Home Blog Page 1319

આખરે લાખો રૂપિયાની કાર કેમ સાઈરસ મિસ્ત્રીનો જીવ ન બચાવી શકી ? જાણવા માટે મર્સિડિઝે લીધું મોટું પગલું

0

Finally, why the car worth lakhs of rupees

  • ચાર સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર રોડના ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેમાં કારની પાછલી સીટ પર બેઠેલા મિસ્ત્રી (54) અને જહાંગીર પંડોલેનું મોત નિપજ્યું હતું. 

ટાટા સન્સના પૂર્વ ચેરમેન (Former Chairman of Tata Sons) સાઈરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) રોડ અકસ્માતમાં નિધન થયું. તેમના મોતની તપાસ માટે હોંગકોંગથી મર્સિડિઝ બેન્ઝના (Mercedes Benz) ઓફિસરોની એક ટીમ મંગળવારે થાણા પહોંચી. આ ટીમ અકસ્માતનો ભોગ બનેલી મર્સિડિઝ કારની (Mercedes car) તપાસ કરશે. આ અકસ્માતમાં મિસ્ત્રી અને તેમના મિત્રનું મોત નિપજ્યું હતું.

પાલઘરના એસપી બાલાસાહેબ પાટિલે કહ્યું કે ત્રણ સભ્યોનું એક્સપર્ટ ગ્રુપ હોંગકોંગથી આવ્યું છે. પોલીસ અધિકારીઓની હાજરીમાં આ ગ્રુપ તપાસ કરશે. તેમણે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત થયેલી કારને થાણામાં મર્સિડિઝ બેન્ઝના યુનિટમાં રાખવામાં આવી છે. અહીં પહોંચીને આ ગ્રુપ તપાસ કરશે અને પછી મર્સિડિઝ બેન્ઝ કંપનીને પોતાનો રિપોર્ટ સોંપશે.

મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું :

ચાર સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર રોડના ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેમાં કારની પાછલી સીટ પર બેઠેલા મિસ્ત્રી (54) અને જહાંગીર પંડોલેનું મોત નિપજ્યું હતું. કાર જાણીતા સ્ત્રીરોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે (55) ચલાવી રહ્યા હતા અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) તેમની સાથે આગળની સીટ પર બેઠા હતા. અકસ્માતમાં દંપત્તિ ઘાયલ થયું હતું.

કંપનીએ વચગાળાનો રિપોર્ટ પોલીસને સોંપ્યો :

ગત અઠવાડિયે મર્સિડિઝ બેન્ઝે સાઈરસ મિસ્ત્રી દુર્ઘટના મામલે પોતાનો વચગાળાનો રિપોર્ટ પાલઘર પોલીસને સોંપ્યો. જેમાં કહેવાયું છે કે રોડ પર બનેલા ડિવાઈડરથી ટકરાતા પાંચ સેકન્ડ પહેલા ગાડીની બ્રેક મારવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે તે કાર દુર્ઘટનાની તપાસમાં અધિકારીઓની સાથે સહયોગ કરી રહી છે અને માત્ર તેમની સાથે જ પરિણામ શેર કરશે.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

વચગાળાના રિપોર્ટમાં કહેવાયું છે કે દુર્ઘટનાની થોડી સેકન્ડ પહેલા કારની ગતિ 100 કિમી પ્રતિ કલાક હતી જ્યારે પૂલ પર ડિવાઈડર સાથે કાર ટકરાઈ તે સમયે 89 કિમી પ્રતિ કલાક હતી. પાલઘર પોલીસે કાર નિર્માતા કંપનીને અનેક પ્રકારના સવાલ પૂછ્યા છે જેમ કે એરબેગ કેમ ખુલ્યા નહીં ? ગાડીમાં શું કોઈ ટેક્નિકલ ખામી હતી ? ટાયર પ્રેશર કેટલું હતું ? કારનું બ્રેક ફ્લૂઈડ શું હતું ?

આ પણ વાંચો :-

પાકિસ્તાનમાં પૂર બાદ ભયાનક સ્થિતિ, ભૂખે મરતા બાળકો, મહિલાઓ ખુલ્લામાં સૂવા માટે મજબૂર

Horrible situation after floods in Pakistan

  • પાકિસ્તાનમાં પૂરે હાહાકાર મચાવ્યો છે. પૂરના પગલે દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે. પૂર બાદ પણ લોકોની હાલત દયનિય છે.

