Home Blog Page 1396

‘તને ખબર છે ઈસ્લામ શું છે’ ઉર્ફી જાવેદને મળી મારી નાખવાની ધમકી

‘You know what Islam is’

  •  ઉર્ફીએ પોસ્ટમાં લખ્યું છે કે, તે આ વ્યક્તિ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરશે.

ઉર્ફી જાવેદ (Urfi Javed) માત્ર પોતાના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટને (Bold fashion statement) કારણે જ નહીં પરંતુ બેફામ નિવેદનોને (Blatant statements) કારણે પણ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ ઉંચા ઈરાદાઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કરવામાં શરમાતી નથી. પછી ભલે ઉર્ફીને આ કારણે ટ્રોલ થવું પડે.

ઉર્ફીને કોણે કરી નારાજ ?

ઉર્ફીએ ઉદયપુરમાં થયેલા કન્હૈયાલાલ હત્યાકાંડની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઉર્ફીએ લખ્યું હતું કે, અલ્લાહ ધર્મના નામે આવી બર્બરતા ક્યારેય મંજૂર નથી. ત્યારબાદ ઉર્ફીને લોકો તરફથી ધમકીભર્યા અને અશ્લીલ મેસેજ મળવા લાગ્યા હતા. ઉર્ફીએ એક યુઝર્સના મેસેજનો સ્ક્રીનશોર્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ વ્યક્તિ સામે ઉર્ફી એક્શન લેવાની છે. ઉર્ફીએ પોસ્ટમાં લખ્યું છે કે, તે આ વ્યક્તિ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરશે.

ઉર્ફીને શું ધમકી મળી

ઉર્ફીને મેસેજમાં અનેક યુઝર્સે અપશબ્દો કહીને તેનું મોં બંધ રાખવાનું કહ્યું છે અને એક યુઝર્સે તેને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તને ખબર છે ઈસ્લામ શું છે’. જો કોઈ અમારા પયગંબરનું અપમાન કરે તેને અમે કેવી રીતે છોડી શકીએ. આ વ્યક્તિના મેસેજે ઉર્ફીનો પારો ઉંચો કરી દીધો છે. ઉર્ફી મુંબઈ પોલીસને ટેગ કરીને કહ્યું હતું કે, આ વ્યક્તિ વિરૂદ્ધ હું ફરિયાદ કરવા માંગુ છું. આ વ્યક્તિ ધર્મના નામે મારવાની ધમકી આપી રહ્યો છે.

આ પણ વાંચો –

પ્રોટોકોલનું ઉલ્લંઘન : PM મોદીના સ્વાગત માટે ફક્ત એક મંત્રી અને યશવંત સિન્હા માટે મંત્રીઓની આખી ફૌજ લઈને પહોંચ્યા મુખ્યમંત્રી KCR

0

Violation of protocol Chief Minister KCR a

  • હૈદરાબાદમાં આજથી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઈ રહી છે. જેમાં ભાગ લેવા માટે પીએમ મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓ સામેલ થવાના છે.

તેલંગણાની (Telangana) સત્તાધારી ટીઆરએસ (Authorized TRS) અને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) વચ્ચે રાજકારણ ગરમાયેલું છે. આ તમામની વચ્ચે આજે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી (PM Modi) આજે હૈદરાબાદ (Hyderabad) પહોંચશે. બીજી બાજૂ વિપક્ષી રાષ્ટ્રપતિ ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) પણ હૈદરાબાદના બેગમપેટ (Begumpet) એરપોર્ટ પર પહોંચશે. મોદીના સ્વાગત માટે રાજ્યમાંથી ફક્ત એક મંત્રી ગયાં, તો વળી સિન્હાને લઈને સીએમ કેસીઆર સહિત આખુ મંત્રીમંડળ ગયું.

