Home Blog Page 1315

લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા મહત્વનો નિર્ણય : જાણો ક્યાં 4 ઓવરબ્રિજને કરાશે સિક્સ લેન

0

Important decision to free people from traffic problems

  • આજે વડોદરાની કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઇ. જેમાં ટ્રાફિકની સમસ્યાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો.

વડોદરાની (Vadodara) કલેક્ટર કચેરી ખાતેની ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની બેઠકમાં આજે એવો નિર્ણય લેવાયો કે, વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે (Vadodara-Bharuch National Highway) પરના 4 ઓવર બ્રિજને 6 લેન કરાશે.

બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘વડોદરાથી ભરૂચ જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ (National Highway) ઉપર આવતા 4 ઓવર બ્રિજને છ માર્ગીય કરવા દરખાસ્ત થઇ ગઇ છે.’

નીતિન ગડકરીએ આ મામલે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો :

તમને જણાવી દઇએ કે, બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પુલ હાલમાં ફોરલેન હોવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.

આથી તેઓએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને વડોદરાથી ભરૂચ માર્ગ પરના ચાર ઓવર બ્રિજના કારણે થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેઓએ આ બાબતે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.’

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

સાંસદ રંજનબેને જણાવ્યું કે, ‘મહત્વનું છે કે, આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણ (NHAI) ની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવી હતી. જેને ઝડપથી મંજૂરી મળી જાય એવી અપેક્ષા છે.’ ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠકમાં સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના ત્વરિત અમલીકરણ ઉપરાંત સારી ગુણવત્તાયુક્ત કાર્યો થાય અને લોકોની જરૂરિયાત મુજબ થાય એ વિષય ઉપર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય જીતુ સુખડિયા, જસપાલસિંહ પઢિયાર અક્ષય પટેલ, શૈલેષ મહેતા ઉપરાંત અધિક કલેક્ટર ગોપલ બામણિયા તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો :-

રવીન્દ્ર જાડેજાએ પગમાં પ્લાસ્ટર સાથે શેર કરી તસવીર તો લોકો થઈ ગયા ઈમોશનલ, કહ્યું ક્યારે કમબેક કરશો બાપુ ? જુઓ તસ્વીર

0

Ravindra Jadeja shared a picture with plaster

  • રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. હજુ તેમની મેદાન પર વાપસીની તારીખ સામે આવી નથી.

ભારતીય ઓલરાઉન્ડર રવીંદ્ર જાડેજાનાં (Ravindra Jadeja) ફેન્સ માટે સારા સમાચાર છે. તેઓ રિકવર થવા લાગ્યા છે. જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા (Social media) એકાઉન્ટ દ્વારા એક તસવીર શેર કરી છે.

જેમાં તેઓ Crutchesનાં સહારે ઉભેલા જોવા મળે છે. જાડેજા ઇજાને કારણે ટી20 વર્લ્ડ કપમાં ટીમમાં સામેલ થયા નથી. તેઓ એશિયા કપમાં શરૂઆતની બે મેચ રમ્યા બાદ ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા હતા.

Crutchesનાં સહારે ઉભેલા જોવા મળ્યા રવીન્દ્ર જાડેજા :

ટીમ ઈન્ડિયાના સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં તેઓ Crutchesનાં સહારે ઉભેલા જોવા મળે છે.

એવું લાગી રહ્યું છે કે તેઓ તેમના રાજકોટવાળા ઘરમાં છે. તેમના પગમાં પ્લાસ્ટર પણ છે. તેમણે આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘One Step at a Time’.