પાકિસ્તાનમાં (Pakistan) પૂરે હાહાકાર મચાવ્યો છે. પૂરના પગલે દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે. પૂર બાદ પણ લોકોની હાલત દયનિય છે. બાળકો ભૂખે મરી રહ્યા છે તો મહિલાઓ (Woman) ખુલ્લામાં સુવા માટે મજબૂર બની છે.

લગભગ સમગ્ર સિંધ પ્રાંત હજુ પણ પાણીમાં ડૂબી ગયો છે. વહીવટીતંત્ર સતત બચાવ કાર્ય ચલાવી રહ્યું છે. તમામ લોકોને ભોજન અને પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ પ્રયાસો અપૂરતા જણાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકારે પણ હાથ ઊંચા કરી દીધા છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિતિ વધુ ખરાબ થશે.

પાકિસ્તાનમાં ઉભી થયેલી હાલત માટે નિષ્ણાતો સરકાર અને તંત્રને જવાબદાર માની રહ્યા છે. તેઓ પૂર, આર્થિક કટોકટી અને રાજકીય ઉથલપાથલ માટે પાકિસ્તાનના ગેરવહીવટ અને અમાનવીયતાને જવાબદાર ઠેરવી રહ્યા છે. રાજકીય અર્થશાસ્ત્રી નિયાઝ મોર્તઝા વર્તમાન કટોકટીને ત્રિ-પાંખીય અવરોધ તરીકે વર્ણવે છે. આમાં આર્થિક, રાજકીય અને કુદરતી અવરોધોનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

તેઓ કહે છે, ગરીબો પહેલેથી જ બે મહિનાથી મોંઘવારી, નોકરી ગુમાવવા અને રાજકીય વિકલાંગતાથી પરેશાન હતા અને હવે પૂરે તેમને ખાડામાં ધકેલી દીધા છે. કમનસીબે આ પરિસ્થિતિઓનો સામનો કરવાને બદલે રાજકીય પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે અથવા પૂર માટે ભારતને દોષી ઠેરવવા મંડ્યા છે.

1,300 થી વધુ લોકોના મોત :

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પૂરના પાણી ઓછુ થવામાં કેટલાક મહિના લાગી શકે છે. આવી સ્થિતિમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનું જોખમ ત્યાં નોંધપાત્ર રીતે વધી ગયું છે. આ સમગ્ર વિસ્તાર આકાશી આફતથી તબાહ થઈ ગયો છે. અહીં હજારો લોકો બેઘર બની ગયા છે.

પાકિસ્તાન હાલ પૂરથી પીડિત છે. 22 કરોડ લોકો પ્રત્યક્ષ અને આડકતરી રીતે પ્રભાવિત થયા છે. 1,300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 160 માંથી 81 જિલ્લામાં પૂરના કારણે 3.3 કરોડ લોકો બેઘર બન્યા છે.

ન ખાવાનું, ન ઘર, ના જલ્દી સ્વસ્થ થવાની આશા સિંધ પ્રાંતને ફરી ઊભા થવામાં ઘણો સમય લાગશે. અહીં પૂરના કારણે હજારો ઘરો, ઘણાં ગામો અને મસ્જિદો અને મદરેસાઓ નાશ પામ્યા છે. પાક બરબાદ થઈ ગયો છે અને જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી બીજો પાક થઈ શકે નહીં.

નિષ્ણાતોના મતે સિંધ પ્રાંતમાં એવા ઘણા વિસ્તારો છે. જ્યાંથી પાણી બહાર આવવામાં 2-3 મહિનાનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ભૂખમરો વધશે, સ્થિર પાણીને કારણે બીમારીઓ વધશે અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પાસે આ સ્થિતિનો સામનો કરવા માટે કોઈ સાધન નથી.

હજારો લોકો સુધી મદદ કેમ નથી પહોંચી રહી ?