પીએમ મોદીના પહોંચ્યા બાદ થોડી કલાક બાદ સિન્હા બેગમપેટ પહોચ્યાં. ત્યાં રાજ્ય સરકાર તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ખુદ સીએમ કેસીઆર અને તેમના મંત્રીગણ ત્યાં હાજર રહેશે. આ બાજૂ પીએમ મોદીના સ્વાગત માટે રાજ્ય સરકારમાંથી ફક્ત એક મંત્રીને મોકલ્યા છે. મોટા ભાગે પ્રધાનમંત્રી જ્યારે કોઈ રાજ્યની મુલાકાતે જાય છે, તો રાજ્યપાલ સહિત સીએમ તથા રાજ્યના મંત્રીઓ પણ એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કરશે. કેસીઆર પહેલા પણ પીએમ મોદીની મુલાકાતથી દૂર રહેલા છે.

ત્રીજી વાર પ્રોટોકોલનું ઉલ્લંઘન :

છ મહિનામાં ત્રીજી વાર છે, જ્યારે સીએમ કેસીઆર પીએમ મોદીની યાત્રા દરમિયાન પ્રોટોકોલનું પાલન નહીં કરે. આ અગાઉ પીએમ મોદી ઈંડિયન સ્કૂલ ઓફ બિઝનેસની 20મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે તેલંગણા ગયા હતા, ત્યારે પણ કેસીઆર બેંગલુરુ જતાં રહ્યા હતા. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ પીએમ મોદી હૈદરાબાદની મુલાકાતે ગયા હતા, ત્યારે પણ કેસીઆર તેમના સ્વાગત માટે પહોંચ્યા નહોતા.

કેસીઆરે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાને ટેકો આપ્યો છે. તેલંગણાના સીએમ તથા ટીઆરએસના પ્રમુખ રાવે સિન્હાને વિપક્ષના ઉમેદવાર બનાવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. 18 જૂલાઈએ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાની ટક્કર એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ સાથે થવાની છે.

આ પણ વાંચો –

પત્રકારો માટે મોટી જાહેરાત: કોરોનાકાળમાં જીવ ગુમાવનારા પત્રકારોને સરકાર આપશે 5-5 લાખ રૂપિયા, કેન્દ્રએ આપી મંજૂરી

0

Big announcement for journalist

  • કેન્દ્રની મોદી સરકાર કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રની મોદી સરકાર (Modi government) કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના (Journalists) પરિવારોને આર્થિક મદદ (Financial help) આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ માહિતી અને પ્રસારણ મંત્રાલયના (Ministry of Broadcasting) સચિવ અપૂર્વ ચંદ્રાની (Secretary Apoorva Chandra) અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, તેમાં જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત આવા પત્રકારોના 16 પરિવારને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમનું મોત કોવિડ 19ના કારણે થયા હતા.

પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયતા :

સરકાર તરફથી નાણાકીય મદદ અંતર્ગત તમામ 35 પત્રકારોના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે. તો વળી જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત સમિતિએ સંસ્થાનના દિશા નિર્દેશ મુજબ બે દિવ્યાંગ પત્રકારો અને પાંચ ગંભીર બિમારીઓનો સામનો કકરી રહેલા પત્રકારોને સારવાર માટે મદદની પણ ભલામણ કરી છે. સમિતિએ બેઠક દરમિયાન કુલ 1.81 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત કોવિડ 19ના કારણે જીવ ગુમાવનારા પત્રકારોના 123 પરિવારને આર્થિક મદદ મળી ચુકી છે. હાલમાં કુલ 139 પરિવારોને આર્થિક મદદ આપવામાં આવી છે.

આ યોજના વિષમ પરિસ્થિતિઓના કારણે પત્રકારોના મોત થવાના સ્થિતિમાં પરિવારને 5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવે છે. તો વળી સ્થાનિક વિકલાંગતા, ગંભીર દુર્ઘટનાઓ અને ગંભીર બિમારીઓના કેસમાં પત્રકારોને આર્થિક મદદ આપવામાં આવે છે. ગત વર્ષે 134 પત્રકારોને અને તેમના પરિવારને અલગ અલગ ક્ષેણીમાં 6.47 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે.

આ પણ વાંચો –

મોડાસાનો ચર્ચિત કિસ્સો : શાળાના આચાર્ય બે સંતાનોની માતા સાથે ભાગી ગયા અને પછી…

0

Discussed case of Modasa

  • આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્ય તથા મહિલાના સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા.