વાપસીની કોઈ જાણ નથી :

રવીન્દ્ર જાડેજા ઘૂંટણની સર્જરી બાદ ઠીક થવા માટે સ્વદેશ પાછા ફર્યા છે. એશિયા કપ દરમિયાન જાડેજાને ઘૂંટણમાં ઇજા થઈ હતી. આ ઇજાને કારણે ન માત્ર તેઓ એશિયા કપથી પણ ટી20 વર્લ્ડ કપથી પણ બહાર થઈ ગયા છે. તેમની મેદાન પર વાપસીની તારીખની જાણ ત્યારે થશે. જ્યારે તેઓ સર્જરીથી ઠીક થયા બાદ એનસીએને રિપોર્ટ  કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતનાં મુખ્યમંત્રીથી દુનિયાનાં સૌથી લોકપ્રિય નેતા બનવા સુધી, આ કારણે બની ગયા બ્રાન્ડ PM મોદી

0

From being the Chief Minister of Gujarat to

  • આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જાણો કઈ કઈ ખાસિયતોને કારણે પીએમ નરેન્દ્ર મોદી બ્રાંડ મોદી બની ગયા છે.

PM મોદી એક એવા નેતા છે જે સતત 21 વર્ષ સત્તામાં રહ્યા છે. પહેલા 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા અને હવે 8 વર્ષથી પ્રધાનમંત્રીનાં પદ પર છે. આ પાછળ તેમના 24×7 કામ કરવાની રણનીતિ જવાબદાર (Strategy responsible) છે. કહેવામાં આવે છે કે તેઓ આમ ગત 21 વર્ષથી કરી રહ્યા છે અને આ દરમિયાન તેમણે એક પણ રજા લીધી નથી.

PM મોદીએ આ ખાસ પ્રકારની રાજનીતિ સંસ્કૃતિને વિકસિત કરી અને છે અને પાર્ટીને ‘સેવા હી સંગઠન‘નું મુલ્ય આપીને આગળ લઇ જવાની કોશિશ કરી છે.

1. ચૂંટણીની રણનીતિ બદલવા અને વિજય હાંસલ કરવાનું શીખવ્યું :

2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ ભાજપાએ દેશના એ રાજ્યોમાં પણ સરકાર બનાવી જ્યાં ઘણા વર્ષોથી પાર્ટી પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી રહી હતી. આ પાછળ PM મોદીની ચુંટણીને લગતી રણનીતિ હતી. વગર રજાએ સતત પોતાના કામ કરવાના ખાસ અંદાજે પીએમ મોદીને જે બ્રાંડ ઈમેજ આપી છે, એ કારણે આજે દેશમાં મોદી લહેર જોવા મળે છે.

2. થોભતી નથી ચુંટણીની તૈયારીઓ  :

પીએમ મોદીએ પાર્ટીમાં આ ચલણ શરુ કર્યું કે ચુંટણી કોઈપણ હોય, પરિણામ આવ્યા બાદ તૈયારી અટકવી ન જોઈએ. સામાન્ય રીતે રાજનીતિક દળો રાજ્યમાં ચુંટણીનાં એક વર્ષ પહેલા જ તૈયારીઓ શરુ કરે છે, પણ પીએમ મોદીએ આ ટ્રેન્ડ પણ બદલ્યો.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ચુંટણીની તૈયારીઓને પાર્ટીનાં કામનો મુખ્ય ભાગ બનાવ્યો. પરિણામ, ભાજપાની ચુંટણીની તૈયારીઓ વિપક્ષી દળો માટે પડકારો વધારી રહી છે.

3. દરેક આયોજનને ભવ્ય બનાવવાની અને મોટા સંદેશ આપવાની શરૂઆત  :

પીએમ મોદી દરેક આયોજનને ભવ્ય બનાવવા અને તેના માધ્યમથી રાજનીતિક સંદેશ આપવાની કોશિશ કરે છે. આની શરૂઆત 2014માં તેમણે એક ઇવેન્ટથી કરી હતી અને ખુદને પ્રધાનસેવક જણાવ્યા હતા.

