય તથા મહિલાના સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા.

તાલુકામાં (Modasha) એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય (principal elopes with woman) બે સંતાનોની માતાને (married woman escaped) ભગાડીને લઇ ગયો છે. ગત 24મી જૂનના આ લોકો ભાગી જતા દોડધામ મચી ગઇ હતી. આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્યના (Principal) સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા. જે બાદ મોડાસા ટાઉન પોલીસ મથકે (Modasa Town Police Station) આ ઘટનાની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી. જે બાદ પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી.

આચાર્ય અને મહિલા બંને બે સંતાનોના વાલી છે :

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે, આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.

આ પણ વાંચો –

 

નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાની ધરપકડ, જાહેરમાં આપી હતી ધમકી

0

Maulana arrested for making

  • નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાને રાજસ્થાનના બૂંદીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે.

નૂપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ ભડકાઉ ભાષણ (Provocative speech) આપનારા મૌલાનાને (Maulana) રાજસ્થાનના બૂંદીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે. મૌલાનાની ધરપકડની માગ ઉદયપુરમાં કનૈયાલાલની (Kanaiyalal) હત્યા બાદ થઈ રહી હતી. તેમની ધરપકડ ન થતાં પોલીસ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા. પણ હવે પોલીસે તેને બૂંદીમાંથી ધરપકડ કરી લીધો છે. બૂંદી પોલીસે સસ્પેન્ડેડ ભાજપ નેતા નુપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં બે મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.

ભડકાઉ ભાષણ આપ્યા હતાં :

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બૂંદી કલેક્ટ્રેટ પર મૌલાના મુફ્તી નદીમે નુપુર વિરુદ્ધ ભડકાઉ નિવેદનબાજી કરી હતી. આ મામલે હવે પોલીસે મૌલાનાની ધરપકડ કરી લીધી છે. તો વળી મૌલાનાના સમર્થકો પણ પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. સુરક્ષાને જોતા ત્યાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા નૂપુર શર્મા વિરુદ્ધ મૌલાના મુફ્તી નદીને ભડકાઉ ભાષણ આપતા કહ્યું હતું કે, જો કોઈ આંખ ઉંચી કરશે તો, તેની આંખો ફોડી નાખીશું, જો કોઈ આંગળી ઉઠાવશે તો તેની આંગળી તોડી નાખીશું અને કોઈ હાથ ઉઠાવશે તો તેનો હાથ તોડી નાખીશું.

સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઉશ્કેરવા આરોપ :

મૌલાનાએ બૂંદી કલેક્ટ્રેટ પર એવું પણ કહ્યું હતું કે, જો અમારા પયગંબર વિરુદ્ધ બોલનારા પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુસ્લિમ સમાજ રિએક્શન આપવાનું જાણે છે. મૌલાનાએ બૂંદી મુસ્લિમોને ઉકસાવતા કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ પયગંબર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો તે બચી શકશે નહીં. જાણકારી અનુસાર 3 જૂને બૂંદી કલેક્ટ્રેટ પરિસરમાં રેલી થઈ હતી. આ દરમિયાન મૌલાના મુફતી મદીન અને મૌલાના આલમ ગૌરીએ ભડકાઉ ભાષણો આપ્યા હતા. તેમણે લોકોને ઉકસાવ્યા હતા.

આ પણ વાંચો –

 

નિવૃત્તિ પછી પણ રાષ્ટ્રપતિ કોવિંદનો ‘જલવો’ યથાવત રહેશે , જીવનભર મળશે આ સુવિધાઓ

0

Even after retirement

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ પછી તેઓ ક્યાં રહેશે અને તેમને કઈ સરકારી સુવિધાઓ મળશે ? ચાલો જાણીએ.

ભારતમાં રાષ્ટ્રપતિ (President) દેશના પ્રથમ નાગરિક છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો (President Ramnath Kovind) કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. તેઓ દેશના 14મા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તેમની નિવૃત્તિની તૈયારીઓ ચાલી રહી છે. ઘણા લોકોના મનમાં સવાલ ચાલી રહ્યો છે કે નિવૃત્ત થયા બાદ રાષ્ટ્રપતિ કોવિંદનું નવું સ્થાન શું હશે ? આ સિવાય તેમને શું સુવિધાઓ મળશે ?

12 જનપથમાં શિફ્ટ થઈ શકે છે :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિવૃત્તિ પછી રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રાજધાની દિલ્હીમાં 12 જનપથ સ્થિત નિવાસસ્થાનમાં રહેશે, જે લુટિયન્સ દિલ્હીના સૌથી મોટા બંગલાઓમાંથી એક છે. જો કે હજુ સુધી તેમના નામે ફાળવણી કરવામાં આવી નથી. આ બંગલો પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રામનાથ કોવિંદનો હતો.

આ સરકારી સુવિધાઓ મળશે :

પ્રેસિડેન્ટ એલિમેન્ટ્સ એક્ટ-1951 મુજબ, ભારતના રાષ્ટ્રપતિને નિવૃત્તિ પછી ઘણી સરકારી સુવિધાઓ મળે છે. ચાલો તેમના વિશે જણાવીએ.