તાલુકામાં (Modasha) એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય (principal elopes with woman) બે સંતાનોની માતાને (married woman escaped) ભગાડીને લઇ ગયો છે. ગત 24મી જૂનના આ લોકો ભાગી જતા દોડધામ મચી ગઇ હતી. આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્યના (Principal) સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા. જે બાદ મોડાસા ટાઉન પોલીસ મથકે (Modasa Town Police Station) આ ઘટનાની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી. જે બાદ પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી.

આચાર્ય અને મહિલા બંને બે સંતાનોના વાલી છે :

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે, આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.

આ પણ વાંચો –

 

નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાની ધરપકડ, જાહેરમાં આપી હતી ધમકી

0

Maulana arrested for making

  • નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાને રાજસ્થાનના બૂંદીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે.

નૂપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ ભડકાઉ ભાષણ (Provocative speech) આપનારા મૌલાનાને (Maulana) રાજસ્થાનના બૂંદીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે. મૌલાનાની ધરપકડની માગ ઉદયપુરમાં કનૈયાલાલની (Kanaiyalal) હત્યા બાદ થઈ રહી હતી. તેમની ધરપકડ ન થતાં પોલીસ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા. પણ હવે પોલીસે તેને બૂંદીમાંથી ધરપકડ કરી લીધો છે. બૂંદી પોલીસે સસ્પેન્ડેડ ભાજપ નેતા નુપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં બે મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.

ભડકાઉ ભાષણ આપ્યા હતાં :

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બૂંદી કલેક્ટ્રેટ પર મૌલાના મુફ્તી નદીમે નુપુર વિરુદ્ધ ભડકાઉ નિવેદનબાજી કરી હતી. આ મામલે હવે પોલીસે મૌલાનાની ધરપકડ કરી લીધી છે. તો વળી મૌલાનાના સમર્થકો પણ પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. સુરક્ષાને જોતા ત્યાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા નૂપુર શર્મા વિરુદ્ધ મૌલાના મુફ્તી નદીને ભડકાઉ ભાષણ આપતા કહ્યું હતું કે, જો કોઈ આંખ ઉંચી કરશે તો, તેની આંખો ફોડી નાખીશું, જો કોઈ આંગળી ઉઠાવશે તો તેની આંગળી તોડી નાખીશું અને કોઈ હાથ ઉઠાવશે તો તેનો હાથ તોડી નાખીશું.

સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઉશ્કેરવા આરોપ :

મૌલાનાએ બૂંદી કલેક્ટ્રેટ પર એવું પણ કહ્યું હતું કે, જો અમારા પયગંબર વિરુદ્ધ બોલનારા પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુસ્લિમ સમાજ રિએક્શન આપવાનું જાણે છે. મૌલાનાએ બૂંદી મુસ્લિમોને ઉકસાવતા કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ પયગંબર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો તે બચી શકશે નહીં. જાણકારી અનુસાર 3 જૂને બૂંદી કલેક્ટ્રેટ પરિસરમાં રેલી થઈ હતી. આ દરમિયાન મૌલાના મુફતી મદીન અને મૌલાના આલમ ગૌરીએ ભડકાઉ ભાષણો આપ્યા હતા. તેમણે લોકોને ઉકસાવ્યા હતા.

આ પણ વાંચો –

 

નિવૃત્તિ પછી પણ રાષ્ટ્રપતિ કોવિંદનો ‘જલવો’ યથાવત રહેશે , જીવનભર મળશે આ સુવિધાઓ

0

Even after retirement

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ પછી તેઓ ક્યાં રહેશે અને તેમને કઈ સરકારી સુવિધાઓ મળશે ? ચાલો જાણીએ.