ભાજપાએ પ્રધાનમંત્રીનાં દરેક જન્મદિવસને સેવા દિવસનાં રૂપમાં મનાવવાની શરૂઆત કરી છે. આ દરમિયાન હેલ્થ ચેક અપ, દીવ્યાંગોને ઉપકરણ વહેંચવા અને વેક્સિનેશન જેવા તમામ કામ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

 પતિ બીજા રૂમમાં સૂતો હતો અને કોન્સ્ટેબલ પરિણીતાએ કર્યો આપઘાત 

0

The husband was sleeping in another

  • કોન્સ્ટેબલ પતિ પત્ની આપઘાત પહેલાના પાંચ દિવસ રજા લઇને વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે સવારે ભાવનાબેનએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે પોતે નોકરી પર નહિ આવે તેવું જણાવ્યું હતું.

શહેરના રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં (Old Swaminarayan Vas) રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) ભાવનાબેન ડાભીએ પોતાના ઘરમાં ગળાફાંસો (noose) ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારની સાંજે પતિ ભદ્રેશભાઇ અને મૃતક ભાવનાબેન ઘરમાં હતા.

આ દરમિયાન પતિ બેડરૂમમાં સુતો હતો ત્યારે પત્ની ભાવનાબેને ડ્રોઇંગરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સાંજે પતિ જ્યારે બહારના રૂમમાં આવ્યો ત્યારે પત્નીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. જે બાદ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આપઘાતની સવારે મૃતકે કન્ટ્રોલ રૂમમાં પોતે આજે નહીં આવે તેમ જણાવ્યું હતું.આ કેસમાં પોલીસે કોન્સ્ટેબલ પતિની અટકાયત કરી છે.

52 વર્ષના પ્રવિણભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ભાવનાબેન ડાભીની 2016માં LRD તરીકે સુરતમાં ભરતી થઇ હતી. જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા.

દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ગૃહકંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળીને ભાવનાબેને આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જો કે પોલીસ તપાસમાં મૃતક ભાવનાબેનની અંતિમ ચિઠ્ઠી મળી નથી.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

કોન્સ્ટેબલ પતિ પત્ની આપઘાત પહેલાના પાંચ દિવસ રજા લઇને વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે સવારે ભાવનાબેનએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે પોતે નોકરી પર નહિ આવે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ મોડી સાંજે ભાવનાબેને આપઘાત કર્યો હતો.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવના ડાભીના આપઘાત કેસમાં રાણીપ પોલીસે અકસ્માતે મોત નોંધીને તેના પતિ ભદ્રેશ ડાભીનું નિવેદન લઈને આત્મહત્યાના કારણને લઈને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ભારે કરી હો ! હજુ પણ એવી પત્ની શોધું છું જે મને સમજે… 63 વર્ષમાં 53 વખત લગ્ન કરી ચૂક્યો છે આ શખ્સ, તોય ધરાતો નથી બોલો !

Heavily done! Still looking for a wife who

  • 63 વર્ષના જીવનમાં 53 લગ્ન કર્યા, વિદેશ યાત્રા દરમિયાન પત્નીની ખામી ન વર્તાઇ આટલા માટે તેઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગ્ન કરી લીધા.

એક વ્યક્તિ તેના જીવનમાં કેટલી વખત લગ્ન કરી શકે છે…એક, બે, ત્રણ કે ચાર. પણ જો કોઈએ તેના 63 વર્ષના જીવનમાં 53 લગ્ન કર્યા હોય તો ? આ સાંભળીને તમે શું કહો ? જણાવી દઈએ કે આ ખાલી કહેવા માટે નથી કહેતા પણ આ એક સાચો કિસ્સો છે. સાઉદી અરેબિયાના (Saudi Arabia) રહેવાસી અબુ અબ્દુલ્લાને (Abu Abdullah) આ સદીના સૌથી મોટા બહુપત્નીત્વવાદી કહી તો એ કોઈ ખોટી વાત નહીં હોય.