પાકિસ્તાનમાં પૂરથી પ્રભાવિત એવા ઘણા ગામો છે, જ્યાં બધું જ તબાહ થઈ ગયું છે. આ ગામોના લોકો ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર છે. બાળકોને સુરક્ષિત રાખવા માટે કેટલાક લોકોએ ઘરના કપડામાંથી ટેન્ટ બનાવ્યા છે. એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કુદરતી આફતનો સામનો કરવામાં પાકિસ્તાન આટલું લાચાર કેવી રીતે લાગે છે? આખરે હજારો લોકો સુધી મદદ કેમ નથી પહોંચી રહી?

રાહત સામગ્રીમાં ભ્રષ્ટાચાર :

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારની હદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક લોકો પૂર પીડિતોની રાહત સામગ્રીની લૂંટમાં પણ રોકાયેલા છે. ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે પાકિસ્તાને તેના પૂર રાહત અને સામગ્રી વિતરણના કાર્યને પારદર્શક બનાવવા માટે ડિજિટલાઇઝેશનનું કામ શરૂ કર્યું છે.

જિયો ન્યૂઝ અનુસાર વિદેશમાંથી મળેલી મદદ અને તેના વિતરણની વિગતો ડિજિટલ ફ્લડ ડેશબોર્ડ દ્વારા સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતને આ મુશ્કેલ સમયમાંથી જલ્દી બહાર આવવા માટે પ્રાર્થના કરી શકાય છે.

આ પણ વાંચો :-

સરકાર હવે તો બંધ આંખો ખોલો, જે બાળક હજી દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો

0

Govt open your closed eyes now

  • વડોદરામાં રખડતા ઢોરે સગર્ભા મહિલાને અડફેટે લેતા ગર્ભમાં રહેલા શિશુનું મોત… 4 વર્ષની નાની બાળકીને બચાવવા જતાં રખડતા ઢોરે મહિલાને ફંગોળી..

એક તરફ રાજ્ય સરકારે (State Govt) આગામી વિધાનસભા સત્રમાં ઢોર નિયંત્રણનો (Cattle control) કાયદો પરત ખેંચવાનો નિર્ણય લીધો. માલધારી સમાજના (Merciful society) આગેવાનોને મુખ્યમંત્રીએ આ વિશે ખાતરી આપી. પરંતુ ગુજરાતમાં રખડતા ઢોરોનું શું, જેનો ભોગ નાગરિકો બની રહ્યાં છે. સરકારે ચૂંટણી પહેલા પોતાની વોટબેંક બચાવવા બંધ બારણે ખેલ પાડી દીધો. પરંતું રખડતા ઢોરોથી હવે નાગરિકોને કોણ બચાવશે.

આવામાં એક એવી ઘટના બની છે જે જાણીને તમારું કાળજુ પણ કંપી ઉઠશે. જે બાળક હજી દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો. વડોદરામાં રખડતા ઢોરે ગર્ભવતી મહિલાને અડફેટે લેતા મહિલાના ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજ્યું છે. પરિવારે બીકના માર્યે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. પરંતું આ આંખ ખોલતો કિસ્સો છે. ત્યારે હવે સરકાર ક્યાં સુધી આંખ મીંચીને બેસી રહેશે.

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. વડોદરામાં ઠેરઠેર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેસેલા હોય છે. આવામાં એક રખડતા ઢોરે ગર્ભવતી મહિલાને અડફેટે લીધી હતી. રખડતા ઢોરે અડફેટે લેતા મહિલાના ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજ્યું છે. વડોદરાના સલાટવાડા વિસ્તારની આ ઘટના છે.

સલાટવાડા વિસ્તારમાં રખડતા ઢોરે ગર્ભવતી માતાને અડફેટે લીધી હતી. રખડતી ગાય નાની બાળકીને ગાય મારતી હતી ત્યારે બાળકીને બચાવવા જતા ગર્ભવતી મહિલાને ગાયે ફંગોળી હતી. જેથી મહિલા ઈજાગ્રસ્ત બની હતી.

ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. ગર્ભવતી મહિલાને ગુપ્તાંગના ભાગમાં વાગવાથી ગર્ભમાં રહેલ શિશુનું મૃત્યુ નિપજ્યું હતું. તો બીજી તરફ, પરિવાર ડરી જતા પોલીસ ફરિયાદ કરવાનીના પાડી.