ભારતમાં રાષ્ટ્રપતિ (President) દેશના પ્રથમ નાગરિક છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો (President Ramnath Kovind) કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. તેઓ દેશના 14મા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તેમની નિવૃત્તિની તૈયારીઓ ચાલી રહી છે. ઘણા લોકોના મનમાં સવાલ ચાલી રહ્યો છે કે નિવૃત્ત થયા બાદ રાષ્ટ્રપતિ કોવિંદનું નવું સ્થાન શું હશે ? આ સિવાય તેમને શું સુવિધાઓ મળશે ?

12 જનપથમાં શિફ્ટ થઈ શકે છે :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિવૃત્તિ પછી રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રાજધાની દિલ્હીમાં 12 જનપથ સ્થિત નિવાસસ્થાનમાં રહેશે, જે લુટિયન્સ દિલ્હીના સૌથી મોટા બંગલાઓમાંથી એક છે. જો કે હજુ સુધી તેમના નામે ફાળવણી કરવામાં આવી નથી. આ બંગલો પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રામનાથ કોવિંદનો હતો.

આ સરકારી સુવિધાઓ મળશે :

પ્રેસિડેન્ટ એલિમેન્ટ્સ એક્ટ-1951 મુજબ, ભારતના રાષ્ટ્રપતિને નિવૃત્તિ પછી ઘણી સરકારી સુવિધાઓ મળે છે. ચાલો તેમના વિશે જણાવીએ.

– માસિક પેન્શન
– બે સચિવો અને દિલ્હી પોલીસની સુરક્ષા
– ઓછામાં ઓછા 8 રૂમ ધરાવતો સરકારી બંગલો
– 2 લેન્ડલાઈન, 1 મોબાઈલ અને 1 ઈન્ટરનેટ કનેક્શન
– મફત પાણી અને વીજળી
– કાર અને ડ્રાઇવરો
– લાઈફ ટાઈમ ટ્રેન અને ફ્લાઈટ માટે ફ્રી ટિકિટ
– રાષ્ટ્રપતિના પત્નીને રૂ. 30,000ની સચિવાલય સહાય

18મી જુલાઈના રોજ મતદાન થશે :

ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈના રોજ થશે અને મતોની ગણતરી 21 જુલાઈના રોજ થશે. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન ભરવાની તારીખ 15 જૂનથી શરૂ થઈ હતી અને તેની છેલ્લી તારીખ 29 જૂન હતી. પ્રમુખની ચૂંટણી માટે 98 લોકોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી માત્ર બે ઉમેદવારોના નામાંકન યોગ્ય જણાયા છે. બાકીના 96 લોકોના નામાંકન રદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

જાતીય સતામણીનાં કેસમાં એક્ટર વિજયબાબુને કોઈ રાહત નહીં, સતત છઠ્ઠા દિવસે પોલીસ સામે હાજર થયા, જુઓ કેવા હાલ

No relief to actor Vijaybabu

  • ફરિયાદી અનુસાર, વિજય બાબુએ તેને ફિલ્મમાં કામ અપાવવાના બદલામાં તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ફિલ્મ જગતમાં આપણે હંમેશા મૂવી, ફેશન અને ગોસિપની ચર્ચાઓ સાંભળતા હોઇએ છીએ. ત્યારે એક એવા સમાચાર આવ્યા છે કે જેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film industry) ખળભળાટ મચી ગયો છે.  ફિલ્મમાં દમદાર ભૂમિકા નિભાવીને અભિનેતાઓ (Actor) ફેન્સના મનમાં એક ઊંડી છાપ છોડી જાય છે. મોટા ભાગના સ્ટાર્સ વિશે આપણે પોઝિટીવ જ સાંભળીએ છીએ ત્યારે એક આવા જ એક સ્ટાર્સ પર જાતીય સતામણનો (Sexual harassment) આરોપ લાગતા ચકચાર મચી ગયો હતો.