અબ્દુલ્લાએ છેલ્લા 63 વર્ષમાં 53 લગ્ન કર્યા છે અને આવું એટલા માટે કે વિદેશ યાત્રા દરમિયાન પત્નીની ખામી ન વર્તાઇ આટલા માટે તેઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગ્ન કરી લીધા છે. અબ્દુલ્લા એ કહ્યું હતું કે આમ કરવાથી તે બહારની ખરાબીઓથી દૂર રહે છે તે એવો પણ દાવો કરે છે કે તેને કોઈપણ પત્ની સાથે અન્યાય કર્યો નથી, બધા સાથે સમાન વ્યવહાર કર્યો છે અને સમાન અધિકાર આપ્યા છે.

20 વર્ષે પહેલા લગ્ન કર્યા હતા :

અબુ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જ્યારે પ્રથમ લગ્ન થયા ત્યારે તેઓ માત્ર વીસ વર્ષના હતા અને તેની પત્ની અને બાળક સાથે ખુશ હતા પણ ત્રણ વર્ષ વીતી ગયા પછી કેટલાક એવા સંજોગો ઉભા થયા કે તેને ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને 23 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા. સાથે એમને એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તેને પહેલી વખત લગ્ન કર્યા એ સમયે તેની પત્ની તેના કરતા છ વર્ષ મોટી હતી.

વિદેશ યાત્રા પર આ કારણે કર્યા લગ્ન :

અબુ અબ્દુલ્લાનું કહેવું છે કે તેણે પોતાના 53 લગ્નોમાં વધુ પડતી સાઉદી મહિલાઓ સાથે લગ્ન કર્યા છે પણ આ સાથે જ ઘણી વિદેશી મહિલાઓ સાથે લગ્ન પણ કર્યા છે. એમને જણાવ્યું હતું કે તેઓ ત્રણથી ચાર મહિના માટે વિદેશ બિઝનેસ ટૂર પર રહેતા હતા અને આ દરમિયાન તેને વિદેશી મહિલાઓ સાથે વિદેશમાં લગ્ન કર્યા હતા.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

અબ્દુલ્લાએ કહ્યું કે હું ત્રણ-ચાર મહિના વિદેશમાં રહેતો હતો અને એટલા માટે જ મેં મારી જાતને ખરાબ કામોથી બચાવવા માટે વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન પણ કર્યા હતા.

કેમ કર્યા આટલા બધા લગ્ન :

સાઉદી અરેબિયાના રહેવાસી અબુ અબ્દુલ્લાએ જણાવ્યું કે 63 વર્ષમાં 53 લગ્ન એમને પોતાના મનની શાંતિ અને સ્થિરતા માટે કર્યા હતા. તે એવી પત્નીની શોધમાં હતો જે તેને સમજી શકે અને તેને શાંતિ આપે અને એ હંમેશા એવી સ્ત્રીની શોધમાં રહે છે જે તેને ખુશ કરી શકે. અબુનું કહેવું છે કે તેને અત્યાર સુધીમાં સૌથી ટૂંકા લગ્ન કર્યા હતા જે માત્ર એક જ રાતમાં તૂટી ગયા હતા.

આ પણ વાંચો :-

હવે દેવી-દેવતાનું અપમાન કરતા પહેલાં વિચારજો, ભગવાન વિરૂદ્ધ ટિપ્પણી કરનારા 4 સંતો વિરૂદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી

0

Now think before insulting gods and goddesses

  • હિંદુ ધર્મના ભગવાનને લઇને કરેલી વિવાદિત ટિપ્પણી મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સંતો વિરૂદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan Sect) કેટલાક સંતોના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.

જેમાં ભગવાન શિવ અને કૃષ્ણ (Lord Shiva and Krishna) વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે હવે 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માંગ : 

અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માટે બાવળાના વકીલ હિતેશ જાદવે અરજી કરી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરવા મામલે રૂગનાથચરણ દાસજી સ્વામી, આનંદસાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ઉલ્લેખનીય છે કે, ચારેય સંતોના ભગવાનને લઇને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા સમગ્ર હિંદુ સમાજના લોકોની લાગણી દુભાઈ છે.