આ પણ વાંચો :-

હવે તમે પણ પાવાગઢ મંદિરના શિખર પર ધજા ચઢાવી શકશો, મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય

0

Now you too will be able

  • માઈ ભક્તો હવે દક્ષિણા ચૂકવીને આવનારી આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકશે. આ માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણાની રકમ પણ જાહેર કરી.

સદીઓ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે પાવાગઢ (Pavagadh) નિજ મંદિર પર ધ્વજારોહણ (Flag hoisting) કરાયુ હતું. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. ત્યારે હવે ભક્તો પણ નવરાત્રિમાં પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકો છો. આ માટે મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે.

માઈ ભક્તોને ધજા ચડાવવા પાવાગઢ મંદિર ટ્રસ્ટે એક નિર્ણય લીધો. જેમાં હવે માઈભક્તો દક્ષિણા આપીને મંદિર પર ધજા ચઢાવી શકે છે. આ માટે દક્ષિણાના અલગ અલગ ચાર્જ રાખવામાં આવ્યા છે. જે ધજાની અલગ અલગ સાઈઝ મુજબ રાખવામાં આવ્યા છે.

નવરાત્રિમાં પાવાગઢની મહાકાળી માતાનું ખાસ મહત્વ હોય છે. નવરાત્રિના નવ દિવસોમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો મહાકાળીના દર્શને આવતા હોય છે. ત્યારે હવે મહાકાળીનું મંદિર જીર્ણોદ્વાર બાદ ભક્તોની સંખ્યા વધી ગઈ છે.

તેથી શ્રી કાલિકા માતાજીના ટ્રસ્ટ દ્વારા ભક્તોને ધજા ચઢવવાની સુવિધા આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે. માઈ ભક્તો હવે દક્ષિણા ચૂકવીને આવનારી આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકશે. આ માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણાની રકમ પણ જાહેર કરી છે.

અલગ સાઈઝની ધજા માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણા જાહેર કરી છે. માઈ ભક્તો 11 ફૂટથી લઈને 51 ફૂટની ધજા માટે દક્ષિણા જાહેર કરાઈ છે. ભક્તો હવે દક્ષિણા આપી પોતાની મરજી મુજબની ધજા પાવાગઢ મંદિર પર ચડાવી શકશે. ભક્તોમાં ધજારોહણને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાઈડલાઇન જાહેર કરાઈ છે. ધજારોહણ માટે ભક્તોએ દક્ષિણા ચૂકવવી પડશે.

  • 11 ફૂટની ધજા માટે 3100 રૂપિયા દક્ષિણા
  • 21 ફૂટની ધજા માટે 4100 રૂપિયા દક્ષિણા
  • 31 ફૂટની ધજા માટે 5100 રૂપિયા દક્ષિણા
  • 41 ફૂટની ધજા માટે 6,100 રૂપિયા દક્ષિણા
  • 51 ફૂટની ધજા માટે 11000 રૂપિયા દક્ષિણા

26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થતી આસો નવરાત્રીના પહેલા દિવસથી તેનો અમલ કરવામાં આવશે. જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા માંગતા હોય તે યજમાન ભક્તોને મંદિર તરફથી ધજા અને પ્રસાદી, પૂજાપો, ધૂપ આપવામાં આવશે. મંદિરમાં પૂજા કરાવવામાં આવશે અને મંદિર દ્વારા ધજાને શિખર ઉપર ચડાવવામાં આવશે. આ ધજા લાલ કલરની અને શ્રી કાલિકા માતાજીના લખાણવાળી હશે.