સાઉથના સુપરસ્ટાર અને નિર્માતા વિજય બાબુ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં બની રહ્યા છે. જાતીય સતામણીના કેસમાં એમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 22 એપ્રિલે વિજય બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, વિજય બાબુએ તેને ફિલ્મમાં કામ અપાવવાના બદલામાં તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ ગંભીર આરોપ કોઝિકોડ જિલ્લાની રહેવાસી પીડીતાએ કેસ દાખલ કરાવતા પોલીસને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે એક્ટર વિજય બાબૂએ ફિલ્મોમાં કામ અપાવવાના બહાને તેણીને ફ્લેટ પર બોલાવતો હતો. કોચી વાળા ફ્લેટ પર બોલાવીને એક્ટર  પીડિત મહિલા સાથે યૌન ઉત્પીડન કરતો હતો. પીડિતાએ આગળ જણાવતા કહ્યું કે વિજય બાબૂએ તેની સાથે એક વાર નહિં પરંતુ ઘણીવાર રેપ કર્યો હતો. 22 એપ્રિલે વિજય બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ પછી અભિનેતા 27 જૂનના દિવસે એર્નાકુલમ ટાઉન સાઉથ પોલીસસ્ટેશનમાં હજાર થયા હતા. એ સમયે અધિકારીઓ એ તેમની સાથે ઘણા સવાલ જવાબ પણ કર્યા હતા.

કેસ દાખલ થતાં જ બાબુ ઘણા દિવસ સુધી ગાયબ રહ્યા હતા. એ પછી કોચિ પોલીસ એમની સામે લુકઆઉટ સર્કુલર બહાર પાડ્યું હતું. જો કે પોલીસને આશંકા હતી કે તેઓ દેશ છોડની ચાલ્યા ગયા છે. એ પછી એમની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેરળના ઉચ્ચ ન્યાયાલયે એમને અગ્નિમ જામીન આપી હતી છતાં પણ એમને હાલ અધિકારીઓ સામે પેશ થવું પડે છે. જો કે આ બધા વચ્ચે વિજય બાબુએ એક ફેસબુક લાઈવ કર્યું હતું અને તેની સામે લાગેલ દરેક આરોપોને ખોટ ગણાવ્યા હતા અને ખુદને નિર્દોષ સાબિત કર્યા હતા.

આજે કેરળ હાઈકોર્ટના નિર્દેશ મુજબ અભિનેતા-નિર્માતા વિજય બાબુ તેમની સામે નોંધાયેલા જાતીય શોષણના કેસના સંબંધમાં પૂછપરછ માટે એર્નાકુલમ ટાઉન સાઉથ પીએસમાં સતત છઠ્ઠા દિવસે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયા છે.

આ પણ વાંચો –

એકનાથ શિંદે ફરી એક વાર ગોવા પહોંચ્યા, સાથી ધારાસભ્યોને મુંબઈ પરત લાવશે

0

Eknath Shinde arrives in Goa

  • મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે ફરી એક ગોવા પહોંચ્યા છે. જ્યાં તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોને લેવા માટે પહોંચ્યા છે.

મહારાષ્ટ્રના (Maharashtra) નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ફરી એક ગોવા પહોંચ્યા છે. જ્યાં તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોને (Rebel legislators) લેવા માટે પહોંચ્યા છે. કહેવાય છે કે, એકનાથ શિંદે તમામ ધારાસભ્યોને લઈને મુંબઈ બંગાળી માછીમારને લાગી લોટરી, માત્ર એક જ માછલીએ બનાવ્યો લાખોપતિ(Mumbai) પાછા ફરશે. આ અગાઉ ગોવામાં આ ધારાસભ્યોની બેઠક પણ થઈ શકે છે. અગાઉ એકનાથ શિંદે પણ ગોવામાં હતા, જો કે તેમના સાથી ધારાસભ્યો ત્યાં જ રોકાઈ રહ્યા હતા, પણ હવે ફ્લોર ટેસ્ટ અને વિધાનસભા સ્પિકરની (Assembly Speaker) ચૂંટણી પહેલા ધારાસભ્યોનું મુંબઈ પાછા ફરવું ખૂબ જ જરૂરી છે.