એક બાદ એક સંતોના વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ‘હનુમાનજી ભગવાન નથી’ એ પ્રકારનું અક્ષરમુની સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેના લીધે બાદમાં તેઓએ માફી માંગવી પડી હતી. તદુપરાંત ભગવાન શિવજી પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઇને આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાર બાદ તેઓએ પણ માફી માંગવાનો વારો આવ્યો હતો.

તાજેતરમાં જ કૃષ્ણસ્વરૂપ સ્વામીનો એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો :

આ સિવાય સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામીનો એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વામીએ ભગવાન બ્રહ્માનું અપમાન કર્યું હતું. સ્વામીએ ઇન્દ્રદેવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા હતા.

તદુપરાંત અન્ય એક વીડિયોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ ડાકોરના રાજા રણછોડની ઉપેક્ષા કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ઈશ્વરના નામે ટીકા કરી હતી. આમ સંતોના એક બાદ એક જૂના વીડિયો વાયરલ થતા સમગ્ર હિંદુ સમાજ અને સનાતન ધર્મને માનનારા સાધુ-સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો :-

ફરી ડાયરાની રમઝટ વચ્ચે “કમા”ની રોયલ એન્ટ્રી થતા જનમેદની ઉમટી, થયો લાખો રૂપિયાનો વરસાદ

0

Amidst the razzle-dazzle of Dior again, the

  • રાજુલામાં લમ્પીગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતમાં ફ્રેમસ થયા કમાભાઈએ રોયલ એન્ટ્રી કરી હતી અને લોકોને મોજ કરાવી દીધી હતી.

આજકાલ ગુજરાતમાં કમાની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. હાલ રાજ્યમાં ક્યાંય પણ લોક ડાયરો (Folk Dior) હોય તેના સ્ટેજ પર ગુજરાતના લોક લાડીલા કલાકારો (Folklore artists) કમાને લઈને નામના મેળવી રહ્યા છે. ત્યારે અમરેલીના રાજુલામાં ભાજપ દ્વારા એક લોક ડાયરો યોજાયો હતો. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી (Rajbha Gadhavi) સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

રાજુલામાં લમ્પીગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતમાં ફ્રેમસ થયા કમાભાઈએ રોયલ એન્ટ્રી કરી હતી અને લોકોને મોજ કરાવી દીધી હતી. ડાયરાની રમઝટ વચ્ચે “કમા“ની એન્ટ્રી થતા મોટી સંખ્યામાં જનનેદની ઉમટી પડી હતી. આ ડાયરામાં ચલણી નોટનો વરસાદ પણ થયો હતો.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ભાજપ નેતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી દ્વારા ડાયરાનું આયોજન કરાયુ હતું. તાજેતરમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર ‘કમા’એ હાજરી આપીને ડાન્સ કર્યો હતો.

રાજુલામાં આયોજિત રાજભા ગઢવીના લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ નારણ કાછડિયા, હીરા સોલંકી, કૌશિક વેકરિયા સહિતના ભાજપના નેતાઓએ હાજરી આપી હતી. ભાજપના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો :-

જો આટલું નહીં કરો તો ક્યારેય નહીં તૂટે દોસ્તી, વરસો વરસ સચવાશે ભાઈબંધી

0

If you don’t do this, friendship will never

  • દર વર્ષે ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશિપ માટે ખૂબ ખાસ હોય છે. દરેકના જીવનમાં ખાસ મિત્ર હોય છે, જે દરેક વખતે સાથ નિભાવે છે અને મિત્રતાની ડોરને મજબૂત બનાવે છે.