આ પણ વાંચો :-

દેવી-દેવતા વિરૂદ્ધ ટીપ્પણી કરનારા સ્વામિ.સંતો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ, કાર્યવાહી નહીં થાય તો પોલીસ…

0

A complaint has been registered against

  • ગઢડામાં સનાતન ધર્મના અગ્રણીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan Sect) સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતા વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી, તેના વિરોધમાં ગઢડા શહેર (Gadhda) ખાતે આજે મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકોએ ભેગા થઈને રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ ઉપરાંત સનાતન ધર્મના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી આ સંતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ સામે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

રેલી કાઢી નોંધાવ્યો વિરોધ :

બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતે આજરોજ કમલમ હોલ ખાતે સનાતન ધર્મના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જે ભગવાન શિવ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે, તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને શહેરના રાજ માર્ગો પર રેલી કાઢી સનાતન ધર્મની જય, હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ ફરિયાદ :

જે બાદ મોટી સંખ્યામાં લોકો શહેરના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાં ગઢડા શહેરના સ્થાનિક વાલેરાભાઈ રાઠોડ, ઋષિકેશ ભાઈ ત્રિવેદી અને નાજભાઈ દ્વારા સનાતન ધર્મના મોટી સંખ્યામાં લોકોને સાથે રાખીને ફરિયાદી બનીને સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણ વલ્લભ સ્વામી, ઋગનાથ ચરણદાસ સ્વામી અને આનંદસાગર સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

આ ઉપરાંત પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં પોલીસ વિરુદ્ધ પણ સનાતન ધર્મના લોકો વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ પણ વાંચો :-

 

આજનું રાશિફળ 14 સપ્ટેમ્બર : ધનુ-કુંભ રાશિના જાતકોને આજે ધનલાભના યોગ, જાણો તમારું દૈનિક રાશિફળ

Today’s Horoscope 14th September Gujarat Guardian

મેષ :
શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય. છતાં સ્વભાવમાં થોડી ઉગ્રતા વર્તાય. બહેનો એ પતિના ગુસ્સાનો સામનો કરવો પડે. માતાનું આરોગ્ય સાચવવું. જમીન મિલકતના વ્યવહારોમાં સાવધાની જરૂરી.

વૃષભ :
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુન :
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્ક :
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજર અંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેર બજાર ના રોકાણોમાં લાભ, દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહ :
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ, મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યા :
કરેલા કાર્ય સફળતા થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા પ્રવાસનું આયોજન થાય.

તુલા :
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિક :
માનસિક પરિતાપ ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

ધન :
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી ધંધામાં સારૂ. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય.

મકર :
વિચારોમાં સ્થિરતા વધે. માન સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભ :
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઇચ્છા શક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ વાહન સુખમાં વધારો.

મીન :
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો :-

આ તે કેવી ભક્તિ ! સુરતમાં ગણેશ મંડપમાં ડાન્સરોએ કર્યો અશ્લીલ ડાન્સ, Video

0

What kind of devotion is this

  • ગણેશોત્સવ તહેવાર એ પરંપરા અને ભક્તિ સાથે જોડાયેલો છે. ગણેશ ઉત્સવ ઉજવવાનો હેતુ લોકોને એકઠા કરીને ઉત્સવ મનાવવાનો છે. પરંતુ સુરતના એક ગણેશ પંડાલમાં ભક્તિના નામે અશ્લીલતા જોવા મળી. 

ગણેશોત્સવ (Ganesha Festival) તહેવાર એ પરંપરા અને ભક્તિ સાથે જોડાયેલો છે. ગણેશ ઉત્સવ ઉજવવાનો હેતુ લોકોને એકઠા કરીને ઉત્સવ મનાવવાનો છે. પરંતુ સુરતના એક ગણેશ પંડાલમાં (Ganesh Pandal) ભક્તિના નામે અશ્લીલતા (Obscenity) જોવા મળી.

સુરતની બેગમપુરા શેરીમાં ગણેશ પંડાલમાં ભગવાન ગણેશજીની સામે બાર ડાન્સરોને બોલાવીને અશ્લીલ ડાન્સ કરાયો હતો. એટલુ જ નહિ યુવકોએ નશામાં છાટકા બનીને બાર ડાન્સરો સાથે ડાન્સ કર્યો હતો. ત્યારે વીડિયો વાયરલ થતા પોલીસે કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

તાજેતરમાં જ ગુજરાતભરમાં રંગેચંગે ગણપતિ મહોત્સવ ઉજવાયો. ત્યારે સુરતમાં ભક્તિના નામે એવી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા. ગણપતિ મંડપમાં ડાન્સરોને બોલાવાયા હતા. ગણેશ પ્રતિમાની સામે સ્થાનિક યુવકોએ શરમ નેવે મૂકીને ડાન્સ કર્યો હતો. એટલુ જ નહિ, યુવાઓએ ડાન્સરો સાથે ઠુમકા માર્યા હતા.