વિધાનસભા સ્પિકરની થશે ચૂંટણી :

કહેવાય છે કે, ગોવામાં રોકાયેલા એકનાથ શિંદે જૂથના તમામ 50 ધારાસભ્યો બપોરે 2 વાગ્યે વિશેષ ચાર્ટર પ્લેન મારફતે મુંબઈ આવશે. આ અગાઉ ધારાસભ્ય દીપક કેસરકર બપોરે 12 કલાકે પીસી કરશે. આપને જણાવી દઈએ કે, રવિવારે 3 જૂલાઈએ વિધાનસભાનું વિશેષ સત્ર થશે, તેમાં સ્પિકરના નામની પસંદગી થશે. જેમાં સામેલ થવા માટે એકનાથ શિંદ જૂથના તમામ 50 ધારાસભ્યો આજે ગોવાથી મુંબઈ આવશે. મુંબઈમાં તેમની કડક સુરક્ષા વચ્ચે હોટલ ટ્રાઈડેંટ અથવા તાજ પ્રેસિડેંટમાં રોકવામાં આવશે.

બળવાખોરો માટે કડક સુરક્ષા વ્યવસ્થા :

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બળવાખોર ધારાસભ્યોનું ખાસ ધ્યાન રાખવામા આવશે. તેના માટે પહેલાથી તૈયારીઓ થઈ ચુકી છે. ઉદ્ધવ ઠાકરેની ખુરશીની નીચે ઉતાર્યા બાદ આ તમામ બળવાખોર ધારાસભ્યો શિવસૈનિકોના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે. જેને જોતા ગુવાહટીથી લઈને ગોવા સુધી પોલીસની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ અગાઉ આ બળવાખરો ધારાસભ્યોનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં શિંદે સીએમ બનતા ખુશીથી ઝુમવા લાગ્યા હતા.

આ પણ વાંચો –

શતાબ્દી ટ્રેનમાં 20 રૂપિયાની ચા પર મુસાફરે 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ ચૂકવ્યો, ‘ચાનું બિલ’ થયું વાયરલ

0

Passenger pays Rs 50

  • ટ્રેનની મુસાફરી દરમિયાન ‘ચાના બિલ’ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેનું કારણ બિલમાં લખેલા ચાના દર છે.

પ્લેનમાં મુસાફરી કરતી વખતે જો તમને ભૂખ લાગી હોય તો તમે તમારા માટે કંઈક ખરીદ્યું હશે. શક્ય છે કે તમારે આ માટે વધારે કિંમત ચૂકવવી પડશે. પરંતુ ટ્રેનની મુસાફરીમાં (Train travel) આવું ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે ટ્રેનની મુસાફરી દરમિયાન ઘણી વખત વસ્તુઓ ડિસ્કાઉન્ટેડ રેટ (Discounted rate) પર મળે છે. નાસ્તાથી લઈને લંચ અને ડિનર (Lunch and dinner) સુધી ઓછા પૈસામાં મળી રહે છે. જો કે, આ સિવાય ટ્રેનની મુસાફરી દરમિયાન ‘ચાના બિલ‘ની (Tea bill) એક તસવીર સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહી છે. તેનું કારણ બિલમાં લખેલા ચાના દર છે. ટ્વિટર પર યુઝર્સ ચાના રેટને લઈને ઘણી રમુજી અને વ્યંગાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા છે.

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર શેર કરાયેલી એક તસવીરમાં જોવા મળે છે કે એક ટ્રેન પેસેન્જરે એક કપ ચા માટે 70 ચૂકવ્યા હતા. તેનાથી પણ વધુ રસપ્રદ ચા પરનો સર્વિસ ચાર્જ છે. તસવીરમાં જોવા મળે છે કે મુસાફર 20 રૂપિયાની ચા માટે 50 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવતો હતો. આ ઘટના 28 જૂનના રોજ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હીથી ભોપાલ જઈ રહી હતી ત્યારે બની હતી. ટ્વીટર પર ટેક્સ ઈન્વોઈસની તસવીરો વાયરલ થઈ છે.