આમ તો મિત્રનો દરરોજનો સાથ ખૂબ ખાસ હોય છે. પરંતુ દર વર્ષે ઓગષ્ટના પહેલા રવિવારે આ દિવસ વધુ સ્પેશિયલ થઇ જાય છે. આ દિવસે તમે તમારા મિત્ર સાથે અમુક પ્રોમિસ (some promise) કરી શકો છો. જેના માટે તમે કઈક સ્પેશિયલ પ્લાન કરી શકો છો.

સારા મિત્રની સાથે ક્યાક ફરવા જઇ શકો છો.  અમે તમને જણાવી રહ્યાં છે, અમુક એવી વાત જેનો ઉપયોગ મિત્રતામાં અજાણતા પણ ના કરતા અને મિત્રતાના સંબંધને વધુ મજબૂત બનાવો.

ખોટુ ના બોલશો, કારણકે મિત્ર છે જરૂરી :

જો તમે તમારી મિત્રતાને વર્ષોવર્ષ જાળવવા માગતા હોય તો યાદ રાખો આ સંબંધની વચ્ચે ખોટુ ક્યારેય ના બોલશો. કારણકે મિત્રતાની પહેલી શરત હોય છે કે કશુ પણ સિક્રેટ ના રાખશો. મિત્રતાને એન્જોય કરતા જાઓ. પરંતુ જો તમે ભૂલથી પણ ખોટુ બોલ્યા તો આ તમારી સારી મિત્રતા વચ્ચેના સંબંધને ખત્મ કરી શકે છે.

પૈસાને વધુ મહત્વ ના આપશો :

ક્યારેય પણ પોતાની મિત્રતા વચ્ચે પૈસાને ના લાવશો. કારણકે અવાર-નવાર આપણે જોઇએ છીએ કે પૈસાના કારણે મિત્રતા વચ્ચેની અંડરસ્ટેન્ડિંગ પૂરી થઇ જાય છે અને તમે એક સારો મિત્ર ગુમાવી દો છો.

ક્યારેક-ક્યારેક પૈસાને લઇને તમારું બિહેવિયર તમારા મિત્રને ખરાબ ફીલ કરાવી શકે છે. તેથી પૈસાને મિત્રતાની વચ્ચે આવવા ના દેશો આ સંબંધને વધુ સ્પેશિયલ બનાવો.

આ પણ વાંચો :-

દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર આવી ગઈ બજારમાં, આ તારીખે વેચાણ શરૂ, ફીચર્સ જાણીને કહેશો, ‘છોડાવવી પડશે’

0

The country’s cheapest electric car has arrived in

  • Tigor EVને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર સેફ્ટી રેટીંગ મળ્યું છે અને Tiago EVને પણ સુરક્ષિત થવાની સંભાવના છે. કિંમતની વાત કરીએ તો ટાટા ટિયાગો ઈવીની કિંમત 10 લાખ રૂપિયા, એક્સ-શોરૂમની નજીક મુકી શકાય છેે.

ટાટા મોટર્સે (Tata Motors) હાલમાં જાહેરાત કરી છે કે ભારતીય માર્કેટ માટે કંપનીની આગામી ઈલેક્ટ્રીક રજૂઆત Tiago EV હશે. હવે ડોમેસ્ટિક વાહન (Domestic vehicle) નિર્માતાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ઓલ-ન્યુ ટાટા ટિયાગો ઈવી 28 સપ્ટેમ્બર, 2022ના રોજ ભારતમાં પોતાની વૈશ્વિક શરૂઆત કરશે.

લોન્ચ થયા બાદ આ દેશમાં વેચાતી સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર હોઇ શકે છે. ખરેખર ટાટા ટિયાગો કંપનીની એન્ટ્રી લેવલ ICE હેચબેક છે અને આવુ તેનુ ઈલેક્ટ્રીક વર્ઝન હોઇ શકે છે.