તો બીજી તરફ, ગણેશ મંડપમાં બિયરની છોળો ઉડાડાઈ હતી. ડીજેના તાલે યુવાઓ મહિલા ડાન્સરો સાથે ઝૂમ્યા હતા. તો યુવાઓએ નશામાં છાટકા બનીને ડાન્સરો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ગણેશ વિસર્જનની આગલી રાત્રે તાયફાનો વીડિયો વાયરલ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકોએ તે જોઈને ફિટકાર વરસાવી છે. વીડિયો સુરતની બેગમપુરા મપારા શેરીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

સુરતમાં ગણપતિ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. ગણેશ પંડાલમાં કરેલા આ તાયફા સામે અનેક સવાલો ઉભા કરે છે કે, આસ્થાના નામે કરેલા જલસા કેટલા યોગ્ય છે.

આ પણ વાંચો :-

એક તરફ ભારત જોડો યાત્રા ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં બે નેતાઓ વચ્ચે મોટો વિવાદ, કહ્યું મારા પર જૂતાં ફેંકાવીને CM…

0

On the one hand, join Bharat Yatra, on the other

  • રાજસ્થાનના રમતગમત રાજ્ય મંત્રી અશોક ચંદનાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને ખુલ્લી ધમકી આપી.

ચૂંટણી પહેલા હાલ કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Connect India Journey) ચાલી રહી છે તેવામાં રાજસ્થાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનમાં (Rajasthan) બે જૂથોમાં વહેંચાયેલી કોંગ્રેસમાં હવે નવો વિવાદ સર્જાયો છે. રાજસ્થાનના રમતગમત રાજ્ય મંત્રી અશોક ચંદનાએ (Ashok Chandn) પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને (Sachin Pilot) ખુલ્લી ધમકી આપી છે.

વાત જાણે એમ છે કે, સોમવાર 12 સપ્ટેમ્બરના રોજ જ્યારે અશોક ચંદના અજમેરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. ત્યારબાદ ઘણા લોકોએ મંત્રી પર જૂતા ફેંક્યા હતા. જે બાદમાં નારાજ અશોક ચંદનાએ મોદી રાત્રે ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી હતી.

રાજસ્થાનના અજમેરમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અશોક ચંદના ભાષણ આપી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક  કેટલાક લોકોએ મંત્રી પર જૂતા ફેંક્યા હતા. જે બાજુથી ચંપલ અને અન્ય વસ્તુઓ સ્ટેજ તરફ ફેંકવામાં આવી હતી. તે બાજુથી સચિન પાયલટ ઝિંદાબાદના નારા લાગ્યા હતા.

જૂતા ફેંકવાથી નારાજ મંત્રી અશોક ચંદનાએ રાત્રે 10:05 વાગ્યે ટ્વિટ કરીને સચિન પાયલટને ધમકી આપી હતી. ચંદનાએ ટ્વીટ કરીને લખ્યું કે ‘જો સચિન પાયલોટ મારા પર જૂતું ફેંકીને મુખ્યમંત્રી બને છે, તો તે જલ્દી કરવું જોઈએ કારણ કે આજે મને લડવાનું મન નથી થતું. જે દિવસે હું લડવા આવીશ ત્યારે માત્ર એક જ બચશે અને મારે આ જોઈતું નથી.’ ચંદનાની આ ધમકીથી પાર્ટીમાં હવે નવો જંગ છેડાઈ ગયો છે.

શું હતો સમગ્ર મામલો ? 

12 સપ્ટેમ્બરના રોજ અજમેરમાં ગુર્જર સમાજના નેતા સ્વર્ગસ્થ કર્નલ કિરોરી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડ, અજમેરના સાંસદ ભગીરથ ચૌધરી, સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત, આરટીડીસીના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાઠોડ વગેરે હાજર હતા.