જણાવી દઈએ કે રેલ્વે મુજબ, જો કોઈ યાત્રી એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે કોઈપણ ફૂડ પ્રી-ઓર્ડર ન કરે તો તેણે રાઈડ દરમિયાન કોઈ વસ્તુનો ઓર્ડર આપતી વખતે 50નો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય રેલ્વેએ 2018 માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “જો કોઈ મુસાફર કે જેણે ટિકિટ બુક કરાવતી વખતે કેટરિંગ સેવાઓનો વિકલ્પ પસંદ ન કર્યો હોય અને મુસાફરી દરમિયાન ખોરાક ખરીદવાનું નક્કી કર્યું હોય, તો તે/તેણીના રિફંડ માટે હકદાર રહેશે. દરેક ભોજન.” ભોજન માટે રૂ. 50 ની વધારાની રકમ સૂચિત કરવામાં આવી છે. ભોજન માટેના કેટરિંગ ચાર્જ IRCTCના ઓન-બોર્ડ સુપરવાઈઝર દ્વારા વસૂલવામાં આવશે.”

ભારતીય રેલ્વે દ્વારા 2018 માં બહાર પાડવામાં આવેલ એક પરિપત્ર જણાવે છે કે, જ્યારે કોઈ મુસાફર રાજધાની અથવા શતાબ્દી જેવી ટ્રેનોમાં રિઝર્વેશન કરતી વખતે ફૂડ બુક કરાવતો નથી, તો ચા, કોફી અથવા ફૂડ ઓર્ડર કરવા માટે 50 નો સર્વિસ ચાર્જ ચૂકવવો પડે છે. ભલે તે માત્ર એક કપ ચા હોય.

આ પણ વાંચો –

જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ દિલ્હી પરત ફરી, કેબિનમાં જોવા મળ્યો ધુમાડો

0

SpiceJet flight to Jabalpur

  • 5000 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા પછી વિમાનના કેબિનમાં ધુમાડો જોવા મળતા ફ્લાઈટ જબલપુર જવાની જગ્યાએ દિલ્હી પાછી ફરી.

દિલ્હીથી (Delhi) જબલપુર (Jabalpur) જઈ રહેલું સ્પાઈસજેટનું વિમાન આજે સવારે ટેક ઓફ થયાના થોડીવાર બાદ દિલ્હી એરપોર્ટ પાછું આવી ગયું. સ્પાઈસજેટના (SpiceJet) પ્રવક્તાએ આ જાણકારી આપતા કહ્યું કે ફ્લાઈટના ટેકઓફ કર્યા બાદ જ્યારે વિમાન 5 હજાર ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું તો પાઈલટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો. ત્યારબાદ વિમાન દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર લેન્ડ કરાવવામાં આવ્યું.

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિમાનમાં ધુમાડો ભરાયેલો છે. અંદર બેઠેલા મુસાફરોને ધુમાડાથી ઘણી પરેશાની થઈ રહી છે. વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને હાલ એરપોર્ટ ઉપર જ રાખવામાં આવ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બીજા વિમાનથી મુસાફરોને જબલપુર મોકલવામાં આવશે.

અત્રે જણાવવાનું કે 19 જૂનના રોજ પણ સ્પાઈસજેટના એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનની અંદર આગની જાણ થતા જ દિલ્હી જઈ રહેલા વિમાનનું પટણા એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ વિમાનમાં 185 લોકો સવાર હતા. વિમાન પટણાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટથી 12.10 વાગે ઉડ્યું હતું. ટેકઓફની થોડી મિનિટ બાદ જ વિમાનના એક પાંખમાં આગ લાગી ગઈ હતી.

વિમાનના પાંખમાં લાગેલી આગને નીચેથી લોકોએ જોઈ હતી ત્યારબાદ તેની જાણ પટણા પોલીસને કરાઈ હતી. આ ઘટનાની સૂચના એરપોર્ટને અપાઈ. પછી વિમાન પાછું લાવવામાં આવ્યું હતું. આ બાજુ DGCA દ્વારા કહેવામાં આવ્યું હતું કે દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટની ઝપેટમાં એક પક્ષી આવી ગયું હતું. ત્યારબાદ હવામાં જ વિમાનનું એન્જિન બંધ થઈ ગયું હતું. પછી વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.