– માસિક પેન્શન
– બે સચિવો અને દિલ્હી પોલીસની સુરક્ષા
– ઓછામાં ઓછા 8 રૂમ ધરાવતો સરકારી બંગલો
– 2 લેન્ડલાઈન, 1 મોબાઈલ અને 1 ઈન્ટરનેટ કનેક્શન
– મફત પાણી અને વીજળી
– કાર અને ડ્રાઇવરો
– લાઈફ ટાઈમ ટ્રેન અને ફ્લાઈટ માટે ફ્રી ટિકિટ
– રાષ્ટ્રપતિના પત્નીને રૂ. 30,000ની સચિવાલય સહાય

18મી જુલાઈના રોજ મતદાન થશે :

ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈના રોજ થશે અને મતોની ગણતરી 21 જુલાઈના રોજ થશે. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન ભરવાની તારીખ 15 જૂનથી શરૂ થઈ હતી અને તેની છેલ્લી તારીખ 29 જૂન હતી. પ્રમુખની ચૂંટણી માટે 98 લોકોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી માત્ર બે ઉમેદવારોના નામાંકન યોગ્ય જણાયા છે. બાકીના 96 લોકોના નામાંકન રદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

જાતીય સતામણીનાં કેસમાં એક્ટર વિજયબાબુને કોઈ રાહત નહીં, સતત છઠ્ઠા દિવસે પોલીસ સામે હાજર થયા, જુઓ કેવા હાલ

No relief to actor Vijaybabu

  • ફરિયાદી અનુસાર, વિજય બાબુએ તેને ફિલ્મમાં કામ અપાવવાના બદલામાં તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ફિલ્મ જગતમાં આપણે હંમેશા મૂવી, ફેશન અને ગોસિપની ચર્ચાઓ સાંભળતા હોઇએ છીએ. ત્યારે એક એવા સમાચાર આવ્યા છે કે જેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film industry) ખળભળાટ મચી ગયો છે.  ફિલ્મમાં દમદાર ભૂમિકા નિભાવીને અભિનેતાઓ (Actor) ફેન્સના મનમાં એક ઊંડી છાપ છોડી જાય છે. મોટા ભાગના સ્ટાર્સ વિશે આપણે પોઝિટીવ જ સાંભળીએ છીએ ત્યારે એક આવા જ એક સ્ટાર્સ પર જાતીય સતામણનો (Sexual harassment) આરોપ લાગતા ચકચાર મચી ગયો હતો.

સાઉથના સુપરસ્ટાર અને નિર્માતા વિજય બાબુ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં બની રહ્યા છે. જાતીય સતામણીના કેસમાં એમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 22 એપ્રિલે વિજય બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, વિજય બાબુએ તેને ફિલ્મમાં કામ અપાવવાના બદલામાં તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ ગંભીર આરોપ કોઝિકોડ જિલ્લાની રહેવાસી પીડીતાએ કેસ દાખલ કરાવતા પોલીસને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે એક્ટર વિજય બાબૂએ ફિલ્મોમાં કામ અપાવવાના બહાને તેણીને ફ્લેટ પર બોલાવતો હતો. કોચી વાળા ફ્લેટ પર બોલાવીને એક્ટર  પીડિત મહિલા સાથે યૌન ઉત્પીડન કરતો હતો. પીડિતાએ આગળ જણાવતા કહ્યું કે વિજય બાબૂએ તેની સાથે એક વાર નહિં પરંતુ ઘણીવાર રેપ કર્યો હતો. 22 એપ્રિલે વિજય બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ પછી અભિનેતા 27 જૂનના દિવસે એર્નાકુલમ ટાઉન સાઉથ પોલીસસ્ટેશનમાં હજાર થયા હતા. એ સમયે અધિકારીઓ એ તેમની સાથે ઘણા સવાલ જવાબ પણ કર્યા હતા.

કેસ દાખલ થતાં જ બાબુ ઘણા દિવસ સુધી ગાયબ રહ્યા હતા. એ પછી કોચિ પોલીસ એમની સામે લુકઆઉટ સર્કુલર બહાર પાડ્યું હતું. જો કે પોલીસને આશંકા હતી કે તેઓ દેશ છોડની ચાલ્યા ગયા છે. એ પછી એમની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેરળના ઉચ્ચ ન્યાયાલયે એમને અગ્નિમ જામીન આપી હતી છતાં પણ એમને હાલ અધિકારીઓ સામે પેશ થવું પડે છે. જો કે આ બધા વચ્ચે વિજય બાબુએ એક ફેસબુક લાઈવ કર્યું હતું અને તેની સામે લાગેલ દરેક આરોપોને ખોટ ગણાવ્યા હતા અને ખુદને નિર્દોષ સાબિત કર્યા હતા.

આજે કેરળ હાઈકોર્ટના નિર્દેશ મુજબ અભિનેતા-નિર્માતા વિજય બાબુ તેમની સામે નોંધાયેલા જાતીય શોષણના કેસના સંબંધમાં પૂછપરછ માટે એર્નાકુલમ ટાઉન સાઉથ પીએસમાં સતત છઠ્ઠા દિવસે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયા છે.

આ પણ વાંચો –