કંપનીએ કારના સ્પેસિફિકેશન્સનો ખુલાસો કર્યો નથી :

Tata Tiago EV ભારતની પહેલી ઈલેક્ટ્રીક હેચબેક હશે અને કંપનીના પોર્ટફોલિયોમાં Tiago EVથી નીચે હશે. જો કે, ટાટા મોટર્સે અત્યાર સુધી Tiago EV અંગે સ્પેસિફિકેશન્સ અને અન્ય વિવરણોનો ખુલાસો કર્યો નથી.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ટિયાગો ઈવી કંપનીની ઈલેક્ટ્રીક સેડાન Tiago EVની સાથે અંડરપિનિંગ અને મિકેનિકલ્સ શેર કરી શકે છે. Tiago EVને ગયા વર્ષે ભારતમાં PV સેગમેન્ટ માટે લોન્ચ કરવામાં આવી હતી.

ઈલેક્ટ્રીક કારના આ છે સ્પેસિફિકેશન્સ : 

જો સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Tiago EVમાં ટાટાની એડવાન્સ Ziptron ટેેકનોલોજી છે, જે કાયમી મેગ્નેટ સિંક્રોનસ ઈલેક્ટ્રીક મોટરનો ઉપયોગ કરે છે. આ પાવરટ્રેન 74 બીએચપી, 170 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે.

કંપની દાવો કરે છે કે આ 5.7 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. આ ઉપરાંત તેમાં 26 kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે, જે પ્રતિ ચાર્જ 302 કિમીની ARAI પ્રમાણિત રેન્જ આપે છે.

ટાટા ટિયાગો ઈવીમાં પણ આ પાવરટ્રેન મળવાની આશા :

આગામી નવી ટાટા ટિયાગો ઈવીમાં પણ આ પાવરટ્રેન મળવાની આશા છે. આ સાથે મોટર, મોટરનો પાવર અને ટોર્ક, બેટરી પેક તથા રેન્જ પણ Tigor EVના જેવી હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે Tigo EVને  ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર સેફ્ટી રેટીંગ મળ્યું છે અને Tiago EVની પણ ઘણી સુરક્ષિત થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 17 સપ્ટેમ્બર : સિંહ-મકર રાશિના જાતકોએ આજે દરેક બાબતમાં સંભાળવું જરુરી

Today’s Horoscope September 17 Gujarat Guardian

મેષઃ
નાણાંકીય આવક વધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતારણ રહે. નવા રોકાણોનું ફાયદાકારક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકૂળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
વાયુ-કફની પ્રકૃતિ રહે. મોસાળ પક્ષ તરફથી લાભ. આવક જળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજીંગ જેવા તથા સરકારી કામ કરનારને લાભ. દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિયપાત્રનું મિલન શક્ય બને.

મિથુનઃ
મનોબળ ઘટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પત્નિની તબિયતની કાળજી રાખવી. નોકરી-ધંધામાં સફળતા. વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું.

કર્કઃ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. આવકમાં વધારો થતો જણાય. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ગળાના તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે વાદવિવાદ ટાળવો.

સિંહઃ
વિચારો ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી. આવક વધતી જણાય. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નોકરી-ધંધામાં ઉત્સાહ જળવાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોનાે સાથ સહકાર મળતો જણાય.

કન્યાઃ
પરિવારમાં મતભેદ ન થાય એનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધાતી જણાય. અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતિથી દિવસ પસાર કરવો.

તુલાઃ
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સંબંધો બગડતા જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ-રંગ-ટાયર-ટ્યુબના ધંધાર્થીઓને લાભ. દામ્પત્ય સુખમાં આનંદ પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગોથી સાચવવું.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ધનઃ
મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય દિવસ. આરોગ્ય સાચવવું. મગજના રોગોથી સાવચેતી જરૂરી. પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા. માન-સન્માન વધે.

મકરઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે સાથે સાથે ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા વધે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ
આવક જળવાશે. પરિવારમાં આનંદ. ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય જળવાય.

મીનઃ
જુસ્સામાં શક્તિમાં વધારો થાય. આત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા. નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફોથી સાચવવું.

આ પણ વાંચો :-