જેમાં ભાજપ ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ ઓમપ્રકાશ ભડાના, ધારાસભ્ય વાસુદેવ દેવનાની સામેલ થયા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ આવી શક્યા ન હતા. જ્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભીડમાં યુવાનોનું એક જૂથ સચિન પાયલટના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા અને કેબિનેટ મંત્રી શકુંતલા રાવતના ભાષણ દરમિયાન પણ યુવાનોના એક જૂથે વિરોધ કર્યો હતો અને સચિન પાયલટ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. રાજ્યમંત્રી અશોક ચાંદના ભાષણ આપવા આવ્યા ત્યારે યુવાનોના એક જૂથે મંત્રી પર જૂતા, ખાલી બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકી દીધી હતી. આનાથી નારાજ થઈને મંત્રીએ ભાષણ અધવચ્ચે જ છોડી દીધું હતું.

આ પણ વાંચો :-

અરવિંદ કેજરીવાલની વધુ એક ગેરેન્ટી, ગુજરાતમાં જેટલા પેપર ફૂટ્યા છે તેના આરોપીઓને જેલભેગા કરીશું

0

Another guarantee of Arvind Kejriwal

  • અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગેરેન્ટી આપી, જાણો શું કહ્યું…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Chief Minister Arvind Kejriwal) ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે તેમણે ગુજરાતની (Gujarat) જનતા માટે વધુ એક ગેરંટીની જાહેરાત કરશે. કેજરીવાલે આજે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. સાથે જ AAPમાં જોડાનાર નેતાઓ અને કાર્યકરોને આવકાર્યા હતા. ત્યારે કાર્યક્રમમાં તેમણે ગુજરાતની જનતા માટે વધુ એક ગેરેન્ટી આપી કે, ગુજરાતમાં આપની સરકાર (Your government) બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું.

કેજરીવાલે સંબોધનમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિશે કહ્યું કે, ગુજરાતમાં ચારેતરફ ભ્રષ્ટ્રાચાર છે. કોઇ પણ કામ કરાવવું હોય તો રૂપિયા આપવા પડે છે. નીચેથી લઇ ઉપર સુધી ભ્રષ્ટ્રાચાર છે. એમના વિશે કંઇ બોલો તો તેઓ ધમકાવવા પહોંચી જાય છે.

તેથી અમે ગેરંટી આપીએ છીએ કે ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું. અમારા મુખ્યમંત્રી, મંત્રી, કે કોઇ અધિકારી ભ્રષ્ટાચાર નહિ કરે. જો કોઇ કરશે તો સીધા જેલ ભેગા થશે. ભાજપે આજ સુધી તેના કોઇ મંત્રીને જેલ મોકલ્યો નથી.

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે, સરકારના એક-એક પૈસાનો ઉપયોગ અમે પ્રજા માટે કરીશું. ગુજરાતના રૂપિયા સ્વીસ બેંકમાં નહી જાય. સરકારના પ્રજાના રૂપિયાનો ઉપયોગ ઉદ્યોગપતિઓ માટે નહી થાય. એવી વ્યવસ્થા ઉભી કરીશું કે કોઇએ સરકારી ઓફિસ નહી જવું પડે. અધિકારી તમારા ઘરે આવશે અને તમારું કામ થશે. દિલ્હી અને પંજાબમાં જે લાગુ પાડ્યું એ ગુજરાતમાં કરીશું.

ગુજરાતમાં ચાલતા કાળા કામ બંધ કરવામાં આવશે. મંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓના કાળા ધંધા બંધ કરીશું. 10 વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા છે તમામના માસ્ટર માઇન્ડ અને સરકારમાં બેઠેલા મળતીયાઓને જેલમાં નાંખીશું. વર્તમાન સરકારમાં જેટલા કૌભાંડ થયા તે તમામની તપાસ થશે અને તમામ પાસેથી રૂપિયા રીકવર કરવામાં આવશે.

તો ગઈકાલે સુરક્ષાના કારણોસર દિલ્હીના CM કેજરીવાલને રીક્ષામાં જતા અટકાવાયા હતા. ત્યારે આ મુદ્દે કેજરીવાલે જણાવ્યું કે, આ ચૂંટણી બાદ ગુજરાતમાંથી ભાજપ જઇ રહી છે અને આમ આદમી આવી રહી છે. પોલીસ મને સુરક્ષા નહોતી આપતી.

તેમનો ઇરાદો મને સુરક્ષા આપવાનો ન હતો. પરંતુ મને પ્રજા વચ્ચે જતા અટકાવવાનો હતો. શુ કોઇ મુખ્યમંત્રી રીક્ષામાં ન જઇ શકે? પોલીસ મને રીક્ષામાં સુરક્ષા ન આપી શકે. ઉલ્લેખનીય છે કે, સાંજે સફાઈ કર્મચારી સાથેના ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. ટાઉનહોલ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો :-

તું મારી ફિલિંગ્સ સમજ…: અમદાવાદમાં ચેટ કરી ફોસલાવતો શિક્ષક, યુવતીઓ બોલી…

0

You understand my fillings…: A teacher chats

  • સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કરતા સ્ક્રિનશોટ્સ વાયરલ થયા છે. જે બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદની (Ahmedabad) સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાંથી (St. Xavier’s Loyola School) શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે ઈન્સ્ટાગ્રામમાં (Instagram) ગંદી હરકત કરી છે.

સ્પોર્ટ્સના શિક્ષક ડૉ.રવિરાજ ચૌહાણે વિદ્યાર્થિઓની સાથે ગંદી હકત કરી છે. શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીને ફોસલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના સ્ક્રિનશોટ્સ વાયરલ થયા છે. જેથી વાલીઓએ શિક્ષક વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શિક્ષક વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવાની વિદ્યાર્થિનીઓની માંગ :

રીસેસના સમયે વિરોધ કરતી સ્કૂલની વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, ‘સ્પોર્ટ્સના શિક્ષકે સોશિયલ મીડિયા પર મેસેજ કર્યા છે, અને અમને એકલામાં મળવા બોલાવી. અમે ફક્ત અમારી માટે જ નહીં પણ પ્રાઈમરીમાંથી અનેક વિદ્યાર્થિનીઓ આવતા વર્ષે હાઈસ્કૂલમાં આવવાની છે. અમે તેમની સેફ્ટી માટે પણ આ વિરોધ કરી રહ્યા છીએ.’

વિદ્યાર્થિનીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ‘બધાનું કહેવું છે આ સ્કૂલના શિક્ષકે સ્કૂલને ઘણા એવોર્ડ અપાવ્યા છે. જેથી સ્કૂલ ફક્ત તેનો સ્વાર્થ જ જોવે છે, તેને વિદ્યાર્થિનીઓની સેફ્ટીની કંઈ પડી નથી. આ અંગે જ્યારે અમે સ્કૂલના પ્રિન્સિપાલને જણાવ્યું હતું. ત્યારે તેમણે અમને પૂરાવા લવવા કહ્યું હતું અને અમે ઘણા પૂરાવા આપ્યા.

જે બાદ તેમણે શિક્ષકને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા હતા. આ અગાઉ પણ તેમને ચેતવણી આપવામાં આવી હતી.’ વધુમાં જણાવ્યું કે, ‘સસ્પેન્ડ કરવાથી કોઈ મતલબ નથી કારણ કે તે બીજી સ્કૂલમાં જઈને ત્યાંની વિદ્યાર્થિનીઓ સાથે પણ આવું જ કરશે. અમારી માંગ છે કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ‘

લંપટ શિક્ષકને સસ્પેન્ડ કર્યા હોવાનો સ્કૂલનો દાવો :

મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષક રવિરાજ ચૌહાણે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કર્યા હતા. શિક્ષકે વિદ્યાર્થિનીઓના ફોટા મગાવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થિનીને મળવા માટે એકલા બોલાવી હતી. શિક્ષકના ઈન્સ્ટાગ્રામ પર આવા મેસેજ આવતા વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી અને તેઓએ આ વાતની જાણ સ્કૂલના પ્રિન્સિપાલને કરી હતી.

જે બાદ પ્રિન્સિપાલે તપાસની ખાતરી આપી હતી. સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ તપાસ માટે ઈન્ટરનલ કમિટીની પણ રચના રવામાં આવી છે. આ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ મેનેજમેન્ટ આ મામલે વધુ કાર્યવાહી કરશે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ લંપટ શિક્ષક અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. એ સમયે પણ આ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓને ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-